
from India Today | Top Stories https://ift.tt/31GOaSP
IIT દિલ્હીમાં થયેલા તાજેતરના રિસર્ચ પ્રમાણે, બ્લેક ટી, ગ્રીન ટી અને હિમેજના એક્સટ્રેક્ટમાં એન્ટિવાઈરલના ગુણો મળ્યા છે. તે કોરોનાથી લડવામાં મદદ કરી શકે છે અને તેમાં દર્દીઓને સાજા કરવાની ક્ષમતા છે. ટૂંક સમયમાં તેનું ક્લિનિકલ ટ્રાયલ શરુ થશે. સંશોધક પ્રોફેસર અશોક કુમાર પટેલ પ્રમાણે, ઔષધીય છોડથી વાઈરલ ડિસીઝની ગંભીરતાને ઓછું કરી શકાય છે. ઓછા ખર્ચમાં સારવાર માટે આ વસ્તુઓ સારો વિકલ્પ સાબિત થાય છે.
કોરોનાના પ્રોટીનને ટાર્ગેટ કરવાના પ્રયત્નો
જર્નલ ફિઝિયોથેરપી રિસર્ચમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, સંશોધકોએ 51 ઔષધીય છોડની અસર કોરોનાના 3 સીએલપી પ્રોટીએઝ પ્રોટીન પર જોઈ. શરીરમાં કોરોનાવાઈરસના રેપ્લિકેશન માટે આ પ્રોટીન જવાબદાર હોય છે. આ પ્રોટીનને ટાર્ગેટ કરીને શરીરમાં વધતા કોરોનાની સંખ્યાને કન્ટ્રોલ કરી શકાય છે. સંશોધકો પ્રમાણે, ચા અને હિમેજમાં ગેલોટેનિન નામનું તત્ત્વ હોય છે, જે કોરોનાના પ્રોટીનને અટકાવે છે.
ચાથી કોરોનાનાં દર્દીઓને રાહત મળી શકે છે
IIT દિલ્હીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ડીન એસ. કે ખરે પ્રમાણે, ભારતીય ઔષધીય છોડમાં એવા બાયોએક્ટિવ કમ્પોનન્ટ છે જે ઘણી બીમારી સામે લડવામાં મદદ કરે છે. રિસર્ચમાં એવા પ્રમાણ મળ્યા છે, જે જણાવે છે કે ચા કોવિડ સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત આપે છે. તે કોરોના 3 સીએલપી પ્રોટીએઝ પ્રોટીનને અટકાવે છે.
સંશોધક પ્રોફેસર અશોક કુમાર પટેલ પ્રમાણે, રિસર્ચ દરમિયાન ગેલોટેનિનમાં મેડિસિનલ ગુણો હોય છે તે વાત ખબર પડી. તે ટેનિક એસિડથી પણ ઓળખાય છે.
એક્સપર્ટ એડવાઈઝ: દિવસભર બેથી વધારે ગ્રીન ટી-બ્લેક ટી ન લેવી
આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ ડો. કિરણ ગુપ્તા પ્રમાણે, જ્યારે વાઈરસનો હુમલો થાય છે ત્યારે શરીર ઇન્ટરફેરોન્સ રિલીઝ કરવા લાગે છે. આ ઇન્ટરફેરોન્સ મોટાભાગે વાઈરસને પ્રથમ સ્ટેજમાં નષ્ટ કરી દે છે. ગેલોટેનિન આ ઇન્ટરફેરોન્સને મજબૂત કરાવે છે જેથી તે વાઈરસના સંક્રમણથી બચાવી શકે.
દિવસભરમાં બેથી વધારે ગ્રીન કે બ્લેક ટી લેવી ના જોઈએ. સૌથી જરૂરી વાત એ છે કે, તેમાં ખાંડનો ઉપયોગ ન કરો અને સાંજે 6 વાગ્યા પહેલાં પી લો, નહિતો અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે.
આ બંને પ્રકારની ચામાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરો પરંતુ ચા ઠંડી થયા પછી જ તેમાં મધ ભેળવો. આમ ન કરવાથી તેના પોષક તત્ત્વો નષ્ટ થઇ જાય છે. ચાને વધારે ફાયદેમંદ બનાવવા માટે તેમાં લીંબુનાં રસના થોડા ટીપાં નાખી શકો છો.
હિમેજ પેટને સાફ રાખવાનું કામ કરે છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે મોટાભાગની પેટ બીમારીઓ પેટથી શરુ થાય છે અને હિમેજ પેટને સાફ કરવામાં મદદ કરે છે જેથી ઈમ્યુનિટી વધે. તે આંતરડાંને સૂકાવાથી પણ અટકાવે છે.
પુરીમાં 1 જુલાઈએ પૂર્ણ થયેલી રથયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથ શનિવારે મુખ્ય મંદિરમાં આવશે. ગુંડિચા મંદિરથી પાછા ફર્યા બાદથી જ ભગવાન અત્યાર સુધી મંદિરની બહાર રથ ઉપર જ વિરાજમાન હતાં. શનિવારે એટલે આજે સાંજે 5 વાગ્યે તેમને રથમાંથી ઉતારીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ત્રણેય રથને તોડી નાખવામાં આવશે. રથના લાકડાને ભગવાનની રસોઈમાં વર્ષભર સુધી ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.
રથયાત્રા પરત ફર્યા બાદ પણ ત્રણ દિવસ ભગવાનને મંદિરની બહાર જ રાખવામાં આવે છે. અહીં અનેક પ્રકારની પરંપરા હોય છે. શનિવારે સાંજે ભગવાનને રથ પરથી ઉતારીને મંદિરની અંતર રત્ન સિંહાસન ઉપર વિરાજમાન કરવામાં આવશે. અહીં ભગવાન જગન્નાથ અને લક્ષ્મીના લગ્નની પરંપરાઓ પૂર્ણ થશે. ત્યાર બાદ ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
રથયાત્રા મુખ્ય મંદિરમાં પરત ફર્યા બાદથી કર્ફ્યૂ દેવી સ્થિતિ હતી. જોકે, પરંપરા એેવી પણ છે કે, ભગવાન ત્રણ દિવસ મંદિરની બહાર રહીને વિવિધ સ્વરૂપોમાં જનતાને દર્શન આપે છે, પરંતુ આ વર્ષો લોકડાઉનના કારણે ભક્તો વિના જ બધી પરંપરાઓ મંદિર સમિતિના સભ્યો અને પૂજારીઓની ઉપસ્થિતિમાં થઇ. આજે રથયાત્રાની છેલ્લી પરંપરાઓ પૂર્ણ કરવામાં આવશે, તેમાં પણ બહારના લોકોનો પ્રવેશ રહેશે નહીં.
રથને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે થોડી વસ્તુઓ જેમ કે, સારથી, ઘોડા અને થોડી પ્રતિમાઓ સુરક્ષિત રાખવામાં આવશે. રથના થોડાં ભાગને કારીગર પોતાની સાથે લઇ જશે. જેને તેઓ પોતાનું મહેનતાણું અને ભગવાનનો આશીર્વાદ માને છે. થોડાં લોકો હવન માટે પણ રથના લાકડા લઇ જાય છે. આ પ્રકારે શનિવાર એટલે આજે રથયાત્રાનું સમાપન થશે.
2000 થી વધારે વૃક્ષોથી રથ બને છેઃ-
રથના નિર્માણ માટે દર વર્ષે લગભગ 2000 વૃક્ષના લાકડાની જરૂર પડે છે. જે પુરી પાસેના જંગલોથી જ લાવવામાં આવે છે. મંદિરના પૂજારી પં. શ્યામ મહાપાત્રા પ્રમાણે રથના લાકડા વર્ષભર સુધી ભગવાનની રસોઈમાં બાળવામાં આવે છે. થોડાં લાકડાઓ મઠના હવન માટે લઇ જવામાં આવશે. ભગવાન જગન્નાથની રસોઈ દુનિયાની સૌથી મોટી રસોઈ માનવામાં આવે છે, જેમાં 752 ચૂલા છે. તેમાં જ રોજ ભગવાનનો ભોગ બને છે.
શુક્રવારે અધરપાણામાં સેંકડો કિલો દૂધ-માખણનો ભોગઃ-
શુક્રવારે સાંજે અધરપાણા નામની પરંપરા પૂર્ણ કરવામાં આવી. તેમાં ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઇ-બહેનને 3-3 માટલામાં દૂધ, માખણ, ઘી, પનીર વગેરેનો ભોગ ધરાવવામાં આવ્યો છે. ત્રણેય પ્રતિમાઓ સામે 3-3 માટલા રાખવામાં આવે છે, આ માટલા 3 થી 4 ફૂટના હોય છે, જે ભગવાનના હોઠ સુધી આવે છે. એક માટલામાં લગભગ 200 કિલો દૂધ, માખણ વગેરે હોય છે. ભગવાનને ભોગ ધરાવ્યાં બાદ આ માટલાને રથ ઉપર જ ફોડી દેવામાં આવે છે, જેથી બધું જ દૂધ-માખણ રથ પરથી વહીને રસ્તા ઉપર આવી જાય છે.
200 કિલો સોનાના ઘરેણા ભગવાન પહેરે છેઃ-
ગુરુવારે ભગવાનને સોનાના ઘરેણાથી સજાવવામાં આવ્યાં હતાં. આ પરંપરામાં 200 કિલો સોનાના ઘરેણા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવીને પહેરાવવામાં આવ્યાં હતાં. આ ઘરેણા મંદિરના પરંપરાગત ઘરેણા છે, જેમની કિંમત કરોડોમાં છે. વર્ષભમાં એકવાર જ આ ઘરેણાનો ઉપયોગ થાય છે.
રાજ્યમાં જૂન તેમજ જુલાઈ મહિનામાં કોરોનાની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ 600થી વધુ નવા કેસ તેમજ 15થી 20 લોકોના સારવાર દરમિયાન મોત થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 34,686 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1906એ પહોંચ્યો છે. જ્યારે 24,941 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં 7,839 એક્ટિવ કેસ છે. જેમાથી 61 વેન્ટીલેટર પર જ્યારે 7778ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 687 કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 340 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગઈકાલે કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
સુરત-204, અમદાવાદ-204, વડોદરા-62, જૂનાગઢ-26, ભાવનગર-21, ગાંધીનગર-16,ખેડા-14 ,સુરેન્દ્રનગર-14,ભરૂચ-13,પંચમહાલ-13, જામનગર-13, પાટણ-11, રાજકોટ-10, આણંદ-9, બનાસકાંઠા-8, મહીસાગરમાં 7, વલસાડ-6, નવસારી-6, સાબરકાંઠા-5, કચ્છ-5, મહેસાણા-5, નર્મદા-3, તાપી-3, બોટાદ-મોરબીમાં 2-2, અરવલ્લી, ગીર સોમનાથ, દાહોદ અને દેવભૂમિ દ્વારકા-પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા.
7 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ,અમદાવાદમાં 11દિવસથી 250થી ઓછા કેસ
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
30 મે | 412(284) |
31 મે | 438 (299) |
1 જૂન | 423(314) |
2 જૂન | 415(279) |
3 જૂન | 485(290) |
4 જૂન | 492(291) |
5 જૂન | 510(324) |
6 જૂન | 498(289) |
7 જૂન | 480(318) |
8 જૂન | 477(346) |
9 જૂન | 470(331) |
10 જૂન | 510(343) |
11 જૂન | 513(330) |
12 જૂન | 495(327) |
13 જૂન | 517 (344) |
14 જૂન | 511(334) |
15 જૂન | 514(327) |
16 જૂન | 524(332) |
17 જૂન | 520(330) |
18 જૂન | 510(317) |
19 જૂન | 540(312) |
20 જૂન | 539 (306) |
21 જૂન | 580(273) |
22 જૂન | 563(314) |
23 જૂન | 549(235) |
24 જૂન | 572(215) |
25 જૂન | 577 (238) |
26 જૂન | 580(219) |
27 જૂન | 615(211) |
28 જૂન | 624(211) |
29 જૂન | 626(236) |
30 જૂન | 620(197) |
1 જુલાઈ | 675(215) |
2 જુલાઈ | 681(211) |
3 જુલાઈ | 687(204) |
કુલ 34,686દર્દી,1,906ના મોત અને 24,941 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 21,543 | 1,466 | 16,385 |
સુરત | 5,461 | 172 | 3706 |
વડોદરા | 2433 | 51 | 1768 |
ગાંધીનગર | 693 | 31 | 518 |
ભાવનગર | 302 | 13 | 152 |
બનાસકાંઠા | 210 | 11 | 155 |
આણંદ | 241 | 13 | 202 |
અરવલ્લી | 215 | 19 | 172 |
રાજકોટ | 220 | 8 | 128 |
મહેસાણા | 300 | 11 | 156 |
પંચમહાલ | 200 | 16 | 145 |
બોટાદ | 97 | 3 | 65 |
મહીસાગર | 147 | 2 | 118 |
પાટણ | 229 | 17 | 119 |
ખેડા | 186 | 10 | 119 |
સાબરકાંઠા | 187 | 9 | 117 |
જામનગર | 258 | 4 | 118 |
ભરૂચ | 266 | 10 | 131 |
કચ્છ | 175 | 5 | 96 |
દાહોદ | 65 | 1 | 47 |
ગીર-સોમનાથ | 79 | 1 | 49 |
છોટાઉદેપુર | 60 | 2 | 43 |
વલસાડ | 179 | 4 | 63 |
નર્મદા | 94 | 0 | 59 |
દેવભૂમિ દ્વારકા | 25 | 2 | 16 |
જૂનાગઢ | 147 | 4 | 58 |
નવસારી | 131 | 2 | 61 |
પોરબંદર | 21 | 2 | 13 |
સુરેન્દ્રનગર | 180 | 8 | 84 |
મોરબી | 31 | 1 | 17 |
તાપી | 12 | 0 | 8 |
ડાંગ | 4 | 0 | 4 |
અમરેલી | 95 | 7 | 42 |
અન્ય રાજ્ય | 88 | 1 | 8 |
કુલ | 34,686 | 1,906 | 24,941 |
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યનાં રાજીનામાં પડ્યાં અને કોંગ્રેસના એક ઉમેદવાર જીતી શકે તેમ હતા છતાં હારી ગયા. જો ભાજપે ઈચ્છ્યું હોત તો આઠને બદલે 15 ધારાસભ્યનાં રાજીનામાં પડી શક્યાં હોત. ભાજપના એક મોટાગજાના નેતાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ અગાઉ પણ ફોન કરીને ભાજપમાં જોડાઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ નેતાએ જણાવ્યું કે, પાંચ ધારાસભ્યો સતત અમારા સંપર્કમાં રહી અમને કોંગ્રેસની પળેપળની માહિતી પણ પહોંચાડતા હતા. આ પાંચ સિવાય બીજા બે ધારાસભ્યો તો 2017માં ચૂંટાઇને આવ્યા પછી ચાર-પાંચ મહિના બાદ જ સંપર્ક કરીને ભાજપમાં જોડાઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને હજુ પણ તેઓ સતત તેમ કરી રહ્યા છે.
સાત ધારાસભ્યોનો સમય આવ્યે સંપર્ક કરાશે
આ સાત ધારાસભ્યમાં 3 કોંગ્રેસી ધારાસભ્યો સૌરાષ્ટ્ર, બે ઉત્તર ગુજરાત, એક મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાતના છે. ભાજપના નેતાના જણાવ્યા અનુસાર, આ પાંચ ધારાસભ્યોને આગામી સમયમાં ભાજપમાં જોડાવવા માટે નિર્ણય લેવામાં આવશે.
વિધાનસભા ચૂંટણી પહેલા જ નંબર લાગશે
આ ધારાસભ્યો આગામી વિધાનસભાની યોજાનારી ચૂંટણી પૂર્વે જ જોડાશે. રાજ્યસભાની ચૂંટણી હવે ત્રણ વર્ષે 2023માં આવશે અને તે દરમિયાન કોઇ જરૂર પડશે નહીં. આ સિવાય ચૂંટણીમાં લોકો પર માહોલ ઊભો કરવા માટે આવી જરૂર પડતી હોવાથી હવે વિધાનસભાની ચૂંટણી ટાણે જ પ્રવેશ થશે.
કોરોના વાયરસ મહામારીના કારણે ત્રણ માસ જેટલો સમય લોકડાઉનમાં પસાર થયો જેના કારણે ગુજરાતને અનેક એમએસએમઇને વેપાર રિસફલ કરવાની ફરજ પડી છે. લોકડાઉન દૂર થયું છે પરંતુ ગુજરાતની અંદાજે 1500થી વધુ MSMEએ વેપાર જાળવી રાખવા માટે મેઇન બિઝનેસમાંથી અન્ય વેપાર તરફ ડાઇવર્ટ થયા છે. મેનપાવરની અછત, નાણાંકિય કટોકટી તેમજ અનેક યુનિટો ડિમાન્ડ પર આધારિત છે તેને અસર થતા સંખ્યાબંધ કંપનીઓ પોતાના મેઇન બિઝનેસમાંથી અન્ય બિઝનેસ અપનાવવા લાગ્યા છે. આગામી હજુ બે માસ સુધીમાં ગુજરાતની કુલ 4.5-5 લાખ એમએસએમઇ યુનિટોમાંથી અંદાજે 75000 જેટલી નાની કંપનીઓ પોતાનો બિઝનેસ રિસફલ કરશે તેવો અંદાજ છે.
પાયાના સેક્ટર એવા ટેક્સટાઇલ-ગારમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર- રિઅલ એસ્ટેટ, આયાત-નિકાસ, એફએમસીજી, ટૂરિઝમ, હોટલ-ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તથા જવેલરી સેક્ટરની અનેક કંપનીઓ ઓનલાઇન બિઝનેસ, ગ્રોસરી, વેજીટેબલ્સ-ફ્રૂટ, પીપીઇ કીટ, ગ્લોવ્સ-માસ્ક, સેનેટાઇઝરના ઉત્પાદન તરફ ડાઇવર્ટ થઇ છે. જેટલી કંપનીઓએ બિઝનેસ રિસફલ કર્યો છે તે કંપની શોર્ટટર્મમાં પ્રોફિટેબલ બની ગઇ છે. એટલું જ નવા બિઝનેસના પ્રોફિટના કારણે જૂનો બિઝનેસ સસ્ટેઇન થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે રિસફલ બિઝનેસ ઉપરાંત મેઇન બિઝનેસમાં સ્થિતિ રાબેતા મૂજબ થતા તેમાં પણ વેપાર ચાલુ રાખશે.
કોરોના ઇફેક્ટ હજુ આગામી ત્રણ થી ચાર માસ તો અમુક સેક્ટરમાં એકાદ વર્ષ સુધી ચાલુ રહેશે તેવો નિર્દેશ અગ્રણી બિઝનેસમેન કરી રહ્યાં છે. જ્યાં સુધી ડિમાન્ડ-સપ્લાય રાબેતા મુજબ નહિં બને તો આગળ જતા અનેક કંપનીઓ પોતાનો મેઇન બિઝનેસ રિસફલ કરશે તેમાં શંકાને સ્થાન નથી. જે કંપનીઓએ નવા બિઝનેસમાં ઝંપલાવ્યું છે તેમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળ્યો છે.
શા માટે MSMEને બિઝનેસ રિસફલ કરવાની જરૂર પડી?
એમએસએમઇ અનેક કંપનીઓને અનલોકમાં સૌથી મોટો પ્રશ્ન મેનપાવર પૂરતો ન હોવાનો છે. આ ઉપરાંત નાણાંકીય કટોકટી, ડિમાન્ડ ન હોવાથી વેપારમાં અડચણ છે ત્યારે નવા બિઝનસેમાં શોર્ટટર્મ ગેઇન થતા જૂનો બિઝનેસ સસ્ટેઇન થઇ રહ્યો છે. નવા બિઝનેસમાં કમાણીની તક છે જેના કારણે મહામારીની સ્થિતિ હળવી થશે તો પણ અનેક કંપનીઓ હવે બે બિઝનેસ ચલાવશે.
કયા સેક્ટરમાંથી કયા સેક્ટરમાં ડાઇવર્સિફાઇ થયા
જૂનો બિઝનેસ | ડાઇવર્ટ થયેલ બિઝનેસ |
હોસ્પિટાલિટી | ઓનલાઇન ગ્રોસરી બિઝનેસ |
હોટલ-રેસ્ટોરન્ટ | ઓનલાઇન વેજિટેબલ્સ-ફ્રૂટ્સ |
ઇન્ફ્રાસ્ટ્રક્ચર | ક્રોપ બિઝનેસ, સિડ્સ |
જ્વેલરી-ડાયમંડ | જ્વેલરી, ઓનલાઇન વેચાણ |
ટ્રાન્સપોર્ટેશન | બોઇલર-ઓટોપાર્ટ્સ મેન્યુ. |
ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ | ઓનલાઇન ટ્રેનિંગ-એજ્યુ. |
ઇમ્પોર્ટ-એક્સપોર્ટ | પીપીઇ, ગ્લોવ્સ-માસ્ક |
ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાંથી ઓનલાઇન તરફ પ્રયાણ કર્યું
એમડી-મેટાર્વસિટી ઇન્સ્ટીટ્યૂટના અંકીત જોષીપુરાએ જણાવ્યું કે, પેન ઇન્ડિયા ટ્રેઇનિંગ-કોચીંગ પૂરી પાડતી ઇન્સ્ટીટ્યૂટ છેલ્લા ફેબ્રુઆરી માસથી મૃત: પાય અવસ્થામાં છે જેની સામે નવી તક ઝડપી મેટાર્વસિટી નામનું ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કરવા પ્રયાસ કર્યો છે જેમાં અનેક કંપનીઓ-યુનિવર્સિટી દ્વારા સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વેપારમાં ટુંકાગાળામાં ઝડપી ગ્રોથ મેળવી લેશું તેવી આશા છે.
20 ટકા જેટલા MSME રિસફલ થશે
એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયનના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયે કહ્યું કે,નાના-નાના અનેક યુનિટોને મેઇન બિઝનેસમાંથી અન્યમાં ફરજિયાત ડાઇવર્ટ થવું પડ્યું. મેનપાવરની શોર્ટેજ, નાણાં કટોકટી, ડિમાન્ડ-સપ્લાયનો અભાવ હોવાથી વેપાર બદલવાની ફરજ પડી.નવા બિઝનેસમાં ઝંપલાવ્યું છે તેમાં સારો ગ્રોથ મેળવવામાં કંપનીઓ સફળ રહી છે.
ઓર્ગેનિકમાં કમાણીની તક ઝડપી
ઓર્ગેનિક હાઉસીસના ફાઉન્ડર પાયલ વેકરીયાના જણાવ્યાનુસાર મુખ્ય વ્યવસાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હતો પરંતુ મેનપાવરની શોર્ટેજઅને પ્રોજેક્ટ કોસ્ટ વધી જતા વેપાર સંતુલન માટે અન્ય વેપાર તરફ નજર દોડાવી પડી. ઓર્ગેનિકનો જમાનો હોવાથી અને ખેડૂતોને સારા ભાવ મળી રહે તે આશયથી ઓર્ગેનિક વેજિટેબલ્સ-ફ્રૂટના વેપારમાં ઝંપલાવ્યું .USA, કેનેડા,આફ્રિકામાં સ્પાઇસીસ-ગ્રોસરીની નિકાસની વિચારણા છે.
ઓનલાઇન ગ્રોસરી સ્ટોર્સમાં પ્રવેશ
કેપ્સિકમ રેસ્ટોરન્ટના કો-ફાઉન્ડર રૂપલ ઘીઆ એ જણાવ્યું કે, કોરોનામાં સૌથી મોટી અસર હોસ્પિટાલિટી-હોટલ તથા રેસ્ટોરન્ટ બિઝનેસને પડી છે અને હજૂ પડી રહી છે. હજુ બે માસ સુધી આ સેક્ટર માટે પડકારો છે તેને ધ્યાનમાં લેતા ઓનલાઇન ગ્રોસરી સ્ટોર શરૂ તરફ નજર દોડાવી. અમારા ક્લાઇન્ટો સાથે કોન્ટેક્ટ જળવાઇ રહે તે મુખ્ય આશય છે. જૂનો બિઝનેસ શરૂ થવા સાથે નવા વેપારને પણ વેગ આપીશું.
કિટ-માસ્ક-સેનિટાઇઝરમાં ઝંપલાવ્યું
સંકર-6 કોટન ફાઇબર પ્રા.લિ.ના એમડી તુષાર શેઠે જણાવ્યું કે, કોટન તથા યાર્નની નિકાસ કોરોના ઇફેક્ટથી અટકી છે. ચાર માસથી વેપાર ન હોવાથી અન્ય બિઝનેસમાં પીપીઇ કિટ, માસ્ક, સેનેટાઇઝર તથા હોસ્પિટલ પ્રોડક્ટમાં ઝંપલાવ્યું છે અને તેમાં સફળતા મળી છે. નવા વેપારમાં 10 કરોડથી વધુનું ટર્નઓવર મેળવી લીધું છે.
મુખ્યમંત્રીના સુરત આગમન પૂર્વે જ સ્મીમેર હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નિપજતા ખળભળાટ મચી ગયો હતો. સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર બાબતે પ્રશ્નો ઉભા થતા રહ્યા છે ત્યારે શુક્રવારે અત્યંત ગંભીર ઘટના બની જતા સ્મીમેર અને મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું.ડોક્ટર હાજર નહીં હોવાના કારણે તેમજ ઓક્સિજન ઓછો મળવાને કારણે આડોશ પાડોશમાં રહેતા બે વૃદ્ધોના મોત નીપજ્યા હતા.
સાંજે સાડા પાંચથી છ વાગ્યાના સમયે અચાનક જ બંનેના મોત
આખા મામલે ડોક્ટરો ઉપર આક્ષેપો થઇ રહ્યા છે અને ડોક્ટરોની બેદરકારી સામે રોષ વ્યાપી ગયો છે. કાપોદ્રાની ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 59 અને 65 વર્ષિય બે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઇ હતી. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ગુરુવારે સવારના સમયે સ્મીમેર હોસ્પિટલના કોરોનાની ઓપીડીમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં તેઓની હાલત ખરાબ થઇ હતી અને ઓક્સિજન ઉપર રખાયા હતા. શુક્રવારે સાંજે સાડા પાંચથી છ વાગ્યાના સમયે અચાનક જ બંનેના મોત નીપજ્યા હતા.
ડોક્ટરને કહેવા છતાં ધ્યાને ન લીધું
શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યે ઘટના બની છે. મારા પિતાને ઓક્સીજન માટે બાઇપેપ મશીનરી લગાડી હતી અને અચાનક બંધ થઇ ગઇ હતી જેના કારણે ઓક્સીજન મળતો જ બંધ થઇ ગયો હતો. ડોક્ટરોને બોલાવીને જાણ કરાઇ હતી. પરંતુ હાજર એક ડોક્ટરે થોડી વારમાં આવું છુ કહીને ચાલ્યા ગયા હતા.ઓક્સિજન ન મળતા જ મોત થયું છે.> અજય કાકડીયા, મૃતકનો પુત્ર
મોત બેદરકારીથી થયા નથી: ડીન
સ્મીમેરમાં બેદરકારીને લીધે 2 દર્દીઓના મોત નિપજ્યાના કિસ્સામાં સ્મીમેર મેડિકલ કોલેજના ડિન આર.કે. બંસલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે બંને દર્દી લીંબાભાઈ કાપડિયા (57) અને નરસીભાઈ મોહનભાઇ મંગરોળિયા (65)(બંને રહે, ઇશ્વરકૃપા સોસાયટી, કાપોદ્રા) બંને પૈકી લીંબાભાઈ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા જ્યારે નરસીભાઈને ન્યુમોનિયાની બીમારી હતી.ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ હતું. શરૂઆતથી જ વેન્ટિલેટર પર હતા.સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ઓક્સિજન ચાલુ હતો, બંધ નથી થયો
ઓક્સિજન ચાલુને ચાલુ જ છે. તે બંધ થયો નથી. ઓક્સિજન નહીં મળવાને કારણે તેમના મોત નિપજ્યા નથી.> જયેશ પટેલ,સિનિયર આર.એમ.ઓ.,સ્મીમેર
કોરોના વાઈરસની માઠી અસર હવે ખેતી ઉપર પણ જોવા મળી રહી છે. અમેરિકાના ખેડૂતો હાલમાં ઘણાં પરેશાન છે કેમ કે ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર છે પણ તેની લણણી માટે મજૂરો નથી મળી રહ્યા. દર વર્ષે પ્રવાસીઓ આવતા હતા પણ આ વખતે કોરોનાના લીધે તેઓ પહોંચી નથી શક્યા. એટલા માટે ખેડૂતોએ હવે સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલબસના ડ્રાઈવરો તથા ઓઈલ ફિલ્ડમાં કામ કરનારા શ્રમિકોની મદદ લેવી પડી રહી છે. કેમ કે મશીનોના માધ્યમથી પાકની લણણી થાય છે અને દરેકને તે ચલાવવાનો અનુભવ હોતો નથી.
ટેક્સાસ અને ઓક્લાહોમામાં પાકની લણણી માટે શ્રમિકો ઉપલબ્ધ કરાવતી કંપની કહે છે કે આ સૌથી મુશ્કેલ સમય છે, શ્રમિકો મળી રહ્યા નથી. મોટી ચિંતાનો વિષય એ છે કે પાકની લણણીમાં વિલંબ થશે તો ઘઉંના ભાવમાં મોટો વધારો થશે, તેના લીધે બ્રેડ અને પાસ્તાના ભાવ અને સપ્લાય પ્રભાવિત થશે.
ખેડૂતો અને હાર્વેસ્ટિંગ કંપનીઓ કહે છે કે જો દેશમાંથી જ નવા લોકોને આ કામ માટે બોલાવીશું તો તેમને વધારે ટ્રેનિંગ આપવી પડશે, તે ઉપરાંત પૈસા પણ તેઓ વધુ માગશે. અમુક ખેડૂત વિદ્યાર્થીઓ પાસે કામ લેતા પણ ડરે છે કેમ કે સ્કૂલો ખૂલી જશે તો કામ અધૂરું રહી જશે.
કેન્સાસના એટવૂડની બેકલે હાર્વેસ્ટિંગ અનુસાર તેના 30 ટકા શ્રમિક પ્રવાસી છે, તે ખેતી વિઝા(એચ-2-એ)ના માધ્યમથી એક મહિના માટે અમેરિકા આવે છે. પણ ચાલુ વર્ષે એક પણ પ્રવાસી શ્રમિક નથી. અમેરિકાના શ્રમિકો પણ કોરોનાના ડરથી કામ પર પાછા આવવા માટે તૈયાર નથી. ગત વર્ષોમાં અમેરિકી ખેડૂતોએ અપ્રવાસી મજૂરો પર વધુ ભરોસો કર્યો. ટ્રમ્પ સરકારે પણ ટેક વર્કર, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોની તુલનાએ ખેતી વિઝા વધારે આપ્યા છે.
આ વખતે 49 ટકા વધુ ખેતી વિઝા ઈશ્યૂ કરાયા પણ મજૂરો પહોંચી ના શક્યા
અમેરિકી શ્રમ વિભાગના જણાવ્યાનુસાર ઓક્ટોબરથી માર્ચ સુધી 10,798 એચ-2એ વિઝા જારી કરાયા, જે ગત વર્ષના આ સમયગાળાની તુલનાએ 49 ટકા વધુ છે. ઘઉંની લણણી મેમાં શરૂ થાય છે પણ લૉકડાઉનને લીધે મજૂરો આવી નથી શક્યા. અત્યાર સુધી લણણીનું 41 ટકા જ કામ પૂરું થઇ શક્યું છે જે ગત વર્ષની તુલનાએ ઓછું છે.
ચીની સૈનિકો સાથે અથડામણ પછી લેહ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો આત્મવિશ્વાસ વધાર્યો છે. સાથે જ તેમણે વિસ્તારવાદી નીતિઓ માટે ઈશારામાં ચીન પર નિશાન સાધ્યું છે. ચીનનો ભારત, જાપાન સહિત અનેક દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. જમીન પર કબજો કરવાની વિસ્તારવાદી નીતિ વર્તમાન સમયમાં શક્ય ન હોવાને લીધે ચીને પોતાની તાકાત વધારવા આર્થિક ગતિવિધિઓને હથિયાર બનાવી છે. તેના બળે તે દુનિયાભરમાં દબદબો વધારવા માગે છે. તેણે છેલ્લા 15 વર્ષમાં 125 દેશમાં મોટું રોકાણ કર્યું છે.
આ ઉપરાંત અનેક દેશોને દેવાની જાળમાં ફસાવીને તેમની જમીન ઝુંટવી લેવાની ચાલ પણ ચાલી છે. ચીનની કંપનીઓએ શ્રીલંકામાં મોટું રોકાણ કર્યું છે. ઊંચા દરે વ્યાજ વસુલવાના કારણે હવે શ્રીલંકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે. લોન ન ભરવાની સ્થિતિમાં ચીનની કંપનીઓ હવે માલિકી હક માગીરહી છે. આવું જ તેણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે કર્યું છે. ચીન પોતાની વિસ્તારવાદી નીતિ ચાલુ રાખવા આમ કરી રહ્યું છે. તિબેટને ઝુંટવી લેવા પણ ચીન લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે.
ગલવાનમાં અથડામણ પછી ચીન પડોશી દેશો દ્વારા ભારતને ઘેરવા માગે છે
લદ્દાખના ગલવાનમાં સૈનિક સંઘર્ષ પછી ભારત અને ચીન વચ્ચે વિવાદ ઘેરો બન્યો છે. ચીન પડોશી દેશોને પણ ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. જેમાં પાકિસ્તાન સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં પાકિસ્તાનને ચીન રૂ.3.45 લાખ કરોડ આપશે. નેપાળ પણ ચીનની શરણમાં માથું ઊંચકી રહ્યું છે. તે ચીનના વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટમાં જોડાઈ ગયું છે. બાંગ્લાદેશમાં પણ ચીન ભારત વિરોધી શક્તિઓને ભડકાવી રહ્યું છે. ત્યાં રૂ.2.89 લાખ કરોડનું રોકાણ કરી રહ્યું છે, જેથી બાંગ્લાદેશ પણ દેવામાં દબાઈ ગયું છે. શ્રીલંકામાં ચીનનું 36 હજાર કરોડનું રોકાણ છે.
પાકિસ્તાન : 3.45 લાખ કરોડની લોન આપીને ફસાવાની ચાલ, નજર ગ્વાદર બંદર પર
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે. જે પાકિસ્તાનના ગ્વાદર બંદરને સમુદ્રના માર્ગે ચીનના ઝિજિયાંગ સુધી પહોંચાડવાની એક મોટી યોજના છે. 2442 કિમી લાંબા પ્રોજેક્ટ દ્વારા ચીન સમુદ્રી માર્ગે પાકિસ્તાન સાથેનું અંતર ઘટાડવા માગે છે. તેના દ્વારા ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ જેવી વસ્તુઓના ટ્રાન્સપોર્ટની યોજના છે. આ પ્લાન 1950માં શરૂ થયો હતો, પરંતુ પાકિસ્તાનની અસ્થિર રાજનીતિને લીધે ત્યાં અમલમાં આવ્યો ન હતો. આ યોજના અંતર્ગત ચીન, પાકિસ્તાનને 42 અબજ ડોલર એટલે કે રૂ.3.45 લાખ કરોડ આપશે. સ્પષ્ટ છે, આર્થિક સંકટમાં પાકિસ્તાન ચીનની જ ભાષા બોલશે.
શ્રીલંકા : દેવું ચૂકવવામાં નિષ્ફળ,હમ્બનટોટા પોર્ટ પર કબજાની ચીનની ઈચ્છા
મૈત્રિપાલ સીરીસેનાની સરકાર પર ભારતની અસર હતી. ભારતના દબાણમાં સીરીસેનાની સરકારે ચીનને આપેલા કેટલાક અધિકાર પાછા ખેંચ્યા હતા. હવે મહિંદા રાજપક્સેની સરકારમાં શ્રીલંકાએ ચીન પાસેથી મોટી લોન લઈને હમ્બનટોટા પોર્ટને 99 વર્ષની લીઝ પર આપી દીધું છે. આ ઉપરાંત શ્રીલંકામાં એરપોર્ટ, કોલ પાવર પ્લાન્ટ અને બે મોડા ડેમ સહિત અનેક પ્રોજેક્ટ માટે ચીન રૂ.36 હજાર 480 કરોડનું રોકાણ કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી તાકાતો મજબૂત છે. બાંગ્લાદેશ પર 33 અબજ ડોલરનું દેવું હોવાનું અનુમાન છે, આથી તે ચીનની પડખે ઝુકી ગયું છે.
હોંગકોંગ : ચીનના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લીધે વિવાદ વધ્યો
હોંગકોંગમાં એક વર્ષથી ચીન પાસેથી આઝાદી અંગે દેખાવો થઈ રહ્યા છે. આથી ચીને હોંગકોંગ માટે નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કર્યો છે. જેનાથી હોંગકોંગના લોકોના તમામ વિશેષાધિકાર સમાપ્ત થઈ જશે. તેનો અર્થ એ થશે કે, હોંગકોંગમાં ચીનનો કોઈ વિરોધ કરી શકશે નહીં કે તેની વિરુદ્ધ દેખાવો પણ કરી શકશે નહીં. અમેરિકા, બ્રિટન પણ તેનો વિરોધ કરી રહ્યા છે.
ભારત સાથે સરહદ વિવાદ, જાપાન સાથે ખટપટ, હોંગકોંગમાં અત્યાચાર, કોરોનાવાઈરસ ફેલાવાનો આરોપ. આ સ્થિતિમાં દુનિયાના 27 દેશોએ ચીન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં જવાનો નિર્ણય લીધો છે.
નવા શિકાર : કેરેબિયન, લેટિન અમેરિકામાં પણ અમેરિકાનું વર્ચસ્વ સમાપ્ત
ચીને હવે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં દબદબો બનાવી લીધો છે. 2010 પહેલા આ દેશોમાં તેનું રોકાણ માત્ર રૂ.35,000 કરોડ હતું, જે છેલ્લા 10 વર્ષમાં 5 ગણું વધીને 1.87 લાખ કરોડ થઈ ગયું છે. ઈકોનોમિક કમીશન ફોર લેટિન અમેરિકા એન્ડ કેરેબિયન અનુસાર, આ ક્ષેત્રમાં 2017 સુધી કુલ રોકાણના 65% અમેરિકા અને યુરોપિયન દેશનું હતું. જેમાં અમેરિકાનું રોકાણ 28% હતું. હવે છેલ્લા 3 વર્ષમાં આ ક્ષેત્રમાં કુલ રોકાણના 42% એકલા ચીનનું રોકાણ છે. આ ક્ષેત્રમાં છેલ્લા 7 વર્ષમાં 5.43 લાખ કરોડનું રોકાણ થયું છે, જેમાં 1.35 લાખ કરોડ એટલે કે લગભગ 25% જેટલું રોકાણ એકલા ચીને કર્યું છે. આટલું જ નહીં, ચીને આ ક્ષેત્રોમાં અમેરિકા અને યુરોપનો દબદબો સમાપ્ત કરી દીધો છે. તેણે અહીં અધિગ્રહણ અને વિલયની ગતિવિધિઓ પણ તેજ કરી છે.
પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, યુરોપ અને આફ્રિકામાં પણ ચીને મોટું રોકાણ કર્યું છે. તે અનેક દેશોમાં ઓબીઓઆર પ્રોજેક્ટ બનાવી રહ્યું છે, જેનાથી તેનું વ્યાપારિક સામ્રાજ્ય વધુ મજબૂત થશે. આ તાકાતનો ઉપયોગ કરી તે ડિજિટલ યુઆન અને સ્થાનિક મુદ્રામાં લેવડ-દેવડને પ્રોત્સાહન આપી શકે છે.
સાંડેસરા બ્રધર્સ બેન્ક ફ્રોડ અને મની લોન્ડરિંગ મામલે ઈડીની પૂછપરછને કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી હતી. અહેમદ પટેલે શુક્રવારે ટિ્વટમાં કહ્યું કે ત્રણ વખત મારા ઘરે આવવા માટે ઈડીના અધિકારીઓનો આભાર. તેમણે લખ્યું કે મેં તેમના 128 સવાલોના જવાબ આપ્યા પણ તે મારા એક જ પાયાના સવાલનો જવાબ ન આપી શક્યા કે સાંડેસરા ગ્રૂપને ફાયદો પહોંચાડવા, વિશેષાધિકાર અને સન્માન આપવા માટે ગુજરાત રાજ્ય સરકારમાં કોણ જવાબદાર હતું?
અહેમદ પટેલનું સમર્થન કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ટિ્વટ કરી કે કોરોના મહામારી વચ્ચે અહેમદ પટેલજીને હેરાન કરવા માટે ઈડીને મોકલવી એ દર્શાવે છે કે આ સરકારની પ્રાથમિકતા શું છે? તેમણે લખ્યું કે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે, અમારા સ્વાસ્થ્યકર્મી સહયોગ સંબંધિત પગલાં ભરવા માટે પરેશાન છે. અર્થતંત્ર અનપેક્ષિત સંકટનો સામનો કરી રહ્યું છે. ચીન આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું છે, આપણા સૈનિકો જીવ ગુમાવી રહ્યા છે. આ સરકાર પોતાનો સમય ક્યાં ખર્ચ કરવામાં વ્યસ્ત છે? તમને જણાવી દઈએ કે ઈડી અધિકારીઓએ અહેમદ પટેલની ગુરુવારે 10 કલાક, મંગળવાર અને શનિવારે 8-8 કલાક પૂછપરછ કરી હતી.
કોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6-8 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ચોતરફ સન્નાટો છે. પૂજા સમિતિના લોકો કહે છે કે ઓક્ટોબરમાં પૂજા તો થશે પણ સ્વરૂપ કેવું હશે તે કહી શકીએ તેમ નથી. 150 પૂજા સમિતિના સંગઠન વેસ્ટ બંગાલ દુર્ગા પૂજા ફોરમે મમતા સરકારને આયોજનનું સ્વરૂપ નક્કી કરવા રજૂઆત કરી છે પણ હજુ કોઇ જવાબ આવ્યો નથી.
વેપારીઓનું કહેવું છે કે 3 હજાર કરોડ રૂ.નું કોલકાતાનું પૂજા બજાર 20-25 ટકાએ સમેટાઇ જશે. આ વખતે પહેલાં જેવી ભવ્યતા જોવા નહીં મળે. જ્યાં કરોડોના ભવ્ય પંડાલ સજાવાતા હતા ત્યાં આજે એક વાંસ પણ ઊભો નથી કરાયો. બીજી તરફ મૂર્તિઓ બનાવવા માટે જાણીતા કુમ્હાર ટોલીમાં કારખાનાં પણ ઠપ છે. અહીં 200થી વધુ મૂર્તિકારો અને તેમના 900થી વધુ કારીગરો માટીની મૂર્તિ બનાવીને દુર્ગાપૂજા પર આખા વરસનું કમાઇ લેતા હોય છે. તેમને એપ્રિલથી જ દેશ-વિદેશના ઓર્ડર મળવાનું શરૂ થઇ જતું હોય છે પણ આ વખતે તેમની પાસે માંડ 10-20 ઓર્ડર છે. જે મૂર્તિ દોઢ લાખ રૂ.ની છે તેને લોકો અડધા ભાવે ખરીદવા માગે છે.
મૂર્તિકારો માટે પડતર કાઢવી પણ મુશ્કેલ છે. 85 વર્ષ જૂના સંતોષ મિત્રા સ્ક્વેરમાં ગત વર્ષે પૂજા આયોજનમાં 3 કરોડ રૂ. ખર્ચ થયો હતો. સોનાની મૂર્તિ, ચાંદીના રથ અને હીરા-રત્ન જડિત સાડીઓથી મા દુર્ગાનો શણગાર થયો હતો. તેનો ખર્ચ કોર્પોરેટ ગૃહોએ ઊઠાવ્યો હતો. આ વખતે બધા શાંત છે. નોર્થ કોલકાતાની જાણીતી મો. અલી પૂજા સમિતિના સચિવ અશોક ઓઝા કહે છે કે આ વખતે કંઇ તૈયારી નથી. 2019માં 40 લાખ રૂ. ખર્ચ થયો હતો, આ વખતે તેનો 40 ટકા ફાળો એકઠો થાય તો પણ બહુ છે. પૂજા થશે પણ નાના પાયે. અમે કળશ સ્થાપન સુધી જ સીમિત રહીએ તેવું પણ બને. અમે મૂર્તિઓ નાની રાખી છે.
શ્રાવણ મહિના પછી તૈયારી શરૂ થશે. શહેરમાં નાની-મોટી 400થી વધુ પૂજા સમિતિઓ છે. કોલકાતામાં ઘરોમાં પણ દુર્ગાપૂજાની સદીઓ જૂની પરંપરા છે. રાજા રામમોહન રાયના ગામના બરુણ મલિકના ઘરમાં 165 વર્ષથી દુર્ગાપૂજા થાય છે. બરુણ કહે છે કે કોરોનાના કારણે આ વખતે સંબંધીઓ-મિત્રો તો ઓછા આવશે. મૂર્તિ બની શકે તેમ નહીં હોય તો માત્ર ઘટપૂજાથી જ અનુષ્ઠાન સંપન્ન કરવું પડશે.
મોદી લદાખમાં અગ્રીમ સૈન્ય ચોકી નીમૂ પહોંચ્યા હતા, આ સ્થાન ગલવાન ખીણથી 150 કિમી દૂર છે. આ અગાઉ 1971માં ઈન્દિરા ગાંધી લદાખ ગયા હતા. ચીન સાથે એલએસી પર તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે અચાનક લદાખ પહોંચી ગયા. 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂમાં ટોચનાં સૈન્ય ઠેકાણે સેના, આઈટીબીપી અને એરફોર્સના જવાનો સાથે મુલાકાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ગલવાન ખીણમાં 15 જૂને ચીનના સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ મુલાકાત કરી હતી.
વડાપ્રધાને ગલવાન અથડામણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભારતીય સેનાએ ત્યાં પરાક્રમની પરાકાષ્ઠા બતાવી. સેનાએ તેની વીરતાથી સમગ્ર દુનિયાને ભારતની તાકાતનો સંદેશ આપ્યો. વડાપ્રધાને ચીનને પણ નામ લીધા વિના ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્તારવાદનો યુગ ખતમ થઈ ચૂક્યો છે. આ વિકાસવાદનો યુગ છે. વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે. વિસ્તારવાદની જીદે હંમેશા માનવતા માટે ખતરો પેદા કર્યો. ચીનને ચેતવતાં તેમણે કહ્યું કે ઈતિહાસ સાક્ષી પૂરે છે કે વિસ્તારવાદી તાકાતો કાં તો હારી છે કાં પીછેહઠ કરવા મજબૂર થઈ છે.
સંપૂર્ણ લદાખને ભારતનું અભિન્ન અંગ ગણાવતા તેમણે કહ્યું કે લદાખ દેશનો અરીસો છે. 130 કરોડ ભારતીયોના ગૌરવનું પ્રતીક છે. તેમણે કહ્યું કે લેહ, લદાખથી લઈને કારગિલ અને સિયાચીન સુધી, અહીંનાં બરફનાં શિખરોથી લઈને ગલવાન ખીણની ઠંડા પાણીની ધારા પણ. દરેક શિખર, દરેક પર્વત, દરેક કણ-કણ, પથ્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરે છે. સવારે આશરે 09:30 વાગ્યે વડાપ્રધાન સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ નરવણે પણ લેહ પહોંચ્યા હતા.
તમને નમન કરવા આવ્યો છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - ગલવાન ખીણમાં આર્મીએ પરાક્રમની પરાકાષ્ઠા દર્શાવી, મને તમને મળીને ઉર્જા મળે છે. વડાપ્રધાન ઘાયલ સૈનિકોને મળવા પહોંચ્યા. કહ્યું- તમને સ્પર્શીને અને જોઈને ઊર્જા મળે છે. હું તમને નમન કરવા આવ્યો છું. આપણો દેશ ક્યારેય ઝૂક્યો નથી અને ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં. ભારતીય જવાન એવી એવી શક્તિઓનો સામનો કરે છે કે દુનિયા જાણવા ઈચ્છે છે કે આ વીર કોણ છે, સમગ્ર વિશ્વ વીરતાનું વિશ્લેષણ કરી રહ્યું છે.
આપણે ક્યારેય ઝૂક્યા નથી અને ઝૂકીશું પણ નહીં
રાષ્ટ્રકવિ રામધારી સિંહ દીનકરની પંક્તિઓ દોહરાવતા પીએમે કહ્યું કે :
જિન કે સિંહનાદ સે સહમી
ધરતી રહી અભી તક ડોલ,
કલમ, આજ ઉન કી જય બોલ.
મોદીએ કહ્યું કે ભારતના દુશ્મનોએ ભારતીય જવાનોની ફાયર એન્ડ ફ્યૂરી જોઈ છે. જવાનોની વીરતા દેશના દરેક ઘરે ગૂંજે છે. મહાન તમિલ કવિ તિરુવલ્લુવરે કહ્યું હતું કે શૌર્ય, સન્માન, મર્યાદાપૂર્ણ વ્યવહાર અને વિશ્વસનીયતા આ ચાર ગુણ કોઈ પણ દેશની સેનાના પ્રતિબિંબ હોય છે. ભારતીય સેના હંમેશા એ જ માર્ગે ચાલે છે.
માતૃભૂમિની રક્ષાની આપણી ક્ષમતા અને સંકલ્પ હિમાલય જેટલા ઊંચા છે
વડાપ્રધાને કહ્યું કે ભારતના લોકો વાંસળીધારી ભગવાન કૃષ્ણની પૂજા કરે છે પણ સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ પણ અમારા આદર્શ છે. અમારે ત્યાં કહેવાય છે કે વીર ભોગ્યા વસુંધરા- એટલે કે પોતાનાં શસ્ત્રોની તાકાતથી જ માતૃભૂમિની રક્ષા કરાય છે. માતૃભૂમિની રક્ષા અને સુરક્ષાની અમારી ક્ષમતા અને સંકલ્પ હિમાલય જેવા ઊંચા છે.
નિર્બળ શાંતિ નથી લાવી શકતો, તાકાત જ શાંતિ માટેની પ્રથમ શરત છે
શાંતિ પ્રત્યે અમારી વચનબદ્ધતાને નબળાઈ ન સમજશો. વિકાસ માટે શાંતિ-મિત્રતાના દરેક પક્ષધર છે. નિર્બળ શાંતિ ન લાવી શકે. વીરતા શાંતિની પ્રથમ શરત છે. ભારતે નભ, જળ, સ્થળ, અંતરિક્ષમાં તાકાત વધારી છે. સરહદી વિસ્તારોમાં ખર્ચ ત્રણગણો વધાર્યો. દુનિયાએ ભારતના પરાક્રમ અને શાંતિ બંને પ્રયાસો જોયા છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લેહ-લદાખથી લઈ કારગિલ અને સિયાચીન સુધી, અહીંના બર્ફીલા શિખરથી લઈ ગલવાન ખીણ સુધી ઠંડા પાણીની ધારા સુધી. દરેક શિખર, દરેક પહાડ, દરેક પથ્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરી રહ્યા છે.’
રાહુલે કહ્યું- કોઈ તો જુઠ્ઠું બોલે છે…
રાહુલ ગાંધીએ શુક્રવારે ફરી વડાપ્રધાન મોદી સામે નિશાન તાક્યું. રાહુલે ટિ્વટ કરી કે લદાખના લોકો કહે છે કે ચીને અમારી જમીન પર કબજો કર્યો છે. વડાપ્રધાન કહે છે કે કોઈએ અમારી જમીન કબજે નથી કરી. કોઈ તો જુઠ્ઠું બોલે છે.
‘જીતો 21 કરોડ’ યોજનાનું ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન, ફોર્મ જમા કરી ગેરંટેડ ગિફ્ટની વિતરણની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ કોરોનાના કારણે કેન્દ્ર સરકારે સખ્ત લોકડાઉન લાગુ કર્યુ હતું. જેના કારણે અમારા ઘણા બધા વાચકો ફોર્મ જમા કરાવી શક્યા નથી. દૈનિક ભાસ્કર ઇચ્છે છે કે યોજનામાં વધુ ને વધુ લોકો જોડાય. કોરોનાના કારણે હજુ પણ વધુ લોકોના ભેગા થવા પર નિયંત્રણો લાગુ હોવાથી અમે બાકી રહી ગયેલા વાચકો માટે યોજના અંતર્ગતના ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન ફોર્મ જમા કરાવવા અને ગેરંટેડ ગિફ્ટના વિતરણની કામગીરી પુન: શરૂ કરી શક્યા નથી.
ભાસ્કર જૂથ તેના વાચકોને ખાતરી આપે છે કે જ્યારે પણ પરિસ્થિતિ સામાન્ય બનશે અને આપના માટે સુરક્ષિત વાતાવરણ સર્જાશે તે સાથે જ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન અને ફોર્મ જમા કરી ગેરંટેડ ગિફ્ટનું વિતરણ પુન: શરૂ કરી વધુમાં વધુ વાચકોના ફોર્મ સાથેનો લકી ડ્રો કરવામાં આવશે.
આભાર- ભાસ્કર મેનેજમેન્ટ
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતશે તો એચ-1બી વિઝા પર લાગુ અસ્થાયી પ્રતિબંધને રદ કરી દેશે. આ વિઝાની ભારતીય પ્રોફેશનલ્સ વચ્ચે વધુ માગ છે. ટ્રમ્પ સરકારે આ વિઝા પર 2020ના અંત સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. બિડેને એશિયન અમેરિકી લોકોને ડિજિટલ કાર્યક્રમમાં આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે એચ-1 બી વિઝા પર આવેલા લોકોએ અમેરિકાના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી છે એટલા માટે હું મારા કાર્યકાળના પ્રથમ દિવસે જ 1.1 કરોડ દસ્તાવેજરહિત અપ્રવાસીની નાગરિકતાનો માર્ગ મોકળો કરવા માટે સંસદમાં ઈમિગ્રેશન સુધારો બિલ લાવીશ. અમારી ઈમિગ્રેશન પ્રણાલીમાં પરિવારના સભ્યોને સાથે રહેવાને મહત્ત્વ અપાશે. ભારત સાથે સંબંધ મજબૂત કરવા અમારી ટોચની પ્રાથમિકતા હશે.
12 લાખ ભારતવંશી મતદાર, ડેમોક્રેટ તરફ ઝોક વધ્યો
નેશનલ પબ્લિક રેડિયો અનુસાર ભારતીય અમેરિકી સામાન્ય રીતે ડેમોક્રેટ્સને વોટ આપે છે. 2016માં 20 ટકાથી પણ ઓછા ભારતીયોએ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું પણ આ વખતે ટ્રેન્ડ બદલાઈ શકે છે. તેનું કારણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના સારા સંબંધો છે. 2008 અને 2012માં બરાક ઓબામાને વોટ આપનારા ભારતીયોએ 2016માં ટ્રમ્પને વોટ આપ્યા હતા. ત્યારે આતંકવાદ મોટો મુદ્દો બન્યો હતો.
પ્રવાસી વોટરોમાં ભારતીય ચીનથી 20 ટકા વધુ
કોરોનાના કારણે ગામડે પહોંચી ગયેલા લોકો હવે ઝડપથી શહેરો તરફ પાછા ફરી રહ્યા છે. રેલવે મંત્રાલય અનુસાર 27 જુનથી 30 જૂન વચ્ચે દિલ્હીમાં સૌથી વધુ 81 હજાર લોકો પહોંચ્યા છે. આ ઉપરાંત, મુંબઈ, અમદાવાદ, સુરત, અમૃતસર, સિકંદરાબાદ, જોધપુર તરફ લોકોએ સફર કરી છે. આ ટ્રેનોમાં 100%થી વધુ બુકિંગ છે.
લાૅકડાઉન દરમિયાન 5% ટ્રક રોડ પર હતી, પરંતુ હવે આ સંખ્યા 45% સુધી પહોંચી છે. દેશમાં એક કરોડથી વધુ ટ્રક ચાલતા હતા. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના જનરલ સેક્રેટરી નવીન ગુપ્તાએ કહ્યું, તહેવારોની સિઝન એટલે કેસપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી 70% ટ્રક સડક પર આવવાની સંભાવના છે. ટેક્સ્ટાઈલ હબ મનાતા સુરત, અમદાવાદ અને મુન્દ્રા-કંડલા પોર્ટમાં પણ શ્રમિકોની 60% હાજર થઈ છે.
દિલ્હી તરફ 57 અને મુંબઈ તરફ 48 ટ્રેન ચાલી રહી છે
બિહાર, યુપી, પ.બંગાળ, ઓડિશા અને આસામથી સૌથી વધુ શ્રમિક પરત ફરી રહ્યા છે. રાજધાની દિલ્હી ઉપરાંત મુંબઈ, અમદાવાદ, સુરત, અમૃતસર, જયપુર સૌથી વધુ લોકો પરત ફરી રહ્યા છે. સૌથી વધુ 57 ટ્રેન દિલ્હી તરફ ચાલી રહી છે, જ્યારે મુંબઈ તરફ 48 ટ્રેન ચાલે છે.
લૉકડાઉનમાં હતા 6 લાખ ટ્રક, હવે છે 45 લાખ
પાંચ દિવસમાં લગભગ ત્રણ લાખથી વધુ શ્રમિક પરત ફર્યા
દિલ્હી | 81, 091 |
મુંબઈ | 77,904 |
અમદાવાદ, સુરત | 56,317 |
સિકંદરાબાદ | 20,012 |
અમૃતસર | 15,591 |
જોધપુર | 12,883 |
સૌથી વધુ આ રાજ્યોનાં
બિહાર | 83,625 |
યુપી | 71,921 |
પ.બંગાળ | 73,358 |
ઓડિશા | 15,257 |
ઈ-વે બિલ જનરેટ થયા
જાન્યુઆરી | 5.99 કરોડ |
એપ્રિલ | 86 લાખ |
મે | 2.54 કરોડ |
જૂન | 3.99 કરોડ |
ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા નવો વળાંક લેવાનું છે. રામમંદિરનું નિર્માણ શ્રાવણ માસમાં શરૂ થઈ જશે, તેના માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ મોકલી દેવાયું છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ અને મહામંત્રી ચંપત રાયે પત્ર લખીને આગ્રહ કર્યો કે તે શ્રાવણ માસમાં અયોધ્યા આવીને પાયો નાખે. મુલાકાત સંભવ ન થાય તો વીડિયો કોન્ફરન્સિંગથી ભૂમિપૂજન કરી શકે. નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી કમલ નયન દાસ કહે છે કે શ્રાવણ માસ શુભ છે. આ દરમિયાન શરૂ થનારું કામ પૂરું જ થાય છે. શ્રાવણ છ જુલાઈથી શરૂ થઈને ત્રણ ઓગસ્ટે પૂરો થશે.
અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર
ઊંચાઈએથી જોતા અયોધ્યામાં મંદિર જ મંદિર દેખાય છે. પાંચ લાખથી વધુ વસતીવાળી નગરી વિશે કહેવાય છે કે અહીં દરેક ઘરમાં મંદિર અને દરેક મંદિરમાં ઘર છે. વિહિપના સ્થાનિક પ્રવક્તા શરદ જૈન કહે છે કે અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર છે. 100થી 125 મોટાં મંદિર અને અખાડા છે.
મંદિર ભવ્ય તો નગરી સ્માર્ટ હશે
ભવ્ય મંદિરની જેમ અયોધ્યા નગરીનો કાયાકલ્પ પણ સ્માર્ટ સિટીની જેમ કરાશે. અહીં જલદી જ પહોળા કોંક્રિટ રોડ, અંડરગ્રાઉન્ડ વીજળીની લાઈન, આધુનિક સિવેજ સિસ્ટમની કામગીરી શરૂ થવાની છે. ધાર્મિક નગરીનું મહત્ત્વ કાયમ રાખતા 50 મોટા પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ અપાયું છે.
ખાનગીકરણની દિશામાં રેલવેએ એક પગલું આગળ વધારી લીધું છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું કે, દેશમાં ખાનગી રેલગાડીઓનું સંચાલન એપ્રિલ 2023 સુધી શરૂ થઈ શકે છે. યાદવે કહ્યું કે, આ રેલમાર્ગો પર મુસાફર ભાડું આ માર્ગો પર ચાલતી બસ અને હવાઈ ભાડા સાથે સ્પર્ધાત્મક હશે.
ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડના ચેરમેને કહ્યું કે, ટ્રેનના સંચાલન માટેની બોલી આ વર્ષે નવેમ્બર સુધી મગાવી લેવાશે. યાદવે એ પણ સ્પષ્ટ કર્યુંય કે, વર્તમાન ટ્રેનો બંધ કર્યા પછી કોઈ પણ રૂટ પર ખાનગી ટ્રેન શરૂ કરાશે નહીં. આ ટ્રેનો વર્તમાન ટ્રેન ઉપરાંત હશે. રેલવે નેટવર્કને ખાનગી હાથમાં સોંપવાની આશંકા અંગે યાદવે કહ્યું કે, ખાનગી ક્ષેત્ર દ્વારા થનારું રેલવેનું સંચાલન કુલ રેલગાડી પરિચાલનના માત્ર 5% હશે. ખાગની ટ્રેન માટે એ માર્ગો જ પસંદ કરાયા છે, જ્યાં વેઈટિંગના કારણે ટિકિટ રદ્દ થઈ જાય છે અને લોકો મોંઘી ટિકિટ ખરીદી શકે છે.
ખાનગીકરણનો ઉદ્દેશ્ય સરકાર જણાવે : કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, સરકારે 17 માર્ચના રોજ સંસદમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તે આમ નહીં કરે. હવે 109 રેલવેનું સંચાનલ ખાનગી હાથમાં સોંપવાની પ્રક્રિયા કયા આધારે શરૂ થઈ રહી છે.