Ad

Sunday, August 2, 2020

રામલલાના દર્શન પહેલા હનુમાનગઢી આવવું જરૂરી કેમ? તે પ્રશ્નના જવાબમાં 16 વર્ષના કિશોર સાધુ બોલ્યાં, ‘હનુમાન જ અયોધ્યાના સૌથી મોટા ચોકીદાર છે‘

હનુમાનગઢીની સીડીઓ પર સવારે 4 વાગે અંધકાર ફેલાયેલો છે, પરંતુ પોલિસના સજાગ જવાન અને મંદિરની વિશેષ સુગંધ એક અલગ અહેસાસ જગાડી રહી છે. આખું શહેર લોકડાઉનમાં છે. બજાર-દુકાનો અને વિસ્તારો બંધ છે, માત્ર મંદિર ખુલ્લા છે. પોલિસનો કડક પહેરો છે. મારો સવાલ છે - અત્યારે કોણ આવશે? પોલિસ જવાન કહે છે, કેટલાક લોકો તો રાત્રે અઢી વાગે પણ આવે છે. રામલલાના દર્શનથી પહેલા અહીં આવવું જરૂરી હોય છે. આવું કેમ? સવાલ સાંભળીને હનુમાનગઢીના 16 વર્ષના કિશોર સાધુ રામ અનુદાસ બોલ્યા, હનુમાનજી પ્રભુ રામના ચોકીદાર હોય છે. હનુમાનજીની મંજૂરી લેવા અહીં આવવું પડે છે. તેમની આજ્ઞા વગર અયોધ્યા પ્રવેશ વર્જિત છે. વડાપ્રધાનનો પણ? હા, ભગવાનનો પણ! એર્નાકુલમથી આવેલા એસ. હરિ સવાલ કરે છે, પરંતુ હનુમાનજી તો સેવક છે, તેઓ શા માટે રોકશે? 12 વર્ષનો બીજો સાધુ બોલ્યો, તેઓ સાચા રાજા છે, કેમ કે અસલી રાજા એ જ હોય છે, જે સેવકનું કર્તવ્ય નિભાવે છે. રામાયણ કાળથી જ હનુમાનગઢી રામ દર્શનનું પ્રવેશ દ્વાર રહ્યું છે.

કેરળના અરૂરથી આવેલી પ્રતિભા રાજેશે કહ્યું કે, હજુ હનુમાનજીના દર્શન બાકી છે, પરંતુ તેમની તીર્થયાત્રા આ સીડીઓ પર જ સફળ થઈ ગઈ. આ નાના-નાના સાધુ કેવી વાતો કરે છે. અમે કેરળથી નિકળ્યા તો ઉત્તર પ્રદેશની રાજનીતિ અને અયોધ્યાના સમાચાર સાંભળીને મનમાં એક ભય હતો, પરંતુ અહીં બધું એકદમ અલગ છે. અહીં તો રામ પણ મંદિરમાં એકલા નથી. દરેક જગ્યાએ તેમનો દરબાર છે કે પછી બીજા દેવતા છે. કેવો સમન્વય છે. તે પોતાની કેરલાઈટ હિન્દીમાં બોલતી જાય છે. બીકાનેરથી આવેલા પરિવારને સંતોષ માને છે કે, રામ મંદિર બંધ છે તો શું થયું, હનુમાનજીના દર્શન તો થઈ ગયા! પ.બંગાળના ચાકુલિયાથી પરિવાર સાથે આવેલા સુકર ચક્રવર્તી કહે છે કે, અયોધ્યા યુપીથી એકદમ અલગ છે. તેમણે પુછ્યું કે, આ શહેરની ભાષા અલગ કેમ છે? પોલિસ અધિકારીએ કહ્યું, તમે પહેલા દર્શન કરો, આને અવધ કહે છે.

મોદીની મુલાકાત કરાવી દેશો? તેમનો આભાર માનવો છે...
મહંત બાબા પ્રેમદાસ સામે આવીને ભાગલપુરની વિમલાદેવી કહે છે કે, તેમને વડાપ્રધાન મોદીને મળવું છે. હું તેમના પગને ચંદન લગાવીને છાપ લઈશ! તે પોતાની જિદ્દ પર અડેલી છે. તેમને સમજાવીને મંદિરમાંથી નીચે ઉતારાય છે. તે મંદિરમાંથી ઉતરતાં જ પોલિસવાળાને આગ્રહ કરે છે કે, શું તમે મોદીજી સાથે મુલાકાત કરાવી આપશો? આવો અગ્રહ કરનારી વિમાલદેવી એકલાં નથી, અનેક મહિલાઓ છે જે રામ મંદિર માટે મોદીનો આભાર માનવા માગે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Why is there silence here? In response to that question, the 16-year-old monk said, "Hanuman is the biggest watchman of Ayodhya."


from Divya Bhaskar https://ift.tt/3gi5BxD

No comments:

Post a Comment