
આજે મહાવીર જયંતિ છે. જયંતી મનાવવી અને તેના સિદ્ધાંતો માનવામાં ઘણો ફર્ક છે. આપણે જયંતિ મનાવીએ કે ના મનાવીએ, પરંતુ સિદ્ધાંતો જરૂર અપનાવવા જોઈએ. જેમણે આ અપનાવ્યા, તેમના જીવનમાં ઉતાર-ચઢાવ તો આવ્યા, પરંતુ તેઓ વિચલિત ના થયા. તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા સિદ્ધાંત છે. આજે કોરોના વાઈરસ ફેલાયો છે. આ સિદ્ધાંત તેની સામે લડવા ઉપયોગી છે.
તામસિક ભોજનથી કોરોના ફેલાયો, શાકાહારથી બચાય
અહિંસા: અહિંસાને માનનારા જેટલા પણ લોકો કે દેશ છે, તેઓ આજે જે સ્થિતિમાં છે તેનાથી સંતુષ્ટ છે. કોરોનાનું કારણ જીવ હત્યા અને તામસિક ભોજન છે. ચીનમાં તો લોકો પશુ-પક્ષીઓ જ નહીં, જંગલી જીવજંતુઓ પણ મારીને ખાય છે. આ જ કારણે આ બિમારી ચીનમાંથી ફેલાઈ. માંસાહારનો ત્યાગ કરીને આવી બિમારીથી બચી શકાય છે.
બિમારીનું સત્ય જણાવીને તમે બધાને બચાવી શકો
સત્ય: સત્યના માર્ગે જીવન જીવનારા સંત હોય છે. આજે જૂઠની બોલબાલા છે. સત્ય- અહિંસા સાથે આપણે એટલો જ સંબંધ છે- દીવાલો પર લખી નાંખીએ છીએ કે અને દીવાળી પર ઘર ધોળાવી દઈએ છીએ. આપણને બિમારી થાય, તો આપણે આ સત્ય જણાવવું જોઈએ. તેનાથી પરિવાર કે બીજાને બિમારીથી બચી શકાય છે. સત્ય જણાવવું જોઈએ, છુપાવવું ના જોઈએ.
ઘરમાં પરમાત્માનું ધ્યાન ધરી બિમારીથી બચી શકાય છે
બ્રહ્મચર્ય: બ્રહ્મચર્ય એટલે આત્મામાં, સ્વભાવમાં લીન થવું. જ્યારે વ્યક્તિ બહાર જાય છે, તો દુનિયા તેને અશાંત કરે છે. તેનાથી ઊલટું આપણે આત્મા તરફ જઈએ છીએ, ત્યારે તેને બ્રહ્મ દેખાય છે. જે શાંતિ આપે છે. આજના સમયમાં સૌથી સારું સાધન છે, પરમાત્માનું ધ્યાન અને તેનું સ્મરણ કરવું. જો આવું કરીએ તો કોરોના મહામારીથી બચી શકાય છે.
બીજાની ઉન્નતિ પર નિયત બગાડવી, એ પણ ચોરી જ છે
અચૌર્ય: અચૌર્ય એટલે કે ચોરી ના કરવી. ના મનથી, ના વચનથી. કોઈ પણ પડી ગયેલી, ભૂલી જવાયેલી વસ્તુ ઉઠાવવી પણ ચોરી છે. નિયત ખરાબ કરવી એ પણ ચોરી છે. આજે અનેક લોકો અને દેશો પણ બીજાનો વિકાસ નથી જોઈ શકતા. તેમને પાછળ કરવા બિમારી પણ ફેલાવી રહ્યા છે. કહેવાય છે કે, ચીને પોતાનું પ્રભુત્વ જમાવવા માટે આ વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.
દાન કરીને આ બીમારીમાંથી બહાર આવી શકીએ છીએ
અપરિગ્રહ: અપરિગ્રહ એટલે કે ચીજવસ્તુ ભેગી નથી કરવાની. આપણે જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવાનો છે. અપરિગ્રહનું પાલન નહીં કરવાથી જ દુનિયામાં યુદ્ધો થાય છે. જમીન, ધન વગેરે માટે વ્યક્તિહ હિંસક બની જાય છે. જે કંઈ આપણે ભેગું એટલે કે પરિગ્રહ કર્યું છે, તે જરૂરિયાતમંદોને દાન આપવાથી મહામારીમાંથી બહાર આવી શકાય છે.
(ઈન્દોરમાં સુનીલ ભૈયાજી સાથેની વાતચીતના આધારે)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XbfJBy
No comments:
Post a Comment