Ad

Sunday, May 3, 2020

SVP હોસ્પિટલના ડૉ. અમી પરીખે કહ્યુ- વાઈરસ એટલો ઝડપથી ફેલાતો હોય છે કે દર્દીને બચાવવાનો ટાઈમ જ નથી મળતો

એસવીપી હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી ડો. અમી પરીખે જણાવ્યું હતું કે, ડોક્ટર તરીકે અમે ગંભીર રીતે બીમાર દર્દીઓને જોવા ટેવાયેલા છીએ પણ જે ઝડપે કોવિડ-19નો ફેલાવો થઈ રહ્યો છે તે અમારા માટે પણ આઘાતજનક છે. એક દર્દી હોસ્પિટલમાંથી સાજો થઈને જાય તે કોઈ પણ ડોક્ટર માટે ખુશીની વાત છે. પરંતુ જ્યારે કોઈ દર્દી જીવ ગુમાવે છે ત્યારે અમને પણ ઊંડી ઠેસ પહોંચે છે. અમે ડોક્ટરોની ટીમ દર્દીને કેમ ગુમાવવો પડ્યો તેનાં કારણોની વિશેષ ચર્ચા કરીએ છીએ. રેસિડન્ટ ડોક્ટર્સ તો દર્દીઓના એટલા ક્લોઝ ટચમાં હોય છે કે બન્ને વચ્ચે લાગણીનો સંબંધ બંધાઈ જાય છે. કેટલાક કેસમાં તો પરિણામ નથી મળે તેવું જાણવા છતાં ડોક્ટરો દર્દીના છેલ્લા શ્વાસ સુધી મહેનત કરે છે. કોવિડના બધા કેસ નિરાશાજનક હોય છે એવું નથી, કેટલાક દર્દી તો એ સ્ટેજ પરથી સાજા થયા છે કે અમે સ્વપ્ને પણ ના વિચાર્યું હોય.
વાઈરસ ફેફસામાં એટલો બધો પ્રસરી ગયો હોય છે કે વાત ના પૂછો
દર્દીઓ છેલ્લી ઘડીએ સારવાર માટે આવતા હોવાથી જ કોવિડમાં મોર્ટાલિટી રેટ ઊંચો હોવાનું કહેવું યોગ્ય નથી, કારણ કે ઘણા દર્દીમાં તો વાઈરસ એટલો ઝડપથી ફેલાતો હોય છે કે ટાઈમ જ નથી મળતો. કંઈ સમજાય તે પહેલાં તો વાઈરસ ફેફસામાં એટલો બધો પ્રસરી ગયો હોય છે કે વાત ના પૂછો. જોકે આ લક્ષણ દરેક દર્દીમાં હોય તેવું નથી. લક્ષણો નહીં ઘરાવતાં કોવિડના દર્દીને બહુ જોખમ નથી હોતું. મેડિકલની ભાષામાં તેમને માઈલ્ડ કહેવામાં આવે છે, પરંતુ દર્દી બાથરૂમ જવા જેવો સહેજ પરિશ્રમ કરે અને શ્વાસમાં તકલીફની ફરિયાદ કરે કે બ્લડ ટેસ્ટમાં અમુક ચોક્કસ પ્રકારના માર્કર વધુ પ્રમાણમાં દેખાય તો સારવારની પદ્ધતિ બદલવી પડે છે. કોવિડના દર્દીનાં ફેફસાં ખરાબ થઈ જતાં હોવાથી લોહીમાં ઓક્સિજન પહોંચતો નથી. આવા દર્દીને બહારથી ઓક્સિજન આપવો પડતો હોય છે. કેટલાક કેસમાં તો શ્વાસનળીમાં ટ્યૂબથી ઓક્સિજન આપવો પડે છે જેને મેડિકલની ભાષામાં મિકેનિકલ વેન્ટિલેશન કહે છે.
અમેરિકા-બ્રિટનના ડોક્ટરોનો ઓપિનિયન માગતા હોઈએ છીએ
જો કે એટલું ચોક્કસ કહીશ કે ડોક્ટર તરીકેની કારકિર્દીમાં હજુ સુધી આવી આફત જોઈ નથી. આમ છતાં આઈસીયુના સિરિયસ પેશન્ટનો ડેટા તમે વર્લ્ડ ડેટા સાથે સરખાવો તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણો રિકવરી રેટ ઊણો નથી ઉતરતો. કોઈ એમ કહે કે એસવીપીનો મોર્ટાલિટી રેટ ઊંચો છે, પણ કેસની સંખ્યા, સાજા થઈને ઘરે ગયેલા દર્દી સરખાણી કરો તો ખબર પડશે કે સાચી વાત શું છે.અમદાવાદના કોવિડના દર્દીઓની સારવાર એસવીપી અને સિવિલમાં થાય છે. આમ બન્ને હોસ્પિટલ પર કેવું ભારણ છે અને કયા લેવલનું કામ છે તે સમજી શકાય એમ છે. ઉપચારની વાત કરીએ તો કોવિડ માટે કોઈ ચોક્કસ દવા નથી. આઈસીયુમાં ટાઈમ ટુ ટાઈમ અપડેટ લેવો એક વિકલ્પ છે. દર્દીની સ્થિતિ મુજબ અમે એઈમ્સ, લખનઉ કે મદ્રાસના નિષ્ણાત ડોક્ટરોની સલાહ લેતા હોઈએ છીએ. આ ઉપરાંત અમેરિકા-બ્રિટનના ડોક્ટરોનો ઓપિનિયન માગતા હોઈએ છીએ. તમામ સારવાર એઈમ્સ અને પીજીઆઈની ગાઈડલાઈન મુજબ કરાય છે. સરકારે નિયુક્ત કરેલા નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવાતું હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એસવીપી હોસ્પિટલમાં આઈસીયુમાં સતત 8 કલાક ડોક્ટરો પીપીઈ કિટ પહેરીને દર્દીઓની સેવા કરે છે.


from Divya Bhaskar https://ift.tt/2zV0EdU

ચેપમુક્ત ગોવામાં લોકો ફરવા નીકળ્યા

ગોવાના કેન્ડોલીમ બીચ પર લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો અહીં ગરમીથી રાહત મેળવવા માટે ફરવા નીકળ્યા હતા. ગોવામાં સેંકડો પ્રવાસી લોકો પર્યટન, નિર્માણ ક્ષેત્ર, નાઈટક્લબ વગેરેમાં કામ કરવા આવે છે. લૉકડાઉનના કારણે કામકાજ ઠપ છે. અનેક લોકો રોજગાર ગુમાવી ચૂક્યા છે. ગોવા બે અઠવાડિયાં પહેલાં કોરોનામુક્ત થઈ ગયું હતું. અહીં 7 કેસ આવ્યા હતા. તે બધા સાજા થઈ ચૂક્યા છે તેમ છતાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના લૉકડાઉનના નિર્દેશોનું પાલન કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર ગોવાના કેન્ડોલીમ બીચની છે.


from Divya Bhaskar https://ift.tt/2VZSKIT

પાકિસ્તાનમાં તબલીગી જમાતના 72 સભ્ય ભાગ્યા, તેમને પકડવા ISI કામે લાગી

પાકિસ્તાનમાં રવિવારે 1297 નવા કેસ સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 19,854 થઇ ગઇ. અત્યાર સુધીમાં 446 મોત થયાં છે. સૌથી વધુ 180 મોત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયાં છે. કોરોના સામે લડવામાં સરકાર ઘણા મોરચે નિષ્ફળ રહી છે. પંજાબ પ્રાંતના હાફિઝાબાદ સ્થિત મુખ્ય મરકજમાં ક્વોરેન્ટાઇન કરાયેલા તબલીગી જમાતના 72 સભ્ય અત્યાર સુધીમાં ભાગી ચૂક્યા છે. તેમને પકડવા માટે જાસૂસી સંસ્થા આઇએસઆઇને કામે લગાડાઇ છે. બીજી તરફ સૈન્ય પણ કોરોના સામેની લડાઇમાં આગળ આવ્યું છે. તેણે દેશભરમાં તેની છાવણીઓ, હથિયાર ફેક્ટરીઓ, તિબેટ બેલ્ટ, કાશ્મીર, અને ગિલગિટ બાલટિસ્તાન જેવા સરહદી વિસ્તારોમાં સખત લૉકડાઉન કર્યું છે. આ તમામ સ્થળે જવાનો તહેનાત કરાયા છે. સૈન્યના તમામ વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે. તદુપરાંત, દેશભરમાં સરકારી કર્મચારીઓની મદદ માટે અનામત દળો તહેનાત કરાયાં છે. સૈન્યની મેડિકલ કોરની મદદ માટે ચીની સૈન્યના મેડિકલ એક્સપર્ટ્સને બોલાવાયા છે. પાક.ની હોસ્પિટલોમાં ચીની ડૉક્ટરો જોઇ શકાય છે. ચીની મેડિકલ ટીમનું નેતૃત્ત્વ મેજર જનરલ હુઆંગ કિનજેન કરી રહ્યા છે. તેઓ 9 દિવસ અગાઉ પાકિસ્તાન આવ્યા હતા. ટીમ 2 મહિના સુધી પાકિસ્તાનમાં રહેશે. ટીમમાં રોગ નિયંત્રક, આઇસીયુ એક્સપર્ટ અને શ્વાસના રોગોના નિષ્ણાત સામેલ છે.
સરકાર કોરોના સંકટનો મુકાબલો કરવામાં નબળી:બિલાવલ ભુટ્ટો
બીજી તરફ વિપક્ષ વડાપ્રધાન ઇમરાન ખાન પર સતત દબાણ લાવી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોનું કહેવું છે કે સરકાર કોરોના સંકટનો મુકાબલો કરવામાં નબળી સાબિત થઇ છે. ઇમરાને રાજીનામું આપવું જોઇએ. જોકે, સરકારનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં 2,03,025 લોકોના ટેસ્ટ કરાવ્યા છે.

દેશમાં 444 હેલ્થવર્કર કોરોના પોઝિટિવ
પાકિસ્તાનના ડૉક્ટર્સ પહેલેથી જ સુરક્ષા ઉપકરણોની અછતનો સામનો કરી રહ્યા છે. ચાર દિવસ અગાઉ રાવલપિંડીમાં 26 વર્ષના ડૉક્ટરનું કોરોનાથી મોત થતાં અન્ય હજારો સ્વાસ્થ્યકર્મી હચમચી ગયા છે. તેઓ શરૂઆતથી જ જરૂરી સુરક્ષા ઉપકરણો અને સુવિધાઓની માગ કરી રહ્યા છે, જે સંતોષવામાં સરકાર નિષ્ફળ રહી છે. યુવા ડૉક્ટરના મોતના અઠવાડિયા અગાઉ પેશાવરમાં પણ એક સિનિયર ડૉક્ટરનું કોરોનાથી મોત થયું હતું. નેશનલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર દેશમાં 444 હેલ્થવર્કર કોરોના પોઝિટિવ જણાયા છે, જેમાં 216 ડૉક્ટર, 67 નર્સ તથા 161 અન્ય સ્વાસ્થ્ય કર્મી છે. યંગ ડૉક્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ ડૉ. મોહમ્મદ ફઝલે કહ્યું કે મોટા ભાગના કોરોનાગ્રસ્ત ડૉક્ટર્સ બેચેન અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી ગ્રસ્ત છે. તેથી તેમના માટે સાઇકોલોજિસ્ટ રખાયા છે.
કેટલાક ઉદ્યોગ ફરી ખોલવાની મંજૂરી અપાઇ
બીજી તરફ સરકાર આવતા અઠવાડિયે લૉકડાઉનમાં વધુ છૂટછાટ જાહેર કરી શકે છે. ગયા મહિને 21 ઉદ્યોગ ફરી ખોલવાની મંજૂરી અપાઇ હતી, જેમાં સિમેન્ટ, કેમિકલ, ક્રશિંગ, ફર્ટિલાઇઝર, ખનીજ, ખેતી, કાચ, સ્ટેશનરી ઉદ્યોગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, પેપર અને પેકેજિંગ યુનિટ વગેરે સામેલ છે.
પાકિસ્તાનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ અનુસાર, કોરોનાને કારણે, દેશમાં 1.80 કરોડ લોકોને રોજગાર મળી શકે છે. 7 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જઈ શકે છે.
5 રાજ્યોમાં 94 ટકા કેસ છે
પંજાબ-7,106
સિંધ-7,102
ખૈબર પખ્તુનખ્ખા-2,907
બલુચિસ્તાન-1,172
ઇસ્લામાબાદ-393



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઇસ્લામાબાદમાં ચીની સૈન્ય મેડિકલ કોર્પ્સની ટીમ. તે અહીં બે મહિના રહેશે.


from Divya Bhaskar https://ift.tt/2Wnd7yv

મંત્રી બચુ ખાબડે કહ્યું, મોદી સાહેબે ચિંતા કરી: દવા, દારૂ, અનાજની વ્યવસ્થા કરી!

ગુજરાત સરકારના મંત્રીઓ સમયાંતરે બોલવામાં ભાંગરો વાટીને ચર્ચામાં રહે છે. અગાઉ એકવખત બોલવામાં ચુક થઇ ગયા પછી રાજય કક્ષાના પશુપાલન અને ગ્રામ આવાસ,ગ્રામ વિકાસ મંત્રી બચુ ખાબડે વધુ એકવખત ભાંગરો વાટયો છે.તેમણે ફતેપુરામાં ઉકાળા વિતરણના એક યોજાયેલા સમારોહમાં કોરોના વિશે સરકારની કામગીરીનો ઉલ્લેખ કરતા બોલી ઉઠયા હતા કે, મોદી સાહેબે ચિંતા બહું કરી, દારૂ, અનાજ, દવાની મફતમાં વ્યવસ્થા કરી.તેમનો આ વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે.આ બાબતે તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, હા,ફતેવાડીમાં ઉકાળા વિતરણમાં આવું થઇ ગયું.
આઝાદીના ચાર યુગ પછી આવી ઘટના બની
ફતેપુરામાં ઉકાળા વિતરણની એક સાદા સમારોહમાં સંબોધન કરતા મંત્રી બચુ ખાબડ કોરોના વિશે વાતચીત કરી રહ્યા હતા. મંત્રી ખાબડે કહ્યું કે, અમદાવાદ સિવાય બીજે બધેય આપણે સારું છે અને એ પણ આખા રાજયના વહીવટી તંત્રએ કામગીરી કરી. દેશના વડાપ્રધાન મોદી સાહેબે એટલી જ ચિંતા કરીને વ્યવસ્થા કરી, દારૂ વ્યવસ્થા,અનાજ મફત આપવાનું,પૈસા આપવાના છે, દવા મફત આપવાની છે, કોઇ ક્ષેત્રે કમી રાખી નથી. મંત્રી વિડીયોમાં એવું પણ બોલે છે કે, આઝાદીના ઇતિહાસની અંદર ચાર યુગ પછી પહેલીવાર ઘટના બની છે,1856માં આવ્યો હતો પેલો રોલ એમ કુકડીયો,એની પછી કોઇ દિ આવ્યું નથી અને આપણે જોયુ નથી. 200 વર્ષ થવા આવ્યું,પણ આજે જે આવ્યું છે,એમાંથી માંડ માંડ આપણે બહાર નીકળી ગયા છીએ. મંત્રીએ આઝાદીના ચાર યુગ પછી આવી ઘટના બની તેવો ઉલ્લેખ વિડીયોમાં કરે છે એટલે ચાર યુગ કઇ રીતે થયા તે બાબત ચર્ચાસ્પદ બની છે. તેમનો આવા સંબોધનવાળો વિડીયો વાયરલ થતા વધુ એક વખત વિવાદ થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પશુપાલન અને ગ્રામ આવાસ,ગ્રામ વિકાસ મંત્રી બચુ ખાબડ.


from Divya Bhaskar https://ift.tt/2YwDVij

લોકડાઉનથી હવા એટલી સ્વચ્છ થઈ ગઈ કે માઉન્ટ આબુથી ગુજરાતના 3 શહેર ચોખ્ખાં દેખાવા લાગ્યાં

કોરોનાના કારણે સમગ્ર દેશમાં છેલ્લા એક મહિનાથી લોકડાઉન છે. વાહનોનું આવાન-જાવન લગભગ બંધ છે અને લોકો પણ ઘરની બહાર નીકળતા નથી. આવામાં પ્રદુષણ ઓછું થઈ ગયું છે અને હવા પણ સ્વચ્છ થઈ ગઈ છે. છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી માઉન્ટ આબુના તમામ પ્રયટન સ્થળ બંધ છે અને ત્યાં પર્યટકોેને આવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેના કારણે માઉન્ટ આબુની આસપાસનું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. માઉન્ટ આબુથી ગુજરાતના ત્રણ શહેર ચોખ્ખા દેખાવા લાગ્યા છે. આબુથી અમીરગઢ, ચિત્રાસણી અને છેક 83 કિલોમીટર દૂર આવેલાં પાલનપુર શહેરની સીમા પણ દેખાવા લાગી છે. જોકે લોકડાઉન પહેલાં આબુથી સૌથી નજીક આવેલું ગુજરાતનું અમીરગઢ પણ દેખાતું નહોતું.

માઉન્ટ આબુના કોદરા ડેમ પાસેના પાલનપુર પોઈન્ટ પાસેથી લીધેલા ફોટામાં પાલનપુર અને ચિત્રાસણી દેખાઈ રહ્યાં છે.

પાલનપુર પોઈન્ટ પરથી આ ફોટા લીધા છે
માઉન્ટ આબુના ગોમુખ રોડથી કોદરા ડેમ થઈને લગભગ 3 કિલોમીટર દૂર પાલનપુર પોઈન્ટ છે. ત્યાંથી આ નજારો સ્પષ્ટ રેખાઈ રહ્યો છે. લોકડાઉન પહેલાં સૌથી નજીકનું અમીરગઢ શહેર પણ દેખાતું નહોતું, પરંતુ હવે હવા સ્વચ્છ છે અને પ્રદુષણ પણ નથી તેથી ગુજરાતની ત્રણેય શહેરોની વસાહતો દેખાવા લાગી છે.
આબુની ટેકરીઓ પહેલાંથી વધુ સુંદર દેખાવા લાગી
હવા સ્વચ્છ થતાં અને પ્રદુષણ ઓછું થવાને કારણે માઉન્ટ આબુની ટેકરીઓ પહેલાં કરતાં વધુ સુંદર દેખાવા લાગી છે. અહીંથી ગુજરાતમાં વસેલાં શહેરો પણ દેખાવા લાગ્યાં છે. આ ફોટામાં દેખાઈ રહેલાં ત્રણ શહેર જેમાં અમીરગઢ માઉન્ટ આબુથી 50.2 કિમી, ચિત્રાસણી 71 કિમી અને પાલનપુર 83 કિલોમીટર દૂર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માઉન્ટ આબુના કોદરા ડેમ પાસેના પાલનપુર પોઈન્ટ પાસેથી લીધેલા ફોટામાં અમીરગઢ દેખાઈ રહ્યું છે.


from Divya Bhaskar https://ift.tt/2xwA75R

ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં હવે 2 લાખ શિક્ષકોની ફોજ ઉતારાશે

શિક્ષણ વિભાગે કોરોના સામે લડવા માટે પેરામેડિકલ કર્મચારીઓની સાથે કામ કરી શકે તેવા 2 લાખ શિક્ષકોની કોવિડ આર્મી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. કાઉન્સેલિંગની સાથે એસિમ્પટેમેટિક પેશન્ટના મોનિટરિંગમાં પણ જોડાશે. વેકેશન બાદ તમામ જિલ્લોઓમાં જૂનથી આ કામગીરી શરૂ થશે.
પેરામેડિકલ સ્ટાફની ઘટને પણ પહોંચી વળવામાં મદદ મળશે
કોરોનાની મહામારીમાં શિક્ષકોની ઉમદા કામગીરી બાદ વધુ એક કામ માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. કોવિડ આર્મીમાં શિક્ષકો પેરામેડિકલ સ્ટાફની સાથે કામગીરી કરશે, જેથી રાજ્યમાં પેરામેડિકલ સ્ટાફની ઘટને પણ પહોંચી વળવામાં મદદ મળશે.
વેકેશન પૂરું થવાની સાથે જ આ કામગીરીની શરૂઆત થશે
કોવિડ આર્મી કોરોના પોઝિટિવ પેશન્ટનું કાઉન્સેલિંગ કરશે ઉપરાંત જે હોમ ક્વોરન્ટાઇન છે તેઓનું મનોબળ વધારવા માટે પ્રયત્ન કરશે. જૂન મહિનામાં વેકેશન પૂરું થવાની સાથે જ આ કામગીરીની પણ શરૂઆત થશે. કોવિડ આર્મી માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરાઈ હતી, જેમાં તમામ સંઘના હોદ્દેદારો સંમત હોવાનું શિક્ષણ વિભાગને જણાવ્યું હતું.
હોમ ક્વોરન્ટાઇનમાં ખાસ મદદરૂપ થશે
પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર જૂનથી કામગીરી શરૂ કરાશે. અત્યાર સુધી શિક્ષકોની કામગીરી પ્રસંશનીય રહી છે. કોવિડ આર્મીમાં જોડાનારા શિક્ષકો ફોન પર કાઉન્સેલિંગ કરશે. ખાસ કરીને હોમ બેઇઝ્ડ કોવિડ કેર કે, જેમાં એસિમ્પટોમેટિક પેશન્ટ ઘેર રહીને જ ટ્રીટમેન્ટ લેતા હશે ત્યાં શિક્ષક મેડિકલ ઓફિસર અને પેશન્ટ વચ્ચે કડીરૂપ રહેશે. તેઓ પેશન્ટનું કાઉન્સેલિંગ કરશે. સાથે જ તેમને ફોન પર સલાહ આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3b1Sddo

દેશભરમાં છૂટ સાથે ત્રીજો તબક્કો શરૂ, 82%  જિલ્લાના અર્થતંત્રની ગાડી આજથી ફરી પાટા પર

લૉકડાઉનનો ત્રીજો તબક્કો આજથી શરૂ થઇ રહ્યો છે. આકરી શરતો સાથે સરકારે આ દરમિયાન મોટી રાહતો આપી છે. 40 દિવસ બાદ લોકો કામ પર જઇ શકશે. જોકે, ઘણા રાજ્યોએ સૌથી વધુ સંક્રમિત શહેરોને સંપૂર્ણ લૉકડાઉનમાં રાખ્યા છે. દેશના કુલ 733 જિલ્લામાંથી 82% જિલ્લા ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં છે. ત્યાં આજથી વેપાર-ધંધા, ઉદ્યોગો ધીમે-ધીમે વધવાનું શરૂ થશે.
લૉકડાઉન-2 સુધી અર્થતંત્ર 25 ટકા ચાલતું હતું
300થી વધુ જિલ્લામાં શરતો સાથે બસો અને કેબ પણ દોડશે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના એમડી મહેશ વ્યાસ જણાવે છે કે 20 એપ્રિલે અપાયેલી છૂટ પછી ગામડાંમાં 1 કરોડ લોકો કામ પર પાછા ફરી ચૂક્યા છે. જેએનયુના પૂર્વ પ્રોફેસર અને અર્થશાસ્ત્રી અરુણકુમાર કહે છે કે લૉકડાઉન-2 સુધી અર્થતંત્ર 25 ટકા ચાલતું હતું, હવે 35 ટકા સુધી ચાલવા લાગશે. ઔદ્યોગિક ક્ષેત્રોમાં 7-8% કામ શરૂ થઇ જશે. જોકે, શ્રમિકોનો ગામડે પાછા ફરવાનો સિલસિલો જારી હોવાથી ઉદ્યોગોમાં કામ શરૂ થવામાં તકલીફ પણ પડશે.
રિયલ એસ્ટેટ: 20 ટકા નિર્માણાધીન પ્રોજેક્ટમાં કામ શરૂ થઈ શકે
ક્રેડાઈના નેશનલ ચેરમેન જક્ષય શાહે કહ્યું કે શરતો સાથે છૂટ મળી શકે છે. મોનસૂન પર શરૂ થવાનું છે એટલા માટે પહેલાથી જારી પ્રોજેક્ટ શરૂ થઈ શકે. આજથી 20% પ્રોજેક્ટમાં કાર્ય શરૂ થઇ શકશે.
રિયલ એસ્ટેટ અને નિર્માણ ક્ષેત્રમાં 5 કરોડ નોકરીઓ છે. આ સેક્ટર પહેલાંથી પ્રભાવિત છે.
ઇન્ડસ્ટ્રી: દેશના 15 ટકા ઉદ્યોગોમાં ઉત્પાદન શરૂ થવાનું અનુમાન
લૉકડાઉન 3.0માં નવી રાહતથી 10%, 15% ઈન્ડસ્ટ્રી ઉત્પાદન શરૂ કરશે. મોટા ભાગનાં સ્થળોએ મજૂરો, રૉ-મટીરિયલના અભાવમાં મોટી ઈન્ડસ્ટ્રી ધીમે ખૂલશે.
દેશમાં હાલ 23 લાખથી વધુ કારખાનાં છે, જેમાં 2.6 કરોડ લોકો કામ કરે છે.
દુકાનો: હવે 25 લાખ દુકાનો ખૂલી શકશે, 50 લાખ લોકો પાછા ફરશે
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના બી.સી. ભરતિયા અનુસાર પહેલાંથી જરૂરી સામાનની દુકાનો ખૂલી રહી છે. નવી છૂટથી 25 લાખ દુકાનો ખૂલવાની આશા છે. દેશમાં આશરે 7 કરોડ દુકાનો છે.
આ દુકાનોના માધ્યમથી 50 લાખ લોકો પોતાના કામ પર પાછા ફરશે. રોજગાર શરૂ થશે.
ઇન્ડસ્ટ્રી: દેશના 15 ટકા ઉદ્યોગોમાં ઉત્પાદન શરૂ થવાનું અનુમાન
લૉકડાઉન 3.0માં નવી રાહતથી 10%, 15% ઈન્ડસ્ટ્રી ઉત્પાદન શરૂ કરશે. મોટા ભાગનાં સ્થળોએ મજૂરો, રૉ-મટીરિયલના અભાવમાં મોટી ઈન્ડસ્ટ્રી ધીમે ખૂલશે.
દેશમાં હાલ 23 લાખથી વધુ કારખાનાં છે, જેમાં 2.6 કરોડ લોકો કામ કરે છે.
એમએસએમઈ: સપ્લાય કરનારા 35 ટકા કંપનીઓ શરૂ થશે
લઘુઉદ્યોગ ભારતીના જનરલ સેક્રેટરી ગોવિંદ લેલે અનુસાર નવી રાહતથી મોટી કંપનીઓને સપ્લાય કરનારી 30%થી 35% કંપનીઓ અને પોતાનું ઉત્પાદન કરતા 10થી 15% એકમ શરૂ થઈ જશે.
કુલ મિલાવીને 30% MSME એકમ ઉત્પાદન શરૂ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સોશિયલ ડિસ્ટન્સ સાથે બહાર નિકળતા લોકોની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2xyVOSM

Lockdown 3.0: What you can do, what you can't



from Times of India https://ift.tt/2KY47dW

Top 10: Has Lockdown 2.0 really improved things?



from Times of India https://ift.tt/2tlZbpO

Jammu and Kashmir: Encounter currently underway in Uri

Jammu and Kashmir: Encounter currently underway in Uri




from News - Videos - The Times of India https://ift.tt/3fmHSwn

Rohingya survivors tell of misery and death at sea; hundreds still adrift

Rohingya survivors tell of misery and death at sea; hundreds still adrift

from India Today | Top Stories https://ift.tt/2WmzGU2

US experts warn of second wave of infection; Russia reports over 10,000 new Covid-19 cases: 10 points

US experts warn of second wave of infection; Russia reports over 10,000 new Covid-19 cases: 10 points

from India Today | Top Stories https://ift.tt/35tT99B

Flypasts, petal showers, musical bands: How armed forces thanked Covid-19 warriors

Flypasts, petal showers, musical bands: How armed forces thanked Covid-19 warriors




from News - Videos - The Times of India https://ift.tt/2W0gegY

Trump says US to have vaccine by end of year

"We are very confident that we're going to have a vaccine at the end of the year, by the end of the year," Trump said in a Fox News "town hall" show broadcast from the Lincoln Memorial in Washington, DC. The vaccine prediction moves up the timeline that has been discussed as the United States and other countries race to be the first to bring out a way to prevent COVID-19.

from Times of India https://ift.tt/3fmswIf

China hid severity of coronavirus to hoard supplies: Report

China hid severity of coronavirus to hoard supplies: Report

from India Today | Top Stories https://ift.tt/35suCRZ

Watch: Man releases hedgehog family back into the wild

Watch: Man releases hedgehog family back into the wild




from News - Videos - The Times of India https://ift.tt/3ddegPX

Epic duel between two tuskers

Epic duel between two tuskers




from News - Videos - The Times of India https://ift.tt/2YxdIAi

Delhiites claim they received hefty electricity bills, seek waiver of fixed power charges

Delhiites claim they received hefty electricity bills, seek waiver of fixed power charges

from India Today | Top Stories https://ift.tt/3c6AH9y

UP: Jewar MLA, police help techie attend father's funeral

UP: Jewar MLA, police help techie attend father's funeral

from India Today | Top Stories https://ift.tt/2KTMJqv

શહીદ મેજર અનુજના પિતાએ કહ્યું- દીકરાએ ફરજ નિભાવી, દુખ તો એનું છે જે અઢી વર્ષ પહેલા આ ઘરમાં વહુ બનીને આવી હતી

હંદવાડા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર અનુજ સૂદના પિતા રિટાયર્ડ બ્રિગેડિયર ચંદ્રકાંત સૂદને જ્યારે એકમાત્ર પુત્રની શહીદીના સમાચાર મળ્યા તો તેમની આંખોમાંથી આંસૂ છલકાવા લાગ્યા. ત્યારબાદ મનને સંભાળ્યું, આખોં લૂછીને કહ્યું કે દીકરાએ તેની ફરજ નિભાવી. તે દેશને કામ આવ્યો. દુખતો એ વહુનું છે જે અઢી વર્ષ પહેલા આ ઘરમાં આવી. ભાસ્કર સાથે વાતચીતમાં શહીદના પિતા માત્ર આટલું જ બોલી શક્યા.

જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં શનિવારે રાત્રે આતંકવાદીઓ સાથે અથડામણમાં આર્મીની 21 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડીંગ ઓફિસર આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ સહિત પાંચ જવાન શહીદ થયા હતા. મેજર સૂદ હિમાચલના કાંગડાના દેહરા ગોપીપુરના રહેવાસી હતી. ઘણા વર્ષો પહેલા તેમનો પરિવાર પંચકુલામાં શિફ્ટ થયો હતો.

શહીદ મેજર સૂદના પિતા (રિટાયર્ડ) બ્રિગેડિયર ચંદ્રકાંત સૂદને જ્યારે દીકરાની શહીદીના સમાચાર મલ્યા તો તેમની આંખોમાં આંસૂ આવી ગયા.

2017માં હિમાચલમાં લગ્ન થયા હતા
મેજર અનુજ સૂદના લગ્ન હિમાચલના ધર્મશાળામાં રહેતી આકૃતિ સાથે સપ્ટેમ્બરલ 2017માં થયા હતા. આકૃતિ પૂણેની એક કંપનીમાં નોકરી કરે છે. મેજરની શહીદીના સમાચાર જેવા ધર્મશાળા પહોંચ્યા, ત્યાં માહોલ ગમગીન થઇ ગયો. સોમવારે મેજરનો પાર્થિવ દેહ પંચકુલા લાવવામાં આવશે. ત્યારબાદ મની માજરા સ્મશાન ઘાટમાં સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

2017માં મેજર અનુજ સૂદના લગ્ન થયા હતા ત્યારની આ તસવીર છે.

31 વર્ષીય મેજર અનુજ સૂદે શરૂઆતનો અભ્યાસ આર્મી પબ્લિક સ્કૂલ લખનૌમાં કર્યો હતો. તેમણે પહેલા પ્રયત્નમાં જ એનડીએની પરીક્ષા પાસ કરી લીધી હતી. પરિવારજનોએ જણાવ્યું કે અનુજનું સિલેક્શન IITમાં થઇ ગયું હતું પરંતુ દેશસેવા માટે આર્મી જોઇન કરવાનો નિર્ણય કર્યો.

શહીદ મેજર અનુજ સૂદની પહેલી તસવીર અભ્યાસકાળની છે જ્યારે બીજી આર્મીમાં ભરતી થયા બાદની છે.

શહીદ મેજરની નાની બહેન પણ કેપ્ટન
શહીદ મેજર સૂદનો પરિવાર અમુક મહિના પહેલા જ પંચકુલાની અમરાવતી એન્ક્લેવમાં રહેવા આવ્યો છે. હજુ અહીં તેમનું મકાન બની રહ્યું છે. શહીદ મેજરની નાની બહેન હર્ષિતા સૂદ પણ આર્મીમાં કેપ્ટન છે જે ઇન્દોરના મઉમાં પોસ્ટેડ છે. મેજર અનુજની એક મોટી બહેન ઓસ્ટ્રેલિયામાં રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મેજર સૂદ હિમાચલના કાંગડાના દેહરા ગોપીપુરના રહેવાસી હતા. તેમનો પરિવાર ઘણા સમય પહેલા પંચકુલા શિફ્ટ થઇ ગયો હતો. ફાઇલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/3b17gEa

Unique wedding! couple performs ‘varmala’ rituals maintaining ‘do gaj doori’

Unique wedding! couple performs ‘varmala’ rituals maintaining ‘do gaj doori’




from News - Videos - The Times of India https://ift.tt/35pG4hs

Saturday, May 2, 2020

Mumbai: Refused admission, son loses father after rushing him from one hospital to another

Refused admission, son loses father after rushing him from one hospital to another

from India Today | Top Stories https://ift.tt/3bY3A7N

Trump says glad to see North Korea's Kim Jong-un is back and well

Trump says glad to see North Korea's Kim Jong-un is back and well

from India Today | Top Stories https://ift.tt/2SsE1no

Tough old moment: UK PM Boris Johnson says doctors had plan in case he died of coronavirus

UK PM Boris Johnson says doctors had plan in case he died of coronavirus

from India Today | Top Stories https://ift.tt/3db15im

J&K: 5 security personnel martyred in encounter

A Colonel and a Major were among five security personnel killed in an encounter at a village in north Kashmir's Handwara area, officials said on Sunday. Two terrorists were also killed in the encounter at the Chanjmulla area of Handwara, which is part of north Kashmir's Kupwara district, they said.

from Times of India https://ift.tt/2zL6QVA

Staying positive is the mantra: Gagan Narang

Shooter Gagan Narang is one of the few sportspersons to have represented the country in four successive Olympics — 2004 Athens, 2008 Beijing, 2012 London and 2016 Rio Games. Obviously, the bronze medal in the 10m air rifle event at the London Games with a tally of 598 points was the high point for the 36-year-old.

from Times of India https://ift.tt/35pjl52

More than 10,000 recover from Covid-19 in India, Kerala cures 78% cases

More than 10,000 recover from Covid-19 in India, Kerala cures 78% cases

from India Today | Top Stories https://ift.tt/3fcpiqz

Fact Check: This website of a 'government' scheme for Rs 50,000 aid is fake

Fact Check: This website of a 'government' scheme for Rs 50,000 aid is fake

from India Today | Top Stories https://ift.tt/2Stvqkw

Lockdown 3.0: Maharashtra govt issues guidelines on relaxations in Red, Orange, Green Zones

Lockdown 3.0: Maharashtra govt issues guidelines on relaxations in Red, Orange, Green Zones

from India Today | Top Stories https://ift.tt/2W0jCbH

નવસારીના સાંસદ સી.આર. પાટિલે લીલીઝંડી બતાવવાના બદલે ભાજપનો ઝંડો બતાવ્યો

શનિવારે સુરત રેલવે સ્ટેશનથી ઓડિશાવાસીઓને વતન જવા સ્પેશિયલ ટ્રેન ઉપડી હતી. નવસારીના સાંસદ સી.આર.પાટિલે ઓડિશા જતી આ ટ્રેનને ભાજપનો ઝંડો બતાવી લીલીઝંડી આપતા વિવાદ સર્જાયો હતો. સામાન્ય રીતે લીલીઝંડી બતાવીને ટ્રેનને ઉપડવાની મંજૂરી અપાતી હોય છે પરંતુ પાટિલે ભાજપ પક્ષનો ઝંડો લહેરાવતા કોંગ્રેસ પક્ષે પણ તેનો વિરોધ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લીલીઝંડીને બદલે ભાજપનો ઝંડો બતાવતા સાંસદ સી.આર. પાટિલ.


from Divya Bhaskar https://ift.tt/2KUeYpc

લૉકડાઉન પહેલાથી હેલ્થ ઓફિસર 5 વર્ષની પુત્રીથી દૂર પોરબંદરમાં ફરજ પર 

સાબરમતીમાં રહેતી અને હાલ પોરબંદરમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી કેથરીન મેકવાન લોકડાઉન શરૂ થયું ત્યારથી પોતાની પાંચ વર્ષની દીકરીને મળી નથી. તે દરરોજ પોરબંદરથી વીડિયો કોલથી તેની દીકરી સાથે વાત કરે છે. કેથરીન પાસે પોરબંદરના બે ગામનો ચાર્જ છે. પોતાની નવી નોકરીમાં હાજર થયાના થોડા જ દિવસોમાં લૉકડાઉન અમલમાં મુકાતા તે હવે લોકોની સેવા કરે છે.
કોરોના સામેની જંગમાં મેડિકલ સાથે જોડાયેલા કર્મચારીઓ સેવા કરી રહ્યાં છે. હેલ્થ ઓફિસર કેથરિન મેકવાને જણાવ્યું કે, હું ઇચ્છું તો પણ મારી દીકરીને બોલાવી શકું તેમ નથી, પરંતુ રોજ સાંજે ડ્યૂટી પૂરી કરી વીડિયો કોલથી તેની સાથે વાત કરી લઉં છું. કોરોના સામેની લડાઇમાં કોઈ કસર છોડતા નથી, પરંતુ પરિવારની યાદ પણ કોઈ વાર આવી જાય છે. અત્યારે પોરબંદરમાં સાવચેતી રાખીએ છીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Five year old met her corona warrior mother on only mobile in Porbandar


from Divya Bhaskar https://ift.tt/2VWepRU

હું ગામડેથી બોલું છું ...ડોશીઓ માટે બજર લાવી દયો નહીંતર એ પોતે તો ગાંડી થશે અમને પણ ગાંડા કરી દેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાઉન્સેલિંગ સેન્ટરમાં શનિવારે પણ કોરોના કકળાટે સર્જેલી સમસ્યાના સમાધાન માટે લોકોના ફોન આવ્યા હતા જેમાં એક વિદ્યાર્થીએ કહ્યું કે, હું નામ નહીં આપું પરંતુ આપણી જ યુનિ.નો વિદ્યાર્થી છું.. અત્યાર સુધી પરીક્ષાની કોઇ જાહેરાત ન હતી અચાનક પરીક્ષાની જાહેરાત આપી એમ અમને કશો વાંધો નથી. પરંતુ અમને 31 માર્ચ સુધીના લોકાડાઉનની વાત કરી હતી માટે 10 દિવસ માટે થઇને અમે બુક્સ પણ લાવ્યા નથી. અમે કઇ રીતે વાંચીએ? અમારા ચોપડા હોસ્ટેલમાં પડ્યા છે. શું કોરોના બીમારીના કારણે કરિઅર સાથે અન્યાય થશે. પરીક્ષાનું શું કરીએ? તમે વીસી સાહેબને વિનંતી કરો.
10 દી’ના લોકડાઉનની વાત હતી, ચોપડા લાવ્યા નથી, હોસ્ટેલમાં પડ્યા છે, શું કરીએ?

  • અમે બે ભાઇઓ છીએ એમાં હું મોટો છું હું ઓસ્ટ્રેલિયા રહેતો હતો. અહીં અમે બે ભાઇઓ અલગ જ રહીએ છીએ રાજીખુશીથી. પરંતુ હું છેલ્લા છ મહિનાથી અહીં ઇન્ડિયામાં જ છું મારા પરિવાર સાથે, મારા માતાપિતા મારી સાથે જ રહેતા હતા પરંતુ આ કોરોનાએ અમને અલગ કરી દીધા જ્યારથી લોકડાઉન આવ્યું ત્યારથી તેઓ મારા નાનાભાઇને ત્યાં જતા રહ્યા છે. મારા ભાઇને કઇ જ વાંધો નથી. પરંતુ મારા મમ્મી પપ્પા એવું માને છે કે હું વિદેશથી આવ્યો છું તો મને કોરોના હશે? મે ટેસ્ટ પણ કરાવ્યા મને કંઇ જ છે નહીં. મારા પરિવારમાંથી પણ કોઇને કઇ નથી પણ તેઓ મારા ઘરે આવવાનું તો ઠીક મારું મોઢું પણ જોવા નથી માગતા. મારા ભાઇને કે એના દીકરા દીકરીને આવવા નહીં દેતા, બોલવા નહીં દેતા. એની માનસિક સમસ્યાનું નિરાકરણ કરાવો.
  • હું ગામડેથી બોલું છું. અમારી અહીંની ડોશીઓને બજર સૂંઘવાની ટેવ છે. હવે આ લોકડાઉનમાં ક્યા લેવા જાવ. કઇક ખોલો નહીંતર કઇક વ્યવસ્થા કરી દ્યો, નહીંતર એ પોતે તો ગાંડી થઇ જશે પણ અમને ગાંડા કરી દેશે. આનું નિવારણ કરો. નહીંતર તમે એને સમજાવો. રોજ-રોજ લાવી દેવાનું કહે છે હું ક્યા લેવા જઉ? તમારે ત્યાં મળતી હોય તો જલ્દી મોકલજો નહીંતર આ બધી ભેગી થઇને અમારો જીવ લેશે.
  • ઔદ્યોગિક વસાહતના એક બેન: ખૂબ જ ગુસ્સો આવે છે. આત્મહત્યાના વિચારો આવે છે. માથું પછાડવાના વિચારો અને ક્યારેક ક્રિયા પણ થઇ જાય છે. રડવું આવે છે શું કરું?
  • પત્ની : મારે એક દીકરી છે અને પતિનો વ્યવસાય ગોરપદુ, આર્થિક સ્થિતિ નિમ્ન. આ એવો સમય આવ્યો જેમાં બ્રાહ્મણોની વિધિ લોકડાઉન ખુલ્યા પછી ક્યારે શરૂ થશે તે પ્રશ્ન છે. વળી કોઇ વ્યવસાય ગણતું ન હોય કોઇ સહાય પણ નહીં મળે. ઘરમાં અત્યારે અત્યંત ચિંતા છવાઇ ગઇ છે. એક દીકરી છે તેને સગાને ઘેર મૂકી આવ્યા. બે રૂમનો નાનકડો ફ્લેટ છે તેમાં બે વ્યક્તિ જ રહી છીએ. 24 કલાકમાં બે વાર ‘જમવા ચાલો’ એટલી જ વાત થાય. તે મૂંગા જમીને બાજુના ફલેટમાં ઇસ્ટો રમવા ચાલ્યા જાય. હું ઘરે વધુ પરેશાન થાઉ છું. અમારા ત્રણ વ્યક્તિનો પરિવાર વિખેરાઇ ગયો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2SKyrgz

અમેરિકામાં 115 મીટપેકિંગ પ્લાન્ટમાં 4193, ન્યુક્લિયર પ્લાન્ટમાં 171 કર્મી સંક્રમિત

અમેરિકાના 115 મીટપેકિંગ પ્લાન્ટમાં 4193 કર્મચારી કોરોના પોઝિટિવ જણાયા. ટોચની આરોગ્ય એજન્સી સીડીસીએ આ માહિતી આપી. એજન્સીએ કહ્યું કે આ ચેપી દર્દીઓમાંથી 20નાં મોત થયાં છે. અમેરિકામાં મીટ અને પોલ્ટ્રી ઉદ્યોગોમાં આશરે 5 લાખ લોકો કામ કરે છે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ રહ્યું નથી.

ગત મહિને ડઝનો મીટ પ્રોસેસિંગ પ્લાન્ટ્સને લૉકડાઉનમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેનો ઘણા માસ વેપારી અને ખેડૂતોએ વિરાધ કર્યો હતો. તેથી પ્રમુખ ટ્રમ્પે પણ કહ્યું હતું કે પ્લાન્ટ્સ ફરી ખોલવા જોઇએ. બીજી બાજુ જ્યોર્જિયાના વાયનેસબોરો શહેરના એક ન્યુકિલ્યર પ્લાન્ટમાં 171 કર્મી કોરોના પોઝિટિવ જણાયા. અન્ય 48નાસેમ્પલ મોકલવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
4193 workers infected in 115 meat packing plants in America, 171 workers infected in nuclear plant


from Divya Bhaskar https://ift.tt/2yZ8ti9

Are jhadoo-pocha pics killing the cult of the glamorous celebrity?

Has corona killed the very notion of Celebrity? Introspection is in; flake has crumbled in the grip of the mighty mite. As the virus bulldozes over our certainties, the world looks back in shock at...

from Times of India Opinion https://ift.tt/2KZAeK1

Special shramik trains scheduled to ferry stranded migrant labourers, others to Bihar

Special shramik trains scheduled to ferry stranded migrant labourers, others to Bihar

from India Today | Top Stories https://ift.tt/2Swlqqz

Why Covid-19 has sparked a boom in conspiracy theories

This is all because of 5G? Or perhaps you heard how Bill Gates plans to slip surveillance technology into our bodies through a vaccine? And you can’t have escaped the theory that Covid-19 was created...

from Times of India Opinion https://ift.tt/2WkrgML

Bollywood staggers under a one-two punch

Rishi Kapoor and Irrfan Khan leave behind an indelible imprint on cinema As the pandemic’s cortege of fear and trauma continues, the low point for lovers of Indian cinema came this week when two greats...

from Times of India Opinion https://ift.tt/3bYJvy5

With tough lockdown, Modi upturns the belief that lives in India are cheap

There has been a minor political storm in the United Kingdom over the propriety of Prime Minister Boris Johnson’s colourfully abrasive political adviser Dominic Cummins sitting in on meetings involving the country’s top scientific advisers....

from Times of India Opinion https://ift.tt/2zMQGuU

Shutdowns kill people and biz, ease them fast

The most startling lesson from global experience is that shutdowns may be killing almost as many people as the Covid virus. The supposed cure is almost as bad as the disease. The Financial Times, London,...

from Times of India Opinion https://ift.tt/2zSESaG

ઓરેન્જ-ગ્રીન ઝોનમાં સલૂન ખૂલશે, ઘરકામ કરવા જઈ શકાશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે ચોથી મેથી શરૂ થતાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના નિયમો અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે. જેમ કે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સલૂન, નાઈની દુકાનો ખૂલી શકશે. આ સાથે વિવિધ ઘરોમાં કામ કરતી મહિલાઓ, ઘાટી પણ જઈ શકશે.
સ્ટેન્ડ અલોન લિકર શૉપ પર પણ વેચાણ થઈ શકશે

આ સાથે આ બંને ઝોનમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા તમામ વસ્તુના વેચાણને પણ મંજૂરી અપાઈ છે. એટલે કે આ ઝોનમાં લોકો ઓનલાઈન કોઈ પણ ચીજવસ્તુ મંગાવી શકશે. એટલું જ નહીં, સ્ટેન્ડ અલોન લિકર શૉપ પર પણ વેચાણ થઈ શકશે, પરંતુ ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે અને ત્યાં પાંચથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salon will open in the orange-green zone


from Divya Bhaskar https://ift.tt/3dazz4A

લૉકડાઉનને કારણે ઘરની બહાર નહીં જઈ શકતા ડાઉન સિન્ડ્રોમ ધરાવતાં બાળકો ઘરમાં કિંમતી વસ્તુની તોડફોડ કરે છે

લૉકડાઉનને પગલે ડાઉન સિન્ડ્રોમ ધરાવતાં બાળકોના માતા-પિતાની સ્થિતિ કફોડી બની ગઇ છે. સામાન્ય સંજોગોમાં 24 કલાકમાં 1 કલાક ફરજિયાત ઘરની બહાર જતાં ડાઉન સિન્ડ્રોમ બાળકોને લોકડાઉનને પગલે છેલ્લા દોઢ મહિનાથી ઘરમાં રહેવાનો વારો આવ્યો છે. તેમના ટ્રેનિંગ સ્કૂલ અને કાઉન્સેલિંગ પણ બંધ થઇ જતા ઘરમાં નુકશાન કરતા હોવાની અનેક ફરિયાદો તેમના માતા-પિતા દ્વારા હેલ્પલાઇન અને સાઇકયાટ્રીકને કરાઇ રહી છે.
લૉકડાઉનને કારણે નોર્મલ માણસોના માનસને પણ અસર થઇ રહી છે તો ડાઉન સિન્ડ્રોમ બાળકોને તેની વધુ વિપરિત અસર જોવા મળી રહી છે. તેમની ટ્રેનિંગ સ્કૂલ અને ફરવાનો સમય બન્ને બંધ થઇ જતા તેમના મગજ પર નિયંત્રણ રહેતુ નથી. ચંચળ મન હોવાથી સતત કોઇ પ્રવૃતિમાં તેમને વ્યસ્ત રાખવા પડતાં હોય છે આવા સંજોગોમાં માતા-પિતા તેમને નિયત્રંણમાં રાખી શકતા નથી. હેલ્પલાઇનમાં આવેલા કોલમાં એવી ફરિયાદ કરાઇ છે કે તેમના બાળકોની પ્રવૃતિ અટકી જતાં તેમના ઘરમાં કિંમતી વસ્તુઓની તોડફોડ કરે છે,ચીસો પાડે છે.જેના કારણે પાડોશી પણ ફરિયાદ કરી રહ્યા છે. હેલ્પલાઇનમાં આવી ફરિયાદ વધી જતા કાઉન્સિલર અને સ્પેશ્યલ ચિલ્ડ્રનના ટીચરને બાળકોને ઘરે મોકલાય છે.
માતા મોબાઇલમાં વ્યસ્ત હોવાથી બાળકે ફોન ફેંકી દીધો
વાસણામાં ભાવના ફ્લેટમાં રહેતા ઉર્વશીબેન શર્માનો 12 વર્ષનો દીકરો ડાઉન સિન્ડ્રોમ ધરાવે છે. તેને સામાન્ય સંજોગોમાં તેને રોજે સવારે અને સાંજે 1-1 કલાક ફરવા લઇ જવો પડે છે. પરતું લોકડાઉન થતા તે ઘરમાં પુરાઇ ગયો છે તેની પ્રવૃતિ બંધ ગઇ હતી તો બીજી તરફ તેની માતા ઉર્વશીબેન સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હતી. જેના કારણે દિકરાએ એક રાત્રે ઉર્વશીબેનનો મોબાઇલ ફોન ફલેટની બાલ્કનીમાંથી બહાર ફેંકી દીધો હતો.
બાળકોને મુક્ત સમય-જગ્યા હકારાત્મક અસર ઉપજાવે
શહેરમાં હેલ્પલાઇનમાં 5 થી 7 બાળકોના માતા-પિતાએ મદદ માગી હતી. તેમણે જણાવ્યુ હતુ કે બાળકો ઘરમાં રહીને અન્ય સભ્યો પર હુમલો પણ કરે છે, કિંમતી વસ્તુઓ તોડી નાખે છે. તેમના શિક્ષકો કાઉન્સિલિંગ દરમ્યાન કહે છે કે તેમને ઘરની બહાર ચોખ્ખી હવામાં ફેરવવા જરૂરી છે.આવું કરવાથી તેમનામાં હકારાત્મક અસરો ઉપજી શકે છે. પરતું લોકડાઉનના લીધે માતા-પિતા તેમને બહાર લઇ જઇ શકતા નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2WqVNZE

51 ટકા ભારતીય ઈચ્છે છે કે અર્થતંત્ર શરૂ કરવું જોઈએ, ગભરાય પણ છે

કોરોનાના કેર વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું લૉકડાઉનનો અંત લાવી અર્થતંત્રને ફરી ખોલી દેવું જોઈએ? દુનિયાભરના લોકોએ આ મામલે અલગ અલગ અભિપ્રાય અને ભાવનાઓ વ્યક્ત કરી. ભારતીયોની વાત કરીએ તો 51 ટકા ભારતીયો કહે છે કે કોરોનાને સંપૂર્ણપણે ખતમ કર્યા વિના જ અર્થતંત્ર ખોલી દેવું જોઇએ. તેમાં સૌથી વધુ 60 ટકા રશિયાના છે. દરમિયાન ઘરથી બહાર નીકળવા અંગે મોટાભાગના લોકોમાં ગભરાટ છે.
આ 14 દેશ સામેલ
ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન, બ્રાઝીલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, રશિયા, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, સ્પેન, અમેરિકા.
અહીં 50 ટકા ઈચ્છે છે કે બધું ખૂલી જાય
ક્યારેક સૌથી વધુ પ્રભાવિત ઈટાલી અને જર્મનીમાં પણ 50 ટકાથી વધુ લોકો લૉકડાઉન ખોલવાના પક્ષમાં છે. રશિયામાં સૌથી વધુ 60 ટકા લોકોએ ઈકોનોમી ખોલવાની વાત કહી.

દેશ સમર્થન
રશિયા 60%
ચીન 58%
ઈટાલી 53%
ભારત 51%
જર્મની 50%

અહીં 60% લૉકડાઉનની તરફેણમાં

બ્રિટનમાં 10માંથી 7 લોકો લૉકડાઉનના પક્ષમાં છે, જ્યારે અમેરિકામાં 10માંથી 6 લોકો. સ્પેન, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકોમાં પણ મોટાભાગના લોકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

દેશ લોકો
બ્રિટન 70%
મેક્સિકો 65%
સ્પેન 61%
ઓસ્ટ્રેલિયા 61%
અમેરિકા 59%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2yl1v7b