Ad

Wednesday, July 15, 2020

કોરોનાની કેશલેસ સારવાર નહીં કરનારી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે

વીમા નિયામક સંસ્થા ઈરડાએ કોરોના વાઈરસના દર્દીની કેશલેસ સારવાર નહીં કરનારી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.ઈરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે, આવી હોસ્પિટલો સામેની ફરિયાદ સંબંધિત રાજ્યોની એજન્સીઓમાં નોંધાવવામાં આવે અને તે માહિતી વેબસાઈટ પર પણ અપલોડ કરાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hospitals that do not provide cashless treatment for corona will be prosecuted


from Divya Bhaskar https://ift.tt/3j7zhzn

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન થયું છે. તેમના અંતિમ દર્શન https://ift.tt/2Wlr3Kk વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાંઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં.

જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ઈન્ફેક્શન લાગ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ફેફસામાંઈન્ફેક્શન લાગ્યું હતું. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અગાઉ સ્થિર હતી પરંતુ તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન વધી ગયું હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

હરિભક્તોને એકત્ર ન થવા અપીલ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી. ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા.

અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક
મણિનગર સ્વામીનારાયણ સંસ્થાન ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શનનીસારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની સ્થિતિ ઘણી નાજૂક રહેતા ગત 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.

હાલમાં જ આચાર્ય મહારાજનો પ્રમાંજલિ પર્વ ઉજવાયો હતો
હજી ગત 29 મેના રોજ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો પ્રેમાંજલિ પર્વ-78મો પ્રાગટ્ય પર્વ ઉજવાયો હતો. ગાદી સંસ્થાનના સંતોએ સાથે મળી આ પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, અબજી બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પુષ્પહાર પહેરાવી, ચરણોમાં બિરાજમાન થયા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સંતોના વિધ વિધ ધાર્મિક નૃત્યો, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ, સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી 41 વર્ષ સુધી સ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે રહ્યાં

  • આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત-1998 અધિક જેઠ સુદ-13 તદ્અનુસાર 28મી મે, 1942 ભારાસર-કચ્છ, ગુજરાતમાં થયો હતો.
  • તેઓ ગુરુદેવ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા 19 વર્ષ, 9 મહિના અને 23મા દિવસે 21મી માર્ચ, 1962 (વિક્રમ સંવત-2018, ફાગણ સુદ પૂર્ણિમા)ના દિવસે સાધુ જીવન સ્વીકારી શિષ્ય બન્યા હતા.
  • 28મી ફેબ્રુઆરી, 1979 (વિક્રમ સંવત-2035, ફાગણ સુદ બીજ), જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાએ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે સ્થાપિત કર્યા. આ ઐતિહાસિક ક્ષણ તેઓનાં સાધુ જીવનના 16 વર્ષ 11 મહિના અને 17 દિવસ બાદ આવી હતી. એટલે કે તેઓ શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે 41 વર્ષ સુધી બિરાજમાન રહ્યાં.
  • શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા 22મી ફેબ્રુઆરી, 2004 (વિક્રમ સંવત-2060, ફાગણ સુદ બીજ)ના રોજ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના આચાર્યપદે બિરાજિત થયાનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો હતો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3fAW8kO

Tuesday, July 14, 2020

Exclusive: Sachin Pilot says I worked tirelessly for 5 years to win Rajasthan and Gehlot became CM, hurt but not joining BJP

Exclusive: Sachin Pilot says I worked tirelessly for 5 yrs, won state, but Gehlot became CM

from India Today | Top Stories https://ift.tt/32hIWNH

Live: CBSE to announce class 10 result today

The Central Board of Secondary Education (CBSE) will declare the class 10 results today on cbseresults.nic.in. The board will announce the results through an alternative assessment scheme after it cancelled remaining exams in wake of COVID-19 pandemic. Stay connected with the TimesofIndia.com for the latest news and updates on CBSE 10th result 2020.

from Times of India https://ift.tt/2Os1cM8

From intern journo to deputy CM: A Sachin Pilot tale

From intern journo to deputy CM: A Sachin Pilot tale

from India Today | Top Stories https://ift.tt/2WjKG5n

Live: BJP to hold meeting in Jaipur today

Sachin Pilot and MLAs loyal to him stayed away from the CLP meeting in Jaipur today. Soon after, the Congress announced that Pilot has been removed as deputy CM and PCC chief. Stay with TOI for all the updates

from Times of India https://ift.tt/32gpqkM

Live: West Bengal board Class 10 results to be out today

WB Madhyamik result 2020 will be announced around 10.00 am today on the official website of West Bengal Results — wbresults.nic.in. Students who await the WB class 10th result 2020 can get the latest updates on the result at the Times of India. Stay here for all live updates.

from Times of India https://ift.tt/2C2sZ3t

World Youth Skills Day: Advising youth to stay resilient & united

The theme given by UNESCO-UNEVOC for World Youth Skills Day this year on July 15 is: “Skills for a Resilient Youth.” Such resilience is needed in humanity in general and youth in particular if we...

from Times of India Opinion https://ift.tt/32i6EJL

પાયલટની પહેલી ગુગલી ગેહલોત ફ્રન્ટફુટ પર રમી ગયા;આજે CBSE ધોરણ-10ના પરિણામ આવશે,IITની કોરોના ટેસ્ટ કિટ લોંચ થશે

1. સરકાર પર સંકટના 4 દિવસ પસાર થઈ ગયા
રાજસ્થાનમાં કોંગ્રેસ માટે રાજકીય માહોલ બગડી ગયો હોય તેવુ લાગે છે. મંગળવારે સરકાર પર જે સંકટ આવ્યુ તેને લઈ 4 દિવસનો સમય વીતી ગયો છે. સતત 72 કલાક સુધી કરવામાં આવેલા પ્રયત્નો બાદ છેવટે CM અશોક ગેહલોતને કોંગ્રેસ તરફથી સંજીવની મળી. કોંગ્રેસ પક્ષે તેમને મજબૂત કરીને સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી તેમ જ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા. આ રીતે પાયલટે ફેકેલી પહેલી ગૂગલીને ગેહલોત ફ્રન્ટફૂટ પર રમી ગયા. પાયલટ હવે પછી કયું પગલું ભરશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે, કારણ કે વિકેટની પાછળ ભાજપ તકની રાહ જોઈને ટાપીને ઉભુ છે.

બીજી બાજુ 'સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીયુક્ત કોંગ્રેસ'ના નેતાઓ કહી રહ્યા છે કે અમારો પક્ષ 'વ્યક્તિઓ'થી નથી ચાલતો. માટે પાયલટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાદમાં પાયલટે તેમના ટ્વિટર હેન્ડલ પરથી કોંગ્રેસનું નામ હટાવી દીધુ અને લખ્યુ- 'સત્યને પરેશાન કરી શકાય છે, પરાજીત નહીં'
કોંગ્રેસે પણ પાયલટને જવાબ આપતા કહ્યું- 'સત્ય તો હજુ પરાજીત નથી થયું'.....હવે એ વાત સમજની બહાર છે કે છેવટે સત્ય પર દાવો કોનો છે??? સત્ય-અસત્યથી અલગ હટીને ગેહલોતે 'આ બેલ મુઝે માર'ની એ હિન્દી કહેવત ટાંકી અને પાયલટ છાવણીની તેની સાથે તુલના કરી.

ત્રણ એવી વાત કે જે અમારા પત્રકારોએ જણાવી છે....
પહેલીઃ
સોનિયા, રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ, વેણુગોપાલ અને અહેમદ પટેલે સચિન પાયલટને મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ તેઓ ન માન્યા.
બીજીઃ પાયલટને CM પદ સિવાય અન્ય કંઈ પણ મંજૂર ન હતું. તેઓ ઈચ્છતા હતા કે SOG તરફથી જે નોટિસ મળી તે પણ પાછી ખેંચવામાં આવે. હવે તેઓ નવા પક્ષની રચના કરી શકે છે અને આ સંજોગોમાં ભાજપ તેમને ટેકો આપી શકે છે.
ત્રીજીઃગેહલોત હજુ તેમનું ટ્રમ્પ કાર્ડ રમ્યા જ નથી. તેઓ પોતાની ટીમમાં આઠ નવા પ્રધાનોને સામેલ કરી શકે છે. નવા ચહેરાને સ્થાન મળશે તો ધારાસભ્યોને જોડીને રાખવામાં સફળ નિવડશે.


2. અયોધ્યા કોની!!
હવે વાત વિદેશની કરીએ... પડોશી દેશ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ભારત વિરોધી બની ગયા છે અને નિવેદનો આપી રહ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે નેપાળના કેટલાક ભાગ પર ભારત કબ્જો જમાવીને બેઠુ છે. તેમનો ગુસ્સો એટલે નહીં અટકતા હવે તેમણે ભગવાન રામ નેપાળી હતા અને તેમના સમયની અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળના બીરગંજમાં હતી તેવું નિવેદન આપ્યું છે.

હકીકતમાં ઓલીએ આ નિવેદન આપવામાં વિલંબ કરી દીધો છે. જો તેમણે કેટલાક મહિનાઓ પૂર્વે આ નિવેદન આપ્યુ હોત તો કદાંચ દેશમાં જે અયોધ્યા વિવાદનો કેસ ચાલતો હતો તેમા તેમને ફરિયાદી બનાવી દેત. તાજેતરના તેમના નિવેદનને લઈ તેમના દેશના લોકો જ કેટલીક ટીખળ કરી રહ્યા છે.

નેપાળના ભૂતપુર્વ પ્રધાનમંત્રી બાબૂ રામ ભટ્ટારાઈ કહે છે- 'તે આદિ કવિ ઓલી છે'જેઓ કળિયુગની નવી રામાયણ સંભળાવી રહ્યા છે. ઓલીના જ ભૂતપુર્વ સલાહકાર કુંદન આર્યલ કહે છે-' કદાંચ ઓલી ભારતની ન્યૂઝ ચેનલોમાં કોમ્પિટીશન કરી રહ્યા છે. નેપાળના ભૂતપુર્વ નાયબ પ્રધાનમંત્રી કમલ થાપા કહે છે- 'ઓલી ભારત-નેપાળના સંબંધોને વધુ ખરાબ કરવા માંગે છે'

3. મોટા સમાચાર તરફ આગળ વધતા પહેલા આજના દિવસ સાથે જોડાયેલી બે અગત્યની વાત
CBSE ધોરણ-10નું પરિણામ આજ બપોર સુધીમાં આવી જશે. આ પરિણામ મંગળવારે આવે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવતી હતી. આ વખતે આશરે 18 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી છે. પરિણામ cbseresults.nic.in પર જોઈ શકાય છે.
IIT દિલ્હીની લો-કોસ્ટ કોરોના ટેસ્ટ કિટ આજે લોંચ થશે. IIT દિલ્હી દેશની પ્રથમ એવી શૈક્ષણિક સંસ્થા છે, જેણે કોરોનાની તપાસ પદ્ધતિ તૈયાર કરી છે. આ માટે તેણે નોન-એક્સક્લુઝીવ ઓપન લાઈસન્સ કંપનીઓને આપ્યા છે. IITએ એક કિટની કિંમત રૂપિયા 500 રાખી છે. હવે એ જોવાનું રહેશે કે કંપનીઓ નફો રળવાની લાયમાં આ કિટ કેટલી ઉંચી કિંમત પર વેચશે.

4. હવે ગૂગલ (Google) પણ જિયો (Jio)માં રોકાણ કરશે
રિલાયન્સ જિયોમાં T-20 સ્ટાઈલથી રોકાણ આવી રહ્યું છે. હવે આ માટે ગૂગલ સાથે વાતચીત ચાલી રહી છે. ગૂગલ જિયોમાં આશરે 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. જો આ ડિલ થશે તો જિયોમાં 14મું ઈન્વેસ્ટમેન્ટ થશે. રકમની દ્રષ્ટિએ આ કંપની બીજા ક્રમની સૌથી મોટી રોકાણકર્તા હશે.

આ અગાઉ ફેસબુકે રૂપિયા 43 હજાર કરોડનું રોકાણ કરી જિયોમાં 9.99 ટકા હિસ્સો ખરીદ્યો હતો. છેલ્લા 12 સપ્તાહમાં રિલાયન્સ જિયોને 13 રોકાણકારો મળી ચુક્યા છે. જિયોએ 25.24 ટકા હિસ્સો વેચી રૂપિયા 1.18 લાખ કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે.

5. ગત વિશ્વ કપની ફાઈનલ મેચના વિજેતા અંગે એક ખુલાસો
વર્ષ 2019ના વિશ્વ કપની ફાઈનલને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ સાથે એક ખુલાસો પણ થયો છે. વિશ્વ કપ જીતનાર ઈગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ફાઈનલમાં નોટઆઉટ 84 રન બનાવ્યા હતા. સુપર ઓવરમાં પણ 8 રન બનાવ્યા હતા. તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

ઈગ્લેન્ડ સૌથી વધુ બાઉન્ટ્રી લગાવવાને લીધે વિશ્વ ચેમ્પિયન બન્યુ. ફાઈનલમાં 2 કલાક 27 મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ સ્ટોક્સ એટલો તણાવમાં આવી ગયો હતો કે ડ્રેસિંગ રૂમમાં પરત ફરી તેણે બાથરૂમમાં જઈ સિગારેટ પીધી હતી.

6. આજનો દિવસ કેવો રહેશે?
એસ્ટ્રોલોજી કહે છે કે બુધવારે બે અશુભ યોગ બની રહ્યા છે. તેનું નામ છે શૂલ અને કાણ. જો નામ સાંભળીને જ મૂઝવણ થતી હોય તો કામની વાત જાણી લો. બુધવારે મેષ, મિથુન, કર્ક, કન્યા, તુલા, મકર, કુંભ અને મીન રાશિવાળાઓને જોબ અને બિઝનેસમાં સાવચેત રહેવું. વૃષભ, સિંહ, વૃશ્ચિક અને ધનુ રાશિવાળાઓ માટે આ દિવસ સારો રહેશે.

એસ્ટ્રોલોજી પ્રમાણે આઠ રાશિઓના લોકો માટે આ દિવસ પડકારરૂપ બની રહેશે, પણ ટેરોકાર્ટ્સ પ્રમાણે નવ રાશિઓ માટે આ દિવસ સારો રહેશે. તેમા વૃષભ, મિથુન, તુલા અને મીનનો સમાવેશ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pilot's first Googly Gehlot played on the frontfoot; CBSE Std-10 results will be released today, IIT's Corona test kit will be launched


from Divya Bhaskar https://ift.tt/2ZsdtXd

ભારતમાં 6 કરોડ લોકો ભૂખના સંકટથી ઉગર્યા પણ 18 કરોડ હજુ કુપોષિત, 91 લાખ વયસ્કોમાં સ્થૂળતાની સમસ્યા વધી

ભારતમાં ગત એક દાયકાથી વધુ સમયમાં કુપોષિત લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો નોંધાયો છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને પોષણ સ્થિતિ અંગેના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટમાં કહેવાયું કે ભારતમાં કુપોષિતોની સંખ્યા 2004-06માં 24.94 કરોડ હતી. તે 2017-19માં ઘટીને 18.92 કરોડ રહી ગઈ છે. ભારતમાં બાળકોમાં ઓછી ઊંચાઈની સમસ્યા પણ ઘટી છે, પણ મોટા લોકોમાં સ્થૂળતાની સમસ્યા વધી છે. 2019માં દુનિયાભરમાં આશરે 69 કરોડ લોકો કુપોષિત મળ્યા હતા. આ સંખ્યા 2018ની તુલનાએ એક કરોડ વધુ હતી. સંયુક્ત રાષ્ટ્રએ કુપોષણને ડામવાની પ્રગતિ પર નજર રાખવાના ઉદ્દેશ્યથી આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

રિપોર્ટના મુખ્ય મુદ્દા

  • રિપોર્ટ મુજબ દુનિયામાં કોરોના સંકટને લીધે 2020ના અંત સુધી વધુ 13 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી શકે.
  • એશિયાના પૂર્વ, દક્ષિણમાં કુપોષણમાં ઘટાડો નોંધાયો છે. અહીં મોટાં અર્થતંત્રો ભારત અને ચીનનું વર્ચસ્વ છે.
  • રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય-કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ ફંડ, યુનિસેફ, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અને ડબ્લ્યુએચઓએ મળીને તૈયાર કર્યુ છે.

ભારતમાં કુપોષણ, બાળકોનાં કદ અને વયસ્કોની સ્થૂળતા અંગે સ્થિતિમાં સંતુલન
ભૂખ : 14% લોકો પર હજુ સંકટ

વર્ષ કુપોષિત વસતીમાં
2004-06 24.94 કરોડ 21.70%
2017-19 18.92 કરોડ 14%

સ્થૂળતા : વયસ્કોમાં 0.8%નો વધારો

વર્ષ વયસ્ક ટકામાં
2012 2.52 કરોડ 3.10%
2016 3.43 કરોડ 3.9%

કદ : 5 વર્ષ સુધીના 34.7% પીડિત

વર્ષ બાળકો ટકામાં
2012 6.2 કરોડ 47.8%
2019 4.03 કરોડ 34.7%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3j32StA

Trump administration rescinds rule on foreign students

The Trump administration has walked back a policy that would have stripped international college students of their US visas if their coursework was entirely online, ending a proposed plan that had thrown the higher education world into turmoil.

from Times of India https://ift.tt/2CyeqV1

Soon, banks may offer loans for studying from home



from Times of India https://ift.tt/2ZtQawt

બ્રિટનની ટેલિકોમ કંપનીઓને નિર્દેશ- 2027 સુધી હુવાવેનાં ઉપકરણો હટાવો

કોરોના વાઈરસની મહામારી વચ્ચે ચીનની શાખ સંપૂર્ણ દુનિયામાં ખરડાઈ છે. હવે બ્રિટને ચીનની કંપની હુવાવે પર દેશમાં 5જી નેટવર્ક લગાવવા અંગે પ્રતિબંધિત મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે તેની ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો હતો કે તે 2027 સુધી 5જી નેટવર્કમાંથી હુવાવેનાં તમામ ઉપકરણો હટાવી દે. અમેરિકા પોતાના દેશમાં પહેલાંથી જ હુવાવેના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના નેતૃત્વ હેઠળ યોજાયેલી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નક્કી કરાયું કે બ્રિટનમાં 5જી નેટવર્કના નિર્માણમાં ચીનની કંપનીની ભાગીદારીને ખતમ કરી દેવાશે. બ્રિટિશ સરકારે આ નિર્ણય નેશનલ સાઈબર સિક્યોરિટી કાઉન્સિલના રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ લીધો હતો. ચીનની કંપની હુવાવે પર ડેટા ચોરી અને ગુપ્ત માહિતીઓ ચીનની સરકાર સુધી પહોંચાડવાનો આરોપ મુકાયો છે.

બ્રિટનનો નિર્ણય નિરાશાજનક : હુવાવે
હુવાવેએ બ્રિટિશ સરકારના એ નિર્ણયને બ્રિટનના એ તમામ લોકો માટે માઠા સમાચાર ગણાવ્યા છે જેમની પાસે મોબાઇલ ફોન છે. હુવાવેએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે આ પગલું બ્રિટનને ધીમા રસ્તા પર ધકેલી દેશે અને તેનાથી દેશમાં ડિજિટલ ખાઈ વધશે. અમે બ્રિટિશ સરકારને આગ્રહ કરીએ છીએ કે તે તેના નિર્ણય અંગે ફરી વિચારી લે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
UK telecom companies instructed to remove Huawei devices by 2027


from Divya Bhaskar https://ift.tt/3gWu6Ar

બંગાળમાં ભાજપ ધારાસભ્યના મોત મુદ્દે ઊહાપોહ, 8 જિલ્લા બંધ, ભાજપના નેતાઓ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળ્યા

ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્યના મોત મામલે મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યું. ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયએ પ્રતિનિધિમંડળની આગેવાની કરી. તેમણે કહ્યું કે હેમતાબાદના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રાયના મોતની સીબીઆઇ તપાસ થવી જોઇએ અને બંગાળની મમતા બેનરજી સરકારને બરતરફ કરવી જોઇએ.

મુલાકાત બાદ વિજયવર્ગીયએ કહ્યું, અમને બંગાળની એકેય એજન્સી પર ભરોસો નથી. તેથી અમે રાષ્ટ્રપતિને આ મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. જ્યાં લોકોના પ્રતિનિધિ પણ સલામત ન હોય તેવી સરકારને સત્તા પર રહેવાનો અધિકાર નથી. વિજયવર્ગીયએ આક્ષેપ કર્યો કે છેલ્લાં 3 વર્ષમાં રાજ્યમાં ભાજપના 105 સમર્થકની હત્યા થઇ છે.

આક્રોશ: ભાજપના સમર્થકોએ રેલી કાઢી, દુકાનો બંધ કરાવી
ભાજપના પ.બંગાળ એકમે ઉત્તર બંગાળના 8 જિલ્લામાં 12 કલાકનું બંધ રખાવ્યું. માલદા જિલ્લામાં રેલી કાઢી અને દુકાનો બંધ કરાવી. ભાજપ સમર્થકોએ કૂચ બિહાર જિલ્લામાં પણ રેલી કાઢી અને દેખાવો કર્યા. કેટલીક બસોને નુકસાન પણ પહોંચાડ્યું. કેટલાંક સ્થળે ભાજપ-તૃણમૂલના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું. પોલીસે 15 લોકોની ધરપકડ પણ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ: રાયનું મોત ફાંસો લાગવાથી થયાનો દાવો
ધારાસભ્ય રાયનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં લખ્યું છે કે રાયનું મોત ફાંસો લાગવાના કારણે થયું. તેમના શરીર પર ઇજાનાં અન્ય કોઇ નિશાન નહોતાં. પોલીસે કહ્યું કે રાયના શર્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી, જેમાં તેમણે તેેમના મોત માટે 2 લોકોને જવાબદાર ગણાવ્યા છે. રાયના પરિવારે અને ભાજપે દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસે તેમની હત્યા કરાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પશ્ચિમ બંગાળના હેમતાબાદમાં ભાજપના સમર્થકોએ MLAની હત્યાના વિરોધમાં દેખાવો કર્યા.


from Divya Bhaskar https://ift.tt/2Onyr39

ચાર ધામ યાત્રાના રસ્તામાં વન અને પર્યાવરણની મંજૂરીના સ્પીડ બ્રેકર, પરંતુ કોરોના કે ચોમાસુ પણ આ કામ રોકી ના શક્યા

કેદારનાથ, યમુનોત્રી અને બદ્રીનાથને દરેક ઋતુમાં જોડી રાખવા માટે રૂ. 12 હજાર કરોડની ચારધામ પરિયોજનાનું કામ કોરોના કાળ અને હવે ચોમાસામાં પણ અવિરત ચાલુ છે. ઋષિકેશથી લઈને બદ્રીનાથ નજીક ભારતના છેલ્લા ગામ માણા સુધી 300 કિ.મી. લાંબો રસ્તો પહોળો કરવા પહાડો કાપવાનું કામ ચાલુ છે. આશા છે કે, આવતા વર્ષની યાત્રા સુધી આ માર્ગનું મોટા ભાગનું કામ પૂરું થઈ જશે.

જોકે, પર્યાવરણીય મંજૂરીઓ અને હાઈકોર્ટમાં અરજીના કારણે અનેક કામ અટકી ગયા છે. ઋષિકેશથી ગંગોત્રી-યમુનોત્રી માર્ગ પર ઘરાસુ સુધી રસ્તા બનાવવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ ચારધામ માર્ગનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ છે. ચીન સાથેના તણાવને આ રસ્તાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. ચીન સરહદે જવા માટે ભારતીય સૈનિકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે.

ઋષિકેશથી બદ્રીનાથ સુધી આશરે 300 કિ.મી. કાપવામાં હાલ દસથી બાર કલાક લાગે છે, પરંતુ આ પરિયોજના પૂરી થયા પછી સમય અડધો થઈ જશે. આ યોજના હેઠળ કુલ 889 કિ.મી. રસ્તાને પહોળો કરાઈ રહ્યો છે. એટલે કે અત્યાર સુધી જે આ રસ્તા પર બે વાહન પણ મુશ્કેલીથી એકબીજાને ક્રોસ કરી શકતા, પરંતુ હવે એકસાથે ચાર વાહન પસાર થઈ શકશે. આ રસ્તાને પગલે દુર્ઘટનાઓ પણ ઘટશે. ઋષિકેશથી ગંગોત્રી માર્ગ પર ચંબામાં બનેલી 440 મીટર લાંબી સુરંગનું મે માસમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉદઘાટન કરી ચૂક્યા છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને ખૂબ ઓછા સમયમાં આ સુરંગ બનાવી છે. આ રસ્તા માટે પહાડો કાપવાનું કામ પણ લગભગ પૂરું થઈ ગયું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન, પીડબલ્યુડી, પીઆઈયુ મોર્થ અને એનઆઈડીસીએલ સંયુક્ત રીતે આ યોજના પૂરી પાડી રહ્યા છે.

રસ્તા પર બે સુરંગ અને ત્રણ એલિવેટેડ રસ્તા પણ બનાવાયા
આ માર્ગ પર બે સુરંગ અને ત્રણ એલિવેટેડ રસ્તા પણ બની રહ્યા છે. ચંબા શહેરની બિલકુલ નીચે બનેલી 440 મીટર લાંબી સુરંગમાં અત્યાધુનિક ઓસ્ટ્રિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશના ડિરેક્ટર જનરલ હરપાલ સિંહના કહેવા પ્રમાણે, આ સુરંગને બનાવવી પડકારજનક હતી કારણ કે, તેની ઉપર આખું શહેર છે. અમે આ સુરંગના એક છેડાનું કામ જાન્યુઆરી 2019માં શરૂ કર્યું હતું, પરંતુ બીજા છેડાનું કામ ઓક્ટોબર 2019માં શરૂ થઈ શક્યું હતું.

આ ચાર સ્પોટ પર હાઈકોર્ટ અને વન વિભાગ સ્પીડ બ્રેકર

  • જોશીમઠ બાયપાસ: હાલ વનભૂમિના હસ્તાંતરણનો મામલો અટક્યો છે.
  • કલિયાસૌડ બાયપાસ: આ માર્ગ પર સૌથી વધુ ભૂસ્ખલન ધરાવતા કલિયાસૌડમાં બાયપાસ બનાવવામાં અનેક વૃક્ષો કાપવા પડશે, જેની હજુ મંજૂરી નથી મળી.
  • ઘરાસુ-ગંગોત્રી માર્ગ: આ માર્ગનો આશરે 87 કિ.મી. વિસ્તાર ભાગિરથી ઈકો સેન્સિટિવ ઝોનમાં હોવાથી વન ભૂમિના અધિગ્રહણની મંજૂરી નથી મળી શકી.
  • હાઈકોર્ટનો આદેશ: સિટિઝન ફોર ગ્રીન દૂન અને અન્ય દ્વારા દાખલ અરજી પર હાઈકોર્ટે ફક્ત એ જ કામની મંજૂરી ચાલુ રાખવાનું કહ્યું છે, જેના પર પહેલેથી કામ ચાલી રહ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
2021માં આ યોજના પૂરી થશે.


from Divya Bhaskar https://ift.tt/30870QB

કોરોના મહામારીમાં સાધુ-સાધ્વીજી ગોચરી લેવા નહીં જાય, જૈન સંઘો વ્યવસ્થા કરશે

કોરોના મહામારીમાં મુંબઈમાં જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજીઓ પણ કોરોના સંક્રમિત થયા છે ત્યારે આ વિકટ સ્થિતિમાં સાધુ-સાધ્વીજીઓને ઘેર ઘેર ગોચરી લેવા જવું પડે છે અને સંક્રમણનું જોખમ રહે છે. રાજકોટમાં 100થી વધુ અને સૌરાષ્ટ્રમાં 2 હજારથી વધુ સાધુ-સાધ્વીજીઓ સ્થાયી થયા છે. ત્યારે જૈન સંપ્રદાયના મોટા સંત એવા મુંબઈમાં બિરાજતા ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્ર સ્વામીજી અને હાલ સૌરાષ્ટ્રમાં ચાતુર્માસ અર્થે પધારેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજે વર્તમાન પરિસ્થિતિ અંગે ‘દિવ્ય ભાસ્કર’ માટે લખ્યું અને કહ્યું કે સાધુ-સાધ્વીજી સમાજની મૂડી છે, તેમને જાળવવા સંઘોનું કર્તવ્ય છે. કોરોનાની સ્થિતિમાં તેઓ ગૌચરી લેવા ન જાય અને તમામ આહાર-જળની વ્યવસ્થા જૈન સંઘો કરે તે જરૂરી છે.

સાધુ-સાધ્વીજી માટે આહાર-પાણીની વ્યવસ્થા જૈન સંઘો કરે: ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી
કોરોના મહામારીના સમયમાં અપવાદ માર્ગનો ગૅનો સ્વીકાર કરી સાધુ-સાધ્વીજીઓની સુરક્ષા માટે આહાર-પાણીની વ્યવસ્થા જૈન સંઘોમાં જ થાય તે જરૂરી છે. સાધુ-સંતો એ સમાજની મહામૂલી મોંઘેરી મૂડી છે. ભારતભરમાં લગભગ 17000 આસપાસ સાધુ-સાધ્વીજીઓ વિદ્યમાન છે. અત્યારે એક - એક ગલી અને મહોલ્લામાં કોરોનાગ્રસ્ત સંક્રમિતો થઈ ગયાં છે. આવા સમયે ગોચરી, આહાર-પાણી માટે સાધુઓએ બહાર નીકળવું જોખમી સાબિત થશે. જૈન સમાજે અપવાદ માર્ગનો અને આવેલ પરિસ્થિતિને સમજી સાધુ-સાધ્વીજીઓની સુરક્ષા અને આરોગ્ય કાજે જૈન સમાજે ધર્મ સ્થાનકની પ્રિમાઈસીમાં જ કે નજીકમાં જ ભોજનની વ્યવસ્થા કરીને સમયને અનુસરવા સેવા - વૈયાવચ્ચમાં સહાયરૂપ બનવું જોઈએ.

ભગવાન મહાવીરના સૂત્રને ચતુર્વિધ સંઘે અપનાવવું જોઈએ: નમ્રમુનિ મહારાજ
કોરોના મહામારીના સમયે ભગવાન મહાવીરના સૂત્રને ચતુર્વિધ સંઘે અપનાવવું જોઈએ. ‘काले कालं समायरे’ એટલે કે સમય અનુસાર વર્તવું જોઈએ. સાધુ સાધ્વીજી જૈન સમાજની મૂડી છે. તેમને જાળવવા સંઘોનું કર્તવ્ય છે. સમય અનુસાર કોરોનાની સ્થિતિને સમજીને સાધુ-સાધ્વીજીની ગોચરી, આદિની વ્યવસ્થા આયંબિલ ભવન, આદિમાં થાય અને દેશકાળ અનુસાર સંઘો વ્યવસ્થા ગોઠવે તે અપવાદ માર્ગે જરૂરી છે. વર્તમાન સમય જોઈને વર્તવું, પ્રભુ આજ્ઞા છે. એક વખત સાધુ-સાધ્વીજીને કોરોના થઇ જવાથી હોસ્પિટલમાં અનેક દોષોનું સેવન કરવું પડે છે. એના કરતા જો પહેલેથી જ જો ધ્યાન રાખવામાં આવે તો અનેક પાપથી બચી જવાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી અને નમ્રમુનિ મહારાજ.


from Divya Bhaskar https://ift.tt/3j59R5i

6 મહિનામાં 5.78 લાખ લોકોએ PFમાંથી 1000 કરોડ ઉપાડ્યા, એપ્રિલ-જૂન દરમિયાન જ 836 કરોડ કાઢ્યા

કોરોનાએ માત્ર લોકોનો રોજગાર જ નથી આંચકી લીધો પણ તેમની વર્ષોની બચત પણ સાફ કરી દીધી છે. ગુજરાતમાં ઇપીએફઓ વિભાગના આંકડા મુજબ આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં રેકોર્ડબ્રેક 4.05 લાખ લોકોએ પોતાના પીએફના પૈસા ઉપાડવા માટે અરજી કરી હતી. આ અગાઉ જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિનામાં 1.25 લોકોએ પીએફ ઉપાડવા અરજી કરી હતી. જાન્યુઆરીથી માર્ચની તુલનામાં એપ્રિલથી જૂન સુધીમાં પીએફ ઉપાડવા માટે અરજી કરનારાઓમાં 325 %નો વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાન ઉપાડવામાં આવેલું ફંડ પણ 325 ટકા વધીને 836.29 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું હતું, જે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન 258 કરોડ રૂપિયા હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોરોના દરમ્યાન ઇપીએફઓ વિભાગને લોકોના ક્લેમ ઝડપથી પાસ કરીને ખાતામાં પૈસા જમા કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી લોકોને લાંબો સમય રાહ જોવી પડે નહીં. ઇપીએફઓ વિભાગના અધિકારી જણાવે છે કે ગત ત્રણ મહિનામાં જેટલા ક્લેમ પાસ થયા છે એટલા અગાઉ એક વર્ષમાં પાસ થતા હતા. અમદાવાદ ઓફિસમાં ગત નાણા વર્ષ 2019-20માં કુલ 5.01 લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે માત્ર ત્રણ મહિનામાં જ ગુજરાતમાં ચાર લાખથી વધારે ક્લેમ થઈ ચૂક્યાં છે. એ જ રીતે ગત વર્ષમાં 1033.70 કરોડ રૂપિયા ખાતામાં જમા થયા હતા. જે આ વર્ષે ત્રણ મહિનાના ફંડથી માત્ર 200 કરોડ રૂપિયા જ વધારે છે.એવું અનુમાન છે કે આગામી મહિનાઓમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે.

98% ક્લેમ કોરોનાવાળા, માત્ર 2 % અન્ય કારણોએ નાણાં ઉપાડ્યા
પીએફ કચેરીના જણાવ્યા પ્રમાણે લગભગ 98 ટકા ક્લેમ ફોર્મ 31 અને ફોર્મ 19 હેઠળ આપવામાં આવ્યા છે. જેમાં કોવિડનો ઉલ્લેખ કરવો પડતો હતો. અન્ય જરૂરિયાતવાળા અરજદારો માત્ર 2 ટકા હતા. ફોર્મ 31માં અભ્યાસ, ઘરનું સમારકામ વગેરે માટે નાણાં ઉપાડી શકાતા છે. જ્યારે ફોર્મ 19માં નોકરી છૂટી જવાથી ફંડ કાઢી શકાય છે. જો કે ફોર્મ 19 હેઠળ માત્ર એવા લોકોને જ ફંડ અપાય છે જેઓ નોકરી જવાથી બે મહિનાથી ઘરે બેઠા છે. કોરોનાના લીધે ઇપીએફઓએ નિયમોમાં છૂટ આપી છે.

ગુજરાતમાં PF ઉપાડ ત્રણ ગણો

- જાન્યુ.-માર્ચ એપ્રિલ-જૂન
અરજી 1,25,267 4,05,374
પ્રતિ દિવસ ક્લેમ 1372 કરોડ રૂપિયા 3935 કરોડ રૂપિયા
ફંડ ઉપાડ 258 કરોડ રૂપિયા 836.29 કરોડ રૂપિયા

કોરોના પછી વધુ અરજી
મધ્ય એપ્રિલથી મે સુધીના 45 દિવસોમાં આશરે 1.28 લાખ લોકોએ અરજી કરી હતી. તેમને 265 કરોડ રૂપિયાનું ફંડ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં પ્રતિ દિવસ 1372 અરજી મળતી હતી, જ્યારે કોરોના કાળમાં અરજીઓની સંખ્યા વધીને પ્રતિ દિવસ સરેરાશ 3935 થઇ ગઈ.

ઉપાડનારામાં 81% એવા જેમનું વેતન 15000થી ઓછું
પ્રોવિડન્ડ ફંડ વિભાગના જણાવ્યા અનુસાર પીએફ ઉપાડનારામાં 81 ટકા એવા કર્મચારી છે જેમનું માસિક વેતન 15 હજાર કે તેથી ઓછું છે. 15 હજારથી 50 હજાર વેતન ધરાવતા અરજદારો 13 ટકા છે. જ્યારે 50 હજારથી વધારે વેતન ધરાવનારા અરજદારોની સંખ્યા માત્ર 4 ટકા છે. પીએફમાંથી નાણા ઉપાડવામાં અગાઉ 15-20 દિવસ લાગતા હતા પણ કોરોના કાળ દરમ્યાન આ પ્રક્રિયા માત્ર 72થી 90 કલાકમાં પૂરી કરવામાં આવે છે.

અમદાવાદ પીએફ ઑફિસના રિજનલ કમિશનર મનોરંજન કુમારે જણાવ્યું કે, અમદાવાદ પીએફ ઑફિસે અરજદારોના ક્લેમ ઝડપથી સેટલ કરવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અથાક મહેનત કરી છે. આ માટે ઑફિસને નિયમિતપણે સેનેટાઇઝ કરવામાં આવતી હતી. લોકોને કચેરીએ આવવું ન પડે અને ઇન્ફેક્શન ફેલાય નહીં એ માટે તમામ કામગીરી ઑનલાઇન કરવામાં આવી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/390P2TZ

કોરોનાના ઇલાજના દર મુદ્દે ગુજરાત મોડલ અપનાવો: સુપ્રીમકોર્ટ

દેશની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દર નિયંત્રિત કરવાની માગને પગલે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને એક મુસદ્દો ઘડવા આદેશ કર્યો છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની બેન્ચે કેન્દ્ર સરકારને કહ્યું કે તે કોરોનાની સારવારના યોગ્ય દર નક્કી કરવા ખાનગી હોસ્પિટલોના સંચાલકો સાથે બેઠક કરીને મુસદ્દો ઘડે, જેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાય.

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારને કહી શકીએ છીએ કે તે સારવારના દર મુદ્દે તમામ રાજ્યો પાસે ગુજરાત મોડલનું અનુકરણ કરાવે. અમે એવું નથી ઇચ્છતા કે કોરોનાના દર્દીઓની સારવાર સાવ મફત થાય પણ સ્વાસ્થ્ય સેવા અને સારવાર લોકો માટે સુલભ તો હોવા જ જોઇએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Adopt Gujarat model on every issue of corona treatment: Supreme Court


from Divya Bhaskar https://ift.tt/2ZqWZii

સુરતમાં એક જ દિવસે 20 મોત, કુલ મૃત્યુઆંક 375,  ગુજરાતમાં એક જ સપ્તાહમાં અંદાજે 2000 નવા કેસ નોંધાયા, 77 મોત

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત રહી છે. મંગળવારે શહેર અને જિલ્લામાં કોરોનાને લીધે 20 લોકોએ જીવ ખોયો હતો.જ્યારે 262 લોકો સાજા થઈ ઘરે ગયા હતા.મંગળવારે પણ ડોકટર,નર્સ,મેડિકલ સ્ટાફ અને રત્નકલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.મંગળવારે સિનિયર વકીલ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું પણ કોરોનાને પગલે નિધન થઈ ગયું હતું. જ્યારેગુજરાતમાં એક જ સપ્તાહમાં અંદાજે 2000 નવા કેસ નોંધાયા અને 77 મોત થયાં છે.

મંગળવારે શહેર અને જિલ્લામાં કુલ 291 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેને પગલે કુલ પોઝિટિવ લોકોની સંખ્યા 8950 થઈ ગઈ છે. જ્યારે મંગળવારે 262 લોકોએ કોરોનાને માત આપી ડિસ્ચાર્જ લીધું હતું.સાજા થઈ ગયેલાઓની કુલ સંખ્યા 5483 થઈ ગઈ છે.મંગળવારે 20 લોકોએ જીવ ખોતા કુલ 375 લોકો કોરોનામાં મૃત્યુ પામી ચૂક્યા છે.જ્યારે હાલ 3092 લોકો કોરોના સાથે સારવાર લઈ રહ્યા છે. સુરતમાં વધી રહેલા કેસ અને મોતના પગલે ટેક્સટાઈલ માર્કેટ સ્વયંભૂ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અનેક ઠેકાણે બપોર પછી દુકાનો, ઓફિસો બંધ કરવાનું નક્કી કરાયું છે.

ગુજરાતમાં એક જ સપ્તાહમાં અંદાજે 2000 નવા કેસ નોંધાયા, 77 મોત થયાં
મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા 915કેસ નોંધાતા હવે કુલ આંકડો 43,723પર પહોંચ્યો છે. છેલ્લાં સાત દિવસમાં સાત દિવસમાં નવા કેસની સંખ્યા 2000ની આસપાસ રહી છે. આઠ જુલાઇથી લઇને ચૌદ જુલાઇ સુધીમાં કુલ 1985 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત હવે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થઇ રહ્યો છે. હાલ આ સંખ્યા 11,098 આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં24કલાકમાં 749દર્દીઓ સાજા થતાં હવે રીકવર થયેલાં દર્દીઓનો કુલ આંક 30,555પર પહોંચ્યો છે જે 70ટકા જેટલું પ્રમાણ છે. હાલ ગુજરાતમાં રીકવરી રેટ 69.88 ટકા પર છે અને તે ધીમો ઘટાડો દર્શાવી રહ્યો છે.

છેલ્લાં24કલાકમાં ગુજરાતમાં વિવિધ ઠેકાણે 14લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે.આ સાથે ગુજરાતમાં કુલ 2,070મૃત્યુ થયાં છે. છેલ્લાં સપ્તાહમાં મૃત્યુનો આંકડો 77 નોંધાયો છે. અને હાલ રાજ્યનો મૃત્યુદર 4.73ટકા રહ્યો છે. હજુ પણ71દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે,જ્યારે 3.36લાખ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં4.78લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ.


from Divya Bhaskar https://ift.tt/2CbhR4e

પ્રી-પ્રાઈમરીના બાળકોને 30 મિનિટ, ધો.1થી 8માં દોઢ કલાક અને ધો. 9થી 12માં 2થી 3 કલાક જ ઓનલાઇન ભણાવી શકાશે

કેન્દ્ર સરકારે ઓનલાઇન સ્ટડી માટેના નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘પ્રજ્ઞાતા’ નામથી મંગળવારે જારી કરાયેલા આ દિશાનિર્દેશમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્ટડીનો રોજનો સમયગાળો અને સેશનની સંખ્યા નક્કી કરાઇ છે. તેમાં જણાવાયું છે કે પ્રી-પ્રાઇમરીનાં બાળકો માટે અડધા કલાકથી વધુ ઓનલાઇન સ્ટડી ન હોવો જોઇએ. ધો. 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન અને ધો. 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30થી 45 મિનિટના 4 સેશનની ભલામણ કરાઇ છે.

ઓનલાઇન સ્ટડી અંગે વાલીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરાયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ દિશાનિર્દેશ તૈયાર કર્યા છે. કોરોના મહામારીના કારણે 16 માર્ચથી સ્કૂલો બંધ છે, જેની 24 કરોડથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઇ છે. એવામાં ઓનલાઇન સ્ટડીની રોજ ઓછામાં ઓછી 1 શિફ્ટ ફરજિયાત કરાઇ છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે આ દિશાનિર્દેશ ઘરે રહીને ભણતાં બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. મહામારીની અસર ઘટાડવા સ્કૂલોએ શિક્ષણપદ્ધતિ નવેસરથી તૈયાર કરવા ઉપરાંત ઘર અને સ્કૂલ માટે ગુણવત્તાસભર મિશ્ર શિક્ષણ વ્યવસ્થા પણ આપવી પડશે.

ટૂંકા સમયના ઓનલાઇન ક્લાસ હોવા જોઈએ
સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીના જણાવ્યા અનુસાર ઓનલાઇન ક્લાસથી બાળકમાં ચીડિયાપણું વધે છે, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ખોરવાય છે, આંખો થાકી જાય તેમ જ લાંબો સમય ક્લાસીસ ચાલુ રહે તો સ્ક્રીનની આદત પડી જાય છે. ધોરણ 10 અને ધોરણ 12નાં બાળકો સમજી શકતા હોવાથી વાંધો આવતો નથી, પણ નાની ઉંમરનાં બાળકો માટે ટૂંકા સમયના ઓનલાઇન ક્લાસીસ રાખવા જોઈએ.

ઘરે પાછા ફરેલા શ્રમિકોનાં બાળકોને ગામની સ્કૂલમાં પ્રવેશ
કેન્દ્રએ કોરોના સંકટના કારણે પરપ્રાંતમાંથી ઘરે પાછા ફરેલા શ્રમિકોનાં બાળકોને તેમના કે નજીકના ગામની સ્કૂલમાં જ પ્રવેશ આપવા અંગે પણ દિશાનિર્દેશ જારી કર્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના મહામારીના કારણે સ્થાનિક ક્ષેત્ર છોડી ગયેલા આવા વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરવા કહ્યું છે. ડેટા બેન્કમાં આવાં બાળકોની ‘પરપ્રાંતી’ કે ‘હંગામી ધોરણે અનુપલબ્ધ’ તરીકે નોંધ કરાશે. તેમને સંભવત: કોઇ ડોક્યુમેન્ટ્સ વિના સ્થાનિક સ્કૂલમાં પ્રવેશ અપાઇ શકે છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન પોતાના ગામડે પાછા ફરેલા વિદ્યાર્થીઓનું તેમની સ્કૂલમાંથી નામ કમી ન થાય તે પણ રાજ્યોએ સુનિશ્ચિત કરવું પડશે.

30 મિનિટના ક્લાસ માટે પૂરી ફી શા માટે
વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું કે, સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન ક્લાસીસનો સમય નક્કી કરી દેવાયો છે. જો સરકારે ઓનલાઇન ક્લાસીસનો સમય 30 મિનિટનો નક્કી કર્યો છે તો વાલીએ આખા દિવસની ગણતરીને કરીને ફી કેમ ચૂકવવાની રહે, વિદ્યાર્થી ન આવતા હોવાથી સ્કૂલને કોઈ ઘસારો પણ નથી થઈ રહ્યો.

ક્લાસ બાદ આંખો હૂંફાળા પાણીથી સાફ કરો
અમદાવાદ ઓપ્થેલમોલોજિકલ સોસાયટીના સેક્રેટરી ડો. જગદીશ રાણાએ જણાવ્યું કે, મોબાઇલ-કમ્પ્યુટર સ્ક્રીન પર એકીટશે જોવાથી આંખ ડ્રાય થતાં સમસ્યા સર્જાય છે, જેથી 1 મિનિટમાં 10થી 12 વાર આંખો પટપટાવવી જોઈએ. ઓનલાઇન ક્લાસીસ બાદ બાળકની આંખો હૂંફાળા પાણીથી ધોવડાવી જોઈએ.

પ્રી-પ્રાઈમરી

સેશન સમય મહતમ સમય
1 30 મિનિટ 30 મિનિટ

ધોરણ 1થી 8

સેશન સમય મહતમ સમય
2 45 મિનિટ 1. 30 કલાક

ધોરણ 9થી 12

સેશન સમય મહતમ સમય
4 30થી 45 મિનિટ 2થી 3 કલાક


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/38UZvAx

માસ્ક ન પહેરવાની માથાકૂટમાં જામનગરના કાલાવડમાં પિતા-પુત્રને માર મારવા મામલે 4 પોલીસકર્મી સસ્પેન્ડ

જામનગર જિલ્લાના કાલાવડમાં માસ્ક વિના બહાર નિકળેલા પિતા અને પુત્રને માર મારવા મામલે એસપીએ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યાછે. તેમજ ચારેય વિરુદ્ધ કલમ 323 અને 114 મુજબ ગુન્હો પણ નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડ તાલુકા મથકનાં મહિલા ફોજદાર વઘાસીયા તથા પોલીસ સ્ટાફ કાલાવડ ટાઉનનાં મેઈન બજાર વિસ્તારમાં ચેકિંગમાં હતા તે દરમ્યાન ત્યાંથી માસ્ક પહેર્યા વિના પસાર થતા યુવાનની પૂછપરછ કરતા યુવાન પોતે મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતો હતો અને પોતાનું નામ નિશાંત ઘનશ્યામ ઉદેશી જણાવ્યું હતું. યુવકે પોલીસ સાથે રકઝક દરમિયાન ઉગ્રતાભર્યું વર્તન કરી કહ્યું હતું કે “તમે દરરોજ માસ્ક પહેરો છો માટે મને શું કામ કહો છો ? તમે શા માટે માસ્ક માટે હેરાન કરો છો? ”. ત્યારબાદ ફોજદાર વઘાસીયાએ યુવાનને પોલીસ સ્ટેશન લઇ જઈને જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોંધવાની કાર્યવાહી શરુ કરાવી હતી. જેને લઈને યુવાન વધુ ઉગ્ર બન્યો હતો અને પોતાના પિતાને બોલાવ્યા હતા. ત્યારબાદ યુવકનાં પિતાએ પોલીસ સ્ટેશન આવી કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતાં. ઉપરાંત પોલીસ સ્ટેશનનાં કોમ્પ્યુટરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જેને લઈને પોલીસે પિતા-પુત્રને મારા માર્યો હતો.

પોલીસે માસ્ક જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્રને ઢોરમાર માર્યાની ઘટનાને પગલે જામનગરના એસપી કાલાવડ દોડી ગયા હતા અને 3 લોકરક્ષક અને 1 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતાં.ચારેય વિરુદ્ધ કલમ 323 અને 114 મુજબ ગુન્હો પણ નોંધવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પિતા અને પુત્રને પોલીસે માર માર્યો.


from Divya Bhaskar https://ift.tt/2CEYhNt

Trump signs bill, order rebuking China, and slams Joe Biden

Trump signs bill, order rebuking China, and slams Joe Biden

from India Today | Top Stories https://ift.tt/2DInuY6

17 injured in Egytian oil pipeline fire

17 injured in Egytian oil pipeline fire

from India Today | Top Stories https://ift.tt/38VRA5T

Pakistan shells forward areas along LoC in Jammu and Kashmir's Akhnoor sector

Pakistan shells forward areas along LoC in Jammu and Kashmir's Akhnoor sector

from India Today | Top Stories https://ift.tt/2WjIzyq

People with high cholesterol should eliminate carbs, not saturated fat, study suggests

People with high cholesterol should eliminate carbs, not saturated fat, study suggests




from News - Videos - The Times of India https://ift.tt/3j2PINo

Monday, July 13, 2020

રાજ્યમાં કોરોના બેકાબૂ, સતત 5 દિવસથી 800થી વધુ કેસ, કુલ 42,808 પોઝિટિવ કેસમાંથી 29,806 દર્દી ડિસ્ચાર્જ અને 2057ના મોત

રાજ્યમાં લોકલ સંક્રમણમાં સતત વધારાના કારણે દરરોજ નવા કેસોની સંખ્યામાં પણ 50થી 100નો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસથી રોજ 800થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ગઈકાલે તો કેસનો આંકડો 900ને પાર થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 42808 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2057 થયો છે અને કુલ 29806 દર્દીઓને અત્યારસુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે. તો 608 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે રાજ્યમાં કયાં કેટલા કેસ અને કેટલા મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 287, અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46, ભાવનગરમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ગાંધીનગરમાં 25, ખેડા, નવસારીમાં 19-19, દાહોદમાં 16, ભરૂચમાં 15, જામનગરમાં 13, બનાસકાંઠા, મહેસાણામાં 12-12, પાટણમાં 10, મોરબી, આણંદમાં 9-9, વલસાડમાં 8, સાબરકાંઠા, કચ્છમાં 7-7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં 3-3, બોટાદમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં આજે 10 મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, ગાંધીનગર અને મોરબીમાં 1-1 મૃત્યુ થયું છે.

4થી 12જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
04 જુલાઈ 712 21 473
05 જુલાઈ 725 18 486
06 જુલાઈ 735 17 423
07 જુલાઈ 778 17 421
08 જુલાઈ 783 16 569
09 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
કુલ આંકડો 8122 151 4865

4 દિવસથી રાજ્યમાં દરરોજ 800થી વધુ કેસ,અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)
8 જુલાઈ 783(156)
9 જુલાઈ 861(162)
10 જુલાઈ 875(165)
11 જુલાઈ 872 (178)
12 જુલાઈ 879(172)
13 જુલાઈ 902(164)

કુલ 42,808 દર્દી, 2,057ના મોત અને 29,806 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 23,259 1522 18,047
સુરત 8,115 219 4966
વડોદરા 3126 51 2240
ગાંધીનગર 910 35 647
ભાવનગર 642 13 227
બનાસકાંઠા 348 14 224
આણંદ 307 13 267
અરવલ્લી 251 24 210
રાજકોટ 689 17 184
મહેસાણા 451 14 197
પંચમહાલ 249 16 184
બોટાદ 123 3 81
મહીસાગર 177 2 127
પાટણ 286 20 191
ખેડા 328 14 203
સાબરકાંઠા 257 8 170
જામનગર 362 9 196
ભરૂચ 438 11 246
કચ્છ 252 7 142
દાહોદ 152 2 56
ગીર-સોમનાથ 132 1 51
છોટાઉદેપુર 82 2 55
વલસાડ 351 5 123
નર્મદા 108 0 94
દેવભૂમિ દ્વારકા 29 3 22
જૂનાગઢ 358 7 172
નવસારી 270 2 138
પોરબંદર 28 2 19
સુરેન્દ્રનગર 317 8 150
મોરબી 95 4 38
તાપી 43 0 14
ડાંગ 7 0 4
અમરેલી 178 8 85
અન્ય રાજ્ય 88 1 36
કુલ 42,808 2057 29,806


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, A total of 42,808 positive cases, 29,806 patient discharges and 2057 deaths


from Divya Bhaskar https://ift.tt/3fmOZEq

પોસ્ટમાં અમિતાભ બચ્ચનને રેડિઅન્ટ લાઈફ કૅરના મેમ્બર કહ્યાં, કંપનીએ તથ્યો સાથે દાવાને નકારી કાઢ્યો

કોરોનાવાઈરસ પોઝિટિવ બાદ અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમના પરિવારના સભ્યો, કલીગ્સ તથા ચાહકો તેઓ જલ્દી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. તો એક ભ્રામક પોસ્ટ પણ વ્હોટ્સએપ તથા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

શું છે વાઈરલ પોસ્ટ?
વાઈરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે, અમિતાભ તથા અભિષેક બચ્ચન બંનેમાં કોરોનાના લક્ષણો નથી અને તેમની તબિયત સારી છે. તેમની પાસે જુહૂમાં ત્રણ બંગલામાં છે અને કુલ 18 રૂમ છે. ત્યાં સુધી કે એક રૂમમાં મિની ICU છે અને 2 ડોક્ટર્સ 24 કલાક ત્યાં હાજર હોય છે. જોકે, અમિતાભ નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા અને તેઓ પોતાની દરેક ટ્વીટમાં હોસ્પિટલ તથા ડોક્ટર્સનો આભાર માની રહ્યાં છે. તેમણે રેડિઅન્ટ ગ્રુપમાં રોકાણ કર્યું છે. આ ગ્રુપના તેઓ બોર્ડ મેમ્બર પણ છે. આ ગ્રુપ નાણાવટી હોસ્પિટલનું છે. આ હોસ્પિટલ મોટું બિલ બનાવે છે અને 10માંથી સાત વ્યક્તિને કોરોના પોઝિટિવ કહીને કારણ વગર લાંબા સમય સુધી હોસ્પિટલમાં એડમિટ રાખે છે. નાણાવટીની ઈમેજ સારી કરવા માટે બેસ્ટ સ્ક્રિપ્ટ તથા એક્ટિંગ.

રેડિઅન્ટ સામે આવીને આ દાવાઓનું ખંડન કર્યું

પોસ્ટ વાઈરલ થયા બાદ રેડિઅન્ડ લાઈફ કૅર પ્રાઈવેટ લિમિટેડે સ્પષ્ટતા આપી હતી. દિવ્ય ભાસ્કરને મોકલેલા ઓપન લેટરમાં કહ્યું હતું, હું સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનને લઈ ચાલતા વાઈરલ ન્યૂઝને લઈ તમારી સાથે સંપર્ક કરી રહ્યો છું. હાલમાં અમિતાભ Covid 19 પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.

વ્હોટ્સએપ મેસેજમાં ખોટો દાવો કરવામાં આવ્યો

  • અમિતાભ બચ્ચન રેડિઅન્ટ લાઈફ કૅર પ્રાઈવેટ લિમિટેડના બોર્ડ મેમ્બર છે
  • તેઓ અસિમ્પ્ટમૅટિક છે
  • તેમણે એક વીડિયોમાં નાણાવટી હોસ્પિટલના વખાણ કર્યાં

ત્યારબાદ રેડિઅન્ટ તરફથી આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું, આ દાવો ખોટો છે અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. આ રેડિઅન્ટ લાઈફ કૅરની ઓફિશિયલ વેબસાઈટ છે અને તેમાં તમામ બોર્ડ મેમ્બર્સના નામ સામેલ છે.
વેબ પોર્ટલ https://ift.tt/3iYDZzi પ્રમાણે, કંપનીના છ ડિરેક્ટર છે.

  1. સંજય ઓમ પ્રકાશ નાયર
  2. મહેન્દ્ર લોધા
  3. નારાયણ શેષાદ્રી
  4. અભય સોઈ
  5. પ્રશાંત કુમાર
  6. પ્રાચી સિંહ

( વેબસાઈટઃ https://ift.tt/1RR9kyA
https://ift.tt/2OoCMU0) DIN (07657048)ની સાથે રેડિઅન્ટમાં અમિતાભ બચ્ચનની કોઈ ડિરેક્ટરશિપ નથી.

ભ્રામક માહિતીઃ અમિતાભ બચ્ચનમાં લક્ષણો નથી
હકીકતઃ અમિતાભ બચ્ચનમાં સતત હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. તેઓ આઈસોલેશન વોર્ડમાં દાખલ છે અને તમામ હોસ્પિટલના ડોક્ટર્સ એ વાત કહી ચૂક્યા છે કે 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં જો હળવા લક્ષણો પણ જોવા મળે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.

ભ્રામક માહિતીઃ અમિતાભ બચ્ચને હોસ્પિટલને લઈ ટ્વીટ કરી
હકીકતઃ નાણાવટી હોસ્પિટલે 12 જુલાઈ, 2020ના રોજ સ્પષ્ટ રીતે એક નિવેદનમાં પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે બચ્ચને દાખલ થયા બાદ એક પણ વીડિયો ટ્વીટ કર્યો નથી.

કંપની તરફથી અંતે કહેવામાં આવ્યું કે અમને આશા છે અને અમને વિશ્વાસ છે કે તમે તથ્યો સામે લાવશો અને ઓનલાઈન વિવાદમાં જે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેની સત્ય હકીકત સામે લાવશો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In the post, Amitabh Bachchan was called a member of Radiant Life Care, the company denied the claim with facts.


from Divya Bhaskar https://ift.tt/3ev90HE

મિથુન રાશિમાં બુધની ચાલમાં ફેરફાર થવાથી હવે 9 રાશિઓ માટે શુભ સમય શરૂ થયો

કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રએ જણાવ્યું કે, 12 જુલાઈએ સવારે બુધ ગ્રહ મિથુન રાશિમાં ઉદય થયો અને બપોરે માર્ગી પણ થઇ ગયો. એટલે હવે આ ગ્રહનું શુભફળ મળવા લાગશે. આ પહેલાં 18 જૂને બુધ આ રાશિમાં વક્રી થયો અને 21 જૂને અસ્ત પણ થઇ ગયો હતો. જેના કારણે અત્યાર સુધી બિઝનેસ અને અર્થવ્યવસ્થા ઉપર બુધનો અશુભ પ્રભાવ પડી રહ્યો હતો. પં. મિશ્રા પ્રમાણે આ ગ્રહના પ્રભાવથી કાનૂન, શિલ્પ, મેડિકલ ક્ષેત્ર માટે પણ પરેશાનીભર્યો સમય હતો. પરંતુ બુધના ઉદય થયા બાદ માર્ગી થઇ જવાથી હવે સારા ફેરફાર જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું કે બુધના શુભ પ્રભાવથી મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકોને ફાયદો મળશે. આ સિવાય વૃષભ, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમાણે 12 રાશિઓ ઉપર બુધનો પ્રભાવઃ-

મેષઃ- બુધના પ્રભાવથી વિચારેલાં કામ પૂર્ણ થઇ શકે છે. જોબ અને બિઝનેસમાં આગળ વધવાનો અવસર મળશે. તમારી યોજનાઓ પૂર્ણ થશે. લેવડ-દેવડ અને રોકાણમાં પણ ફાયદો આપનાર સમય રહેશે. જૂની લોન અથવા દેવાથી છુટકારો મળી શકે છે. સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળશે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે.

વૃષભઃ- બુધની ચાલમાં ફેરફાર થવાથી સાવધાન રહેવું પડશે. સમજી-વિચારીને બોલવું પડશે. તમારી કહેલી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. ખોટા સમયે ખોટી વાતો બોલવાના કારણે પોતાના માટે પરેશાની ઊભી કરી શકો છો. જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પોતાના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. મોં અથવા દાંત સાથે જોડાયેલી કોઇ સમસ્યા થઇ શકે છે.

મિથુનઃ- આ રાશિનો સ્વામી જ બુધ છે. બુધના પ્રભાવથી સારો સમય રહેશે. જોબ અને બિઝનેસમાં આગળ વધવાનો અવસર મળશે. સુખ વધશે. માતાના સ્વાસ્થ્યમાં સુધાર થશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિની સંભાવના છે. લેવડ-દેવડ અને રોકાણમાં પણ ફાયદો મળી શકે છે. અટવાયેલું ધન મળવાના યોગ બની રહ્યા છે. આવક પણ વધી શકે છે. તમારા કામથી અન્ય લોકો પ્રભાવિત થઇ શકે છે.

કર્કઃ- બુધની ચાલમાં ફેરફાર થવાથી સાવધાન રહેવું પડશે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિવાદ થવાની સંભાવના છે. ખર્ચ વધી શકે છે. રૂપિયા સાથે જોડાયેલાં મામલાઓ ગુંચવાઇ શકે છે. લોન લેવાથી બચવું. હાલ કોઇ નવું રોકાણ કરશો નહીં. જૂના કોર્ટ કેસને લઇને ભાગદોડ થઇ શકે છે.

સિંહઃ- બુધના પ્રભાવથી સિંહ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકોને અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. બિઝનેસમાં ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. અન્ય મામલાઓમાં પણ નક્ષત્રનો સાથ મળી શકે છે. નવા લોકો પાસેથી મદદ મળી શકે છે.

કન્યાઃ- બુધના શુભ પ્રભાવથી તમારા અટવાયેલાં કામ પૂર્ણ થઇ શકે છે. પોતાને એનર્જેટિક અનુભવ કરી શકો છો. તમારા કામકાજના વખાણ થઇ શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે. બુધની ચાલમાં ફેરફાર થવાથી તમે નવી યોજનાઓ ઉપર કામ કરશો અને તેનો ફાયદો પણ તમને મળશે. સ્વાસ્થ્યમાં સુધાર થઇ શકે છે.

તુલાઃ- બુધની ચાલમાં ફેરફાર થવાથી તમને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે. અધિકારીઓ પાસેથી મદદ મળશે. નવું કામ અથવા નવી જવાબદારી તમને મળી શકે છે. સાથે કામ કરતાં લોકો પણ મદદ કરશે. આવક વધવાના યોગ બની રહ્યા છે. દૂર સ્થાનના લોકો પાસેથી ફાયદો મળી શકે છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે.

વૃશ્ચિકઃ- બુધની સ્થિતિ તમારી રાશિ માટે ઠીક રહેશે નહીં. રોજિંદા કાર્યોમાં અચાનક થોડા ફેરફાર આવે તેવા યોગ બની રહ્યા છે. જેના કારણે તમારી ચિંતા વધી શકે છે. ખર્ચ વધી શકે છે. સેવિંગ્સ પણ પૂર્ણ થઇ શકે છે. નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર આવી શકે છે. તાકાત અને નકારાત્મકતાના કારણે પરેશાની વધી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.

ધનઃ- બુધના શુભ પ્રભાવથી નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. અધિકારીઓ તમારા કામના વખાણ કરશે. નવું કામ અથવા નવી જવાબદારી મળવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં ફાયદો વધી શકે છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. દાંપત્ય સુખ પણ વધી શકે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. રોકાણ અને લેવડ-દેવડમાં ફાયદો થઇ શકે છે.

મકરઃ- નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકો પોતાની યોજનાઓથી આગળ વધી શકે છે. તમારી યોજનાઓના વખાણ થઇ શકે છે. કામકાજ વધશે અને તેનો ફાયદો પણ મળી શકે છે. સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકે છે. બિઝનેસ કરતાં લોકોને ફાયદાના સોદા મળી શકે છે. બિઝનેસ વધારવા માટે લોન લેવા માંગો છો તો મળી જશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભઃ- નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકો માટે સમય સારો છે. તમારી યોજનાઓથી તમને ધનલાભ થઇ શકે છે. આવક પણ વધી શકે છે. જૂના રોકાણથી ફાયદો મળી શકે છે. નવી યોજનાઓ ઉપર કામ થશે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય સારો છે.

મીનઃ- બુધની ચાલમાં ફેરફાર થવાથી તમારી સુખ-સુવિધાઓ વધી શકે છે. આરામ વધશે. બુધના પ્રભાવથી પ્રોપર્ટી કે કોઇ વાહનની ખરીદારી થઇ શકે છે. ખર્ચ પણ વધવાની સંભાવના છે. જીવનસાથી પાસેથી મદદ મળી શકે છે. નોકરિયાત લોકોના કામકાજના વખાણ થઇ શકે છે. નવું કામ મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The change in Mercury's movement in Gemini has now started auspicious time for 9 zodiac signs


from Divya Bhaskar https://ift.tt/305Ia3D

One year of England's World Cup win: The final that had all ingredients of a blockbuster film

On this day in 2019: England prevail over New Zealand in greatest-ever World Cup final

from India Today | Top Stories https://ift.tt/32dAKho

US rejects Chinese claims in South China Sea

US rejects Chinese claims in South China Sea

from India Today | Top Stories https://ift.tt/2OlY7xp

US has biggest coronavirus testing programme in the world: Trump

US has biggest coronavirus testing programme in the world: Trump

from India Today | Top Stories https://ift.tt/3emriux

Over 90 doctors on Covid-19 duty have died so far: IMA

Over 90 doctors on Covid-19 duty have died so far: IMA

from India Today | Top Stories https://ift.tt/3fmyfND

BJP leader Kirit Somaiya demands immediate release of Covid-19 allowance for doctors infected on duty

BJP leader Kirit Somaiya demands immediate release of Covid-19 allowance for doctors infected on duty

from India Today | Top Stories https://ift.tt/2ZoaWgT

Harassed by rapist’s family, forced to abort child, Dalit woman hangs herself in UP

Harassed by rapist’s family, forced to abort child, Dalit woman hangs herself in UP

from India Today | Top Stories https://ift.tt/2WgAlHb

Entire UP helpline team down with Covid, one member restores system from hospital bed

Entire UP helpline team down with Covid, one man restores system from hosp

from India Today | Top Stories https://ift.tt/3epdBer

US debates school reopening, WHO warns 'no return to normal'

US debates school reopening, WHO warns 'no return to normal'

from India Today | Top Stories https://ift.tt/2WgBgr4

Covid: Doctor sends wife’s samples in different name, maid spills beans as 4 test positive

Covid: Doctor sends wife’s samples in different name, maid spills beans

from India Today | Top Stories https://ift.tt/38S06D3

CBSE results: No. of students getting 95%+ in Class 12 surges 119%

CBSE results: No. of students getting 95%+ in Class 12 surges 119%




from News - Videos - The Times of India https://ift.tt/32bFioJ

Covid dictates changes to India cricket schedule

The chronological sequence of India's cricket schedule starting March this year first got disturbed when Covid-19 took a toll on the one-day series against South Africa at home, followed by the postponement of the 13th edition of the IPL. Going forward, the pandemic has disrupted whatever cricket India plays at home and abroad between now and the IPL next year.

from Times of India https://ift.tt/3eqTDQz

How a wrong analysis of satellite images swamped China's social media

How a wrong analysis of satellite images swamped China's social media

from India Today | Top Stories https://ift.tt/2DwXZsu

US debates school reopening, WHO warns 'no return to normal'

US debates school reopening, WHO warns 'no return to normal'

from India Today | Top Stories https://ift.tt/2OlO4Zd