Ad

Saturday, May 23, 2020

ગુજરાત હાઇકોર્ટેનો આદેશ-‘કોરોનાની ટ્રીટમેન્ટના MoU ન કરનાર હોસ્પિટલ સામે ડિઝાસ્ટર એક્ટ લાગુ કરો’

કોરોનાને પગલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં કોર્ટે ખાનગી હોસ્પિટલો સામે કડક વલણ અપનાવ્યું છે. ઝાયડસ, અપોલો, યુએન મહેતા જેવી 8 હોસ્પિટલો આધુનિક સાધનો ધરાવતી હોવા છતાં શા માટે કોરોનાની સારવાર કરતી નથી? તે અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. જે ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે MOU કરવાનો ઇન્કાર કરે તેમની સામે ડિઝાસ્ટર એકટ હેઠળ પગલા લેવા આદેશ કર્યો છે. ઝ।યડસ હોસ્પિટલના 12 માળમાંથી 2 માળ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. આ ઉપરાંત નીતિન પટેલ અને જયંતી રવિએ સિવિલની કેટલી વખત મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે? વેન્ટિલેટરના અભાવે મોતની સ્થિતિનું તારણ મેળવ્યું છે તેવા અનેક સવાલો હાઈકોર્ટે કર્યા હતા.
કોરોના વોર્ડના સીસીટીવીનું નિરીક્ષણ CM ઓફિસમાંથી થઇ રહ્યુ છે
આ અંગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું છે કે, સિનિયર પલ્મોનોલોજીસ્ટની સેવા લેવામા આવે છે. વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં છે. કોરોના વોર્ડના સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ સી.એમ ઓફિસમા કરવામા આવી રહ્યુ છે.
મહામારી સામે કેવી રીતે ટકવું તેના માટે હાઇકોર્ટે ટાઇટેનિકનો દાખલો આપ્યો
જસ્ટીસ જે.બી પારડીવાલાએ મહામારી સામે ટકવા ટાઇટેનિક ફિલ્મનો દાખલો ટાંક્યો છે. સરકારને કાર્પેથિયા બનવાનુ ધ્યેય રાખવા ટકોર કરી છે. ટાઇટેનિકથી દૂર રહેલી કાર્પેથિયા જહાજ તેની ક્ષમતા કરતાં વધુ ઝડપથી ટાઇટેનિકને બચાવવા નજીક પહોંચી હતી. મદદના સંદેશા ક્યાંથી આવ્યા તેની ખબર ન હોવા છતાં તે સૌથી પહેલા મદદે પહોંચી અને 705 મુસાફરને બચાવ્યા હતા. આપણે પણ કાર્પેથિયા બનવાનું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2zZ6pXX

How Odisha dealt with Cyclone Amphan while battling Covid-19 pandemic

How Odisha dealt with Cyclone Amphan while battling Covid-19 pandemic

from India Today | Top Stories https://ift.tt/3eci1Wd

Delhi govt suspends officer over Sikkim gaffe



from Times of India https://ift.tt/2ZvxEEj

પીપીઈ સૂટમાં હશે પાઇલટ-એરહોસ્ટેસ; વિમાન, એરપોર્ટ, પાઇલટ્સ અને એરહોસ્ટેસ માટે આવી ગાઇડલાઇન હશે

છેલ્લા બે મહિનાથી બંધ અમદાવાદનું એરપોર્ટ સોમવારથી ફરી એક વખત ધમધમતું થઇ જશે. જોકે એરપોર્ટ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પરનો અનુભવ પહેલા જેવો નહીં રહે. અમદાવાદ એરપોર્ટ અને એરલાઇનોએ મુસાફરો માટે સંખ્યાબંધ ગાઇડલાઇન જાહેર કરી છે અને તકેદારીનાં ભાગરૂપે વ્યવસ્થા પણ કરી છે. તકેદારીનાં ભાગરૂપે ઇન્ડિગો એરલાઇને તો પાઇલટ અને કેબિન ક્રૂને પણ પીપીઇમાં જ ફરજ સોંપવાનું નક્કી કર્યું છે. તો સ્પાઇસજેટે પણ પોતાનાં ગ્રાઉન્ડ સ્ટાફ અને પાઇલટ-કેબિન સ્ટાફ માટે પ્રોટેક્ટિવ ગિયર્સ આપવા નક્કી કર્યું છે. મુસાફરોને મોટેભાગે ફ્લાઇટમાં માત્ર પાણી જ આપવામાં આવશે અને કોઇ પણ પ્રકારનો ખોરાક નહીં અપાય જેથી સ્પર્શ ટાળવામાં આવે. અમદાવાદ એરપોર્ટ પર પણ ઠેરઠેર નવા સેનેટાઇઝર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. મુસાફરોને બે કલાક પહેલા આવવા માટે સલાહ અપાઇ છે. એરપોર્ટ કનેક્ટેવીટી માટે ટેક્સી-કેબને મંજૂરી છે. ઑટો રિક્શાને નહીં. અમદાવાદ એરપોર્ટ સૂત્રોએ મુસાફરોની સલામતી બાબતે જણાવ્યું હતું કે, અમે જ્યાં પણ લાઇન લાગે છે તેવા સ્થળો જેમ કે ટર્મિનલ ગેટ, સેલ્ફ ચેક ઇન ગેટ, લગેજ કાઉન્ટર, સિક્યુરિટી ચેક, એરો બ્રિજ, બોર્ડિંગ ગેટ્સ વગેરે તમામ સ્થળે સોશિયલ ડિસ્ટન્સ માર્કિંગ કર્યા છે. અમે પાણી પીવાનાં કુલર પર પણ માર્કિંગ કર્યું છે. દરેક પેસેન્જરનું તાપમાન, માસ્ક વગેરે ચેક કરાશે. અમે સેનેટાઇઝરનાં 50થી વધુ સ્ટેન્ડ ટર્મિનલમાં વોક થ્રુ માટે મૂક્યા છે. આ સિવાય સતત ક્લીનિંગ પણ થતું રહેશે. અમે મુસાફરો માટે હેન્ડ્સ ફ્રી ફ્રિસ્કિંગની વ્યવસ્થા પણ કરી છે.
ફ્લાઇટ ઉપડતાં પહેલાં ડીસઇન્ફેક્ટ અને ફ્યુમિગેટ થશે
એરપોર્ટ સિવાય એરલાઇનોએ પણ ઇનફ્લાઇટ અને ઓફ-ફ્લાઇટ સંખ્યાબંધ પગલા જાહેર કર્યા છે. અમદાવાદથી સૌથી વધુ ફ્લાઇટ ઇન્ડિગો અને સ્પાઇસ જેટની જાય છે. ઇન્ડિગો એરલાઇન્સનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે પાઇલટ અને કેબિન ક્રૂ માટે પીપીઇની વ્યવસ્થા કરી છે. ફ્લાઇટની અંદર ટ્રે ટેબલ, આર્મ રેસ્ટ, ઓવરહેડ નોઝલ, લેવેટરી જેવી દરેક જગ્યા સેનેટાઇઝ થશે. ફ્લાઇટ ઉપડતાં પહેલાં ડીસઇન્ફેક્ટ અને ફ્યુમિગેટ થશે. મુસાફરોને ફ્લાઇટમાં નાસ્તો નહીં અપાય પણ માત્ર પાણી જ અપાશે. બને તો પેસેન્જર એરપોર્ટ પર જ લેવેટરીનો યુઝ કરે જેથી ફ્લાઇટમાં મુવમેન્ટ ઓછી થાય. સ્પાઇસ જેટનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે તમામ કસ્ટમર ટચ પોઇન્ટસને ડીસઇન્ફેક્ટ કરીશું. પેસેન્જરને ફ્લાઇટમાં લઇ જતાં કોચમાં પણ 50 ટકા જ સંખ્યા રાખીશું. મુસાફરોને ઘરે અથવા એરપોર્ટ પર જ જમી લેવા સલાહ આપવામાં આવે છે કેમ કે ફ્લાઇટમાં જમવાનું નહીં અપાય. પેસેન્જરોને પોતાનો બોર્ડીંગ પાસ પણ જાતે જ સ્કેન કરવા જણાવાયું છે.
સ્પષ્ટતાનાં અભાવે ગો-એર સોમવારથી શરૂ થહીં થાય
જ્યારે મોટાભાગની એરલાઇનો સોમવારથી શરૂ થઇ જશે ત્યારે દેશની સૌથી મોટી એરલાઇનો પૈકી ગો-એરે ક્વોરેન્ટાઇન અને મુસાફરોનાં રાજ્યોમાં પ્રવેશ મુદ્દે સરકારની સ્પષ્ટતાનાં અભાવે ફ્લાઇટ્સ 1 જૂનથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગો-એરલાઇનનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, વિવિધ રાજ્યો પાસેથી મુસાફરોને કેવી રીતે સ્વીકારશે તે મુદ્દે કોઇ સ્પષ્ટતા ન હોવાથી અમે સોમવારથી ફ્લાઇટ્સ શરૂ નહીં કરીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3daLWhL

ગુજરાત બોર્ડર પર 40 હજાર મજૂરોને મનરેગા યોજના અંતર્ગત કામ મળ્યું

ગુજરાતની હદને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતથી વતન પરત ફરેલા આદિવાસી શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત રોજગાર અપાયો છે. આશરે 40 હજાર શ્રમિકોને પોતાના ગામમાં જ રોજગાર મળી રહ્યો છે. એક મજૂરને એક દિવસમાં 238 રૂપિયા મજુરી મળે છે એના કારણે આદિવાસી લોકોની બેરોજગારી દૂર થઈ રહી છે. બધા મજૂર કામ કરતી સમયે સોશિયલ ડિસ્ટન્સ રાખે છે અને માસ્ક બાંધીને કામ કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતથી વતન પરત ફરેલા આદિવાસી શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત રોજગાર અપાયો.


from Divya Bhaskar https://ift.tt/2Xtd1ps

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 14 જિલ્લામાં 5 કેસ, 17 જિલ્લામાં એક પણ મોત નહીં

રાજ્યમાં કોરોનાના કુલ 13,664 કેસ નોંધાયા છે ત્યારે ભાસ્કર સ્ટેટ ઑડિટમાં એ વાતનો ખુલાસો થયો છે કે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના 27 ટકા કેસ માત્ર છેલ્લા 10 દિવસમાં નોંધાયા છે. જ્યારે કુલ 829 મોતમાંથી 28 ટકા મોત પણ છેલ્લા 10 દિવસમાં નોંધાયા છે. જ્યારે 5 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં 50થી ઓછા કેસ નોંધાયા છે.
છેલ્લા 10 દિવસમાં 21 એવા જિલ્લા છે જ્યાં 25થી પણ ઓછા પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં સૌથી વધુ 2647 કેસ અને 223 મોત થયાં છે.
છેલ્લા 10 દિવસમાં કયા જિલ્લામાં કુલ કેટલા કેસ અને મૃત્યું

જિલ્લો કેસ મોત
અમદાવાદ 2647 223
અમરેલી 3 0
આણંદ 10 2
અરવલ્લી 22 1
બનાસકાંઠા 17 1
ભરૂચ 5 1
ભાવનગર 14 0
બોટાદ 0 1
છોટાઉદેપુર 5 0
દાહોદ 12 0
ડાંગ 0 0
દ્વારકા 0 2
ગાંધીનગર 63 3
ગીર સોમનાથ 26 0
જામનગર 13 0
જૂનાગઢ 20 0
કચ્છ 50 0
ખેડા 26 1
મહિસાગર 32 0
મહેસાણા 32 2
મોરબી 1 0
નર્મદા 2 0
નવસારી 9 0
પંચમહાલ 4 2
રાજકોટ 21 0
સાબરકાંઠા 26 1
સુરત 318 17
સુરેન્દ્રનગર 20 0
તાપી 4 0
વડોદરા 214 3
વલસાડ 12 1
પાટણ 40 1
પોરબંદર 3 0

10 દિવસમાં ક્યાં સૌથી વધુ, ક્યાં સૌથી ઓછા કેસ?
સૌથી વધુ:
અમદાવાદ - 2647, સુરત - 318, વડોદરા - 214
સૌથી ઓછા: ડાંગ - 0, દ્વારકા - 0, બોટાદ - 0



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In the last 10 days in Gujarat, 5 cases in 14 districts, not a single death in 17 districts


from Divya Bhaskar https://ift.tt/2LUZtxG

મુંબઇથી ઉપડેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ગોરખપુરના બદલે રુરકેલા પહોંચી

મુંબઇના વસઇ રોડ સ્ટેશનેથી યુપીના ગોરખપુર માટે રવાના થયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન શનિવારે ઓડિશાના રુરકેલા પહોંચી જતાં મુસાફરોને એમ લાગ્યું કે ટ્રેન રસ્તો ભૂલી ગઇ. 21 મેએ રવાના થયેલી આ ટ્રેન કલ્યાણ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, નૈની, દીનદયાળ ઉપાધ્યાય જંક્શન થઇને ગોરખપુર પહોંચવાની હતી.સમગ્ર મામલે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે કહ્યું કે ટ્રેનના રુટમાં ભારે ટ્રાફિક હોવાના કારણે રૂટ બદલવો પડ્યો.
સામાન્ય દિવસોમાં તો રોજની 11 હજારથી વધુ ટ્રેનો દોડતી હોય છે
ટ્રેન બિલાસપુર, ઝારસુગુડા, રુરકેલા, આદ્રા અને આસનસોલના રસ્તે રવાના કરાઇ હતી. રેલવેનું કહેવું છે કે ઇટારસી-જબલપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર રુટ પર મોટી સંખ્યામાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી રહી હોવાથી ભારે ટ્રાફિકના કારણે પશ્ચિમ રેલવેએ વસઇ રોડ, સુરત, વલસાડ, અંકલેશ્વર, કોંકણ રેલવે અને સેન્ટ્રલ રેલવેનાં અમુક સ્ટેશનો પરથી દોડતી ટ્રેનો હાલ બિલાસપુર-ઝારસુગુડા-રુરકેલાના રૂટ પર દોડાવવાનું નક્કી કર્યું છે. જોકે, જાણકારોનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં તો રોજની 11 હજારથી વધુ ટ્રેનો દોડતી હોય છે.
આ સ્ટેશનો પર થઇને ટ્રેન ગોરખપુર પહોંચશે
વસઇ રોડ-ગોરખપુર શ્રમિક સ્પેશિયલ ટ્રેન રુટ બદલાતાં ઉધના, સુરત, વલસાડ, અંકલેશ્વર, બિલાસપુર, ચાંપા, ઝારસુગુડા થઇને શનિવારે સવારે રુરકેલા પહોંચી. અહીંથી તે આદ્રા, આસનસોલ, જસીડીહ, ઝાઝા, ક્યૂલ, બરૌની, સોનપુર, છપરા અને સીવાન થઇને ગોરખપુર પહોંચશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3eaHRKr

કેન્સર હોસ્પિટલમાં 35 દિવસમાં જ સ્ટાફના 100ને કોરોનાનો ચેપ

શનિવારે કેન્સરનાં દર્દીની સારવાર કરતી કેન્સર હોસ્પિટલનાં વધુ એક સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ કેસનો આંકડો 100 પર પહોંચ્યો છે. મહ્ત્વની વાત એ છે કે, કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ આવેલાં 100 લોકોમાં કોવિડ હોસ્પિટલમાં નહિ ડ્યુટી કરવાથી નહિ પણ કેન્સર હોસ્પિટલે કોરોના સામે સુરક્ષાના સાધનો ન અપાતા એકથી બીજા વિભાગમાં ચેપ ફેલાયો હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યો છે.
રેડિયોથેરોપી, એચઆર અને રેડિયોલોજી વિભાગનાં ડોક્ટરો, નર્સ કોરોનાની લપેટમાં
કેન્સર હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા મુજબ, શનિવારે રેડિયોલોજી વિભાગના એક ટેકનિશિયનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે હવે હોસ્પિટલનાં સ્ટાફમાં કોરોના પોઝિટિવનો આંકડો 100 પર પહોંચ્યો છે. કેન્સર હોસ્પિટલની નર્સનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં બાદ હોસ્પિટલે કોઇ પગલા લીધા ન હતા, જેને કારણે ગત 17 એપ્રિલથી આજ દિન સુધી હોસ્પિટલના રેડિયોથેરોપી, એચઆર અને રેડિયોલોજી વિભાગનાં ડોક્ટરો, નર્સ અને સર્વન્ટ વગેરે કોરોનાની લપેટમાં આવ્યાં છે. તેમજ છેલ્લાં 35 દિવસમાં હોસ્પિટલ સ્ટાફનાં 100 લોકો કોરોનાની લપેટમાં આવ્યાં હોવા છતાં હોસ્પિટલે કોઇ પગલા લીધા નથી અને આ અંગે રાજ્યનો આરોગ્ય વિભાગ પણ કેમ કોઇ ચૂપકીદી સેવી રહ્યો છે તે પણ એક સવાલ છે.
કોરોના ટેસ્ટ પણ કરાવ્યો ન હતો
અગાઉ હોસ્પિટલનાં પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં ફરજ બજાવતી નર્સની હાલત ગંભીર છે. આ નર્સ દ્વારા હોસ્પિટલતંત્ર સમક્ષ વારંવાર માસ્ક, સેનિટાઇઝર અને પીપીઇ કીટ સહિતની માંગણી કરી હતી, પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ સુવિધા અપાઇ ન હતી કે કોરોના ટેસ્ટ પણ કરાવ્યો ન હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Coronavirus infection of 100 staff in just 35 days at the cancer hospital


from Divya Bhaskar https://ift.tt/3ghhHYf

Covid: New cases rise to 6,378; day’s toll 144



from Times of India https://ift.tt/2Xt3BKE

Afghan Taliban announce three-day Eid ceasefire

The Taliban announced a three-day ceasefire during the Eid al-Fitr holiday starting Sunday in a surprise move following months of bloody fighting with Afghan forces after the group signed a landmark agreement with the United States. President Ashraf Ghani swiftly welcomed the insurgents' offer and ordered his forces to also comply, while the US envoy to Afghanistan hailed the deal as a "momentous opportunity."

from Times of India https://ift.tt/2LQM7Th

Drones may be used for anti-locust spraying



from Times of India https://ift.tt/2TyUwih

Cleaner, and now cheaper: Solar power beats coal

The Covid crisis has diverted attention from a major breakthrough that should leave all smiling. The latest auction for 400 MW of solar power, including storage, has been won by ReNew Power with a levelised...

from Times of India Opinion https://ift.tt/2zptgvS

Get your video meeting etiquette right!

Why let basic standards slip even if it is a virtual meeting? Have you entered a video conference all prepped to face colleagues, and encountered a virtual room full of shut cameras? It happens to...

from Times of India Opinion https://ift.tt/2WWUEud

Those convoluted govt circulars show what’s wrong with Indian babudom

Recently, in a lighter vein, I tweeted this about the complicated MHA circulars: “If you can understand MHA circulars, you can crack the Data Analysis and Comprehension of CAT or any entrance exam in the...

from Times of India Opinion https://ift.tt/3cYOQ97

Don’t let screens win over sports, we need the grassroots game back

What we saw during the Covid-19 lockdown was unprecedented for sports. There has never been an occasion when every major tournament in the world has had to be suspended or cancelled. When the World Wars...

from Times of India Opinion https://ift.tt/3d06Csn

IPL રદ થશે તો 9 દેશના 188 ખેલાડીઓને 612 કરોડ રૂપિયાનું નુકસાન

કોરોનાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને ટાળવામાં આવી છે. લીગ રદ થાય તો 9 દેશના 188 ખેલાડીઓને 612.65 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ભારત બાદ સૌથી વધુ નુકસાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને થશે.
આ 6 દેશના ખેલાડીને સૌથીવધુ નુકસાન

દેશ રકમ (કરોડ રૂપિયામાં)
ભારત 358.55
ઓસ્ટ્રેલિયા 86.75
વિન્ડીઝ 58.75
ઈંગ્લેન્ડ 47.50
દ.આફ્રિકા 34.60
અફઘાનિસ્તાન 14.00

કોહલીને બેંગલુરુથી 17 કરોડ મળવાના છે
IPL ક્રિકેટની સૌથી મોટી લીગ મનાય છે. કોરોનાના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત છે. જો સિઝન રદ થાય તો ભારત બાદ સૌથી વધુ નુકસાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને થશે. 124 ભારતીય ખેલાડીને 358 કરોડનું નુકસાન થશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના 17 ખેલાડીને 87 કરોડનું નુકસાન થશે. લીગમાં ઈંગ્લેન્ડના 13, વિન્ડીઝના 12, દ.આફ્રિકાના 10, ન્યૂઝીલેન્ડના 6, અફઘાનિસ્તાનના 3, શ્રીલંકાના 2, નેપાળના 1 ખેલાડી સહિત કુલ 188 ખેલાડી ઉતરશે.
સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ

ખેલાડી દેશ રકમ કરોડ રૂપિયામાં
કોહલી ભારત 17
કમિન્સ ઓસ્ટ્રેલિયા
15.5
ધોની ભારત 15
રોહિત ભારત 15
પંત ભારત 15
નારાયણ વિન્ડીઝ 12.5
સ્મિથ ઓસ્ટ્રેલિયા 12.5
સ્ટોક્સ ઈંગ્લેન્ડ 12.5
વૉર્નર ઓસ્ટ્રેલિયા 12.5

5 ખેલાડીઓને 11-11 કરોડ મળશે.
અફઘાનિસ્તાનને શ્રીલંકા, ન્યૂઝીલેન્ડથી વધુ પૈસા મળે છે

દેશ કુલ ખેલાડી રકમકરોડ રૂપિયામાં
અફઘાનિસ્તાન 3 14
ન્યૂઝીલેન્ડ 6 9.8
શ્રીલંકા 2 2.5

IPL વર્લ્ડ કપ બાદ વિશ્વની બીજી શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ
ઈંગ્લિશ બેટ્સમેન જોસ બટલર માને છે કે, આઈપીએલથી ઈંગ્લેન્ડના ક્રિકેટર્સને મદદ મળે છે. તેમણે IPLને વર્લ્ડ કપ બાદની બીજી શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ ગણાવી. બટલર આ વર્ષે આઈપીએલમાં ભાગ લેવા માટે ઉત્સુક છે.

ભારત ઈચ્છશે તો IPL વર્લ્ડ કપનું સ્થાન લેશે
પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઈયાન ચેપલનું માનવું છે કે, આ વર્ષે ટી-20 વર્લ્ડ કપના આયોજનની આશા નથી દેખાઈ રહી. 16 ટીમો માટે વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. જો ભારત ઈચ્છશે તો IPL વર્લ્ડ કપનું સ્થાન લઈ લેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ક્રિકેટર વિરાટ કોહલીની ફાઇલ તસવીર.  


from Divya Bhaskar https://ift.tt/2XrKAYX

22 વર્ષીય નાઓમી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી બની, ચાર વખતની ટૉપર સેરેનાને પાછળ છોડી

જાપાનની 22 વર્ષીય ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા વિશ્વામાં સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડી બની ગઈ છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર, ઓસાકાએ એક વર્ષમાં પ્રાઈઝમની અને એન્ડોર્સમેન્ટથી 284 કરોડ રૂપિયાની કમાણી કરી. જે અમેરિકન ખેલાડી અને 4 વખતની સૌથીવધુ કમાણી કરનારની યાદીમાં રહેલી સેરેના વિલિયમ્સે 11 કરોડ રૂપિયા વધુ છે. ઓસાકાની કમાણી કોઈપણ મહિલા ખેલાડીથી સૌથી વધુ છે.
સેરેનાએ 1999માં જ્યારે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો, ત્યારે નાઓમી એક વર્ષની હતી
રસપ્રદ વાત એ છે કે સેરેનાએ 1999માં જ્યારે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો, ત્યારે નાઓમી એક વર્ષની હતી. 19 વર્ષ બાદ ઓસાકાએ વિલિયમ્સને હરાવી યુએસ ઓપનમાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. યાદી આવતા અઠવાડિયે જાહેર થશે.
9 વર્ષમાં 5 વાર શારાપોવા, 4 વાર સેરેના ટોપ પર રહી

વર્ષ ખેલાડી રકમ કરોડ રૂપિયામાં
2011 શારાપોવા 190.00
2012 શારાપોવા 205.96
2013 શારાપોવા 220.40
2014 શારાપોવા 185.44
2015 શારાપોવા 225.74
2016 સેરેના 219.64
2017 સેરેના 205.20
2018 સેરેના 137.56
2019 સેરેના 222.92
2020 ઓસાકા 284.24


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3bXPMZV

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટી 2024 સુધી પ્રવેશ પરીક્ષા નહીં લે

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીએ પ્રવેશ માટે યોજાતી એસીટી કે એસએટી પ્રવેશ પરીક્ષાઓને 2024 સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે પ્રવેશ માટે નવા માપદંડ નક્કી કરાશે. યુનિવર્સિટી બોર્ડે ગુરુવારે આ નિર્ણય લીધો.
એક નવો માપદંડ તૈયાર કરી રહ્યા છે
યુનિવર્સિટીના અધ્યક્ષ જેનેટ નેપોલિતાનાએ કહ્યું કે, બોર્ડનો આ નિર્ણય યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત છે. તેમણે ગયા સપ્તાહે જ પ્રવેશ પરીક્ષાઓ સ્થગિત કરવાની ભલામણ કરી હતી. નેપોલિતાનોએ જણાવ્યું કે, અમે કેલિફોર્નિયાના વિદ્યાર્થીઓ માટે એસીટી/એસએટી (પ્રવેશ પરીક્ષા) બંધ કરી રહ્યા છીએ અને એક નવો માપદંડ તૈયાર કરી રહ્યા છીએ. નેશનલ સેન્ટર ફોર ફેર એન્ડ ઓપન ટેસ્ટિંગ કે ફેર ટેસ્ટની એક યાદી અનુસાર, તાજેતરના મહિનાઓમાં કુલ મળીને 51 યુનિવર્સિટી અને કોલેજોએ ઓછામાં ઓછું 2021 સુધી એસીટી કે એસએટી સ્થગિત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Tyd56t

ચીને ગયા સપ્તાહે એક ભારતીય સૈનિકને બંધક બનાવ્યો હતો, બાદમાં મુક્ત કરાયો હતો

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ ક્ષેત્રમાં તણાવ જારી છે. મીડિયા અહેવાલ પ્રમાણે ચીને ગયા સપ્તાહમાં ભારતના એક સૈનિકને બંદી બનાવી લીધો. બાદમાં સૈનિકને મુક્ત કરવામાં આવ્યો હતો. સરકાર તરફથી આ ઘટના અંગે માહિતી આપવામાં આવી નથી.
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ મહિને ત્રીજી વખત ઝપાઝપી થઈ છે. આ ઘટનાને લઈ ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જારી કર્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય સૈનિક પોતાની સીમામાં રહી ગતિવિધિઓ કરી રહ્યા છે. ભારતીય સેનાની લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પાર એક્ટિવિટી કરે છે તે વાત ખરી નથી.વાસ્તવિકતા એ છે કે ચીન આ પ્રકારની હરકત કરી રહ્યું છે. જેને લીધે નિયમિત જે પેટ્રોલિંગ થઈ રહ્યું હતું તેમાં આવરોધ સર્જાયો છે. આ મહિને 5 અને 9 મે નારોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૂર્વ લદ્દાખમાં ઝપાઝપીની ઘટના બની હતી. ત્યારબાદ 9 મેના રોજ સિક્કીમના નાકુલામાં પણ આ પ્રકારની ઘટના બની હતી.

વિવાદ ઉકેલવા માટે બન્ને દેશના કમાન્ડરની બેઠક

ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં લદ્દાખના ગાલવન નદી ક્ષેત્રમાં વિવાદ વધી ગયો હતો. હવે તેને ઉકેલવા માટે બન્ને દેશના ફિલ્ડ કમાન્ડરોની બેઠક છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણેઆ બેઠક દરમિયાન બેગ ઓલ્ડી સેક્ટરમાં યોજાઈ હતી. તેમા ભારતના 81 બ્રિગેડ અધિકારી અને ચીનના સમકક્ષોએ ભાગ લીધો હતો. નિર્માણ કાર્યોને લઈ ગાલવન નદી ક્ષેત્રમાં બન્ને પક્ષ વચ્ચે ગત સપ્તાહ તણાવ ચાલી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઈલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/3edZCs8

Friday, May 22, 2020

Brazil jumps to world No 2 in coronavirus cases, behind US

Brazil jumps to world No 2 in coronavirus cases, behind US

from India Today | Top Stories https://ift.tt/2WTCaL5

Donated plasma benefits coronavirus patients in small US study

Donated plasma benefits coronavirus patients in small US study

from India Today | Top Stories https://ift.tt/36nsR9n

China reports no new coronavirus cases for first time since pandemic began

China reports no new coronavirus cases for first time since pandemic began

from India Today | Top Stories https://ift.tt/2LRTlGz

Oxford coronavirus vaccine: Phase II and III human trials announced

Oxford coronavirus vaccine: Phase II and III human trials announced

from India Today | Top Stories https://ift.tt/3cZahH1

TOI Daily: RBI slashes key rate 40 basis pts to new all-time low

TOI Daily: RBI slashes key rate 40 basis pts to new all-time low




from News - Videos - The Times of India https://ift.tt/2LOH6dX

This Indian co could lead world to a vaccine

Serum Institute, the world's largest manufacturer of vaccines by volume, is working on several candidates for the novel coronavirus - including potentially mass-producing the AstraZeneca/Oxford university one that has garnered global headlines - as well as developing its own.

from Times of India https://ift.tt/3cZMKpA

Covid: Economist warns of 10 yrs of depression

Economist Nouriel Roubini has warned of a prolonged downturn and sluggish recovery from the coronavirus. Nicknamed Dr Doom for his gloomy predictions, Professor Roubini said there are some jobs that simply will not come back after this crisis, the BBC reported on Friday.

from Times of India https://ift.tt/36n1ufq

Symbiosis Distance Learning sees exponential growth

There are over 1.5 billion students across the world affected by the lockdown. While conventional institutions are grappling with the challenge of continuing...

from Times of India https://ift.tt/3efXS1P

છેલ્લા 23 દિવસમાં રાજ્યમાં 300થી અને અમદાવાદમાં 250થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં 19 માર્ચના રોજ પ્રથમ કોરોના પૉઝિટીવ કેસ નોંધાયાના 64 દિવસમાં કુલ કેસોનો આંકડો 13 હજારને પાર અને મોતનો આંકડો 800ને પાર થયો છે. જ્યારે છેલ્લા 23 દિવસથી રાજ્યમાં 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. શુક્રવારે રાજ્યમાં 363 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 13268 થઈ છે જ્યારે વધુ 29 મોત સાથે કુલ મોતનો આંકડો 802 થયો છે.
63 દર્દી વેન્ટીલેટર પર અને 5,880 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, 5,880 ડિસ્ચાર્જ અને 802ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ 1,72, 652 ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 13,273ના રિપોર્ટ પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4મે 376 (259)
5મે 441(349)
6મે 380 (291)
7મે 388 (275)
8મે 390 (269)
9મે 394(280)
10મે 398 (278)
11મે 347 (268)
12મે 362 (267)
13મે 364 (292)
14મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)

ક્યાં કેટલા નવા કેસ
અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3,આણંદ-મહેસાણામાં 2-2 અને રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

કુલ 13,273દર્દી, 802ના મોત અને 5880 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર

પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 9724 645 3658
સુરત 1256 57 850
વડોદરા 771 35 475
ગાંધીનગર 201 10 104
ભાવનગર 114 8 86
બનાસકાંઠા 99 4 78
આણંદ 87 9 75
અરવલ્લી 93 3 76
રાજકોટ 83 2 55
મહેસાણા 95 4 51
પંચમહાલ 72 6 61
બોટાદ 56 1 54
મહીસાગર 77 1 40
પાટણ 69 4 26
ખેડા 57 3 28
સાબરકાંઠા 63 3 20
જામનગર 46 2 26
ભરૂચ 37 3 28
કચ્છ 64 1 6
દાહોદ 32 0 18
ગીર-સોમનાથ 38 0 3
છોટાઉદેપુર 22 0 17
વલસાડ 18 1 4
નર્મદા 15 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 4
જૂનાગઢ 18 0 4
નવસારી 14 0 8
પોરબંદર 5 0 3
સુરેન્દ્રનગર 16 0 3
મોરબી 2 0 2
તાપી 3 0 2
ડાંગ 2 0 2
અમરેલી 2 0 0
અન્ય રાજ્ય 5 0 0
કુલ 13,273 802 5880


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE. In the last 23 days, more than 300 positive cases were reported in the state


from Divya Bhaskar https://ift.tt/2zYyxKW

Witnessing Cyclone Amphan: It was exciting at first, then the lights went out and the monster took over

Witnessing Cyclone Amphan: It was exciting at first, then the lights went out and the monster took over

from India Today | Top Stories https://ift.tt/3efYXq3

Rare black panther spotted in Chhattisgarh’s Achanakmar Tiger Reserve

Rare black panther spotted in Chhattisgarh’s Achanakmar Tiger Reserve




from News - Videos - The Times of India https://ift.tt/2AOWrZv

India is a global coronavirus hotspot for days. Is Covid-19 peaking now?

India is a global coronavirus hotspot for days. Is Covid-19 peaking now?

from India Today | Top Stories https://ift.tt/3geZGtE

At least 82 dead as Pakistan plane crashes into crowded Karachi colony | 10 points

At least 82 dead as Pakistan plane crashes into crowded Karachi colony | 10 points

from India Today | Top Stories https://ift.tt/2zdUcif

હવે કોરોનાની રસીની ટ્રાયલ માટે ઓક્સફર્ડ બાળકોની ભરતી કરશે, બ્રિટનમાંથી 10 હજારથી વધુ લોકો પસંદ કરવામાં આવશે

ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોનાની રસી ટ્રાયલના આગામી તબક્કામાં પહોંચી ગઇ છે. યુનિ.એ જણાવ્યું કે રસી પર કામ કરી રહેલા રિસર્ચર્સ આગામી તબક્કાના ટેસ્ટ માટે બાળકો અને પુખ્તોની ભરતી કરી રહ્યા છે. તે માટે હવે સમગ્ર બ્રિટનમાંથી 10,260 લોકોની પસંદગી કરાશે. એપ્રિલમાં શરૂ થયેલી હ્યુમન ટ્રાયલમાં 1,000 લોકોને લેવાયા હતા. પ્રથમ તબક્કો પૂરો થઇ ગયો છે અને તેના પરિણામોનો અભ્યાસ ચાલી રહ્યો છે. રસી પર હવે બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ થશે. બીજા તબક્કામાં 5થી 12 વર્ષના બાળકો, 56થી 69 વર્ષના તથા 70 વર્ષથી મોટા વૃદ્ધોને સામેલ કરાશે. વિવિધ વયજૂથમાં રસીની રોગ પ્રતિકારક શક્તિના વિકાસનો અભ્યાસ કરાશે. ત્રીજા તબક્કામાં જોવામાં આવશે કે 18 વર્ષથી વધુ ઉંમરના ઘણા બધા યુવાનોના જૂથમાં રસી કેટલી કારગત નીવડે છે?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3gika4z

ઝૂમ એપ પર પ્રતિબંધની માગ અંગે સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ આપી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો

વીડિયો કોન્ફરન્સિંગ માટે ઉપયોગમાં લેવાતી ઝૂમ એપ પર પ્રતિબંધની દાદ માગતી અરજી અંગે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને ચાર અઠવાડિયામાં જવાબ માગ્યો છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ ઋષિકેશ રાયની બેન્ચે ઝૂમ એપ પાસેથી પણ જવાબ માગ્યો છે. દિલ્હીના હર્ષ ચુઘની અરજીમાં જણાવાયું છે કે ઝૂમ એપ તેના લાખો યુઝર્સના પર્સનલ ડેટાનો દુરુપયોગ કરીને તેમના પ્રાઇવસીના અધિકારનું હનન કરી રહી છે.
આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો
અરજદારનું કહેવું હતું કે આ એપથી રાષ્ટ્રીય સુરક્ષાને પણ મોટો ખતરો છે, કેમ કે ઘણી સરકારી કચેરીઓમાં પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે કે તે આ એપનો ટેક્નિકલ અભ્યાસ કરે અને ડેટા સિક્યુરિટી માટેનો કાયદો ઘડે. કાયદો ન બને ત્યાં સુધી દેશમાં આ એપના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2XnENDL

‘મે આઇ હેલ્પ યુ?’ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નવતર પ્રયાસ

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં પ્રવેશ દ્વારની બહાર એક ટેબલ ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં ઇન્ટરકોમ ફોન મૂક્યો છે. અરજદારે અંદર જવાને બદલે ઇન્ટરકોમથી પોતાની રજૂઆત પોલીસ સ્ટેશન ઓફિસરને કરવાની રહેછે. આ પ્રયોગ ને કારણે બિનજરૂરી લોકોને અંદર જવાની જરૂર રહેતી નથી. દરેક અરજદારનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઇન્ટરકોમથી પોતાની રજૂઆત કરતો યુવક


from Divya Bhaskar https://ift.tt/2ZtQ8Fe

ડ્યૂટીમાં તહેનાત પોલીસકર્મીને હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપવામાં આવશે, આ દવાના સેવનથી સંક્રમણ ઓછું થાય છે

દેશમાં હવે કોરોના ડ્યુટીમાં તહેનાત પોલીસકર્મીઓ તથા અર્ધલશ્કરી દળોને પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા અપાશે. કન્ટેઇનમેન્ટ ઝોન તથા વિવિધ સ્થળે ફ્રન્ટલાઇન પર કામ કરતા કર્મચારીઓને પણ આ દવા અપાશે. જે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ નથી ત્યાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓએ પણ આ દવા લેવી પડશે. આઇસીએમઆર, સ્વાસ્થ્ય મંત્રાલય, એઇમ્સ તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સહિત કેટલાક સંસ્થાનોના પ્રારંભિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઇડ્રોક્સિક્લોરોક્વિનના સેવનથી સંક્રમણનું જોખમ ઓછું થયું છે.
કુલ 1,323 લોકોને આ દવા આપવામાં આવી
જોકે, તેની અમુક આડઅસરો પણ થઇ છે પરંતુ તે વધુ ગંભીર નથી. એવામાં જોઇન્ટ મોનિટરિંગ ગ્રુપ તથા નેશનલ ટાસ્ક ફોર્સએ આ દવા કોની આપવાની છે તેનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું છે. દિલ્હીની 3 સરકારી હોસ્પિટલમાં આ દવા પર અભ્યાસ કરાયો હતો. કુલ 1,323 લોકોને આ દવા આપીને આડઅસરો જોવામાં આવી. 214 લોકોમાં સામાન્ય આડઅસરો જોવા મળી. અમુક લોકોને પેટનો દુખાવો, ઉબકાં-ઉલટી તો કોઇને હાર્ટ સંબંધી તકલીફ થઇ. 7-8 લોકોને ગંભીર તકલીફો થઇ. આ વખતે દવા લેનારને વિશેષ તકેદારી રાખવા અને નિયમિતપણે ઇસીજી કરાવવા સલાહ અપાઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2XgS1SU

વડાપ્રધાને પ. બંગાળ સહિત ઓડિશાનું હવાઇ નિરીક્ષણ કર્યું, બંગાળને 1000 અને ઓડિશાને 500 કરોડનું રાહત પેકેજ આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના લોકડાઉન બાદ લગભગ 80 દિવસે દિલ્હીની બહાર નીકળ્યા. તેમણે અમ્ફાન વાવાઝોડાથી તબાહ થયેલા પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓનું હવાઇ નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ તેમણે બંગાળને એક હજાર કરોડ રૂ. અને ઓડિશાને 500 કરોડ રૂ.નું રાહત પેકેજ જાહેર કર્યું. તેમની આ જાહેરાતથી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ છે. તેમણે કહ્યું કે અમ્ફાનથી બંગાળને એક લાખ કરોડનું નુકસાન થયું છે, જેની સામે માત્ર એક હજાર કરોડનું પેકેજ અપાઇ રહ્યું છે. આ અગાઉ મોદી અને મમતાએ એક જ વિમાનમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું.

હવાઇ નિરીક્ષણ કરી રહેલા વડાપ્રધાન મોદી

આખો દેશ બંગાળની સાથે

મોદીએ કહ્યું, ગયા વર્ષે મે મહિનામાં લોકસભા ચૂંટણીની વ્યસ્તતા વધારે હતી. ત્યારે ઓરિસ્સામાં ચક્રવાતી વાવાઝોડાથી થયેલા નુકસાનનું ભરપાઈ કરવામાં વ્યસ્ત હતો. એક્ઝેટ એક વર્ષ પછી આવેલા ચક્રવાતી વાવાઝોડાથી દરિયા કિનારાના વિસ્તારો ઘણાં પ્રભાવિત થયા છે. ખૂબ ઝડપથી એક ટીમ મોકલવામાં આવશે જે અમ્ફાનથી થયેલા નુકસાનનો રિપોર્ટ બનાવશે. લોકોના પુર્નવાસ અને પુનનિર્માણ સાથે સંબંધિત દરેક મુદ્દા વિશે વિચાર કરશે.
7 લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા
વાવાઝોડામાં અંદાજ કરતા વધારે નુકસાન થયું હોવાથી એનડીઆરએફની વધારે ચાર ટીમ કોલકાતા રવાના કરવામાં આવી છે. બંગાળમાં પહેલેથી 41 ટીમ છે. તે સિવાય સેના, નેવી અને વાયુસેનાની ટીમ પણ રેસ્ક્યુમાં જોડાઈ છે. બીજી બાજુ બંગાળ અને ઓરિસ્સામાં પહેલેથી જ 7 લાખ લોકોને સુરક્ષીત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. બંગાળમાં 5 લાખ લોકોને તટીય વિસ્તારમાંથી હટાવવામાં આવ્યા છે. બંગાળમાં કોલકાતા, હાવડા, હુગલી સહિત 7 જિલ્લા ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
મમતા બેનરજીએ કહ્યું- રાજ્યને 1 લાખ કરોડનું નુકસાન

  • મમતા બેનરજીએ ગુરુવારે વડાપ્રધાન મોદીને પશ્ચિમ બંગાળ આવીને અહીંના નુકસાનને જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત થયા છે. મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે.
  • મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે. કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના થાંભળાઓ સહિત ટેલિફોન અને ઈન્ટનેટ લાઈનોને પણ નુકસાન થયું છે. 1200થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પીએમ મોદીની જાહેરાત પર મમતા ભડક્યાં, કહ્યું - નુકસાન 1 લાખ કરોડનું, મળ્યા 1 હજાર કરોડ


from Divya Bhaskar https://ift.tt/3cX7sGn

45 દેશના 6.31 કરોડ શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના ઓનલાઇન દર્શન સહિત પૂજા-અર્ચના કરી

લૉકડાઉનમાં વિખ્યાત સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું તેથી ઑનલાઇન દર્શન કરનારાઓની સંખ્યા અનેક ગણી વધી છે. જે લોકો સોમનાથ પ્રત્યક્ષ દર્શને નથી આવી શકતા તેઓ પણ લૉકડાઉનમાં ઘેર બેઠાં પોતપોતાના મોબાઇલ પર સોમનાથ દાદાના ઓનલાઇન દર્શનનો લાભ લઇ રહ્યા છે. ગત 19 માર્ચ 2020થી સોમનાથ મંદિરમાં તમામ યાત્રિકોનો પ્રવેશ બંધ થયા પછી લાખો ભાવિકોને સોમનાથ દાદાના દર્શન માટે મોબાઇલ પર સોશિયલ મીડિયામાં થતા ઓનલાઇન દર્શનનો આશરો લેવો પડ્યો છે. આથી સ્વાભાવિકપણેજ જેમની સવાર સોમનાથ દાદાની ઓનલાઇન આરતીથી થતી હતી એવા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. લૉકડાઉનના સમયનો આ રીતે સદુપયોગ કરતા લોકોની સંખ્યા ઘણી વધી છે. દર મહિને નિયમીત સોમનાથ આવતા ભાવિકો પણ દાદાની પૂજાથી વંચિત ન રહે એ માટે સોમનાથ ટ્રસ્ટે ઓનલાઇન ઇ-પૂજા શરૂ કરાવી છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે.

અનેક લોકોએ ઇ-પૂજા કરી
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, જૂનાગઢના સાધુ-સંતો, ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા, સહિતની હસ્તીઓએ ઇ-પુજા કરી છે. તા. 19 માર્ચ 2020થી લઇને 63 દિવસમાં આખી દુનિયાના 45 દેશોમાંથી મહાદેવના 6.31 કરોડથી વધુ ભાવિકોએ ઓનલાઇન દર્શન કર્યાનું સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું છે. ઓનલાઇન દર્શન કરનારાઓમાં સૌથી વધુ સંખ્યા ટ્વિટર પર નોંધાઇ છે. જ્યારે સોથી ઓછી સંખ્યા વોટ્સએપની છે.

કયા પ્લેટફોર્મ પર કેટલા લોકોએ દર્શન કર્યાં
ફેસબુક - 33091529
હેલ્લો એપ - 16237777
ટ્વિટર - 7644943
ઇન્સ્ટાગ્રામ - 5690357
ઈમેઇલ - 481112
વોટ્સએપ - 7140
કુલ - 6,31,52,858



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સોમનાથ જ્યોતિર્લિંગ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2A24LVD

15 જોડી ટ્રેનમાં 30 પહેલાં એડવાન્સ બુકિંગ થશે, સ્પેશિયલ ટ્રેનો માટે 24 કલાકમાં 12 લાખ ટિકિટ બુક થઈ

1 જૂનથી ચાલનારી 200 સ્પેશિયલ ટ્રેનો માટે રેલવેએ 24 કલાકની અંદર 12.5 લાખ યાત્રીઓ માટે 5.7 લાખ ટિકિટ બુક કરાવી છે. ટ્રેનો માટે ઓનલાઇન બુકિંગ ગુરુવારે સવારથી શરૂ થઈ હતી. શુક્રવારથી પીઆરએસ, પોસ્ટ ઓફિસ અને આઈઆરસીટીસી એજન્ટોના માધ્યમથી પણ બુકિંગ શરૂ થઈ. અનેક જગ્યાએ રેલવે સ્ટેશનો ઉપર પણ બુકિંગ કાઉન્ટર ખૂલ્યા હતા. આ દરમિયાન રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીથી મોટા શહેરો માટે ચાલતી 15 જોડી એસી ટ્રેનોમાં પણ 30 પહેલાં સુધી એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ટ્રેનોમાં હવે વેઈટિંગ અને આરએસીની સુવિધા પણ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2Zuu6Sw

7 states/UTs to remain shut if WHO advisory is followed

At least seven states and Union Territories — Maharashtra, Gujarat, Delhi, Telangana, Chandigarh, Tamil Nadu and Bihar — would remain under lockdown with an increase in confirmed coronavirus cases in the last two weeks if a WHO advisory that says restrictions should not be lifted if the positive rate is more than 5% is followed.

from Times of India https://ift.tt/2ZsjS59

19-year-old bride walks 80km to groom’s place, gets married

The novel coronavirus may have postponed thousands of weddings across the country, but it has failed to deter a 19-year-old girl to walk 80km to reach the groom’s place to exchange vows. The girl, Goldy, from Mangalpur in Kanpur Dehat, decided to defy her parents when they put off her marriage with Virendra Kumar Rathore, 23, from Baisapur village in Kannauj for a second time after the extension of lockdown.

from Times of India https://ift.tt/3gdiwkM

UK court orders Anil Ambani to pay $717 million to Chinese banks

UK court orders Anil Ambani to pay $717 million to Chinese banks

from India Today | Top Stories https://ift.tt/2LOfSEh

Thursday, May 21, 2020

Cyclone Amphan Live Updates: PM Modi in Bengal, Odisha today after storm leaves 72 dead, thousands homeless

Cyclone Amphan LIVE: PM Modi in WB, Odisha today as storm leaves 72 dead, several homeless

from India Today | Top Stories https://ift.tt/3gcpOFC

New Zealand discussing 'helicopter money' handouts to stimulate economy

New Zealand discussing 'helicopter money' handouts to stimulate economy

from India Today | Top Stories https://ift.tt/2TwUyYa