Ad

Sunday, July 5, 2020

વૃંદાવનનાં ‘બુઆજી’ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરે છે તથા તેમને મુખાગ્નિ પણ આપે છે

વૃંદાવનમાં ‘બુઆજી’ તરીકે મશહૂર 55 વર્ષીય ડૉ. લક્ષ્મી ગૌતમ વર્ષ 2012થી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે. શબને અગ્નિદાહ પણ પોતે જ આપે છે. કોઇની પાસેથી નાણાકીય મદદ પણ નથી લેતા. શરુમાં માત્ર મહિલાઓના અંતિમ સંસ્કાર કરતા ‘બુઆજી’ 2 વર્ષથી પુરુષોના અંતિમ સંસ્કાર પણ કરે છે. 8 વર્ષમાં તેઓ અંદાજે 300 મૃતકોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે.

વૃંદાવનની એસઓપી કોલેજમાં ઇતિહાસના એસોસિયેટ પ્રોફેસર રહેલાં ડૉ. લક્ષ્મી જણાવે છે કે, ‘2011-12માં સુપ્રીમકોર્ટે વૃંદાવનમાં રહેતી નિરાશ્રિત મહિલાઓનો સરવે કરાવવાનું નક્કી કર્યું. તે સરવેમાં સામે આવ્યું કે નિરાશ્રિત મહિલાઓના અંતિમ સંસ્કાર બરાબર રીતે નથી કરાતા. તેનાથી મને બહુ જ દુ:ખ થયું. આ દરમિયાન વૃંદાવનમાં રાધા નામની એક નિરાશ્રિત મહિલાનું શબ ચૂબતરા પર રખાયેલું મળ્યું. તેનું મોત સવારે થયું હતું પણ સાંજ સુધી કોઇએ તેને હાથ પણ ન લગાડ્યો. મેં તેના અંતિમ સંસ્કાર કર્યા અને તે દિવસથી જ મેં નિરાશ્રિત મહિલાઓના અંતિમ સંસ્કાર કરવાનું બીડું ઝડપી લીધું. ત્યારથી આજ સુધી એ જ કરી રહી છું.

ડૉ. લક્ષ્મીએ કહ્યું કે, મેં સવારે 8 વાગ્યે અને રાત્રે 11 વાગ્યે પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરેલા છે. હું આ કામ સાથે જોડાઇ તો પરિવારજનો મનથી સાથ નહોતા આપતા પણ હવે મારા બે દીકરા અને એક દીકરી મને સપોર્ટ કરે છે. પૈસાની મદદ પણ કરે છે.’ તેમણે કનક ધારા ફાઉન્ડેશન પણ બનાવ્યું છે. આ અસાધારણ સેવાકાર્ય માટે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ વર્ષ 2015 અને 2016માં એમ બે વખત તેમને સન્માનિત પણ કર્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vrindavan's 'Buaji' preformed last rites of unclaimed bodies


from Divya Bhaskar https://ift.tt/3f3qg82

No comments:

Post a Comment