Ad

Sunday, April 5, 2020

કરો ભગવાન મહાવીરની 2600 વર્ષ જૂની જીવંત પ્રતિમાના દર્શન, 7 પહાડોથી ઘેરાયેલું છે જન્મસ્થળે બનેલું આ મંદિર

જૈન ધર્માવલંબિઓની આસ્થાનું સૌથી મોટું તીર્થધામ. અહીં પ્રભુની 2600 વર્ષ જૂની પ્રતિમા છે. જેને સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવંત પ્રતિમા માનવામાં આવે છે. સાત પહાડોથી ઘેરાયેલા જન્મસ્થાનમાં ગયા મહિને જ એક ભવ્ય મંદિર બનીને તૈયાર થયું છે. અહીં જે પ્રતિમા સ્થાપિત છે તે 2015માં ચોરાઈ ગઈ હતી. જે 2016માં એક ખેતરમાંથી મળી હતી. એ પછી તેની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. દૂધિયા માર્બલથી બનેલા આ મંદિર પરિસરમાં એક આર્ટ ગેલેરી પણ છે, જ્યાં ભગવાન મહાવીરના જીવન દર્શન સાથે જોડાયેલી તસવીરો મૂકાયેલી છે.
ક્ષત્રિય ગ્રામકુંડ જ ભગવાન મહાવીરનું જન્મસ્થળ
24મા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મસ્થળને લઈને શ્વેતાંબર અને દિગંબર પંથમાં અલગ અલગ માન્યતાઓ છે. શ્વેતાંબર જૈન ક્ષત્રિય ગ્રામકુંડ અને દિગંબર જૈન વૈશાલીને ભગવાન મહાવીરનું જન્મ સ્થળ માને છે. પિયૂષ સાગરસૂરિજી મહારાજ જણાવે છે કે જૈન શ્વેતાંબર ધર્મના ગ્રંથ કલ્પસૂત્રના પૃષ્ઠ 102 અને 103માં ક્ષત્રિય ગ્રામકુંડનો ઉલ્લેખ છે. તેનાથી એ સાબિત થાય છે કે ભગવાન મહાવીરનું જન્મસ્થળ ક્ષત્રિય કુંડ જ છે. 1984માં મધુવન (ઝારખંડ)માં અખિલ ભારતીય ઈતિહાસ વિદ્વત સંમેલનમાં પણ ઈતિહાસકારોએ ક્ષત્રિય કુંડને ભગવાન મહાવીરનું જન્મસ્થળ માન્યુ હતું.
ભગવાન મહાવીરની 2600 વર્ષ જૂની પ્રતિમા અને મંદિરની વિશેષતાઓ
  • કલ્પસૂત્ર મુજબ આ પ્રતિમા પાંચમી-છઠ્ઠી શતાબ્દીની છે.
  • પદ્માસન મુદ્રામાં કમળ પર વિરાજીત પ્રતિમા ત્રણ ફૂટ ઊંચી છે.
  • પ્રતિમાનો સ્થાપના કાળ સંવત 1505 છે.
  • પ્રતિમાના ચતુર્દીક ગંધર્વ અપ્સરાઓ પણ છે.
  • 1.25 લાખ ચો.ફૂટમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર નિર્માણ.
  • જૈન મુનિઓને રહેવા માટે ધર્મશાળાનું નિર્માણ.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભગવાન મહાવીરની 2600 વર્ષ જૂની પ્રતિમા.
રાજસ્થાનના દેલવાડાની તર્જ પર આ મંદિરનું નિર્માણ થયું છે.


from Divya Bhaskar https://ift.tt/2JDZjd7

No comments:

Post a Comment