
કોરોનાના કારણે ગામડે પહોંચી ગયેલા લોકો હવે ઝડપથી શહેરો તરફ પાછા ફરી રહ્યા છે. રેલવે મંત્રાલય અનુસાર 27 જુનથી 30 જૂન વચ્ચે દિલ્હીમાં સૌથી વધુ 81 હજાર લોકો પહોંચ્યા છે. આ ઉપરાંત, મુંબઈ, અમદાવાદ, સુરત, અમૃતસર, સિકંદરાબાદ, જોધપુર તરફ લોકોએ સફર કરી છે. આ ટ્રેનોમાં 100%થી વધુ બુકિંગ છે.
લાૅકડાઉન દરમિયાન 5% ટ્રક રોડ પર હતી, પરંતુ હવે આ સંખ્યા 45% સુધી પહોંચી છે. દેશમાં એક કરોડથી વધુ ટ્રક ચાલતા હતા. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના જનરલ સેક્રેટરી નવીન ગુપ્તાએ કહ્યું, તહેવારોની સિઝન એટલે કેસપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી 70% ટ્રક સડક પર આવવાની સંભાવના છે. ટેક્સ્ટાઈલ હબ મનાતા સુરત, અમદાવાદ અને મુન્દ્રા-કંડલા પોર્ટમાં પણ શ્રમિકોની 60% હાજર થઈ છે.
દિલ્હી તરફ 57 અને મુંબઈ તરફ 48 ટ્રેન ચાલી રહી છે
બિહાર, યુપી, પ.બંગાળ, ઓડિશા અને આસામથી સૌથી વધુ શ્રમિક પરત ફરી રહ્યા છે. રાજધાની દિલ્હી ઉપરાંત મુંબઈ, અમદાવાદ, સુરત, અમૃતસર, જયપુર સૌથી વધુ લોકો પરત ફરી રહ્યા છે. સૌથી વધુ 57 ટ્રેન દિલ્હી તરફ ચાલી રહી છે, જ્યારે મુંબઈ તરફ 48 ટ્રેન ચાલે છે.
લૉકડાઉનમાં હતા 6 લાખ ટ્રક, હવે છે 45 લાખ
- દેશમાં કુલ ટ્રક 1 કરોડ
- કોવિડથી પહેલાં ચાલતા હતા 90-95 લાખ
- લૉકડાઉનમાં ચાલ્યા 4-6 લાખ
- વર્તમાનમાં 40-45 લાખ
પાંચ દિવસમાં લગભગ ત્રણ લાખથી વધુ શ્રમિક પરત ફર્યા
દિલ્હી | 81, 091 |
મુંબઈ | 77,904 |
અમદાવાદ, સુરત | 56,317 |
સિકંદરાબાદ | 20,012 |
અમૃતસર | 15,591 |
જોધપુર | 12,883 |
સૌથી વધુ આ રાજ્યોનાં
બિહાર | 83,625 |
યુપી | 71,921 |
પ.બંગાળ | 73,358 |
ઓડિશા | 15,257 |
ઈ-વે બિલ જનરેટ થયા
જાન્યુઆરી | 5.99 કરોડ |
એપ્રિલ | 86 લાખ |
મે | 2.54 કરોડ |
જૂન | 3.99 કરોડ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iu965M
No comments:
Post a Comment