Ad

Thursday, July 30, 2020

સુશાંત આત્મહત્યા કેસમાં CBI તપાસ નહીં થાય, રાજસ્થાનમાં વીડિયો વાયરલ થતાં હંગામો, આ પાંચ રાશિના લોકોએ આજે સાવચેત રહેવું પડશે

આજે તા. 31 જુલાઇ અને શુક્રવાર છે. જો કોરોના વાઈરસ ન ફેલાયો હોત તો આજે નવી ફિલ્મ રિલિઝ થઇ હોત. આજે હોટસ્ટાર પર કુણાલ ખેમૂ અને રસિકા દુગ્ગલની ફિલ્મ 'લૂટકેસ' રિલિઝ થશે. આ કોમેડી ફિલ્મ છે. કોરોના કાળમાં તો આ ફિલ્મ જોઇ શકાય. આ તો વાત થઇ ફિલ્મની, હવે ઝડપથી કેટલાક સમાચારો પર નજર કરીએ.

1. અયોધ્યામાં શું ચાલી રહ્યું છે?
રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સામેલ થવાના છે. પરંતું આ પહેલા જ કોરોના અહીં પહોંચી ગયો છે.

સમાચાર મળ્યા છે કે રામલલા મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સેતેન્દ્ર દાસના શિષ્ય પ્રદિપ દાસ કોરોના સંક્રમિત થયા છે. પ્રદિપ દાસ રામલલા મંદિરના સહાયક પુજારી પણ છે. એટલું જ નહીં રામ જન્મભૂમિમાં તૈનાત 16 પોલીસકર્મી પણ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ સાંપડ્યા છે.

જો કે પુજારી અને પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયાની વાતને અહીંયાના CDO પ્રથમેશ કુમારે નકારી કાઢી છે.

2. રાજસ્થાનમાં હવે કેમ નવો હંગામો થયો?
હવે વાત રાજસ્થાનની. 20થી વધુ દિવસ થઇ ગયા છતાં અહીંયા રાજકીય વિવાદ શાંત નથી થઇ રહ્યો. રાજસ્થાનમાં સરકાર બહુમતી ગુમાવશે? કે બચશે? ત્યારે જ મામલો શાંત પડશે. આ દરમિયાન રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત પણ નજર આવે છે. આ વીડિયોમાં બંને વાતચીત કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં અધ્યક્ષ સી.પી. જોશી મુખ્યમંત્રીના પુત્ર વૈભવને કહી રહ્યા છે કે ‘મામલો ટફ થઇ રહ્યો છે’ વૈભવ કહે છે કે ‘રાજ્યસભાના સમયે જ અહેવાલ આવી ગયા હતા. જે રીતે માહોલ ખરાબ થઇ રહ્યો છે. તેમણે રાજ્યસભા ચૂંટણીના 10 દિવસ જવા દીધા, ફરી પાછા. ’

સી.પી. જોશી વૈભવને જવાબ આપે છે કે ‘30 લોકો નિકળી જાય તો તમે કશું નહીં કરી શકો. માત્ર હંગામો મચાવતા રહેતા. તેમણે સરકારી પાડી દીધી હોત. પોતાની રીતે તેમણે સંપર્ક કરીને કરાવી દીધું છે. બાકી બીજા કોઇના ગજાની વાત નથી.’

3. સુશાંતના મોતનો મામલો ક્યા સુધી પહોંચ્યો?
સુશાંત સિંહ રાજપૂતના મોતને દોઢ મહિનાથી વધુ સમય થઇ ગયો અને દરરોજ આ મામલે નવા વળાંક આવે છે. હવે સુપ્રિમ કોર્ટે સુશાંતના મોતની CBI તપાસ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુ્પ્રિમ કોર્ટમાં અલ્કા પ્રિયાએ જાહેર હિતની અરજી કરી માંગણી કરી હતી કે આ કેસની તપાસ CBI દ્વારા થવી જોઇએ. પરંતું સુપ્રિમ કોર્ટે કહ્યું કે પોલીસને તેનું કામ કરવા દો.

આ પહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે આ કેસમાં CBI તપાસની જરૂર નથી. મુંબઈ પોલીસ કેસની તપાસ કરવામાં સક્ષમ છે.

બીજી તરફ સુશાંતના પિતા કે.કે.સિંહનું કહેવું છે કે તેમને મુંબઈમાં થઇ રહેલી તપાસ પર ભરોસો નથી. તેથી તેઓ ઇચ્છે છે કે પટના પોલીસ પણ આ કેસમાં તપાસ કરે.

એવી પણ ચર્ચા છે કે, સુશાંતે મુંબઈમાં આત્મહત્યા કરી હતી અને પટનામાં FIR દાખલ થઇ હતી, જે ઝીરો FIR માનવામાં આવશે અને તપાસ મુંબઈ પોલીસ જ કરશે.

4. મણિપુરમાં અસમ રાઈફલ્સના જવાનો પર કોણે હુમલો કર્યો?
આ એક માઠા સમાચાર છે. 29 જુલાઇની સાંજે 7 વાગ્યે મણિપુરમાં અસમ રાઈફલ્સના જવાનો પર હુમલો થયો. જેમાં ત્રણ જવાન શહીદ થયા અને પાંચ ઘાયલ થયા, જેમને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ હુમલો જ્યાં થયો છે એ સ્થળ ભારત-મ્યાનમાર સરહદથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે. આ હુમલો મણિપુરના ચંદેલ જિલ્લાના ખોંગતાલમાં થયો હતો. અહેવાલ અનુસાર અસમ રાઈફલ્સના 13 જવાનોની ટીમ પોતાની પોસ્ટ પર જઇ રહી હતી. રસ્તામાં IED બ્લાસ્ટ થયો. જ્યાર બાદ છૂપાયેલા બળવાખોરોએ ફાયરિંગ કર્યું.

આ હુમલો કોણે કર્યો? એ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આ હુમલા પાછળ મણિપુરના સ્થાનિક ગ્રૃપ પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાની શંકા છે.

5. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સમારંભ ક્યારે યોજાશે?
કોરોના વાઈરસની અસર રમત-ગમત પર પડી અને હવે તેની અસર એવોર્ડ સમારંભ પર પણ પડવાની છે. અહેવાલ સાંપડ્યા છે કે આ વર્ષે 29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સમારંભ યોજાવાનો હતો. પરંતું કોરોનાને કારણે હવે તેનું આયોજન એક કે બે મહિના બાદ થઇ શકે છે. જો કે રાષ્ટ્રપતિ ભવન તરફથી આ અંગે નિર્ણય કરવાનો બાકી છે.

29 ઓગસ્ટે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતિ છે. આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેથી આ દિવસે રાષ્ટ્રપતિ રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ એનાયત કરે છે. આ સમારંભ રાષ્ટ્રપતિ ભવનમાં જ આયોજીત થાય છે.

6. કેવો રહેશે આજનો દિવસ?
...અને જતાં જતાં સૌથી જરૂરી વાત એ કે આજનું રાશિફળ શું કહે છે? તો આજે શુક્રવારે જયેષ્ઠ નક્ષત્રમાં ચંદ્ર હોવાથી ચર અને ઇન્દ્ર નામના બે શુભ યોગ બને છે. તેની અસર મેષ, વૃષભ, સિંહ, વૃશ્વિક, મકર, કુંભ અને મીન રાશિના લોકો પર પડશે. તેનો ફાયદો પણ છે. આ સાત રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં આગળ વધવાની તક આપી શકે છે.

પરંતું જો તમારી રાશિ મિથુન, કર્ક, કન્યા, તુલા કે ધન છે તો આજે થોડું સાવચેત રહેવું પડશે. કારણ કે આ પાંચ રાશિના કામકાજમાં અવરોધો આવવાની શક્યતા છે.

આજે શું-શું બનશે?
ટ્રીપલ તલાક બિલ મંજૂર થયાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું. આ પ્રસંગે લઘુમતી મંત્રાલય તરફથી આજના દિવસને મુસ્લિમ મહિલા અધિકાર દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. સરકારનો દાવો છે કે એક વર્ષમાં ટ્રીપલ તલાકના કેસમાં 70 ટકાનો ઘટા઼ડો થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant suicide case not to be investigated by CBI, video goes viral in Rajasthan, people of these five zodiac signs have to be careful today


from Divya Bhaskar https://ift.tt/310O1YI

No comments:

Post a Comment