
from India Today | Top Stories https://ift.tt/39BcSnY
ગુરુદત્ત તિવારી, નવી દિલ્હી/મુંબઇ: લૉકડાઉનથી કેન્દ્ર સરકારનું ચાલુ મહિનાનું (માર્ચનું) જીએસટી કલેક્શન ટાર્ગેટથી અંદાજે 40 હજાર કરોડ રૂ. ઓછું રહી શકે છે. કેન્દ્રએ માર્ચ માટે 1.20 લાખ કરોડ રૂ.નો જીએસટી કલેક્શન ટાર્ગેટ રાખ્યો હતો પણ નિષ્ણાતોનો અંદાજ છે કે હવે તેમાં એક તૃતીયાંશ ઘટાડો થઇ શકે છે. એ. કે. બત્રા એન્ડ એસોસિએટ્સના અશોક બત્રાએ જણાવ્યું કે મારો અંદાજ છે કે સરકારનું માર્ચનું જીએસટી કલેક્શન 80 હજાર કરોડ રૂ. જેટલું રહી શકે છે. નિષ્ણાતોનો એવો પણ અંદાજ છે કે પેટ્રોલ-ડીઝલનું ઉત્પાદન 75% ઘટવાથી કેન્દ્રને 20 હજાર કરોડ રૂ. ઓછા મળશે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઘટવાથી રાજ્ય સરકારોને પણ વેટના રૂપમાં 20 હજાર કરોડ રૂ.નું નુકસાન જશે. સરકારે 13.48 લાખ કરોડ રૂ.નો સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીના કલેક્શનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેનાથી તે પહેલેથી જ ઘણી પાછળ છે. ફેબ્રુઆરી સુધીમાં તેને માત્ર 10.76 લાખ કરોડ રૂ. જ મળ્યા છે. માર્ચમાં 1.20 લાખ કરોડ રૂ. સાથે તેને 11.96 લાખ કરોડ રૂ. જ મળત. હવે માર્ચમાં 40 હજાર કરોડ રૂ. ઘટતાં 11.56 કરોડ રૂ. જ મળશે.
લૉકડાઉનની માર્ચ કરતાં વધુ અસર એપ્રિલમાં દેખાશે એવો નિષ્ણાતોનો મત
સેમકો સિક્યોરિટીઝના રિસર્ચ હેડ ઉમેશ મહેતાનું કહેવું છે કે લૉકડાઉન બાદ જે રીતે વેપાર-ધંધા થંભી ગયા છે તેના કારણે જીએસટી કલેક્શન 40% સુધી ઘટી શકે છે. એપ્રિલમાં તેની અસર વધુ વ્યાપક રહેશે, કેમ કે માર્ચના પ્રથમ પખવાડિયા સુધી વેપાર-ધંધા રાબેતા મુજબ હતા.
આ સેક્ટર્સ પર સૌથી વધુ અસર
એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઇલ, રિફાઇનરીઝ અને પેટ્રોલ આઉટલેટ્સ.
અમદાવાદ: ફેસબુકના માધ્યમથી પ્રેમ થતાં રાજસ્થાનના યુવક અને યુવતી ભાગીને અમદાવાદના નવા નરોડા ખાતે રહેવા આવી ગયા હતા, જો કે પ્રેમિકા અવારનવાર શંકા કરતી હોવાથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ને લાશ બેગમા મૂકીને ઘર બંધ કરીને ઉદયપુર નાસી ગયો હતો, જો કે પ્રેમીને પોતાની ભૂલ સમજાતા તેણે ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પ્રેમિકાની હત્યા કર્યા હોવાની વાત કરતા નરોડા પોલીસ ઉદયપુર જઈને પ્રેમીને પકડી ગુનો નોંધ્યો હતો.
નવા નરોડાની ઘટના, ઉદયપુર જઈ પ્રેમીએ પોલીસને જાણ કરી
રાજસ્થાનના મૂળ વતની અને હાલ નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેતા અનુરાગસિંગ ભદોરિયા(ઉ.વ.19)ને થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમ દ્વારા રાજસ્થાન રહેતી કિરણ નામની યુવતી સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. જો કે બન્નેના પરિવારના આ સંબંધથી નારાજ હોવાના કારણે અનુરાગસિંગ અને કિરણ લગ્ન કરવાનું નક્કી કરીને રાજસ્થાનથી ભાગીને નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેવા આવી ગયા હતા. બીજી બાજુ બન્ને પરિવારને આ વાતની જાણ પણ ન હતી. થોડા સમય સાથે રહ્યા અનુરાગસિંગે તેની માતાને મલવા જવાની વાત કરી ત્યારે કિરણે માતાને મલવાની ના પાડી હતી અને માતાના ચારિત્ર્ય વિશે બીભત્સ વાતો કરવા લાગી હતી,જેથી અનુરાગસિંગએ કિરણનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ તેની લાશને કપડા ભરવાની ભેગમાં ભરીને બેગ ઘરમાં મૂકી ઘર બંધ કરીને રાજસ્થાન ઉદયપુર ખાતે ચાલ્યો ગયો હતો. જો કે ત્યાં ગયા બાદ તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી જેથી ઉદયપુર પોલીસે નરોડા પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, જેથી નરોડા પોલીસના પીઆઈ જે જી પટેલની સૂચના ના આધારે ડી સ્ટાફના પીએસઆઈ ડી કે મારી તથા તેમનો સ્ટાફ ઉદયપુર પહોંચ્યો હતો ત્યાં જઈને આરોપી અનુરાગસિંગને નરોડા ખાતે લાવી તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો.
યુવતીના અગાઉ છૂટાછેડા થઈ ગયાં હતાં
આરોપી પકડ્યા બાદ પોલીસે તેની પૂછપરછ હાથધરી ત્યારે જાણવા માળ્યું હતું કે, કિરણના અગાઉ લગ્ન થઈ ગયાં હતાં, જો કે તેના પતિ સાથે તેને મનમેળ ન થતાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા,ત્યાર બાદ ફેસબુકના માધ્યમથી બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને લગ્ન કરવા માગતા હતા, જો કે બન્નેના પરિવાર આ સંબંધથી નારાજ હોવાથી ભાગીને નવા નરોડા ખાતે આવી ગયા હતા. પરંતુ કિરણના શંકાસીલ સ્વભાવના કારણે ઝઘડો થતાં તેની હત્યા કરીને લાશને બેગમાં ભરી બેગ ઘરમાં મૂકી ઘરને લૉક કરીને ઉદયપુર આવી ગયો હતો.
વોશિંગ્ટન: કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચતાં અમેરિકા ભયભીત છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખીએ તો દેશમાં 22 લાખ સુધી મોત થઇ શકે છે. આ આંકડો 1 લાખ પર રોકી લઇએ તો પણ એમ માનજો કે આપણે સારું કામ કર્યું છે. ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સિંગના દિશાનિર્દેશોના પાલન માટેનો સમયગાળો 30 એપ્રિલ સુધી લંબાવી દીધો છે. તેમણે લોકોને હૈયાધારણ આપી કે 1 જૂનથી આપણે રિકવરીના માર્ગે હોઇશું.
ટ્રમ્પે કહ્યું- 12 એપ્રિલે ઇસ્ટર છે, ત્યાં સુધીમાં દેશમાં મૃત્યુઆંક ચરમસીમાએ હશે
સોમવારે કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા બાદ ટ્રમ્પે કહ્યું કે 12 એપ્રિલે ઇસ્ટર છે. ત્યાં સુધીમાં દેશમાં મૃત્યુઆંક ચરમસીમાએ હશે. આ બીમારીને હરાવવા સુધી આનાથી ખરાબ સ્થિતિ નહીં થાય. ડૉક્ટર્સે સલાહ આપી છે કે હાલ અમેરિકામાં નિયંત્રણો નહીં લાદીએ તો 2 લાખથી વધુ મોત થઇ શકે છે. ટોચના ઇન્ફેક્શન એક્સપર્ટ ડૉ. એન્થની ફૉસીએ સાયન્ટિફિક મોડલિંગના આધારે આ આકલન કર્યું છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં અઢી હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે.
કેનેડામાં કોરોનાના 6 હજારથી વધુ કેસ છતાં અંધાધૂંધી નહીં
છેલ્લા થોડા વર્ષોમાં વિકસિત દેશોમાં સૌથી વધુ ઇમિગ્રન્ટસનો ધસારો કેનેડા તરફ રહ્યો છે. ભારત કરતા વિસ્તારની દૃષ્ટિએ ૩ ગણો અને કુલ વસ્તી ૪ કરોડ ધરાવતા અતિ ઠંડા દેશ કેનેડા માટે યુવાનોને ખાસ આકર્ષણ રહ્યું છે. અન્ય વિકસિત દેશોની માફક કેનેડામાં પણ જાન્યુઆરી મહિનાથી કોરોનાના દર્દીઓ સામે આવ્યા. રવિવાર સુધીમાં કેનેડામાં ૬,૨૫૮ કેસ કોરોના પોઝિટિવના છે. ૨ મહિનામાં ૬૩ લોકોના આ વાયરસને કારણે મૃત્યુ થયા છે. મોટાભાગના રાજ્યોમાં ગુજરાતી મંડળ, સમાજ, ગ્રૂપ એક્ટીવ છે. વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો કરતા આ ગ્રૂપ્સ અત્યારે ગુજરાતીઓને પુરતો સપોર્ટ પૂરો પાડી રહ્યા છે. એકલા વસતા, વડીલો, વિદ્યાર્થીઓને મૂળભૂત જરૂર માટે અત્યારે આ ગ્રૂપ્સ તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. કેનેડાના કોઈ રાજ્યના ગુજરાતી ગ્રુપમાંથી ગુજરાતી આ રોગની ઝપટમાં આવ્યું હોય તેવા ખબર નથી.