
પાંચ શહેર માટે ચીજવસ્તુઓ મોકલવાનું બુકિંગ થઈ શકશે
એટલે કે જો તમે સંપૂર્ણ લૉકડાઉન વખતે પોતાના કોઈ સગાસંબંધી કે પરિચિતને કોઈ ચીજવસ્તુ મોકલવા ઈચ્છો છો, તો આ સુવિધાનો લાભ લઈ શકો છો. દેશભરમાં ચાલુ થનારી આ સુવિધાને લઈને જલંધર ડિવિઝન પોસ્ટ ઓફિસના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ નરેન્દ્ર કુમાર કહે છે કે, પંજાબ સિવાય મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા અને પૂણે સહિત પાંચ શહેર માટે પણ ચીજવસ્તુઓ મોકલવાનું બુકિંગ થઈ શકશે. એટલું જ નહીં, કર્ફ્યૂ દરમિયાન જે લોકો પૈસા લેવા બેંક સુધી ના જઈ શકે, તેમને પોસ્ટ ઓફિસ રોકડ રકમ પણ પહોંચાડશે.
જલંધરમાં રોજ આશરે 200 લોકોને રોકડ પહોંચાડાઈ રહી છે
જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક છે, તો ટપાલીને તમારું આધાર કાર્ડ બતાવીને રૂ. 500થી રૂ. 5000 સુધીની રકમ પણ તમે ઘરે મંગાવી શકશો. આ માટે તમારું કોઈ પણ બેંકમાં ખાતું હોવું જરૂરી છે. આધાર મળતા જ બાયોમેટ્રિકથી ટપાલી જે તે રકમ નીકાળીને તમને આપી દેશે. આ પૈસા તમારા ખાતામાંથી જ કપાશે. આ યોજનાથી જલંધરમાં રોજ આશરે 200 લોકોને રોકડ પહોંચાડાઈ રહી છે. અત્યાર સુધી 900થી વધુ લોકોને તેમના ઘરે રોકડ પહોંચાડાઈ ચૂકી છે. આ યોજનાનો લાભ ગ્રામીણોને સૌથી વધુ મળી રહ્યો છે.
બહાર નથી નીકળી શકતા, તો ફોન પર સુવિધાનો લાભ લઈ શકો છો
લૉકડાઉનના કારણે તમે પોસ્ટ ઓફિસ સુધી નથી જઈ શકતા, તો તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં ફોન કરી શકો છો. એ સૂચના પર પોસ્ટ ઓફિસના કર્મચારી તમારા ઘરે પહોંચી જશે. ત્યાંથી જ તમને તમામ સુવિધા મળી જશે. જો તમને પૈસાની જરૂર છે, તો રોકડ મંગાવી શકો છો. જો તમારે કોઈ પાર્સલ મોકલવું છે કે કોઈ જાણકારી મેળવવી છે, તો ઘરે જ તમને બધી માહિતી મળી જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aY3H2G
No comments:
Post a Comment