
from India Today | Top Stories https://ift.tt/2UWI9h4
રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગાંધીનગરમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે. કોરોના પોઝિટિવ પૌત્રના સંપર્કમાં આવેલા 84 વર્ષીય દાદાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.રાજકોટના જંગલેશ્વરમાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 281 દર્દીઓ થઈ ગયા છે.
અમદાવાદમાં એક જ દિવસમાં 58 કેસ, વડોદરામાં 21 કેસ નોંધાયા
અમદાવાદમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. 58 કેસમાંથી 30 કેસ સફી મંજિલ વિસ્તારના છે. અગાઉ અહીં એક પોઝિટિવ કેસ મળતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર કવોરન્ટાઈન કરાયો હતો. તે પછી અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવાયા હતા.વડોદરામાં નાગરવાડાના સૈયદપુરાના જ એક દિવસમાં 21-21 પોઝિટિવ રિપોર્ટ જાહેર થયાં છે. જ્યારે એક ખાટકીવાડાનો એમ કુલ મળીને 22 કોરોના પોઝિટિવ એક જ દિવસમાં વધતાં તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ નાગરવાડા અને તાંદળજામાં પણ પોલીસે બંદોબસ્ત રાખીને ક્લસ્ટર ક્વોરન્ટાઇન્ડ વિસ્તારોને સૂમસામ રાખ્યાં હતા.
વિશ્વભરમાં કોરોના સંક્રમણના 16 લાખથી વધારે કેસ નોંધાયા છે. 95 હજાર 731 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ લાખ 57 હજાર લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપવામાં આવી છે. અમેરિકામાં સૌથી ખરાબ અસર જોવા મળી રહી છે. અહીં ચાર લાખ 68 હજાર 799 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 હજાર 697 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થાને ખરાબ અસર પડી છે. અહીં એક કરોડ 68 હજાર લોકો બેરોજગાર થઈ ગયા છે. રેસ્ટોરાં અને દુકાનો બંધ હોવાથી જરૂરી સામાનની અછત સર્જાઈ છે. આ સ્થિતિને જોઈને સરકારે ફૂડ બેન્કના માધ્યમથી રાશન અને ખાવાની બીજી વસ્તુઓ આપવાની શરૂઆત કરી છે. દક્ષિણ આફ્રિકામાં સંક્રમણને રોકવા માટે બે સપ્તાહનું લોકડાઉન વધારાયું છે.
અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા : ટ્રમ્પ
વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે અમેરિકામાં અમે અત્યાર સુધીમાં ખૂબ જ મુશ્કેલ અને સટીક 20 લાખ ટેસ્ટ કરાવ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે અમે શું કરી રહ્યા છીએ. અમારું ટેસ્ટિંગ ઓપરેશન ખૂબ જ આગળ ચાલી રહ્યું છે. આ ખૂબજ મુશ્કેલ અને બીજાની તુલનામા સર્વોત્તમ છે. જોકે વધુ મોટા પ્રમાણમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ નહીં થાય અને મને આશા છે કે આની જરુર પણ નહીં પડે.
ઈટાલીમાં 18 હજાર અને સ્પેનમાં 15 હજારથી વધારે મોત
ઈટાલીમાં કોરોના વાઈરસના કુલ કેસ 1 લાખ 43 હજાર 626 નોંધાયા છે અને 18 હજાર 279 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે સ્પેનમાં એક લાખ 53 હજાર 222 કેસ નોંધાયા છે અને 15 હજાર 447 લોકો મોતને ભેટ્યા છે. ફ્રાન્સ અને જર્મનીમાં પણ એક લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
કોરોના વાઈરસનો ચેપ માનવીને ઝડપી રીતે લપેટમાં લઈ રહ્યો છે. એક ચેપગ્રસ્ત વ્યક્તિ સેંકડો લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. કોરોના દર્દીની સારવાર કરનારા ડૉક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મીઓને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે. એવામાં રોબોટ ઝડપથી અને કુશળતાપૂર્વક ઘાતક કોરોના વિરુદ્ધ યુદ્ધમાં ભૂમિકા ભજવી રહ્યા છે. ચીનના વુહાન શહેરમાં એક અસ્થાયી હોસ્પિટલમાં કોરોના મહામારી પ્રકોપ શરૂ થતા રોબોટની એક ટીમે અસ્થાયી રૂપે દર્દીઓની દેખરેખ શરૂ કરી. રોબોટ્સના માધ્યમથી દર્દીઓને ભોજન પિરસાયું, સમયાંતરે તેમનું તાપમાન ચેક કરાયું અને મશીનો દ્વારા જ દર્દી સાથે વાત કરવામાં આવી.
રોબોટ ઉપયોગી માહિતી અને દર્દી સાથેવાત પણ કરે છે
આવો જ એક રોબોટ ક્લાઉડ જિન્જર છે, તેને ચીનની ક્લાઉમાઈન્ડ્સે બનાવ્યો છે. આ કંપની બેઈજિંગ અને કેલિફોર્નિયામાં કામ કરે છે. ક્લાઉમાઈન્ડ્સ પ્રેસિડેન્ટ કાર્લ ઝાઓએ આ હ્યુમેનોઈડ રોબોટ વિશે કહ્યું કે તે ઉપયોગી માહિતી, વાત કરવા અને ડાન્સ કે સિંગિંગની સાથે મનોરંજન અને સ્ટ્રેચિંગ અભ્યાસના માધ્યમથી દર્દીઓની દેખરેખ કરી રહ્યા છે. સ્માર્ટ ફિલ્ડ(અસ્થાયી) હોસ્પિટલ સંપૂર્ણપણે રોબોટ્સની મદદથી ચલાવાઈ હતી. એક નાની મેડિકલ ટીમે રિમોટથી હોસ્પિટલના રોબોટને નિયંત્રિત કર્યા હતા. દર્દીઓને રિસ્ટબેન્ડ પહેરાવ્યાં જે તેમનું બ્લડપ્રેશર અને વાઈટલ ડેટા એકત્રિત કરતું હતું.
થાઇલેન્ડ, ઈઝરાયલ જેવા દેશોમાં દર્દી ડૉક્ટરોની સલાહ માટે રોબોટને મળે છે
આ રોબોટ્સ અમુક દિવસ માટે જ દર્દીઓને સંભાળતા હતા પણ તેનાથી ભવિષ્યની તસવીર સ્પષ્ટ થઈ કે રોબોટ ચેપી રોગોના દર્દીઓની દેખરેખ કરી શકશે. જ્યારે સ્વાસ્થ્ય કર્મી સુરક્ષિત અંતરેથી તેમની મદદ લેશે. થાઇલેન્ડ, ઈઝરાયલ જેવા દેશોમાં દર્દી ડૉક્ટરોની સલાહ માટે રોબોટને મળે છે. અમુક રોબોટ દર્દીનાં ફેફસાંનું ચેકઅપ કરે છે. આ પૂરું કામ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થાય છે.
અમેરિકા : ઓટોનોમસ વ્હિકલથી ટેસ્ટિંગ, માનવીની જરૂર જ નથી પડતી
ફ્લોરિડાના મેયો ક્લિનિકે અમેરિકામાં પહેલી વાર કોરોના ટેસ્ટિંગ માટે ઓટોનોમસ વ્હિકલ લોન્ચ કર્યુ છે. તે સેમ્પલ લઈને લેબમાં પહોંચાડે છે. તેમાં માનવીની જરૂર નથી પડતી, એટલા માટે ચેપની પણ ચિંતા નથી. વોશિંગ્ટનમાં સ્ટારશિપ ટેક્નોલોજીએ ડિલિવરી રોબોટના માધ્યમથી વસ્તુઓ મોકલવાની શરૂઆત કરી છે.
વિશ્વ આરોગ્ય સંગઠન અને વિશેષજ્ઞ સતત કહી રહ્યા છે કે જ્યાં સુધી વધુ તપાસ નહીં થાય ત્યાં સુધી કોરોનાના દર્દીઓનો સાચો આંકડો જાણવા મળશે નહીં અને સંક્રમણ બેકાબુ બનશે. દર્દીની સંખ્યા સતત વધી રહી છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો તપાસ વધારવાનું કામ કરી રહી છે.
છ રાજ્યોમાં દેશની 27.3 ટકા વસ્તી રહે છે
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગુરુવારે સવાર સુધીમાં 5734 સંક્રમિત હતા. તેમાં 61 ટકા દર્દી દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગણા, કર્ણાટક અને કેરળના હતા. આ છ રાજ્યોમાં દેશની 27.3 ટકા વસ્તી રહે છે. પરંતુ કોરોનાની તપાસ માટે 52 ટકાથી વધુ લેબ નથી. હવે અલગ-અલગ રાજ્યોમાં 21 નવી લેબ બનાવવાની યોજના છે. તેમાં પણ 7 લેબ આ 6 રાજ્યોમાં બનાવવાની યોજના છે. દેશમાં જ્યારે સંક્રમિતોની સંખ્યા 4067 હતી ત્યારે 284 જિલ્લા આ બીમારીથી પ્રભઆવિત હતા.
તપાસ લેબમાં બે શિફ્ટમાં કામ કરવાની તૈયારી
આઈસીએમઆરના વૈજ્ઞાની ડૉ. આર. ગંગાખેડકરે કહ્યું કે લેબનું વર્કિંગ બે શિફ્ટમાં કરવાની તૈયારી છે. અત્યારે રોજની 13 હજાર તપાસની ક્ષમતા છે. તે વધારીને 26 હજાર કરી શકાય તેમ છે.
લેબ વધુ, દર્દી પણ વધુ
રાજ્ય | લેબ | દર્દી |
મહારાષ્ટ્ર | 29 | 1135 |
તમિલનાડુ | 20 | 738 |
દિલ્હી | 15 | 669 |
તેલંગણા | 25 | 427 |
કેરળ | 14 | 345 |
કર્ણાટક | 14 | 181 |
જ્યાં લેબ ઓછી, દર્દી પણ ઓછા
રાજ્ય | લેબ | દર્દી |
ઝારખંડ | 2 | 4 |
બિહાર | 4 | 38 |
છત્તીસગઢ | 2 | 10 |
ઓડિશા | 4 | 42 |
ઉત્તરાખંડ | 1 | 33 |
શહેરમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આ 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. 58 કેસમાંથી 30 કેસ સફી મંજિલ વિસ્તારના છે. અગાઉ અહીં એક પોઝિટિવ કેસ મળતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટિન કરાયો હતો. તે પછી અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવાયા હતા. 7 વર્ષની બાળકીથી લઈને 74 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય SVPમાં સારવાર લઈ રહેલા 48 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ આવે તે પહેલાં મોત થયું હતું. જ્યારે સિવિલમાં દાખલ 50 વર્ષીય દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ 7નાં મોત થયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 142 થઈ છે.
દરેક ઘરમાંથી એક-એક વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા
દાણીલીમડા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય અબ્દુલકૈયુમ શેખને 31 માર્ચે કોરોના પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ જ્યાં રહે છે તે અત્યંત ગીચ એરિયા અને ચાલી પ્રકારનો વિસ્તાર હોવાના કારણે હેલ્થ વિભાગે તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા સાત લોકો ઉપરાંત સંખ્યાબંધ લોકોને હોમ ક્વૉરન્ટિન કરી દીધા હતા અને ત્યારબાદ સફી મંજિલ વિસ્તારના 128 ઘરોને ક્લસ્ટર ક્વૉરન્ટિન કરી દેવામાં આવ્યા હતા. અને દરેક ઘરમાંથી એક-એક વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ગુરુવારે 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ એક જ વ્યક્તિના સીધા સંપર્કમાં આવેલા અને પરોક્ષ રીતે સંપર્કમાં આવેલા એક સાથે 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની અમદાવાદની આ પહેલી ઘટના છે. દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર બની ગયો હોવાનું હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવુ છે. હજુ જેમના સેમ્પલ લેવામાં આવ્યા છે તે ઘણા લોકોના રિપોર્ટ પણ બાકી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ આવ્યા ત્યાં સુધી એક પણ વ્યક્તિને કોરોનાનાં લક્ષણો દેખાયા નથી
હેલ્થ અધિકારીનું કહેવું છે કે, જ્યારે એક વ્યક્તિને ચેપ લાગ્યો હતો ત્યારે અમે અહીં ક્લસ્ટર ક્વૉરન્ટિનન કરી દીધું હતું. ખાસ કરીને, સફી મંજિલ એરિયામાં આવેલા માઝ કોમ્પ્લેકસ, શાહરૂખ કોમ્પ્લેકસ, ઝુબેર ડુપ્લકેસ, ધોબીની ચાલી સહિતના એરીયાનો સમાવેશ થાય છે. 31 માર્ચ પછી સતત અહીં લોકોના સેમ્પલ લેવાની અને તપાસ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પણ રિપોર્ટ આવ્યા ત્યાં સુધી એક પણ વ્યક્તિને કોરાનાના એક પણ લક્ષણો હજુ સુધી દેખાયા નથી પરંતુ તમામ 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સ્થિતિ જોતા અમે જ ચિંતામાં છીએ કે આવા અન્ય કેસ કેટલા હશે જેમને કોઈ પણ લક્ષણો નથી છતાં તેઓ કોરોનાના વાહક છે. કાલુપુરના કુત્બી મહોલ્લા, દરિયાપુરની માતાવાળી પોળ, જમાલપુરની ખજૂરાવની પોળ અને શાહપુરના ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ મળ્યા છે.
જોધપુરમાંમહિલામાં કોરોનાનાં કોઈ લક્ષણ ન દેખાયાં, રિપોર્ટ કઢાવતાં પોઝિટિવ
અમદાવાદમાં પોઝિટિવ ત્રીજો કેસ જોધુપુર વિસ્તારમાં આવેલા રત્નાકર એલિગન્સમાં રહેતી વ્યક્તિનો આવ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. જો કે, તેમનો ચેપ તેમની 40 વર્ષની દીકરીને લાગ્યો હતો. જોકે, તેનામાં શંકાસ્પદ લક્ષણો જણાયાં ન હતા. પરંતુ મ્યુનિ.એ તેમનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવતા એસવીપીમાં દાખલ કરાયાં છે.
એલજી પાસે મેડિકલ સ્ટોર ધરાવનારનો રિપોર્ટ પોઝિટિવ
મણિનગરના ગિરિવા એપાર્ટમેન્ટમાં રહેતી 47 વર્ષીય વ્યક્તિ એલજી હોસ્પિટલ નજીક મેડિકલ સ્ટોર ધરાવે છે. તેમને ચેપ ક્યાંથી લાગ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. કોઈ દર્દી દવા લેવા આવ્યું હોય અને ચેપ લાગ્યો હોય તેમ મનાય છે.
થલતેજમાં રહેતાં તબીબ પુત્રવધૂનો ચેપ 92 વર્ષીય સસરાને લાગ્યો
બાપુનગરની સરકારી હોસ્પિટલમાં પેથોલોજિસ્ટ તરીકે કામ કરતાં મહિલા તબીબને કોરોના પોઝિટિવ આવતા 26 માર્ચે તેમને દાખલ કરાયાં હતાં. તેમના પતિને પણ કવોરન્ટાઇન કરી દેવાયા હતા. આ પછી તેમના સસરામાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કઢાવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હજુ તેમના પુત્રવધૂ પણ હોસ્પિટલમાં છે.
LGમાં દાખલ 75 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
ઘોડાસરની વૈભવપાર્ક સોસાયટીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને પહેલા ત્રણ દિવસ તાવ આવ્યો હતો. જોકે, આ દિવસોમાં તેઓ ઘરે રહ્યાં હતા પરંતુ પછી શ્વાસની તકલીફ શરૂ થતા તેમને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમને ઈન્ટીબેટ કરવામાં આવ્યું હતું અને પછી તકલીફ વધતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પિતાનો ચેપ પુત્રને લાગ્યો, ફ્લેટના પાડોશી પણ ઝપેટમાં
આં બાવાડીના નીલમ એપાર્ટમેન્ટમાં પહેલા એક આધેડને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થતાં એસવીપીમાં દાખલ કરાયા હતા. તેમનો ચેપ તેમના દીકરાને લાગ્યો હતો અને રઠી ફલેટમાં જ રહેતી મહિલાને તેમનો ચેપ લાગ્યાનું મનાય છે.
જમાલપુરમાં એક મહિલાનો ચેપ ઘરના 4 સભ્યાેને લાગ્યો
જમાલપુર ખજુરાવની પોળ ખાતે એક મહિલાને કોરોના ડિટેકટ થયો હતો. તેઓ સુરતથી 20 માર્ચે અહીં આવ્યાં હતાં. તેમના જ પરિવારના 8 વર્ષીય કિશોર, 48 વર્ષીય મહિલા, 22 વર્ષીય યુવક અને 72 વર્ષીય આધેડને ચેપ લાગ્યો.
કાલુપુરમાં એક પરિવારનો ચેપ ત્રણ પાડોશીને લાગ્યો
કાલપુરની માતાવાળી પોળમાં એક રહીશનો ચેપ પહેલા તેમના જ પત્ની, દીકરા, પુત્રવધૂ અને પૌત્રીને લાગ્યો હતો. આ તમામ લોકો હજુ પણ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પોળના લોકોના મ્યુનિ.એ સેમ્પલ લીધાં હતાં, જેમાં વધુ ત્રણ 45, 70 અને 33 વર્ષીય પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ વ્યક્તિના ચેપથી વધુ ત્રણ ઝપેટમાં આવ્યા હતા.
કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવના સંપર્કમાં, રિપોર્ટ નેગેટિવ આવ્યો
બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ થોડા દિવસ પહેલા તેમના વિસ્તારમાં આવેલા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. બુધવારે તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓ એસવીપી હોસ્પિટલમાં ટેસ્ટ માટે ગયા હતા. તેમના સેમ્પલ લેવાયા હતા. જો કે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એક તબક્કે કોન્સ્ટેબલ કોને કોને મળ્યો તે શોધવા હેલ્થ વિભાગની ટીમો કામે લાગી હતી.
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 1,400 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જ્યારે બ્રિટનમાં 24 કલાકમાં 786 મોત થયાં. આમ, ફ્રાન્સમાં એક મિનિટમાં એક જ્યારે બ્રિટનમાં બે મિનિટમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું. ફ્રાન્સમાં મૃત્યુઆંક 10 હજારને પાર થઇ ગયો છે. દેશમાં કોરોનાથી હોસ્પિટલમાં 7,091 લોકોનો જ્યારે ઓલ્ડ એજ હોમ્સમાં 3,237 લોકોનો જીવ ગયો છે. ડબલ્યુએચઓએ યુરોપની સ્થિતિ અંગે બુધવારે ચિંતા વ્યક્ત કરી છે. નેધરલેન્ડમાં બુધવારે અંદાજે 1 હજાર નવા કેસ સામે આવ્યા, જે પછી આંકડો 20 હજારને પાર પહોંચી ગયો છે.
ફ્રાન્સ કોરોનાના 1 લાખથી વધુ દર્દીઓ ધરાવતો વિશ્વનો પાંચમો દેશ
બ્રિટનમાં નર્સોની અછતના કારણે સૈન્યના જવાનોને એમ્બ્યુલન્સ સર્વિસમાં મદદ માટેની તાલીમ અપાઇ રહી છે. બીજી તરફ ફ્રાન્સ કોરોનાના 1 લાખથી વધુ દર્દીઓ ધરાવતો વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. ફ્રાન્સમાં અંદાજે 7 હજાર દર્દીઓની સ્થિતિ ગંભીર છે. તેમને ઓક્સીજન સપોર્ટ પર કે આઇસીયુમાં રખાયા છે.
સ્પેનમાં મોત ફરી વધ્યા, કબ્રસ્તાનોમાં દર 15 મિનિટે એક શબ પહોંચી રહ્યું છે
સ્પેનમાં કોરોનાથી મોતની દૈનિક સરેરાશનો આંકડો મંગળવારે 743 સુધી પહોંચી ગયો. મૃત્યુઆંક 14 હજારને પાર થઇ ચૂક્યો છે. ચોતરફ લાશોના ઢગલા છે. સ્થિતિ એવી છે કે મેડ્રિડમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં દર 15 મિનિટે એક શબ આવી રહ્યું છે. અંતિમવિધિમાં વધુમાં વધુ 5 લોકો જ જોડાઇ શકે છે. ઇટાલી બાદ સ્પેન બીજો એવો દેશ છે કે જ્યાં કોરોનાથી સૌથી વધુ મોત થયાં છે. સરકારે સ્થિતિની ગંભીરતા જોતાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દીધું છે.