
from India Today | Top Stories https://ift.tt/3aORLQF
રાજ્યમાં લોકડાઉનનો પોલીસ ખૂબ જ કડકાઇથી અમલ કરાવી રહી છે. ઘરની બહાર ફરતા લોકો પર નજર રાખવા પોલીસ ડ્રોનની મદદ લઈ રહી છે. સોશિયલ મીડિયામાં ડ્રોનનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ધાબા પર કેટલાક લોકો ટોળું વળી અને પત્તા રમતા હતા. ડ્રોન જોઈ તમામ લોકો ભાગવા લાગ્યા હતા. આ વીડિયોમાં એક વિકલાંગ વ્યક્તિ પણ જોવા મળે છે. ધાબા પર જુગાર રમતા ડ્રોન જોઈ ભાગતા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે અનેં અમદાવાદના ઓઢવ વિસ્તારનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કે તપાસ કરવાં આવી નથી.
આજે મહાવીર જયંતિ છે. જયંતી મનાવવી અને તેના સિદ્ધાંતો માનવામાં ઘણો ફર્ક છે. આપણે જયંતિ મનાવીએ કે ના મનાવીએ, પરંતુ સિદ્ધાંતો જરૂર અપનાવવા જોઈએ. જેમણે આ અપનાવ્યા, તેમના જીવનમાં ઉતાર-ચઢાવ તો આવ્યા, પરંતુ તેઓ વિચલિત ના થયા. તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા સિદ્ધાંત છે. આજે કોરોના વાઈરસ ફેલાયો છે. આ સિદ્ધાંત તેની સામે લડવા ઉપયોગી છે.
તામસિક ભોજનથી કોરોના ફેલાયો, શાકાહારથી બચાય
અહિંસા: અહિંસાને માનનારા જેટલા પણ લોકો કે દેશ છે, તેઓ આજે જે સ્થિતિમાં છે તેનાથી સંતુષ્ટ છે. કોરોનાનું કારણ જીવ હત્યા અને તામસિક ભોજન છે. ચીનમાં તો લોકો પશુ-પક્ષીઓ જ નહીં, જંગલી જીવજંતુઓ પણ મારીને ખાય છે. આ જ કારણે આ બિમારી ચીનમાંથી ફેલાઈ. માંસાહારનો ત્યાગ કરીને આવી બિમારીથી બચી શકાય છે.
બિમારીનું સત્ય જણાવીને તમે બધાને બચાવી શકો
સત્ય: સત્યના માર્ગે જીવન જીવનારા સંત હોય છે. આજે જૂઠની બોલબાલા છે. સત્ય- અહિંસા સાથે આપણે એટલો જ સંબંધ છે- દીવાલો પર લખી નાંખીએ છીએ કે અને દીવાળી પર ઘર ધોળાવી દઈએ છીએ. આપણને બિમારી થાય, તો આપણે આ સત્ય જણાવવું જોઈએ. તેનાથી પરિવાર કે બીજાને બિમારીથી બચી શકાય છે. સત્ય જણાવવું જોઈએ, છુપાવવું ના જોઈએ.
ઘરમાં પરમાત્માનું ધ્યાન ધરી બિમારીથી બચી શકાય છે
બ્રહ્મચર્ય: બ્રહ્મચર્ય એટલે આત્મામાં, સ્વભાવમાં લીન થવું. જ્યારે વ્યક્તિ બહાર જાય છે, તો દુનિયા તેને અશાંત કરે છે. તેનાથી ઊલટું આપણે આત્મા તરફ જઈએ છીએ, ત્યારે તેને બ્રહ્મ દેખાય છે. જે શાંતિ આપે છે. આજના સમયમાં સૌથી સારું સાધન છે, પરમાત્માનું ધ્યાન અને તેનું સ્મરણ કરવું. જો આવું કરીએ તો કોરોના મહામારીથી બચી શકાય છે.
બીજાની ઉન્નતિ પર નિયત બગાડવી, એ પણ ચોરી જ છે
અચૌર્ય: અચૌર્ય એટલે કે ચોરી ના કરવી. ના મનથી, ના વચનથી. કોઈ પણ પડી ગયેલી, ભૂલી જવાયેલી વસ્તુ ઉઠાવવી પણ ચોરી છે. નિયત ખરાબ કરવી એ પણ ચોરી છે. આજે અનેક લોકો અને દેશો પણ બીજાનો વિકાસ નથી જોઈ શકતા. તેમને પાછળ કરવા બિમારી પણ ફેલાવી રહ્યા છે. કહેવાય છે કે, ચીને પોતાનું પ્રભુત્વ જમાવવા માટે આ વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.
દાન કરીને આ બીમારીમાંથી બહાર આવી શકીએ છીએ
અપરિગ્રહ: અપરિગ્રહ એટલે કે ચીજવસ્તુ ભેગી નથી કરવાની. આપણે જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવાનો છે. અપરિગ્રહનું પાલન નહીં કરવાથી જ દુનિયામાં યુદ્ધો થાય છે. જમીન, ધન વગેરે માટે વ્યક્તિહ હિંસક બની જાય છે. જે કંઈ આપણે ભેગું એટલે કે પરિગ્રહ કર્યું છે, તે જરૂરિયાતમંદોને દાન આપવાથી મહામારીમાંથી બહાર આવી શકાય છે.
(ઈન્દોરમાં સુનીલ ભૈયાજી સાથેની વાતચીતના આધારે)
પીએમ મોદીએ 5 એપ્રિલ એટલે આજે રાતે 9 વાગે ઘરની બહાર અથવા બાલકનીમાં દીવો પ્રગટાવવાનો આગ્રહ કર્યો છે. આજે જે તિથિ અને યોગ બની રહ્યો છે, તેમાં ઘરના ઊમરે દીવો પ્રગટાવવાની પરંપરા તો છે જ. રવિવારે દિવસે મદન બારસ અને રાતે 9 વાગ્યા પહેલાં તેરસ તિથિ શરૂ થઇ જશે. બંને તિથિઓમાં સનાતન પરંપરામાં ઘરના ઊમરે અથવા ફળિયામાં દીવો પ્રગટાવવાનો નિયમ ઉલ્લેખવામાં આવ્યો છે. મોદીના દીવો પ્રગટાવવાની અપીલને થોડાં લોકો વિજ્ઞાન સાથે, તો થોડાં મનોવિજ્ઞાન સાથે જોડી રહ્યા છે. પદ્મશ્રી ડો. કે.કે. અગ્રવાલે આ બાબતને યોગ વસિષ્ઠ ગ્રંથના સામૂહિક ચેતનાના સિદ્ધાંત પર આધારિત જણાવ્યું છે.
ડો. અગ્રવાલે યોગ વશિષ્ઠ ગ્રંથમાં જણાવેલ સામૂહિક ચેતનાના સિદ્ધાંતને સમજાવતાં કહ્યું કે, 1 ટકા લોકો જેવું વિચારે છે તેવું જ 99 ટકા લોકો વિચારશે. એટલે, એકસાથે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાથી લોકોમાં એન્ઝાઇટી અને ડિપ્રેશન દૂર થઇ શકે છે. સાથે જ, ઉત્સાહ વધશે અને બિમારીઓ સામે લડવાની તાકાત પણ મળશે. ડો. અગ્રવાલે જણાવ્યું કે, વેદ પ્રમાણે જો પવિત્ર વિચારો સાથે સાફ મનથી સામૂહિક રૂપથી વિશેષ પ્રાર્થના કરવામાં આવે તો તેનો પોઝિટિવ પ્રભાવ મળે છે. કાશીના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા અને જયપુરના અંક જ્યોતિષી ડો. કુમાર ગણેશે પણ આ બાબતને મહત્ત્વપૂર્ણ જણાવી છે.
5 એપ્રિલે ગ્રહ-નક્ષત્રોનો વિશેષ સંયોગઃ-
જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે, રવિવાર રાતે 9 વાગે તેરસ તિથિ રહેશે. તેને વિજયા તિથિ કહેવામાં આવે છે. આ તિથિમાં કોઇપણ ખાસ કામના સાથે કરેલાં કામ પૂર્ણ થાય છે અને તેમાં વિજય પ્રાપ્ત થાય છે. આ દિવસે ગંડ નામનો યોગ બની રહ્યો છે. આ સમયે કૌલવ નામનું કરણ રહેશે. આ અશુભ યોગના પ્રભાવથી કોઇ બિમારીનો ઉપચાર કરવાથી તેની ગતિ અટકી જાય છે.
પં. મિશ્રાએ જણાવ્યું કે, સારાવલી ગ્રંથ પ્રમાણે રાતે 9 વાગ્યાની કુંડળીમાં ચંદ્ર અને બુધથી જાપ ધ્યાન સમાધિ યોગ બની રહ્યો છે. તે સમયે તુલા લગ્નની કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિથી આરોગ્ય યોગ બની રહ્યો છે. આ યોગમાં વિશેષ કામના સાથે કરેલાં કાર્યોથી લાંબી ઉંમર, સંપત્તિ અને રાજનૈતિક શક્તિઓનું સુખ મળે છે. તેરસ તિથિ દરમિયાન સાંજે અથવા રાતે ઘરના ઊમરે દીવો પ્રગટાવવાથી યમરાજ તે ઘરમાં રહેતાં લોકોના કષ્ટ દૂર કરે છે.
સ્કંધ પુરાણના એક શ્લોક પ્રમાણે-
मृत्युना दंडपाशाभ्याम कालेन श्यामाहा सहा।
त्रयोदश्यां दीपदानात सूर्यज: प्रयतां मम ।।
એટલે - તેરસ તિથિમાં દીવો પ્રગટાવ્યા બાદ યમરાજને પ્રણામ કરવા જોઇએ. આવું કરવાતી યમ પ્રસન્ન થાય છે અને કષ્ટ દૂર કરે છે.
અંક જ્યોતિષઃ સામૂહિક ચેતના અને બુદ્ધિથી વિજય દિવસઃ-
અંક જ્યોતિષી ડો. કુમાર ગણેશ પ્રમાણે રવિવાર 5 એપ્રિલે અંકોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. ડો. કુમાર ગણેશે જણાવ્યું કે, 5 અંક બુધનો કારક છે. આજની તારીખ 5-4-2020 ને જોડવાથી 13 આવે છે. આ અંકમાં સૂર્ય અને બૃહસ્પતિ બંનેનો પ્રભાવ છે. જ્યાં સૂર્ય દેશના રાજાનો કારક છે ત્યાં જ બૃહસ્પતિ ચેતના અને બુદ્ધિને પ્રભાવિત કરે છે. એટલે આ દિવસે દેશના રાજાના આગ્રહ પર સામૂહિક ચેતના અને બુદ્ધિના પ્રયોગ સાથે દીવો અને અન્ય વસ્તુઓના ઉપયોગથી પ્રકાશ કરવો શુભ મનાશે. અંક જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યાસ્ત બાદ રાહુ હાવી થઇ જાય છે. આ દરમિયાન રાહુની અશુભ અસરથી બચવા માટે સૂર્યનો પ્રભાવ વધારવો જોઇએ એટલે પ્રકાશ કરવો શુભ મનાય છે.
ડો. ગણેશ દિવસની તારીખ એટલે 5 વિશે જણાવે છે કે, આ અંક બુધનો કારક છે. બુધના શુભ પ્રભાવથી 5 દિવસ બાદ એટલે 10 એપ્રિલે દેશના અનેક ભાગમાં આ બિમારીથી રાહત મળવાની સંભાવના છે. ત્યાં જ, 14 દિવસ બાદ એટલે 19 એપ્રિલથી દેશ વધુ સારી સ્થિતિમાં આવી જશે. ત્યાર બાદ 5 એપ્રિલથી 23 દિવસ બાદ એટલે 28 એપ્રિલથી દેશમાં આ બિમારીનો પ્રભાવ ખૂબ જ ઓછો થઇ જશે.
અંક 13 ને જોડવાથી 4 આવે છે. જે રાહુનો અંક છે. મહિનાનો અંક પણ 4 છે. આ સિવાય 21 માર્ચથી 20 એપ્રિલ સુધી ચલિત અંક 9 એટલે મંગળનો અંક રહેશે. અંક જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યાસ્ત બાદ રાહુ હાવી થઇ જાય છે. આ દરમિયાન રાહુની અશુભ અસરથી બચવા માટે સૂર્યનો પ્રભાવ વધારવો જોઇએ એટલે પ્રકાશ કરવો શુભ માનવામાં આવે છે. મંગળ અગ્નિ અને પ્રકાશનો પણ કારક ગ્રહ છે. રવિવારે 3 વિશેષ ગ્રહોનો પ્રભાવ દેશને 5 દિવસ બાદ એટલે 10 એપ્રિલથી રાહત મળી શકે છે. 14 દિવસ બાદ એટલે 19 એપ્રિલથી વધારે સારી સ્થિતિ બનશે. 23 દિવસ બાદ એટલે 28 એપ્રિલ પછી વધુ સારી સ્થિતિ જોવા મળશે.