
કોરોનાની મહામારી, તીડના આક્રમણ, વાવાઝોડાનો ખતરો જેવા અનેક પ્રકોપો અત્યારે ગુજરાત સહન કરી રહયું છે ત્યારે યાત્રાધામ પાલિતાણામાં મંગળવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને તે દરમિયાન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આકાશમાંથી વીજળીનો તેજ લીસોટો રૌદ્ર સ્વરૂપે ભયંકર ગર્જના સાથે ધરા ઉપર ઊતર્યો હતો અને પળવારમાં નાળિયેરીના ઝાડને આ વીજ લીસોટાએ પોતાની લપેટમાં લઇને ખેદાનમેદાન કરી નાખ્યું હતું.
બાલ્કનીમાં તિરાડ પડી ગઇ
પાલિતાણા શહેરના ઓમ એવન્યુ એપાર્ટમેન્ટ પાસે એક મકાનમાં નારિયેળીના ઝાડ પર ધોધમાર વરસાદની સાથે અચાનક વીજળી પડી હતી અને નારિયેળીના ઝાડ નો અમુક ભાગ વળી ગયો હતો સદનસીબે અન્ય કોઈ જાનહાનિ થઇ ન હતી. આ અંગે મકાન માલિક ધ્રૂવ મુકેશભાઇ સોનીએ જણાવ્યું હતુ કે બપોરના 12.41 કલાકે એકાએક વરસાદી માહોલ જામ્યો અને અમે ઘરમાં હતા ત્યારે એક જોરદાર વીજ ગર્જના થઇ, બહાર આવીને જોયું તો ફળીયામાં નાળીયેરીના વૃક્ષ પર વીજળી પડી હતી. સાથે ઘરમાં ફ્યુઝ ઉડી ગયો પંખો પણ ઉડી ગયો, બાજુના મકાનમાં ટીવીને નુકશાન થયુ઼. આ બધું જોયા બાદ લાગ્યું કે આ વૃક્ષે અમારા સૌ કોઇની જાન બચાવી છે. આ વૃક્ષે અમારા .પરની ઘાત જાણે તેણે પોતાના પર ઝીલી લીધી. આ ઉપરાંત નાળીયેરી સાથે અમારા ઘરમાં વધુ ઇલેક્ટ્રિક સાધનોનેનુકશાન થયું હતુ. બાલ્કનીમાં તિરાડ પડી ગઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Xwkw0p
No comments:
Post a Comment