
જમ્મુ-કાશ્મીરની ધાર્મિક સંસ્થાઓમાં થતા ફન્ડિંગને અત્યાર સુધી શંકાની નજરે જોવામાં આવતા હતા પરંતુ આતંકવાદ શરૂ થવા પહેલાથી આ સંસ્થાઓમાં બીમારોની સારવાર માટે આર્થિક મદદ કરવાની પરંપરા ચાલી આવે છે. ખીણના 900થી વધુ ગામમાં બીમારો માટે પૈસા ઉઘરાવવામાં આવે છે. અહીં ડેથ કમિટી પણ બની છે. તેઓ જેમના ઘરે મૃત્યુ થયું હોય તે ઘરનો 4 દિવસ સુધીનો સંપૂર્ણ ખર્ચ ઉપાડે છે. આ પવિત્ર કામમાં સ્થાનિક પોલીસ પણ લોકોને મદદ કરે છે.
જોકુ ખારિયાન ગામના ભૂતપૂર્વ સરપંચ અને મૌલ્વી મોહમ્મદ મકબૂલે કહ્યું કે બીમારની મદદ માટે કુરાને શરીફ અને મુસ્લિમ શરીફમાં જણાવાયું છે. આથી અમારે ત્યાં પહેલાં આ કામ મસ્જિદ દ્વારા થતું હતું. વ્યક્તિ કમાણીનો થોડો હિસ્સો દર શુક્રવારે જરૂર આપી જતો હતો પરંતુ આતંકવાદ વચ્ચે કેટલીક મસ્જિદોમાં આ પ્રકારના ધન સંગ્રહ પર વહીવટી તંત્રએ કાર્યવાહી કરી એટલે લોકોએ પોતે મદદ કરવાની શરૂ કરી અને પરંપરાને આગળ વધારી. આજે પણ બધા ગામમાં આ ચલણ છે.
બડગામ એસપી અમોદ અશોક નાગપુરે કહે છે કે બીમારના ઇલાજ માટે પૈસા ભેગા કરવાની પરંપરા અહીં પ્રાચીન છે. મસ્જિદ અને ઔકાફ કમિટીના લોકો મદદ કરે છે. ડેથ કમિટી પણ સારું કામ કરી રહી છે. મૃતકના કફન-દફનથી લઈ પરિવારના ખાવા-પીવાનો ખર્ચ પણ આ કમિટી ઉઠાવે છે. સરપંચ કે કોઈ અન્યની માહિતી પરથી અમે એમ્યુલન્સ સહિત અન્ય વ્યવસ્થા પણ કરીએ છીએ.
સાહિત્યકાર જરીફ અહમદ જરીફ કહે છે કે 5 દાયકામાં મદદનો આ સિલસિલો પેઢી-દર પેઢી ચાલ્યો આવે છે. હવે ગામના સરપંચ કે વૃદ્ધ વ્યક્તિ દ્વારા બીમાર વ્યક્તિના પરિવાર મદદ માંગે છે અને બાકી લોકો સારવાર માટે આર્થિક સહયોગ કરે છે. મદદની આ પરંપરા હવે શહેરો સુધી પહોંચી છે પરંતુ તેનું સ્વરૂપ બદલાયું છે. શહેરના મોહલ્લામાં નાની-નાની કમિટી બની છે. તેમાં મોહલ્લાના લોકો જ જરૂરિયાતમંદની મદદ કરે છે. લૉકડાઉનમાં તો આવી કમિટી ચાર ગણી વધી ગઈ હતી. શ્રીનગરમાં જ તેની સંખ્યા 50થી વધુ થઈ ગઈ છે.
થોડા દિવસમાં લાખ રૂપિયા મેળવાય છે
જોકુ ખારિયાન ગામના ઇરશાદ અહમદને કેન્સરની સારવાર માટે ગામવાળાઓએ બે દિવસમાં પાંચ લાખ રૂપિયા તો લારકીપુરાના કેન્સર પીડિત ઇમરાનને 8 લાખ રૂપિયા ભેગા કરી આપ્યા હતા. આ રીતે સાંગલીપુરાના ગુલામ મલિકની સારવાર માટે પણ છ દિવસમાં 4 લાખ રૂપિયા ભેગા કરાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NUSGFp
No comments:
Post a Comment