Ad

Friday, April 17, 2020

અમદાવાદમાં થલતેજના 92 વર્ષના વૃદ્ધે અને વટવાની બે વર્ષની બાળકીએ કોરોનાને હરાવ્યો

અમદાવાદમાં છેલ્લા 30 દિવસમાં એક જ દિવસમાં એક સાથે કોરોનાની સારવાર લઈ રહેલા છ લોકો સાજા થઈ ગયાના સૌથી સુખદ સમાચાર છે. કોરોનાની બિમારી બાળકો અને વૃદ્ધો માટે વધુ જોખમી છે. પણ શુક્રવારે 92 વર્ષના વૃદ્ધ અને એક બે વર્ષની બાળકીને એસવીપીમાંથી રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત 8 વર્ષના બાળક, 31 વર્ષની યુવતી, 45 વર્ષીય અને 49 વર્ષીય વ્યક્તિ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. અત્યારસુધી શહેરમાં કુલ 23 લોકો સાજા થયા છે.
માતા ગર્ભવતી હોવાથી પિતા પુત્રી સાથે આઠ દિવસ જોડે રહ્યા
થલતેજના 92 વર્ષના વૃદ્ધે હિંમતથી કોરોનાને હરાવ્યો હોવાનું સારવાર કરનારા તબીબોનું કહેવુ છે. વટવામાં રહેતી બે વર્ષની બાળકીને પણ આઠ દિવસ પહેલા કોરોના પોઝિટિવ થતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બે વર્ષની બાળકીને દાખલ કરાઈ તેના બે કે ત્રણ દિવસ પહેલા જ તેની માતા ગર્ભવતી બની હતી જેના લીધે હોસ્પિટલમાં તેની માતા નહીં પણ પિતા આઠ દિવસ જોડે રહ્યા હતા. જ્યારે માતા અને નવજાતને હોમ ક્વોરન્ટાઈનમાં રખાયા હતા. આ અંગે બાળકીના પિતા આરીફ મન્સુરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી બે વર્ષની દિકરીને જ્યારે સહેજ તાવ આવ્યો ત્યારે તાત્કાલિક અમે નજીકના સરકારી દવાખાને લઈ ગયા. તેમણે કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાનું કહેતા કંઈ પણ વિચાર્યા વિના અને અમે સરકારી દવાખાનમાં જ દિકરીના સેમ્પલ લેવડાવ્યા હતા અને બીજા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘરે આવેલા હેલ્થ વિભાગના ડોક્ટરો દિકરીને એસવીપીમાં દાખલ કરવા લઈ ગયા.
SVPના ડોક્ટરો મારી દિકરી માટે ફરિસ્તા બનીને આવ્યા
દિકરી નાની હોવાથી અને માતા પણ સાથે નહીં હોવાથી હોસ્પિટલમાં હું ગયો હતો. મને પણ ચેપ ન લાગે તે માટે હોસ્પિટલમાંથી એક ખાસ કીટ, માસ્ક આપ્યાહતા. ચેપ ન લાગે તેની માટે શું કાળજી રાખવી તેના દરેક નિયમો સમજાવ્યા હતા. હું મારી દિકરીથી એક મીટર દૂર આઠે આઠ દિવસ કીટ પહેરીને બેસતો હતો. એસવીપીના ડોક્ટરો મારી દિકરી માટે ફરિસ્તા બનીને આવ્યા હતા. 24 કલાક તેમણે મારી દિકરીની સારસંભાળ રાખી. હું તમામનો આભાર માનું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3afKcBd

No comments:

Post a Comment