Ad

Monday, March 30, 2020

પ્રેમિકાની હત્યા કરી લાશ બેગમાં ભરીને પ્રેમી ઉદયપુર ભાગી ગયો

અમદાવાદ: ફેસબુકના માધ્યમથી પ્રેમ થતાં રાજસ્થાનના યુવક અને યુવતી ભાગીને અમદાવાદના નવા નરોડા ખાતે રહેવા આવી ગયા હતા, જો કે પ્રેમિકા અવારનવાર શંકા કરતી હોવાથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ને લાશ બેગમા મૂકીને ઘર બંધ કરીને ઉદયપુર નાસી ગયો હતો, જો કે પ્રેમીને પોતાની ભૂલ સમજાતા તેણે ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પ્રેમિકાની હત્યા કર્યા હોવાની વાત કરતા નરોડા પોલીસ ઉદયપુર જઈને પ્રેમીને પકડી ગુનો નોંધ્યો હતો.
નવા નરોડાની ઘટના, ઉદયપુર જઈ પ્રેમીએ પોલીસને જાણ કરી
રાજસ્થાનના મૂળ વતની અને હાલ નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેતા અનુરાગસિંગ ભદોરિયા(ઉ.વ.19)ને થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમ દ્વારા રાજસ્થાન રહેતી કિરણ નામની યુવતી સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. જો કે બન્નેના પરિવારના આ સંબંધથી નારાજ હોવાના કારણે અનુરાગસિંગ અને કિરણ લગ્ન કરવાનું નક્કી કરીને રાજસ્થાનથી ભાગીને નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેવા આવી ગયા હતા. બીજી બાજુ બન્ને પરિવારને આ વાતની જાણ પણ ન હતી. થોડા સમય સાથે રહ્યા અનુરાગસિંગે તેની માતાને મલવા જવાની વાત કરી ત્યારે કિરણે માતાને મલવાની ના પાડી હતી અને માતાના ચારિત્ર્ય વિશે બીભત્સ વાતો કરવા લાગી હતી,જેથી અનુરાગસિંગએ કિરણનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ તેની લાશને કપડા ભરવાની ભેગમાં ભરીને બેગ ઘરમાં મૂકી ઘર બંધ કરીને રાજસ્થાન ઉદયપુર ખાતે ચાલ્યો ગયો હતો. જો કે ત્યાં ગયા બાદ તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી જેથી ઉદયપુર પોલીસે નરોડા પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, જેથી નરોડા પોલીસના પીઆઈ જે જી પટેલની સૂચના ના આધારે ડી સ્ટાફના પીએસઆઈ ડી કે મારી તથા તેમનો સ્ટાફ ઉદયપુર પહોંચ્યો હતો ત્યાં જઈને આરોપી અનુરાગસિંગને નરોડા ખાતે લાવી તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો.
યુવતીના અગાઉ છૂટાછેડા થઈ ગયાં હતાં
આરોપી પકડ્યા બાદ પોલીસે તેની પૂછપરછ હાથધરી ત્યારે જાણવા માળ્યું હતું કે, કિરણના અગાઉ લગ્ન થઈ ગયાં હતાં, જો કે તેના પતિ સાથે તેને મનમેળ ન થતાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા,ત્યાર બાદ ફેસબુકના માધ્યમથી બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને લગ્ન કરવા માગતા હતા, જો કે બન્નેના પરિવાર આ સંબંધથી નારાજ હોવાથી ભાગીને નવા નરોડા ખાતે આવી ગયા હતા. પરંતુ કિરણના શંકાસીલ સ્વભાવના કારણે ઝઘડો થતાં તેની હત્યા કરીને લાશને બેગમાં ભરી બેગ ઘરમાં મૂકી ઘરને લૉક કરીને ઉદયપુર આવી ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2xD2Rt6

No comments:

Post a Comment