Ad

Friday, June 26, 2020

રાજ્યમાં કુલ 30,158 પોઝિટિવ કેસ, 22,038 દર્દી ડિસ્ચાર્જ અને 1,772ના મોત, હાલમાં 6348 કેસ એક્ટિવ

રાજ્યમાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ 400થી 500 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 30,158 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1,772એ પહોંચ્યો છે, જ્યારે 22,038 દર્દી સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં 6348 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેન્ટીલેટર પર અને 6287ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ સામે આવ્યા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 532 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગઈકાલે કયા જિલ્લામાં કેટલા મોત અને કેટલા નવા કેસ
જ્યારે જિલ્લા મુજબ નોંધાયેલા કેસો અને મોતની વાત કરીએ તો અમદાવાદમાં 219, સુરતમાં 182, વડોદરામાં 45, ભરૂચમાં 16, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 13, આણંદમાં 8, પાટણમાં 8, જામનગરમાં 9, મહેસાણામાં 7, ભાવનગરમાં 8, સુરેન્દ્રનગરમાં 6, નર્મદામાં 6 કેસ, ખેડામાં 5, અમરેલીમાં 5, અન્ય રાજ્યમાં 5, પંચમહાલમાં 4, નવસારીમાં 4, કચ્છમાં 3, જૂનાગઢ,બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, મોરબીમાં 2-2,અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 8, સુરતમાં 3, અરવલ્લીમાં 2, ભરૂચમાં 2, મહેસાણા સાબરકાંઠા અને પાટણમાં 1-1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 28દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ કેસ, અમદાવાદમાં 4 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)

કુલ 30,158દર્દી,1,772ના મોત અને 22038 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 20,058 1,398 15,261
સુરત 4058 145 2731
વડોદરા 2074 47 1463
ગાંધીનગર 616 27 440
ભાવનગર 226 13 147
બનાસકાંઠા 168 8 148
આણંદ 182 13 154
અરવલ્લી 187 17 152
રાજકોટ 228 5 116
મહેસાણા 235 10 134
પંચમહાલ 163 15 127
બોટાદ 80 2 66
મહીસાગર 134 2 110
પાટણ 162 15 106
ખેડા 136 5 97
સાબરકાંઠા 159 9 110
જામનગર 183 4 79
ભરૂચ 197 8 91
કચ્છ 130 5 88
દાહોદ 57 0 43
ગીર-સોમનાથ 67 1 47
છોટાઉદેપુર 48 2 37
વલસાડ 88 3 48
નર્મદા 85 0 32
દેવભૂમિ દ્વારકા 20 1 15
જૂનાગઢ 76 1 46
નવસારી 68 1 37
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 112 5 56
મોરબી 13 1 6
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 59 5 25
અન્ય રાજ્ય 65 1 8
કુલ 30,158 1,772 22,038


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, A total of 30,158 positive cases, 22038 patient discharges and 1,772 deaths in the state


from Divya Bhaskar https://ift.tt/3844uOR

Fact Check: Did Muslim members in AYUSH ministry conspire against Baba Ramdev's Coronil?

Fact Check: Did Muslim members in AYUSH ministry conspire against Baba Ramdev's Coronil?

from India Today | Top Stories https://ift.tt/2ZgMVqy

As UK residents crowd beaches in hot weather, experts warn of coronavirus spike

As UK residents crowd beaches in hot weather, experts warn of coronavirus spike

from India Today | Top Stories https://ift.tt/2BhIkwz

Pakistan rejects reports on its FATF Grey List, says 'no decision' taken

Pakistan rejects reports on its FATF Grey List, says 'no decision' taken

from India Today | Top Stories https://ift.tt/2NAquHG

LAC Stand-off: When Atal Bihari Vajpayee left China fuming with with herd of sheep

LAC Stand-off: When Atal Bihari Vajpayee left China fuming with with herd of sheep




from News - Videos - The Times of India https://ift.tt/2CCClmb

Can China be removed from UN Security Council?

Can China be removed from UN Security Council?

from India Today | Top Stories https://ift.tt/3g7bSMd

A good Samaritan or simply a fool?

A good Samaritan or simply a fool?




from News - Videos - The Times of India https://ift.tt/2A6qfRp

Live: UP board results to be released at 12 pm

UP Board is all set to announce the results of the high school (class 10) and intermediate (class 12) board examinations 2020​​. Stay connected for UP Board Results 2020 Live Updates.

from Times of India https://ift.tt/3eEU4HJ

Covid-19 has further marginalised people with disabilities

We need to build a disability-inclusive response to Covid-19. Since the beginning of the year, more than 200 nations across the globe have been affected by Covid-19. Many are still reeling under the devastating effects...

from Times of India Opinion https://ift.tt/2BhC7Rh

Thursday, June 25, 2020

Manoj Bajpayee on insider-outsider debate: It will change if powerful people make efforts

Manoj: Nepotistic culture will change if powerful people make efforts

from India Today | Top Stories https://ift.tt/3dBvmqo

With coronavirus under control, Vietnam and New Zealand see different travel trends

With coronavirus under control, Vietnam and New Zealand see different travel trends

from India Today | Top Stories https://ift.tt/2BCAo95

Threats and stalemate one year after Trump last met North Korea's Kim | Timeline

Threats and stalemate one year after Trump last met North Korea's Kim | Timeline

from India Today | Top Stories https://ift.tt/2B3dVSJ

It's for you: Emotional Jurgen Klopp dedicates title to Liverpool fans, ex-players and managers

Completely overwhelmed: Klopp reflects on Liverpool's Premier League triumph

from India Today | Top Stories https://ift.tt/2Yw8Lr8

Historic event Shravan Parikrama cancelled in Agra due to Covid-19

Historic event Shravan Parikrama cancelled in Agra due to Covid-19

from India Today | Top Stories https://ift.tt/3i3DTWJ

MSME ministry proposes sandalwood, bamboo plantation for asset monetisation  

MSME ministry proposes sandalwood, bamboo plantation for asset monetisation  

from India Today | Top Stories https://ift.tt/2YyMB7x

New Lamborghini damaged in crash just 20 minutes after purchase in England

New Lamborghini damaged in crash just 20 minutes after purchase

from India Today | Top Stories https://ift.tt/3fYOyA1

TOI Daily: Delhi-NCR Covid cases more than 167 countries'

TOI Daily: Delhi-NCR Covid cases more than 167 countries'




from News - Videos - The Times of India https://ift.tt/3i6d5F6

FM rues import of even Ganeshas from China

Finance minister Nirmala Sitharaman on Thursday said that there was nothing wrong in imports to spur growth but wondered why even Ganesha idols should be bought from China.

from Times of India https://ift.tt/2CIGFk1

China’s Hong Kong policy: Reneging on promises and undermining one country, two systems principle

It has been just about 23 years since the People’s Republic of China assumed sovereignty over Hong Kong from Great Britain. Under the One Country, Two Systems Principle, Hong Kong was to remain a unique...

from Times of India Opinion https://ift.tt/2Ywgrtk

ગુજરાતના સૌથી ઊંચા ગિરીમથક ડાંગનો સૂર્યોદય ડ્રોનમાં કંડારાયો

ગુજરાતનો એકમાત્ર ડાંગ જિલ્લો હાલ કોરોનામુક્ત છે. ડાંગના સાપુતારાથી પણ ઉંચુ ગિરિમથક ગણાતા ડોનમાં સૂર્યોદયને ભાસ્કરના વાચકો માટે ડ્રોનમાં કંડારાયો છે. આશા રાખીએ ડાંગની જેમ એક પછી એક જિલ્લા કોરાનામુક્ત થાય અને રાજ્યમાં આવો ભાસ્કરોદય ઝડપથી થાય.

અંધકારને ચીરી સૂર્યોદયના કિરણોથી પ્રકૃતિના રોમરોમમાં ઉજાશ અને નવી આશાનો સંચાર થાય છે તેમ કોરોનાના અંધકારને ચીરી નવી અભિલાષા સાથે ગુજરાતમાં તેજસ્વિતા ફેલાય, જીવન પૂર્વવત થાય, અર્થતંત્ર મજબૂત બને અને દરેક ગુજરાતી ફરી નવી વિકાસગાથા રચે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Dawn, the highest hill station in Gujarat, was sunk in a drone


from Divya Bhaskar https://ift.tt/3dC3By5

Jurgen Klopp will go down as an absolute legend of Liverpool club: Michael Owen

Jurgen Klopp’s men best Liverpool team I have ever seen: Michael Owen

from India Today | Top Stories https://ift.tt/2YwF1ui

US reviewing military shift to counter China's threat to India, other countries: Mike Pompeo

US reviewing military shift to counter China's threat to India, other countries: Mike Pompeo

from India Today | Top Stories https://ift.tt/3i3tR88

Central team to visit Gujarat, Maharashtra and Telangana to boost Covid-19 management efforts

Central team to visit 3 states to boost Covid-19 management efforts

from India Today | Top Stories https://ift.tt/2Z9mfZ4

Is Mumbai coming out of the Covid-19 chokehold?

Is Mumbai coming out of the Covid-19 chokehold?

from India Today | Top Stories https://ift.tt/2B15My5

Furious over his goat being bitten by dog, Odisha man poisons more than 40 strays to avenge

Furious over his goat being bitten by dog, Odisha man poisons more than 40 strays to avenge

from India Today | Top Stories https://ift.tt/2A5DT7x

Liverpool win PL to end 30-year title drought

Thirty years of hurt came to an end for Liverpool when they were confirmed as Premier League champions on Thursday courtesy of second-placed Manchester City's 1-2 defeat against Chelsea. The result at Stamford Bridge means Liverpool have an unassailable 23-point lead over City with seven games left. Liverpool were last champions of England when they won the old First Division title in 1989-90.

from Times of India https://ift.tt/3fRGvVM

Cos viable before Covid may get debt recast: FM

The finance ministry has initiated steps for a one-time restructuring for businesses that were viable in the pre-Covid period, but are struggling under the weight of the pandemic, the government said on Thursday.

from Times of India https://ift.tt/2Yy8Bzj

Google to pay some news publishers for content

Google says it will start paying some publishers for their news content, in a move that could pave the way for reduced tensions between the internet search giant and the beleaguered news industry. The company said on Thursday that it plans to launch this year a licensing programme to pay publishers for “high-quality content”.

from Times of India https://ift.tt/2Yxstmg

India-China border dispute: When Atal Bihari Vajpayee drove 800 sheep to Chinese embassy

India-China border dispute: When Vajpayee drove 800 sheep to Chinese embassy

from India Today | Top Stories https://ift.tt/2VAGsGj

China will never treat India with respect, says USISPF president Mukesh Aghi

China will never treat India with respect, says USISPF president Mukesh Aghi

from India Today | Top Stories https://ift.tt/2NvFR46

Assam: Rains affect Baghjan blowout control operations

Assam: Rains affect Baghjan blowout control operations

from India Today | Top Stories https://ift.tt/2BC5Rbs

Amid Coronil row, Patanjali claims it broke no rules

Amid Coronil row, Patanjali claims it broke no rules

from India Today | Top Stories https://ift.tt/2VhiU8U

Wednesday, June 24, 2020

Govt opens doors for private sector participation in space activities

Govt opens doors for private sector participation in space activities

from India Today | Top Stories https://ift.tt/2Z5Gzum

Stressed under lockdown people now taking even low-paying jobs: CMIE chief

Stressed under lockdown people now taking even low-paying jobs: CMIE chief

from India Today | Top Stories https://ift.tt/2CErFUi

Premier League wrap: Liverpool move closer to title, Martial treble keeps Manchester United in top-four hunt

Premier League: Liverpool on brink of title, Manchester United make top four move

from India Today | Top Stories https://ift.tt/2Vg06XD

LAC row live: PLA opens new front in Depsang Bulge

Border tensions between India and China continue, and several rounds of military-level talks have been unable to break the deadlock. India has rubbished China's claim of sovereignty over the Galwan Valley, and said that unilateral attempt to change status quo on LAC will not be accepted. Stay with TOI for live updates.

from Times of India https://ift.tt/31eksnX

Live: AHSEC class 12 results to be out today

The Assam HS Final Year Exam Results 2020 was released at around 9.00 am on the official websites of the board - ahsec.nic.in and resultsassam.nic.in.

from Times of India https://ift.tt/2VjWofU

અમેરિકામાં ફટાકડાની સમસ્યાથી ચિંતાતુર લોકોએ મેયરના ઘરની બહાર આખી રાત હોર્ન વગાડ્યું, સવારે તો નવા નિયમ બની ગયા

અમેરિકા સહિત ઘણા શહેરોમાં આખી રાતથીફૂટી રહેલા ફટાકડાથી સ્થાનિકો મુશ્કેલીમાં છે. લોકોની ઊંઘ પણ તેના લીધે થતી નથી. આ સમસ્યાનો સામનો સૌથી વધારે ન્યૂ યોર્ક શહેર કરી રહ્યું છે. ગેરકાયદેફટાકડાફોડવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો છૂટથી આતશબાજી કરી રહ્યા છે.

ઘણી ફરિયાદો કરીહોવા છતાં પણ કોઈ કાર્યવાહી ના થતા ન્યૂ યોર્ક શહેરના લોકોએ મેયર બિલ ડી બ્લાસિયોના ઘરની બહાર આખી રાત હોર્ન વગાડતા રહ્યા. લોકોએ પોતાની તકલીફ મેયરને જણાવતા કહ્યું કે, જો અમે શાંતિથી ઊંઘી શકતા નથી તો તમને પણ ઊંઘવા નહિ દઈએ. ત્યારબાદ મેયરે સવાર પડતાની સાથે જ કડક નિર્ણય લઇ લીધા.

મેયરે 42 લોકોની ટાસ્ક ફોર્સ બનાવી, જેમાં 10 પોલીસ અધિકારી, 12 ફાયર માર્શલ અને 20 ઇન્વેસ્ટીગેટર સામેલ છે. આ ટીમ તપાસ સિવાય સ્ટિંગ ઓપરેશન પણ કરશે અને કઈ જગ્યાએ લોકો પ્રતિબંધ હોવા છતાં પણ ફટાકડાં ફોડે છે તેનું ધ્યાન રાખશે. આ ફટાકડાં કોણ સપ્લાયકરે છે તેની પર પણ નજર રાખશે. ત્યારબાદ દોષીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફટાકડાથી લોકો એટલા બધા મુશ્કેલીમાં છે કે માત્ર ન્યૂ યોર્ક શહેરમાં જ ઇમર્જન્સી નંબર પર એક મહિનામાં 12,500 ફરિયાદ આવી ગઈ છે. વર્ષ 2019માં પ્રથમ 6 મહિનામાં નોંધાયેલી ફરિયાદો કરતાં આ ફરિયાદો 12 ગણી વધારે છે. માત્ર બ્રુકલિનમાં જ જૂન મહિનામાં 4500 ફરિયાદ આવી ચૂકી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
People disturbed by firecrackers played the horn outside the New york Mayor's house overnight; Make new rules in the morning


from Divya Bhaskar https://ift.tt/2Yu2iwI

સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ; છેલ્લા 13 એન્કાઉન્ટરમાં 41 આતંકી ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે ફરી અથડામણ ચાલી રહી છે. સોપોરના હર્દશિવા વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાના ઈનપુટ મળતા સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સુરક્ષાદળોએ આતંકીઓને સરેન્ડર કરવાની તક પણ આપી હતી, પણ તેમને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

આ મહિને આ 14મું એન્કાઉન્ટર છે. છેલ્લા 13 એન્કાઉન્ટરમાં 41 આતંકી ઠાર મરાયા છે. બે દિવસ પહેલા પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા હતા.

જમ્મુમાં છેલ્લા 13 એન્કાઉન્ટર

તારીખ સ્થળ આંતકી ઠાર મરાયા
1 જૂન નૌશેરા 03
2 જૂન ત્રાલ(પુલવામા) 02
3 જૂન કંગન(પુલવામા) 03
5 જૂન કાલાકોટ(રાજૌરી) 01
7 જૂન રેબન(શોપિયા) 05
8 જૂન પિંજરો(શોપિયા) 04
10 જૂન સૂગુ(શોપિયા) 05
13 જૂન નિપોરા(કુલગામ) 02
16 જૂન તુર્કવંગમ(શોપિયા) 03
18-19 જૂન અંવતીપોરા અને શોપિયા 08
21 જૂન શોપિયાં 03
23 જૂન બંદજૂ(પુલવામા) 02
કુલ 41

4 મહિનામાં 4 આતંકી સંગઠનોના સરગના ઠાર
ગત રવિવારે જમ્મુ કાશ્મીર પોલીસે હિજબુલ મુજાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાંથી એક હિજબુલનો સરગના હતો. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, 4 મહિનામાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન અને અંસાર ગજવત-ઉલ હિન્દના સરગના ઠાર મરાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jammu and Kashmir: Encounter between security forces and militants news and updates


from Divya Bhaskar https://ift.tt/2Z9MRc6

1 જુલાઈથી ચાતુર્માસઃ શ્રાદ્ધ પક્ષ પછી 20 થી 25 દિવસ તહેવારો મોડાં શરૂ થશે, 160 વર્ષ પછી લીપ વર્ષ અને અધિકમાસ એક જ વર્ષમાં

1 જુલાઈએ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઇ રહ્યા છે. ચાતુર્માસનો અર્થ તે ચાર મહિના જ્યારે શુભ કામ કરી વર્જિત હોય છે, તહેવારો શરૂ થાય છે. દેવશયની એકાદશીથી દેવઊઠની એકાદશી વચ્ચેના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે અધિકમાસ હોવાના કારણે ચાતુર્માસ ચારની જગ્યાએ પાંચ મહિના સુધી રહેશે. શ્રાદ્ધ પક્ષ પછી આવતાં બધા જ તહેવાર લગભગ 20 થી 25 દિવસ મોડાં શરૂ થશે.

આ વર્ષે આસો મહિનામાં અધિકમાસ છે, એટલે 2 આસો માસ રહેશે. આ મહિનામાં શ્રાદ્ધ અને નવરાત્રિ અને દશેરા જેવા તહેવાર આવે છે. મોટાભાગે શ્રાદ્ધ પૂર્ણ થતાં જ નવરાત્રિ શરૂ થઇ જાય છે પરંતુ આ વર્ષે એવું થશે નહીં. 17 સપ્ટેમ્બર 2020એ શ્રાદ્ધ પૂર્ણ થશે અને બીજા દિવસથી અધિકમાસ શરૂ થઇ જશે, જે 16 ઓક્ટોબર સુધી ચાલશે.

17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે. આ પ્રકારે શ્રાદ્ધ અને નવરાત્રિ વચ્ચે આ વર્ષે એક મહિનાનો સમય રહેશે. દશેરા 26 ઓક્ટોબરે અને દિવાળી 14 નવેમ્બરે ઉજવવામાં આવશે. 25 નવેમ્બરે દેવઉઠની એકાદશી રહેશે અને આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થઇ જશે.

160 વર્ષ બાદ લીપ વર્ષ અને અધિક માસ એક જ વર્ષમાં-
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે, 19 વર્ષ પહેલાં 2001માં આસો મહિનાનો અધિકમાસ આવ્યો હતો. અંગ્રેજી કેલેન્ડરનું લીપ વર્ષ અને આસોના અધિકમાસનો યોગ 160 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં 1860માં અધિકમાસ આવ્યો હતો, જ્યારે તે વર્ષે લીપ વર્ષ પણ હતું.

દર ત્રણ વર્ષમાં અધિકમાસ આવે છેઃ-
પં. શર્મા પ્રમાણે એક સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાકનું હોય છે, જ્યારે એક ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષની વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે. આ અંતર દર ત્રણ વર્ષમાં લગભગ એક મહિના બરાબર થઇ જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસ વધારે આવે છે, જેના કારણે તેને અધિકમાસનું નામ આપવામાં આવ્યું છે. અધિકમાસ પાછળ સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. જો અધિકમાસ ન હોય તો આપણાં તહેવારોની વ્યવસ્થા ખરાબ થઇ જાય છે. અધિકમાસના કારણે જ બધા તહેવારો પોતાના યોગ્ય સમયે આવે છે.

ચાતુર્માસમાં તપ અને ધ્યાન કરવાનું વિશેષ મહત્ત્વ છેઃ-
ચાતુર્માસમાં સંત એક જ સ્થાને રોકાઇને તપ અને ધ્યાન કરે છે. ચાતુર્માસમાં યાત્રા કરવી જોઇએ નહીં, કેમ કે, આ વર્ષા ઋતુનો સમય રહે છે, આ દરમિયાન નાના-નાની જીવ-જંતુ ઉત્પન્ન થાય છે. આ સમયે વિહાર કરવાથી આ નાના કીટાણુંઓને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે. જેના કારણે જૈન ધર્મમાં ચાતુર્માસમાં સંત એક જ જગ્યાએ રોકાઇને તપ કરે છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે. દેવઉઠની એકાદશી પછી વિષ્ણુજી ફરીથી સૃષ્ટિનો ભાર સંભાળે છે.

અધિકમાસને મળમાસ કેમ કહેવામાં આવે છે?
અધિકમાસમાં બધા જ પવિત્ર કર્મ વર્જિત માનવામાં આવે છે. આ સંપૂર્ણ મહિનામાં સૂર્ય સંક્રાંતિ રહેતી નથી. જેથી આ મહિનો મેલો કહેવાય છે અને એટલે જ તેને મળમાસ કહેવામાં આવે છે. મળમાસમાં નામકરણ, જનોઈ, લગ્ન, ગૃહપ્રવેશ, નવી બહુમૂલ્ય વસ્તુઓની ખરીદારી જેવા શુભ કર્મો કરી શકાતાં નથી.

અધિકમાસને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છેઃ-
માન્યતા છે કે, મેલો મહિનો હોવાના કારણે કોઇપણ દેવતા આ મહિનાના સ્વામી થવાનું ઇચ્છતાં નથી, ત્યારે મળમાસને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. મળમાસની પ્રાર્થના સાંભળીને વિષ્ણુજીએ તેને પોતાનું શ્રેષ્ઠ નામ પુરૂષોત્તમ પ્રદાન કર્યું. શ્રહરિએ મળમાસને વરદાન આપ્યું કે જે આ મહિનામાં ભાગવત કથા સાંભળશે, મનન કરશે, ભગવાન શિવનું પૂજન, ધાર્મિક અનુષ્ઠાન, દાન કરશે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Chaturmas from July 1: Festivals will start 20 to 25 days late after Shraddha Paksha, Leap year after 160 years and Adhikamas in one year


from Divya Bhaskar https://ift.tt/31kRxPr

રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં

રાજ્યમાં કોરોના કહેર યથાવત્ છે. દરરોજ 500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જોકે અમદાવાદમાં નવા કેસ તેમજ મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. સાથે જ ડિસ્ચાર્જની સંખ્યા વધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29001 પોઝિટિવ થયા છે. મૃત્યુઆંક 1736એ પહોંચ્યો છે, જ્યારે 21096 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છે, તો 575 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

ગઈકાલે 24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 215, સુરતમાં 172, વડોદરામાં 45, જામનગરમાં 13, ભરૂચમાં 10, રાજકોટમાં 13, પંચમહાલમાં 9, સુરેન્દ્રનગર, નર્મદામાં 9-9, અરવલ્લી, ગાંધીનગરમાં 7-7, નવસારીમાં 6, કચ્છમાં 5, ગીર-સોમનાથમાં 5, વલસાડમાં 5, મહેસાણામાં 5, ભાવનગરમાં 5, જૂનાગઢમાં 4, મહીસાગર, ખેડા, છોટાઉદેપુરમાં 3-3, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લા 26દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)

કુલ 28429દર્દી, 1,711ના મોત અને 20,521 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 19,601 1,378 14,835
સુરત 3712 139 2536
વડોદરા 1985 47 1310
ગાંધીનગર 587 25 391
ભાવનગર 213 13 145
બનાસકાંઠા 168 8 142
આણંદ 167 13 136
અરવલ્લી 184 15 144
રાજકોટ 201 5 104
મહેસાણા 224 10 134
પંચમહાલ 153 15 117
બોટાદ 77 2 66
મહીસાગર 133 2 110
પાટણ 152 14 98
ખેડા 126 5 89
સાબરકાંઠા 156 8 105
જામનગર 160 4 71
ભરૂચ 172 6 77
કચ્છ 122 5 85
દાહોદ 53 0 43
ગીર-સોમનાથ 63 1 47
છોટાઉદેપુર 46 2 37
વલસાડ 80 3 48
નર્મદા 68 0 30
દેવભૂમિ દ્વારકા 20 1 15
જૂનાગઢ 70 1 42
નવસારી 59 1 37
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 104 4 50
મોરબી 10 1 5
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 51 5 21
અન્ય રાજ્ય 60 1 8
કુલ 29,001 1,736 21,096


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, total of 29001 positive cases in the state, 21096 patient discharges and 1736 deaths


from Divya Bhaskar https://ift.tt/37ZvFdu

ઇતિહાસમાં પહેલી વાર પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું

દેશના ઇતિહાસમાં પહેલી વાર ડીઝલ પેટ્રોલ કરતાં પણ મોંઘું થયું છે. દિલ્હીમાં બુધવારે એક લિટર પેટ્રોલનો ભાવ 79.76 રૂ. હતો જ્યારે એક લિટર ડીઝલનો ભાવ 12 પૈસા વધીને 79.88 રૂ. થયો છે. ઓઇલ કંપનીઓએ સતત 18મા દિવસે ભાવવધારો કરતા ડીઝલ લિટરે 48 પૈસા મોંઘું કરી દીધું. પેટ્રોલનો ભાવ સતત 17 દિવસ સુધી વધારા બાદ બુધવારે સ્થિર રહ્યો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાના પગલે લૉકડાઉન બાદ આમ આદમી માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાતાં મોંઘવારી માઝા મૂકે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ઇન્ડિયન ફાઉન્ડેશન ઑફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના સિનિયર ફેલો અને કન્વિનર એસ. પી. સિંહના જણાવ્યાનુસાર ડીઝલના ભાવ વધતાં આ મહિને ટ્રકો દ્વારા માલ પરિવહન 10-12 ટકા મોંઘું થઇ ચૂક્યું છે. કારખાનાં ખૂલ્યા બાદ માલની આવક વધી છે. બીજી તરફ વેપારીઓ માલ પરિવહનનો વધારાનો બોજ ગ્રાહકો પર નાખી રહ્યા છે.

  • 18 દિવસથી ચાલતા તેલના ખેલના કારણે મોંઘવારી વધી શકે છે
  • ક્રૂડ સસ્તું થતું હતું ત્યારે કંપનીઓએ 12 અઠવાડિયાં સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ન ઘટાડ્યા, હવે ક્રૂડ મોંઘું થતાં પેટ્રોલ લિટરે 8.50 અને ડીઝલ 10.49 રૂ. મોંઘું કરી દીધું

9 વર્ષ અગાઉ ડીઝલ પેટ્રોલથી 68% સસ્તું હતું
આં.રા. બજારમાં ક્રૂડના ભાવ ઘટી રહ્યા હતા ત્યારે ઓઇલ કંપનીઓએ 12 અઠવાડિયાં સુધી ભાવની સમીક્ષા ન કરી. આં.રા. બજારમાં ક્રૂડનો ભાવ 40 ડોલરની નજીક પહોંચ્યા બાદ 7 જૂનથી પેટ્રોલ-ડીઝલના ભાવની દૈનિક સમીક્ષા શરૂ કરી દીધી.

દિલ્હીમાં પેટ્રોલ 17 દિવસમાં 8.50 રૂ. જ્યારે ડીઝલ 18 દિવસમાં 10.49 રૂ. મોંઘું થયું. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 20 મહિનાની સૌથી ઊંચી સપાટીએ જ્યારે ડીઝલનો ઓલ ટાઇમ હાઇ સપાટીએ છે.

રાહુલનો કટાક્ષ- સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ અનલૉક કર્યા
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતું ટિ્વટ કર્યું કે, ‘મોદી સરકારે કોરોના મહામારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ અનલૉક કરી દીધા છે.’ સરકારનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ સૌથી નીચી સપાટીએ હોવા છતાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને જનતાને કેમ લૂંટી રહી છે? દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં દેખાવો કર્યા.

દિલ્હીમાં ડીઝલ હવેસૌથી મોંઘું વાહન ઇંધણ

  • ડીઝલ માત્ર દિલ્હીમાં સૌથી મોંઘું વાહન ઇંધણ બન્યું છે. અન્ય રાજ્યો અને મોટાં શહેરોમાં તેનો ભાવ પેટ્રોલથી ઓછો જ છે.
  • 9 વર્ષ અગાઉ ડીઝલનો ભાવ પેટ્રોલથી 68% જેટલો ઓછો હતો. મે, 2011માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 63.37 રૂ. અને ડીઝલનો 37.75 રૂ. હતો.
શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 77.22 77.18
દિલ્હી 79.76 79.88
કોલકાતા 81.45 75.06
મુંબઇ 86.54 78.22


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Diesel is more expensive than petrol for the first time in history


from Divya Bhaskar https://ift.tt/31d0eeo

જુલાઇમાં લેવાનારી યુનિવર્સિટીઓ અને કોલેજોની પરીક્ષા રદ થઇ શકે છે

જુલાઇમાં લેવાનારી યુનિવર્સિટીઓ અને કોલેજોની પરીક્ષા દેશમાં કોરોના મહામારીને પગલે રદ કરાય તેવી શક્યતા છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની સલાહ બાદ યુજીસી આ અંગે નિર્ણય લેશે.

પોખરિયાલે કોલેજો-યુનિ.ઓને પરીક્ષા લેવા તથા નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા અંગે જારી માર્ગદર્શિકા અંગે યુજીસીને ફેરવિચાર કરવા બુધવારે સલાહ આપી. દિલ્હી યુનિ. ટીચર્સ એસો.એ પોખરિયાલની આ સલાહને આવકારી છે. યુજીસીએ તાજેતરમાં માર્ગદર્શિકા જારી કરીને યુનિ.-કોલેજોને છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઇન લેવા તથા નવું સત્ર શરૂ કરવા, નવા એડમિશન અંગે નિર્દેશ જારી કર્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Yt0OCZ

ભાસ્કર હવે રાજસ્થાનનું નંબર-1 અને  સૌથી વધુ વંચાતુ અખબાર

અમે તમને એ જણાવતા ગર્વ અનુભવીએ છીએ અને નતમસ્તક પણ છીએ કે દેશના નંબર-1 અખબાર ગ્રૂપ ભાસ્કર જૂથે રાજસ્થાનમાં બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અખબારોની દુનિયાની સર્વોચ્ચ સંસ્થાઓ ABC અને IRS બંનેએ પોતાના તાજેતરના રિપોર્ટમાં એ પ્રમાણિત કર્યું છે કે ભાસ્કર જૂથનું અખબાર ‘દૈનિક ભાસ્કર’ હવે સંપૂર્ણ રાજસ્થાનનું નંબર-1, સૌથી વધુ વંચાતુ અને સૌથી વધુ સર્ક્યુલેશન ધરાવતું અખબાર છે. 16 લાખ 44 હજાર કોપીઓ અને 60 લાખથી વધુ વાચકો સાથે આ રેકોર્ડ સ્થાપિત થયો છે.

દૈનિક ભાસ્કરની રાજસ્થાનની યાત્રા 19 ડિસેમ્બર 1996ના રોજ એ સંકલ્પ સાથે શરૂ થઇ હતી કે જે રીતે સૂર્યનાં દરેક કિરણ પર સૌનો અધિકાર છે, એ જ રીતે ભાસ્કરના દરેક સમાચાર અને વિચાર પર તેના વાંચકોનો અધિકાર છે. આ સફર હવે તમારા વિશ્વાસથી સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. આજે રાજસ્થાનમાં ભાસ્કર પાસે સૌથી વધુ એડિશન, પ્રિન્ટિંગ સેન્ટર, સૌથી મોટું નેટવર્ક અને સૌથી મોટી ટીમ છે. અખબારમાં દરેક સમાચાર સત્ય આધારિત છે અને સત્ય સાહસ સાથે સંકળાયેલું છે. ભાસ્કરે પોતાની આ સફરમાં આ જ સત્ય અને સાહસને પ્રાધાન્ય આપ્યું. ભાસ્કરનું માનવું છે કે સત્ય મુશ્કેલ હોય છે પરંતુ તે દરેક સ્થિતિમાં સાબિત થાય છે તથા સત્ય જ સમાજનો પાયો છે અને સૌથી મોટી જરૂરિયાત પણ.

સમર્પિત ટીમ અને જાગૃત વાચકોની સાથે જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સમુદ્રમાં તરતા હિમખંડ કે આઈસબર્ગની જેમ સપાટી પર દેખાતો નાનકડો બરફનો ટુકડો સપાટીની નીચે અત્યંત વિશાળ હોય છે. એવી જ રીતે તમારા હાથમાં રોજ સવારે પહોંચતું ભાસ્કર પણ અમારી 24 કલાક 365 દિવસ સાવચેત રહેતી અલગ અલગ ટીમ અને અમારા વિતરક બંધુઓની સાથે 12 રાજ્યોમાં 27 હજાર સાથીઓની મહેનતનું પરિણામ છે.

ભાસ્કરનું આકલન તેના વાચકો રોજ કરે છે, વાંધા અને સૂચનો સાથે નવા આઈડિયા આપે છે. આ જ ભાસ્કરની તાકાત છે. આ અવિશ્વસનીય સમર્થન અને વિશ્વાસ માટે પ્રત્યેક વાચક પરિવારને અમારું નમન અને આભાર.

ફરી એકવાર તમારા અખબારના સર્વોચ્ચ શિખર પર પહોંચવા બદલ આપ સૌને શુભેચ્છા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bhaskar is now the No. 1 and most read newspaper in Rajasthan


from Divya Bhaskar https://ift.tt/2NnZkDQ

સક્રિય દર્દી વધવાનો દર 22% સુધી વધ્યો હતો, હવે 2.1% છે, દર 0% થાય તો સમજો પિક આવી ગયું

દેશમાં 25 માર્ચે શરૂ થયેલા લૉકડાઉન-અનલૉકને આજે ત્રણ મહિના પૂરા થઈ ગયા. આ 93 દિવસમાં ભારત દુનિયાના ચાર સૌથી ચેપગ્રસ્ત દેશોમાં સામેલ થઈ ગયું પણ સારી વાત એ હતી કે સક્રિય દર્દી વધવાનો દર લૉકડાઉનના આગામી 6 દિવસ બાદ જ ઘટવાનો શરૂ થઈ ગયો હતો. 1 એપ્રિલે આ દર 22% હતો, જે હવે ઘટીને 2.1% થઈ ગયો છે.

બ્રુકિંગ્સના સિનિયર ફેલો પ્રો.શમિકા રવિએ જણાવ્યું કે સક્રિય દર્દી વધવાનો દર જ્યારે 0% હોય છે તો તેને જ ચેપનો પિક કહેવાય છે. જર્મની, ફ્રાન્સ, ઈટાલી સહિત 27 દેશોમાં સક્રિય દર્દીનો વૃદ્ધિદર જ્યારે 0% પર આવ્યો તો એ દેશોમાં આગામી 7થી 10 દિવસમાં પિક જાહેર કરી દેવાયો.

દુનિયામાં આપણે ક્યાં?... 1 મહિનાથી રિકવરીમાં આગળ, મૃત્યુદર અડધો

ભારત 25 માર્ચ 25 એપ્રિલ 25 મે 24 જૂન
રિકવરી રેટ 15.20% 21.30% 41.20% 57.10%
મૃત્યુ 12 825 4172 14001
મૃત્યુદર 1.80% 3.10% 2.80% 3.20%

દુનિયામાં પણ મૃત્યુદર 2 મહિનામાં ઘટ્યો છે

રિકવરી રેટ 24.20% 29.80% 42.30% 54.10%
મૃત્યુ 21747 206622 349087 480210
મૃત્યુદર 4.60% 7.20% 6.30% 5.90%

જોકે ચીન સિવાય બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત તમામ એશિયન દેશોમાં મૃત્યુદર ભારતથી ઓછો છે.

ભારતમાં હાલ સ્થિતિ આવી છે

  • કુલ દર્દી 20 દિવસમાં બમણા થઇ રહ્યા છે
  • દેશમાં હાલમાં સાજા થનારા દર્દીનું પ્રમાણ 15 દિવસમાં બમણું થઈ રહ્યું છે
  • હાલમાં દેશમાં સક્રિય દર્દી 33 દિવસમાં બમણા થઇ રહ્યા હોવાનું વલણ છે.

15 જુલાઈ સુધીમાં આવું થઈ શકે

  • 9 લાખ કુલ દર્દી હોઈ શકે
  • 6 લાખથી વધુ સાજા પણ થઈ જશે.
  • 2.7 લાખ સક્રિય દર્દી રહેશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona active patient growth rate increased to 22%, now it is 2.1%, if the rate is 0% then understand the peak


from Divya Bhaskar https://ift.tt/3ezifYb

ગુજરાતમાં સોનુ 50 હજાર, એક વર્ષમાં 17 હજાર વધ્યા, 50% જેટલું રિટર્ન મળ્યું

સોનાનો ભાવ 50 હજારને પાર થઈ ગયો છે. બુધવારે અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે 800 રૂપિયા વધીને 50,300 રૂપિયા સાથે ઑલટાઇમ હાઇ થયો હતો. સોનામાં રોકાણકારોનું આકર્ષણ સતત વધી રહ્યું છે.

કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા હેજફંડ્સ, ગોલ્ડ ઇટીએફમાં વૈશ્વિક રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર 1795 ડોલર પહોંચ્યું છે. ચાંદી નજીવી વધઘટે અથડાઇ પ્રતિ કિલોગ્રામ રૂ.49500 બોલાઇ રહી છે. ગતવર્ષે જૂન માસમાં સોનું 33500-34000ની રેન્જમાં હતું જે વધીને આ વર્ષે અત્યારે રૂ.50300 પહોંચ્યું છે.

કોરોના મહામારી હળવી થવાના બદલે ફરી વકરી રહી છે તેમજ મહાસત્તા એવા અમેરિકામાં લોકડાઉનના સંકેતો પ્રબળ બન્યા છે જેના કારણે સલામત રોકાણ તરફ રોકાણકારો ડાઇવર્ટ થયા છે. આ ઉપરાંત તેજી માટે વૈશ્વિક બેન્કોના જાહેર થઇ રહેલા સ્ટીમ્યુલસ પેકેજ પણ કારણભૂત છે. ગોલ્ડની હાજર માંગની તુલનાએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનું બાઇંગ સતત વધી રહ્યું છે. વૈશ્વિક સ્લોડાઉન, નબ‌ળા ગ્રોથના આઇએમએફના સંકેતના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉંચકાઇ ઉપરમાં 1830 ડોલર સુધી પહોંચી શકે છે. એમસીએક્સ વાયદામાં પણ સોનું ઓગસ્ટ વાયદો ઉંચકાઇ રૂ.48460 અને ડિસેમ્બર વાયદો રૂ.48890 ક્વોટ થઇ રહ્યો છે.

‘સોનાનુ બજાર ચક્ર 8-10 વર્ષનું છે. આઠ વર્ષ પછી સોનાએ તેજીના ચક્રમાં પ્રવેશ કર્યો છે.’ ગૌરવ રસ્તોગીએ છેલ્લા ત્રણ દાયકામાં સોનામાં આવેલા ઉતારચડાવની વિગતો આપી છે. સોનુ જુલાઈ 1993થી જૂન 2001 સુધી મજબૂત થઈ રહ્યું હતું. એ પછી જૂન 2001થી નવેમ્બર 2011 સુધી તેજી રહી અને સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 400 રૂપિયા વધીને 2,600 રૂપિયા થયો. જે 11 વર્ષમાં 6.5 ટકાનો વધારો હતો. નવેમ્બર 2011થી મે 2019 સુધી સોનામાં અન્ય તબક્કા જોવા મળ્યા. ત્યારે એ વધીને 4,200 રૂપિયા પ્રતિ ગ્રામ થયા. એટલે કે તેજીના અગાઉના ચક્રમાં જો ભાવ 7 ગણા વધ્યા હોય તો વધુ 20 ટકાનો વધારો ઘણે અંશે શક્ય છે.

2019માં સોનાના ભાવ 24 ટકા વધ્યા
એક વર્ષ પહેલા 31 ડિસેમ્બર 2018ના રોજ 24 કેટેર શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 32,270 રૂપિયા હતો. એ વર્ષના છેલ્લા દિવસે સોનાનો ભાવ દસ ગ્રામે 256 રૂપિયા વધીને 39,985 રૂપિયા થયો. એટલે કે 24 ટકા વધારો થયો.

માર્કેટ એક્સપર્ટ શું કહે છે?
સોનું ઝડપી રૂ.51000 કુદાવશે
બી ડી જ્વેલર્સના અશોક ચોક્સી કહે છે કે સોનું આગામી ટુંકાગાળામાં સ્થાનિક બજારમાં રૂ.51000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. તેજીનું મુખ્ય કારણ દેશમાં સોનાની આયાત સાવ નહિંવત્ છે બીજી તરફ રોકાણકારોની તેમજ જ્વેલરીમાં ગ્રાહકોની માગ ખુલી રહી છે. તેજી માટે ફોરેક્સ માર્કેટમાં ડોલરની ચાલ કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1830-1900 ડોલર થઇ શકે
કોમોડિટી એનાલિસ્ટ-કુંવરજી કોમોડિટીઝના સૌમીલ ગાંધીએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે રોકાણમાં અત્યારે ગોલ્ડ સલામત મનાઇ છે. લાંબા સમયથી 1730-1770 ડોલરની રેન્જમાં કોન્સોલિડેટ થતું હતું જે કુદાવી 1800 ડોલર તરફ કૂચ કરી રહ્યું છે. 1800 ડોલર ઉપર બંધ આવતા વધી 1830 ડોલર અને ત્યાર બાદ લોંગટર્મ 1900 ડોલર સુધી જઇ શકે છે.

પાંચ મુખ્ય કારણો

  • કોરોના મહામારીની સેકન્ડ વેવની શરૂઆત થતા સલામત રોકાણમાં આકર્ષણ
  • વૈશ્વિક સ્લોડાઉન, નબ‌ળા ગ્રોથના આઇએમએફના સંકેત
  • વૈશ્વિક સ્તરે બેન્કોનું સ્ટીમ્યુલસ પેકેજ જાહેરાત સોનાની તેજીને વેગ આપશે
  • ઇકોનોમિ રિકવરી ગ્રોથ કોરોના સેકન્ડ વેવના કારણે અનુમાન કરતા ધીમો રહેશે
  • અમેરિકાનું ચીન બાદ હવે યુરોપ વચ્ચે નવા ટ્રેડવોરનું ઘર્ષણ શર

સોનાના ભાવમાં 6 મહિનામાં 11 હજારનો વધારો

વર્ષ રિટર્ન
2011 31.85%
2012 12.92%
2013 -8.09%
2014 -5.86%
2015 -6.64%
2016 -10.08%
2017 5.67%
2018 8.24%
2019 24.58%
2020 (6 માસ) 128%

છેલ્લા ત્રણ માસનો ટ્રેન્ડ

વિગત 13-3-20 24-6-20 તફાવત
સ્થા.સોનું 43400 50300 6900
સ્થા.ચાંદી 43800 49500 5700
વૈશ્વિક સોનુ 1562 1795 233
વૈશ્વિક ચાંદી 15.77 18.27 2.5
પ્લેટિનમ 782 828 46
પેલેડિયમ 1744 1944 200
ડોલર 73.92 75.72 1.8

(નોંધ : સ્થાનિક ભાવ રૂપિયામાં, વૈશ્વિક ભાવ ડોલરમાં)

ગત વર્ષે જૂનમાં રૂ. 33,500

તારીખ સોનાના ભાવ (રૂ.)
23 ડિસેમ્બર 2016 27,620
24 જૂન 2019 33,500
1 જાન્યુઆરી 2020 40,330
24 ફેબ્રુઆરી 44,800
6 માર્ચ 45,850
17 માર્ચ 41,250
18 મે 49,500
24 જૂન 2020 50,430


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gold increased by 50 thousand, 17 thousand in one year, got a return of 50% in Gujarat


from Divya Bhaskar https://ift.tt/2YwwMhI

વિશ્વની સૌથી મોટી બાસ્કેટબોલ લીગ NBA 74 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ચાહકોની ગેરહાજરીમાં, તમામ મેચ એક જ શહેરમાં યોજાશે

વિશ્વની સૌથી મોટી બાસ્કેટબોલ લીગ એનબીએ કમબેક માટે તૈયાર છે. આયોજકોએ કોવિડ-19ના કારણે સંપૂર્ણ સુરક્ષા સાથે અમેરિકાના નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ)ને શરૂ કરવાની યોજના બનાવી લીધી છે. 22 દિગ્ગજ ટીમો વચ્ચે રમાનાર આ લીગ 31 જુલાઈથી શરૂ થશે અને 12 ઓક્ટોબર અગાઉ તેની ફાઈનલ મેચનું આયોજન કરાશે.

એનબીએના 74 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર મેચો ફેન્સ વગર રમાશે. પ્રથમવાર એવું બનશે જ્યારે મેચો માત્ર એક જ સ્થળે રમાશે. હોમ કે અવે મેચ નહીં રમાય. ફ્લોરિડા (ઑરલેન્ડો)ના વૉલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટની પસંદગી કરાઈ છે. બધી ટીમો અહીં પ્રેક્ટિસ કરશે અને મેચો પણ રમશે, તેઓ સંપૂર્ણ સિઝન અહીં રોકાશે. અત્યારસુધી તમામ ટીમે 65-66 મેચો રમી છે અને 72-73 મેચ બાકી છે. અમુક ટીમને 8 અને અમુકને 10 મેચ રમવાની છે.

3 હોટલમાં રોકાશે ખેલાડી, એકબીજાના રૂમમાં જવાની મંજૂરી નહીં મળે
ખેલાડીઓને ઑરલેન્ડોના ડિઝની વર્લ્ડમાં પહોંચવા પર સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પડશે. ખેલાડી 48 કલાક સેલ્ફ આઈસોલેશનમાં રહેશે. જ્યાંસુધી તેમના 2 કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ નથી આવતા, ત્યાંસુધી તેમને રમવાની મંજૂરી નહીં મળે. ખેલાડી અને સ્ટાફને એકબીજાના રુમમાં જવા મંજૂરી નહીં મળે. ખેલાડીઓ 3 હોટલમાં રોકાશે, જે તેમની માટે બુક કરવામાં આવી છે.

દરેક ટીમના શેફ, ખેલાડીઓ ગમે ત્યારે ભોજન કરી શકશે
ટીમોએ એક શેફ રાખવો પડશે. ફૂડ રુમ 24 કલાક ઓપન રખાશે. ખેલાડીઓ ગમે ત્યારે જમી શકશે. તેમને સાથી ખેલાડી સાથે જમવાની છૂટ મળશે. તેઓ ફૂડ એપ થકી પણ ભોજન મંગાવી શકશે. તમામને ડિઝ્ની મેજિક બેન્ડ અપાશે. આ તેમની અવર-જવરનો એક્સેસ રહેશે અને તેમાં તેમની માહિતી પણ હશે. કેમ્પસમાં એક ટીમના માત્ર 37 લોકોને મંજૂરી મળશે. તેમાં 17 ખેલાડી અને અન્ય સપોર્ટ સ્ટાફ રહેશે. ટીમોને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ રાખવાની પણ સૂચના છે.

પ્રથમ હરોળના લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે
તમામ ખેલાડીઓએ માસ્ક પહેરવું પડશે. માત્ર જમતા સમયે અથવા રુમમાં તેઓ માસ્ક વગર રહી શકે છે. બહાર કોઈપણ પ્રવૃત્તિ માટે નીકળી નહીં શકે. જે ખેલાડી, રેફરી એરેનાની પ્રથમ હરોળમાં હશે, તેમના માટે માસ્ક ફરજિયાત રહેશે. આ વખતે એનબીએ દરમિયાન ફેન્સની એન્ટ્રી પર પ્રતિબંધ છે. અમુક લોકો ગેલેરીમાં ટીમોને જોઈ શકે છે, કારણ કે અન્ય ટીમના ખેલાડીઓને મેચ જોવાની મંજૂરી મળી છે. મીડિયા અને સ્પૉન્સરને આવવાની મંજૂરી રહેશે.

એક દિવસમાં 3-4 મેચ, અમુકનું લાઈવ ટેલિકાસ્ટ થશે
તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ નહીં થઈ શકે. એનબીએ એક દિવસમાં 3-4 મેચની યોજના બનાવી રહ્યું છે. એવામાં અમુક જ લાઈવ મેચ ટેલિકાસ્ટ થઈ શકશે. જો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ જણાશે તો તેને આઈસોલેટ કરાશે, મેનેજમેન્ટ રિપોર્ટની પૃષ્ટિ કરશે. તેને ટીમથી 14 દિવસ માટે અલગ કરાશે. 3 મેડિકલ એક્સપર્ટની પેનલ ખેલાડીની મેડિકલ હિસ્ટ્રી તપાસ કરશે અને તેની સેલેરીમાં કોઈ કાપ મૂકાશે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વૉશિંગ્ટન વિઝાર્ડ્સના જ્હોન વૉલ અને બ્રેડલીએ બ્લેક લાઈવ્સ મેટર મુવમેન્ટનો સપોર્ટ કર્યો.


from Divya Bhaskar https://ift.tt/3fWWp1a