
from India Today | Top Stories https://ift.tt/2CFYPTr
ચાલુ વર્ષે ધો.12ની કેટલીક પરીક્ષા રદ થવાથી આઈઆઈટીમાં પ્રવેશ માટેના માપદંડમાં ઢીલ આપવાનું નક્કી કરાયું છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું હતું કે કોરોના રોગચાળાના કારણે ધો.12ની કેટલીક પરીક્ષા રદ થઈ હતી. આ કારણે જોઈન્ટ એડમિશન બોર્ડે જેઈઈ એડવાન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટેના યોગ્યતા માપદંડમાં છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે.
નિયમ મુજબ આઈઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ એડવાન્સ ક્વોલિફાય કરવા ઉપરાંત ધો.12માં ઓછામાં ઓછા 75% માર્ક્સ લાવવા ફરજિયાત છે.
કોરોનાનો પ્રકોપ વધ્યા બાદ માર્ચમાં લગભગ તમામ દેશોમાં લૉકડાઉન જાહેર કરી દેવાયું હતું, જેના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ બંધ થઇ ગઇ હતી. હવે ધીમે-ધીમે ઘણા દેશોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરી દીધી છે. ભારત સરકારે પણ અમેરિકા અને ફ્રાન્સ માટે વિશેષ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. 17થી 31 જુલાઇ સુધી અમેરિકા અને 18 જુલાઇથી 1 ઓગસ્ટ સુધી ફ્રાન્સનાં શહેરો માટે ફ્લાઇટ્સ ઉપડશે.
સૌથી વધુ સંક્રમિત દેશો પૈકીના જર્મની અને ફ્રાન્સમાં સ્કૂલો પણ ખૂલી ચૂકી છે, આવા કુલ 10 દેશ છે
35 દેશ રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરી ચૂક્યા છે. તેમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, મેક્સિકો, અફઘાનિસ્તાન અને યુક્રેન મુખ્ય છે. આ દેશોએ મુસાફરો માટે વિવિધ સુરક્ષા નિયમો અને પ્રોટોકોલ નક્કી કરી રાખ્યા છે...
આ દેશોએ ફ્લાઇટ્સ આંશિક ધોરણે શરૂ કરી છે
ચીન, અમેરિકા, રશિયા, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, જાપાન, દ.કોરિયા સહિત 72 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આંશિક ધોરણે શરૂ થઇ ચૂકી છે. જોકે, આ દેશોએ વધુ સંક્રમણવાળા કેટલાક દેશોમાંથી મુસાફરી પર બૅન જારી રાખ્યો છે.
આ દેશોમાં હાલ સંપૂર્ણપણે બૅન
બ્રાઝિલ, કેનેડા, સાઉદી અરેબિયા, દ.આફ્રિકા, ઇન્ડોનેશિયા સહિત 97 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ છે. તેમાં 17 દેશ એવા છે કે જ્યાં ફ્લાઇટ્સ શરૂ થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.
ગૂગલ પછી ભારતમાં વિશ્વની સૌથી મોટી ટેક કંપની એપલના આઈફોન એસેમ્બલ કરનારી પેગાટ્રોન કંપની રોકાણ કરવાની તૈયારીમાં છે. પેગોટ્રોન દેશમાં તેનો પ્રથમ એસેમ્બલીંગ પ્લાન્ટ સ્થાપવાનો વિચાર કરી રહી છે. હકીકતમાં વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે ભારત સરકારે ગયા જૂન મહિનામાં 50 હજાર કરોડ રૂપિયાની વિશેષ યોજના ઘડી હતી. આ હેઠળ દેશ અને દુનિયાભરમાં સ્માર્ટ ફોન ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને ભારતમાં રોકાણ માટે આકર્ષિત કરવામાં આવી રહ્યાં છે.
ગૂગલે હાલમાં જ દેશમાં આગામી 5 વર્ષમાં 75 હજારનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ફોક્સકોન સહિત અનેક કંપનીઓ રોકાણ કરવા ઇચ્છુક છે. એક સૂત્રે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે હોનહાઈ નામથી પ્રસિદ્ધ ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી પેગાટ્રોન ભારત આવી રહ્યાં છે.
ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી એપલની ત્રીજી કંપની ભારત આવવાની તૈયારીમાં
પેગોટ્રોન આઈફોન માટે બીજી સૌથી મોટી એસેમ્બલિંગ કંપની છે. તેનો અડધો વેપાર એપલથી જ આવે છે. ચીનમાં કંપનીએ અનેક ફેક્ટરી ખોલી છે પણ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લઈ ભવિષ્ય માટે કંપની સુરક્ષિત જગ્યા શોધી રહી છે. હાલમાં ફોક્સકોન અને વિસ્ટ્રોન ભારતમાં આઈફોન બનાવી રહ્યાં છે.
રાજસ્થાનમાં સરકારને તોડી પાડવાના ષડયંત્રમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણ સંબંધિત ઓડિયો બહાર આવ્યા પછી શુક્રવારે પાંચ મોટી ઘટના બની. પ્રથમ- પોલીસે ઓડિયોની વાતચીતના આધારે ગજેન્દ્રસિંહ, દલાલ સંજય જૈન અને કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. એફઆરઆઈમાં ગજેન્દ્રસિંહનું નામ પણ છે. આ ગજેન્દ્ર કોણ છે તે સ્પષ્ટ નથી. કોંગ્રેસનો દાવો છે કે ઓડિયોમાં અવાજ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો છે.
બીજીબાજુ ગજેન્દ્રએ કહ્યું છે કે ઓડિયો નકલી છે. બીજું- કોંગ્રેસે ધારાસભ્ય વિશ્વેન્દ્રસિંહ અને ભંવરલાલ શર્માને સસ્પેન્ડ કર્યા છે. ત્રીજું- દલાલ સંજય જૈનની ધરપકડ કરાઈ છે. ચોથું- એસઓજીની ટીમ હરિયાણાના માનેસરમાં રોકાયેલા પાઈલટ જૂથના ધારાસભ્યોની પૂછપરછ માટે પહોંચી પરંતુ હરિયાણા પોલીસે તેમને અંદર આવવા દીધા નહીં. દોઢ કલાક પછી પ્રવેશ મળ્યો ત્યાં સુધીમાં વિધાયક ગાયબ થઈ ગયા હતા. પાંચમું - હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષ તરફથી સચિન પાઈલટ અને 18 ધારાસભ્યોને આપેલી નોટિસ પર મંગળવાર સુધી રોક લગાવી છે.
હરિયાણા પોલીસના રક્ષણ હેઠળ રાજસ્થાનના ધારાસભ્ય
હરિયાણાના માનેસરમાં પાઈલટ જૂથના ધારાસભ્ય રોકાયા છે. રાજસ્થાન પોલીસની એસઓજી ટીમ જેવી ત્યાં પહોંચી કે તરત હરિયાણા પોલીસે તેમને રોકી દીધા હતા. લગભગ દોઢ કલાક પછી પ્રવેશ મળ્યો પણ ત્યાં સુધીમાં ધારાસભ્યો ગાયબ થઈ ગયા હતા. એસઓજી કહ્યું છે કે આ મામલે અનેક પુરાવાઓ એકઠા કરાયા છે. ટીમ કોર્ટમાં ધારાસભ્યોના વૉઈસ સેમ્પલ માટે પણ અપીલ કરી શકે છે.
કોંગ્રેસે કહ્યું- કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરો, સચિન પાઈલટ સામે આવે
પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તે(ભાજપ) 25-35 કરોડ રૂપિયામાં ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અત્યાર સુધી જે ટેપ સામે આવી છે, હજુ વધુ આવી શકે છે. તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ સરકારને ઊથલાવવા અને ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. તેમની ધરપકડ કરવામાં આવે. આ મામલે સચિન પાઈલટ હાજર થાય અને ભાજપને કોંગ્રેસી ધારાસભ્યોનું લિસ્ટ આપવા અંગે સ્પષ્ટતા કરે.
પાઈલટ-ધારાસભ્યોને અયોગ્યતા નોટિસ પર 21 જુલાઈ સુધી રોક
વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશી તરફથી બળવાખોર સચિન પાઈલટ સહિત 19 ધારાસભ્યોને અપાયેલી અયોગ્યતાની નોટિસ મુદ્દે હાઈકોર્ટે સુનાવણી કરી. કોર્ટે આદેશ આપ્યો કે નોટિસ પર 21 જુલાઈ સુધી કાર્યવાહી કરવી નહીં. આગામી સુનાવણી 20 જુલાઈએ થશે. બળવાખોર ધારાસભ્યો તરફથી વકીલ હરીશ સાલ્વેએ વીસી દ્વારા લંડનથી દલીલ કરી હતી. સ્પીકર તરફથી અભિષેક મનુ સિંઘવી પણ વીસી દ્વારા હાજર થયા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાનું મૌન
પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આ મામલે શરૂઆતથી મૌન ધારણ કરી બેઠાં છે. ઓડિયો લીક થયા બાદ પણ તેમનું મૌન યથાવત્ જ છે. ભાજપના સહયોગી પક્ષ રાલોપાના નેતા હનુમાન બેનીવાલે ગુરુવારે તેમના પર આરોપ મૂક્યો હતો કે તે ગેહલોત સરકારને બચાવી રહ્યાં છે. પાઈલટ જૂથે તેમની સામે પણ આ જ આરોપ મૂક્યો હતો.
મણિપુરના મહિલા પોલીસ અધિકારી થૌનાઓઝમ વૃંદાએ મણિપુર હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરી મુખ્યમંત્રી એન.બિરેનસિંહ પર ધરપકડ કરાયેલા ડ્રગમાફિયાને છોડવા માટે દબાણ કર્યાનો આક્ષેપ કર્યો છે. વૃંદાએ 19 જૂન 2018ના રોજ ડ્રગમાફિયા લુહખોસેઈ જોઉને 28 કરોડ રૂપિયાના ડ્રગ અને રોકડ સાથે પકડ્યો હતો. આ મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું કે મામલો કોર્ટમાં છે. ટિપ્પણી કરવી યોગ્ય નથી. 18 પાનાની સોગંદનામાંની કોપી ભાસ્કર પાસે છે. વાંચો તેના સંપાદિત અંશ...
વૃંદાએ લખ્યું- સીએમએ મને બંગલા પર બોલાવી કહ્યું- શું આ માટે તને વીરતા પુરસ્કાર આપ્યો હતો.
મેં મુખ્યમંત્રીને ડ્રગ્સની તપાસ અંગેના દરોડા વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે અમે જિલ્લા પરિષદના સભ્યના ઘરે દરોડા પાડવા જઈ રહ્યા છે. તે સમયે મુખ્યમંત્રીએ ફોન પર પ્રશંસા કરતા કહ્યું હતું કે તેને ત્યાંથી ડ્રગ મળે તો તેની ધરપકડ કરો. પરંતુ આ કડક કાર્યવાહીના બીજા દિવસે 20 જૂનના રોજ સવારે 7 વાગ્યે ભાજપના નેતા અશનીકુમાર મારે ઘેર આવ્યા અને કહ્યું કે ધરપકડ કરાયેલા પરિષદના સભ્ય મુખ્યમંત્રીની પત્ની ઓલીસના રાઈટ હેન્ડ છે. આ ઘટના પછી તેઓ ઘણા નારાજ છે. ધરપકડ કરાયેલી વ્યક્તિને મુક્ત કરી તેની પત્ની કે પુત્રની ધરપકડ કરો. મેં કહ્યું કે આ સંભવ નથી. કારણકે ડ્રગ્સ તેના પુત્ર કે પત્ની પાસેથી મળ્યું નથી. ત્યારપછી અશનીકુમાર બીજીવાર મને મળવા આવ્યા અને ડ્રગમાફિયાને છોડવા માટે દબાણ કર્યું. 14 ડિસેમ્બરે નાર્કોટિક્સ એન્ડ અફેર્સ ઓફ બોર્ડર બ્યુરોના એસપીએ સવારે 11 વાગ્યે એક બેઠક બોલાવી હતી.
લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ પછી રાખડી અને તેના સંબંધિત સામાનની આયાતને અસર થઈ છે. વેપારીઓએ વિવાદ પહેલા લગભગ 70 ટકા આયાત કરી દીધી હતી. પરંતુ ત્યારપછી નવા ઓર્ડર આપવાનું બંધ કરી દીધું છે. એને કારણે ચીનને લગભગ 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના અધ્યક્ષ બી.સી.ભરતિયા કહે છે કે બીજા તહેવારોમાં પણ ચીનથી આયાત ઓછી થશે. દિવાળી પર તેની સૌથી વધુ અસર જોવા મળશે. ગયા વર્ષે દિવાળીએ 3200 કરોડ રૂપિયાના સામાનની આયાત કરાઈ હતી. જ્યારે 2018માં 8 હજાર કરોડ રૂપિયાનો સામાન મંગાવાયો હતો. 3 ઓગસ્ટે રક્ષાબંધન છે. એ નિમિત્તે દેશી દોરાની રાખડીઓની માંગ વધુ રહે છે. આ કારણે ચીનથી આવતી ફેન્સી રાખડીઓની માંગ ઓછી થઈ ગઈ છે. બદલાતા ટ્રેન્ડ વચ્ચે ગ્રાહકો પણ હવે ચીનના સામાનને નકારી રહ્યા છે. રાખડીમાં વપરાતા સજાવટના સામાન ફોમ, સ્ટોન વગેરે ચીનથી આયાત થાય છે. તેની કિંમત લગભગ 1200 કરોડ રૂપિયા સુધી હોય છે. દેશમાં રાખડીનો વેપાર 5થી 6 હજાર કરોડ રૂપિયાનો છે. જે આ વર્ષે ઘટીને 2500 કરોડનો થઈ જશે. દેશમાં સૌથી વધુ રાખડી પશ્ચિમ બંગાળમાં બને છે.
આ ઉપરાંત દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં પણ મોટાપાયે રાખડી બને છે. બંગાળના રાખડી ઉત્પાદક રોહિત ગુપ્તા કહે છે કે રાખડીનો ઓર્ડર ગયા વર્ષ કરતાં 50 ટકા ઓછો છે. પરંતુ કારીગરો પર તેની કોઈ અસર પડી નથી. તેમને ગયા વર્ષે જેટલું કામ મળ્યું હતું એટલું મળી રહ્યું છે. કોરોના પછી વધેલી માંગનો સૌથી વધુ ફાયદો સ્થાનિક કારીગરોને મળ્યો છે. કોલકાતાના વેપારી કે.સી.મુખરજી કહે છે કે માંગ ઘટી છે. પરંતુ આયાત પણ ઓછી થઈ છે. માંગ ઓછી થતાં રાખડી કારીગરોને ઘણું ઓછું કામ મળે છે.
ફોન પર ઓર્ડર બુકિંગ, પબજી, એવેન્જર રાખડીની કિંમત 5થી 18 રૂપિયા
લૉકડાઉન અને ભાડામાં વધારાને કારણે રાખડીની કિંમતમાં 10થી 15 ટકાનો ઉછાળો આવ્યો છે. દિલ્હીના સદર બજારમાં 1 રૂપિયાથી લઈ 70 રૂપિયા સુધીની રાખડી વેચાય છે. બાળકો માટે પબજી, એવેન્જર રાખડીનો ભાવ 5થી 15 રૂપિયા છે. કાર્ટૂન બ્રાન્ડ મોટુપતલુની રાખડી 3થી 10 રૂપિયા, મેટેલિક રાખડી 180થી 300 રૂપિયે ડઝન અને એન્ટિક રાખડી 600થી 700 રૂપિયા ડઝનના ભાવે મળે છે. ઓર્ડર ફોન પર લેવાય છે.
મુંબઈથી દિલ્હી થઈ અમદાવાદ આવેલો પેસેન્જર ગુરુવારે સવારે ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે જ તેના મોબાઈલ પર તે કોરોના પોઝિટિવનો મેસેજ આવ્યો હતો. મુંબઈ અને દિલ્હી બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા બાદ પણ થર્મલ સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલા પેસેન્જરે સામેથી જ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ મેનેજરને જાણ કરી હતી. જેના પગલે તત્કાલ ત્યાં હાજર હેલ્થ વિભાગના કર્મચારીઓની મદદથી આ પેસેન્જરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગુરુવારે સવારે એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા પેસેન્જરે બે દિવસ પહેલા મુંબઈમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ કરાવ્યા બાદ તેને જરૂરી કામ હોવાથી મુંબઈથી દિલ્હી ગયો હતો અને દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. ત્રણેય શહેરોમાં એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગમાં તેને ટેમ્પરેચર ન હોવાથી પકડાયો ન હતો. અમદાવાદમાં પણ તે થર્મલ સ્ક્રીનિંગ બાદ ટર્મિનલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે જ તેના મોબાઈલમાં મુંબઈ લેબોરેટરીનો મેસેજ આવ્યો હતો જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જણાવાયું હતું. કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં આ પેસેન્જરે તત્કાલ એરપોર્ટ પર જ ટર્મિનલ મેનેજરને જાણ કરી હતી. આ પેસેન્જર પોઝિટિવ હોવાની જાણ થતા ટર્મિનલ મેનેજર એરપોર્ટ પર હાજર હેલ્થ વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી. જેથી ત્યાં આવી પહોંચેલા હેલ્થ વિભાગના કર્મચારીઓએ તત્કાલ 108ની મદદથી આ પેસેન્જરને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
ફ્લાઈટમાં સાથે બેઠેલા અન્ય પેસેન્જરને જાણ કરાશે
એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા બાદ પેસેન્જર પોઝિટિવ હોવાની જાણ થતાં એર લાઈન્સના અધિકારીઓએ તેની સાથે આજુબાજુની સીટ પર બેઠેલા પેસેન્જરોને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, ફ્લાઈટમાં 50 જેટલા પેસેન્જરો આવ્યા હતા. એર લાઈન્સે તમામ પેસેન્જરોને સુરક્ષાના ભાગરૂપે માસ્ક, ફેશ શિલ્ડની સાથે વચ્ચેની સીટ પર બેસનારને ગાઉન અપાય છે. તેમ છતાં દિલ્હીથી આવેલા કોરોના પોઝિટિવ પેસેન્જરની આજુબાજુની સીટ પર મુસાફરી કરનારા પેસેન્જરોને સાવચેત રહેવા અને જરૂર જણાય તો તત્કાલ ક્વોરન્ટીન થઈ જવા અંગે જાણ કરાશે.
1 બિહારનો પુલ
આજે રાજસ્થાનથી નહીં, બિહારથી વાત શરૂ કરીએ. મામલો બિહારના ગોપાલગંજનો છે. અહીં ગંડક નદી પર પુલ બનાવવામાં આઠ વર્ષ લાગ્યા. 263 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. પછી તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કરવામા આવ્યું. માત્ર 29 દિવસ થયા હતા અને પુલ નદીના પ્રવાહમાં તણાઇ ગયો. પુલને જોવા માટે લોકડાઉન તોડીને લોકો પહોંચી ગયા. આ ઘટના અંગે નીતિશુકમારની ટીકા થવા લાગી તો બિહાર સરકારે તેને ફેક ન્યૂઝ કહી દીધા. ભ્રષ્ટાચારની પોલ ખોલતી આ ઘટના પર નિવેદન આવ્યું- એમ ન કહો કે પુલ વહી ગયો છે, માત્ર અપ્રોચ રોડ તૂટ્યો છે. સરકાર ચુસ્ત છે અને આ કુદરતી આફતછે. તેમાં વાંધા વચકા ન કાઢો.
2. રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ
રાજસ્થાનના રાજકારણમાં અરજીઓની સીઝન શરૂ થઇ ગઇ છે. CM અશોક ગેહલોતથી નારાજ થઇને બગાવત કરી ચૂકેલા સચિન પાયલટે હજુ પાર્ટી છોડી નથી અને પાર્ટીએ તેમને નથી છોડ્યા. માત્ર હોદ્દા છિનવી લીધા છે. બન્ને જૂથ તરફથી છ દિવસ સુધી નિવેદનો ચાલતા રહ્યા. જ્યારે નિવેદનોનો સ્કોર સેટલ થઇ ગયો ત્યારે પાયલટ સહિત 19 ધારાસભ્ય સ્પીકર તરફથી મળેલી નોટિસને પડકારવા હાઇકોર્ટ પહોંચી ગયા. હાઇકોર્ટમાં આજે ફરી સુનાવણી થશે
સૂત્રોએ જણાવ્યું છે કે ગેહલોતના- સારી અંગ્રેજી બોલવાથી કંઇ નથી થતું, વાળા નિવેદનથી પરેશાન થયા વિના રાહુલ ગાંધીએ પાયલટ સાથે સમાધાન કરવાના પ્રયાસો વધારી દીધા છે. તેઓ પાયલટને પાછા લાવવા માંગે છે. તેથી તેમણે પ્રિયંકા ગાંધી અને એહમદ પટેલને પાયલટ સાથે ફરી વાત કરવાનું કામ સોંપ્યું છે. જોકે પાયલટના પાછા આવવાના બધા રસ્તા ગેહલોત બંધ કરવા માગે છે.
બીજી તરફ SOGની નોટિસના જવાબમાં ગુરૂવાર સાંજ સુધી કોઇ ધારાસભ્ય નિવેદન નોંધાવવા પણ ગયા નહીં અને કોઇએ SOG પાસેથી સમય પણ માંગ્યો નથી. સવાલ પૂછવા પર ધારાસભ્યોએ ભાસ્કરને કહ્યું- નોટિસમાં ક્યાં લખ્યું છે કે નિવેદન કયા દિવસે અને કયા સમયે આપવાનું છે ?
3. કોરોના અંગે ગંભીર સમાચાર
હવે રાજકારણથી હટીને એક ગંભીર સમાચાર. દેશમાં કોરોના કેસ દસ લાખને પાર થઇ ગયા છે. દેશમાં જ્યારે 497 કેસ હતા ત્યારે લોકડાઉન લગાવવામા આવ્યું હતું. જ્યારે લોકડાઉન ખતમ થયું ત્યારે કેસ 1.90 લાખ થઇ ગયા હતા. માત્ર ત્રણ દિવસોમાં કેસ નવ લાખથી વધીને દસ લાખ થયા છે. રાહતની વાત એ છે કે દેશમાં દર દસ લાખની વસ્તી પર 703 કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. અમેરિકામાં આ આંકડો 10924 અને બ્રાઝીલમાં 9270 છે.
4. સુશાંત સુસાઇડ કેસમાં CBI તપાસની માંગ
સુશાંતસિંહ રાજપૂત સુસાઇડને એક મહિનો થઇ ગયો છે. સેલેબ્સ સાથે પૂછપરછ ચાલુ છે. અત્યારસુધી 35 લોકોની પૂછપરછ થઇ ચૂકી છે પરંતુ પોલીસ કોઇ નિષ્કર્ષ પર નથી પહોંચી શકી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ગુરૂવારે બે ટ્વિટ કર્યા અને તેમાં ગૃહમંત્રી અમિત શાહને CBI તપાસની માંગણી કરી હતી. તેણે લખ્યું- હું માત્ર એ સમજવા માંગુ છું કે એ કયુ દબાણ હતું જેના લીધે સુશાંતે આ પગલું ભર્યું.
5. આજના 3 અગત્યના સમાચાર
આજે મોદીનું ભાષણ
ગત મહિને ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલનું નોન પરમાનેન્ટ મેમ્બર બન્યું હતું. તેના એક મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યૂએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલને એડ્રેસ કરશે. ન્યૂયોર્કમાં આયોજિત આ સેશન માટે મોદી વર્ચ્યુઅલ ભાષણ આપશે. મોદીના ભાષણને ભારતમાં સાંજે 7થી રાત્રે 9 વાગ્યા વચ્ચે સાંભળી શકાશે.
રાજનાથનો લદ્દાખ પ્રવાસ
રક્ષામંત્રી રાજનાથસિંહ આજે લદ્દાખ જશે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે તેઓ બોર્ડર પર આર્મીની તૈયારીઓની સમીક્ષા કરશે. રાજનાથનો અગાઉનો પ્રવાસ ગત મહિને થવાનો હતો પરંતુ તે રદ્દ કરવામા આવ્યો હતો. કારણ કે તે દિવસે વડાપ્રધાન મોદી અચાનક લદ્દાખમાં ફોરવર્ડ પોસ્ટ સુધી પહોંચ્યા હતા.
6. આજનો દિવસ કેવો રહેશે ?
આજે શુક્રવાર છે. ટેરોકાર્ડ્સ કહે છે કે મેષ રાશિવાળા માટે પોતાનું કામ શરૂ કરવાની પ્લાનિંગનો દિવસ છે. મિથુન રાશિવાળા લોકો માટે પણ પરિસ્થિતિ સારી બની રહી છે. કર્ક રાશિના લોકો જેવું પરિણામ ઇચ્છશે તેવું પરિણામ તેમને આજે મળશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે મિત્ર અને વૃદ્ધિના નામે બે શુભ યોગ બની રહ્યા છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિના લોકો માટે દિવસ ફાયદાકારક રહેશે. કન્યા, તુલા, ધન અને મકર રાશિના લોકોને સાચવીને ચાલવું પડશે.
પાકિસ્તાનને અડીને આવેલા કચ્છના ખડીર રણમાં હિન્દી ફિલ્મ રેફ્યૂજી જેવો તાલ સર્જાયો હતો. સોશિયલ મીડિયાથી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવેલા મહારાષ્ટ્રનો યુવાન બાઇકથી કચ્છના ખડીર વિસ્તારમાં બે દિવસથી ભટકી રહ્યો હતો. પોલીસને ધોળવીરા ફોસીલ્સ પાર્ક પાસેથી તેનું બાઇક મળી આવ્યું હતું. બીએસએફ અને સ્થાનિક યુવાનો સીમાવર્તી વિસ્તારમાં યુવકની શોધખોળ માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ગુરૂવાર મોડી રાત્રે ખાવડાના કાલાડુંગરથી તે પકડાયો હતો.
મહારાષ્ટ્રીય યુવાન સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની યુવકના સંપર્કમા આવ્યો હતો. યુવાન મહારાષ્ટ્રથી પાકિસ્તાન જવા માટે કચ્છના સરહદીય વિસ્તારમાં પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસથી યુવાન બાઇકથી વિસ્તારમાં ભટકી રહ્યો હતો. પ્રેમિકાને મળવા પોતાના જીવના જોખમે પાકિસ્તાન મળવા રવાના થયો હોવાની વાત વહેતી થતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે શોધખોળ કરતા ધોળાવીરા ફોસીલ્સ પાર્ક પાસેથી મહારાષ્ટ્ર પાસીંગની કાવાસ્કી બોક્સર બાઇક મળી આવી છે. સ્થાનિક પોલીસ, બીએસએફ સહિતની એજન્સીઓ યુવાનનો મોબાઇલ ફોન ટ્રેસ કરતા છેલ્લું લોકેશન ધોળાવીરા ફોસીલ્સ પાર્ક પાસેનું હતું. પ્રેમમાં આંધળો બનેલો આ યુવન જેને કચ્છના રણનો કોઇ અનુભવ નથી તે રણમાં ચોક્કસ ભટકીને પોતાનો જીવ ખોઇ દેશે તેવી દહેશત હતી. યુવાન આતંકવાદી નથી પણ પાકિસ્તાની યુવતી આ યુવકને ફસાવીને ભારત વિરોધી કોઇ મેલી મુરાદ પાર પાડવાનો કિમીયો નથી ને તેવો સવાલ ઉભો થયો છે.
શંકાસ્પદ ઇસમની બાઇક મળી આવી હતી
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરિક્ષીતા રાઠોડ સાથે વાત કરતા તેમણે વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, કોઇ શંકાસ્પદ ઇસમની બાઇક મળી આવી છે અને ભેદી ચાલ ખડીરમાં થઇ છે. સ્થાનિક લોકો યુવાનની શોધખોળમાં એજન્સીઓને સાથ આપી રહ્યા છે, તો ખડીરના લોકોએ આ યુવાનને ભટકતા જોયો હોવાની વાત સ્વિકારી હતી.
બાઇક ફસાતા યુવાન પગપાળા રવાના
સવારે 10 વાગ્યે ધોળાવીરા ફોસીલ્સ પાર્ક પાસેથી રણ માર્ગે યુવક રવાના થયો હતો, તેની સાથે પીવાનું પાણી પણ ન હતું એવો અંદાજ છે. તો વરસાદના કારણે કાદવ-કીચડ થઇ ગયું છે. બીજી તરફ આ રણનો યુવકને અનુભવ પણ ન હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું.
મોડી રાત્રે કાળા ડુંગર પછવાડેથી પકડાયો
બાઇક છોડીને પગપાળા નીકળેલા યુવકનું પોલીસ અને બીએસએફની ટુકડીએ મોટા રણમાં પગેરૂ પકડતા તે મોડી રાત્રે કાળા ડુંગર નજીકની શેરગિલ ચોકી પાસેથી પકડાઇ ગયો હોવાનું ભચાઉના ડીવાયએસપી કે.જી. ઝાલાએ જણાવ્યું હતું.
શહેરમાં પાંચ દિવસ પછી ગુરુવારે કોરોનાથી 5 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાથી થતાં મૃત્યુના સાચા આંકડા છૂપાવવા માટે મ્યુનિ. અધિકારીઓએ તમામ 24 સ્મશાન પર સ્પષ્ટ સૂચના આપી છેકે, કોઇને પણ મૃત્યુના આંકડા આપવામાં ન આવે.
છેલ્લા 24 કલાકમાં નવા કોરોના પોઝિટિવના 168 કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23535 પર પહોંચી ગઈ છે. અનેક સોસાયટીઓમાં સેંકડો કેસ આવ્યા હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. નવા 14 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા છે. જ્યારે 14 વિસ્તારમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ હટાવાયું છે.
કામવાળી પોઝિટિવ આવ્યાના 12 દિવસે મ્યુનિ.એ ફ્લેટને ક્વોરન્ટીનનું પોસ્ટર લગાવ્યું
મણિનગર વિસ્તારમાં આવેલા હરિદર્શન ફ્લેટમાં મ્યુનિ.એ એક મકાનમાં ક્વોરન્ટાઇનનું પોસ્ટર લગાવ્યું છે. જોકે આ મકાનના તમામ સભ્યોનું કોરોના રિપોર્ટ નેગેિટવ છે. જોકે 12 દિવસ પહેલા તેમના ઘરે કામ કરવા આવતી કામવાળી બેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ બાબતે વિવાદ પણ ઊભો થયો છે.
અનેક સોસાયટીમાં સેંકડો કેસ આવ્યાની અફવા
ન્યૂ રાણીપ વિસ્તારની એક પોશ સોસાયટીમાં 320 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા હોવાના વોટ્સએપ મેસેજ સવારથી જ ફરી રહ્યા છે. આ સોસાયટીને માઇક્રો કન્ટેઈનમેન્ટ કરવામાં આવી છે. જોકે ત્યાં આટલા કેસ નહીં હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.
માઈક્રો કન્ટેઈનમેન્ટ આ નવા વિસ્તાર
BAPSના વડા મહંત સ્વામીએ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પરમ પૂજ્ય સ્વામી શ્રીપુરુષોત્તમપ્રિયદાસજીના અક્ષરવાસના સમાચાર જાણીને અત્યંત ખેદ થયો છે. આજથી આઠેક દાયકા પહેલા પરમ પૂજ્ય શ્રીમુક્તજીવનદાસજી સ્વામીજીએ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો આરંભ કર્યો હતો. ત્યારથી આજપર્યંત આ સંસ્થાન દ્વારા અનેકવિધ આધ્યાત્મિક અને રચનાત્મક સેવાકાર્યો કરવામાં આવી રહ્યાં છે. સન 1979થી આ સંસ્થાનના આચાર્યશ્રી તરીકે સુકાન સંભાળીને પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીએ પોતાના ગુરુવર્ય શ્રી મુક્તજીવનદાસ સ્વામીજીના પગલે પગલે ચાલીને અનેકવિધ સેવા કાર્યની સાથે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે, કુદરતી આપત્તિઓમાં રાહત કાર્યોના ક્ષેત્રે, આરોગ્ય તેમ જ અન્ય સામાજિક સેવાઓમાં આપેલા પ્રદાનો હંમેશા તેમની સ્મૃતિ કરાવે છે. તેમનો સરળ, સ્નેહાળ અને સદા મિલનસાર સ્વભાવ સૌને પ્રેરણા આપતો હતો. તેમની વિદાયથી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અને સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ મોટી ખોટ પડી છે. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેનો તેમનો સ્નેહભર્યો આદરભાવ ક્યારે વિસરી શકાશે નહીં.
તેમણે ભક્તિ, સેવા, સત્સંગની જે આધ્યાત્મિક પ્રેરણાઓ આપી છે તે આ સંસ્થાન દ્વારા, તેઓના અનુગામી પરમ પૂજ્ય જિતેન્દ્રીયપ્રિયદાસસ્વામીજી દ્વારા, સર્વે સંતો અને હરિભક્તો દ્વારા અનેક વર્ષો સુધી વહેતી રહે તેવી દ્રઢ શ્રદ્ધા છે. પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીજીના અક્ષરનિવાસી આત્માને હૃદ્યપૂર્વક ભાવાંજલી અર્પણ કરવા સાથે તેમની વિદાયનું દુઃખ સહન કરવાની સૌને શક્તિ પ્રાપ્ત થાય તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે. તેઓની પ્રેરણાથી, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને વિશ્વભરના લાખો હરિભક્તોએ પણ પ્રાર્થના કરીને પરમ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલી આપી છે.
દેશમાં કોરોનાના દર્દી 10 લાખને પાર થઈ ગયા છે. દર્દી વધવાની ઝડપ સતત વધી રહી છે. સરકારી આંકડા મુજબ દર્દી બમણા થવાની અવધિ 21 દિવસ છે. એટલે કે જો નવા દર્દી વધવાનું અટકશે નહીં તો ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહ સુધીમાં 20 લાખ દર્દી થઈ શકે છે. બીજીબાજુ દેશમાં રિકવરી રેટ પણ વધ્યો છે. જે અત્યારે લગભગ 63 ટકા છે. મૃત્યુદર 2.6 ટકા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે મોતની સંખ્યા બમણી થવાની અવધિ 23 દિવસ થઈ ગઈ છે. જે ગયા મહિને 32 દિવસની હતી. એટલે કે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધીમાં મોતની સંખ્યા 50 હજાર થઈ શકે છે.
25 માર્ચે જ્યારે લૉકડાઉન લગાવાયું ત્યારે દેશમાં માત્ર 568 દર્દી હતા. ત્યારપછી 31 મે સુધી લૉકડાઉનના 68 દિવસમાં 1.90 લાખ દર્દી મળ્યા. એટલે કે રોજના સરેરાશ 2794 દર્દી. ત્યારપછી 1 જૂનથી અનલૉકનો પ્રથમ તબક્કો શરૂ થયો. ત્યારથી 16 જુલાઈ સુધી 46 દિવસમાં 8.10 લાખ દર્દી મળ્યા. એટલેકે રોજના સરેરાશ 17608 દર્દી. પરંતુ ચિંતા એ વાતની છે કે એક સપ્તાહથી આ સરેરાશ 2500થી ઊપર જતી રહી છે. હવે રોજની સરેરાશ 30 હજાર થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા હવે 3 લાખ તરફ, આ આંકડા સુધી વિશ્વના માત્ર 9 દેશ પહોંચી શક્યા
કુલ દર્દી | દેશનો હિસ્સો | કુલ મોત | દેશનો હિસ્સો |
275640 | 27.60% | 10928 | 43.70% |
151820 | 15.20% | 2167 | 8.90% |
116993 | 11.70% | 3487 | 13.90% |
47253 | 4.70% | 928 | 3.70% |
44648 | 4.50% | 2081 | 8.30% |
41383 | 4.10% | 1012 | 4.00% |
37745 | 3.80% | 375 | 1.50% |
35451 | 3.60% | 452 | 1.80% |
34427 | 3.40% | 1000 | 4.00% |
785360 | 78.60% | 22430 | 89.80% |
અહીં દર્દી વધવાની ઝડપ સૌથી વધારે
રાજ્ય | કુલ દર્દી | મહિનામાં વધ્યા | વૃદ્ધિ |
તેલંગાણા | 37745 | 32771 | 658.80% |
કર્ણાટક | 47253 | 40040 | 555.10% |
આંધ્ર | 35451 | 28995 | 449.10% |
કેરળ | 9553 | 7011 | 275.80% |
તમિલનાડુ | 151820 | 105316 | 226.40% |
બિહાર | 20173 | 13511 | 202.80% |
હરિયાણા | 23306 | 15584 | 201.80% |
અહીં દર્દી વધવાની ઝડપ સૌથી ઓછી
રાજ્ય | કુલ દર્દી | મહિનામાં વધ્યા | વૃદ્ધિ |
ચંદીગઢ | 619 | 262 | 73.30% |
મધ્યપ્રદેશ | 19643 | 8708 | 79.60% |
ગુજરાત | 44648 | 20544 | 85.20% |
રાજસ્થાન | 25806 | 12825 | 98.80% |
ઉત્તરાખંડ | 3785 | 1949 | 106.10% |
જમ્મુ-કાશ્મીર | 11173 | 5953 | 114.00% |
ઝારખંડ | 4225 | 2464 | 139.90% |
5 રાજ્યોમાં અત્યાર સુધી કોઈ મોત નહીં, 15 રાજ્યોમાં મૃત્યુદર 1%થી ઓછો છે
રાજ્ય | દર્દી | મોત | મૃત્યુદર |
આંદામાન-નિકોબાર | 166 | 0 | 0.00% |
મણિપુર | 1700 | 0 | 0.00% |
મિઝોરમ | 238 | 0 | 0.00% |
નાગાલેન્ડ | 902 | 0 | 0.00% |
સિક્કિમ | 209 | 0 | 0.00% |
લદાખ | 1142 | 1 | 0.10% |
ત્રિપુરા | 2184 | 2 | 0.10% |
કેરલ | 9553 | 35 | 0.40% |
છત્તીસગઢ | 4556 | 20 | 0.40% |
ઓડિશા | 14898 | 77 | 0.50% |
મેઘાલય | 337 | 2 | 0.60% |
અરુણાચલ | 462 | 3 | 0.70% |
હિમાચલ | 1324 | 10 | 0.80% |
ઝારખંડ | 4225 | 36 | 0.90% |
તેલંગાણા | 37745 | 375 | 0.90% |
ડૉ. ડીસીએસ રેડ્ડી, ડૉ. કે. શ્રીનાથ રેડ્ડી, સભ્ય- કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ અને પેન્ડેમિક એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર લૉકડાઉનના બદલે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઘરે-ઘરે તપાસ જરૂરી છે.
આ કારણથી સ્થિતિ બગડી...
હવે આવું કરવું પડશે...
દુનિયાની બીજા નંબરની સૌથી શ્રીમંત વ્યક્તિ અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે આશા વ્યક્ત કરી છે કે ભારતીય દવા કંપનીઓ આખી દુનિયા માટે કોરોનાની રસી બનાવી શકે છે. તેમણે કહ્યું કે ભારતીય ફાર્મા કંપનીઓએ અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યા છે. કોરોના વેક્સિન તૈયાર કરવામાં પણ તે ઘણી મદદ કરી રહી છે.
ભૂતકાળમાં 10 ગ્રામદીઠ સોનાની સામે ચાંદી સસ્તી બન્યા બાદ હવે તેમાં તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવ વાયદા બજારમાં કિલોદીઠ રૂ. 53,૦૦૦ને પાર કરી ગયા છે. જોકે, આજે તેજીને બ્રેક લાગી હતી. ચાંદી 2013 બાદની ટોચે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, ચાંદીની તેજી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે અને દિવાળી સુધીમાં તે રૂ. 60,000ની સપાટી ક્રોસ કરી જશે. બુલિયન નિષ્ણાંતોના મતે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક માંગની સાથે દેશમાં ઝવેરાતમાં ચાંદીની માંગ આ વખતે પણ મજબૂત રહેવાનો આશાવાદ છે. જ્યારે પણ સોનું મોંઘું થાય છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ચાંદીના ઝવેરાતની માંગ વધે છે.
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 2013માં જ્યારે ચાંદીનો ભાવ રૂ.50,000ની ઉપર ગયો હતો ત્યારે સોના-ચાંદીના ભાવનો ગુણોત્તર ઘટીને 31 થઈ ગયો હતો. આ વર્ષે માર્ચમાં, ગુણોત્તર 127ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. પરંતુ તે પછી ગુણોત્તર ઘટીને 96 પર આવી ગયો છે. જે દર્શાવે છે કે, સોનાને બદલે ચાંદીમાં રોકાણકારોનું વલણ વધી રહ્યું છે. ચાંદીના ઝવેરાતની માંગ મોટાભાગે ગામડામાંથી આવે છે. આ વખતે સારા ચોમાસાને કારણે માંગમાં વધારો થશે. વળી, સોનાના ઊંચા ભાવ હોવાને કારણે ઘણા લોકો આ વખતે તહેવારોમાં સોનાની ખરીદી કરી શકશે નહીં.
ચાંદીની માગ પુરવઠા સામે ઘટી
વર્લ્ડ સિલ્વર સર્વે 2020 અનુસાર, 2019માં ચાંદીનો પુરવઠો માગની તુલનાએ 973 ટન ઘટ્યો હતો. સિલ્વર ઈન્સ્ટીટ્યુટે અંદાજ મૂક્યો છે કે, 2020માં ચાંદીની ખાણોમાંથી પુરવઠો 7 ટકા ઘટશે. માગની તુલનામાં ઓછા પુરવઠાને લીધે ચાંદીની માગમાં વધારો થઈ રહ્યો છે.
ભાવ વધવાના કારણ
કોરોના રોગચાળા વચ્ચે સરકાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. જોકે, આ નિયમિત નહીં હોય. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે આ અંગે જણાવ્યું કે, 23 માર્ચથી બંધ થયેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા ફરીથી શરૂ કરવા માટે ત્રણ દેશ- ફ્રાન્સ, અમેરિકા અને જર્મની સાથે વાટાઘાટો ચાલી રહી છે. પુરીએ કહ્યું કે એર બબલ અંતર્ગત એર ફ્રાન્સ 18 જુલાઈથી એક ઓગસ્ટ દરમિયાન દિલ્હી, મુંબઈ અને બેંગલુરુથી પેરિસ માટે 28 ફ્લાઈટ ચલાવશે. આ ઉપરાંત, અમેરિકાની યુનાઈટેડ એરલાઈન સાથે અમે કરાર કર્યો છે, જેથી 17 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે 18 ફ્લાઈટ ચલાવી શકાય.
જોકે, આ વચગાળાનો કરાર છે. આ ઉપરાંત જર્મનીની લુફ્થાન્સા એરલાઈન્સ સાથેનો કરાર પણ અંતિમ તબક્કામાં છે. બ્રિટન સાથે પણ આ જ સ્થિતિ છે. ભારત તરફથી એર ઈન્ડિયાનાં વિમાન ઊડશે. પુરીએ કહ્યું કે સરકારી પ્રોટોકોલ અનુસાર બીજા દેશમાંથી ભારત આવનારા મુસાફરોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડશે.
800 ઘરેલુ ફ્લાઈટમાં રોજ 70 હજાર લોકોની મુસાફરી
દેશમાં અત્યારે સરેરાશ 800 ઘરેલુ ફ્લાઈટ સંચાલિત થઈ રહી છે. જેમાં લગભગ 70 હજાર લોકો મુસાફરી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ઓક્યુપન્સી રેટ 50થી 55% એટલે કે, સરેરાશ અડધી ફ્લાઈટ ખાલી જઈ રહી છે. એરલાઈન્સ કંપનીઓ અનુસાર કેટલાક રૂટ પર 70% સુધી તો કેટલાક પર માત્ર 20% ઓક્યુપન્સી છે. વિમાનન મંત્રાલયે લગભગ 50 દિવસ પહેલા 33% ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની વાત કરી હતી.
અત્યાર સુધી 6.87 લાખથી વધુ લોકોને સ્વદેશ લવાયા
પુરીએ કહ્યું કે ‘વંદે ભારત મિશન’ અને અન્ય માધ્યમોથી અત્યાર સુધીમાં 6,87,467 ભારતીયો સ્વદેશ પરત આવ્યા છે. આ અગાઉ ઓગસ્ટ, 1990માં સૌથી મોટાં ઓપેરશનમાં 1.7 લાખ ભારતીયોને કુવૈતમાંથી કાઢવામાં આવ્યા હતા. હવે એર ઈન્ડિયાએ 53 દેશના 71 શહેરમાંથી લગભગ 7 લાખ ભારતીયોને વિદેશમાંથી સ્વદેશ લાવવાનો ગિનીઝ રેકોર્ડ બનાવ્યો છે.
વધુ ઓક્યુપન્સીવાળા રૂટ
દિલ્હીથી લખનઉ, દિલ્હી-મુંબઈ, દિલ્હી-પટણા, દિલ્હી-રાંચી, દિલ્હી-બેંગલુરુ, મુંબઈ-રાંચી, મુંબઈ-પટના, મુંબઈ-લખનઉ અને દિલ્હી-ચંડીગઢ ઓછી ઓક્યુપન્સીવાળા રૂટ : લખનઉ-દિલ્હી, બેંગલુરુ-ચેન્નઈ, પૂણે-દિલ્હી, ભુવનેશ્વર-દિલ્હી અને ગુવાહાટી-દિલ્હી.
હાલ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિથી વધી રહ્યું છે. ગુરુવારે 919 નવા કેસ નોંધાવા સાથે હવે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 45,567 થયાં છે. રાજ્યમાં છેલ્લાં પંદર દિવસમાં 12,249 નવા કેસ નોંધાયાં છે. આ ઉપરાંત છેલ્લાં બે અઠવાડિયામાં જ વધુ 1 લાખ 6 હજાર જેટલાં લોકોને કોરોના સંક્રમણના શંકાસ્પદ તરીકે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.
હાલ ગુજરાતમાં કુલ 3.56 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 11,302 છે જે પંદર દિવસમાં અંદાજે 3,800 દર્દીઓનો વધારો દર્શાવે છે. ગુરુવારે ગુજરાતમાં દસ દર્દીઓના મોત થયાં હતાં અને આ સાથે કુલ મૃત્યુ આંક હવે 2091 થયો છે. પંદર દિવસમાં 223 દર્દીઓના મોત થયાં છે. તેની સામે ગુરુવારે જ 828 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 32,174 લોકોને સારવાર બાદ રજા અપાઇ છે. પંદર દિવસના ગાળામાં 7,500 લોકોને ડિસ્ચાર્જ અપાયો છે. હજુ 73 દર્દીઓનું સ્વાસ્થ્ય નાજૂક હોઇ તેઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં હાલ સરેરાશ મૃત્યુદર ઘટીને 4.59 ટકા થઇ ગયો છે, તેની સામે રીકવરી રેટ 71 ટકા આસપાસ છે. આમ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે પરંતુ તેની સામે દર્દીઓ મૃત્યુ પામવાને બદલે ઝડપથી સાજા થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 5 લાખ જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
રાજકોટમાં ગુરુવારે સવારે 7.40 મિનિટે 4.8 રિક્ટર સ્કેલના ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નિષ્ણાતોના મતે ખંભાળિયામાં ત્રણ દિવસમાં 40 ઇંચ વરસાદથી પોચા જમીન વિસ્તારના પેટાળમાં સંતુલન ખોરવાયું હતું. જેના લીધે આંચકા આવ્યા હતા. ભૂકંપથી કોઈ જાનહાની થઈ નહોતી પણ લોકો ભયભીત થઈને માર્ગો પર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટ તાલુકાનું ભાયાસર ગામ છે. આ ગામ છેલ્લા 10 દિવસથી ક્વૉરેન્ટાઇન હોવાથી લોકો ગામ છોડીને વાડી, ખેતરોમાં વસવાટ કરે છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઑફ સિસ્મોલૉજીકલ રિસર્ચ (IRS) એ ભૂકંપના કેન્દ્ર બિંદુના સ્થળે લિનામેન્ટ હોવાનું પણ જાહેર કર્યું છે. લિનામેન્ટ એવો લાંબો ભૂ ભાગ છે જેની જમીનની જાડાઈ ઓછી હોય છે. જેના કારણે પેટાળમાં પ્રેશરમાં જરા પણ ફેરફાર થાય તો તેની અસર સપાટી પર અનુભવાય છે. નવી ફોલ્ટ લાઈન છે કે નહીં તે માટે હવે તપાસ કરાશે.
નિવૃત ભુસ્તર શાસ્ત્રી પી. આર. ચૌધરી જણાવે છે કે વરસાદ અથવા પાણીના પ્રેશરથી ભૂકંપ આવે તે નવી વાત નથી. થોડા જ સમય પહેલા ચીનમાં ભારે વરસાદ એકદમ વિનાશક પુર આવ્યું અને તેના પછી ઉત્તર-પૂર્વ ભારતમાં આંચકા આવ્યા હતા. ભૂતકાળમાં નજર કરીએ તો મહારાષ્ટ્રમાં કોઈના નદી પર ડેમ છે 1993માં તેમાંથી અચાનક જ પાણી ભરાયું, છોડાયું આ ત્વરિત દબાણ સીધું જમીનમાં ગયું અને તેને કારણે ક્રસ્ટનું સંતુલન બગડ્યું હતુ. પરિણામ સ્વરૂપ લાતુરમાં વિનાશક ભૂકંપ આવ્યો જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રાજકોટનો આંચકો અસાધારણ, નવી ફોલ્ટલાઈનની તપાસ કરાશે
ISR ગાંધીનગરના સિનિયર સાયન્ટિસ્ટ સંતોષ કુમારે જણાવ્યું હતું કે, રાજકોટના ભૂકંપનું કારણ લીનામેન્ટ છે. સામાન્ય રીતે આટલા રિક્ટર સ્કેલમાં કંપન આવે તેના પહેલા અને પછી પણ શૉક આવતા હોય છે, પણ આ એક જ નોંધાયો છે. ભારતીય ઉપખંડમાં ચોક્કસ વિસ્તારમાં ભારે વરસાદથી પણ આંચકા આવ્યાનું નોંધાયું છે. આવા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, વલસાડ, વાપી, નવસારી, પાલઘર, ખંડવા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કોઈ જગ્યાએ વધુ વરસાદ પડે તો વૉટરલેવલ એકદમથી બદલાતા પ્રેશર પમ્પ જેવું બને છે જેથી આંચકા આવે છે, જો કે રાજકોટના કિસ્સામાં આ હજુ સ્પષ્ટ કહી શકાય નહીં. લીનામેન્ટ મળી છે. નવી ફૉલ્ટલાઇન અંગે તપાસ કરાશે.
પાણીના ઓચિંતા પ્રેશરથી ધરતીના પોપડાને અસર થતા આંચકા, વિનાશક ભૂકંપની શક્યતા ઓછી
નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ચૌધરીએ કહ્યું કે, તાજેતરમાં જ ખંભાળિયા તરફ એક જ દિવસમાં 17થી 18 ઇંચ વરસાદ ખાબકી ગયો. બીજે આટલો વરસાદ નહતો. એક જ વિસ્તારમાં જમીન પર પાણીનું પ્રેશર બન્યું તેથી ધરતીના પોપડા પર અસર થઈ. આ કારણે બેલેન્સ જાળવવા આંચકા આવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે દર ચોમાસે આવું થતું હોય છે. લીનામેન્ટને સાદી ભાષામાં કહીએ તો નબળી જગ્યાની લાઈનદોરી છે. પેટાળમાં મેગ્મા જે પ્રેશર બનાવી બહાર આવા ધક્કો મારે તે ઉપર સુધી અનુભવાય છે. લીનામેન્ટ હોય ત્યાં ભૂકંપ અનુભવાય તેનું પ્રમાણ 95 ટકા વધી જાય છે. દર વખતે વિનાશક જ હોય તેવું ન બને.’
કોરોનાથી ક્વૉરન્ટીન ભાયાસરના લોકો હવે ભૂકંપના આંચકાથી ભયભીત
ભાસ્કરની ટીમે ભૂકંપના કેન્દ્રબિંદુ ભાયાસર ગામની મુલાકાત લીધી હતી. આખું ગામ છેલ્લા દસ દિવસથી ક્વોરન્ટીન હોવાથી લોકો ઘર, દુકાન છોડીને ખેતર કે વાડીઓમાં રહેતા હતા. પરંતુ ભૂકંપે તમામ લોકોને ગભરાટ સાથે ઘરની બહાર દોડાવ્યા હતા. તેમજ ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે તે સ્થળથી માત્ર 200 મીટર દૂર જ લાખાભાઇ લીંબાભાઇ બાવળિયા નામના ખેડૂત પોતાની વાડીમાં ખાટલે બેઠા હતા અને અચાનક ધડાકા સાથે ભૂકંપ આવતા પોતાને કાંઇક થઇ ગયાની આશંકા સાથે ગામ તરફ દોડ્યા હતા.
1. સંઘર્ષપૂર્ણ રાજકીય કારકિર્દીની મહત્વતા
રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલ અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું એક વિશ્લેષણ રજૂ કર્યું છે. આ વિશ્લેષણ પરથી એક વાત ચોક્કસપણે સમજી શકાય છે કે તકલીફ પાયલટની બળવાખોરીની નથી પણ તેમની ઉંમરની છે. વાત એમ બની કે 69 વર્ષિય ગેહલોતે બુધવારે ત્રણ મિનિટ સુધી મીડિયા સાથે વાતચીત કરી અને આ વાતચીતમાં તેમણે 42 વર્ષિય સચિન પાયલટ પર ચોતરફથી આકરા પ્રહારો કર્યા.
સંઘર્ષભરી રાજનીતિનું શું મહત્વ રહેલું છે તે અંગે ગેહલોતે કહ્યું- જે નવી પેઢી આવી છે તેમણે પૂરતો સંઘર્ષ કર્યો નથી. જો તેમણે વધુ સંઘર્ષભર્યું રાજકીય ખેડાણ કર્યું હોત તો તેઓ વધારે સારું કામ કરી શક્યતા હોય, કદાંચ અમારા કરતા પણ સારું કામ કરી શક્યા હોત.
આ સમયે ગેહલોતનો અંદાજ એવો હતો કે જાણે શાળામાં હેડમાસ્ટર બાળકોને કડકાઈથી કહેતા હોય કે તેમનું કંઈ જ થવાનું નથી. કારણ કે હજુ જીવનમાં સંઘર્ષ કરવાનો બાકી છે....ગેહલોત અહીં જ અટક્યા ન હતા...તેમણે કહ્યું-સારું અંગ્રેજી બોલવાથી અને હેન્ડસમ પર્સનાલિટીથી કંઈ જ થતુ નથી. ગેહલોતના આ નિવેદનથી કોંગ્રેસના જ નેતાઓ દ્વિધામાં મુકાઈ ગયા કે ગેહલોતના નિશાન પર છેવટે કોણ-કોણ છે?
હવે સચિન પાયલટને પણ સાંભળી લઈએ. ગેહલોતે જે નિવેદન આપ્યું તેના પાંચ કલાક અગાઉ પાયલટે એક ઈન્ટરવ્યૂ આપ્યુ હતું. તેમણે પણ એક નવી વાત કહી. તેમણે કહ્યું-હું ગેહલોતથી ગુસ્સે નથી, હું કોઈ પદ કે પાવર ઈચ્છતો નથી. બસ, મને રાજસ્થાનના વિકાસના કાર્યો કરવા દેવામાં આવતા નથી.
બે એવી વાત કે જે અમારા પત્રકારોએ કહી...
પહેલી- પક્ષને તૂટતો અટકાવવા માટે ગેહલોત હવે બે નાયબ મુખ્યમંત્રી, સાત નવા પ્રધાન અને 10થી 15 સંસદીય સચિવ બનાવી શકે છે. આ રીતે તેઓ આશરે 20 ધારાસભ્યને ખુશ કરી શકશે.
બીજી- જો કોંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યોનું પદ યથાવત રહે છે તો તે ફ્લોર ટેસ્ટના સંજોગોમાં ગેહલોત સરકાર સામે વોટિંગ કરશે. જો તેમના સભ્યપદનો અંત લાવવામાં આવશે તો ગેહલોત માટે મુશ્કેલી ઓછી થઈ જશે.
2. રિલાયન્સની AGM
વર્તમાન સમયમાં રિલાયન્સ જિયો ચર્ચામાં છે. તેમા છેલ્લા ત્રણ મહિનામાં 14મું ઈન્વેસ્ટમેન્ટ આવ્યુ છે, જે અંગે ગઈકાલે પણ અમે તમને માહિતી આપી હતી. બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ એ વાતની પૃષ્ટિ કરી છે કે ગૂગલ રૂપિયા 33,737 કરોડમાં જિયોમાં 7.7 ટકા હિસ્સો ખરીદશે.
AGMમાં અંબાણીએ કહ્યું કે જિયોએ મેડ ઈન ઈન્ડિયા 5G સોલ્યુશન ડેવલપ કરી લીધુછે. સ્પેક્ટ્રમ મળવાના સંજોગોમાં કંપની ટ્રાયલ શરૂ કરશે. AGMમાં મુકેશ અંબાણીના દિકરી ઈશા અંબાણીએ નવી જિયો ટીવી પ્લસ અંગે જાણકારી આપી. તેમા 12 OTT પ્લેટફોર્મનું કન્ટેન્ટ મળશે.
3. CBSEના પરિણામોમાં છોકરીઓ આગળ
હવે એક સારા સમાચાર! CBSEએ બુધવારે ધોરણ-10ના પરિણામોની જાહેરાત કરી. તેમા સતત ત્રીજા વર્ષે છોકરીઓ આગળ રહી છે. છોકરીઓનું પાસિંગ પર્સન્ટેઝ 93.31 ટકા જ્યારે છોકરાઓનું 90.14 ટકા રહ્યું. આ રીતે છોકરીઓ 3.17 ટકા આગળ રહી. ધોરણ-12ના પરિણામોમાં પણ છોકરીઓ આગળ રહી હતી.
રિઝલ્ટને લગતા એક રસપ્રદ સમાચાર છે. ગ્રેટર નોઈડામાં બે જોડીયા બહેન માનસી અને માન્યા રહે છે. આ બન્ને બહેનનું પરિણામ એક સરખુ આવ્યુ છે. બન્નેના માર્ક્સ 95.80% રહ્યા છે. અંગ્રેજી અને કોમ્પ્યુટર સાયન્સમાં બન્નેને 98-98 નંબર મળ્યા છે. એવી જ રીતે ફિઝીક્સ,કેમિસ્ટ્રી અને ફિઝીકલ એજ્યુકેશનમાં પણ બન્ને બહેનને એક સરખા 95-95 નંબર મળ્યા છે. આ સંયોગથી બન્ને બહેનોને પણ આશ્ચર્ય થયુ છે.
4. બે એવા સમાચાર જે આજના દિવસને લગતા છે
બિહારમાં લોકડાઉન
બિહારમાં આજથી 31 જુલાઈ સુધી લોકડાઉન અમલી બનવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન બસો બંધ રહેશે. ઓટો-ટેક્સિ પણ ઈમર્જન્સી માટે જ ચાલશે. રાજ્યમાં કોરોનાના 1,742 કન્ટેનમેન્ટ ઝોન બની ગયા છે. જ્યાં કોઈ જ પ્રકારની છૂટ મળશે નહીં. બિહારમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધારે કેસ આવી ગયા છે. મંગળવારે પ્રથમ વખત ચાર જીલ્લામાં 100 કરતા નવા દર્દી આવ્યા છે. કુલ જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તે પૈકી 14 ટકા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ સંજોગોમાં લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
વેસ્ટઈન્ડિઝ-ઈગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ
ઈગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ માન્ચેસ્ટરમાં આજથી શરૂ થશે. તે ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે. જો વેસ્ટઈન્ડિઝ આ મેચમાં વિજય મેળવશે તો તે ઈગ્લેન્ડમાં 32 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતશે. પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝે ઈગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યુ હતું.
5. આજનો દિવસ કેવો રહેશે?
એસ્ટ્રોલોજી કહે છે કે આજે ગુરુવારનો દિવસ પાંચ રાશિવાળા લોકોને આર્થિક નુકસાન અપાવી શકે છે. આ રાશિઓ-વૃષભ, મિથુન, સિંહ, તુલા અને મકર. જોબ, બિઝનેસ, લેવડ-દેવડ અને રોકાણને લગતા વ્યવહારોમાં કાળજી રાખવી. મેષ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન,કુંભ અને મીન રાશિવાળાઓ માટે દિવસ સારો રહેશે.
ટેરોકાર્ડ્સ કહે છે કે ગુરુવારનો દિવસ 12 પૈકી 8 રાશિઓ માટે સારો છે. વૃષભ રાશિવાળાઓને આજે કેટલીક શાનદાર ઓફર મળી શકે છે. મિથુન રાશિ વાળાઓએ પૈસાની બાબતમાં તકેદારી રાખવી જરૂરી છે.
6. તમારા માટે બે સમાચાર....જે તમે વાંચવાનું પસંદ કરશો
અમેરિકાની ફાર્મા કંપની મોર્ડના 27 જુલાઈથી વેક્સિન mRNA-1273ના ત્રીજા તબક્કાનું હુમન ટ્રાયલ શરૂ કરશે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે ટ્રાયલમાં જોવાનું રહેશે કે વેક્સિન વિશ્વભરમાં કોરોનાના દર્દીઓને વાઈરસથી બચાવી શકે છે કે નહીં. ત્રીજા તબક્કાના પરિક્ષણમાં 30 હજાર વોલેન્ટીયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મેજર દેવેન્દ્ર સિંહ વર્ષ 1999માં જ્યારે કારગિલ યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેમની ઉંમર માંડ 25 વર્ષની હતી. દુશ્મનની પોસ્ટ માંડ 80 મીટર દૂર હતી. આ લડાઈમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. શરીર પર 40 કરતા વધારે ઘા હતા. આશરે અઢી કલાક બાદ હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે એક સીનિયર ડોક્ટરે જોયુ કે તેમનો શ્વાસ ચાલી રહ્યો છે. તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી.અને તેમનો જીવ બચી ગયો...