Ad

Sunday, May 31, 2020

હાર્દિક પંડ્યા પિતા બનવાનો છે, સોશિયલ મીડિયા પર શેર કર્યા ‘ગુડ ન્યૂઝ’

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટૂંકસમયમાં પિતા બનવાનો છે. તેણે આ સારા સમાચાર ફેન્સ સાથે સોશિયલ મીડિયા થકી શેર કર્યા હતા. હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિચની બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી.
જીવનના આ નવા તબક્કા માટે ઉત્તાહિત છીએ
હાર્દિકે લખ્યું કે,‘નતાશાએ અને મેં અત્યારસુધી જીવનને સારી રીતે પસાર કર્યું અને હવે તેને વધુ ખુશહાલ બનાવવા જઈ રહ્યાં છીએ. અમે ટૂંકસમયમાં નવા મહેમાનનું સ્વાગત કરવા જઈ રહ્યાં છીએ. અમે જીવનના આ નવા તબક્કા માટે ઉત્તાહિત છીએ અને તમામ લોકોના આશીર્વાદ ઈચ્છીએ છીએ.’ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ નતાસા સાથે સગાઈની 1 જાન્યુઆરી 2020ના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થકી જાહેરાત કરી હતી. એવી પણ ચર્ચા છે કે, હાર્દિકે-નતાશા સાથે લગ્ન પણ કરી લીધા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિચની બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી.


from Divya Bhaskar https://ift.tt/2BkY2Xq

આખો પરિવાર કોરોના પોઝિટિવ, પતિનું પણ મૃત્યુ, છતાં 58 વર્ષીય સિવિલના નર્સ કહે છે,‘દર્દીઓની સેવા કરતી રહીશ’

‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે.? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રે કર્યા. વીડિયો કોલિંગ દ્વારા નિહાળ્યા, દુ;ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના.
પુત્ર અને પુત્રવધુ બંને મેડિકલ ક્ષેત્રમાં
‘કોરોના’ શબ્દે કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે, પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઊભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતાં ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58માં વર્ષમાં પ્રવેશી ચુક્યાં છે.પુત્ર અને પુત્રવધુ બંને મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા છે.
આ કોરોનાને જવા દો, અત્યારે સેવા કરવાનો સમય છે
ઉર્મિલાબેનના પતિ નિવૃત્ત હતા, છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબેનને કહેતા રહેતા કે, આપણે હવે પૈસાની ક્યાં જરૂર છે, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે. એક વખત તો ઉર્મિલાબેનને પણ વિચાર આવ્યો કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લઉં, પણ એવા સમયે જ ‘કોરોના’ની એન્ટ્રી થઈ. ઉર્મિલાબેને ખુબ સાહજિકતાથી પતિ સુરેશભાઈને કીધુ કે, ‘આ કોરોનાને જવા દો, અત્યારે સેવા કરવાનો સમય છે, મારું મન કહે છે કે અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવી જોઈએ’, અને ઉર્મિલાબેને નોકરી ચાલુ રાખી.
પોઝિટિવિટી ન છોડી
ઉર્મિલાબેનની તબિયત બગડતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. પોઝિટિવ આવ્યો. જ્યાં દર્દીઓની સેવા કરતાં હતાં ત્યાં જ દાખલ થવાનો વારો આવ્યો. થોડા દિવસ પછી પતિ સુરેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા, તે પણ તે જ વોર્ડમાં દાખલ થયા, પુત્ર અને પુત્રવધૂ એ બંને પણ પોઝિટિવ જણાતા હોમ ક્વોરન્ટીન થયાં. ક્રમશ: આખું પરિવાર કોરોના પોઝિટિવ થયું, પણ એમણે ‘પોઝિટિવિટી’ન છોડી.
મારી ઈચ્છા છે કે મારે આખી પતિની અંતિમવિધિ જોવી છે
એવામાં ઉર્મિલાબેનના પતિ સુરેશભાઈનું અવસાન થયું, અંતિમ સંસ્કાર કોણ કરે? આખું ઘર ‘કોરોના’ની ઝપટમાં હતું. ઉર્મિલાબેને હોસ્પિટલના એસઆઈ જૈમિનભાઈને વાત કરી કે તમે મારા પતિના અંતિમ સંસ્કાર કરો,પણ મારી ઈચ્છા છે કે મારે આખી અંતિમવિધિ જોવી છે. જૈમિનભાઈ અને અન્ય પાંચ સેવાનિષ્ઠ મિત્રોએ આખી વાત ઉપાડી લીધી અને સુરેશભાઈના અંતિમ સંસ્કાર થયા.
અણીના સમયે મેદાન છોડી દઉં એ સારું ન કહેવાય
ઉર્મિલાબેન કહે છે કે, ‘મારા પતિની બહુ ઈચ્છા હતી કે, હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લઉં, પણ મારું મન ના માન્યું. મને સતત થયા કરતું કે આખી જિંદગી દર્દીઓની સેવામાં કાઢી છે અને અણીના સમયે મેદાન છોડી દઉં એ સારું ન કહેવાય. મારા પતિની સ્વૈચ્છિક નિવૃત્તિની ઈચ્છા હું તેમના જીવતા જીવે ન પૂરી કરી શકી તેનું દુ:ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ નથી કેમ કે, મેં છેક સુધી દર્દીઓની સેવા કરી છે,અને આગામી દિવસોમાં પણ દર્દીઓની સેવા કરતી રહીશ’.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોના વોરિયર ઉર્મિલાબેન પંચાલ.


from Divya Bhaskar https://ift.tt/3gGdIER

માત્ર 23 મહિનાનો વેદ ફાની દુનિયાને અલવિદા કહેતા પહેલા બન્ને કિડની દાન કરી 17 વર્ષના અનુજને નવજીવન આપતો ગયો

રાજકોટનું 23 મહિનાનો વેદ ઝીંઝુવાડિયા મગજમાં ગાંઠ બાદ કોમામાં સરી પડ્યો. દુ:ખના પહાડ તળે પણ તેના માતા-પિતાએ દીકરાની બન્ને કિડની ડૉનેટ કરવાનો નિર્ણય લીધો. એક લાડકો છીનવાયો, બીજો જીવી ગયો...
વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયાનું બ્રેઈન ડેડ થયા બાદ તેની બન્ને કિડનીઓનું રવિવારે દાન કરાયું હતું. ત્યારે તેનો ફૂલ સાથે રમતો હોય તેવી તસવીર દિવ્ય ભાસ્કરે રાજકોટની અલગ-અલગ 10 મહિલા કે જેઓ માતા પણ છે તેમને મોકલી હતી અને પૂછ્યું હતું કે, આ બાળક કેવું લાગે છે? ત્યારે ખૂબસુંદર લખાણ મહિલાઓએ મોકલ્યું હતું. બાદમાં જ્યારે તેમને જણાવાયું કે, આ બાળક હવે દુનિયામાં નથી ત્યારે જે વેદનાઓ અને બાળક વિશે લખીને મોકલ્યું તે વાંચીને ગમે તેની આંખોમાંથી આંસુ છલકી આવે. તેમાંથી ડો. નિરજા ચૌહાણે કાવ્યપંક્તિ સ્વરૂપે જે લખીને મોકલ્યું તે અહીં રજૂ કરાયું છે.
‘હું દુનિયામાં આવ્યો હતો, જીવનની વ્યથાઓમાં જ સમાઈ ગયો, પણ મારું લઘુ જીવન થયું સાકાર જીતી ગયો, હું મૃત્યુથી કોઈ અન્યનું જીવન બચાવી ગયો.’
વેદ હવે અનુજમાં જીવશે
અમદાવાદ રહેતા 15 વર્ષના અનુજને જન્મથી જ કિડનીની ખામી હતી. વેદની કિડની મળતા હવે તેને ડાયાલિસિસનું દર્દ નહીં સહન કરવું પડે. વેદ અનુજમાં જીવી જતાં અનુજના પરિવારે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બ્રેઇન ડેડ બે વર્ષના વેદની ફાઇલ તસવીર તથા ઇનસેટમાં અનુજ.


from Divya Bhaskar https://ift.tt/3dngcFU

Will consider rejoining WHO if it ends corruption, reliance on China: US

Will consider rejoining WHO if it ends corruption, reliance on China: US

from India Today | Top Stories https://ift.tt/2Xmop7T

Posters of ‘BJP minister Sarangi missing’ in Covid crisis seen in Balasore, case against Congress

Posters of ‘BJP minister Sarangi missing’ in Covid crisis seen in Balasore, case against Congress

from India Today | Top Stories https://ift.tt/2zFPaLH

4 or more hydroxychloroquine doses reduced risk of coronavirus in healthcare workers: ICMR study

4 or more HCQ doses help prevent coronavirus in healthcare workers: ICMR study

from India Today | Top Stories https://ift.tt/2MdMCqy

Community transmission well-established in India: Epidemiologists from National Task force for coronavirus

Community transmission well-established in India: Epidemiologists from National Task force for coronavirus

from India Today | Top Stories https://ift.tt/3ceYdQQ

Light physical activities can help improve mental health

Light physical activities can help improve mental health




from News - Videos - The Times of India https://ift.tt/3eF5BGy

Former Bihar CM Manjhi targets RJD's Tejashwi Yadav over leadership

Former Bihar CM Manjhi targets RJD's Tejashwi Yadav over leadership

from India Today | Top Stories https://ift.tt/2MgihHV

Retired Judges who grade Supreme Court, forget their report cards

Justice Madan B Lokur awarded ‘F’ grade to the Supreme Court, from where he retired a year and half ago, disapproving the way it handled PILs seeking judicial intervention to ameliorate the pitiable plight of...

from Times of India Opinion https://ift.tt/3eEY0rw

રાજ્યભરમાં હળ‌વા વરસાદની વકી, કાંઠા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ત્રીજી જૂને 80થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. અરબ મહાસાગરમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 48 કલાકમાં મજબૂત બનીને 3થી 4 જૂનની આસપાસ દેશની ઉત્તર દિશામાં આગળ વધીને ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે લેન્ડફોલ કરશે એવી હવામાન વિભાગની આગાહી છે. જેમ જેમ આ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ રાજ્યમાં પ્રિ-મોનસૂન ગતિવિધિઓ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા કે હળવો વરસાદ શરુ થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
દક્ષિણ-પૂર્વ તેમજ પૂર્વ-મધ્ય અરબ સાગરની આસપાસ લો-પ્રેશર
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, લક્ષદ્વીપમાં સક્રીય થયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી દક્ષિણ-પૂર્વ તેમજ પૂર્વ-મધ્ય અરબ સાગરની આસપાસ લો-પ્રેશર રચાયું છે, આ લો-પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં અને ત્યારબાદના 24 કલાકમાં ટ્રોપીકલ સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇને લગભગ દેશના ઉત્તરમાં ગતિ કરીને તા. 3 જૂન આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક પહોંચશે. આંતરરાષ્ટ્રીય એજન્સી JTWC આ સિસ્ટમને 93 A INVEST નામ સાથે ટ્રેક કરી રહી છે, જેનું સવારમાં 5:30 વાગ્યે લોકેશન 10.4 ઉત્તર અને 72.2 પૂર્વમાં છે, સિસ્ટમ સાથે સંકળાયેલા વાદળોનો જથ્થો સિસ્ટમના કેન્દ્રથી ઉત્તર દિશામાં રહેલો છે.
વાવાઝોડા વિશે તમારા દરેક સવાલના જવાબ
સવાલ: ગુજરાતમાં વાવાઝોડું કયા ટકરાશે?

જવાબ: આગામી 24-48 કલાકમાં સ્પષ્ટ થશે. દક્ષિણ ગુજરાત પર સૌથી વધારે અસરની શક્યતા છે.
સવાલ: કઈ ગતિએ ત્રાટકવાના શક્યતા?
જવાબ:
80-120 કિમની ઝડપે પવન ફૂંકાશે.
સવાલ: વાવાઝોડની ચોમાસા પર શું અસર?
જવાબ:
હાલના અંદાજે તેની ચોમાસા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.
સવાલ: કયા વિસ્તારોમાં વરસાદ શક્ય?
જવાબ:
વાપી, વલસાડ તથા સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વરસાદ શક્ય.
રાજ્ય માટે આગામી 48 કલાક મહત્ત્વના
હાલ સિસ્ટમના ચોક્કસ લેન્ડફોલ સ્થળ બાબતે વૈશ્વિક ટોપ મોડેલોમાં મત-મતાંતર છે. ચોક્કસ ‘લેન્ડફોલ સ્થળ’જાણવા માટે 24થી 48 કલાક રાહ જોવી પડશે.

એજન્સી ક્યાં ત્રાટકશે સમય- તારીખ
યુરોપિયન વલસાડ- નવસારી 3:30 કલાકે 3 જૂન
ઈંગ્લેન્ડ ઉત્તર કોંકણ કોસ્ટ વહેલી સવારે 4 જૂન
અમેરિકા કોંકણ, વસઇ-મુંબઇ 9.30 કલાકે 3 જૂન
જર્મની વલસાડ-નવસારી સવારે 11.30 કલાકે 4 જૂન
ભારતનું IMD સુરત-વાપીનાં દરિયાકાંઠે વહેલી સવારે 4 જૂન


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
There will be light to heavy rains in the coastal areas in Gujarat


from Divya Bhaskar https://ift.tt/3eAxm33

મંદીમાં નોકરી ગઇ, પત્નીના દાગીના વેચીને ફેક્ટરી નાખી, હવે રૂ. 100 કરોડનું ટર્નઓવર 

કોરોનાકાળમાં લોકોની નોકરીઓ જઇ રહી છે તેવા સમયે ઉત્તરાખંડના હર્ષપાલસિંહ ચૌધરીનો કિસ્સો કોઇ આદર્શથી કમ નથી. 2007ની વૈશ્વિક મંદીમાં તેમણે નોકરી ગુમાવી હતી. ત્યારે તેમને 6,700 રૂ. પગાર મળતો પણ તેઓ નિરાશ ન થયા. તેમણે પત્નીના દાગીના વેચીને 2 લાખ રૂપિયા મેળવી હર્બલ પ્રોડક્ટ્સ બનાવવાની નાની ફેક્ટરી ખોલી. આજે તેમની કંપનીનું ટર્નઓવર રૂ. 100 કરોડ થવામાં છે. તેમણે તેમના આખા ગામને રોજગારી આપી છે.
પહેલો ઓર્ડર અમેરિકાથી મળ્યો
હર્ષપાલ ઉત્તરાખંડના નાના ખેડૂત પરિવારમાંથી આવે છે. માઇક્રોબાયોલોજી અને ફૂડ સેમ્પલિંગનો અભ્યાસ કર્યા બાદ 1994માં તેમણે હેલ્થકેર અને ફૂડ સેમ્પલિંગ સેક્ટરમાં નોકરી શરૂ કરી. સોનીપતમાં તેમની નોકરી બરાબર ચાલતી હતી ત્યાં 2006માં મંદીના અણસાર આવવા માંડ્યા. ત્યારે તેમની પાસે પૈસા નહોતા પણ તેઓ સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છતા હતા. પત્ની બીનાના દાગીના વેચીને 2 લાખ રૂ. ભેગા કર્યા. તેમાંથી નવસારીમાં નાની ફેક્ટરી નાખી. પહેલો ઓર્ડર અમેરિકાથી દાડમના જ્યુસમાંથી 2 કિલો પાઉડર બનાવવાનો મળ્યો. આ દરમિયાન તેમની નોકરી જતી રહી. તેઓ ફેક્ટરીના કામે લાગી ગયા અને હર્બલ પ્રોડક્ટ્સ એબ્સ્ટ્રેક્ટના ટ્રેડિંગ માટે અંબે ફાઇટોએસ્ટ્રેક્ટ્સ કંપની શરૂ કરી. કામ વધતાં મોટી ફેક્ટરીની જરૂર જણાઇ. જમીન ખરીદવા રૂ. 2 કરોડ ની જરૂર હતી. તેટલા પૈસા નહોતા. તેથી ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલમાં તેમના ગામ જામરિયામાં પૈતૃક જમીન પર ફેક્ટરી નાખવાનું નક્કી કર્યું. ગામમાં 2 કરોડના મશીનો લગાવ્યાં. 2012માં ફેક્ટરી તૈયાર થઇ ગઇ. તે વિસ્તારમાં આ પહેલી ફેક્ટરી હતી. કાચા માલ માટે ગામના લોકોને જ ટ્રેનિંગ અપાઇ. 6 લોકો સાથે શરૂ થયેલી ફેક્ટરીમાં હાલ 100 લોકો છે, જેમાંથી મોટા ભાગના ગામના જ છે.
એમેઝોન સાથે ડીલ કરી
હર્ષપાલની કંપનીમાં તૈયાર આંબળા, હળદર, આદું, ગળો, તુલસી, એલોવેરા, કાળા મરી સહિત 100 પ્રોડક્ટનો અર્ક દુનિયાભરમાં જાય છે. હર્ષપાલે એમેઝોન સાથે સેનિટાઇઝરની ડીલ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હર્ષપાલસિંહ ચૌધરી અને તેમના પત્ની બીના.


from Divya Bhaskar https://ift.tt/2XhDQhE

65 લાખ ખર્ચી પાઈલટની ટ્રેનિંગ પછી પણ નોકરી ન મળતાં ઉધાર લીધેલા ડ્રેસ વેચી બિઝનેસ ઊભો કર્યો

2007ની આર્થિક મંદીમાં કાનપુરની સૌમ્યા ગુપ્તાનાં પણ સપનાં તૂટી ગયાં હતાં. ત્યારે 19 વર્ષીય સૌમ્યાએ 65 લાખ ખર્ચી અમેરિકામાં પાઈલટ ટ્રેનિંગ પૂરી કરી હતી. પણ લાખ પ્રયાસ છતાં નોકરી ન મળી એટલે જિમ રિસેપ્શનિસ્ટથી લઈને કોલ સેન્ટરમાં પણ કામ કર્યુ. પછી ઉધાર પૈસા લઈને કાપડનો બિઝનેસ શરૂ કર્યો. આજે તેની કંપનીમાં 35 કર્મચારી કામ કરે છે અને તેમના ડિઝાઈન કરેલા આશરે દસ હજાર ડ્રેસ રોજ વેચાય છે.
કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગઈ
સૌમ્યા કહે છે કે 2006માં મારી કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગઈ હતી. ટ્રેનિંગ પછી નોકરી મળવાની નક્કી હતી પણ અચાનક સંપૂર્ણ ઈન્ડસ્ટ્રી અનિશ્ચિતતાઓના ઘેરામાં આવી ગઈ. તેનું કારણ હતું અમેરિકાનું સબપ્રાઈમ મોર્ગેજ ડિફોલ્ટ, જેના કારણે લેહમન બ્રધર્સ જેવી મોટી બેન્ક અને અમેરિકન ઈન્શ્યોરન્સ ગ્રૂપ દેવાળું કાઢ્યું હતું.
5000 રૂપિયે મહિને પગાર પર જિમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરી
તે કહે છે કે 2008નું વર્ષ મેં નોકરી શોધવામાં જ પસાર કરી નાખ્યું. આખરે મેં 5000 રૂપિયે મહિને પગાર પર જિમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરી. તે પછી કોલ સેન્ટર જોઈન કર્યુ. રાત્રે અહીં કામ કરતી અને દિવસે નોકરી શોધતી. આ દરમિયાન મારી મુલાકાત રોબર્ટો કવાલી અને ગોટિયર જેવી બ્રાન્ડનાં કપડાંનું એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું કામ કરતી એક મહિલા સાથે થઈ. તેની પાસેથી 20 ડ્રેસ ઉધાર લીધા અને ઘરમાં મિત્રો માટે સેલ લગાવ્યું. એક કલાકમાં 100 ટકા નફો રળ્યો. ઓનલાઇન પ્લેટફોર્મ પર કપડાં વેચવાની શરૂઆત કરી. આજે મારી કંપની 10 ઓન 10 દરરોજ 10 હજાર ડ્રેસ વેચે છે. કંપનીનું કામ હાલ અમેરિકાથી ચાલે છે અને કેનેડા તથા યુરોપમાં બિઝનેસ શરૂ કર્યો છે.
હવે માસ્કનું એક્સપોર્ટ
સૌમ્યા કહે છે કે કોવિડ-19 આવતાં તેમને લાગ્યું જાણે તે 2007માં પહોંચી ગઈ છે. ફેર એટલો જ હતો કે આજે કમાણી નવ અંકમાં થતી હતી. ડ્રેસના વેચાણમાં ઘટાડો થયો તો માસ્કનું એક્સપોર્ટ શરૂ કરી દીધું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સૌમ્યા ગુપ્તા.


from Divya Bhaskar https://ift.tt/2TW5nTL

આજથી ચાલનારી 200 ટ્રેનમાં રિઝર્વેશન વિના કોઈને સીટ નહીં, જનરલમાં સીટ પ્રમાણે જ એન્ટ્રી અપાશે: પિયૂષ ગોયલ 

દેશમાં 68 દિવસમાં લૉકડાઉન પછી રેલવે પહેલી જૂનથી 200 ટ્રેન દોડાવી રહી છે. આ ટ્રેનોમાં રિઝર્વેશન સિવાય કોઈ બેસી નહીં શકે. રિઝર્વ બોગીઓમાં ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફર જ બેસી શકશે. વેઈટિંગ ટિકિટ વાળા પ્રવેશી નહીં શકે. જનરલ બોગીઓમાં પણ સીટ હશે એટલા જ મુસાફરોને ટ્રેનમાં જવા દેવાશે. આ વાત રેલવે અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે રવિવારે ભાસ્કર સાથે ચર્ચા કરતી વખતે કરી. તેમની સાથેની વાતચીતના અંશ...
સવાલ: ટ્રેન વ્યવહાર ક્યારે સામાન્ય થશે?
પિયૂષ ગોયલ:
જેમ જેમ માગ વધશે, ટ્રેનોની સંખ્યા વધારાશે. સ્થિતિ ઝડપથી સામાન્ય થશે. અમે હજુ 200 ટ્રેન દોડાવી રહ્યા છીએ, જે સંપૂર્ણ ફૂલ નથી થઈ. લોકો જરૂરી હોય તો જ પ્રવાસ કરી રહ્યા છે.
સવાલ: 15 જોડી રાજધાની ટ્રેન શરૂ કરાઈ છે, જેમાં ડાયનેમિક ફેર વસૂલાય છે? એવું કેમ?
પિયૂષ ગોયલ:
મોટા ભાગની ટ્રેન હજુ ફૂલ નથી જઈ રહી. જૂની સિસ્ટમમાં કોઈ પરિવર્તન નથી કરાયું, ફક્ત કેટરિંગ ચાર્જ ઓછો કર્યો છે. બધું પહેલા જેવું જ છે.
સવાલ: રેલવે ફક્ત કન્ફર્મ ટિકિટના આઈડિયા પર દોડશે?
પિયૂષ ગોયલ:
આ વિચારવા લાયક મુદ્દો છે, અમે આ દિશામાં વિચાર્યું ન હતું. હજુ અમે શ્રમિકોની સેવામાં વ્યસ્ત છીએ. દેશના ખૂણે ખૂણે શ્રમિકો અને સામાન પહોંચે એ જ પ્રાથમિકતા છે.
સવાલ: શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને લઈને કેરળ, પ. બંગાળ, મહારાષ્ટ્રએ ભેદભાવના આરોપ મૂક્યા છે. શું કહેશો?
પિયૂષ ગોયલ:
હું દાવાથી કહી શકું છું કે, પીએમ મોદીની સરકારમાં કોઈ પણ મંત્રીએ, કોઈ પણ રાજ્ય સરકાર સાથે ભેદભાવ નથી કર્યો. રાજ્યોએ જેટલી ટ્રેનો માંગી છે, તેટલી અમે આપી છે. રાજ્ય સરકારોએ માંગી એ દોડી પણ નથી શકી. મહારાષ્ટ્રની તમે વાત કરો છો, તો કહીશ કે 109 ટ્રેન અમે તેમની રિક્વેસ્ટ પછી તૈયાર કરી, પરંતુ તેઓ દોડાવી ના શક્યા. પ. બંગાળ તો ટ્રેન આ‌વા જ નથી દેતું. તેમણે તો આ ટ્રેનોને કોરોના એક્સપ્રેસ સુદ્ધા કહી દીધી હતી. પરંતુ હજુ કોઈ ટ્રેન માંગશે તો અમે આપીશું, શ્રમિકોની સેવા કરતા રહીશું.
સવાલ: સોશિયલ ડિસ્ટન્સિંગના સમયમાં કાઉન્ટર બુકિંગનું શું ભવિષ્ય હશે?
પિયૂષ ગોયલ:
પહેલાં અમે કાઉન્ટર બુકિંગ શરૂ નહોતું કર્યું. IRCTCની વેબસાઇટ પરથી જ બુકિંગ થતું. પછી ઘણા રાજ્યોની રિક્વેસ્ટ મળી કે તેમને ત્યાં ઘણા લોકો જવા માગે છે પણ તેમને ઇન્ટરનેટ યુઝ કરતા નથી ફાવતું. તેથી અમે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાઉન્ટર શરૂ કર્યા.
સવાલ: લૉકડાઉન દરમિયાન ગુડ્સ ટ્રેનો દ્વારા દેશભરમાં કેટલો માલસામાન પહોંચાડ્યો?
પિયૂષ ગોયલ:
24 માર્ચથી 25 મે દરમિયાન 16 કરોડ ટન માલનું પરિવહન થયું. દેશના એકેય ખૂણામાં એક દિવસ પણ અનાજ, ખાતર, કોલસા વગેરેની અછત નથી સર્જાઇ.
સવાલ: રેલવેનું આ વર્ષે કમાણીનું શું લક્ષ્ય છે?
પિયૂષ ગોયલ:
આ એક સમસ્યા છે. અમે નાણા મંત્રાલય સાથે ચર્ચા કરીને આગળનો રસ્તો કાઢીશું. હાલ અમારી પ્રાથમિકતા એ જ છે કે બધાને સમયસર સામાન મળે અને શ્રમિકો તેમના ઘરે પહોંચે.
સવાલ: શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો દ્વારા કેટલા લોકોને તેમના મુકામે પહોંચાડવામાં આવ્યા?
પિયૂષ ગોયલ: 30 મે સુધીમાં દેશમાં 4,040 શ્રમિક એક્સપ્રેસ દ્વારા અંદાજે 54 લાખથી વધુ શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવામાં આવ્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રેલવે અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3cjQ4un

મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝરવાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થયું. તેઓ 42 વર્ષના હતાં. સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત વાજિદ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત કથળતા તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. વાજિદ ખાનના નિધન પર બોલિવુડમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
સોશિયલ મીડિયા પર વાજિદના મોતનું કારણ કોરોનાનું સંક્રમણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે અભિનેતા અને વાજિદના બાળપણના મિત્ર રણવીર શૌરીએ ટ્વિટ કર્યું કે, હું મારા બાળપણના મિત્ર વિશે સમાચાર સાંભળી દુખી છું. વાજિદે કોવિડ-19 સામે હાર માની લીધી. મને આ જાણી આઘાત લાગ્યો છે. વાજિદ મારા ભાઇ તારા અને તારા પરિવાર માટે સંવેદના પ્રગટ કરુ છું. આ ખૂબ જ દુખદ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વાજિદ ખાને બોલિવુડમાં સાજિદ ખાન સાથે ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું. (ફાઇલ તસવીર)


from Divya Bhaskar https://ift.tt/2ZUnayh

Several flout social distancing rules in London as thousands gather to protest George Floyd's killing

Several flout social distancing rules in London as thousands gather to protest George Floyd's killing

from India Today | Top Stories https://ift.tt/36Pu8q4

Watch: Locals rescue people stuck inside shop due to overflowing nullah

Watch: Locals rescue people stuck inside shop due to overflowing nullah




from News - Videos - The Times of India https://ift.tt/3gHN0vF

The eloquence of masks

It is going to be a while before we see each other’s faces again. At least for those of us who follow the prescription to wear masks at all times when outdoors, the face, hitherto...

from Times of India Opinion https://ift.tt/2Bi3WIJ

Lockdown-hit pubs hopeful of business revival

Lockdown-hit pubs hopeful of business revival

from India Today | Top Stories https://ift.tt/2Xk22jv

How Delhi will open up as coronavirus cases surge

How Delhi will open up as coronavirus cases surge

from India Today | Top Stories https://ift.tt/2zQehex

Delhi borders with Haryana to open; movement to and from Noida, Ghaziabad still restricted

Delhi borders with Haryana to open; movement to and from Noida, Ghaziabad still restricted

from India Today | Top Stories https://ift.tt/2TXu6XH

Medical staff bid grand farewell to COVID positive woman who delivered healthy baby

Medical staff bid grand farewell to COVID positive woman who delivered healthy baby




from News - Videos - The Times of India https://ift.tt/2Anw4Kf

Early exposure to anaesthetics may cause alcohol use disorder in adolescents: Study

Early exposure to anaesthetics may cause alcohol use disorder in adolescents: Study




from News - Videos - The Times of India https://ift.tt/2ZTrdLj

Saturday, May 30, 2020

પાલનપુરમાં કોરોનાથી પરિવારના મોભીનું મૃત્યુ થયું એટલે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી, ડીસા આરોગ્ય વિભાગે અંતિમ સંસ્કાર કર્યાં

પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યા બાદ અત્યંત કરુણ દાસ્તાન સર્જાઈ હતી. ડીસાના સદરપુર ગામના એક પરિવારના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સારવાર વખતે મૃત્યુ થયું હતું. જોકે, આ વૃદ્ધના ભાઈ અને પુત્રે મૃતદેહ સ્વીકારવાની ના પાડીને ફોન પણ સ્વિચ ઑફ કરી દીધો હતો. છેવટે આ અંગે ડીસા નાયબ કલેક્ટર અને મામલતદારે વચ્ચે પડીને પરિવારને બોલાવ્યો હતો, પરંતુ તેઓ અર્ધબળેલો મૃતદેહ છોડીને જતા રહ્યા હતા. આખરે ડીસા આરોગ્ય વિભાગના અધિકારીએ મૃતદેહના અર્ધબળેલા હિસ્સા ભેગા કરીને વૃદ્ધનો અંતિમ સંસ્કાર કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mobhi of the family died from Corona, the family refused to accept the body


from Divya Bhaskar https://ift.tt/2XLOr3f

લદાખ સરહદે ચીને સૈનિકોની સંખ્યા વધારતા બંને દેશના સૈનિકો વચ્ચે ધક્કા-મુક્કી થતા પરિસ્થિતિ તંગ

ચીન પૂર્વ લદાખ સરહદ પર તણાવનો ભલે ઈનકાર કરતું હોય પરંતુ તેણે અહીં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં સેટેલાઈટ તસવીરોના હવાલાથી દાવો કરાયો છે. ચીને પેન્ગોંગ ત્સા તળાવ અને ગોગરા વિસ્તારમાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. ભારતે પણ પોતાના સૈનિકોની સંખ્યા વધારીને સ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. ભારતની ગોગરા પોસ્ટની નજીક ચીનના સૈનિકો પોઝિશનની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. પીપલ્સ લિબરેશન આર્મીએ ગોગરા પોસ્ટથી 11 કિમી ઉત્તર-પશ્ચિમ દિશામાં સૈનિક વાહનોનો પણ ખડકલો કર્યો છે. સૂત્રો અનુસાર ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર 5,000 સૈનિકો તૈનાત કર્યા છે. ઉલ્લેખનીય છે કે 5 અને 6 મેના રોજ પેન્ગોંગ ત્સા વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ધક્કા-મુક્કી પછી સરહદ પર તણાવ બનેલો છે.

વાટાઘાટો ચાલુ છેઃ રાજનાથ સિંહ
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ મુદ્દે જણાવ્યું કે ચીન સાથે કુટનૈતિક સ્તરે વાટાઘાટો ચાલુ છે. મોદી સરકારના 2.0ના કાર્યકાળને એક વર્ષ પૂરું થતાં શનિવારે રાજનાથ સિંહે એક ટીવી ચેનલ સાથેની વાતચીતનો વીડિયો ટિ્વટ કર્યો છે, જેમાં તેઓ કહે છે ચીન સાથે જે તણાવ પેદા થયો છે તેને ઉકેલવાના પ્રયાસ ચાલુ છે. બંને દેશ તણાવ આગળ ન વધે તેવું ઈચ્છી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3gCwgpj

મુંબઈમાંથી પાકિસ્તાનની મદદ કરતું ટેલિફોન એક્સચેન્જ પકડાયું, સેનાની મહત્ત્વની માહિતી પહોંચાડાતા હતા

મુંબઈ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક નકલી ટેલિફોન એક્સચેન્જ (વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ-વીઓઆઈપી) પકડી પાડ્યું છે. તેને ચલાવી રહેલા વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ છે. આ એક્સચેન્જની મદદથી પાકિસ્તાનથી આવતા ફોન કોલ્સને લોકલ કોલમાં બદલવામાં આવતા હતા. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બાબતો સાથે જોડાયેલા લોકોને કોલ કરીને સેનાની માહિતી મેળવવાનો પ્રયાસ કરાતો હતો.

શંકાસ્પદ કોલ્સ થતાં તપાસ ચાલુ કરી હતી
આ એક્સચેન્જની મદદથી સેના અને સુરક્ષાદળોના કાફલાની માહિતી મેળવવામાં આવતી હતી, જેથી પુલવામા જેવા હુમલા કરી શકાય. સૂત્રોએ જણાવ્યું કે મિલિટરી ઈન્ટેલિજન્સની સૂચનાના આધારે મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ એક્સચેન્જમાંથી જમ્મુ-કાશ્મીરમાં સેના સાથે જોડાયેલા ડિફેન્સના લોકોને ફોન કરીને જાસૂસી કરવામાં આવતી હતી. ચાલુ મહિને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત અનેક સૈન્ય અધિકારીઓને આવેલા શંકાસ્પદ ફોન કોલના આધારે તપાસ કરાઈ હતી.

વિદેશી ફોનને લોકલ કન્વર્ટ કરતા હતા
4 ચાઈનીઝ સિમબોક્સ, 191 સિમકાર્ડ, લેપટોપ મોડેમ, કનેક્ટરની મદદથી એક્સચેન્જ ચલાવાતું હતું. આ સિમબોક્સ બદલાતા IMEI નંબરનો ઉપયોગ કરે છે, ટ્રેક કરી શકાતું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/3gF9pcM

એક દવાએ કોરોના વાઈરસ વિરુદ્ધ પ્રથમ અને સૌથી મોટી આશા જગાવી, ઘણા દેશોમાં ટ્રાયલ ચાલુ

વૉશિંગ્ટનની એક હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમના નિર્ણયથી કોરોના મહામારી વિરુદ્ધ માણસોની લડાઈમાં આશાની કિરણો જોવા મળી. રેમડેસિવિર દવા જીવલેણ વાઈરસ માટે પ્રથમ દવા બની શકે છે. અમેરિકા અને વિશ્વના 68 હોસ્પિટલમાં લગભગ 1 હજાર કોરોના દર્દીઓ પર દવાની ટ્રાયલ ચાલી રહી છે. વાયરસના મૂળ કેન્દ્ર એવા ચીનમાં પણ તેની ટ્રાયલ થઈ છે. આ દવાનો ઉપયોગ કરી રહેલા દર્દીઓને અન્ય દવાનો ઉપયોગ કરતા દર્દીઓની સરખામણીએ વધુ ઝડપથી રાહત થઈ છે. અમેરિકતામાં દવાની પ્રથમ તબક્કાની ટ્રાયલ પૂર્ણ થઈ ચૂકી છે. બીજા તબક્કામાં રેમડેસિવિરના ફાયદા વધારવા માટે તેમાં અન્ય દવાઓ સાથે વાપરી ટ્રાયલ કરવાની રહેશે. ટાઈમ મેગેઝીને દર્દી પર દવાના પ્રથમ ટ્રાયલમાં સામેલ ડૉક્ટરો, હેલ્થ એક્સપર્ટ અને ફાર્મા ઈન્ડસ્ટ્રીના ડઝનેક લોકો સાથે વાતચીતના આધારે માહિતી મેળવી કે મહામારી વચ્ચે કઈ રીતે એક નવી થેરેપીએ આશાઓ જગાવી છે. આ ટ્રાયલની શરૂઆત વોશિંગ્ટન સ્થિત પ્રોવિડન્સ રિઝનલ મેડિકલ સેન્ટરમાં થઈ હતી. અમેરિકાના બીમારી નિયંત્રણ સંબંધિત સેન્ટર દ્વારા 20 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દેશના પ્રથમ કોવિડ-19 દર્દીને દાખલ કરવાનો આગ્રહ કર્યો હતો. ડૉ. જ્યોર્જ ડિયાઝ કહે છે કે,‘તેમણે અમારી પર દબાણ કર્યું નહોતું.

રેમડેસિવરથી દર્દીની સ્થિતિ સુધરી
અમે ઈન્કાર ના કર્યો કારણ કે આ એક નવા પ્રકારના ઈન્ફેક્શનનો પ્રથમ કેસ હતો.’ તે સમયે માત્ર ચીન, થાઈલેન્ડ. જાપાન અને દ.કોરિયામાં સંક્રમણના કેસો વધારે હતા.
ડૉ. ડિયાઝે કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ થયાના 6 દિવસ બાદ જ દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. તેના શરીરમાં ઓક્સિઝનનું સ્તર ઓછું થવા લાગ્યું. 27 જાન્યુઆરીએ ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની મંજૂરી મળ્યા બાદ દર્દીને રેમડેસિવરના ડોઝનું ઈન્જેક્શન અપાયું. બીજા દિવસથી તેની સ્થિતિમાં સુધાર આવવા લાગ્યું. ડૉ. ડિયાઝે કહ્યું કે, દર્દીનો તાવ ઓછો થવા લાગ્યો. તેના ઓક્સિજન સપ્લાયને પણ હટાવી લેવામાં આવ્યું.

તમામ રિસર્ચમાં સકારાત્મક પરિણામો મળ્યા
આ સમાચાર ફેલાયા બાદ જ ઘણા દેશોમાં કોવિડ-19 પર દવાની અસરની રિસર્ચ શરૂ થઈ ગઈ. જાન્યુઆરીના અંતે ચીનમાં હજારો કેસ આવી રહ્યાં હતા. ગિલીડે ચીનને સહાનુભૂતિ અને કરુણા કાર્યક્રમ હેઠળ દવા પૂરી પાડી. ચીની રિસર્ચર્સ, રાષ્ટ્રીય એલર્જી અને સંક્રામક બીમારી ઈન્સ્ટિટ્યૂટ અને રિસર્ચર્સે રેમડેસિવિરની અસર પર ઊંડાણપૂર્વર રિસર્ચ કર્યું. એપ્રિલમાં ગિલીડે જણાવ્યું કે, તમામ રિસર્ચમાં સકારાત્મક પરિણામો મળ્યા. આ સંકેતના આધારે 1 મેના એફડીએ દ્વારા ગંભીર કોવિડ-19 દર્દીઓની સારવાર માટે દવાના ઉપયોગની મંજૂરી આપી. ઘણા રિસર્ચમાં રેમડેસિવિર દવા લેનારા કોવિડ-19 દર્દીઓ સરેરાશ 11 દિવસમાં સાજા થયા.

રિસર્ચર્સ હજુ પણ અમુક સવાલોના જવાબ શોધી રહ્યા છે
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનની પ્રોફેસર ડૉ. અરુણા સુબ્રમણિયમે કહ્યું કે, ‘ચલો સૌથી સારી વાત એ રહી કે આ દવાથી અમે દર્દીઓની મદદ કરી શકીએ છીએ તેની જાણ થઈ. અમે ગિલીડની એક ટ્રાયલનો અભ્યાસ કર્યો હતો.’ બીજી તરફ રિસર્ચ કરનારાઓના મનમાં હજુ અમુક સવાલ છે કે- કયા દર્દીઓની વધુ લાભ થશે અને કઈ સ્થિતિમાં દવા વધુ અસરકારક સાબિત થશે. એનઆઈએઆઈડી અને ગિલીડના રિસર્ચથી સંકેત મળ્યા કે આ પ્રારંભિક તબક્કામાં ઈન્ફેક્શનને જલ્દી દૂર કરવામાં મદદ કરે છે. ઘણી ટ્રાયલમાં આ સ્પષ્ટ થયું કે રેમડેસિવિર દર્દીઓને વહેલા સ્વસ્થ કરવામાં મદદરૂપ છે.

ઘણા વાઈરસ વિરુદ્ધ આ દવા સફળ રહી છે
અમેરિકાની ગિલીડ ફાર્મા કંપની રેમડેસિવિરને સૌપ્રથમ એક અન્ય ઘાતક વાઈરલ બીમારી ઈબોલા માટે અજમાવવામાં આવી હતી. કંપનીએ ઈબોલાની રિસર્ચને આગળ વધારી. લેબમાં થયેલા રિસર્ચ અનુસાર 11 વર્ષ જૂની આ દવાએ કોવિડ-19 પરિવારના બીજા વાઈરસથી ફેલતી બીમારીઓ- સાર્સ અને મર્સથી લડતા સમયે પણ સારા પરિણામ આપ્યા હતા. તે આ બીમારીઓમાં ઈબોલા પર સૌથી વધુ અસરકારક સાબિત થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2ZTkQI8

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ.

તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી
આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટે દયાભાવ દાખવ્યો. આમ, તંત્રના સહકારથી જાન દુલ્હનને લઈને 12મી મેએ વિદાય થઈ. 16મી મેએ બસ હિમાચલ સરહદે પહોંચી. ત્યાં નિયમ પ્રમાણે તમામને ઈન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈનમાં મોકલાયા અને તમામના સેમ્પલ પણ લેવાયાં. વરરાજા અને દુલ્હનની હજુ એક પરીક્ષા થવાની હતી. 23મી મેએ વરરાજાનો ભાઈ કોરોના પોઝિટિવ આવ્યો. છેવટે જાનૈયાની ઘરવાપસી અટકી. વરરાજાના ભાઈને કોવિડ સેન્ટમાં દાખલ કરાયો. 28મી મેએ ફરી તેનો રિપોર્ટ કર્યો, જે નેગેટિવ આવ્યો. ત્યારે તમામને ઘરે જવાની મંજૂરી અપાઈ. સ્થાનિક અધિકારીઓએ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લિપ આપીને વિદાય કર્યા. 29મી મેએ નવદંપતી સુનીલ અને સુનિપ્તા ઘરે પહોંચ્યાં. આ રીતે 71 દિવસ પછી દુલ્હનનો ગૃહપ્રવેશ થયો.

દુનિયાના સંભવત: પહેલા લગ્ન, જેમાં જાન 52 દિવસ રોકાઈ
આજકાલ લગ્નો એક દિવસમાં જ પૂરાં કરી દેવાય છે. જૂના સમયમાં લગ્નો ચાર-પાંચ કે એક અઠવાડિયું ચાલતા. પરંતુ ઉના જિલ્લાના પરોઈઆ ગામમાં થયેલાં લગ્ન દેશમાં જ નહીં, સંભવત: દુનિયાનાં પહેલાં એવાં લગ્ન હતાં જ્યાં જાન દુલ્હનના ઘરે 52 દિવસ સુધી રોકાઈ હતી. આ દંપતીએ કહ્યું કે અમને ઘણી મુશ્કેલીઓ પડી, પરંતુ બધાનું જીવન બચાવવા માટે એ જરૂરી હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Married on 23rd March, Lockdown on 25th, Jan trapped for 52 days, then quarantined, 71 days later


from Divya Bhaskar https://ift.tt/36Lk8hi

ટ્રમ્પના સંબંધો તોડવાથી WHO નબળું પડી શકે છે, 300 કરોડ લોકો પર અસર થઇ શકે છે

અમેરિકા કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું છે. સૌથી વધુ દર્દી અને મૃત્યુ અહીં જ થયાં છે. આ બદહાલી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને દોષિત ઠેરવ્યું છે. ટ્રમ્પે ડબ્લ્યૂએચઓ પર કોરોના વાઈરસને મહામારી જાહેર કરવામાં વિલંબ કરવા અને ચીનને મદદરૂપ થઈને દુનિયાને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો. નારાજ ટ્રમ્પે ડબ્લ્યૂએચઓ સાથેના સંબંધોનો અંત લાવવાની જાહેરાત પણ કરી દીધી છે. અમેરિકા તેને વાર્ષિક 3,375 કરોડ રૂપિયા આપે છે જ્યારે ચીન 300 કરોડ. કોરોના સામે લડવા અમેરિકાએ 9000 કરોડ રૂપિયા આપ્યા હતા. એવામાં એ સવાલ ઊભો થાય છે કે અમેરિકા વિના દુનિયાનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંગઠન ટકી પણ શકશે કે નહીં? તેના સ્વાસ્થ્ય પર શું અસર થશે.

આ નિર્ણય વર્તમાન સ્થિતિમાં વિનાશકારી સાબિત થવાની શક્યતા
ગ્રિફિથ યુનિવર્સિટીના સ્વાસ્થ્ય પ્રશાસન નિષ્ણાત ડૉ. સારા ડેવિસ કહે છે કે ડબ્લ્યૂએચઓએ જુદા જુદા કાર્યક્રમો અંગે આકરા નિર્ણયો કરવા પડશે. અનેક દેશોને અપાતી મદદમાં પણ કાપ મૂકવો પડશે. જ્યારે સિડની યુનિવર્સિટીમાં ડબ્લ્યૂએચઓ કોલેબરેટિંગ સેન્ટર ફોર ફિજિકલ એક્ટિવિટી અને ન્યૂટ્રિશનના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોફેસર એડ્રિયન બાઉમેન અનુસાર અમેરિકાનો આ નિર્ણય વર્તમાન સ્થિતિમાં વિનાશકારી સાબિત થઇ શકે છે. નિષ્ણાતો અનુસાર ટ્રમ્પના આ નિર્ણયથી ડબ્લ્યૂએચઓના દુનિયાભરમાં ચલાવાઈ રહેલા સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં મદદ કરનારા 800થી વધુ સહયોગીઓ પર અસર થશે.

ગરીબ અને નબળી સ્વાસ્થ્ય સુવિધા ધરાવતા દેશોને નુકસાન

  • નિષ્ણાતો અનુસાર ટ્રમ્પના નિર્ણયથી સૌથી વધુ નુકસાન નબળી સ્વાસ્થ્ય પ્રણાલી ધરાવતા અને ગરીબ દેશોને નુકસાન થશે.
  • ફન્ડિંગ ઓછું થવાથી મહામારીને રોકવા કે વેક્સિનેશન કાર્યક્રમોમાં મદદ કરવા માટે પાયાનું માળખું બનાવવામાં તકલીફ પડશે.
  • ડબ્લ્યૂએચઓ ટ્રિપલ બિલિયન ટાર્ગેટ પર કામ કરી રહ્યું છે – 100 કરોડ લોકોને યુનિવર્સલ હેલ્થ કવરેજ, 100 કરોડને ઇમરજન્સી સ્વાસ્થ્ય સુવિધા અને 100 કરોડને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય આપવું. એવામાં ફન્ડિંગ રોકાઈ જવાથી આ 300 કરોડ લોકો પર ડબ્લ્યૂએચઓના નબળા થવાની અસર થશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3eCPR7k

લૉકડાઉનમાં આવતીકાલથી રાહત, તેના પહેલાં ઈસ્તંબુલની આઝાદીની ઉજવણી

તૂર્કી 1 જૂનથી લૉકડાઉનમાં રાહત આપવા જઈ રહ્યું છે. આ અગાઉ અહીંના મુખ્ય શહેર ઈસ્તંબુલની આઝાદીની 567મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ઈસ્તંબુલને પહેલાં કસ્તુનતુનિયાના નામે ઓળખાતું હતું. 700 વર્ષના સંઘર્ષ પછી ઓટોમન તૂર્કી સામ્રાજ્યએ તેને રોમન સામ્રાજ્યથી મુક્ત કરાવ્યું હતું. તૂર્કીમાં કોરોનાના 1,62,120 કેસ સામે આવ્યા છે અને 4489 લોકો મૃત્યુ પામ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Relief from tomorrow in the lockdown, before Istanbul's independence celebrations


from Divya Bhaskar https://ift.tt/3coUKiQ

ICMRના સ્ટડીમાં દાવોઃ 90 દિવસમાં 28% દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો નહોતાં

દેશમાં કોરોનાના પ્રથમ 90 દિવસમાં 28% દર્દી એવા મળ્યા હતા કે જેમનામાં લક્ષણો નહોતા દેખાયા. આઇસીએમઆરના સ્ટડીમાં આ દાવો કરાયો છે જે મુજબ દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં આવ્યો હતો. 30 એપ્રિલ સુધીમાં 40,184 દર્દી હતા. તેમાંથી 11,295 (28.1%) દર્દી એવા હતા કે જેમનામાં કોરોનાનાં લક્ષણો નહોતા દેખાયા જ્યારે 10,160 દર્દી એવા હતા કે જેમના પરિવારના કોઇ સભ્ય ટેસ્ટમાં કોરોના પોઝિટિવ જણાયા હતા.

1100થી વધારે કર્મચારી પોઝિટિવ છતાં લક્ષણ નહીં
1,135 સ્વાસ્થ્યકર્મી એવા હતા કે જેઓ દર્દીઓની સારવારમાં લાગેલા હતા પણ સુરક્ષાના પૂરતા માપદંડોનું પાલન કરી શક્યા નહોતા. તેથી તેઓ પણ કોરોના પોઝિટિવ થયા હતા. તેમનામાં પણ કોઇ લક્ષણો નહોતા દેખાયાં. નિષ્ણાતોનું કહેવું છે કે દર્દીઓની ઓળખ માટે તેમના ઘરના સભ્યોથી વધારે બહારના લોકોના ટેસ્ટ કરવા પડ્યા કેમ કે તેમનામાં બીમારીનો સ્ત્રોત જાણી શકાતો નહોતો. પ્રત્યેક પોઝિટિવ દર્દી દીઠ ઘરના 6 સભ્યના ટેસ્ટ કરાયા જ્યારે બહારના લોકોમાં દર્દી દીઠ અંદાજે 20.4 લોકોના ટેસ્ટ કરાયા. દર્દીઓના પરિવારજનોમાંથી 2,41,504 ટેસ્ટ કરાયા જ્યારે અન્ય કે બહારના લોકોમાં 8,20,320 લોકોના ટેસ્ટ કરવા પડ્યા.

દર 10 લાખની વસતીમાંથી કેટલા લોકોને જોખમ

ઉંમર લોકો
0-9 6.1
10-19 12.9
20-29 40.5
30-39 48.5
40-49 50.1
50-59 64.9
60-69 61.8
70-79 53.2
80 + 40.9
  • પુરુષોમાં દર 10 લાખ દીઠ 41.6 અને મહિલાઓમાં 24.3 લોકોને જોખમ.

દર્દીઓમાં સૌથી વધુ લક્ષણ ખાંસીના

લક્ષણ દર્દીઓની સંખ્યા
એક પણ નહીં 8269
તાવ 7675
શ્વાસ લેવમાં તકલીફ 4083
ગળામાં સંક્રમણ 3420
માંસપેશિયોમાં દુખાવો 1599
ઉલટી 546
  • ઘણા દર્દીઓમાં એકથી વધુ લક્ષણો જોવા મળ્યાં હતાં.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2zKCbbr

Protests over Floyd's killing heat up across US, governors call in National Guard

Protests over Floyd's killing heat up across US, governors call in National Guard

from India Today | Top Stories https://ift.tt/2zAHHxn

Lockdown 5.0 or Unlock 1.0: List of instructions in fresh guidelines issued by MHA

Lockdown 5.0 or Unlock 1.0: List of instructions in fresh guidelines issued by MHA

from India Today | Top Stories https://ift.tt/3gDJlyL

Postponing G7 summit until September, says Donald Trump

Postponing G7 summit until September, says Donald Trump

from India Today | Top Stories https://ift.tt/2zNR4JX

E-Agenda Aaj Tak: Opposition criticises what world admires, says Prakash Javadekar

E-Agenda Aaj Tak: Opposition criticises what world admires, says Prakash Javadekar

from India Today | Top Stories https://ift.tt/2XI9WCk

COVID testing lab on wheels to reach remote areas in Kerala

COVID testing lab on wheels to reach remote areas in Kerala




from News - Videos - The Times of India https://ift.tt/2BfvpL7

Sharp GDP data revision triggers row



from Times of India https://ift.tt/2ySCPDq

Ailing passengers among 81 dead on spl trains

A total of 80 people died on board Shramik Special trains between May 9 and May 27, among them cancer patien​ts, those suffering from heart ailments, a few with paralysis and many who were too ill to travel. Data accessed by TOI showed that among those who lost their lives were a 63-year-old cancer patient, Indu Devi, who died on way from Mumbai to Bihar on May 12.

from Times of India https://ift.tt/2McQ18W

'Casteist slurs made on phone not an offence'

The Punjab and Haryana high court has made it clear that casteist remarks made over mobile phone against a member of the Scheduled Caste community does not constitute any offence under the Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989.

from Times of India https://ift.tt/2XhriqB