Ad

Tuesday, August 4, 2020

એક વર્ષમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ વધીને 586, પરંતુ ભારત 21 પર સ્થિર, ચોથા ક્રમે ખસ્યું, અમેરિકા ચીનથી આગળ નીકળ્યું

હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે મંગળવારે વૈશ્વિક યુનિકોર્ન સ્ટાર્ટઅપની યાદી જારી કરી હતી. તેમાં એવા યુનિકોર્ન સામેલ છે, જેની વેલ્યૂ રૂ. 7500 કરોડ રૂપિયા (1 અબજ ડૉલર)થી વધુ છે, જે શેરબજારમાં પણ લિસ્ટેડ નથી. આ યાદી પ્રમાણે, એક વર્ષમાં દુનિયામાં એવા સ્ટાર્ટઅપની સંખ્યા 494થી વધીને 586 થઈ ગઈ છે. ગયા વર્ષે આવા સ્ટાર્ટઅપ સૌથી વધુ ચીનમાં હતા.

જો કે એક વર્ષમાં અમેરિકાએ ચીનને પછાડી દીધું છે. અમેરિકામાં એક સમયે 60 સ્ટાર્ટઅપ હતા, જે વધીને 233 થઈ ગયા છે. ચીનમાં 38 હતા, અને હવે 277 છે. યુ.કે.માં 10 હતા, અને હવે 24 છે. એવી જ રીતે, ભારતમાં ફક્ત ત્રણ સ્ટાર્ટઅપ ઉમેરાયા છે, પરંતુ ત્રણ ભારત બહાર પણ ચાલુ થયા છે. ભારતના સ્ટાર્ટઅપની કુલ વેલ્યૂ રૂ. 5,49,000 કરોડ છે. દુનિયાના સ્ટાર્ટઅપની વેલ્યૂ રૂ. 135 લાખ કરોડ છે. આ આંકડો ઈટાલીના જીડીપી જેટલો છે.

આ ત્રણ નવી કંપની ઉમેરાઈ
ભારતની યાદીમાં લેન્સકાર્ટ (રૂ. 11.25 હજાર કરોડ), જેરોધા (રૂ. 22.5 હજાર કરોડ) અને ફર્સ્ટક્રાય (રૂ. 9 હજાર કરોડ) સામેલ છે. આ યાદીમાં મોબાઈલ જાહેરખબર અને ભારતની પહેલી યુનિકોર્ન કંપની ઈનમોબી, ઓનલાઈન ક્લાસિફાઈડ પોર્ટલ ક્વિકર અને ઈ કોમર્સ માર્કેટપ્લસ શૉપક્લૂઝ કંપનીનું વેલ્યુએશન ઘટતા તે બહાર થઈ ગઈ છે.

40ના સ્થાપક આઈઆઈટીયન

  • આમ તો ભારતમાં 21 યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે, પરંતુ ભારતીય નાગરિકોના 40 સ્ટાર્ટઅપ ભારત બહાર સિલિકોન વેલીમાં છે. તેની કુલ વેલ્યૂ રૂ. 7.47 લાખ કરોડ છે.
  • જીડીપીની રીતે મોટા દેશો ઈટાલી, રશિયા, મેક્સિકો અને હોલેન્ડમાં કોઈ સ્ટાર્ટઅપ નથી.
  • ભારતમાં સ્ટાર્ટઅપને યુનિકોર્ન બનવામાં સરેરાશ સાત વર્ષ લાગે છે. અમેરિકામાં આ સમય 6.5 વર્ષ અને ચીનમાં 5.5 વર્ષ છે.
  • ચીની કંપનીઓએ 11 યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. તેમાં અલીબાબાના 5, ટેસેન્ટ અને ડીએસટી ગ્લોબલના 3-3 છે.
  • 40 ભારતીય સ્ટાર્ટઅપના સ્થાપક આઈઆઈટીના છે, જેમાં દિલ્હી IIT ટોચ પર છે.

ભારતના ટોપ-10 યુનિકોર્ન સ્ટાર્ટઅપ

રેન્ક (વધ/ઘટ) સ્ટાર્ટઅપ વેલ્યુએશન- 2020 (રૂ.હજાર કરોડમાં) વેલ્યુએશન-2019 (રૂ.હજાર કરોડમાં)
13 +10 પેટીએમ 120 75
31 +20 ઓયો રૂમ્સ 60 37.5
31 +12 બાયજૂસ 60 45
49 -06 ઓલા કેબ્સ 45 45
96 -12 સ્વિગી 26.2 22.5
96 -38 ઝોમેટો 26.2 30
108 +24 પેટીએમ માલ 22.5 22.5
108 +30 રિન્યુ પાવર 22.5 15
-- -- બિગ બાસ્કેટ 18.7 7.5
156 +108 ઉડાન 18.7 7.5

​​​​​



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Unicorn startups rise to 586 in one year, but India stabilizes at 21, moves to fourth, US overtakes China


from Divya Bhaskar https://ift.tt/33rlRZB

કલમ 370 નાબૂદ થયાને આજે એક વર્ષ પૂરું, હોટલોમાં રહેતા ઘણા પંચ-સરપંચ દિવસે ગામમાં નથી જઇ શકતા

કલમ 370 નાબૂદ થયાને આજે એક વર્ષ પૂરું થઇ ચૂક્યું છે. કાશ્મીર કેટલું બદલાયું? આ અંગે દાવા અને વાસ્તવિક હકીકત જુદા છે. બ્યુરોક્રસી કહે છે કે અધૂરા પ્રોજેક્ટ્સ આગળ વધ્યા છે. પહેલી વાર પર્યટન સહિત 22 સેક્ટર માટે પોલિસી ડોક્યુમેન્ટ બન્યા. બીજી તસવીર શ્રીનગરની હોટલોમાંથી આવે છે, જ્યાંથી પંચાયતોની ‘ઓફિસ’ ચાલી રહી છે.

અંદાજ પ્રમાણે આવા પંચ-સરપંચ 3 હજારની આસપાસ છે. 2018ની પંચાયત ચૂંટણીમાં ભાજપે ભલે સરસાઇ મેળવી હોય પણ તેના ઘણા પંચ-સરપંચ પક્ષ બદલી ચૂક્યા છે કે પછી પોતાનું ક્ષેત્ર છોડીને હોટલમાં શરણ લીધું છે. તેમનું કહેવું છે કે, આતંકીઓની ધમકીઓથી ડર્યા વિના અમે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ સુરક્ષિત નથી. અમે દિવસે અમારા વિસ્તારમાં નથી જઇ શકતા. લોકો ગામમાંથી અહીં આવીને પોતાની સમસ્યાઓ જણાવે છે. વિકાસકાર્યો પણ થઇ શક્યાં નથી.

તાજેતરમાં જ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં ભાજપના યુવા નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઇની હત્યા થઇ ચૂકી છે. માહોલ તંગદિલીપૂર્ણ છે. વિસ્તારમાંથી ભાજપના ઓછામાં ઓછા 4 નેતા પક્ષ છોડી ચૂક્યા છે. નેતાઓમાં અસલામતીની લાગણી છે. રાજ્યમાં ભાજપના મહાસચિવ અશોક કૌલનું માનવું છે કે કલમ 370 નાબૂદ થતાં આતંકવાદ પર સકંજો કસાયો છે. કોરોનાના કારણે પક્ષ પોતાનાં વચનો પૂરાં કરવામાં થોડો પાછળ જરૂર રહ્યો છે. આતંકીઓએ 2018ની પંચાયતની ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી હતી. કુલ 20,093 પદમાંથી માત્ર 6,162 પંચ અને 1,365 સરપંચ ચૂંટાયા. શ્રીનગરની હોટલમાં રહેતા એક પંચે જણાવ્યું કે અમને સુરક્ષા આપવાનું વચન અપાયું હતું પણ આજે અમારો જીવ જોખમમાં છે.

તંત્રએ દાવો કર્યો- ઇન્વેસ્ટર્સ મીટની તૈયારી
ડોમિસાઇલ સર્ટિ. લેનારા પ્રથમ બ્યૂરોક્રેટ નવીન ચૌધરી જણાવે છે કે ઇન્વેસ્ટર્સ મીટની તૈયારી પૂરી થઇ ચૂકી છે, કોરોનાના કારણે ટાળવી પડી. કિસાન ક્રેડિટકાર્ડ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી છે. 4 લાખ કાર્ડ તો અપાઇ પણ ચૂક્યાં છે. પશ્ચિમી પાકિસ્તાનના શરણાર્થીઓ, ગોરખાઓ અને વાલ્મીકિ સમાજના લોકોને ડોમિસાઇલ સર્ટિ. અપાયાં. સરહદ પરનાં 508 ગામ માટે અનામત નીતિમાં ફેરફાર કરાયો. 30 જુલાઇ સુધીમાં જમ્મુ-કાશ્મીર સર્વિસ સિલેક્શન બોર્ડના ઓનલાઇન પોર્ટલ પર 4 લાખથી વધુ યુવાનો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

ખીણમાં મુશ્કેલ માર્ગ...
અલગતાવાદીઓ તથા કેટલાંક સંગઠનોએ બુધવારે કાળો દિવસ મનાવવાનું એલાન આપ્યું છે. તેથી ખીણમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે. પ્રદર્શન, રેલીઓ પર પ્રતિબંધ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અલગતાવાદીઓ તથા કેટલાંક સંગઠનોએ બુધવારે કાળો દિવસ મનાવવાનું એલાન આપ્યું છે. તેથી ખીણમાં કર્ફ્યૂ લાદી દેવાયો. પ્રદર્શન, રેલીઓ પર પ્રતિબંધ છે.


from Divya Bhaskar https://ift.tt/30tyxNz

H-1B વિઝાધારકોને US ફેડરલ એજન્સીમાં હવે નોકરી નહીં મળે

અમેરિકામાં નોકરીનું સપનું જોઇ રહેલા ભારતીયોને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઝાટકા આપી રહ્યા છે. તેમણે હવે H-1B વિઝા અંગે એક નવો કાર્યકારી આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત અમેરિકાની ફેડરલ એજન્સીઓ H-1B વિઝા પર હાયરિંગ નહીં કરી શકે. ટ્રમ્પે સોમવારે એક કાર્યકારી આદેશ પર સહી-સિક્કા કર્યા છે, જેમાં જણાવાયું છે કે અમેરિકી ફેડરલ એજન્સીઓ વિદેશી- ખાસ કરીને H-1B વિઝા પર અમેરિકા આવતા વર્કર્સને કોન્ટ્રાક્ટ કે સબ-કોન્ટ્રાક્ટ પર નોકરી પર નહીં રાખી શકે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસની તેમનીઓવલ ઓફિસમાં આ આદેશ પર સહી-સિક્કા કરતા પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આજે હું એક કાર્યકારી આદેશ પર સહી કરી રહ્યો છું, જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે ફેડરલ સરકાર એક સરળ નિયમ પર ચાલશે- અમેરિકી નાગરિક સૌથી ઉપર. ટ્રમ્પે આ અગાઉ ગત 23 જૂને એક આદેશમાં H-1B સહિત અન્ય ઘણા ફોરેન વર્ક વિઝા ડિસેમ્બર, 2020 સુધી રદ કરી દીધા હતા. ટ્રમ્પના આ નિર્ણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે H-1B વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ રહે છે. H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અંતર્ગત કંપનીઓ થિયોરિકલ કે ટેક્નિકલ સ્કિલ ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સને નોકરી પર રાખી શકે છે. આ વિઝા હેઠળ અમેરિકી કંપનીઓ દર વર્ષે હજારો ભારતીયોને નોકરી આપે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3i9E02k

Bihar asks for CBI probe in Sushant case

With Bihar CM Nitish Kumar pushing for a CBI probe into the death of actor Sushant Singh Rajput, the state’s home department made a formal request to the Centre on Tuesday seeking an investigation into the FIR lodged by the late actor’s father KK Singh at Rajiv Nagar police station in Patna.

from Times of India https://ift.tt/2EHS8kH

રસ્તાઓ પર માંસ પડ્યું છે, બિલ્ડિંગ્સ કાટમાળમાં ફેરવાઈ, વિસ્ફોટની તીવ્રતા એટલી જાણે 4.5થી વધારે તીવ્રતાનો ભૂકંપ

લેબનોનની રાજધાની બેરુતમાં મંગળવારે સાંજે સ્થાનિક સમય અનુસાર 6 વાગે થયેલા વિસ્ફોટથી આસપાસના 10 કિલોમીટરથી પણ વધારે વિસ્તારને વેરવિખેર કરી નાખ્યો છે. આ અકસ્માતે થયેલો વિસ્ફોટ હતો કે આતંકી હુમલો તે અંગે પુષ્ટિ થઈ શકી નથી.

આ ધડાકાથી લગભગ અડધું શહેર વેરાન બની ગયું છે. અહીં રસ્તાઓ પર ચીથરેહાલ લાશો પડી છે. પોર્ટ પાસેના વિસ્તારના તમામ ઘર અને મોટી બિલ્ડિંગો કાટમાળમાં ફેરવાઈ છે. ઘાયલ લોકોને સંભાળવાવાળું કોઇ નથી કારણ કે હોસ્પિટલોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને ત્યાં જગ્યાઓ પણ અપૂરતી છે.

ધડાકામાં ત્રણ મોટી વાતો સામે આવી

  • જોર્ડનની સિસ્મોલોજી ઓબ્ઝર્વેટરીના એક્સપર્ટ આ ધડાકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 તીવ્રતાના ભૂકંપથી પણ વધારે જણાવી રહ્યા છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ધડાકાની તીવ્રતા લગભગ 1000 ટન TNT વિસ્ફોટ જેટલી હતી. આ એક નાના ન્યૂક્લિયર બ્લાસ્ટ જેવો હતો.
  • ધડાકા પછી આકાશમાં મશરૂમ જેવા આકારનું વાદળ બન્યું હતું. જે પહેલા સફેદ હતું અને ત્યારબાદ અચાનક નારંગી રંગનું થઈ ગયું હતું. ડેલી મેઇલે આ વાદળને ન્યૂક્લિયર વિસ્ફોટના વાદળ જેવું ગણાવ્યું છે. જો કે, અત્યાર સુધી વિસ્ફોટના પ્રકારની પુષ્ટિ થઈ નથી.
  • વિસ્ફોટ એક પછી એક એમ થવા લાગ્યા અને લોકોને લાગ્યું કે બેરુત પોર્ટમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. ત્યારબાદ અચાનક મોટો ધડાકો થયો અને તેણે આખા શહેરને ઝપેટમાં લીધું. ધડાકા પછી નાઇટ્રિક એસિડના વાદળ પણ બન્યા હતા.

સોશિયલ મીડિયા પર ધડાકાની બિહામણી તસવીર અને #PrayforBeirutની અપીલ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Meat spread on roads, buildings turned into rubble, earthquake of magnitude 4.5


from Divya Bhaskar https://ift.tt/33s6JLq

Kashmir inching towards prosperity with nearly no stone-pelting in months

Kashmir inching towards prosperity with nearly no stone-pelting in months




from News - Videos - The Times of India https://ift.tt/2PrJIAd

Monday, August 3, 2020

Asia shares set to gain after manufacturing data, tech stocks boost

Asia shares set to gain after manufacturing data, tech stocks boost

from India Today | Top Stories https://ift.tt/2Poefio

With eye on China, India looks to increase barriers on imports from Asia

With eye on China, India looks to increase barriers on imports from Asia

from India Today | Top Stories https://ift.tt/2XrQ477

Mumbai rains: BMC issues advisory; waterlogging at several places

Mumbai rains: BMC issues advisory; waterlogging at several places

from India Today | Top Stories https://ift.tt/3k7j1yM

UAE proud of its relationship with India: ECB

As the governing council of the league got into a phone call on Sunday to discuss the shifting of the 2020 edition, Khalid Al Zarooni, the vice-chairman of the Emirates Cricket Board (ECB) told TOI: "The IPL aside, our relationship with the Indian government, the Indian public and Indian trade is also an important aspect of our history, one that we are extremely proud of. Such support between our countries can only benefit our relationships in the future".

from Times of India https://ift.tt/2DyrkCO

Baidu, Weibo banned, to go off app stores

Baidu Search and Weibo, among the most influential apps of China and dubbed as the country’s answer to Google search and Twitter respectively, have been blocked in India.

from Times of India https://ift.tt/2PnDoK0

Serum gets DCGI nod for Phase 2 & 3 trials

India’s apex drug regulator has allowed Pune-based Serum Institute of India to conduct late-stage — Phase 2 and 3 — human trials in India for the Oxford University Covid-19 vaccine candidate.

from Times of India https://ift.tt/2Xp9JnX

Prosecutor seeks Donald Trump’s tax records, cites probe of his business

Prosecutor seeks Donald Trump’s tax records, cites probe of his business

from India Today | Top Stories https://ift.tt/2XqTvuB

Chief of staff to Brazil's Bolsonaro tests positive for coronavirus

Chief of staff to Brazil's Bolsonaro tests positive for coronavirus

from India Today | Top Stories https://ift.tt/3kbFL0q

Kolkata CPIM leader Mohammed Salim tests positive for coronavirus

Kolkata CPIM leader Mohammed Salim tests positive for coronavirus

from India Today | Top Stories https://ift.tt/3kfSBev

Serum gets DCGI nod for Phase 2 & 3 trials

India’s apex drug regulator has allowed Pune-based Serum Institute of India to conduct late-stage — Phase 2 and 3 — human trials in India for the Oxford University Covid-19 vaccine candidate.

from Times of India https://ift.tt/39ZeN7J

Arctic tents being set up in Ladakh

India is looking to restart the stalled troop disengagement process in eastern Ladakh with China, but is clearly taking no chances by also constructing insulated shelters and procuring foreign and domestic specialised clothing and gear for its soldiers for the long winter deployment ahead.

from Times of India https://ift.tt/3ka17eU

અમેરીકામાં પાટીદાર સમાજ ઓફ USAમાં પ્રમુખ તરીકે ગુજરાતી દિકરીની વરણી થઇ, 31વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાને સ્થાન મળ્યું

અમેરીકામાં 31 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત નેન્સી પટેલની લેઉવા પાટીદાર સમાજ ઓફ યુએસએમાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.નેન્સી પટેલ 31 વર્ષ બાદ લેઉવા પાટીદાર સમાજ ઓફ અમેરીકામાં સમાજની સ્થાપના બાદ મહિલા પ્રમુખ તરીકે છુટાય આવ્યા હતા.

છ રાષ્ટ્રીય સંમેલન અને ચાર રિજનલ કોન્ફરન્સના સંચાલનનો બહોળો અનુભવ
નેન્સી પટેલનો બારડોલીના સોયાણી ગામમાં જન્મ થયો હતો. જે બાદ તે અમેરીકામાં સ્થાયી થયા હતા. તેનું મુળ નામ નયના પટેલ છે. જે અમેરીકામાં નેન્સી પટેલ તરીકે ઓળખાઈ છે. નેન્સી પટેલ અમેરીકામાં લેઉવા પાટીદાર સમાજ ઓફ યુએસએમાં છેલ્લા નવ વર્ષથી સેવા આપે છે. તેમજ સંગઠનની તમામ સમિતિઓમાં સભ્યપદ ધરાવે છે. તેમની પાસે છ રાષ્ટ્રીય સંમેલન અને ચાર રિજનલ કોન્ફરન્સના સંચાલનનો બહોળો અનુભવ ધરાવે છે. આ તકે અમરેલી ડાયનેમીક ગૃપના પ્રમુખ હરેશભાઈ બાવીશી સાથે નેન્સી પટેલએ વાત કરતા જણાવ્યું હતું કે, અમેરીકામાં પણ સ્ત્રીઓ હવે પોતાની સ્વતંત્ર વિચારધારા તથા કાર્યશૈલીથી જાગૃત થઈ છે. તેના પરિણામે મને અમેરીકાના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા હોવા છતાં પ્રમુખપદ મળ્યું છે. જેનો મને આનંદ છે. નેન્સી પટેલએ અમેરીકામાં લેઉવા પાટીદાર સમાજ ઓફ યુએસએમાં પ્રમુખ સ્થાન મેળવી સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નેન્સી પટેલ


from Divya Bhaskar https://ift.tt/3fnWgmv

Lord Ram idol at Ayodhya temple should have a moustache, says Hindutva leader

Lord Ram idol at Ayodhya temple should have a moustache, says Hindutva leader

from India Today | Top Stories https://ift.tt/2EQJyQZ

Karnataka CM: Don't worry, will soon get back after recovery from coronavirus

Karnataka CM: Don't worry, will soon get back after recovery from coronavirus

from India Today | Top Stories https://ift.tt/31iRCkX

Nepal: Oli, Prachanda talks inconclusive; to meet again on Tuesday

Nepal: Oli, Prachanda talks inconclusive; to meet again on Tuesday

from India Today | Top Stories https://ift.tt/30qyEtk

Ahead of Article 370 abrogation anniversary, army reviews security in Jammu and Kashmir

Ahead of Article 370 abrogation anniversary, army reviews security in Jammu and Kashmir

from India Today | Top Stories https://ift.tt/30pKeVN

સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય પ્ર્કરણમાં ઘનશ્યામપ્રકાશને દૂર કરવા માંગ, વડતાલ ગાદીના પાંચ મુખ્ય સંત સમક્ષ પણ રજૂઆત કરાશે

વડતાલ પ્રદેશ મુખ્યગાદીના પાંચ સંત લંપટ ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને સત્સંગ સમાજમાં ભારે રોષ છે. સંપ્રદાયની પ્રતિષ્ઠાને બચાવવાની જગ્યાએ ઘનશ્યામ કંડારી દૂર કરવામાં નહીં આવે તો અગામી દિવસોમાં સંત આગેવાનો વડતાલ આવશે. વડતાલ સંપ્રદાયની મહિલા સત્સંગીઓએ છાજીયા કૂટીને વિરોધ નોંધાવશે તેવી ચીમકી સંપ્રદાય સુધારાની લડત ચલાવી રહેલા સત્સંગ સમાજ આગેવાન રાકેશ પટેલે આપી છે.

છેલ્લા ઘણા દિવસોથી કંડારી ગુરુકુળના માલિક ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી ઉર્ફે વેળાવદર વાળા વિનુભાઈ ઘોઘારી ઉપર એમના જ શિષ્ય વેદાંતવલ્લભદાસ સ્વામીએ દુષ્કર્મોનો જે આરોપ લગાવ્યો છે તેનાથી સમસ્ત સત્સંગ સમાજ ખૂબ જ આઘાતમાં છે. તેમ છતાં આજ દિન સુધી આપણા સંપ્રદાયના બની બેઠેલા સંત જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ, પૂજ્ય બાપુ સ્વામી ધંધુકા, નીલકંઠચરણદાસજી સ્વામી કલાકુંજ મંદિર સુરત, નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધાર, રામકૃષ્ણ સ્વામી ધોલેરા તરફથી એક પણ નિવેદન આવ્યું નથી. તેને લઇને સત્સંગ સમાજમાં ભારે નારાજગી છે. જો ઘનશ્યામ કંડારી ઉર્ફે વિનુ ઘોઘારીને સંપ્રદાયમાંથી દૂર કરવામાં નહિ આવે અને આ સમગ્ર ઘટના પર બંધ બારણે પરદો પાડી દેવામાં આવશે તો પાંચ વિદ્વાન સંતો જયારે પણ વડતાલ આવશે ત્યારે સંપ્રદાયના મહિલા સત્સંગીઓ એમના છાજીયા લઈને વિરોધ કરશે. ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી પર આરોપ મૂકનારા તેમના જ શિષ્ય વેદાંતવલ્લભદાસ સ્વામી છેલ્લા કેટલાક દિવસથી ગાયબ છે. તેઓ ધંધૂકા ગુરુકુળ કે કુંડળ ગામે હોવાની શક્યતા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માસુમ ભુલકાંઓ સાથે ઘનશ્યામ પ્રકાશની પ્રણય લીલા


from Divya Bhaskar https://ift.tt/2DwFoNr

ONGC gas pipeline bursts in Assam, no damage reported: Official

ONGC gas pipeline bursts in Assam, no damage reported: Official

from India Today | Top Stories https://ift.tt/39PYFFE

Karnataka: Six at CM office hit by coronavirus; Governor, Home Minister fine

Karnataka: Six at CM office hit by coronavirus; Governor, Home Minister fine

from India Today | Top Stories https://ift.tt/33oSVBC

The Kar Sevaks of Delhi: A tale of three decades

The Kar Sevaks of Delhi: A tale of three decades

from India Today | Top Stories https://ift.tt/3kcqOvs

Car stealers in top gear as Delhi unlocks

Car stealers in top gear as Delhi unlocks

from India Today | Top Stories https://ift.tt/30mGTGK

Health and education infrastructure receives boost in Jammu & Kashmir

Health and education infrastructure receives boost in Jammu & Kashmir




from News - Videos - The Times of India https://ift.tt/30nYA8P

Study reveals aerobic exercise could have final say on fatty livers

Study reveals aerobic exercise could have final say on fatty livers




from News - Videos - The Times of India https://ift.tt/3gDBYqV

Sunday, August 2, 2020

Rakhi thread ceremony: Auspicious time & mantra



from Times of India https://ift.tt/3hXX82X

અમિત શાહ કોરોનાગ્રસ્ત થયા, અમિતાભને હોસ્પિટલમાંથી રજા મળી; રક્ષાબંધન ઉજવો પણ કોરોનાને લગતા દિશા-સૂચનોનું પાલન કરો

આજે 3 ઓગસ્ટ, સોમવાર છે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આપ સૌને અભિનંદન. રક્ષાબંધનનો આ પ્રસંગ આનંદ-ખુશીઓથી ભરપૂર રહે તેવી આશા. કોરોના વાઈરસના જોખમ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું અને માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. હવે સમાચારો તરફ આગળ વધીએ....
1- અમિત શાહનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, બિગ બીને હોસ્પિટલમાંથી રજા મળી
સમાચારોમાં કોરોના વિશે વાત ન કરવાની હોત તો કેટલુ સારું કહેવાય. પણ દુખની વાત છે કે કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતુ નથી. દેશના ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ પર તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ 22 દિવસ બાદ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. પણ, દુખની વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં કેબિનેટ પ્રધાન કમલ રાણીનું કોરોના સંક્રમણને પગલે મૃત્યુ થયુ છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર થઈ ગઈ છે. 5.70 લાખથી વધારે એક્ટિવ કેસ છે. સંક્રમણનો દર અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીની સંખ્યા પણ ચિંતા ઉપજાવે તેમ છે. એક સારી વાત એ છે કે સૌથી વધારે સંક્રમણ ધરાવતા ત્રણ રાજ્યોમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના નવા કેસની તુલનામાં ઠીક થનારા દર્દીની સંખ્યા વધારે રહી છે.
2- સુશાંતના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપાડવામાં આવી હતી
સુશાંતની આત્મહત્યા કેસની મિસ્ટ્રીએ નવો વળાંક લીધો છે. તેના બેન્ક ખાતાની વિગતો સામે આવી છે. આ માહિતી પ્રમાણે અંતિમ ત્રણ મહિનામાં સુશાંતના ખાતામાંથી ત્રણ કરોડથી વધારે રૂપિયા કાઢવામાં આવ્યા હતા. આરોપ છે કે આ પૈસાનો એક મોટો હિસ્સો સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તથા તેના પરિવારના લોકો પર ખર્ચ થયા. ખાતામાંથી લાખો રૂપિયાની ચુકવણી પૂજા સામગ્રી તથા દક્ષિણા માટે કરવામાં આવી હતી. સુશાંતના પરિવારનું કહેવું છે કે આ પૂજા-પાઠ મારફતે રિયાએ સુશાંત પર જાદૂ-ટોણા કર્યા. આરોપ કેટલા સાચા છે તે તપાસમાં સામે આવશે. પણ તપાસને લઈ બિહાર તથા મુંબઈ પોલીસ એક બીજાની સામે આવી ગઈ છે. બિહાર પોલીસનું કહેવું છે કે મુંબઈ પોલીસે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જેવી બેઝિક માહિતી પણ ઉપલબ્ધ કરાવી નથી.

3. રાજસ્થાનના રાજકારણમાં 'નેટવર્ક' ગુમ
રાજસ્થાનના રાજનીતિનું ઉંટ જયપુરથી જેસલમેર પહોંચ્યુ છે. હવે તે કઈ બાજુ બેસે છે તે જાણવા સમાચાર પર નજર રાખો. જયપુરથી જેસલમેર પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય અહીં હોટેલમાં યોગ કરતા દેખાયા હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ધારાસભ્યોને મળવા જેસલમેર પહોંચ્યા. કોંગ્રેસ નેતાઓનો દાવો છે કે ધારાસભ્યો હોટેલમાં જરૂરી કામ કરી રહ્યા છે. પણ એક સમસ્યા પણ છે. જેસલમેરની જે હોટલમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે ત્યાં મોબાઈલ નેટવર્ક આવતુ નથી. આ હોટેલ શહેરની બહાર હોવાથી આ સમસ્યા આવતી હોય તેવુ બની શકાય. આ હોટેલ જાણી જોઈને પસંદ કરવામાં આવી હોય તેવુ પણ બને.

4. હવે અયોધ્યા વિશે વાત કરશું
ભૂમિ પૂજન માટે પાંચ ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા આવશે. પણ, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. બન્ને વૃદ્ધ નેતા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમારોહમાં સામેલ થશે. ભૂમિ પૂજન કાર્યક્રમને લઈ અયોધ્યામાં તૈયારી ચાલી રહી છે. સ્થાનિક વહિવટીતંત્ર પણ કોરોનાને લગતા દિશા-સૂચનોનું પાલન કરાવી રહ્યું છે. આ ઉપરાંત શહેરને સેનિટાઈઝ પણ કરવામાં આવી રહ્યું છે.

5.IPL સાથે 'વૂમેન્સ IPL' પણ
કોરોનાને લીધે IPL આ વર્ષ UAEમાં યોજાશે, આ પહેલી વાત છે. હવે અપડેટ એ છે કે IPL સાથે વૂમેન્સ IPL એટલે કે ચેલેન્જર ટ્રોફી પણ રમાશે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી છે. વૂમેન્સ T-20 લીગ ચેલેન્જર ટ્રોફી કાર્યક્રમ અંગે હજુ ચિત્ર વધુ સ્પષ્ટ નથી. પણ, IPLનો અંતિમ તબક્કો એટલે કે 1થી 10 નવેમ્બર વચ્ચે આ મેચ યોજાઈ શકે છે. પ્રથમ વખત મહિલાઓની T-20 લીગ વર્ષ 2018માં રમાઈ હતી.

6. આજે શુ કહે છે ગ્રહોની સ્થિતિ
રાશિફળઃ એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે આજે આયુષ્યમાન અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગોનો ફાયદો મિથુન, કર્ક, સિંહ, કન્યા, મકર અને કુંભ રાશિવાળા લોકોને મળશે. તુલા, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિવાળા લોકોને આજના દિવસે થોડુ સાવચેત રહેવું. મેષ અને વૃષભ રાશિવાળા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે.
અંક ફળઃ ન્યુમેરોલોજિસ્ટ ડો.કુમાર ગણેશના મતે ત્રણ ઓગસ્ટ એટલે કે આજના દિવસનો મૂળાંક 3, ભાગ્યાંક 6 છે. આજના દિવસે અંક 2 ધરાવનારે તેમની યોજનામાં ફેરફાર કરવો પડી શકે છે. અંક 4 ધરાવતા લોકો માટે વધારે કાર્ય રહી શકે છે. બીજી બાજુ 1 અંક ધરાવતા લોકોને ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં સારી તક મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amit Shah was coroned, Amitabh was discharged from the hospital; Celebrate Rakshabandhan but also follow the instructions regarding Corona


from Divya Bhaskar https://ift.tt/3k4fCRo

Raksha Bandhan 2020: Women tie rakhis to ITBP soldiers in Uttarakhand’s Chamoli

Raksha Bandhan 2020: Women tie rakhis to ITBP soldiers in Uttarakhand’s Chamoli




from News - Videos - The Times of India https://ift.tt/2Dtyybv

રામલલાના દર્શન પહેલા હનુમાનગઢી આવવું જરૂરી કેમ? તે પ્રશ્નના જવાબમાં 16 વર્ષના કિશોર સાધુ બોલ્યાં, ‘હનુમાન જ અયોધ્યાના સૌથી મોટા ચોકીદાર છે‘

હનુમાનગઢીની સીડીઓ પર સવારે 4 વાગે અંધકાર ફેલાયેલો છે, પરંતુ પોલિસના સજાગ જવાન અને મંદિરની વિશેષ સુગંધ એક અલગ અહેસાસ જગાડી રહી છે. આખું શહેર લોકડાઉનમાં છે. બજાર-દુકાનો અને વિસ્તારો બંધ છે, માત્ર મંદિર ખુલ્લા છે. પોલિસનો કડક પહેરો છે. મારો સવાલ છે - અત્યારે કોણ આવશે? પોલિસ જવાન કહે છે, કેટલાક લોકો તો રાત્રે અઢી વાગે પણ આવે છે. રામલલાના દર્શનથી પહેલા અહીં આવવું જરૂરી હોય છે. આવું કેમ? સવાલ સાંભળીને હનુમાનગઢીના 16 વર્ષના કિશોર સાધુ રામ અનુદાસ બોલ્યા, હનુમાનજી પ્રભુ રામના ચોકીદાર હોય છે. હનુમાનજીની મંજૂરી લેવા અહીં આવવું પડે છે. તેમની આજ્ઞા વગર અયોધ્યા પ્રવેશ વર્જિત છે. વડાપ્રધાનનો પણ? હા, ભગવાનનો પણ! એર્નાકુલમથી આવેલા એસ. હરિ સવાલ કરે છે, પરંતુ હનુમાનજી તો સેવક છે, તેઓ શા માટે રોકશે? 12 વર્ષનો બીજો સાધુ બોલ્યો, તેઓ સાચા રાજા છે, કેમ કે અસલી રાજા એ જ હોય છે, જે સેવકનું કર્તવ્ય નિભાવે છે. રામાયણ કાળથી જ હનુમાનગઢી રામ દર્શનનું પ્રવેશ દ્વાર રહ્યું છે.

કેરળના અરૂરથી આવેલી પ્રતિભા રાજેશે કહ્યું કે, હજુ હનુમાનજીના દર્શન બાકી છે, પરંતુ તેમની તીર્થયાત્રા આ સીડીઓ પર જ સફળ થઈ ગઈ. આ નાના-નાના સાધુ કેવી વાતો કરે છે. અમે કેરળથી નિકળ્યા તો ઉત્તર પ્રદેશની રાજનીતિ અને અયોધ્યાના સમાચાર સાંભળીને મનમાં એક ભય હતો, પરંતુ અહીં બધું એકદમ અલગ છે. અહીં તો રામ પણ મંદિરમાં એકલા નથી. દરેક જગ્યાએ તેમનો દરબાર છે કે પછી બીજા દેવતા છે. કેવો સમન્વય છે. તે પોતાની કેરલાઈટ હિન્દીમાં બોલતી જાય છે. બીકાનેરથી આવેલા પરિવારને સંતોષ માને છે કે, રામ મંદિર બંધ છે તો શું થયું, હનુમાનજીના દર્શન તો થઈ ગયા! પ.બંગાળના ચાકુલિયાથી પરિવાર સાથે આવેલા સુકર ચક્રવર્તી કહે છે કે, અયોધ્યા યુપીથી એકદમ અલગ છે. તેમણે પુછ્યું કે, આ શહેરની ભાષા અલગ કેમ છે? પોલિસ અધિકારીએ કહ્યું, તમે પહેલા દર્શન કરો, આને અવધ કહે છે.

મોદીની મુલાકાત કરાવી દેશો? તેમનો આભાર માનવો છે...
મહંત બાબા પ્રેમદાસ સામે આવીને ભાગલપુરની વિમલાદેવી કહે છે કે, તેમને વડાપ્રધાન મોદીને મળવું છે. હું તેમના પગને ચંદન લગાવીને છાપ લઈશ! તે પોતાની જિદ્દ પર અડેલી છે. તેમને સમજાવીને મંદિરમાંથી નીચે ઉતારાય છે. તે મંદિરમાંથી ઉતરતાં જ પોલિસવાળાને આગ્રહ કરે છે કે, શું તમે મોદીજી સાથે મુલાકાત કરાવી આપશો? આવો અગ્રહ કરનારી વિમાલદેવી એકલાં નથી, અનેક મહિલાઓ છે જે રામ મંદિર માટે મોદીનો આભાર માનવા માગે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Why is there silence here? In response to that question, the 16-year-old monk said, "Hanuman is the biggest watchman of Ayodhya."


from Divya Bhaskar https://ift.tt/3gi5BxD

12 હજાર એકરમાં આગ ફેલાઈ, 8 હજાર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યાં

અમેરિકામાં કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી છે. ગરમીના કારણે તે અંદાજે 12 હજાર એકરથી વધુ વિસ્તારમાં ફેલાઇ ગઇ છે. સ્થાનિક લોકો આને એપલ ફાયર કહે છે. શુક્રવારે નાની જ્વાળાઓના રૂપમાં આગની શરૂઆત ચેરી ખીણથી થઇ હતી. તે લોસ એન્જેલ્સથી અંદાજે 100 કિ.મી. દૂર સ્થિત છે. રિવરસાઇડ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે તે લોસ એન્જેલ્સ સુધી પહોંચવાની ભીતિ વ્યક્ત કરી છે. આ દરમિયાન 2,586 ઘરમાં રહેતા 8 હજાર લોકોને સલામત સ્થળોએ પહોંચાડાયા છે. જુલાઇમાં આગના 5 હજારથી વધુ બનાવ: કેલિફોર્નિયાના વન વિભાગના જણાવ્યાનુસાર જુલાઇ મહિનામાં આગના 5,292 બનાવ બન્યા, જેમાં અંદાજે 78 હજાર એકર જંગલ સળગી ચૂક્યું છે. ફાયરકર્મી દિવસ-રાત આગ બુઝાવવા કાર્યરત છે. અંદાજે 1,700 ફાયરકર્મીઓને સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આગ બુઝાવવા 750 સુપર ટેન્કર દ્વારા કેમિકલનો છંટકાવ કરાઇ રહ્યો છે.


from Divya Bhaskar https://ift.tt/2De1OTB

Microsoft to continue talks to buy TikTok

Microsoft Corp said on Sunday that it would continue discussions to acquire popular short-video app TikTok from Chinese internet giant ByteDance, and that it was aiming to conclude the negotiations by September 15.

from Times of India https://ift.tt/2Dcu4pN

IPL wants teams to travel on August 20

The Indian Premier League’s (IPL) governing council (GC) has decided to ask the franchises and other stakeholders to delay their travel to UAE approximately by a week — possibly to set the Covid-19 protocols in place for this year’s edition — and travel only by August 20.

from Times of India https://ift.tt/2PhZVaX

અમિત શાહને કોરોના, મેદાન્તામાં દાખલઃ યુપીના મંત્રીનું મોત, UP ભાજપ અધ્યક્ષ અને તમિલનાડુના ગવર્નર પણ પોઝિટિવ આવ્યા

કોરોનાનો કેર હવે દેશમાં ટોચની સત્તા સુધી પહોંચી ગયો છે. રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. તેવી જ રીતે યુપીના એકમાત્ર મહિલા કેબિનેટમંત્રી કમલ રાનીનું કોરોનાથી મોત થયું છે. તમિલનાડુના રાજ્યપાલ તથા યુપી ભાજપ પ્રદેશ પ્રમુખ પણ કોરોના સંક્રમિત થયા છે. તો બીજીબાજુ 22 દિવસ પછી સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા અપાઈ છે. અમિત શાહે તેઓ સંક્રમિત થયા હોવાની માહિતી ટ્વિટ કરીને આપી.

ટ્વીટ કરી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી
તેમણે ટ્વિટમાં લખ્યું કે કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતાં મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે પણ ડૉક્ટર્સની સલાહથી હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારો અનુરોધ છે કે તાજેતરના દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો પોતાને આઇસોલેટ કરીને ટેસ્ટ કરાવે. શાહને રવિવારે સાંજે 5 વાગ્યે ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા. બીજી તરફ ઉત્તર પ્રદેશનાં ટેક્નિકલ શિક્ષણ મંત્રી કમલ રાની વરુણ (62)નું રવિવારે કોરોનાથી નિધન થયું. રાજ્યના એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી કમલ રાનીને કોરોના થયા બાદ 18 જુલાઇથી તેઓ લખનઉની એસજીપીજીઆઇમાં દાખલ હતા.

‘બિગ બી’ કોરોનામુક્ત થયા, અભિષેક હજુ હોસ્પિટલમાં
અમિતાભ બચ્ચનના પ્રશંસકો માટે મોટા ખુશખબર છે. અમિતાભ કોરોના નેગેટિવ થતાં તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપતાં લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે હું હોમ ક્વોરેન્ટાઇન રહીશ. ઇશ્વરની કૃપા, માતા-પિતાના આશીર્વાદ અને મિત્રો-પ્રશંસકોની દુઆ સાથે નાણાવટીમાં નર્સિંગ સ્ટાફની ઉત્કૃષ્ટ સારસંભાળના કારણે મારા માટે આ દિવસ જોવાનું શક્ય બન્યું. તેમની પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાને પણ અગાઉ રજા મળી ચૂકી છે. જોકે, અભિષેક હજુ સ્વસ્થ નથી થયો. તેણે હજુ હોસ્પિટલમાં જ રહેવું પડશે.

તબિયત સારી છે, ડોક્ટરોના કહેવાથી હોસ્પિટલમાં દાખલ થયો : અમિત શાહ
કોરોનાના પ્રારંભિક લક્ષણ જોવા મળતાં મેં ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે. પરંતુ ડોક્ટરે સલાહ આપી કે હોસ્પિટલમાં દાખલ થઈ જાવ એટલે મેદાન્તામાં દાખલ થયો છું. થોડા દિવસથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને વિનંતી છે કે તેઓ સ્વંય આઈસોલેટ થઈ જાય અને પોતાની તથા પરિરવાજનોની તપાસ કરાવે. - અમિત શાહ

ભગવાનની કૃપા અને મા-બાબુજીના આશીર્વાદથી આ દિવસ જોયો : અમિતાભ
હું કોરોના નેગેટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. હવે હું ઘરમાં ક્વોરન્ટાઈન રહીશ. ભગવાનની કૃપા રહી તથા મા-બાબુજીના આશીર્વાદ, નજીકના સંબંધીઓ અને ફેન્સની દુઆ પણ કામ લાગી. નાણાવટી હોસ્પિટલની કાળજી પણ સરસ હતી. બધાએ ઘણું ધ્યાન રાખ્યું. તેમને કારણે જ હું આ દિવસ જોઈ શક્યો છું. - અમિતાભ બચ્ચન

યુપીના સીએમ યોગીએ અયોધ્યાની મુલાકાત ટાળી
યુપીમાં અત્યાર સુધીમાં 7 મંત્રી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. કમલ રાનીના નિધન અંગે સીએમ યોગી આદિત્યનાથે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી. યોગીએ રવિવારે અયોધ્યાની પ્રસ્તાવિત મુલાકાત પણ ટાળી. એસજીપીજીઆઇના ડૉ. અમિત અગ્રવાલે જણાવ્યું કે કમલ રાનીને ન્યૂમોનિયા થઇ ગયો હતો. તેઓ પહેલેથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને થાઇરોઇડથી પીડાતા હતા.

હવે રાજભવન સુધી કોરોનાનો કેર પહોંચ્યો
ચેન્નઇઃ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ કોરોના સંક્રમિત જણાયા છે. તેમનામાં લક્ષણો ન દેખાયા હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં રહેવા સલાહ અપાઇ છે. આ અગાઉ રાજભવનની આસપાસ તહેનાત 87 કર્મચારી પણ કોરોના પોઝિટિવ જણાયા હતા. તેવી જ રીતે ઉત્તરપ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ પણ પોઝિટિવ જણાયા છે. તેઓ પણ સ્વંય આઈસોલેટ થઈ ગયા છે.

શાહ પીએમ સાથે કેબિનેટમાં સામેલ હતા, 20 મંત્રી પણ હતા
ગયા બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, નીતિન ગડકરી, રમેશ પોખરિયાલ, રવીશંકર પ્રસાદ સહિત 20 મંત્રીઓ પણ હાજર હતા. જોકે તેમાં 2 ગજનું શારીરિક અંતર પાળવામાં આવ્યું હતું. પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે, શાહ અને મોદી વચ્ચે રૂબરૂ મુલાકાત યોજાઈ હતી કે કેમ. 1 ઓગસ્ટે અમિત શાહ એક કાર્યક્રમમાં પક્ષના ઉપપ્રમુખ વિનય સહસ્ત્ર બુદ્ધે સાથે હાજર હતા. 22 જુલાઈએ અમિત શાહ પક્ષના બુજુર્ગ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ મળ્યા હતા. અમિત શાહના સ્ટાફને પણ સ્પષ્ટ કરી દેવાયું છે કે તેઓ પણ ટેસ્ટ કરાવે. તેવી જ રીતે ગૃહમંત્રાલયના ટોચના અધિકારીઓને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા જણાવી દેવાયું છે. શાહ છેલ્લા દિવસોમાં કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ થઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમિત શાહ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3gz9aPW

કોરોનાને કારણે આ વર્ષે 5 હજારથી વધુ ભૂદેવ ઝૂમ એપ પર જ જનોઈ બદલવાની વિધિ કરશે, 9.25 બાદ શરૂ કરશે પૂજા

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા માતૃ સંસ્થાના ઉપક્રમે રાજ્યના અલગ-અલગ સ્થળેથી પાંચ હજારથી વધુ બ્રાહ્મણ ઓનલાઈન જનોઈ બદલશે. સંસ્થાના પ્રમુખ અનિલ શુક્લાના જણાવ્યાનુસાર દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી આશરે પાંચ હજારથી વધુ ભૂદેવો યજ્ઞોપવીત ધારણ કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના જેવી મહામારીના કારણે ઝૂમ એપ્લિકેશનથી રાજ્યના વિવિધ સ્થળેથી ભૂદેવો નવી જનોઈ ધારણ કરશે. આ વર્ષે ભદ્રા યોગ હોવાથી 09:25 કલાકે બાદ યજ્ઞોપવીતની વિધિ શરૂ કરવામાં આવશે. સમગ્ર વિધિ 2 કલાકમાં પૂર્ણ થશે.

એકી સંખ્યામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો
લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ચાલતા પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર શુદ્ધ જળ સાથે કાચા દૂધમાં કાળા તલ નાખીને દેવાધિદેવ મહાદેવને ચઢાવવાથી ભૌતિક જગતનું સુખ સાથે મોક્ષ મળે છે. તેમજ કમળના પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા આજના દિવસે શિવપુરાણમાં આલેખાયો છે. વિદ્યાર્થીગણે આજના દિવસે વિદ્યાની પ્રાપ્તિ માટે ગાયના દૂધનો અભિષેક કરવો તેમજ વિદ્વાનો પાસે રુદ્રાભિષેક પણ કરાવી શકાય. એકી સંખ્યામાં “મહામૃત્યુંજય જપ”કરવાથી આયુ, આરોગ્ય ની સુખાકારી વધશે તેમ જ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સાથો સાથ રુદ્રી પાઠનું શ્રવણ કે વાંચન પણ કરવાનું વિશિષ્ટ બનશે.

તપોધન અને ખેડવાબાજ યુવા બ્રહ્મ સમાજના 500થી વધુ સભ્ય ઓનલાઈન યજ્ઞોપવીતમાં જોડાશે
તપોધન બ્રહ્મ સમાજ દ્વારા ફેસબુકના માધ્યમથી ઓનલાઈન યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરવામાં આવશે. તપોધન બ્રાહ્મણ સમાજના પ્રમુખ પાર્થ રાવલના જણાવ્યાનુસાર વહેલી સવારે 10 વાગ્યા બાદ સમગ્ર વિધિ શરૂ કરવામાં આવશે. આ વિધિમાં 50થી વધુ બ્રહ્મ સમાજના અગ્રણીઓ જોડાશે. સાથે સાથે ખેડવાબાજ બ્રહ્મ સમાજના 500થી વધુ ભૂદેવો દ્વારા પણ ઓનલાઇન યજ્ઞોપવીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શાસ્ત્ર મુજબ બહેન, માતા અને ગુરુ રક્ષા બાંધી શકે
શાસ્ત્ર મુજબ માતા,ગુરુ અને બહેન એ રક્ષાસૂત્ર બાંધી શકે છે. આ ઉપરાંત ભૂદેવ પોતાના યજમાનને રાજપુરોહિત રાજાને પણ રક્ષા સૂત્ર બાંધે છે.રક્ષાસૂત્ર એ સામાન્ય નથી પરંતુ શ્રદ્ધાપૂર્વક પહેરવામાં આવેલું રક્ષાસૂત્ર વ્યક્તિને અનેક મુશ્કેલીઓમાં ઉગારી છે.તેનું ઉત્તમ ઉદાહરણ મહાભારતમાં જોવા મળે છે જેમાં કુંતા માતાએ પોતાના પૌત્ર અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને તેનાથી છ-છ કોઠા હેમખેમ પાર ઊતર્યો હતો. > પ્રદ્યુમન ભટ્ટ, જ્યોતિષિ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2Dp0zRo

રાજ્યમાં ગુમ થતાં બાળકોની સંખ્યા ઓછી કરી હ્યુમન ટ્રાફિકિંગ અટકાવીશું, ગાંજો, ડ્રગ્ઝ અને હેરોઇન હેરાફેરીની ચેઇન તોડીશું: DGP

રાજ્યના નવનિયુક્ત પોલીસ વડા આશિષ ભાટિયાએ મૃગાંક પટેલને લો એન્ડ ઓર્ડર, હ્યુમન ટ્રાફિકિંગ, આતંકવાદ, મહિલા સલામતી, સાઇબર ક્રાઇમ જેવા મુદ્દા પર પોતાની ભાવિ રણનીતિ વિશે જણાવ્યું...

સવાલઃ મે ડીજી બન્યા છો ત્યારે હવે એવું નક્કી કરેલું કયું કામ છે, જે તમે પૂરું કરશો?
જવાબઃ અત્યારે ચાલી રહેલાં તમામ કામો આગળ વધારીશું, પરંતુ સૌથી મહત્ત્વનું કામ ગુમ થયેલાં બાળકોને પાછાં લાવવાનું છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ગુમ થયેલા બાળકોની સંખ્યા ઓછી કરવાના સક્રિય પગલાં લેવાશે. હ્યુમન ટ્રાફિકિંગ મામલે અમે હવે કડક પગલાં લેવાનું શરૂ કરીશું.

સવાલઃ ગાંજો, ચરસ, હેરોઇનની વધતી હેરાફેરી બંધ કરવા કોઈ એક્શન પ્લાન છે?
જવાબઃ ગુજરાતમાં ગાંજો ઓરિસ્સાથી આવે છે. એમડી ડ્રગ્સ મુંબઈથી આવે છે અને હેરોઇનની હેરાફેરી દરિયાઈ સીમાઓથી થાય છે. આ ત્રણેય ચેનલને તોડી પાડવા પર સખત ભાર મૂકવામાં આવશે. હેરાફેરી કરનારા મુખ્ય સૂત્રધારોને શોધીને રાજ્યમાં સ્થાનિક સ્તર પર થતી હેરાફેરી બંધ કરાવાશે.

સવાલઃ દરેક અધિકારીની એક પોતાની યુએસપી હોય છે, તમારી શું છે?
જવાબઃ હું આખી પોલીસ ફોર્સને સાથે લઈને કામ કરવા માગું છું. કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સુધીના તમામ લોકો એન્કરેજ કેવી રીતે થાય અને લો એન્ડ ઓર્ડરનું સારામાં સારું કામ કેવી રીતે થાય તેની પર મારું ફોકસ રહેશે. નાનામાં નાના કર્મચારીને તેની સારી કામગીરી બદલ પ્રોત્સાહક ઇનામ મળી રહેવું જોઈએ.

સવાલઃ ગુજરાત એક બોર્ડર સ્ટેટ છે, તેને આતંકી હુમલાની ભીતિ રહે છે, આતંકવાદના મુદ્દે તમારી ભૂમિકા અને કામગીરી કેવી રહેશે?
જવાબઃ આતંકવાદનો મુદ્દો પણ પ્રાયોરિટીમાં જ રહેશે અને આ પ્રવૃત્તિઓ સામે પ્રો-એક્ટિવ થઈને કામ કરાશે. આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઘણા બધા આરોપીઓ પકડવાના બાકી છે. તેમની ધરપકડની પ્રક્રિયા પણ ઝડપી બનાવાશે.

સવાલઃ તોફાનો કરતાં વધુ પોલીસ કર્મચારીઓ કોરોનામાં મૃત્યુ પામ્યાં છે, આ ચેલેન્જને એક વડા તરીકે તમે કેવી રીતે જુઓ છો?
જવાબઃ અત્યારની પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને તેમાં પણ મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીઓના વેલફેરનું સતત ધ્યાન રાખવું એ પણ એક વડા તરીકે પ્રાયોરિટી છે. બીજી બાજુ વધુ પોલીસ કર્મચારીઓ સંક્રમિત ન થાય તે માટે પ્રીએન્ટિવ પગલાં લેવા પણ આવશ્યક છે અને એટલે જ અમદાવાદમાં સતત બીજી વખત 10 હજાર જેટલી ઇમ્યુનિટી વધારનારી ટેબ્લેટ આપવામાં આવી છે. અગાઉ પણ આ ટેબ્લેટ અપાઈ હતી. અત્યારે પોલીસ કર્મચારીઓની ચિંતા અમારી ફરજ છે.

સવાલઃ સાઇબર ક્રાઇમ, મહિલાઓની સલામતી, કન્વિક્શન રેટ વધારવા શું કરશો?
જવાબઃ સાઇબર ક્રાઇમને રોકવા તથા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનારા લોકોના પૈસાની રિકવરી કેવી રીતે વધારી શકાય તે માટે પ્રયાસ કરીશું તેમ જ આ ક્રાઇમ ઇન્ટરસ્ટેટ ખાસ કરીને બિહાર, મુંબઈ અને દિલ્હી સાથે સંકળાયેલું હોવાને કારણે ત્યાંની પોલીસ સાથે સંકલન કરી મુખ્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી ઝડપી કરાશે. રાજ્ય સરકાર દ્વારા કન્વિક્શન રેટ વધારવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ આગળ વધારાશે અને મહિલાઓ રાત્રે ઘર બહાર જતાં ડરે નહિ અને સુરક્ષિત રહે તે માટે અમદાવાદની જેમ અન્ય શહેરોમાં પણ અભ્યાસ કરીને ‘શી’ ટીમ કાર્યરત કરાશે.

સવાલઃ પોલીસ કર્મચારીઓમાં તણાવ ઓછો કરવા માટે તેમની કેવી રીતે મદદ કરશો?
જવાબઃ સતત સ્ટ્રેટ રિલિફિંગના કાર્યક્રમો ઉપરાંત ગુનાખોરી ઉકેલવા માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. નવી મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવાશે. વધુ ભરતીઓ પણ કરાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આશિષ ભાટિયા, રાજ્યના નવનિયુક્ત પોલીસ વડા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/319iDqQ

કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, શનિવારે તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે તેમનાં પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેશનમાં ગયાં હતા. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા કુંવરજી બાવળિયા, સેક્શન ઓફિસર સહિતનો સ્ટાફ હોમ ક્વોરન્ટાઇન થઈ ગયો હતો. શનિવારે સી. જે. ચાવડાના પત્ની પશુપાલન નિયામક અધિકારી ફાલ્ગુનીબહેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી સી. જે. ચાવડાએ પણ આઇસોલેટ થઈ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સી.જે. ચાવડા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/31fTJWN

સુરતમાં રક્ષાબંધન નિમિત્તે CM, DyCMને નર્સે રાખડી બાંધી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું

મુખ્યમંત્રી ‌વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસે સુરતની મુલાકાત લઈ કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી. ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે ‌મિડીયાને કોરોનાની ‌સ્થિ‌તિ અંગે મા‌હિતી આપી હતી. બાદમાં મુખ્યમંત્રી ‌વિજય રૂપાણીને ધારાસભ્ય હર્ષ સંધવીની ટીમ દ્વારા કાર્યરત કરાયેલા અલથાણ ખાતેના અટલ સંવેદન કો‌વિડ-કેર સેન્ટર ન‌ર્સિંગ સ્ટાફના ડે‌‌નિયલા ગામીતે રાખડી બાંધી હતી. ડે.સી.એમ.‌નિતીન પટેલને મનાલી દવે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને અ‌‌શ્વિની કહારે રાખડી બાંધી હતી. અટલ સંવેદના કેર સેન્ટરની કામગીરીના પણ મુખ્યમંત્રીએ વખાણ કર્યા હતા.નર્સોએ મુખ્યમંત્રીના દીર્ઘાયુ માટે કામના કરી હતી અને દેશમાંથી કોરોના જલ્દી જ નાબૂદ થાય એવી પણ કામના કરી હતી. જોકે રાખડી બાંધતી વખતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. કેમ કે કોવિડ કેર સેન્ટરમાં સ્ટાફના લોકો ઉમટી પડ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડે.સી.એમ.‌નિતીન પટેલને મનાલી દવે એ રાખડી બાંધી હતી


from Divya Bhaskar https://ift.tt/3k4FZ9P

17 દિવસ પછી કોરોનાથી બેનાં મોત, નવા 143 કેસઃ 2 MLA, મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ મળી અત્યાર સુધી 388ને ચેપ લાગ્યો

છેલ્લા 3 મહિનામાં શહેરમાં 24 ડોક્ટર, 25 કોર્પોરેટર, 2 ધારાસભ્ય, 109 હેલ્થ કર્મી તેમજ એએમટીએસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, મ્યુનિ. સ્કૂલ બોર્ડના પ્રાથમિક શિક્ષકો, વોટર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સહિત 388 લોકોને અત્યાર સુધી કોરોનાનો ચેપ લાગ્યો છે. બીજી તરફ રવિવારે શહેરમાં કોરોના પોઝિટિવના વધુ 143 કેસ નોંધાયા હતા. તેમજ વધુ બે દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1600 નજીક પહોંચ્યો છે. 17 દિવસ પછી મૃત્યુની સંખ્યા ઘટીને 2 થઈ છે.

અર્બન હેલ્થ સેન્ટરમાં કરાય છે એન્ટિજન ટેસ્ટ
અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક 26 હજારને પાર થઈ ગયો છે ત્યારે હવે શહેરના દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં એન્ટિજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. તમામ 48 વોર્ડમાં રહેતા કોઈપણ નાગરિકને કોરોનાના સામાન્ય લક્ષણ દેખાય તો તરત જ તેમના વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર ખાતે એન્ટિજન ટેસ્ટ કરાવવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે. રવિવારે અર્બન હેલ્થ સેન્ટર એન્ટિજન ટેસ્ટ માટે ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.

નવા 7 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં અત્યાર સુધી કુલ 258 જેટલા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો અમલમાં છે. જેમાંથી 9 વિસ્તારમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ રવિવારે દૂર કરવામાં આવ્યા છે. જ્યારે નવા 7 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનના 4, દક્ષિણ ઝોનમાં 2, અને પૂર્વ ઝોનમાં 1 વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં હવે મ્યુનિ. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ તેમજ સ્ક્રીનિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો મળી 2979 એક્ટિવ કેસ છે જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 520, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 504, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 452, દક્ષિણ ઝોનમાં 437, ઉત્તર ઝોનમાં 378, મધ્ય ઝોનમાં 287 અને પૂર્વ ઝોનમાં 401 કેસ છે. કોરોનાનું હોટ સ્પોટ બની ચૂકેલા મધ્ય ઝોનમાં કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

નવા 7 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા

વિસ્તાર ઘર વસ્તી
ગોલ્ડ કોઈન મણિયાસા સોસાયટી, ખોખરા 30 90
30થી 37 પ્રેના પાર્ક સોસાયટી, ભાઈપુરા 8 28
CC1થી CF2 પારુલ ટેનામેન્ટ, ભાઈપુરા 8 33
A/11 થી A/13, દેસાઈ પાર્ક, જીવરાજપાર્ક 3 15
જે 601થી 604 (છઠ્ઠો માળ) ઈસ્કોન પ્લેટિનમ, બોપલ 4 12
એલ બ્લોક, પહેલો માળ, આનલ ફ્લેટ, વેજલપુર 4 9
એ 11,12,13, શમા સોસાયટી, વેજલપુર 3 12


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/30mOJAo

2 વર્ષમાં 12 બહેને ભાઈને કિડની આપી જીવનદાન આપ્યું તો એક ભાઈએ બહેનને કિડની આપી રક્ષાબંધનની ભેટ આપી

પ્રેમ અને સ્નેહનાં ઉત્સવ રક્ષાબંધનને દિવસે બહેન ભાઇને રાખડી બાંધીને ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે, અને ભાઇ પણ બહેનની જીવનભર રક્ષા કરવાની સાથે અમૂલ્ય ભેટ આપે છે. પરંતુ, આનંદની વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં એક ભાઇએ બહેનને પોતાની કિડનીનું અમૂલ્ય દાન આપીને નવજીવન આપ્યું છે. જ્યારે 12 બહેનોએ પોતાના ભાઇની રક્ષા કરવા કિડનીનું દાન કરીને ભાઇ-બહેનનો પવિત્ર સંબંધ કોઇ ભેટ-સોગાદોનો મહોતાજ નથી તે સાચા અર્થમાં યથાર્થ કર્યું છે.

2 વર્ષમાં 12 બહેને ભાઈને કિડની આપી
સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, છેલ્લાં બે વર્ષમાં 12 બહેનોએ ભાઇને કિડની દાન કરી છે, જયારે એક ભાઇએ બહેનને કિડની આપી નવું જીવન બક્ષ્યું છે. મોટેભાગે સમાજમાં માતા, બહેન, દીકરી કે પત્ની પોતાના ભાઇ, પિતા, પતિ કે દીકરા માટે અંગદાન કરતી હોય છે. ત્યારે પુરુષોએ પોતાની વ્હાલસોયી બહેન, દીકરી, માતા અને પત્નીને બચાવવા માટે આગળ આવવું જોઇએ.

બહેનની અસહ્ય પીડા ન જોઈ શકાતાં મેં કિડની દાનનો સંકલ્પ કરી લીધો હતો
હિંમતનગર પોલીસ બેન્ડમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતાં પ્રફુલ્લચંદ્ર પૂંજાલાલ મેકવાન જણાવે છે કે, મારી બહેન ડોરોથી ક્રિસ્ટોફર મેકવાન પાદરી છે, ત્રણ બહેનો વચ્ચે હું એક માત્ર ભાઇ છું, મારી બંને બહેનો કિડની આપવા તૈયાર હતી. પરંતુ, બહેન ડોરોથીને કિડનીની બીમારીના નિદાન બાદ ડાયાલીસીસની અસહ્ય પીડા જોઇને મનોમન નક્કી કર્યું હતું કે, મારી કિડનીથી હું જ નવજીવન આપીશ. મોટેભાગે મહિલા જ કિડની ડોનેટ કરતી હોય છે. મારી આજુબાજુ ઘણા કિસ્સા જોયા છે, કિડની આપ્યા બાદ તકલીફ થશે તેવા ડરથી પુરુષ કિડની આપવા તૈયાર થતા નથી. લોકોએ સમજવાની જરૂર છે કે, ઇશ્વરે દરેકને બે કિડની આપી છે, અને એક કિડનીથી સ્વસ્થ જીવન જીવી શકાય છે, કિડની ડોનેટ કર્યા બાદ જીવનું જોખમ નથી તો પછી ડર રાખ્યા વિના તમારા વ્હાલસોયાની તબિયત વધુ લથડે તે પહેલા તમારી કિડની આપીને નવજીવન આપવું જોઇએ.

છત્તીસગઢના ભાઈને બહેને કિડની આપી નવજીવન આપ્યું

પિતાની કિડનીમાં ગાંઠ હતી અંતે બહેનની કિડની જ કામે આવી
છત્તીસગઢના જસપુર જિલ્લામાં ખેતીકામ કરતાં દેવેન્દ્ર યાદવ જણાવે છે કે, તાવ અને માથાનો દુખાવો તેમજ ઊલટીઓ થયા પછી સોનોગ્રાફીમાં કિડની ડેમેજ હોવાનું નિદાન થયું હતું. જેથી રાયગઢમાં ડોકટરે મને દાખલ કરી ડાયાલીસીસ કરીને 1 મહિનો હોસ્પિટલમાં રાખ્યો. ત્યારબાદ અમદાવાદની કિડની હોસ્પિટલમાં આવતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવ્યું હતું. ત્યારે મારી મોટીબહેન અને મારા જીજાજી કિડની આપવા તૈયાર હતા. મારા પિતા પિતાની કિડનીમાં ગાંઠ હોવાથી અને મારી મમ્મીનું કિડની ટ્રાન્સપ્લાન્ટમાં જરૂરી મેચિંગ ન થયું હતું. પરંતુ, મારી મોટી બહેનનાં તમામ રિપોર્ટ સારા આવતાં એક કિડની આપીને મને નવજીવન આપ્યું છે.

કિડની મેળવનારા અને દાન કરનારાની યાદી

કિડની મેળવનાર આપનાર
ડોરોથી ક્રિસ્ટોફર મેકવાન પ્રફુલ્લચંદ્ર પુંજાલાલ મેકવાન
રાજુભાઇ શામજભાઇ મકવાણા મધુબહેન મુળજીભાઇ ડાભી
પ્રતાપભાઇ ભોજુભાઇ રહેવર સરોજબહેન ખુમાનસિંગ લીંમ્બાડ
બાબુભાઇ હરજીભાઇ બારૈયા મણિબહેન લાલજીભાઇ બામણિયા
મોહ. વસિમ મોહં. સાદિક પઠાણ નાજનીનબાનું રહેમાનહુસૈન પઠાણ
અનિલકુમાર મંગળભાઇ પટેલ ચેતનાબેન કિરીટકુમાર પટેલ
વિઠ્ઠલભાઇ હરગોવિંદભાઇ પટેલ રમીલાબેન મુકુંદભાઇ પટેલ
દેવેન્દ્ર દિલેશ્વર યાદવ હેમલત્તા દિલેશ્વર ખુટીયા
નંદુકમાર પુનિતરામ સાહુ કંવરબાઇ સોનુરામ સાહુ
આશિષભાઇ મુળજીભા સુથાર પિંકલબેન જનકભાઇ ખરાડી
ગુલામ ગૌસ મોહં. રિયાઝ અન્સારી અજમેરીખાતુન અકબરઅલી અન્સારી
ક્રિશ્નપાલસિંહ તેજસિંહ રાજપૂત ગોપાલકંવર રતનસિંહ ચૌહાણ
શાયોજીરામ બજરંગલાલ જાટ મંજુ પોલુરામ જાટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભાઈ પ્રફુલ્લચંદ્ર પૂંજાલાલ મેકવાન અને બહેન ડોરોથી ક્રિસ્ટોફર મેકવાન


from Divya Bhaskar https://ift.tt/39MJyNc