
મણિપુરના મહિલા પોલીસ અધિકારી થૌનાઓઝમ વૃંદાએ મણિપુર હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરી મુખ્યમંત્રી એન.બિરેનસિંહ પર ધરપકડ કરાયેલા ડ્રગમાફિયાને છોડવા માટે દબાણ કર્યાનો આક્ષેપ કર્યો છે. વૃંદાએ 19 જૂન 2018ના રોજ ડ્રગમાફિયા લુહખોસેઈ જોઉને 28 કરોડ રૂપિયાના ડ્રગ અને રોકડ સાથે પકડ્યો હતો. આ મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું કે મામલો કોર્ટમાં છે. ટિપ્પણી કરવી યોગ્ય નથી. 18 પાનાની સોગંદનામાંની કોપી ભાસ્કર પાસે છે. વાંચો તેના સંપાદિત અંશ...
વૃંદાએ લખ્યું- સીએમએ મને બંગલા પર બોલાવી કહ્યું- શું આ માટે તને વીરતા પુરસ્કાર આપ્યો હતો.
મેં મુખ્યમંત્રીને ડ્રગ્સની તપાસ અંગેના દરોડા વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે અમે જિલ્લા પરિષદના સભ્યના ઘરે દરોડા પાડવા જઈ રહ્યા છે. તે સમયે મુખ્યમંત્રીએ ફોન પર પ્રશંસા કરતા કહ્યું હતું કે તેને ત્યાંથી ડ્રગ મળે તો તેની ધરપકડ કરો. પરંતુ આ કડક કાર્યવાહીના બીજા દિવસે 20 જૂનના રોજ સવારે 7 વાગ્યે ભાજપના નેતા અશનીકુમાર મારે ઘેર આવ્યા અને કહ્યું કે ધરપકડ કરાયેલા પરિષદના સભ્ય મુખ્યમંત્રીની પત્ની ઓલીસના રાઈટ હેન્ડ છે. આ ઘટના પછી તેઓ ઘણા નારાજ છે. ધરપકડ કરાયેલી વ્યક્તિને મુક્ત કરી તેની પત્ની કે પુત્રની ધરપકડ કરો. મેં કહ્યું કે આ સંભવ નથી. કારણકે ડ્રગ્સ તેના પુત્ર કે પત્ની પાસેથી મળ્યું નથી. ત્યારપછી અશનીકુમાર બીજીવાર મને મળવા આવ્યા અને ડ્રગમાફિયાને છોડવા માટે દબાણ કર્યું. 14 ડિસેમ્બરે નાર્કોટિક્સ એન્ડ અફેર્સ ઓફ બોર્ડર બ્યુરોના એસપીએ સવારે 11 વાગ્યે એક બેઠક બોલાવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZE3uyl
No comments:
Post a Comment