Ad

Tuesday, May 12, 2020

લૉકડાઉન-4 ગુજરાતમાં બે તબક્કામાં રહેશે, પ્રથમમાં છૂટ અપાશે, બીજામાં નિયમો બનશે 

ગુજરાતમાં લૉકડાઉન-4 નિશ્વિત છે,પણ તે કેવુ રાખવું, કયાં વિસ્તાર,કયાં પ્રકારની દુકાનો,સંસ્થાઓને છૂટ આપવી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો,મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા થઇ હતી. આ પછી મળેલી કોર કમિટીની બેઠકમાં એક બાબતે સર્વસહમતિ સધાઇ હતી કે, લૉકડાઉન બે તબક્કામાં રાખવું, પ્રથમ બે સપ્તાહ કે 15 દિવસમાં જે છૂટછાટ અપાય તેનું નિરીક્ષણ કરવું અને આ પછી બીજા તબક્કામાં તેના આધારે નવા ફેરફાર કરાશે તેમ ટોચના સુત્રોએ કહ્યું હતું.
કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે
તમામ જિલ્લા કલેકટરો,મ્યુ.કોર્પોરેશનના કમિશ્નરો,પોલીસ કમિશ્નર,ડીએસપી સહિતના અધિકારીઓ સાથે દરેક જિલ્લાની વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં પ્રથમ તો જે વિસ્તારમાં દુકાનો ખુલી છે ત્યાં કેવી સ્થિતિ છે તેની ફીડબેક લેવાઇ હતી. કલેકટરો પાસેથી ફીડબેક પછી કોર કમિટીની મળેલી બેઠકમાં ગુજરાત લૉકડાઉન-4 કેવું રાખવું તે બાબતે ચર્ચા થઇ હતી. આ ચર્ચા વધુ એકવખત તા. 13મીમેના રોજ મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચાશે અને પછી નિયમો તૈયાર થશે. આ નિયમો કેન્દ્ર સરકાર લૉકડાઉન-4ની જાહેરાત કરે પછી તેને અંતિમ સ્વરૂપ અપાશે, પણ ગુજરાત સરકાર હોમવર્ક સ્વરૂપે લૉકડાઉન-4ના નિયમો તૈયારી કરી નાખશે.
શહેરીજનો માટે સાંજે 7થી સવારે 7 બહાર નીકળવા પર પ્રતિબંધ યથાવત રહેશે
ઉનાળાની સીઝનમાં શહેરોમાં રાત્રે બરફના ગોળા,સોડા,આઇક્રીમ પાર્લર સહિતની દુકાનો પર લોકો રાત્રે નીકળતા હોય છે. શહેરોમાં ઉનાળાની સીઝનમાં રાત્રે ફરવા નીકળવાનો ક્રેઝ વધારે હોવાથી સરકારે શહેરોમાં સાંજે 7થી સવારે 7 કલાક સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવાનું જ નક્કી કર્યું છે. જો કે, ગામડાઓમાં આ નિયમ લાગુ પડશે નહીં,આમછતા હજુ ગામડા બાબતે અંતિમ વિચારણા બાકી છે,પણ શહેરોમાં તો પ્રતિબંધ જ રહેશે.
ઓડ-ઇવન અને કર્મચારી 50 ટકા ઓન ડયૂટી આવી શકે
લૉકડાઉન-4માં તમામ દુકાનો, પ્રાઇવેટ ઓફિસ ચાલુ થાય તેવી સરકાર પ્રયાસ કરશે. ફરસાણ,મીઠાઇથી લઇને વાળંદની દુકાન કઇ રીતે ખોલી શકાય તે નક્કી કરાશે. આ માટે દુકાનોમાં ઓડ ઇવન પદ્ધતિ આવી શકે છે. મોટી ઓફિસ,સંસ્થા કે શોપ ખોલવા માટે 50 ટકા કર્મચારી ઓન ડયૂટી જેવા નિયમ પણ આવી શકે છે. રીક્ષા, ટેક્સી,સિટીબસ અંગે પણ નિયમ રહેશે.
લૉકડાઉન-4 દરમિયાન મલ્ટિપ્લેક્સ, મોલ, જિમ અને ક્લબ બંધ જ રહેશે
રાજ્ય સરકારે એક બાબતે તો મન બનાવી લીધું છે કે, મોલ, મલ્ટિપ્લેક્સ, જિમ, ક્લબ હજુ બંધ જ રાખવા. લૉકડાઉન-4માં પણ આ તમામ સ્થળો ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવા લાગતા હોવાથી સરકારે તેને બંધ જ રાખવાનું નક્કી કર્યં છે અને તે કયાં સુધી બંધ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લોકડાઉનમાં સૂમસામ અમદાવાદ.


from Divya Bhaskar https://ift.tt/3dCUFsH

સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળશે તો જ ભૂપેન્દ્રસિંહનું મંત્રીપદ રહેશે, આ 13 મુદ્દાઓના આધારે હાઈકોર્ટે કસૂરવાર ઠરાવ્યા

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી તો કર્યું છે અને ભાજપે સુપ્રીમમાં તેમની જીત થશે તેવી આશા સેવી છે, પરંતુ ભાજપના આંતરિક રાજકારણના પ્રવાહો હાલ કાંઇક જૂદું ચિત્ર રજૂ કરે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ચૂકાદા બાદ પક્ષ અને સરકાર તરફથી સૌથી પહેલી પ્રતિક્રિયા આવી અને તેમણે સાફ વાતે શબ્દો ચોર્યાં વિના કહ્યું કે અમારા વકીલોએ અમને કહ્યું છે કે આ ચુકાદા બાદ ધારાસભ્યપદ રહેતું નથી. જોકે ચુડાસમાને હિંમત આપતા તેમણે ઉમેર્યું કે અમે બધાં તેમની સાથે છીએ.
ભાજપ ચૂકાદાથી આઘાતમાં:પ્રવક્તા ભરત પંડ્યા
ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી નથી, પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે ભાજપ ચૂકાદાથી આઘાતમાં છે. અને સુપ્રીમ કોર્ટ તેમની તરફેણમાં ચૂકાદો આપશે તેવી આશા છે. જો કે ભાજપના એક વરિષ્ઠ નેતા જેઓ કાયદાકીય બાબતના નિષ્ણાત છે તે કહે છે કે આ કિસ્સામાં સુપ્રીમ તરફથી પણ ભૂપેન્દ્રસિંહને રાહત મળશે તેવું લાગતું નથી. ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો સુક્ષ્મ બાબતોને ધ્યાને લઇને અપાયો હોવાથી હવે તેમાં સુપ્રીમ કોઇ જુદું તારણ આપશે નહીં.
1. ધારાસભ્યપદે ક્યાં સુધી?
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે હાઇકોર્ટના ચૂકાદાની નકલ મળ્યે સ્વાભાવિક રીતે ભૂપેન્દ્રસિંહને ધારાસભ્યપદેથી દૂર કરવાની વિધી કરવી પડે, પણ હજુ નકલ મળી નથી. વળી જો તે પૂર્વે કે પછી પણ સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પર વચગાળાનો મનાઇહુકમ ફરમાવે તો આખરી ચૂકાદો ન આવે ત્યાં સુધી જ ચુડાસમાનું ધારાસભ્યપદ બરકરાર રહે.
2. મંત્રીપદનું શું થશે?
ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને ભાજપ હાઇકમાન્ડ ચાહે તો જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્યપદ છીનવાઇ ગયા પછી પણ મંત્રીપદે યથાવત્ રાખી શકે છે. પરંતુ આ માટે ભૂપેન્દ્રસિંહને નિયમ પ્રમાણે છ મહિનામાં ચૂંટાઇને વિધાનસભામાં આવવું પડે.
3. હવે રાજ્યસભા ચૂંટણીમાં શું?
જો ધારાસભ્ય પદ રદ્દ થાય તો ગુજરાતની ચાર બેઠકો માટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો એક મત ઘટે અને સામે જીતવા માટે જરુરી પાંત્રીસ મતની સામે ભાજપના ત્રીજા ઉમેદવારને ચૂંટાઇ આવવા મુશ્કેલી સર્જાઇ શકે છે. જો કે રાજ્યસભાની ચૂંટણી હાલ મોકૂફ છે અને તેવા સંજોગોમાં આ મુદ્દાને લઇને વધુ કોઇ ચર્ચાને અવકાશ નથી.
આ 13 મુદ્દાઓ છે, જેના આધારે હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહને કસૂરવાર ઠરાવ્યા
1) ધોળકા બેઠક પરની મતગણતરીમાં જે પ્રક્રિયા અપનાવેલી તે ચૂંટણીપંચના નિયમો વિરુદ્ધ અને ગેરકાયદે હતી તે અરજદારે પુરવાર કર્યુ છે?

બન્ને તરફ્ના સાક્ષી અને પુરાવાને આધારે મતગણતરીની પ્રક્રિયા ચૂંટણીપંચના નિયમો વિરુદ્ધ અને ગેરકાયદેસર હોવાનું પુરવાર થયુ છે.
2) મતગણતરી સમયે 429 પોસ્ટલ બેલેટ ગેરકાયદે રિજકેટ થયાનું અરજદાર પુરવાર કરી શકયા છે? તે મુદ્દા પર કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે કુલ 1356 બેલેટ પેપરમાંથી ધવલ જાનીએ 429 બેલેટ રિજેકટ કરી દીધા હતા જેના કારણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સીધો ફાયદો કરવાનો ઇરાદો પ્રસ્થાપિત થયો છે.
3) પોસ્ટલ બેલેટ્સ ગેરકાયદે રિજેકટ થયા તે સમયે એજન્ટે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેને ધ્યાને લીધો ન હતો?
ઓબ્ઝર્વરે પણ 429 બેલેટ પેપરને જોયાનહોતા તેને ધવલ જાની દ્વારા ગુપ્ત રાખવામાં આવ્યા હતા.
4) રિટર્નિંગ અધિકારીએ આખરી ચૂંટણીપત્રકમાં જે મતગણતરીના આંકડા પ્રસિદ્ધ કર્યા હતા તેમાં અને આખરી પરિણામના આંકડામાં તફાવત જોવા મળ્યો હતો તે કોર્ટમાં સાબિત થયું છે?
ઇવીએમમાં કુલ 159917 મત જોવા મળ્યા હતા.પરિણામ પત્રકના ફોર્મ-20માં તેને દર્શાવવામાં આવ્યુ હતુ. પાછળથી ખબર પડી હતી કે રિટર્નિંગ ઓફિસરે બે આખરી પરિણામપત્રક ફોર્મ-20 તૈયાર કર્યા હતા તેમા એક પર સહી કરી હતી અને બીજું ફોર્મ સહી વગરનું હતુ. ડિસ્ટ્રિકટ ઇલેકશન ઓફિસરે જાહેર કરેલા આંકડા અને રિટર્નિંગ ઓફિસરે તૈયાર કરેલા મતગણતરીના આંકડામાં ભેદભાવ સાબિત થયો છે.
5) મતગણતરી સમયે ધ્યાને લીધેલા ઇવીએમના મત અને મતદાન મથકે પડેલા મતો વચ્ચે તફાવતને સાબિત કરવામાં આવ્યો છે?
દસ્તાવેજી પુરાવાને આધારે ધોળકા વિધાનસભા વિસ્તારના દરેક પોલિંગ બુથ પર આંકડામાં ફેરફાર જોવા મળ્યો હતો અને તે કોર્ટમાં સાબિત થયુ છે. દરેક પોલિંગ બુથ પર મતગણતરીમાં ગંભીર ભૂલો બહાર આવી છે. કેટલાક પોલિંગ બુથ પર અરજદાર પક્ષને માત્ર શુન્ય મતદર્શાવ્યો છે.
6)મત રિજકેટ થવાના કારણે ચૂંટણીના પરિણામ પર નોંધપાત્ર અસરો થઇ હોવાનું સાબિત થયું છે?
મતગણતરી અને પોસ્ટલ બેલેટ પેપરની ગણતરીમાં રિટર્નિંગ ઓફિસર દ્વાર ગેરરીતિ આચરવામાં આવી હોવાનું પ્રસ્થાપિત થાય છે. જાણીજોઇને બેલેટને ગણતરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
7) રીપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ અને ચૂંટણીપંચ બન્નેના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સાબિત થયું છે?
બન્ને કાયદા અને નિયમોનું ચુડાસમા તેના એજન્ટ અને રિટર્નિંગ ઓફિસરે સરેઆમ ઉલ્લંઘન કરીને ભ્રષ્ટ રીત-રિવાજો આચરણ કર્યુ છે.
8) આર.પી. એકટની કઇ કઈ કલમોનું ઉલ્લંઘનકર્યુ છે?
આર.પી એકટની કલમ 123 હેઠળ ચુડાસમા તેના એજન્ટ, અને રિટર્નિંગ ઓફિસરે તમામ સ્તર પર ગેરરીતી આચરી છે.
9) ચુડાસમાની સલાહ કે આજ્ઞા અનુસાર કોણે કોણે ભ્રષ્ટ રીતરસમોનું આચરણ કર્યુ છે?
હાઇકોર્ટના રેકોર્ડ પર અનેક દસ્તાવેજી પુરાવા અને રેકોર્ડ એવું સાબિત કરે છે કે ભૂપેન્દ્રસિંહને જીતાડવા તેના એજન્ટે માત્ર ભ્રષ્ટ રીતરસમો જ નહી પરતું સમગ્ર મતપ્રક્રિયાને ભ્રષ્ટ કરી હોવાનું સાબિત થયુ છે.
10)ધોળકાની ચૂંટણી રદ થવા પાત્ર કેમ છે?
ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના તમામ નિયમોનું પાલન કર્યુ નથી.ઓબ્ઝર્વરની સુચના વગર રિટર્નિંગ ઓફિસર પરિણામ જાહેર કરી શકે નહી. રિટર્નિંગ ઓફિસર પાસેની હેન્ડબુકને જાહેર કરી દીધી હતી. તેથી ચૂંટણી રદ થવાપાત્ર છે.
11) ધોળકા બેઠક પરથી તે જીત્યા છે તે સાબિત કરી શક્યા છે?
આર.પી એકટની કલમો, ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના નિયમો અને રાજય ચૂંટણીપંચના નિયમોનું અનુસાર સાચી રીતે ગણતરી કરાઇ નથી જેના કારણે ખોટી રીતે જાત મેળવી હોવાનું પ્રસ્થાપિત થયુ છે.
12) કયા કાયદાની કઇ જોગવાઇઓનું ઉલ્લંઘન કરવાથી ચૂંટણી રદ થવા પાત્ર છે?
આર.પી એકટ હેઠળ કોઇ એજન્ટ કે વ્યકિત મતગણતરી સમયે કોઇ વાંધો ઉઠાવે તેને સાંભળવામાં આવ્યા નથી ગંભીર આક્ષેપો પર પણ મતગણતરી પોતાની રીતે કરી હોવાનું સાબિત થવાથી ચૂંટણી રદ થવા પાત્ર છે.
13) ભૂપેન્દ્રસિંહની સહમતિથી રિટર્નિંગ ઓફિસરે ભ્રષ્ટ આચરણ કર્યું હોવાનું સાબિત થયું છે?
અશ્વિન રાઠોડે ફેર મતગણતરીની માગણીની વાતને રિટર્નિંગ ઓફિસરે ભૂપેન્દ્રસિંહની સૂચના મુજબ ફગાવી દીધી હતી. તેમની સૂચના મુજબ જ એજન્ટે પણ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી કરી નહોતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3fIO4yU

કોરોના પીડિત નર્સે કહ્યુ- ‘SVP અને કેન્સરની કોવિડ હોસ્પિટલની સારવારમાં આભ-જમીનનો ફરક’

કેન્સર હોસ્પિટલની વધુ બે સ્ટાફ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ આંકડો હવે 76 પર પહોંચ્યો છે. કેન્સર હોસ્પિટલની કોવિડ હોસ્પિટલનાં આઇસીયુમાં 10 દિવસથી દાખલ એક સ્ટાફ નર્સની હાલતમાં સુધારો ન થતાં હોસ્પિટલની બે નર્સમાંથી એક એસવીપીમાં દાખલ થઈ છે. જ્યારે બીજી નર્સ પણ ત્યાં પહોંચી હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યો છે.
બે નર્સ સારવાર માટે SVP જતી રહી
હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા મુજબ, હોસ્પિટલતંત્રની બેદરકારીથી મંગળવારે વધુ બે સ્ટાફ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ હોસ્પિટલમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને હવે 76 પર પહોંચ્યો છે. મંગળવારે પોઝિટિવ આવેલી બે સ્ટાફ નર્સમાંથી એક સ્ટાફ નર્સ એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ છે. બીજી નર્સ એસવીપીમાં દાખલ થવા ગઇ હતી.
એક સ્ટાફ નર્સ 10 દિવસથી કેન્સરની કોવીડ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ
એસવીપીમાં દાખલ થયેલી એક નર્સે નામ ન લખવાની શરતે જણાવ્યું કે, એસવીપી અને કેન્સરની કોવિડ હોસ્પિટલની સારવારમાં જમીન-આસમાન જેટલું અંતર છે. કેન્સરની હોસ્પિટલમાં ફરજ બજાવતી અમારી સાથેની એક સ્ટાફ નર્સ 10 દિવસથી કેન્સરની કોવીડ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાઇ છે, છતાં તેની હાલતમાં કોઇ સુધારો થયો નથી. 20 દિવસથી હોસ્પિટલ તંત્રની બેદરકારીથી અમે સારી રીતે પરિચીત છે, સાથે અમારી સાથેની નર્સની હાલતને ધ્યાનમાં રાખીને હું મંગળવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ થઇ છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
SVP હોસ્પિટલની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2WrEuJ9

વકીલે કહ્યુ- નીરવ મોદીની માનસિક સ્થિતિ ગંભીર

પંજાબ નેશનલ બેન્કમાં 14000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદી પર ભારતીય એજન્સીઓએ પકડ મજબૂત કરી દીધી છે. પ્રત્યાર્પણ વિરુદ્ધ નીરવની અરજી અંગે પાંચ દિવસની સુનાવણી સોમવારે શરૂ થઇ. કોરોના મહામારીને જોતા નીરવ મોદીને વીડિયો લિંક દ્વ્રારા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. વકીલે દાવો કર્યો છે કે નીરવ મોદીની માનસિક હાલત ઘણી ગંભીર છે અને તેમનો ઇલાજ આર્થર રોડ જેલમાં ઇલાજ થવો મુશ્કેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કેનીરવ ગત વર્ષે માર્ચમાં ધરપકડ બાદ દક્ષિણ-પશ્ચિમ લંડનની વેંડ્સવર્થ જેલમાં બંધ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નીરવ મોદીની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2zCRYsf

દિલ્હીથી 3 ટ્રેન રવાના, 5 શહેરમાંથી દિલ્હી માટે ઉપડી, ટ્રેન ઉપડવાના 10થી 12 કલાક અગાઉ લોકો સ્ટેશને પહોંચ્યા

લૉકડાઉનમાં 51 દિવસ સુધી બંધ રહેલી પેસેન્જર ટ્રેનો મંગળવારથી આંશિક ધોરણે દોડવા લાગી. દિલ્હીથી સાંજે 4 વાગ્યે 1,177 મુસાફરો સાથે પહેલી ટ્રેન બિલાસપુર રવાના થઇ. ત્યાર બાદ દિબ્રૂગઢ અને બેંગલુરુ માટે પણ 1-1 ટ્રેન ઉપડી. આ 3 ટ્રેનમાં કુલ 3,461 લોકોએ બુકિંગ કરાવ્યું હતું. બીજી તરફ મુંબઇ, અમદાવાદ, પટણા, બેંગલુરુ અને હાવડાથી 1-1 ટ્રેન દિલ્હી રવાના થઇ.
37 ડિગ્રી ગરમીમાં ઊભા રહીને રાહ જોઇ
પહેલી સ્પેશિયલ ટ્રેન ઉપડવાના 10-12 કલાક અગાઉથી જ લોકો નવી દિલ્હી રેલવે સ્ટેશને પહોંચવા લાગ્યાહતા. તેમણે દિવસભર સ્ટેશનની બહાર 37 ડિગ્રી ગરમીમાં ઊભા રહીને રાહ જોઇ. ટ્રાફિક ન થાય તે માટે કનૉટ પ્લેસ અને પહાડગંજથી સ્ટેશનના એન્ટ્રી પોઇન્ટ પર જ વાહનો રોકી દેવાયા. મુસાફરો ત્યાંથી એકાદ કિ.મી. ચાલીને સ્ટેશને પહોંચ્યો.
બે સ્થળે થર્મલ સ્ક્રીનિંગ કરાયું
તેમને કેટલાક સંગઠનોએ ભોજન, પાણી અને માસ્કનું વિતરણ કર્યું. સ્ટેશનની અંદર ભીડ ન થાય તે માટે થોડા-થોડા લોકોને પ્રવેશ અપાયો. તે પહેલાં બે સ્થળે થર્મલ સ્ક્રીનિંગ કરાયું. મુસાફરો પ્લેટફોર્મ પર આમ-તેમ ફરે નહીં તે માટે તેમને સીધા કોચમાં મોકલાયા. દરેક કમ્પાર્ટમેન્ટમાં 8-8 મુસાફરનું બુકિંગ કરાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિલ્હી રેલવે સ્ટેશન બહાર પ્રવાસીઓની લાગેલી લાઈન.


from Divya Bhaskar https://ift.tt/2xU7BuW

અમદાવાદથી રાજસ્થાન જવા નિકળેલી 9 માસની ગર્ભવતીને 6 દિવસમાં 196 કિલોમીટર ચાલ્યા બાદ મદદ મળી

કોરોનાના કેર વચ્ચે મોટા ભાગના લોકો ઘરોમાં સુરક્ષિત છે પણ જે લોકો ઘરથી દૂર છે તેઓ ઘરે પહોંચવા કેટલી પીડા વેઠી રહ્યા છે તેનું એક ઉદાહરણ ડુંગરપુરના ટામટિયા ગામે જોવા મળ્યું. ગર્ભવતી મહિલા માટે એક-એક ડગલું ચાલવું મુશ્કેલ હોય છે પણ એક મહિલા પૂરા મહિને ગર્ભવતી હોવા છતાં 6 દિવસ સતત ચાલી. સાથે પતિ અને બે બાળક પણ છે. આ દરમિયાન ઘણી ચોકીઓ અને વહીવટી અધિકારીઓની સામેથી પસાર થયા પણ મદદ મળી ત્યાં સુધીમાં તેઓ અંદાજે 196 કિ.મી. ચાલી ચૂક્યા હતા.
1 વર્ષના પુત્ર સાથે અમદાવાદથી 6 દિવસ અગાઉ ચાલતા રવાના થયા હતા
મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના સૈલાનાના કૂપડા ગામના લક્ષ્મણ ભાભર ગર્ભવતી પત્ની બાપૂડી, 2 વર્ષની પુત્રી અને 1 વર્ષના પુત્ર સાથે અમદાવાદથી 6 દિવસ અગાઉ ચાલતા રવાના થયા હતા. તેઓ રતનપુર બોર્ડરેથી ડુંગરપુર થઇને ટામટિયા ચેક પોસ્ટ પર પહોંચ્યા. અહીં અધિકારીઓએ તેમને ભરપેટ જમાડ્યા. બાપૂડીનું ચેકઅપ અને સ્ક્રીનિંગ પણ કરાયું. ત્યાર બાદ એમ્બુલન્સની વ્યવસ્થા કરીને તેમને ઘરે પહોંચાડાયા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજસ્થાન પહોંચતાં મદદ અને એમ્બુલન્સ મળી.


from Divya Bhaskar https://ift.tt/3cEoj0N

અડધા રસ્તે પૈસા ખૂટી ગયા તો 15 હજારનો બળદ 5 હજારમાં વેચ્યો, 15 વર્ષના દીકરાને ગાડા સાથે જોતરી દીધો

દેશભરમાં લૉકડાઉનના કારણે કામ-ધંધો ગુમાવી ચૂકેલા શ્રમિકો તથા અન્ય લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે. 50 દિવસના લૉકડાઉને ગરીબ શ્રમિકોનું જીવવું દુષ્કર કરી નાખ્યું છે. સરકારી દાવા ગમે તે હોય, ગ્રાઉન્ડ રિયાલિટી હૃદયદ્રાવક છે. શ્રમિકોની ઘણા પ્રકારની તસવીરો ચર્ચામાં છે પણ આ તસવીર જોઇને કાળજું કંપી જાય છે. આ દ્રશ્ય મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઇન્દોરના બાયપાસ રોડ પર જોવા મળ્યું.
જુલવાનિયા નજીકથી દેવાસ માટે પગપાળા નીકળ્યા
એક પરિવાર એટલો લાચાર થઇ ગયો કે ગામડે પાછા ફરતી વખતે રસ્તામાં જ એક બળદ અડધાથી પણ ઓછા ભાવે વેચવો પડ્યો. બળદગાડું ખેંચવા બીજા બળદ સાથે 15 વર્ષનો મનોજ જાતે જ જોતરાઇ ગયો. આ પરિવાર મધ્ય પ્રદેશના જુલવાનિયાથી અંદાજે 200 કિ.મી. દૂર દેવાસ જવા નીકળ્યો છે. મનોજે જણાવ્યું કે, ‘અમારા પાંચ જણાના પરિવારમાં બે બહેન, બનેવી અને પિતા છે. એક બહેન સગર્ભા છે. અમે જુલવાનિયા નજીકથી દેવાસ માટે પગપાળા નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન ખાવા-પીવાનો સામાન અને પૈસા ખલાસ થઇ ગયા. મુશ્કેલીઓ વધી રહી હતી. મુસાફરી અડધી જ પૂરી થઇ હતી. તેથી બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે એક બળદ વેચી દઇએ તો થોડા દિવસ નીકળી જશે. પછી જે થશે તે જોયું જવાશે.’
હજુઅંદાજે 100 કિ.મી. ચાલવાનું છે
હજુ અડધી મુસાફરી બાકી છે. અંદાજે 100 કિ.મી. ચાલવાનું છે. એવામાં 40 ડિગ્રી ગરમીમાં મનોજના ખભે લદાયેલો બળદગાડાનો બોજ શ્રમિકોની વાસ્તવિક સ્થિતિ વર્ણવે છે. કોરોનાના કારણે આવા હજારો લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે.
એકલા બળદ પર વધુ બોજ પડતો હોવાથી હું પણ જોતરાઇ ગયો
મનોજ જણાવે છે કે, ‘હવે બળદને ખવડાવીએ કે પોતે ખાઇએ? મજબૂરીવશ એક બળદ વેચવો પડ્યો. તેની કિંમત 15 હજાર રૂ. હતી પણ અમારી ગરજનો લાભ લઇ ખરીદનારે માત્ર 5 હજાર રૂ.માં ખરીદી લીધો. એક બળદ પર વધુ બોજ ન પડે તે માટે હું પણ તેની સાથે જોતરાઇ ગયો.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પિતાએ 15 વર્ષના દીકરાને ગાડા સાથે જોતરી દીધો.


from Divya Bhaskar https://ift.tt/2WSLXQ6

Coronavirus doubling time slows down to 12.2 days

In the last 24 hours, 3,604 new cases were added, taking the number of confirmed cases to 70,756. Of these, 22,455 people have been cured and 2,293 have died. Vardhan said the fatality rate was 3.2% while the recovery rate was progressively increasing and stood at 31.74%.

from Times of India https://ift.tt/3cnG6sK

Focus on Covid in Quad Plus meet

Secretary Pompeo and his counterparts discussed the importance of international cooperation, transparency, and accountability in combatting the Covid-19 pandemic and in addressing its causes, said the US state department in a statement. Accountability from China is an important part of Covid diplomacy being pushed by the US.

from Times of India https://ift.tt/3dycWr0

MIT gives just 2 out of 5 stars to Covid tracker



from Times of India https://ift.tt/2yJpQE2

PM Modi pitches for local products; says we should be vocal about local

PM Modi pitches for local products; says we should be vocal about local

from India Today | Top Stories https://ift.tt/3bqGxBs

Cong dubs PM's eco package announcement headline-grabbing, BJP says it will make India self-reliant

Cong dubs PM's eco package announcement headline-grabbing, BJP says it will make India self-reliant

from India Today | Top Stories https://ift.tt/2WKP8ti

Third Covid-19 death in Gautam Buddh Nagar, cases rise to 230

Third Covid-19 death in Gautam Buddh Nagar, cases rise to 230

from India Today | Top Stories https://ift.tt/2LkT9iM

CSIR-NAL develops Non Invasive Ventilator to treat COVID-19 patients

CSIR-NAL develops Non Invasive Ventilator to treat COVID-19 patients




from News - Videos - The Times of India https://ift.tt/3dGVpNy

મેટરનિટી હોસ્પિટલ પર આતંકવાદી હુમલો, બે નવજાત સહિત 14 લોકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે આતંકવાદીઓએ એક મેટરનિટી હોસ્પિટલ પર હુમલો કર્યો છે. તેમા 14 લોકોના મોત થયા છે અને 15 લોકોને ઈજા થઈ છે.મૃત્યુ પામનારમાં બે નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ સુરક્ષા દળોએ હોસ્પિટલને ઘેરી લીધી હતી. આશરે 80 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં અચાનક જ આતંકવાદી ઘુસ્યા
પ્રાપ્ત માહિતી પ્રમાણે પશ્ચિમી કાબુલની બારચી હોસ્પિટલમાં કેટલાક આતંકવાદીઓ ઘુસ્યા હતા અને તેમણે આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ હોસ્પિટલ મેટરનિટી ઉપરાંત બાળકોના ઈલાજ માટે જાણીતી છે. સુરક્ષા દળો નજીક ફરજ પર હતા. તેમણે તાત્કાલિક હોસ્પિટલને ઘેરી લીધી અને લોકોને સુરક્ષિત રીતે કાઢ્યા હતા. આ ઓપરેશનમાં આશરે 80 લોકોના જીવ બચાવી શકાયા છે.

15 ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની સ્થિતિ નાજુક
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેમા 15 લોકો ઈજા પામ્યા છે. આ પૈકી મોટાભાગની સ્થિતિ નાજુક છે. આ હોસ્પિટલમાં કેટલાક વિદેશી લોકો પણ કામ કરે છે. તમામ સુરક્ષિત છે. મંત્રાલયે આ હુમલાને માનવતાની વિરુદ્ધનો હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે દોષિતોને કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં. કેટલીક માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ હુમલો આત્મઘાતી હુમલો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Terrorist attack on maternity hospital, killing 14 people, including two newborns


from Divya Bhaskar https://ift.tt/2WSGKrx

Monday, May 11, 2020

More graded relaxation of lockdown after May 17, PM Modi hints at CMs meet

More graded relaxation of lockdown after May 17, PM Modi hints at CMs meet




from News - Videos - The Times of India https://ift.tt/3bqmhzC

Consumers up spends as areas reopen for biz

There is a slow improvement in overall spending across categories — be it for staples, household hygiene, food ordering-in, toys and even beauty — led by consumers in green and orange zones, finds a survey by Bain & Company and Price.

from Times of India https://ift.tt/2YVsD7O

Top10: India can't afford Covid in its villages



from Times of India https://ift.tt/2tlZbpO

31 જુલાઇ સુધીમાં 5 લાખ લોકોના માથે કોરોનાનો તોળાતો ખતરો, હવે 31 મે સુધી બીજો તબક્કો

વડોદરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 580 પર પહોંચી છે અને તંત્રે બનાવેલી રણનીતિનો પ્રથમ તબક્કો પૂરો થતાં હવે લોકડાઉનની સંભવિત છુટછાટ વચ્ચે 31 મે સુધી બીજો તબક્કો અમલમાં આવી ગયો છે.કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે આયોજન કરવા માટે રાજય સરકારે વડોદરાના ઓએસડી તરીકે શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને મૂકયા હતા. ડો.વિનોદ રાવે પાલિકા સહિતના તંત્રને સાથે રાખી ત્રિસ્તરીય ત્રણ તબક્કાની રણનીતિ નક્કી કરી હતી.જેમાં, પહેલો તબક્કો તા.10 મે સુધી રાખ્યો હતો અને તેમાં 53 દિવસમાં કોરોના પોઝિટિવના 580 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. જયારે, તા.11 મેથી કોરોનાના સંક્રમણ સામેની લડતનો બીજો તબક્કો શરૂ થઇ ચૂકયો છે.

8.6 ટકા સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
પ્રથમ તબક્કામાં વ્યૂહાત્મક ઝોનીંગ, સ્ક્રીનિંગ,પરીક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેે લક્ષમાં રાખી કોવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ સેન્ટર તેમજ ડેડિકેટેડ હોસ્પિટલની તૈયારી કરવામાં આવી હતી.પ્રથમ તબક્કામાં લેવાયેલા સેમ્પલ પૈકી 8.6 ટકા સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, શહેરના દોઢ લાખ નાગરિકોમાં એચસીકયુ ટેબ્લેટ અને હોમિયોપેથિ દવા-ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય, તમામ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનરને કોવિડ કન્સલન્ટન્ટ તરીકે સૂચિત કર્યા છે અને શિક્ષકો-સ્વંયસેવકોની કોવિડ આર્મી બનાવીને તેમને તાલિમબધ્ધ કરવામાં આવ્યા છે.

હોમ આઇસોલેશનમાં અથવા રૂમ આઇસોલેશનમાં રાખવાની સલાહ
તેમણે જણાવ્યું હતું કે, હવે હાઇરિસ્ક ઝોન કરતાં હાઇ રિસ્ક વ્યકિત મહત્વની સાબિત થશે કેમ કે લોકડાઉનની સંભવિત છુટછાટમાં હવે રેડ-ઓરેન્જ ઝોન રિલેવન્ટ નહીં રહે. આ સ્થિતિને પહોંચી વળવા માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે અને જુલાઇ સુધીમાં પાંચ લાખ લોકોને તેની અસરની શકયતા છે. જેમને હોમ આઇસોલેશનમાં અથવા રૂમ આઇસોલેશનમાં રાખવાની સલાહ અપાશે.

નવા વિસ્તારો વધશે અને કેસો વધવાની પ્રબળ શક્યતા
કોરોના સંક્રમિતોની સંખ્યા લોકડાઉનની સંભવિત છુટછાટો વચ્ચે નવા કેસોની સંખ્યામાં વધારો થાય તેવી શકયતા જોવામાં આવી રહી છે. 25 માર્ચ સુધીમાં કોરોના પોઝિટિવના કેસોની ટકાવારી 10.5 ટકા રહી હતી તો 12 એપ્રિલ સુધીમાં 10.6 ટકા, 10 મે સુધીમાં 8.6 ની ટકાવારીની રહી છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona looms over 5 lakh people by July 31


from Divya Bhaskar https://ift.tt/2LgVw6l

શિરડી સાંઈ સંસ્થાનને દાનની આવકમાં 1.75 કરોડનો ઘટાડો, સરેરાશ રૂ. 4 લાખનું જ દાન

લોકડાઉનને કારણે સાઈ સંસ્થાનને ઓનલાઈન થકી રોજ સરેરાશ રૂ. 4 લાખનું દાન મળી રહ્યું છે. સામાન્ય રીતે સંસ્થાનને રોજ મળતા દાનની તુલનામાં રૂ. 1.45 કરોડનો ઘટાડો થયો છે, એવી માહિતી સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ડોંગરેએ આપી હતી.

714 દર્દીઓને રૂ. 17 કરોડની મદદ મોકલવામાં આવી
દેશનાં શ્રીમંત દેવસ્થાનમાંથી એક એવી ખ્યાતિ ધરાવતા સાઈ સંસ્થાન પણ કોરોનાને લીધે આર્થિક સંકટમાં આવી ગઈ છે. તેની વાર્ષિક આવત રૂ. 680 કરોડ છે, જ્યારે ખર્ચ રૂ. 600 કરોડ છે. સંસ્થાન પાસે કાયમી અને કોન્ટ્રાક્ટના મળીને લગભગ 6000 કર્મચારી છે. તેમનો વાર્ષિક પગાર અને બોનસ પેટે રૂ. 187 કરોડ, જ્યારે દિવસમાં રૂ. 50 લાખનો ખર્ચ થાય છે. ઉપરાંત વિવિધ ગંભીર બીમારી માટે ગયા વર્ષે 714 દર્દીઓને રૂ. 17 કરોડની મદદ મોકલવામાં આવી છે.

દર્શન- આરતી પાસમાંથી રૂ. 8.50 કરોડ મળતા હતા
સંસ્થાનના શૈક્ષણિક સંકુલમાં 5000 વિદ્યાર્થી છે, જ્યાં વિદ્યાર્થિનીઓને મફત શિક્ષણ અપાય છે. સંસ્થા શિક્ષણ પર રૂ. 14 કરોડનો ખર્ચ કરે છે. જોકે આ ઉપક્રમમાંથી ફક્ત રૂ. 2.50 કરોડ જમા થાય છે. ઉપરાંત લાઈનમાં ભાવિકોને ચા, બિસ્કિટ મફત આપવામાં આવે છે. મહિનાનું વીજ બિલ રૂ. 1 કરોડથી વધુ હોય છે. સ્વચ્છતા પર પણ મોટો ખર્ચ કરવામાં આવે છે. નગર પંચાયતને પણ સ્વચ્છતા અને અન્ય વિકાસકામોમાં મદદ કરવામાં આવે છે.ગયા વર્ષે 17 માર્ચથી 31 મે, 2019 દરમિયાન દાન થકી રૂ. 51.31 કરોડની રોકડ રકમ, રૂ. 1.50 કરોડનું સોનું- ચાંદી, દર્શન- આરતી પાસમાંથી રૂ. 8.50 કરોડ મળતા હતા. આ વખતે ફક્ત રૂ. 3-3.50 કરોજડ મળવાની શક્યતા મુખ્ય ઓડિટર બાબાસાહેબ ઘોરપડેએ વ્યક્ત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શિરડી સાંઈબાબાનો ફાઈલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/2xSvrar

Virat Kohli is Federer of cricket: AB de Villiers

Having shared the RCB dressing room with Virat Kohli for the last nine years, AB de Villiers has closely observed Indian skipper's rise to the top of the cricket world. The 36-year-old South African feels that Kohli is a natural striker of the ball, comparing his style with Roger Federer. De Villiers also said that Kohli is better than Tendulkar in chasing targets.

from Times of India https://ift.tt/3fHrzKH

Why did terrorists kill my father: Kashmiri Pandit poet's son recalls night clock stopped ticking for him

Kashmiri Pandit poet's son recalls night terrorists killed his father

from India Today | Top Stories https://ift.tt/3fHfOnx

Nepal lodges protest over India's Lipulekh decision

Nepal lodges protest over India's Lipulekh decision

from India Today | Top Stories https://ift.tt/2yMUQTt

Maharashtra BJP announces Rs 10 lakh help to 26/11 witness for his rehabilitation

Maharashtra BJP announces Rs 10 lakh help to 26/11 witness for his rehabilitation

from India Today | Top Stories https://ift.tt/3crW2dI

વીડિયો કોન્ફરન્સ કરતા પહેલા કૉલ રેટ અને શરતો વાંચી લો: TRAI

ટ્રાઈએ વીડિયો કૉલ્સ થકી ઓનલાઈન કોન્ફરન્સિંગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવાની અપીલ કરી છે. ટ્રાઈએ સોમવારે એડવાઇઝરી જારી કરીને કહ્યું કે, ગ્રાહકોએ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સમાં જોડાતા પહેલા કૉલ રેટની ધ્યાનથી ચકાસણી કરી લેવી જોઈએ.
કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની ફરિયાદ
ટ્રાઈની એડવાઈઝરી એ ફરિયાદો પછી આવી છે, જેમાં કેટલાક ગ્રાહકોએ કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની ફરિયાદ કરી હતી. કેટલાકે તો આંતરરાષ્ટ્રીય ફોન નંબર કે પ્રીમિયમ નંબર ડાયલ પર પણ આ સેવા લીધી હતી. એટલે ટ્રાઈએ વીડિયો કોન્ફરન્સ પહેલા ફોન નંબરો પણ તપાસી લેવાની સલાહ આપી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3dCguIM

કોવિડ-19એ ભવિષ્યવેત્તાઓની મુશ્કેલી વધારી, હવે લોકો પૂછે છે કે, શું તમને આ બેરોજગારીનો અંદાજ ન હતો?

વર્ષ 2020ની શરૂઆતમાં ભવિષ્યવેત્તાઓ આવનારા સમયની સંભાવનાઓના કંઈક વધારે પડતા વખાણ કરી રહ્યા હતા. પરંતુ કોરોના વાઈરસના પ્રકોપે આખી દુનિયા બદલી નાંખી. કોઈએ પણ કોરોના સંક્રમણના કારણે બધું ઠપ થઈ જશે એવો કે બેકારીના દિવસોનો ઉલ્લેખ સુદ્ધા કર્યો ન હતો.
વાસ્તવિકતા ભવિષ્યવાણીથી બિલકુલ વિપરિત
સીબીએસ ન્યૂઝ પર એસ્ટ્રોલોજર સુજૈન મિલરે કહ્યું હતું કે, વર્ષ 2020 મકર રાશિવાળા માટે ઉત્તમ હશે, કર્ક રાશિના લોકો સરળતાથી લગ્ન કરી શકશે, તુલા રાશિવાળા જમીન-સંપત્તિના મામલામાં નસીબદાર સાબિત થશે, જ્યારે વૃષભ રાષિના લોકો આખું વર્ષ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં વ્યસ્ત રહેશે, પરંતુ માર્ચ આવતા આવતા તેમના ગ્રાહકોનો આક્રોશ ફાટી નીકળ્યો કારણ કે, વાસ્તવિકતા ભવિષ્યવાણીથી બિલકુલ વિપરિત હતી. એસ્ટ્રોલોજર ચાની નિકોલસના કહે છે કે, હું જાણતી હતી કે 2020 ખૂબ મુશ્કેલીભર્યું વર્ષ સાબિત થશે. પરંતુ એ અનુમાન મેં ગ્રહો પરથી નહીં, પરંતુ અમેરિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યું હતું.
મિથુન રાશિનો દેશ ઈટાલી ફેફસા સાથે ઊંડો સંબંધ ધરાવે છે
બીજી તરફ, ભવિષ્યવેત્તાઓના ફોલોઅર્સ પૂછવા લાગ્યા કે, તમે કોવિડ-19 અને બેકારીનું અનુમાન કેમ ના કરી શક્યા, તો કેટલાકે માર્ચમાં કોરોના મુદ્દે રિપોર્ટ જારી કરીને આરોપ પ્લુટો ગ્રહ પર લગાવી દીધો, જે જ્યોતિષમાં મોટા નાણાકીય, વધુ વસતી અને વાઈરસ સંક્રમણ સાથે સીધો સંબંધ ધરાવે છે. આ રિપોર્ટ પ્રમાણે, મિથુન રાશિનો દેશ ઈટાલી ફેફસા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. એટલે કોરોના સંક્રમણનો ઈટાલી પર ખૂબ પ્રભાવ પડ્યો. અમેરિકા કર્ક રાશિનો દેશ છે એટલે મે મહિનામાં તેના પર વાઈરસની અસર ખૂબ હશે. ગરમીમાં વાઈરસ નબળો પડશે, પરંતુ ઠંડીની શરૂઆતમાં તે વધશે અને ડિસેમ્બર સુધી તેનો પ્રભાવ જોવા મળશે.
કોવિડનો ઉલ્લેખ કોઈ ભવિષ્યવાણીમાં ન હતો
બીજી તરફ, ભવિષ્યવેત્તાઓના વિરોધીઓ કહે છે કે, ભવિષ્યવાણી એવી રીતે લખાય છે, જેથી દરેક વ્યક્તિને તેને લાયક કંઈકને કંઈક મળે. પરંતુ કોવિડનો ઉલ્લેખ કોઈ ભવિષ્યવાણીમાં ન હતો. આવું થવાનું કારણ એ છે કે, તેઓ ભૂતકાળ અને વર્તમાન બંને ધ્યાનમાં રાખીને ભવિષ્યવાણી કરે છે, પરંતુ હકીકતમાં ભવિષ્યમાં શું થશે, તે તેમને ખબર જ નથી હોતી.
હવે ગ્રાહકો સવાલ કરે છે કે, કોરોના ક્યારે ખતમ થશે?
માર્કેટ ટ્રેન્ડ વિશ્લેષક લૂસી ગ્રીનના કહેવા પ્રમાણે, અમારી વેબસાઈટ પર ટ્રાફિક 22% વધ્યો છે, પરંતુ ગ્રાહકોના પ્રશ્નો બદલાઈ ગયા છે. તેઓ પૂછે છે કે, કોરોના વાઈરસ ક્યારે ખતમ થશે? સ્થિતિ સામાન્ય ક્યારે થશે? જ્યારે મીડિયા વિશ્લેષક કોમસ્કોરે કેટલીક ચુનંદી એસ્ટ્રોલોજી વેબસાઈટના અભ્યાસ બાદ કહ્યું કે, આ વેબસાઈટ્સ પર ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં ટ્રાફિક વધી ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Covid-19 increased the difficulty of the prophets, now people are asking, did you not have an estimate of this unemployment?


from Divya Bhaskar https://ift.tt/2ST0g63

વૃદ્ધે સિવિલના દરવાજે દમ તોડ્યો, પુત્ર પગે પડ્યો છતાં શબવાહિની ના મળી, ટેમ્પોમાં મૃતદેહ લઈ જવો પડ્યો

દર્દી સિવિલમાં પહોંચે તે પહેલા દરવાજે જ દમ તોડ્યો હતો. લગભગ એક કલાક હોસ્પિટલ સ્ટાફને હાથ-પગ જોડ્યા તેમ છતાં સબવાહિની આપવામાં આવી નહોતી. રસ્તે ચાલતી રિક્ષાઓ બોલાવી પણ કોઈ આવવા તૈયાર ન થયું ત્યારે દીકરાએ છેવટે પિતાના મૃતદેહને માલસામાનના ટેમ્પોમાં ઘરે લઈ જવો પડ્યો હતો.
108માં ફોન કરી એમ્બુલન્સ નોંધાવી પણ ન આવી
ચમનપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય નરેન્દ્રસિંહ ચૌહાણને સોમવારે સવારે હૃદયમાં દુખાવા સાથે ડાબો હાથ કામ કરતો બંધ થયો હતો. તેમના દીકરાએ સવારે 10 કલાકે 108માં ફોન કરી એમ્બુલન્સ નોંધાવી. જોકે એમ્બુલન્સ 11 વાગ્યા સુધી આવી નહોતી. તબિયત વધારે લથડતા દીકરો પિતાને રિક્ષામાં સિવિલ લઈ આવ્યો હતો, પણ પિતાએ સિવિલના દરવાજા પાસે જ શ્વાસ છોડી દીધો. સિવિલના ડૉક્ટરે દર્દીને તપાસી સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના દીકરા વિવેક ચૌહાણે કહ્યું કે, સિવિલથી મારું ઘર નજીક હોવા છતાં 108ની મદદ મળી શકી નહોતી. 108એ પહેલેથી અમને કહ્યું હોત કે, તેઓ સમયસર નહીં પહોંચી શકે તો અમે રાહ જોયા વગર અમારી રીતે સિવિલ પહોંચ્યા હોત. સિવિલના દરવાજે તેમના શ્વાસ બંધ થયા હતા અને શરીર ઠંડું પડી ગયું હતું.
રિક્ષાવાળાઓએ પણ મૃતદેહ લઈ જવા ઇનકાર કરી દીધો
પિતાના મૃતદેહને ઘરે લઈ જવા હોસ્પિટલ પાસે શબવાહિની માટે હાથપગ જોડ્યા હતા. એક કલાક સુધી કોઈએ અમારી વાત સાંભળી નહોતી. રિક્ષાવાળાઓએ પણ મૃતદેહ લઈ જવા ઇનકાર કરી દીધો હતો. છેવટે પિતાના મૃતદેહને ઘરે લઈ જવા ટેમ્પો મગાવ્યો હતો અને ઘરે પહોંચ્યા હતા.
મારી ગણતરી ખોટી પડી:મૃતકનો પુત્ર
મારા મમ્મી-પંપા બંને ઉંમર લાયક છે માટે મને હંમેશાથી લાગતું હતું કે, સિવિલ હોસ્પિટલ ઘરની એટલી નજીક છે કે, અડધી રાત્રે પણ કોઈ ઈમરજન્સી સર્જાશે ત્યારે મને સારવાર મળી શકશે. આ માટે હું મારૂ ઘર છોડીને બહાર રહેવા નહોતો ગયો, પરંતુ મારી તે ગણતરી ખોટી પડી ગઈ. મારી આંખો સામે પિતાએ સિવિલના દરવાજા પાસે છેલ્લા શ્વાસ લીધા હતા અને હું કંઈ ન કરી શક્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટેમ્પોમાં મૃતદેહ લઈ જતો પુત્ર.


from Divya Bhaskar https://ift.tt/2YWJPcS

પ્રથમ નર્સ ફ્લોરેન્સના માનમાં આ દિવસ મનાવાય છે, આજે તેમની 200મી જન્મજયંતી પર વાંચો ખાસ કિસ્સા

ફ્લોરેન્સ નાઇટિંગલ- નર્સિંગને આધુનિક રૂપ આપ્યું, ચેપી રોગોનો ડેટા એકઠો કરવો તેમની પહેલ
આધુનિક નર્સિંગના ફાઉન્ડર ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ ઇટાલીના ફ્લોરેન્સમાં થયો. તેઓ ગણિત અને ડેટામાં જીનિયસ હતા. આ ખાસિયતનો ઉપયોગ તેમણે હોસ્પિટલોની સ્થિતિ અને લોકોનું આરોગ્ય સુધારવા માટે કર્યો. તેમણે જ્યારે પહેલી વાર નર્સિંગમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેમના માતા-પિતા તૈયાર ન થયા. પછી તેમની જીદ આગળ ઝૂક્યા અને ટ્રેનિંગ માટે જર્મની મોકલ્યા. 1853માં ક્રીમિયા યુદ્ધ દરમિયાન તેમને તુર્કીની સૈન્ય હોસ્પિટલમાં મોકલાયા. આ પહેલી વાર બ્રિટને મહિલાઓને સૈન્યમાં સામેલ કરી હતી. તેઓ બરાક હોસ્પિટલ પહોંચ્યા તો જોયું કે ફ્લોર પર સખત ગંદકી હતી. તેમણે સૌથી પહેલું કામ આખી હોસ્પિટલ સાફ કરવાનું કર્યું. સૈનિકો માટે સારા ભોજન અને ચોખ્ખા કપડાંની વ્યવસ્થા કરી. પહેલી વાર સૈનિકો તરફ આટલું ધ્યાન અપાયું. તેમની માગ પર બનેલી સમિતિએ નોંધ્યું કે તુર્કીમાં 18 હજાર પૈકી 16 હજાર સૈનિકના મોત ગંદકી અને ચેપી રોગોથી થયા હતા. ફ્લોરેન્સના પ્રયાસો થકી જ બ્રિટિશ સૈન્યમાં મેડિકલ, સેનિટરી સાયન્સ અને સ્ટેટિસ્ટિકલ વિભાગ બન્યા. હોસ્પિટલોમાં સાફસફાઇનું ચલણ તેમની જ દેન છે. આ હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં તેઓ હાથમાં મશાલ પકડીને દર્દીઓની સેવા કરતા હતા. તેથી ‘લૅડી વીથ ધ લેમ્પ’ નામથી મશહૂર થયા. આજે પણ તેમના માનમાં નર્સિંગની પ્રતિજ્ઞા હાથમાં લેમ્પ રાખીને લેવાય છે. આને નાઇટિંગલ પ્લેજ કહે છે. 1860માં બ્રિટનમાં તેમના નામથી નર્સિંગ સ્કૂલની સ્થાપના થઇ.
અંજલિ કુલાથે: કસાબનો સામનો કરનાર નર્સ હવે કોરોના વૉરિયર
26/11ના હુમલા વખતે આતંકી કસાબનો સામનો કરનાર અંજલિ કુલાથે કામા હોસ્પિટલમાં ક્વોરન્ટીનસ્ટાફનું ધ્યાન રાખી રહ્યા છે. તેઓ કહે છે કે હાલ 12 નર્સ ક્વોરન્ટીન છે. તેમના ખાવા-પીવાથી માંડીને સ્વેબ ટેસ્ટ કરાવવાનું ધ્યાન રાખવાનું હોય છે. તેઓ નિરાશ ન થાય તે માટે તેમને પોઝિટિવ રાખવા મોટિવેશનલ કિસ્સા સંભળાવું છું. તેઓ મારી પાસેથી મુંબઇ હુમલા વખતના કિસ્સા પણ સાંભળે છે. તે વખતે અંજલિએ 20 સગર્ભાને બચાવી હતી. તે દિવસને યાદ કરતા તેઓ કહે છે કે, અચાનક ગોળીઓ ચાલવા લાગી. મેં બહાર નજર કરી તો જોયું કે જે. જે. સ્કૂલ આૅફ આર્ટવાળા રોડ પર બે આતંકી ફાયરિંગ કરતા કરતા દોડી રહ્યા હતા. મેં વોર્ડના બધા દર્દીઓને ભેગા કરવાનું શરૂ કર્યું. એક મહિલા બાથરૂમમાં હતી. તેને લેવા દોડી. આ દરમિયાન આતંકીઓ હોસ્પિટલમાં ઘૂસી આવ્યા. બે ગોળી મારી નજીકથી પસાર થઇ, જેમાંથી એક સર્વન્ટને વાગી. હું તે મહિલાને લઇને વોર્ડ તરફ ભાગી. મેં બધાને એક પેન્ટ્રીમાં છુપાવી દીધા. બાદમાં પોલીસે કસાબની ઓળખ કરવા મને બોલાવી. મેં પહેલી વાર તેને ઓળખ્યો ત્યારે તે હસવા લાગ્યો અને બોલ્યો- હા મેડમ, હું અજમલ કસાબ છું. તેઓ કહે છે કે હોસ્પિટલમાં આવ્યા બાદ ઘર કે પરિવાર નહીં પણ દર્દી જ સર્વસ્વ છે.
માર્ગેટ થેપલી: 84ની વયે પણ કોરોનાના દર્દીઓને જોવાનું સાહસ
આ કહાની 84 વર્ષનાં નર્સ માર્ગેટ થેપલીની છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારાં તેઓ વિશ્વના સૌથી વયોવૃદ્ધ નર્સ છે. બ્રિટનની વિટની કોમ્યુનિટી હોસ્પિટલમાં માર્ગેટ નાઇટ શિફ્ટમાં સતત કામ કરતાં રહ્યાં અને કોરોના દર્દીઓના સંપર્કમાં આવવાથી સંક્રમિત થઇ ગયાં. તેમને સોશિયલ મીડિયા પર સૌથી વધુ મહેનતુ, કેરિંગ અને પરિપૂર્ણ મહિલા તરીકે યાદ કરાઇ રહ્યાં છે. કોરોના વૃદ્ધો માટે સૌથી ઘાતક પૂરવાર થઇ રહ્યું છે. માર્ગેટ પાસે પણ વિકલ્પ હતો કે તેઓ પોતાની ફરજથી મુક્ત થઇ શક્યાં હોત. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો. ડોક્ટર અને સાથી કહે છે કે તેઓ વોર્ડમાં સૌથી લોકપ્રિય હતાં. હોસ્પિટલ ચીફ એક્ઝિક્યૂટિવ સ્ટૂઅર્ટ વેલ કહે છે કે હું મારા કરિયરમાં જેટલી મહિલાઓને મળ્યો છું, માર્ગેટ તેમાં સૌથી વધુ પ્રભાવશાળી હતાં. મેં મારા જીવનમાં તેમનાથી વધુ સશક્ત મહિલા જોઇ નહીં. તેઓ આ વયમાં પણ નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યાં હતાં. તેઓ સમર્પણનું ઉદાહરણ હતાં અને હોસ્પિટલના લોકોને પરિવારનો હિસ્સો માનતાં હતાં. માર્ગેટના પૌત્ર ટોમ વુડ કહે છે કે મને મારી દાદી પર ગર્વ છે. તેમને જોઇને જ હું પણ નર્સ બન્યો. તેમણે તો બહુ પહેલાં રિટાયર થઇ જવાનું હતું. પરંતુ તેમણે પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું હતું.
ડોક્ટરની નજરમાં: નર્સ બહુ વધારે દુ:ખ સહન કરે છે, દર્દીથી પણ વધુ
થોડા દિવસ પહેલાં ડાઉન સિંડ્રોમ અને કોરોનાથી પીડિત પોતાના દર્દીને જોવા આઇસીયુમાં ગઇ હતી. મેં જોયું કે બારીમાં બહુ સુંદર ડોલ મૂકેલી છે. જાણવા મળ્યું કે દર્દીનું મન રાખવા માટે આ ડોલ નર્સ લાવી હતી. હું અહીં 600 બેડની બ્રુક યુનિવર્સિટી હોસ્પિટલમાં એનેસ્થિયાલોજિસ્ટ છું. આ લોન્ગ આઇલેન્ડની સૌથી મોટી હોસ્પિટલ છે. તેને હવે કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવાઇ છે. મારું કામ આઇસીયુમાં દર્દીઓને બ્રિથિંગ ટ્યૂબ લગાવવાનું અને વેન્ટિલેટર પર નાંખવાનું છે.મારી સાથે નર્સિંગ સ્ટાફ પણ હોય છે. દર્દી અંગે બેઝિક માહિતી નર્સથી જ મળે છે. ડોક્ટર તો આઇસીયુ કે વોર્ડમાં આવતા જતાં રહે છે. તેઓ મગજથી દર્દીની સારવાર કરે છે. પરંતુ અસલી હીરો નર્સ હોય છે. આઇસીયુ હોય કે ફ્લોર ચારે બાજું પીપીઇ કિટ અને માસ્ક લગાવેલ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દેખાય છે. નર્સો સૈનિકોની જેમ દિવસ રાત કામ કરી રહી છે. મોટા-મોટા હોલમાં વેન્ટિલેટર જ વેન્ટિલેટર, ચારે બાજુ બ્રિથિંગ ટ્યૂબ, બીપ-બીપના અવાજો, દર્દીઓના ઉખડતા શ્વાસ, ઇન્ફેક્શનનું જોખમ. દર્દી ક્યારેક ગુસ્સે થાય છે. તો ક્યારેક રડતા હોય છે. કોઇના શરીરે સોજો તો કોઇની કિડની ફેલ થઇ ગઇ છે. નર્સ તેમની બેડશીટ બદલી રહી છે, સફાઇ કરી રહી છે, તેમને ભોજન આપી રહી છે. તેમની વાત પરિવારજનો સાથે કરાવી રહી છે. દર્દીઓ માટે અહીંથી તહીં ભાગી રહી છે. ક્યારેક કોઇ દર્દીને ડ્રિપ લગાવવી છે, દવા આપવી છે, ઇન્જેક્શન આપવાનું છે, દર્દીઓને જોવા ભાગી રહી છે.-ન્યૂયોર્કથી ડૉ. તાઝીન બેગ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફ્લોરેન્સ નાઇટિંગલની ફાઇલ તસવીર તથા કસાબનો સામનો કરનાર નર્સ અંજલિ કુલાથે.


from Divya Bhaskar https://ift.tt/3fLurpZ

મેડલ જીતવો સૌથી મોટી ઉપલબ્ધિ નહીં, પેરા સ્પોર્ટ્સ માટે જાગૃતિ લાવી શકીએ સૌથી મોટી સફળતા: દીપા

દિગ્ગજ પેરા એથ્લિટ-પેરાલિમ્પિક મેડલિસ્ટ દીપા મલિકે નિવૃત્તિની જાહેરાત કરી છે. 49 વર્ષીય દીપા હવે પીસીઆઈ અધ્યક્ષ તરીકે યુવા ખેલાડીઓ માટે કામ કરવા માગે છે. દીપાને ભારતના પેરા સ્પોર્ટ્સ માટે એક મોટો ચેહરો માનવામાં આવે છે અને તે હવે પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (પીસીઆઈ)ની અધ્યક્ષ તરીકે કામ કરવા તૈયાર છે. તેમણે આ પણ સંકેત આપ્યો છે કે જો તેમને શરીર સાથ આપશે તો તેઓ 2022માં એશિયન ગેમ્સમાં કમબેક કરી શકે છે. તેમના ઈન્ટરવ્યૂના મુખ્ય અંશ....
સવાલ: નિવૃત્તિનો નિર્ણય ચોંકાવનારો છે, કોઈએ આ અંગે વિચાર્યું પણ નહીં હોય?
દીપા મલિક:
મને નથી સમજાતું કે આ નિર્ણયથી લોકો શા માટે ચોંકી રહ્યાં છે. કારણ કે આ નિર્ણય તો સપ્ટેમ્બરમાં જ લઈ લેવાનો હતો. પેરાલિમ્પિક કમિટીની અધ્યક્ષ બન્યા બાદ તો નિવૃત્તિ લેવાની જ હતી.
સવાલ: હવે અધ્યક્ષ તરીકે તમારી આગળની યોજનાઓ શું છે?
દીપા મલિક: અમારું પ્રથમ કામ આ જ છે કે અમે રમત મંત્રાલયથી માન્યતા મેળવીએ. આ મોટું કામ છે. કોઈ એક્ટિવ ખેલાડી અધિકારી તરીકે પદ પર ના રહી શકે. મે પોતાના દેશ માટે અત્યારસુધી મેડલ જીતી સેવા કરી છે. એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ, પેરાલિમ્પિકમાં દેશને માન અપાવ્યું. હવે મારો વારો છે કે હું અલગ રીતે દેશની સેવા કરું. બીજા ખેલાડીઓને મેડલ જીતવાની તક આપું.
સવાલ: શું પેરા સ્પોર્ટ્સને આગળ લઈ જવા દીપાએ પોતાના વ્હીલ્સ રોક્યા છે?
દીપા મલિક:
આ કોઈ પ્રકારનો ત્યાગ નથી. હું 50 વર્ષની થઈ ગઈ છું. મમને લાગે છે કે પેરા સ્પોર્ટ્સને આગળ લઈ જવા મારો અનુભવ કામ આવશે. હું હવે પોતાની ડ્યૂટી પર ધ્યાન આપી રહી છું. બધુ બરાબર રહે અને શરીર સાથ આપે તો હું 2022 એશિયન ગેમ્સમાં કમબેક કરી શકું છું.
સવાલ: તમે પોતાના કરિયરને કઈ રીતે જુઓ છો?
દીપા મલિક:
મે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે આ રમતમાં યોગદાન આપ્યું. જે ટાર્ગેટ વિચાર્યું તેને મહેનત સાથે પૂર્ણ કર્યું. કોઈ ફેનને, કોઈ સ્પોન્સરને નિરાશ નથી કર્યા. જે મેડલની દેશ રાહ જોઈ રહ્યું હતું, તે મહિલા પેરાલિમ્પિક મેડલ પણ દેશ માટે જીત્યો. મે વિમેન ડિસેબિલિટિ અંગેની વિચારધારા બદલી. સાબિત કર્યું કે તેની સાથે પણ જીવી શકાય છે. કરિયરમાં મે પેરા સ્પોર્ટ્સને ઘણું આપ્યું અને સામે છેડે મને પણ ઘણું મળતું રહ્યું છે. આ યાત્રા આગળ વધતી જ રહેશે, માત્ર ભૂમિકા બદલાશે માર્ગ નહીં.
સવાલ: તમે કરિયરની કઈ સફળતાને સૌથી મોટી ઉપલબ્ધિ માનો છો?
દીપા મલિક:
સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ મેડલ નથી, કારણ કે દરેક મેડલ સ્પેશિયલ હોય છે. સૌથી મોટી સફળતા એ છે કે હું પેરા સ્પોર્ટ્સ માટે સંપૂર્ણ દેશમાં જાગૃકતા લાવી શકી. આ જાણીને સારું લાગે છે કે લોકો દીપા મલિકના નામને યાદ કરે છે ત્યારે પેરા સ્પોર્ટ્સને પણ યાદ કરવામાં આવે છે. આ ગર્વની વાત છે. મને આનંદ છે કે ડિસેબિલિટીને ઓળખ અપાવી શકી. મારી ઈચ્છા છે કે ઘણી યુવા દીપા મલિક દેશ માટે મેડલ્સ જીતે.
સવાલ: કરિયરમાં પરિવારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, શું કહેશો?
દીપા મલિક: જે મેડલનું સ્વપ્ન તમારું હોય છે એ આખી ટીમનું હોય છે. કોચ, જીમ ટ્રેનર, ન્યૂટ્રીશિયનિસ્ટ, સપોર્ટ સ્ટાફ તમામ પરિવારનો ભાગ હોય છે, જેમણે મારી સાથે આકરી મહેનત કરી છે. માતા-પિતા, પતિ, બાળકોએ મારા ડ્રીમમાં મને સાથ આપ્યો. મારા ફેન્સ જેમણે મારી માટે પ્રાર્થનાઓ કરી. તમામ મારા પરિવારનો ભાગ છે અને તેમનો આ સંપૂર્ણ કરિયરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
સૌથી મુશ્કેલ કાર રેલીમાં પણ ભાગ લઈ ચૂકી છે દીપા

  • પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. 2016 ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો.
  • ખેલ રત્ન એવોર્ડ (2019) મેળવનાર પ્રથમ મહિલા પેરા એથ્લિટ.
  • જેવલિનની એફ-53 કેટેગરીમાં વિશ્વની નંબર-1 મહિલા.
  • 2012માં અર્જુન એવોર્ડ, 2017માં પદ્મશ્રી સન્માનિત થઈ.
  • મોટર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા તરફથી ઓફિશિયલ રેલી લાઈસન્સ મેળવનારી દેશની પ્રથમ દિવ્યાંગ હતી.
  • દેશની સૌથી મુશ્કેર કાર રેલી રેડ ડિ હિમાલયા અને ડેઝર્ટ સ્ટ્રોર્મમાં ભાગ લઈ ચૂકી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મધર્સ-ડે પર દીકરીઓ સાથે દીપા.


from Divya Bhaskar https://ift.tt/2YWD4I2

વિશ્વમાં પર્યટકો 80% સુધી ઘટવાની આશંકા, 12 કરોડ લોકોની નોકરી જઇ શકે છે

એક સમય હતો કે જ્યારે દરેક દેશ સહેલાણીઓને પોતાને ત્યાં આકર્ષતો હતો અને તેનાથી થતી કમાણી દ્વારા પોતાનું નસીબ ચમકાવતો હતો પણ કોરોનાએ એકાએક પર્યટકોને અનિચ્છનીય મહેમાન બનાવી દીધા છે.
1.2 લાખ કરોડ ડોલરની રેવન્યૂ ખોટ થઇ શકે
સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનના તાજેતરના રિપોર્ટ મુજબ દુનિયાભરના પર્યટન ઉદ્યોગને અસર થઇ છે, જેના કારણે આ વર્ષે પર્યટકોની સંખ્યા 60થી 80% ઘટવાની આશંકા છે. યુએનના એક અંદાજ મુજબ પર્યટકોની સંખ્યામાં 85 કરોડથી 1.1 અબજનો ઘટાડો થઇ શકે છે, જેના કારણે 910 અબજથી માંડીને 1.2 લાખ કરોડ ડોલરની રેવન્યૂ ખોટ થઇ શકે છે. ભયાવહ બાબત એ છે કે આ સેક્ટરમાં 12 કરોડ લોકોની નોકરી જઇ શકે છે.
50 દેશ એવા છે કે જેમના જીડીપીનો 10થી 20% હિસ્સો ટૂરિઝમ દ્વારા આવે છે
વર્લ્ડ ડેટા એટલસ મુજબ વિશ્વના 5 દેશનો 50થી 72% જીડીપી ટ્રાવેલ અને ટૂરિઝમ દ્વારા જ આવે છે, જેમાં મકાઉ (72%), સેશેલ્સ (67%), માલદીવ (66%), સેન્ટ કીટ્સ (62%) અને ગ્રેનેડા (56%) સામેલ છે. આ દેશોનું અર્થતંત્ર તબાહીના આરે છે. 50 દેશ એવા છે કે જેમના જીડીપીનો 10થી 20% હિસ્સો ટૂરિઝમ દ્વારા આવે છે અને આ દેશો કોરોના હોટસ્પોટ છે. ચીન, ઇટાલી, સ્પેન અને બ્રિટન જેવા દેશો આ શ્રેણીમાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3cpo0GL

ચીનના વુહાનમાં કોરોનાના 6 નવા કેસ, સ્થાનિક અધિકારી બરતરફ

ચીનમાં સંક્રમણનું કેન્દ્ર રહેલા વુહાન શહેરમાં 35 દિવસ બાદ 6 નવા કેસ મળ્યા છે. ત્યાર બાદ એક સ્થાનિક અધિકારીને ખરાબ મેનેજમેન્ટ માટે બરતરફ કરી દેવાયા.
આ સ્થાનમાં પહેલાં સંક્રમણના 20 કેસ સામે આવ્યા હતા
સૂત્રો મુજબ શાસક ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ચાંક્વિંગ સ્ટ્રીટ કાર્યસમિતિના સચિવ ઝાંગ યુઝિનને વુહાન સનમિન આવાસ સમુદાયમાં સંક્રમણના કેસ સામે આવ્યા બાદ હોદ્દા પરથી હટાવી દેવાયા છે. ઝાંગને અવાસ પરિસરનું યોગ્ય રીતે મેનેજમેન્ટ નહીં કરવાને કારણે હોદ્દા પરથી હટાવી દેવાયા છે. આ સ્થાનમાં પહેલાં સંક્રમણના 20 કેસ સામે આવ્યા હતા. ચીનમાં સંક્રમણના 17 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 7 વિદેશથી આવેલા છે. તેની સાથે દેશમાં સંક્રમણના કેસ વધીને 82,918 થઇ ગયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
6 new cases of corona in Wuhan, China, local official fired


from Divya Bhaskar https://ift.tt/2YVdqne

અમદાવાદનાં સ્મશાનો, કબ્રસ્તાનોમાં થતી અંતિમવિધિની સંખ્યામાં અઢીથી ચાર ગણાનો ચોંકાવનારો ઉછાળો

અમદાવાદના વિવિધ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં અંતિમવિધિ અને દફનવિધિની સંખ્યામાં અઢીથી ચાર ગણો વધારો થયો છે. જે મૃતકોની અંતિમક્રિયા કરવામાં આવી છે તેમાંના સંખ્યાબંધના મોત કોરોનાથી થયાની આશંકા છે, જે સરકારી ચોપડે નોંધાયા નથી. મૃત્યુઆંક પર ઢાંકપીછોડો કરવા માટે મધ્ય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઑફિસરે કોઈ પણ પોલીસ સ્ટાફ કે અન્ય સંસ્થાઓને મરણની માહિતી નહીં આપવા તથા જો કોઈ માગે તો તેમને હેલ્થ કચેરીએ મોકલવાનો આદેશ નોંધણીદારોને આપ્યો છે. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે, ‘લોકોને એમ છે કે જો સિવિલ હોસ્પિટલમાં જઈશું તો પાછા નહીં આવીએ.’
ગંજ શહિદ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટી ઝફર અજમેરીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ વિસ્તારોમાં મોટાભાગની ક્લિનિક બંધ છે, જેથી બીપી, ડાયાબિટીસ, શ્વાસનાં, તાવનાં દર્દીઓ ઘરમાં જ રહે છે. લોકોમાં ડર પેસી ગયો છે કે જો ડોક્ટરને બતાવશે તો કોરોના વોર્ડમાં દાખલ કરી દેશે. માટે ઘરમાંથી બહાર નીકળતાં નથી. સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં એપ્રિલની સામે મેમાં અઢી ગણા વધુ અંતિમ સંસ્કાર થયા છે. આ આંકડો એટલા માટે ચિંતાજનક છે, કારણ કે કોરોનાના જે મૃતકોને અંતિમદાહ આપવાનો હોય છે તેમને સામાન્ય રીતે વાસણા સ્મશાને લઈ જવાય છે.
4 કબ્રસ્તાનમાં થયેલી દફનવિધિ

કબ્રસ્તાન એપ્રિલ 2019 એપ્રિલ 2020
મુસા સુહાગ 70 176
ચાર તોડા 60 120
ગંજ શહિદ 70 199
છીપા સમાજ 30-40 143

(તમામ આંકડા મુસ્લિમ સમાજના આગેવાનોએ આપેલા અંદાજ મુજબ)
ચાર તોડા કબ્રસ્તાનમાં દર મહિને સરેરાશ 60ને દફન કરાય છે, એપ્રિલમાં 120ને દફન કરાયા

સુન્ની મુસ્લિમ વકફ કમિટી અમદાવાદનાં ચેરમેન રીઝવાન કાદરીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, વકફ કમિટી હેઠળનાં બે મોટા કબ્રસ્તાનમાં સામેલ મુસા સુહાગ કબ્રસ્તાન (શાહીબાગ) અને ચાર તોડા કબ્રસ્તાન(ગોમતીપુર)માં ગત વર્ષના એપ્રિલ માસની સરખામણીમાં આ વર્ષે વધારે મૃત્યુ નોંધાયા છે. મુસા સુહાગ કબ્રસ્તાનમાં એપ્રિલ 2019માં અંદાજે 70 લોકોની દફનવિધિ થઈ હતી જ્યારે એપ્રિલ-2020માં 176 પર આંકડો પહોંચ્યો છે. તો ચાર તોડા કબ્રસ્તાનમાં દર મહિને સરેરાશ 60થી 70 દફનવિધિ થાય છે જેની સામે એપ્રિલ 2020માં 120 દફનવિધિ કરવામાં આવી છે. મે મહિનામાં પણ કબ્રસ્તાનમાં દફનવિધિની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે. મૃતકોમાં કોરોના મૃતકો કરતાં નૉન-કોરોના મૃતકોની સંખ્યા વધારે છે. શક્ય છે કે ઘરે થયેલા મૃત્યુમાં કોઈ મૃતક કોરોનાથી પીડિત પણ હોઈ શકે. રીઝવાન કાદરીએ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતકોના પરિવારજનોનો ટેસ્ટ કરવાની માગણી પણ કરી છે.
સપ્તર્ષિ ખાતે અગ્નિ સંસ્કારની સંખ્યા અઢી ગણી વધી
સપ્તર્ષિ સ્મશાનમાં ગત એપ્રિલમાં શરૂઆતના 10 દિવસમાં 74 મૃતકોને અગ્નિદાહ અપાયા હતા જેની સરખામણીમાં મે મહિનાના 10 દિવસમાં 191 મૃતકોને અગ્નિદાહ અપાયા છે. આ જ સ્થિતિ શહેરના અન્ય સ્મશાનગૃહોમાં પણ છે.
મે મહિનામાં 500થી વધુ દફનવિધિ થવાની સંભાવના
દાણીલીમડા સ્થિત ગંજ શહિદ કબ્રસ્તાન ટ્રસ્ટનાં ટ્રસ્ટી ઝફર અજમેરીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે 60થી 70ની સામે આ એપ્રિલમાં 199 મૃતક નોંધાયા છે. મે મહિનામાં રોજનાં 15થી 20 મૃતકો આવી રહ્યા છે તે જોતાં આંકડો 500ને પાર કરી જશે.
છીપા કબ્રસ્તાનમાં 3થી 4 ગણી વધુ દફનવિધિ
અમદાવાદ છીપા સમાજ પ્રમુખ ફિરોઝ રીંછણીવાલાએ કહ્યું કે, અમારા સમાજનાં કબ્રસ્તાનમાં એપ્રિલ 2019માં 30થી 40 મૃત્યુની સામે એપ્રિલ 2020માં 143 મૃત્યુ નોંધાયા છે. મે મહિનામાં 9 તારીખ સુધી 70 મોત થઇ ગયા છે.
સપ્તર્ષિ સ્મશાન ગૃહના આંકડા

તારીખ એપ્રિલ મે
1 4 19
2 12 19
3 7 13
4 4 18
5 8 16
6 7 16
7 7 31
8 9 20
10 6 21
કુલ 74 191


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સ્મશાનની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3fDVenS

મુસાફરી અગાઉ હેલ્થ સ્ક્રિનિંગ માટે યાત્રીઓએ 90 મિનિટ વહેલા સ્ટેશન પહોંચવું પડશે

રેલવેએ સોમવારે યાત્રીઓ માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. તે મંગળવારે શરૂ થનારી 15 પેસેન્જર ટ્રેનોના યાત્રીઓને લાગુ પડશે. આ ગાઈડલાઈન પ્રમાણે મુસાફરી દરમિયાન યાત્રીઓને ટ્રેનમાં પાણી અને પેકેજ્ડ ફૂડ ખરીદવાની પરવાનગી હશે. એટલું જ નહીં યાત્રીઓએ ઓછામાં ઓછા 90 મિનિટ અગાઉ સ્ટેશન પહોંચવાનું રહેશે, જેથી તેમના હેલ્થનું સ્ક્રીનિંગ થઈ શકે. યાત્રીઓને સફર દરમિયાન કોઈ પણ સંજોગોમાં માસ્ક પહેરવું પડશે.

હકીકતમાં આશરે 50 દિવસના લોકડાઉન બાદ રેલવેએ લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે સુવિધાની દ્રષ્ટિએ મર્યાદિત સંખ્યામાં ટ્રેન શરૂ કરવા પરવાનગી આપી છે. તે અંતર્ગત મંગળવારે નવી દિલ્હીથી એસી કોચ સાથે તમામ મોટા શહેરો માટે ટ્રેનો શરૂ થશે

વિશેષ ટ્રેનોમાં ફક્ત એસી કોચ જ લાગશે
ગાઈડલાઈન પ્રમાણે 12 મેના રોજ 8 ટ્રેન ચાલશે. તેમાંથી ત્રણ ટ્રેન નવી દિલ્હીથી ચાલશે. તે ડિબ્રૂગઢ, બેંગ્લુરુ અને બિલાસપુર જ્યારે એક-એક ટ્રેન હાવડા, રાજેન્દ્ર નગર (પટના), બેંગ્લુરુ, મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદથી દિલ્હી માટે ચાલશે. આ વિશેષ ટ્રેનોમાં ફક્ત એસીના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લાસ કોચ લગાવવામાં આવ્યા છે.

કન્ફર્મ ટિકિટ ધરાવતા યાત્રી જ સ્ટેશનમાં પ્રવેશ મેળવી શકશે

જોકે, તમામ ટ્રેનો દેશભરમાં લાગૂ લોકડાઉન વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં જે યાત્રી પાસે કન્ફર્મ ટિકિટ હશે તે ફક્ત એવી સ્ટેશન પર એન્ટ્રી મળશે. આ ટ્રેનોનું ભાડુ રાજધાની એક્સપ્રેસની સમકક્ષ રહેશે. યાત્રી સાત દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરાવી શકે છે. જોકે, તેમાં આરએસી, વેટિંગ લિસ્ટ કે કરન્ટ બુકિંગ જેવી સુવિધા નહીં હોય.

યાત્રીઓ માટે આરોગ્ય સેતુ એપ જરૂરી

  • થર્મલ સ્ક્રિનિંગ કરી કોઈ પણ લક્ષણો વગરના યાત્રી મોકલવામાં આવશે. યાત્રીઓને ટ્રેનમાં ધાબળા-ચાદર મળશે.
  • ટ્રેન રવાના થાય તેના 15 મિનિટ અગાઉ યાત્રીઓનો પ્રવેશ બંધ થશે. સ્ટેશન અને ટ્રેનમાં માસ્ક જરૂરી છે.
  • તમામ કોચ એસી. ટ્રેન કેટલાક સ્ટેશનો પર રોકાશે. ભાડુ રાજધાની ટ્રેન જેટલું રહેશે.
  • એસીના થ્રી-ટીર કોચમાં 52, જ્યારે ટુ-ટીયર કોચમાં 48 યાત્રી સફર કરી શકશે. યાત્રી માટે આરોગ્ય સેતુ એપ જરૂરી
  • આઈઆરસીટીસીની વેબસાીટ કે એપ થી મહત્તમ 7 દિવસ બાદ સુધી રિઝર્વેશન કરાવી શકાય છે
  • આરએસી/વેટિંગ લિસ્ટ ટિકિટ માન્ય નહીં હોય. કરન્ટ બૂકિંગ, તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ અત્યારે બંધ રહેશે.
  • ઓનલાઈન કેન્સલેશન ટ્રેન રવાનાથી 24 કલાક અગાઉ માન્ય. તેનો ચાર્જ ભાડાના 50 ટકા રહેશે.
  • ભાડામાં કેટરિંગ ચાર્જ સામેલ નહીં. ખાવાની સુવિધા નહીં મળે. પાણી અને પેકેજ્ડ ફૂડ ખરીદી શકાશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Passengers must arrive at the station 90 minutes early for health screening prior to travel


from Divya Bhaskar https://ift.tt/2zyVlAr

SC explains move on Sabarimala petition



from Times of India https://ift.tt/2WMdFy7

InterGlobe eyes bankrupt Virgin Australia



from Times of India https://ift.tt/2LiFXuC

Let us all rise above politics: Mamata at PM meet



from Times of India https://ift.tt/35NtKaY

MLC poll: Thackeray lists Rs 143 crore assets



from Times of India https://ift.tt/3dERdho

Bring every Bihar migrant back to state, will take care: CM Nitish Kumar

Bring every Bihar migrant back to state, will take care: CM Nitish Kumar

from India Today | Top Stories https://ift.tt/3dz3JyL

Sunday, May 10, 2020

Airtel, Voda, Jio plans with 2GB/3GB data per day



from Times of India https://ift.tt/3fxp39z

Coronavirus: Govt OKs indigenous antibody test

The National Institute of Virology (NIV) in Pune has developed and validated the indigenous IgG Elisa test ‘Covid Kavach Elisa’ for antibody detection for Covid-19. While real-time RT-PCR is the frontline test for clinical diagnosis of SARS-CoV-2, robust antibody tests are critical for surveillance.

from Times of India https://ift.tt/2AbnQoc

AirPods Studio may be Apple's next 'big' thing



from Times of India https://ift.tt/2SMYoMg

K'taka: Industry can buy land directly from farmers

The industries will still be required to seek permission from the revenue department. It will, however, be deemed approved if the deputy commissioner doesn’t raise red flags or clear the application within 30 days. Earlier, industries could get agricultural land allotted through KIADB.

from Times of India https://ift.tt/2WLNfwf

Experts back ‘bold’ labour reforms

Several states have undertaken steps to ease labour laws. Employers have been given the flexibility to increase workshifts upto 72 hours a week with overtime for workers, allow third party exemption and weed out several other inflexibilities investors have long complained about.

from Times of India https://ift.tt/2WPDNbA

Bihar sees a record 85 Coronavirus cases

The total number of active cases in state now stands at 336 while 354 have recovered. Principal secretary (health) Sanjay Kumar said almost all new cases are those who had returned to Bihar by special trains from Delhi, Gujarat, Maharashtra and other states this week.

from Times of India https://ift.tt/2YQt9Ur

FM to meet banks today to track their progress

Nirmala Sitharaman will hold a review meeting with banks. With less than three weeks for the moratorium to end, banks are seeking an extension or the launch of a one-time restructuring scheme, whereby borrowers can be given relief on repayments without the loans being classified as default.

from Times of India https://ift.tt/3cnXVrx

Auto drivers pack life into 3 wheels, flee Mumbai



from Times of India https://ift.tt/2WmdzhH

Cong accedes to CM plea, Maha council storm over



from Times of India https://ift.tt/2WPJNRE

NSA Ajit Doval reviews J&K security situation, asks forces to prepare for 'hot summer'

NSA Ajit Doval reviews J&K security situation, asks forces to prepare for 'hot summer'

from India Today | Top Stories https://ift.tt/3fEr4AL

Indore cops beat Covid-19, welcomed back with applause

Indore cops beat Covid-19, welcomed back with applause




from News - Videos - The Times of India https://ift.tt/2A8Sq1J

બ્રિટનમાં કોરોનાથી 7 લાખ લોકોનાં મોત થઇ શકે છે, આ બીજા વિશ્વયુદ્ધથી પણ વધુ

બ્રિટનમાં કોરોના વાઇરસને કારણે આશરે 7 લાખ લોકોના મોત થઇ શકે છે. આ બીજા વિશ્વયુદ્ધના મોત કરતા પણ વધુ છે. આ ચોંકાવનારી વાત યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના અભ્યાસમાં સામે આવી છે. મંદી, ગરીબી અને બેદરકારીની સ્થિતિમાં આંકડો હજુ વધી શકે છે.
મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે
શોધકર્તાઓનું અનુમાન છે કે રસી વિના બ્રિટનને કોવિડ-19ને હરાવવા માટે 2024 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર થવું પડી શકે છે. લોકડાઉનને કારણે મંદી પણ આવી શકે છે. તેથી કોરોના, ખરાબ હેલ્થ સિસ્ટમ અને ગરીબીને કારણે 5 વર્ષમાં 6.75 લાખ લોકોના મોત થઇ શકે છે. યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટના પ્રોફેસર ફિલિપ થોમસ કહે છે કે ‘લોકડાઉનથી ધીમે-ધીમે બહાર આવવાની નીતિ ત્યારે અસરકારક છે, જ્યારે આપણે સંક્રમણનો દર એકથી નીચે રાખવામાં સફળ થઇશું. મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોનાના સંક્રમણ વચ્ચે પણ લોકો સામાન્ય દિવસોની જેમ બહાર નિકળી રહ્યો છે.


from Divya Bhaskar https://ift.tt/2LnoUHP