
કોરોના મહામારી વચ્ચે વકીલોએ સુપ્રીમકોર્ટમાં જુલાઇથી રાબેતા મુજબ કોર્ટરૂમમાં જ સુનાવણી શરૂ કરવા ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેને પત્ર લખ્યો છે.
95% વકીલો વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણીથી અસહજ
સુપ્રીમકોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસો.ના અધ્યક્ષ શિવાજી જાધવે ચીફ જસ્ટિસને અનુરોધ કર્યો છે કે ઉનાળાની રજાઓ બાદ જુલાઇથી કોર્ટરૂમ ફરી ખોલીને રાબેતા મુજબ જ સુનાવણી કરવામાં આવે, કેમ કે 95% વકીલો વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણીથી અસહજ છે, કેમ કે તેઓ કમ્પ્યૂટરનો આ રીતે ઉપયોગ કરવા ટેવાયેલા નથી. એસોસિયેશનનું કહેવું છે કે કોર્ટરૂમમાં સુનાવણી ભારતીય ન્યાય વ્યવસ્થાની કરોડરજ્જુ છે. વર્ચ્યુઅલ સુનાવણી તેનું સ્થાન ન લઇ શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gM5Wt2
No comments:
Post a Comment