
from India Today | Top Stories https://ift.tt/2MqLbp1
કોરોનાના કારણે દેશવ્યાપી લૉકડાઉનને કારણે પેદા થયેલી આર્થિક મહામંદી વચ્ચે હવે રોજગારના બજારમાં સારા સમાચાર આવ્યા છે. દેશની ટોચની મુખ્ય માનવ સંસાધન કંપની ટીમલીઝના તાજા રિપોર્ટ અનુસાર દેશનાં ચાર મહાનગરો છોડીને મેટ્રોના સ્વરૂપમાં ઉભરી રહેલાં શહેરોમાં રોજગારની તકો વધી રહી છે. નવાં શહેરોમાં બેંગલુરુ, હૈદરાબાદ, પુના, અમદાવાદ, ચંડીગઢ, કોચ્ચિ અને કોઈમ્બતુરમાં રોજગારની તકો વધી રહી છે. આ શહેરોમાં 2018માં નોકરીઓ 12%ના દરે વધી રહી હતી અને જાન્યુઆરી 2020 આવતાં-આવતાં 18% પર પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર કોરોના પછીની સ્થિતિમાં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેશે. દેશનાં ચાર મહાનગર દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા હવે નવી નોકરી પેદા નથી કરી રહ્યાં.
યુવાનો માટે તકમાં વધારો
સરવે અનુસાર આ નવાં શહેરોમાં નવી નોકરીમાં 80% વધારો નોંધાયો છે. આ શહેરોમાં 9 સેક્ટરમાં નોકરીનો વિકાસદર ડબલ ફિગરમાં છે. બીજી તરફ 9માંથી 7 શહેરોમાં સેલરીનો ગ્રોથ પણ સારો રહ્યો છે. નોકરી બજારની અગ્રણી કંપની ‘નોકરી ડોટ કોમ’ અનુસાર યુવાનો માટે જે ક્ષેત્રોમાં રોજગારની તકો ઝડપથી વધી રહી છે તેમાં ટેક્નોલોજી, આઈટી, એનાલિટિક્સ, ઈ-કોમર્સ અને ગેમિંગનો સમાવેશ થાય છે. દેશની ટોચની મેનેજમેન્ટ સ્કૂલોમાંથી સીધા નોકરી પર રાખવાની ઓફરના 20% કેસ પણ આ ક્ષેત્રોમાંથી જ છે.
એપ્રિલ મહિનો સૌથી ઠંડો રહ્યો
ટીમલીઝે અનુમાન જાહેર કર્યું છે કે હેલ્થકેર ઈન્ડસ્ટ્રી, ફાર્મા સેક્ટર, ઈ-કોમર્સ, એફએમસીજી અને રિટેલ કોમ્યુનિકેશન સેક્ટરોમાં તેજી જોવા મળશે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રો જેવાં કે, કૃષિ, એગ્રોકેમિકલ્સ, ઓટોમોબાઈલ્સ અને તેના સાથે જોડાયેલી સેવાઓ, બીપીઓ સેવાઓ, બાંધકામ અને રિયલ એસ્ટેટ, ઊર્જા ક્ષેત્રે પણ તેજી જોવા મળશે. જોબ સ્પીક્સ ઈન્ડેક્સ અનુસાર મહાનગરોમાં કોરોનાવાળા વિસ્તારોમાં એપ્રિલ મહિનામાં નોકરી બજારમાં સૌથી વધુ ઠંડુ રહ્યું હતું.
સરવેમાં લોકોએ કહ્યું, નોકરી શોધવામાં વધુ સમય લગાવશે
જોબ માર્કેટ સાથે જોડાયેલી કંપની લિન્ક્ડઈનના તાજેતરના સરવે અનુસાર 42% લોકોએ કહ્યું છે કે તેઓ નોકરી શોધવામાં વધુ સમય આપશે. 44%એ કહ્યું કે જોબ માર્કેટ સંકોચાઈ રહ્યું છે. 62%એ કહ્યું કે તેઓ ઓનલાઈન લર્નિંગ પર વધુ સમય લગાવશે. 83% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ઓનલાઈન બાયોડેટા અને પ્રોફાઈલ અપડેટ કરશે. સરવેમાં કુલ 1049 લોકોએ ભાગ લીધો હતો.
ન્યૂયોર્કમાં રહેતી રોજ વંગે જ્યારે મધર્સ ડે પર મમ્મી માટે ખરીદેલી ગિફ્ટ અંગે જાણવા ઈ-કોમર્સ કંપનીના કોલસેન્ટર પર ફોન કર્યો તો તેને કંઈક અલગ જ અનુભવ થયો. તેને પોતાના સવાલનો જવાબ તો મળ્યો જ આ ઉપરાંત તેણે કોલસેન્ટરના પ્રતિનિધિ ક્રિસ્ટલ મોજોલ સાથે લગભગ 45 મિનિટ વાત કરી. કેમ કે, વોંગને તેની સાથે વાતચીત કર્યા પછી પોતાની દાદી યાદ આવી ગઈ હતી. બંનેએ માતા-પુત્રીના સંબંધો, લોસ વેગાસમાં બ્રાઝિલી રેસ્ટોરન્ટ અને હવાઈ ટ્રીપ જેવા વિષયો પર વાત કરી.
હકીકતમાં 33 વર્ષની વોંગ પણ કોરોના સંકટમાં એકલા રહીને કંટાળી ગઈ હતી અને મનની વાત કરવા માટે આતુર હતી. રોગચાળા દરમિયાન એકાંતવાસ અને ચિંતામાં ડૂબેલા આવા જ લોકો માટે જ જેપ્પોસે પોતાનું કસ્ટમર કોલસેન્ટર સમર્પિત કરી દીધું છે. તેના પર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મુદ્દે વાત કરી શકે છે. પોતાની મુશ્કેલી-ચિંતા જણાવી શકે છે.
એક ગ્રાહક સાથે તો લગભગ 11 કલાક સુધી વાતો ચાલી
સમયની માગને જોતાં રિટેલ કંપનીએ પોતાના કોલસેન્ટરમાં આ ફેરફાર કર્યો છે, જેથી લોકો દિલ ખોલીને પોતાની વાત કહી શકે. આ આઈડિયા કંપનીના જ કર્મચારી બ્રાયન કાલ્માનો છે. તેણે જણાવ્યું કે, અમે એ વાત પર વિચાર કરી રહ્યા હતા કે દુનિયા સંપૂર્ણપણે અનલૉક થઈ જાય, ત્યાર પછી પણ લોકોના મગજમાં આપણે રહીએ, તેના માટે આ શરૂઆત કરી છે. આ સેવા શરૂ કરતા પહેલાં પણ અમે ગ્રાહકોની વાતો ધ્યાનથી સાંભળતા હતા. એક ગ્રાહક સાથે તો લગભગ 11 કલાક સુધી વાતો ચાલી હતી.
બ્રેડ બનાવવા માટે લોટ અને કરિયાણાની દુકાનનું સરનામું પણ પૂછે છે
કોલસેન્ટરના પ્રતિનિધિઓનો અનુભવ પણ સારો રહ્યો છે. સામાન્ય દિવસોમાં ડિલિવરી ન થવી, સંતોષ ન થવો, રિટર્ન કરવા જેવી ફરિયાદો જ સાંભળવા મળતી હોય છે. કોરોના સંકટમાં લોકો પોતાના સંબંધો તૂટી જવા, આર્થિક સ્થિતિ ખરાબ થવી અને અનિશ્ચિતતા અંગે પણ વાતો કરે છે. લોકો ભવિષ્યના ટ્રાવેલ પ્લાન, નેટફ્લિક્સના શો જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરે છે. પ્રતિનિધિઓ અનુસાર અનેક વખત તો લોકો ઘરે બ્રેડ બનાવવા માટે કેટલો લોટ લેવો અને નજીકની કરિયાણાની દુકાન અંગે પણ પૂછપરછ કરતા હોય છે. મદદ કરીને અમને ખુશી સાથે સંતોષ પ્રાપ્ત થાય છે.
અમેરિકાના રાષ્ટ્રીય ચેપીરોગ વિભાગના વડા ડૉ. એન્થની ફોસીએ કહ્યું છે કે જુલાઇમાં કોરોનાની રસીની ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ થશે. તેની તૈયારી ચાલી રહી છે. ટ્રાયલમાં 30 હજાર લોકો જોડાશે. રસી 18 વર્ષથી 55 વર્ષ સુધીની ઉંમરના લોકો પર ટેસ્ટ કરાશે. રસીની ટ્રાયલનો આ છેલ્લો તબક્કો હોઇ શકે છે. પાછલા તબક્કામાં 600 લોકોને સામેલ કરાયા હતા.
બધું બરાબર રહ્યું તો 2021 સુધીમાં અમેરિકા 20 કરોડ ડોઝ બનાવી લેશે
ફોસીએ અમેરિકન મેડિકલ એસો.ના સત્રમાં એમ પણ કહ્યું કે અમેરિકાને આ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝની જરૂર પડશે. બધું બરાબર રહ્યું તો 2021 સુધીમાં અમેરિકા 20 કરોડ ડોઝ બનાવી લેશે. બીજી તરફ અમેરિકામાં થયેલા એક સરવેનાં તારણો મુજબ, 49 ટકા અમેરિકનોનું માનવું છે કે તેઓ કોરોનાની રસી ચોક્કસપણે લેશે. 31 ટકાનું માનવું છે કે તેમને રસી મળશે કે નહીં તે નક્કી નથી જ્યારે 20 ટકાનું કહેવું છે કે તેમને રસી નહીં મળે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,82,148 કેસ સામે આવ્યા છે અને 1,08,104 મોત થયાં છે.
પૂર્વ લદાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે જારી વિવાદમાં ચારેય તરફની રણનીતિની અસર દેખાવા લાગી છે. પાંચમી મેથી આક્રમક વલણ બતાવતા ચીનના લશ્કરે છેલ્લા ચાર દિવસથી અહીં કોઈ સૈન્ય ગતિવિધિ નથી કરી.
પેટ્રોલ પોઈન્ટ 14, ગોગરા પોસ્ટ અને ફિંગર-4 નજીક હજુયે ચીની સૈનિકો
સૂત્રોના જણાવ્યાનુસાર, પીપલ્સ લિબરેશન આર્મી એ વિસ્તારોમાંથી પાછળ હટવાનું શરૂ કર્યું છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સરહદમાં અતિક્રમણ ચાલતું હતું. જોકે, ભારત ચીન સાથે સરહદી વિવાદો થાય ત્યારે દ્વિપક્ષીય વાતચીત અને ચીન સૈન્ય ખડકી દે એ પછી દબાણમાં નહીં આવીને સમાન સૈન્ય ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો સહારો લે છે. આ કારણસર ચીનના સૈનિકોની ટુકડીઓ ગલવાન નાલા વિસ્તારથી બે કિ.મી. પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. જોકે, પેટ્રોલ પોઈન્ટ 14, ગોગરા પોસ્ટ અને ફિંગર-4 નજીક હજુયે ચીની સૈનિકો છે. ગલવાન નાલામાં ચીની સૈનિકો ઘણાં આગળ આવ્યા હતા, પરંતુ આ વિસ્તારમાં પહેલા કોઈ વિવાદ ન હતો. નોંધનીય છે કે, બંને દેશ વચ્ચે 6 જૂને લે. જનરલ રેન્કના સૈન્ય અધિકારીઓની બેઠક થવાની છે, જેમાં બંને દેશનો વિવાદ ઉકેલાઈ જવાની શક્યતા છે. ભારત તરફથી આ બેઠકની આગેવાની ભારતીય સેનાની 14મી કોરના કમાન્ડર લે. જનરલ હરિન્દર સિંહ લે તેવી શક્યતા છે.
અડિયલ ચીન સામે 5 રણનીતિકારોની ટીમ
પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ હતો ત્યારે બંને દેશની સેના સામસામે તહેનાત હતી. આ સ્થિતિમાં ચીનને વ્યૂહાત્મક રીતે જડબાતોડ જવાબ આપવા માટે અને બરાબરીની ટક્કર આપવા માટે સરહદે વ્યૂહાત્મક સ્થળોએ ભારતીય સૈન્યે તૈયારી વધારી દીધી હતી. આ વ્યૂહ માટે સેનાએ પાંચ રણનીતિકારોની ટીમ પણ બનાવી હતી. તેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે સામેલ છે.
ચીન સામે ભારતનો વ્યૂહ શું છે?
આ તસવીર વોશિંગ્ટનનાબેલેવ્યૂની છે જ્યાં નાનકડી બાળકી નેશનલ ગાર્ડ્સ સામે ઝાડુ લઈને નીકળી ત્યારે ગાર્ડ્સ પણ હસવા લાગ્યા હતા.
ટ્રમ્પની નાની પુત્રી ટિફની ટ્રમ્પે (ઉપરની તસવીરમાં) ટ્વિટર પર હેશટેગ ‘જસ્ટિસ ફોર જ્યોર્જ ફ્લોઈડ’ સાથે તસવીર ટ્વિટ કરી હતી. આ સાથે તેણે હેલન કેલરની વાતનો ઉલ્લેખ કરતા લખ્યું કે, આપણે વિખરાયેલા કે અંગત સ્તરે લડીશું કદાચ જ કંઈક હાંસલ કરી શકીશું, પરંતુ મોટી સફળતા ત્યારે જ મળશે જ્યારે આપણે એકજૂટ થઈને લડીશું.
કોરોના સંકટના કારણે 73 દિવસથી બંધ આંતરરાષ્ટ્રીય આવન-જાવન માટે કેન્દ્ર સરકારે બુધવારે આંશિક છૂટ આપી છે. હવે કેટલીક શરતો સાથે વિદેશી વ્યવસાયી, આરોગ્ય કર્મી અને એન્જિનિયર ભારત આવી શકશે. તેના માટે તેમણે નવેસરથી વિઝા લેવાનો રહેશે.
ગૃહમંત્રાલયના નિર્ણય અનુસાર બિનવ્યવસાયિક કે ચાર્ટર્ડ વિમાનોમાં બિઝનેસ વિઝા પર આવવા માગતા વિદેશી વ્યવસાયીઓને ભારત આવવાની છૂટ રહેશે. જેના અનુસાર, લેબોરેટરી અને ફેક્ટરીઓ સહિત આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓમાં ટેક્નિકલ કામ માટે ઈચ્છુક વિદેશી આરોગ્ય વ્યવસાયી, આરોગ્ય સંશોધન કર્તા, એન્જિનિયર અને ટેક્નિશિયન આવી શકશે. માન્યતાપ્રાપ્ત અને નોંધાયેલા આરોગ્ય સુવિધા કેન્દ્ર, દવા કંપની કે યુનિવર્સિટીના નિમંત્રણપત્ર પર જ તેમને ભારત આવવા દેવાશે.
ભારતમાં રહેલી વિદેશી વેપાર સંસ્થા તરફથી મુસાફરી કરનારા વિદેશી એન્જિનિયરિંગ, મેનેજરો, ડિઝાઈન કે અન્ય વિશેષજ્ઞોને પણ છૂટ મળશે. જેમાં બાંધકામ એકમ, ડિઝાઈન એકમો, સોફ્ટવેર અને આઈટી ક્ષેત્રના એકમોની સાથે-સાથે નાણાક્ષેત્રની કંપનીઓનો પણ સમાવેશ થાય છે. નોંધાયેલી ભારતીય વ્યવસાય કંપનીના નિમંત્રણ પર ભારતમાં વિદેશી મૂળની મશીનરી અને ઉપકરણ સુવિધાની સ્થાપના, રિપેરિંગ અને જાળવણી માટે મુસાફરી કરનારા વિદેશી ટેક્નિકલ નિષ્ણાતો અને એન્જિનિયર પણ ભારત આવી શકશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે ત્યાં ફરી કોંગ્રેસના માથે ફરી ‘તોડોના વાઇરસ’નું સંકટ ઘેરાઈ રહ્યું છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ ગુજરાતના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા. આ સાથે જ આ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં ભળી જાય તેવી ગણતરી મુકાઇ રહી છે.
ત્રીજા ઉમેદવારને જીતવા મત ખૂટે છે
આ અંગે આ ત્રણેય ધારાસભ્યો અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે કહ્યું કે આ મુલાકાત ખૂબ ઔપચારિક હતી અને અમુક કામને લઇને તેઓ મળ્યા હતા, પરંતુ રાજ્યસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ તેઓ ગાંધીનગરમાં ભાજપ સરકારના આ બન્ને મુખ્ય નેતાઓને મળતાં રાજકીય ગણતરીઓના તર્ક તેજ થઇ ગયા છે. ભાજપના સૂત્રો જણાવે છે કે આવા ઓપરેશન પાર પાડવામાં નીતિન પટેલ ખૂબ પાવરધા છે. તેઓ તેમની કુનેહથી ઘણાં કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં ખેંચી લાવ્યા છે. વળી ભાજપના રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે મત ખૂટે છે ત્યારે તેમની સાથેની મિત્રતાને પગલે પટેલ અમીનને આ રીતે મદદ કરી શકે છે. ચૂંટણી પહેલા ત્રણેક કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાય તો નવાઇ નહીં, જો ભાજપમાં ન જોડાય તો પણ કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી શકે છે.
અમે કોંગ્રેસમાં જ રહીશુંઃ કિરીટ પટેલ
દિવ્યભાસ્કર સાથે વાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો તેમની રજૂઆત લઇને જ આવ્યા હતા અને યોગાનુયોગ તેમની સાથે ઔપચારીક મુલાકાત થઇ હતી. આમાં રાજકીય કોઇ બાબત નથી. આ મુદ્દે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે તેઓ માત્ર મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવા આવ્યા હતા કારણ કે ગુજરાત સરકારે બી એડ કોલેજોને ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટી હેઠળ લેવાનો નિર્ણય કર્યો અને એક રજૂઆત હતી કે ખાનગી બીએડ કોલેજોને પણ આમાં સમાવિષ્ટ કરવી જોઇએ. બાકી કોઇ રાજકીય ઇરાદો ન હતો અને અમે કોંગ્રેસમાં જ રહીશું. જ્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે તેઓના વિસ્તારના કેટલાંક લોકોના ક્વોરન્ટાઇન ભંગને કારણે લાગેલી 188ની કલમમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરવા આવ્યા હતા, બાકી બીજો કોઇ રાજકીય ઉદ્દેશ્ય નથી. અમે ચીમનભાઇ પટેલને અંજલિ આપવા માટે ગાંધીનગર આવ્યા હતા અને ત્યારબાદ અહીં આવ્યા હતા.
ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ બુધવારે બપોરે 12.30 વાગ્યે મહારાષ્ટ્રના અલીબાગ કાંઠે ટકરાયું હતું. જો કે રાહત અને બચાવ માટેની અભતૂપૂર્વ તૈયારીઓના લીધે વાવાઝોડાના કારણે જાનમાલનું મોટું નુકસાન નિવારી શકાયું હતું. વાવાઝોડાથી 120 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઘણા વૃક્ષો, હોર્ડિંગ તૂટી પડ્યા હતા. મુંબઈથી 95 કિમી દૂર વાવાઝોડું ટકરાયું હતું. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 8 જિલ્લામાં હળવો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બચાવ માટે 170 મેડિકલ ટીમો તહેનાત રખાઈ હતી તો સુરત એરપોર્ટ પર નાના વિમાનોને બચાવવા 1800 કિગ્રાના વજનીયા લટકાવાયા હતા.
વલસાડમાંથી 33 હજારનું સ્થળાંતર
વાવાઝોડાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં જોવા મળી હતી. અહીં કેટલાક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક ઠપ થઈ ગયા હતા. રત્નાગીરી અને પાલઘર વિસ્તારમાં પણ અસર જોવા મળી હતી. સાંજે 4 વાગ્યા પછી વાવાઝોડાની ગતિ ધીમી પડી હતી. વાવાઝોડાને કારણે બેંગલોરથી આવેલું એક વિમાન મુંબઈ એરપોર્ટ પર લપસી ગયું હતું. આ તરફ ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાંથી 33,680 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતા. જ્યારે નવસારીમાં 14 હજાર, અમરેલીમાં 2 હજાર, ભરૂચમાં 1200 અને ગિર સોમનાથમાં 268 લોકોને ખસેડવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા મોટા પાયે સ્થળાંતર, લોકોમાં જાગૃતિથી વાવાઝોડું બેઅસર
રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 63,798 લોકોને 332 આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા જેમાં 252 સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા 17 લાખ લોકોને સાવચેતીના મેસેજ કરવામાં આવ્યા છે.
ટ્રાન્સફોર્મર પડતા 1નું મોત ટ્રેનોના રુટ બદલાયા
વાવાઝોડું ત્રાટક્યું એ દરમ્યાન રાયગઢમાં ટ્રાન્સફોર્મર પડવાથી એક જણનું મોત નીપજ્યું હતું. આ સાથે કાંઠા વિસ્તારમાં અનકે વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. મુંબઈથી રવાના થતી પાંચ સ્પેશિયલ ટ્રેનોનો સમય બદલાયો હતો. તો ત્રણ અન્ય સ્પેશિયલ ટ્રેનોનો રુટ બદલવામાં આવ્યો હતો.
એક લાખથી વધારે લોકોને સુરક્ષિત ખસેડાયા હતા
વાવાઝોડા દરમ્યાન રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની કુલ 43 ટીમો તહેનાત હતી. મહારાષ્ટ્રમાં 21 અને ગુજરાતમાં 16 ટીમો તહેનાત હતી. એનડીઆરએફે જણાવ્યું હતું કે 1 લાખ લોકોને સુરક્ષિત ખસેડાયા હતા.
ગુજરાત ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલ સહિતના ઇંઘણો પર લેવાતા વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સમાં વધારો કરી શકે છે. સરકારે રાજ્યમાં અર્થતંત્રને વેગ આપવા તથા સરકારી તિજોરીની આવક વધારવાના ઉપાયો સૂચવવા રચેલી સલાહકાર સમિતિની ભલામણોને આધારે ગુજરાત સરકાર ઇંઘણો પરના વેટમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કરી શકે છે, તેમ સૂત્રો જણાવે છે. આ વધારાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે પાંચથી સાત રૂપિયાનો વધારો થઇ શકે છે.
આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તો ફરી રાહત આપશે
હાલ કોરોના સંક્રમણને કારણે દર્દીઓની સારવારથી માંડીને અન્ય તમામ બાબતો પર સરકારને અણધાર્યો ખર્ચ આવી ગયો છે, તેની સામે અત્યાર સુધીમાં લૉકડાઉનને કારણે વ્યાપાર ઉદ્યોગ અને ધંધા બંધ રહેતાં સરકારની આવકો લગભગ તળીયે આવી ગઇ છે. આવામાં સરકારી તિજોરી પર પડેલાં ભારણને હળવું કરવા અને આવકનો સ્ત્રોત સતત જળવાઇ રહે તે માટે સરકાર હવે ઇંધણો પર વેટ વધારવાનું વિચારી રહી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે હાલ રાજ્યની તિજોરીની સ્થિતિ ગંભીર છે, જો આ સ્થિતિ વધુ એકાદ માસ રહે તો સરકારને આગામી સમયમાં લોકોની સુવિધા કે અન્ય ખર્ચ કરવા માટે નાણાંની ખૂબ ખેંચ પડે તેમ બને. આથી હાલ સરકારે પેટ્રોલ ડીઝલ પર વેટ વધારીને આવક વધારવાનો વિચાર કર્યો છે. જો કે આગામી સમયમાં જો નાણાંકીય સ્થિતિમાં સારો એવો સુધારો આવે તો સરકાર પુનઃ લોકોને રાહત આપવા આ દર ઘટાડી પણ શકે છે.
હાલ 17 ટકા વેટ, 2018માં ઘટાડો થયો હતો
હાલ રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પર 17 ટકા વેટ વસૂલાય છે. 2018ની સાલમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે 2.50 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યાં બાદ રાજ્ય સરકારે પણ 2.50 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી જે લગભગ મૂળ કિંમતો પર ત્રણ ટકાના વેટના ઘટાડા બરાબર હતી. આ જાહેરાતથી સરકારને વાર્ષિક અંદાજે રૂપિયા 2000 કરોડનો ફટકો પડ્યો હતો. આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ રાજ્યસરકારે પેટ્રોલ ડીઝલના વેટમાં ચાર ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. આમ, છેલ્લાં ત્રણ વર્ષમાં લગભગ સાત ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત ઓવરડ્રાફ્ટ લેશે
આ તરફ સૂત્રો તેમ પણ જણાવે છે કે ગુજરાત સરકારની અપેક્ષા મુજબની આવકનું ધોરણ ચાલું નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જળવાય તેવી સ્થિતિ ન હોવાથી રાજ્યસરકારને ઓવરડ્રાફ્ટ લેવો પડી શકે છે. આ પૂર્વે રાજ્યસરકારને 2000ના વર્ષ બાદ સતત ત્રણ વર્ષ વાવઝોડું, ભૂકંપ અને રમખાણોને કારણે આર્થિક સ્થિતિ સાંકડી બનતાં ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો હતો, પણ તે પછી ક્યારેય ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો નથી. જો કે આ વર્ષે સ્થિતિ અસામાન્ય હોઇ ઓવરડ્રાફ્ટ લેવો પડે તેમ છે.
સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડાની સંભાવના
આર્થિક તંગીનો સામનો કરી રહેલાં બાંધકામ ઉદ્યોગને બેઠો કરવા માટે ગુજરાત સરકાર સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત જમીનોની ખરીદી વખતે થતાં રજિસ્ટ્રેશનને બદલે તૈયાર મકાનોની ડ્યૂટી માટે કરવામાં આવશે. તેનો ફાયદો ગ્રાહકોને થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ત્રણેક ટકા જેટલી સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહતની વિચારણા ચાલી રહી છે. રાજ્યસરકારને સામાન્ય સંજોગોમાં જે સ્ટેમ્પ ડ્યૂટી હેઠળ આવક થાય છે તેમાં લગભગ 2000 કરોડ જેટલું નુક્સાન ગયું છે.
દેશના સંરક્ષણ સચિવ અજય કુમાર કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. આ માહિતી મળ્યા બાદ બુધવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સેનાના અન્ય અધિકારીઓ પણ ઓફિસ જવાનો તેમનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો.
સંરક્ષણ સચિવના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થઈ રહી છે
મીડિયા અહેવાલ પ્રમાણે અત્યારે અજય કુમારના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થઈ રહી છે અને રાયસીના હિલ્સના સાઉથ બ્લોકમાં સેનિટાઈઝેશન તથા ડિસઈન્ફેક્શનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 30 એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસથી ડિફેન્સ સેક્રેટરીની સંપર્કમાં આવ્યા છે. આ તમામ લોકોને સેલ્ફ ક્વોરન્ટીનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સંરક્ષણ સચિવના કાર્યાલય પાસે સેના તથા નૌસેનાના વડાના કાર્યાલયો છે
અહેવાલ પ્રમાણે જ્યારે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા એ.ભારત ભૂષણ બાબુને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. જોકે, સંરક્ષણ પ્રધાનના કાર્યાલયે ચોક્કસપણે સ્પષ્ટતા કરી કે રાજનાથ સિંહ આજે તેમની ઓફિસ ગયા નથી તેમ જ તેઓ ક્વોરન્ટીનમાં નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ સચિવ ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને સંરક્ષણ મંત્રાલયની મહત્વની બેઠકમાં ભાગ લેતા હતા. સાઉથ બ્લોકના પહેલા માળ પર આવેલા તેમની ઓફિસ પણ સંરક્ષણ પ્રધાનની ઓફિસની નજીક છે. આ ફ્લોર પર સેના પ્રમુખ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની ઓફિસ પણ આ ઈમારતમાં છે.
કોરોનાની મહામારી, તીડના આક્રમણ, વાવાઝોડાનો ખતરો જેવા અનેક પ્રકોપો અત્યારે ગુજરાત સહન કરી રહયું છે ત્યારે યાત્રાધામ પાલિતાણામાં મંગળવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને તે દરમિયાન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આકાશમાંથી વીજળીનો તેજ લીસોટો રૌદ્ર સ્વરૂપે ભયંકર ગર્જના સાથે ધરા ઉપર ઊતર્યો હતો અને પળવારમાં નાળિયેરીના ઝાડને આ વીજ લીસોટાએ પોતાની લપેટમાં લઇને ખેદાનમેદાન કરી નાખ્યું હતું.
બાલ્કનીમાં તિરાડ પડી ગઇ
પાલિતાણા શહેરના ઓમ એવન્યુ એપાર્ટમેન્ટ પાસે એક મકાનમાં નારિયેળીના ઝાડ પર ધોધમાર વરસાદની સાથે અચાનક વીજળી પડી હતી અને નારિયેળીના ઝાડ નો અમુક ભાગ વળી ગયો હતો સદનસીબે અન્ય કોઈ જાનહાનિ થઇ ન હતી. આ અંગે મકાન માલિક ધ્રૂવ મુકેશભાઇ સોનીએ જણાવ્યું હતુ કે બપોરના 12.41 કલાકે એકાએક વરસાદી માહોલ જામ્યો અને અમે ઘરમાં હતા ત્યારે એક જોરદાર વીજ ગર્જના થઇ, બહાર આવીને જોયું તો ફળીયામાં નાળીયેરીના વૃક્ષ પર વીજળી પડી હતી. સાથે ઘરમાં ફ્યુઝ ઉડી ગયો પંખો પણ ઉડી ગયો, બાજુના મકાનમાં ટીવીને નુકશાન થયુ઼. આ બધું જોયા બાદ લાગ્યું કે આ વૃક્ષે અમારા સૌ કોઇની જાન બચાવી છે. આ વૃક્ષે અમારા .પરની ઘાત જાણે તેણે પોતાના પર ઝીલી લીધી. આ ઉપરાંત નાળીયેરી સાથે અમારા ઘરમાં વધુ ઇલેક્ટ્રિક સાધનોનેનુકશાન થયું હતુ. બાલ્કનીમાં તિરાડ પડી ગઇ છે.
રાજકોટ શહેરમાં 17 લાખ કરતા વધુ લોકોની વસ્તી છે તેમજ 5000થી વધુ લોકો અમદાવાદ, સુરત, મુંબઈ સહિતના શહેરોમાંથી આવી રહ્યા છે. અનલોક લાગુ કરાતા હવે કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે તેવું આરોગ્ય તંત્ર અનેકવાર કહી ચૂક્યું છે. તેવામાં રાજકોટ શહેરમાંથી માત્ર 35 જ સેમ્પલ લેવા હુકમ કરાયો છે.
રોજના માત્ર 80 સેમ્પલ લેવામાં આવે છે
કોરોનાના કેસ વધવાના શરૂ થયા ત્યારે જંગલેશ્વર હોટસ્પોટ વિસ્તાર હતો અને ત્યાં સેમ્પલની સંખ્યા વધારવા માટે પ્રયાસો થયા હતા. બાદમાં એવો નિર્ણય લેવાયો હતો કે, રાજકોટ શહેર અને જિલ્લા બંનેમાંથી રોજના 100 એટલે કે કુલ 200 સેમ્પલ લેવાશે. આ સમય લોકડાઉન 2નો હતો. ત્યારબાદ જિલ્લામાં અને શહેરમાં અન્ય જિલ્લાના લોકો આવતા તેમનામાં પણ ચેપ બહાર આવ્યો અને અલગ અલગ વિસ્તારો અને તાલુકામાં કેસ આવ્યા એટલે સ્વાભાવિક પણે સેમ્પલિંગ વધારવું પડે આમ છતાં નવા નિર્ણય મુજબ રાજકોટ શહેરમાં દરરોજ માત્ર 35 જ સેમ્પલ લેવાના અને જિલ્લામાં માત્ર 80 જ સેમ્પલ લેવાના રહેશે. જો મનપા કે આરોગ્ય વિભાગ આ ટાર્ગેટ કરતા 10થી વધુ સેમ્પલ પણ લે તો તેમને ખુલાસા આપવાના રહે છે. આરોગ્ય વિભાગની દરરોજ વીડિયો કોન્ફરન્સમાં સેમ્પલ મુદ્દે ચર્ચા થાય છે. રાજકોટમાં હવે સ્થિતિ વધુ જોખમી બની રહી છે ત્યાં માત્ર 35 જ સેમ્પલ લેવાનો નિર્ણય શા માટે કરાયો તે પ્રશ્નના જવાબમાં તંત્રે ભેદી મૌન સેવ્યું છે.
યોગ્ય રીતે સેમ્પલિંગ થાય તો કેસ વધવાની શક્યતા
મે માસમાં 1થી 31 તારીખ દરમિયાન શરૂઆતમાં શહેરમાં સેમ્પલનું પ્રમાણ વધારે રહેતા પોઝિટિવ કેસની સંખ્યા વધારે રહી હતી. બાદમાં શહેર અને જિલ્લા બંનેમાં સેમ્પલ ઓછા લેવાયા હતા અંતિમ સપ્તાહમાં રાજકોટ શહેરમાં સેમ્પલ સાવ ઓછા જ્યારે જિલ્લામાં 100ની આસપાસ રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં કેસ વધ્યા હતા. જેના પરથી ખ્યાલ આવે છે કે યોગ્ય રીતે સેમ્પલિંગમાં વધારો કરવામાં આવે તો કેસની સંખ્યા વધારે જોવા મળે છે.
2018ની એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ અત્યારે પીવાનું પાણી ભરવા માટે દરરોજ 1 હજાર મીટર (1 કિમી) ચાલવું પડે છે. સરિતા ગાયકવાડે આપબળે અને મહેનત થકી દેશને નામના અપાવી પણ કમનસીબે એનું વતન જ્યાં છે એ ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે હજુ પણ પીવાના પાણી માટે તેનો સંઘર્ષ જારી છે. ડાંગમાં દર ચોમાસે 100 ઇંચથી વધુ વરસાદ વરસવા છતાં ઉનાળામાં 311 ગામ પાણીની હાડમારી વેઠે છે. અહીં આહવાના સરકારી આવાસોમાં પણ પાણી આવતું નથી, ત્યારે અંતરિયાળ ગામડાની પાણી સમસ્યાનો અંદાજ લગાવી શકાય છે. સાગના જંગલોથી સમૃદ્ધ પ્રદેશની પ્રજા પાણી માટે કેવી યાતના વેઠી રહી છે તેનો આ પુરાવો છે.
સરિતા ઑલિમ્પિકની તૈયારી માટે પૉલેન્ડથી પરત આવી
આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે, હું ઓલિમ્પિકની તૈયારી માટે પોલેન્ડ ગઇ હતી. ત્યાંથી પંજાબ ખાતેના ખેલકૂદ સેન્ટરમાં બે મહિનાની ટ્રેનિંગ લીધા બાદ લૉકડાઉનના સાત દિવસ પછી પોતાના ગામ કરાડીઆંબા પરત આવી હતી. જ્યાં હાલ માતા-પિતા સાથે ખેતરનું કામ અને કૂવા પરથી પાણી ભરીને લાવવું મારો રોજનો નિત્યક્રમ બની ગયો છે.
કોરોના મહામારી વચ્ચે વકીલોએ સુપ્રીમકોર્ટમાં જુલાઇથી રાબેતા મુજબ કોર્ટરૂમમાં જ સુનાવણી શરૂ કરવા ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેને પત્ર લખ્યો છે.
95% વકીલો વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણીથી અસહજ
સુપ્રીમકોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસો.ના અધ્યક્ષ શિવાજી જાધવે ચીફ જસ્ટિસને અનુરોધ કર્યો છે કે ઉનાળાની રજાઓ બાદ જુલાઇથી કોર્ટરૂમ ફરી ખોલીને રાબેતા મુજબ જ સુનાવણી કરવામાં આવે, કેમ કે 95% વકીલો વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણીથી અસહજ છે, કેમ કે તેઓ કમ્પ્યૂટરનો આ રીતે ઉપયોગ કરવા ટેવાયેલા નથી. એસોસિયેશનનું કહેવું છે કે કોર્ટરૂમમાં સુનાવણી ભારતીય ન્યાય વ્યવસ્થાની કરોડરજ્જુ છે. વર્ચ્યુઅલ સુનાવણી તેનું સ્થાન ન લઇ શકે.
અરબી સમુદ્રમાં ઉદભવેલું નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાયું છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ તેની તીવ્ર અસર રહેશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ડિપ્રેશનના સ્વરૂપે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નિસર્ગ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે, છેલ્લા કલાકોમાં તેની તીવ્રતામાં વધારો થયો છે. હાલ સુરતથી 670 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમે દૂર વાવાઝોડું બુધવારે ગંભીર સાયક્લોનિક સ્વરૂપ ધારણ કરીને ઉત્તર પૂર્વ તરફ વળાંક લઇને બુધવારે બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દમણ વચ્ચે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા અલીબાગ ખાતે ટકરાવાની સંભાવના છે.
ગુજરાત સરકારનું વહીવટી તંત્ર સજ્જ
હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં ટકરાશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં તેની તિવ્ર અસર થશે.વાવાઝોડાના સંકટના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તૈયારીઓની માહિતી મેળવી હતી તેમજ કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાત્રી આપી હતી. બીજીતરફ વાવાઝોડાના સામના માટે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લા સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાંથી 78,971 લોકોને 140 આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇને તમામ રેસ્ક્યુ ટીમોને પીપીઇ કીટથી સજ્જ કરાઇ છે. મહારાષ્ટ્રમાં તારાપુર એટમીક પાવર પ્લાન્ટ, કેમિકલ પ્લાન્ટ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જેવા મહત્ત્વના સ્થળો વાવાઝોડાની દિશામાં આવતા હોવાથી હાઇ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. સાયક્લોનિક અસરને કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. સુરત, અમરેલી, ભાવનગર અને તાપી જિલ્લાના પાંચ તાલુકામાં 20 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
વાવાઝોડા વિશે એ બધું જે તમે જાણવા માગો છો
વાવાઝોડની ક્યાં અને કેટલી અસર રહેશે?
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ અસર રહેશે. 110થી 120 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાશે અને હળવોથી ભારે વરસાદ પડશે.
કયા જિલ્લાઓને સૌથી વધુ અસર પડશે?
મહારાષ્ટ્રના રાયગઢ અને પાલઘર ઉપરાંત ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, ભરૂચ અને દાદરા નગર હવેલી સુધી સૌથી અસર રહેશે.
ગુજરાત સરકારની કેવી તૈયારી છે?
વડાપ્રધાને મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી મદદની ખાત્રી આપી છે. મુખ્યમંત્રી બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાના હેઠળ નેશનલ ક્રાઇસીસ મેનેજમેન્ટ કમિટિ દ્વારા રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંંગ થાય છે.
કેટલી બચાવ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે?
રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે NDRFની કુલ 13 ટીમો અને SDRFની 10 ટીમોને તૈનાત કરાઇ છે. NDRFની વધુ 5 ટીમો એરલિફ્ટ કરાશે.
સાઇક્લોન નૉલેજ
ક્યાં કેટલો વરસાદ
ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતિમાં વીજ પુરવઠો જાળવી રાખવા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. દરેક કોવિડ હોસ્પિટલને પ્રાથમિકતાના ધોરણે વીજ પુરવઠો અપાશે. 683 કોન્ટ્રાક્ટર્સની ટીમો 3763 લોકોના મેનપાવર સાથે ઇલેક્ટ્રીક નેટવર્ક રિપેરિંગ માટે તૈનાત કરાયા છે.
ઇટાલીના ફ્લોરેન્સમાં સાઇકલ અને ટુ-વ્હીલર વેચતી કંપની પ્રો-બાઇકના માલિક એનરિકો લેપોર હાલ આશ્ચર્યચકિત છે. 3 મહિના અગાઉ સુધી લગભગ નવરા રહેલા એનરિકો તેમની દુકાનની બહાર સાઇકલ ખરીદનારાઓની ભીડ જોઇને વિશ્વાસ નથી કરી શકતા. તેઓ કહે છે, અમે બે મહિનામાં જ ગત વર્ષની તુલનાએ બમણી સાઇકલો વેચી દીધી છે. સ્ટોક પૂરો થઇ ગયો છે. આવી જ સ્થિતિ યુરોપ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, બ્રિટન તથા ડેનમાર્ક જેવા ઘણા દેશોમાં છે. લૉકડાઉનમાં સંપૂર્ણપણે ખાલી રસ્તાએ એવા લોકોને પણ સાઇકલના શોખીન બનાવી દીધા કે જેમને તે પસંદ નહોતી.
ન્યૂયોર્કમાં બાઇક શેરિંગ સિસ્ટમ 67% વધી
સાઇકલની માગ વચ્ચે કાર ચલાવનારા ઘટી રહ્યા છે. ન્યૂયોર્કમાં બાઇક શેરિંગ સિસ્ટમ 67% વધી છે. સ્વિટ્ઝરલેન્ડમાં સાઇકલનું વેચાણ 171% જ્યારે ફિલાડેલ્ફિયામાં 151% વધ્યું છે. ટુ-વ્હીલરની વૈશ્વિક રાજધાની ડેનમાર્કમાં સાઇકલનું વેચાણ બે-ત્રણ ગણું વધ્યું છે. કોપનહેગનમાં ઓમનિયમ બાઇક્સના માલિક જેમ્સ રુબિન જણાવે છે કે, અમે વ્યાપારના અત્યાર સુધીનાં વર્ષોમાં હાલ સૌથી વ્યસ્ત છીએ. અમે એપ્રિલ-મેમાં જ ગત વર્ષના કુલ વેચાણથી બમણી સાઇકલો વેચી ચૂક્યા છીએ.
સાઇકલની કંપનીઓના શેરના ભાવ 15% ઊંચકાયા
દુનિયાભરમાં સાઇકલનું વેચાણ વધતાં અને સરકારી નીતિઓથી સાઇકલ ઉદ્યોગને નવજીવન મળ્યું છે. એફટીએસઇ પર આ કંપનીઓના શેરના ભાવ 2 મહિનામાં 15%થી વધુ ઊંચા ગયા છે. 3 મહિના અગાઉ સંઘર્ષ કરી રહેલી સાઇકલ ઇન્ડસ્ટ્રીને હવે કદાચ સરકારના આર્થિક પેકેજની પણ જરૂર નહીં પડે.
પેરિસમાં 650 કિ.મી. ટ્રેક બનશે, બ્રિટન 18 હજાર કરોડનું રોકાણ કરશે
ઘણા દેશો નવી ટ્રાન્સપોર્ટ પોલિસી બનાવી રહ્યા છે. ઇટાલીમાં 40 હજાર રૂ. સુધીની સાઇકલ ખરીદવા પર સરકાર 60% સબસિડી આપે છે. ફ્રાન્સ પાર્કિંગ પાછળ 188 કરોડ ખર્ચશે. પેરિસમાં 650 કિ.મી.નો ટ્રેક બનશે. બ્રિટન સાઇકલ ઇન્ફ્રા પાછળ 18 હજાર કરોડ ખર્ચશે. અમેરિકાના સિએટલમાં 32 કિ.મી.નો ટ્રેક બન્યો છે. ઇટાલીના બોલોગ્નામાં 495 કિ.મી.ની સાઇકલ લેન બનશે.
લોકડાઉન બાદ શરૂ થયેલી વિશેષ ટ્રેનોમાં ટિકિટ બુકિંગ કરાવતી વખતે પેસેન્જરોને પોતાનું નામ સરનામું અને મોબાઈલ નંબર લખવાની સાથે હવે જ્યાં જવું છે તે સ્થળનું સરનામું અને મોબાઈલ નંબર લખવું પડશે.
પેસેન્જરોને સરળતાથી શોધી શકાશે
અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો કોઈ પેસેન્જર બીમાર થાય અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે ત્યાં સુધીમાં તેની સાથેના અન્ય પેસેન્જરો તેમના જે તે સ્થળ સુધી પહોંચી જાય છે. ત્યારે આવા પેસેન્જરોને સરળતાથી શોધી શકાય તે માટે રેલવેએ સરનામું નોંધવાની શરૂઆત કરી છે.