
ક્ષત્રિય ગ્રામકુંડ જ ભગવાન મહાવીરનું જન્મસ્થળ
24મા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મસ્થળને લઈને શ્વેતાંબર અને દિગંબર પંથમાં અલગ અલગ માન્યતાઓ છે. શ્વેતાંબર જૈન ક્ષત્રિય ગ્રામકુંડ અને દિગંબર જૈન વૈશાલીને ભગવાન મહાવીરનું જન્મ સ્થળ માને છે. પિયૂષ સાગરસૂરિજી મહારાજ જણાવે છે કે જૈન શ્વેતાંબર ધર્મના ગ્રંથ કલ્પસૂત્રના પૃષ્ઠ 102 અને 103માં ક્ષત્રિય ગ્રામકુંડનો ઉલ્લેખ છે. તેનાથી એ સાબિત થાય છે કે ભગવાન મહાવીરનું જન્મસ્થળ ક્ષત્રિય કુંડ જ છે. 1984માં મધુવન (ઝારખંડ)માં અખિલ ભારતીય ઈતિહાસ વિદ્વત સંમેલનમાં પણ ઈતિહાસકારોએ ક્ષત્રિય કુંડને ભગવાન મહાવીરનું જન્મસ્થળ માન્યુ હતું.
ભગવાન મહાવીરની 2600 વર્ષ જૂની પ્રતિમા અને મંદિરની વિશેષતાઓ
- કલ્પસૂત્ર મુજબ આ પ્રતિમા પાંચમી-છઠ્ઠી શતાબ્દીની છે.
- પદ્માસન મુદ્રામાં કમળ પર વિરાજીત પ્રતિમા ત્રણ ફૂટ ઊંચી છે.
- પ્રતિમાનો સ્થાપના કાળ સંવત 1505 છે.
- પ્રતિમાના ચતુર્દીક ગંધર્વ અપ્સરાઓ પણ છે.
- 1.25 લાખ ચો.ફૂટમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર નિર્માણ.
- જૈન મુનિઓને રહેવા માટે ધર્મશાળાનું નિર્માણ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JDZjd7
No comments:
Post a Comment