
રાજકોટ શહેરમાં 17 લાખ કરતા વધુ લોકોની વસ્તી છે તેમજ 5000થી વધુ લોકો અમદાવાદ, સુરત, મુંબઈ સહિતના શહેરોમાંથી આવી રહ્યા છે. અનલોક લાગુ કરાતા હવે કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે તેવું આરોગ્ય તંત્ર અનેકવાર કહી ચૂક્યું છે. તેવામાં રાજકોટ શહેરમાંથી માત્ર 35 જ સેમ્પલ લેવા હુકમ કરાયો છે.
રોજના માત્ર 80 સેમ્પલ લેવામાં આવે છે
કોરોનાના કેસ વધવાના શરૂ થયા ત્યારે જંગલેશ્વર હોટસ્પોટ વિસ્તાર હતો અને ત્યાં સેમ્પલની સંખ્યા વધારવા માટે પ્રયાસો થયા હતા. બાદમાં એવો નિર્ણય લેવાયો હતો કે, રાજકોટ શહેર અને જિલ્લા બંનેમાંથી રોજના 100 એટલે કે કુલ 200 સેમ્પલ લેવાશે. આ સમય લોકડાઉન 2નો હતો. ત્યારબાદ જિલ્લામાં અને શહેરમાં અન્ય જિલ્લાના લોકો આવતા તેમનામાં પણ ચેપ બહાર આવ્યો અને અલગ અલગ વિસ્તારો અને તાલુકામાં કેસ આવ્યા એટલે સ્વાભાવિક પણે સેમ્પલિંગ વધારવું પડે આમ છતાં નવા નિર્ણય મુજબ રાજકોટ શહેરમાં દરરોજ માત્ર 35 જ સેમ્પલ લેવાના અને જિલ્લામાં માત્ર 80 જ સેમ્પલ લેવાના રહેશે. જો મનપા કે આરોગ્ય વિભાગ આ ટાર્ગેટ કરતા 10થી વધુ સેમ્પલ પણ લે તો તેમને ખુલાસા આપવાના રહે છે. આરોગ્ય વિભાગની દરરોજ વીડિયો કોન્ફરન્સમાં સેમ્પલ મુદ્દે ચર્ચા થાય છે. રાજકોટમાં હવે સ્થિતિ વધુ જોખમી બની રહી છે ત્યાં માત્ર 35 જ સેમ્પલ લેવાનો નિર્ણય શા માટે કરાયો તે પ્રશ્નના જવાબમાં તંત્રે ભેદી મૌન સેવ્યું છે.
યોગ્ય રીતે સેમ્પલિંગ થાય તો કેસ વધવાની શક્યતા
મે માસમાં 1થી 31 તારીખ દરમિયાન શરૂઆતમાં શહેરમાં સેમ્પલનું પ્રમાણ વધારે રહેતા પોઝિટિવ કેસની સંખ્યા વધારે રહી હતી. બાદમાં શહેર અને જિલ્લા બંનેમાં સેમ્પલ ઓછા લેવાયા હતા અંતિમ સપ્તાહમાં રાજકોટ શહેરમાં સેમ્પલ સાવ ઓછા જ્યારે જિલ્લામાં 100ની આસપાસ રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં કેસ વધ્યા હતા. જેના પરથી ખ્યાલ આવે છે કે યોગ્ય રીતે સેમ્પલિંગમાં વધારો કરવામાં આવે તો કેસની સંખ્યા વધારે જોવા મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AtEwHL
No comments:
Post a Comment