Ad

Thursday, July 16, 2020

દિવાળી સુધી ચાંદી કિલોદીઠ રૂ, 60 હજારની સપાટી ક્રોસ કરશે, ગ્રામીણ વિસ્તારો અને ઔદ્યોગિક માગ વધશે

ભૂતકાળમાં 10 ગ્રામદીઠ સોનાની સામે ચાંદી સસ્તી બન્યા બાદ હવે તેમાં તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવ વાયદા બજારમાં કિલોદીઠ રૂ. 53,૦૦૦ને પાર કરી ગયા છે. જોકે, આજે તેજીને બ્રેક લાગી હતી. ચાંદી 2013 બાદની ટોચે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, ચાંદીની તેજી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે અને દિવાળી સુધીમાં તે રૂ. 60,000ની સપાટી ક્રોસ કરી જશે. બુલિયન નિષ્ણાંતોના મતે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક માંગની સાથે દેશમાં ઝવેરાતમાં ચાંદીની માંગ આ વખતે પણ મજબૂત રહેવાનો આશાવાદ છે. જ્યારે પણ સોનું મોંઘું થાય છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ચાંદીના ઝવેરાતની માંગ વધે છે.

કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 2013માં જ્યારે ચાંદીનો ભાવ રૂ.50,000ની ઉપર ગયો હતો ત્યારે સોના-ચાંદીના ભાવનો ગુણોત્તર ઘટીને 31 થઈ ગયો હતો. આ વર્ષે માર્ચમાં, ગુણોત્તર 127ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. પરંતુ તે પછી ગુણોત્તર ઘટીને 96 પર આવી ગયો છે. જે દર્શાવે છે કે, સોનાને બદલે ચાંદીમાં રોકાણકારોનું વલણ વધી રહ્યું છે. ચાંદીના ઝવેરાતની માંગ મોટાભાગે ગામડામાંથી આવે છે. આ વખતે સારા ચોમાસાને કારણે માંગમાં વધારો થશે. વળી, સોનાના ઊંચા ભાવ હોવાને કારણે ઘણા લોકો આ વખતે તહેવારોમાં સોનાની ખરીદી કરી શકશે નહીં.

ચાંદીની માગ પુરવઠા સામે ઘટી
વર્લ્ડ સિલ્વર સર્વે 2020 અનુસાર, 2019માં ચાંદીનો પુરવઠો માગની તુલનાએ 973 ટન ઘટ્યો હતો. સિલ્વર ઈન્સ્ટીટ્યુટે અંદાજ મૂક્યો છે કે, 2020માં ચાંદીની ખાણોમાંથી પુરવઠો 7 ટકા ઘટશે. માગની તુલનામાં ઓછા પુરવઠાને લીધે ચાંદીની માગમાં વધારો થઈ રહ્યો છે.

ભાવ વધવાના કારણ

  • સોનાના ભાવમાં મોટાપાયે વૃદ્ધિ નોંધાતા સોનાની કન્ઝ્યુમર માગ ઘટી ચાંદી તરફ શિફ્ટ થઈ રહી છે.
  • ચાંદીના ઝવેરાતોની વધુ માગ ગ્રામ્ય સેક્ટરથી આવે છે. સારી ઉપજથી ગામ્રીણ માગમાં વધારો નોંધાશે.
  • લોકડાઉનમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થતાં ચાંદીની ઔદ્યોગિક માગ બંધ થઈ હતી. અનલોક બાદ માગ વધી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
By Diwali, silver will cross Rs 60,000 per kg, rural areas and industrial demand will increase


from Divya Bhaskar https://ift.tt/3fNrX9O

No comments:

Post a Comment