
હાલ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિથી વધી રહ્યું છે. ગુરુવારે 919 નવા કેસ નોંધાવા સાથે હવે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 45,567 થયાં છે. રાજ્યમાં છેલ્લાં પંદર દિવસમાં 12,249 નવા કેસ નોંધાયાં છે. આ ઉપરાંત છેલ્લાં બે અઠવાડિયામાં જ વધુ 1 લાખ 6 હજાર જેટલાં લોકોને કોરોના સંક્રમણના શંકાસ્પદ તરીકે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.
હાલ ગુજરાતમાં કુલ 3.56 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 11,302 છે જે પંદર દિવસમાં અંદાજે 3,800 દર્દીઓનો વધારો દર્શાવે છે. ગુરુવારે ગુજરાતમાં દસ દર્દીઓના મોત થયાં હતાં અને આ સાથે કુલ મૃત્યુ આંક હવે 2091 થયો છે. પંદર દિવસમાં 223 દર્દીઓના મોત થયાં છે. તેની સામે ગુરુવારે જ 828 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 32,174 લોકોને સારવાર બાદ રજા અપાઇ છે. પંદર દિવસના ગાળામાં 7,500 લોકોને ડિસ્ચાર્જ અપાયો છે. હજુ 73 દર્દીઓનું સ્વાસ્થ્ય નાજૂક હોઇ તેઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં હાલ સરેરાશ મૃત્યુદર ઘટીને 4.59 ટકા થઇ ગયો છે, તેની સામે રીકવરી રેટ 71 ટકા આસપાસ છે. આમ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે પરંતુ તેની સામે દર્દીઓ મૃત્યુ પામવાને બદલે ઝડપથી સાજા થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 5 લાખ જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BbJM3C
No comments:
Post a Comment