Ad

Wednesday, June 24, 2020

વાદળોએ વિચાર્યું હશે, તૂટેલા પર તૂટી પડવું કઈ રીતે? 

ગુજરાતમાં ચોમાસુ હજુ જામ્યુ નથી. આગાહી હોવા છતાં વરસાદ મન મૂકીને વરસતો નથી. બુધવારે રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા થયા ત્યારે ભારે વરસાદના અણસાર જોવા મળ્યા હતા. રાજ્યમાં અન્ય સ્થળે પણ દોઢ-બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આગામી સપ્તાહે ભારે વરસાદની આગાહી છે.

સાંઈરામ દવેએ ભાસ્કર માટે લખી પંક્તિ- વાદળોએ વિચાર્યું હશે, તૂટેલા પર તૂટી પડવું કઈ રીતે?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા.


from Divya Bhaskar https://ift.tt/2Vip0Gl

દેશભરમાં સહકારી બેન્કો હવે RBI હેઠળ, દેશની 1540 સહકારી બેન્કોમાં 8.60 કરોડ લોકોની 4.84 લાખ કરોડની થાપણ

કૌભાંડો અને નાદારીના કારણે હંમેશા ચર્ચામાં આવતી દેશની લગભગ 1,540 કો-ઓપરેટિવ બેન્ક હવે સરકારના નિયંત્રણમાં આવી ગઈ છે. હવે કો-ઓપરેટિવ બેન્કોએ પણ અન્ય વાણિજ્યિક બેન્કોની જેમ તમામ પ્રકારના બેન્કિંગ સાથે સંકળાયેલી બાબતોને ભારતીય રિઝર્વ બેન્કના નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ પોતાના મેનેજમેન્ટમાં પણ ફેરફાર કરવો પડશે. કેન્દ્રીય મંત્રીમંડળે આ પરિવર્તનો સાથે જોડાયેલા વટહુકમને મંજૂરી આપી છે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતા આપતા જણાવ્યું કે, હવે દેશની તમામ 1,540 કો-ઓપરેટિવ બેન્કો આરબીઆઈના નિયંત્રણમાં આવશે. જેમાં 1,482 શહેરી કો-ઓપરેટિવ અને 59 બહુ-રાજ્ય કો-ઓપરેટિવ બેન્ક છે. હવે આ તમામ બેન્કો પર આરબીઆઈની સત્તા લાગુ થશે. ખાતાધારકોની ચિંતા દૂર કરવા આ નિર્ણય લેવાયો હોવાનું જાવડેકરે જણાવ્યું હતું. સૂત્રો અનુસાર, નિયમોમાં ફેરફાર પછી પણ કો-ઓપરેટિવ બેન્કોના મેનેજમેન્ટની જવાબદારી રજિસ્ટ્રાર પાસે જ રહેશે. ઉલ્લેખનીય છે કે દેશની 1,540 સહકારી બેન્કોમાં 8.60 લાખ લોકોના રૂ.5લાખ કરોડ જમા છે.

શું છે સમગ્ર મામલો
કો-ઓપરેટિવ બેન્કોના કિસ્સામાં રિઝર્વ બેન્કની ભૂમિકા અત્યંત મર્યાદિત હતી. રિઝર્વ બેન્ક અનુસાર બેન્કોના બોર્ડમાં સ્વતંત્ર નિદેશકની સંખ્યા વધુ અને શેરધારકોની સંખ્યા ઓછી હોવી જોઈએ. સાથે જ બેન્કનું સંચાલન વ્યવસાયિક બેન્કર્સના હાથમાં હોવું જોઈએ. જેની બદલે કો-ઓપરેટિવ બેન્કોમાં શેરધારક ભેગામળીને બોર્ડની પસંદગી કરે છે અને બોર્ડના તમામ સભ્યો શેરધારક હોય છે. મેનેજમેન્ટ પણ બોર્ડ પાસે હોય છે, જેમાં મોટા ભાગના રાજનેતા હોય છે.

શા માટે વટહુકમ લાવવો પડ્યો
દેશની સૌથી મોટી કો-ઓપરેટિવ બેન્કોમાં ગણાતી મહારાષ્ટ્રની પીએમસી બેન્કનું કૌભાંડ બહાર આવ્યા પછી સમગ્ર દેશમાં આ એક મુદ્દો બન્યો હતો. પીએમસી બેન્કે 75 ટકા ધિરાણ ડીએચએફએલને આપી રાખ્યું હતું, જે એનપીએ થવાથી બેન્ક મુસીબતમાં મુકાઈ ગઈ હતી. અન્ય કો-ઓપરેટિવ સાથે આવું ન થાય તેના માટે સરકારે તેમને સંપૂર્ણપણે રિઝર્વ બેન્કના નિયંત્રણમાં લાવવાનો નિર્ણય લીધો છે. સંસદનું સત્ર ચાલુ ન હોવાને લીધે વટહુકમ દ્વારા તેને લાગુ કરાયો છે.

નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓ. બેંકના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું કે, અર્બન બેંકોને અગાઉ દરેક પ્રોસેસ માટે જ્યાં રાજ્યના સહકારી રજિસ્ટ્રાર અને RBI બન્ને પાસેથી મંજૂરી લેવી પડતી હતી હવે પ્રક્રિયા સરળ થશે. આ નવા ઓર્ડિનન્સને કારણે સૌને ફાયદો થશે.

ગુજ. સ્ટેટ કો.ઓ. બેન્કના ચેરમેન અજય પટેલે કહ્યું કે, ચૂંટણી યોજવાની સત્તા જ સહકારી રજિસ્ટ્રાર પાસે રહે છે, બેંકો પરનું તમામ નિયંત્રણ RBI પાસે જશે, પ્રક્રિયા પારદર્શક થશે. બેંકો દ્વારા થતો ગેરવહીવટ અટકશે. અમુક લોકોને ગજા બહારનું ધિરાણ અપાતું અટકશે.

NFSCના પ્રમુખ દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, સહકારી બેંકના સત્તાધીશો ખોટું કરતાં અટકશે. બેંક ફડચામાં જાય તે સંજોગોમાં વહીવટદારની નિયુક્તિ RBI ઝડપથી કરી શકશે. પહેલાં રજિસ્ટ્રારની મંજૂરી લેવી પડતી હોવાથી, રાજકીય ખેલ થતો હતો.

ગુજરાતમાં સહકારી બેન્કોમાં 55000 કરોડની થાપણ
ગુજરાતમાં કુલ 214 યુસીબી છે જે આ ખરડાના દાયરામાં આવશે, એક રાજ્યસ્તરની ગુજરાત સ્ટેટ કો-ઓપ બેંક પણ આવી શકે છે. ગુજરાતની 214 યુસીબીમાં 90 લાખ ખાતેદારોની 55,000 કરોડની થાપણો છે, જ્યારે ગ્રોસ એનપીએ 2.4% જ્યારે નેટ એનપીએ 0.51% છે.

આ પરિવર્તન આવશે

  • સહકારી બેન્કનું ઓડિટ RBIના નિયમ હેઠળ
  • સંકટ સમયે બોર્ડની દેખરેખ પણ RBI કરશે
  • સહકારી બેન્કોએ તેમનું માળખું બદલવું પડશે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વડાપ્રધાન નરેન્દ્ર મોદી.


from Divya Bhaskar https://ift.tt/31dtzFz

Bengal cops use mustard oil, lemon water to battle Covid, claim many recovered with remedies

Bengal cops use mustard oil, lemon water to battle Covid, claim many recovered with remedies

from India Today | Top Stories https://ift.tt/37Z83Wi

Tanzanian miner becomes millionaire overnight after finding rare gemstones worth USD 3.3 million

Tanzanian miner finds large rare gemstones worth USD 3.3 million

from India Today | Top Stories https://ift.tt/3i1HGnx

Mumbai: Man sentenced to 5 years in prison for kissing minor

Mumbai: Man sentenced to 5 years in prison for kissing minor

from India Today | Top Stories https://ift.tt/2BGTjze

Live: AHSEC class 12 results to be out today

The Assam HS Final Year Exam Results 2020 will be released at around 9.00 am on the official websites of the board - ahsec.nic.in and resultsassam.nic.in.

from Times of India https://ift.tt/2YvOiCM

Encounter between security forces, terrorists underway at Sopore in Kashmir

Encounter between security forces, terrorists underway in Kashmir's Sopore

from India Today | Top Stories https://ift.tt/2Vh9URf

Watch: Pride of lions takes midnight stroll in Gir Forest

Watch: Pride of lions takes midnight stroll in Gir Forest




from News - Videos - The Times of India https://ift.tt/3fYeSKu

Tuesday, June 23, 2020

Kailash Vijaywargiya transferred ministerial bungalow in wife’s name, rent unpaid for 10 years

Kailash Vijaywargiya transferred ministerial bungalow in wife’s name, rent unpaid for 10 years

from India Today | Top Stories https://ift.tt/2CrOslZ

TDP extends support to Ramesh Kumar, hits out on ruling YSRCP

TDP extends support to Ramesh Kumar, hits out on ruling YSRCP

from India Today | Top Stories https://ift.tt/2NnW6QP

Covid-19: Bars to open in Rajasthan from today

Covid-19: Bars to open in Rajasthan from today

from India Today | Top Stories https://ift.tt/2A1KYpC

COVID-19: Potters in Guwahati struggle to earn their daily bread

COVID-19: Potters in Guwahati struggle to earn their daily bread




from News - Videos - The Times of India https://ift.tt/2Yr4EMP

Unemployment rate back at pre-lockdown levels

The unemployment rate fell to its pre-lockdown level of 8.5% in the week ended June 21, led by big gains in the rural areas, economic think tank CMIE said. The rate had gone up from 8.75% in March to 23.5% in April and May. It had peaked at 27.1% in the week ended May 3. The CMIE survey showed the gains in rural areas may even be bigger in the months ahead.

from Times of India https://ift.tt/3dvuFyZ

Rajnath to not hold bilateral with China's def min

Defence minister Rajnath Singh will not hold a bilateral meeting with his Chinese counterpart Wei Fenghe in Moscow on Wednesday, even as he briefed Russia on Tuesday on the ongoing troop confrontation with China. In meeting with Russian leaders, Singh stressed India wanted to resolve disputes through dialogue but will not compromise on its sovereignty and territorial interests.

from Times of India https://ift.tt/3hW4TY3

Sonia slams BJP for Covid, China stand-off

Amid the SinoIndian standoff in Ladakh, the Congress Working Committee on Tuesday asked the Modi government to defeat the “nefarious designs” of China to grab Indian territory while asking PM Narendra Modi to not allow his no intrusion remark to be used by the belligerent neighbour. CWC also issued statements slamming the Centre over Covid-19 handling and hike in fuel prices.

from Times of India https://ift.tt/3dtu2WG

Desi Kalashnikov misses its price target



from Times of India https://ift.tt/3eukn3l

Trump says learn from history instead of removing statues

Trump says learn from history instead of removing statues

from India Today | Top Stories https://ift.tt/3duOHtx

Covid testing labs expanded to 1,000, says ICMR



from Times of India https://ift.tt/2Vaxkrs

Regular trains not likely till mid-August

The Indian Railways will refund the full booking amount of all tickets booked up to April 14 for all regular time-tabled trains, an indication of the national transporter not resuming the earlier regular passenger train services at least till mid-August. Currently, it’s running only 230 mail and express trains as “special trains”

from Times of India https://ift.tt/31aEC2o

ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થાય તેવી શક્યતા, 5 હજારથી વધુ નહીં ઉપાડી શકાયઃ રિઝર્વ બેન્કનો નિર્ણય હજુ બાકી

એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનું હવે મોંઘું થઇ શકે છે. સાથે જ એટીએમમાંથી 5 હજાર રૂ.થી વધુ રકમ ઉપાડવા પર પણ રોક લાગી શકે છે. રિઝર્વ બેન્કની એક સમિતિએ આ ભલામણ કરી છે. જોકે, રિઝર્વ બેન્કે આ ભલામણો અંગે હજુ કોઇ નિર્ણય નથી લીધો. એટીએમ ઇન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરની સમીક્ષા માટે ઇન્ડિયન બેન્કર્સ એસો.ના ચીફ એક્ઝિ.ના અધ્યક્ષપદે ગત વર્ષે બનેલી આ સમિતિએ એટીએમમાંથી રોકડ ઉપાડ 5 હજાર રૂ. સુધી મર્યાદિત કરવા ભલામણ કરી છે. સાથે જ મોટી રકમના ઉપાડ પરનો ચાર્જ 16-24% સુધી વધારવા અને ફ્રી ટ્રાન્ઝેક્શનથી વધુ વખત રોકડ ઉપાડની મંજૂરી ન આપવાનું સૂચન કર્યું છે. સમિતિએ માન્યું કે એટીએમનો ઓપરેટિંગ ખર્ચ વધી રહ્યો છે. સમિતિ તેનો રિપોર્ટ રિઝર્વ બેન્કને સોંપી ચૂકી છે.

દૈનિક રોકડ ઉપાડની મર્યાદા જુદી-જુદીઃ વર્ષ 2012થી ઇન્ટરચેન્જ ફીની સમીક્ષા નથી થઇ જ્યારે એટીએમ યુસેજ ચાર્જમાં વર્ષ 2008થી કોઇ ફેરફાર નથી થયો. હાલ એસબીઆઇના એટીએમમાંથી ગ્રાહક એક ટ્રાન્ઝેક્શનમાં 10 હજાર રૂ. અને એક દિવસમાં 20 હજાર રૂ. ઉપાડી શકે છે. અન્ય બેન્કોમાં સિંગલ ટ્રાન્ઝેક્શન અને દૈનિક રોકડ ઉપાડની મર્યાદા જુદી-જુદી છે.

1 જુલાઇથી 1 કરોડથી વધુ રોકડ ઉપાડ પર 5% ટીડીએસ
1 જુલાઇથી બેન્ક, પોસ્ટ ઓફિસ કે કોઇ સહકારી સમિતિમાંથી 20 લાખથી 1 કરોડ રૂ. સુધીની રોકડ ઉપાડવા પર 2% ટીડીએસ ભરવો પડશે જ્યારે 1 કરોડ રૂ.થી વધુ રોકડ ઉપાડ પર ટીડીએસનો દર 5% થઇ જશે. અત્યાર સુધી 1 કરોડ રૂ.થી વધુ રોકડ ઉપાડ પર 2% ટીડીએસની જોગવાઇ હતી. દેશમાં રોકડ વ્યવહારોને ઘટાડવા સરકારે ગત બજેટમાં આવકવેરાની કલમ 194-એન શરૂ કરી છે, જેમાં રોકડ ઉપાડ પર ટીડીએસનો વ્યાપ વધારાયો છે.

ATM કેટલું મોંઘું થઇ શકે છે?
10 લાખથી વધુ વસતીવાળાં શહેર

1. ટ્રાન્ઝેક્શન લિમિટથી વધુ વખત પૈસા ઉપાડવા પરનો ચાર્જ 15 રૂ.થી વધારીને 17 રૂ.
2. બેલેન્સ ચેક, પિન ચેન્જ જેવાં ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ 5 રૂ.થી વધારીને 7 રૂ.

10 લાખથી ઓછી વસતીવાળાં શહેર
1. ફ્રી ટ્રાન્ઝેક્શન 5થી વધીને 6 થઇ શકે છે.
2. 6થી વધુ ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ 15થી વધી 18 થઇ શકે છે.
3. બેલેન્સ ચેક, પિન ચેન્જ જેવાં ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ 5 રૂ.થી વધારીને 7 રૂ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2Z6GqqB

પહેલી વાર... ભક્ત વિના નીકળ્યા ભગવાનઃ પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા સંપન્ન

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ભગવાન જગન્નાથની રથયાત્રા નિયત તિથિ અષાઢી બીજે સંપન્ન થઈ ગઈ. સૂર્યાસ્ત પહેલા ત્રણેય રથ ગુંડિચા મંદિર (મૌસી બાડી) પહોંચી ગયા. ભગવાન અહીં સાત દિવસ સહેશે. આમ દરેકનો સમય નવ દિવસનો હોય છે. તેમાંથી એક દિવસ આવવાનો અને એક દિવસ જવાનો પણ સામેલ હોય છે. ધુરતી યાત્રા એકાદશી 1 જુલાઈએ હશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રથયાત્રામાં એક પણ ભક્ત સામેલ ના થયો. મંદિર સંચાલનના પ્રવક્તા જિતેન્દ્ર નારાયણ મહંતીના કહેવા પ્રમાણે, સ્થાનિકો પણ ઘરોમાં કેદ રહ્યા. લોકોને બાલ્કનીમાં પણ આવવાની મંજૂરી ન હતી. તમામે ટીવી પર જીવંત પ્રસારણ જોયું.

પરોઢિયે 3:15 વાગ્યે વિધિ શરૂ, 11:55 વાગ્યે રથ નીકળ્યા
મંગળવારે પરોઢિયે 3:15 વાગ્યે વિધિ શરૂ થઈ. ખીચડી ભોગ પછી રથ પ્રતિષ્ઠા અને અન્ય વિધિ સંપન્ન કરાઈ. પછી ખલાસીઓ બલરામ, સુભદ્રા અને જગન્નાથની પ્રતિમાઓને દોરડા થકી રથ સુધી લાવ્યા. આ દોરડા પણ આખું વર્ષ ભગવાને પહેરેલા કપડાંમાંથી બનાવાય છે. ગોવર્ધન પીઠ પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ રથોની પૂજા કરી. પ્રતિમાઓનો શૃંગાર કરાયો. પાલખી પર સવાર ગજપતિ મહારાજ દબ્યસિંહ દેવ 10:30 વાગ્યે સોનાના ઝાડુથી રથની પહિંદ વિધિ કરી. ભગવાન બલભદ્રના રથથી 4-4 કાળા, બહેન સુભદ્રાના રથમાંથી ભૂરા અને ભગવાન જગન્નાથના રથમાં સફેદ ઘોડા જોડવામાં આવ્યા. સૌથી આગળ બલભદ્ર, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લા ભગવાન જગન્નાથનો રથ તૈયાર કરાયો.

રેલવેની આખી ટીમ તહેનાત રહી
સૌથી પહેલા લાલ અને લીલા રંગના કપડાંથી સજેલા ભગવાન બલભદ્રના રથ ‘તલધ્વજ’ને બાસુકી નાગ દોરડાથી બરાબર 11:55 વાગ્યે ખલાસીઓએ ખેંચવાનું શરૂ કર્યું. એક કલાકના અંતરાળે લાલ અને કાળા કપડાંથી ઢાંકેલા બહેન સુભદ્રાના રથ ‘દર્પ દલન’ને સુવર્ણચુડા નાગ (દોરડા) અને તેના કલાક પછી લાલ અને પીળા કપડાંથી ઢંકાયેલા ભગવાન જગન્નાના રથ ‘નંદીઘોષ’ને શંખચુડા નાગણ (દોરડા)થી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ. રથોમાં આવનારી ટેકનિકલ ખામી દૂર કરવા રેલવે આખી કોચિંગ ડેપોના 40 મિકેનિક પણ મોટા જેક લઈને તહેનાત રહ્યા હતા.

અહીં બધું કામ ભગવાનની મરજી પ્રમાણે
મુક્તિ મંડપ મહાપંડિત મહાસભાના ઉપસભાપતિ ઉમાબલ્લભ મહાપાત્રા કહે છે કે, પુરી મૃત્યુ વૈકુંઠ છે. અહીં પરમ બ્રહ્મ બિરાજે છે. અહીં દરેક કામ ભગવાનની મરજીથી થાય છે. કોરોના મહામારીમાં પણ તેમનું કામ ચાલુ છે. 16મી, 17મી, 18મી સદીમાં મોગલ સેનાના હુમલાને પગલે રથયાત્રા નહોતી યોજાઈ. ત્યારે જગન્નાથને છુપાવી દેવાયા હતા, પરંતુ મંદિરમાં યાત્રા નહોતી રોકાઈ. ત્યાં સુધી કે 1919ના સ્પેનિશ ફ્લૂ વખતે પણ નહીં. હિંદુ મહાસભાના ઉપસભાપતિ લાલા અનંતકુમાર સિંહ કહે છે કે, ભગવાન જગન્નાથને જે કહેવામાં આવે છે, તે સાંભળે છે. આ જીવંત પ્રતિમા છે. તેમની સાથે 500 દેવતા રહે છે અને તમામ તેમની સાથે ચાલે છે.

ભગવાન બલભદ્રને સૌથી વધુ સમય લાગ્યો

રથ ભગવાન યાત્રા શરૂ ગુંડિચા મંદિર પહોંચ્યા સમય લાગ્યો
તલધવ્જ બલભદ્ર સવારે 11:55 બપોર 3:50 3:55 કલાક
દર્પદલન સુભદ્રા બપોર 12:55 બપોર 4:10 3:15 કલાક
નંદીઘોષ જગન્નાથ બપોર 1.55 સાંજ 5.10 3:15 કલાક

ગયા વર્ષે નીકળેલી રથયાત્રામાં ઉમટેલા શ્રદ્ધાળુ

  • સોમવારે રાતે રથયાત્રામાં સામેલ તમામ 1,143 સેવકના કોવિડ-19 ટેસ્ટ કરાયા. તેમાંથી એક પોઝિટિવ આવ્યો, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો.
  • યાત્રા શરૂ થતા પહેલા અને યાત્રા દરમિયાન સમગ્ર માર્ગને ફાયર સર્વિસના જવાનો સેનિટાઈઝ કરે છે. ત્રણ ગાડી લગભગ યાત્રાનો રસ્તો સ્વચ્છ કરતી રહે છે.
  • પુરી મંદિરમાં ભગવાનની સેવામાં વ્યસ્ત લોકોને સેવાદાર કહે છે. તેમની સંખ્યા 36 છે. દરેક સેવાદારની નિમણૂક કરાય છે. 36 સેવાદારની નિમણૂકને ‘છત્તીસા નિયોગ’ કહે છે.
  • મંદિરની સેવામાં 2000થી વધુ લોકો હોય છે. સેવક સમુદાયની વસતી 11થી 12 હજાર છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ વર્ષે નીકળેલી રથયાત્રામાં ભક્તોને મનાઇ ફરવવામાં આવી હતી


from Divya Bhaskar https://ift.tt/319oTjX

Covid live: China reports 12 new coronavirus cases

India's coronavirus caseload stands at 4,40,215, as per the latest health ministry update. The death toll stands at 14,011. 312 deaths and highest single-day spike of 14,933 new cases reported in last 24 hrs. Stay with TOI for live updates.

from Times of India https://ift.tt/3dpiOTb

Decision on pending boards shortly: CBSE



from Times of India https://ift.tt/31c99ga

CRPF jawan, 2 Jaish terrorists killed in Pulwama

A CRPF head constable and two Jaish-e-Muhammed terrorists, including a top commander of the outfit, were killed in an encounter in south Kashmir’s Pulwama district on Tuesday morning, IGP (Kashmir Range) Vijay Kumar said. In north Kashmir’s Kupwara, security forces launched a search operation after a brief gunfight with terrorists.

from Times of India https://ift.tt/2NBlRgF

અમદાવાદમાં છેલ્લા 142 વર્ષની પરંપરા તૂટીઃ નગરચર્યાની જગ્યાએ જગતના નાથે માત્ર મંદિરમાં એક જ પરિક્રમા કરી

છેલ્લાં 142 વર્ષથી પરંપરાગત રીતે અમદાવાદમાં નીકળતી રથયાત્રા કોરોનાને કારણે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. અત્યંત જૂજ લોકોની હાજરીમાં આ રથયાત્રા મંદિરમાં ફેરવવામાં આવી હતી. ઇન્સેટ તસવીરમાં ભગવાનને લઈ જવાયા તે દરમિયાન શ્રદ્ધાળુએ માસ્ક પહેર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રથયાત્રા મંદિર પરિસરમાં એક પરિક્રમા કરી ત્રણેય રથ હરોળમાં લાવી ઊભા રાખી દેવામાં આવ્યા હતા


from Divya Bhaskar https://ift.tt/2VcjtRy

જૂન મહિનામાં આ સમય સુધીનો છેલ્લાં 6 વર્ષનો સૌથી વધારે વરસાદ, 6 તાલુકાઓમાં 10 ઈંચથી વધારે વરસાદ

રાજ્યમાં આ વર્ષે જૂન મહિનાની‌ 23 તારીખ સુધીમાં જ સરેરાશ 4.50 ઈંચ એટલે કે 14 ટકા વરસાદ પડી ગયો છે. ગત વર્ષે આ જ‌ સમયે રાજ્યમાં સરેરાશ માત્ર બે ઈંચ એટલે કે 6 ટકા વરસાદ જ પડ્યો ‌હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 78 ટકા જેટલો પડી ગયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ પણ કચ્છના લખપતમાં ઝીરો ટકા છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદ 10 ટકા છે, દક્ષિણમાં 8 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 20 ટકાથી વધારે છે.

છેલ્લા અઠવાડિયામાં વરસાદ સારો
123 તાલુકાઓમાં બેથી 5 ઈંચ સુધી, 78 તાલુકાઓમાં 5થી 10 ઈંચ સુધી, 6 તાલુકાઓમાં 10 ઈંચથી વધારે જ્યારે 43 તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ‌છે. છેલ્લાં 5 વર્ષમાં આ સમય સુધીનો સૌથી વધુ વરસાદ છે. 2015 અને 2017મા જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થયો હતો. રાજ્યમાં જળાશયોમાં પણ 48 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવરમાં 62 ટકા જળસંગ્રહ છે અને 125.17 મીટર પાણીની સપાટી છે.

ઝોન વાઇઝ વરસાદ-જળાશયોની સ્થિતિ

ઝોન સરેરાશ વર્તમાન ટકા ડેમ સંગ્રહ
ઉત્તર ગુજરાત 719 72 9.98 15 28%
મધ્ય ગુજરાત 819 106 12.95 17 47%
દક્ષિણ ગુજ. 1447 114 7.87 13 44%
સૌરાષ્ટ્ર 677 140 20.71 140 27%
કચ્છ 412 103 25 20 26%
કુલ 831 112 13.39 206 48%

વરસાદના આંકડા મી.મી.માં)

દક્ષિણમાં ભારે વરસાદની આગાહીઃ આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી છે.

આ તાલુકામાં વધારે વરસાદ

તાલુકો સરેરાશ વર્તમાન ટકા
માંડવી 426 333 78
ગઢડા 546 343 63
લીલીયા 640 273 43

આ તાલુકામાં ઓછો વરસાદ

તાલુકો સરેરાશ વર્તમાન ટકા
લખપત 334 0 0
દાંતીવાડા 625 4 0.64
પારડી 2168 18 0.83


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગોંડલમાં મંગળવારે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો


from Divya Bhaskar https://ift.tt/2Nr8NKq

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ રદ થાય તેવી શક્યતા

સીબીએસઇ ધોરણ-12ની બાકી રહેલી પરીક્ષાઓ રદ થઇ શકે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઇએ મંગળવારે સુપ્રીમકોર્ટને જણાવ્યું કે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લેતાં બાકી રહેલી પરીક્ષાઓ રદ કરવી કે કેમ તે અંગે બુધવારે નિર્ણય લેવાશે. કેન્દ્ર અને સીબીએસઇની આ દલીલ બાદ કોર્ટે સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી. સીબીએસઇએ ધોરણ-12ની બાકીની પરીક્ષાઓ 1થી 15 જુલાઇ દરમિયાન લેવાની 18 મેએ જાહેરાત કરી હતી, જેના પગલે વાલીઓએ કોરોના સંક્રમણનું જોખમ ધ્યાને લેતાં પરીક્ષા ન લેવાની માગ કર્યા બાદ સુપ્રીમકોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને સીબીએસઇ બોર્ડ પાસેથી જવાબ માગ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3exZtAs

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે 74% લોકોને મોદી પર વિશ્વાસ, ચીનને પાક.થી મોટો ખતરો ગણાવ્યું

પૂર્વ લદાખમાં સરહદે ચીન સાથે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર છે. ચીન વિવાદ મુદ્દે સી-વોટર સ્નેપ પોલમાં લોકોને પૂછવામાં આવ્યું કે હાલના તણાવને લઈને સરકાર પર વધુ વિશ્વાસ છે કે કોંગ્રેસ પર? સરવેમાં સામેલ 74% લોકોએ કહ્યું કે અમને મોદી સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે, જ્યારે ફક્ત 17% લોકોએ વિપક્ષમાં વિશ્વાસ હોવાની વાત કરી હતી. 9.6% લોકોએ કહ્યું કે ચીન સાથેનો વિવાદ ઉકેલવાની ક્ષમતા ના તો વિપક્ષમાં છે અને ના તો અત્યારની સરકારમાં છે.

ચીન ભારત માટે મોટી ચિંતા

  • આ સરવેમાં મુજબ, મોટી સંખ્યામાં ભારતીયો માને છે કે પાકિસ્તાનની તુલનામાં ચીન દેશ માટે મોટી મુશ્કેલી છે. 68% ભારતીયોનું કહેવું છે કે પાકિસ્તાનની તુલનામાં ભારત માટે ચીન ચિંતાનો વિષય છે, જ્યારે 32% લોકોનું માનવું છે કે ચીન નહીં, પરંતુ પાકિસ્તાન જ ભારત માટે વધુ ચિંતાજનક છે.
  • સરવેમાં લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે ભારત સરકારે ચીનના દબાણમાં જવાબ આપવા યોગ્ય પગલાં લીધાં છે? આ મુદ્દે 39%થી વધુ ભારતીયોએ ‘હા’માં જવાબ આપ્યો અને કહ્યું કે ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા પછી મોદી સરકારે ચીનને જડબાતોડ જવાબ આપ્યો. જોકે, 60%નું માનવું છે કે, ચીનને હજુ ભારતે જડબાતોડ જવાબ નથી આપ્યો અથવા ભારતના સૈનિકોની હત્યાનો બદલો લેવાનો હજુ બાકી છે.

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે 72.6% લોકોને મોદી પર વિશ્વાસઃ આ સરવેમાં નોંધવામાં આવ્યું છે કે 72.6% લોકોએ કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને લઈને મોદી પર તેમને વિશ્વાસ છે, જ્યારે 14.4% લોકો કહે છે કે તેમને રાહુલ ગાંધીમાં કંઈક વિશ્વાસ છે.

68% એ કહ્યું- લોકો ચીનના માલનો બહિષ્કાર કરશેઃ આ સર્વેક્ષણમાં સામેલ 68% લોકોનું માનવું છે કે ભારતના લોકો ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરશે, જ્યારે 31% લોકો કહે છે કે ચીનની ચીજવસ્તુઓ ખરીદવાનું ચાલુ જ રાખીશું, ભલે કંઈ પણ થઈ જાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, ભારત - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2NqyhI4

ચીને આપણી 2848 વસ્તુઓની આયાત રોકી, ભારતમાં માત્ર 433 વસ્તુઓની આયાત પર રોક

ચીને આર્થિક મોરચે પણ ભારત વિરુદ્ધ છૂપું યુદ્ધ છેડ્યું છે. તે 2,848 વસ્તુઓ પર નોન-ટેરિફ બેરિયર લગાવી ચૂક્યું છે. આથી આ વસ્તુ ચીન મોકલી શકાતી નથી. જ્યારે ભારતમાં માત્ર 433 વસ્તુઓની આયાત પર પ્રતિબંધ છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ ડબલ્યુટીઓના જણાવ્યા મુજબ કોઈપણ દેશ નિશ્ચિત દરથી વધુ માત્રામાં ટેરિફ લાદી શકતું નથી. આયાત ઓછી કરવા મોટાભાગના દેશો નોન-ટેરિફ બેરિયર લાદે છે. બે પ્રકારના પ્રતિબંધ હોય છે. ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ અને સેનેટરી અને ફાઈટોસેનેટરી. એફઆઈઈઓના ડીજી અજય સહાય કહે છે કે ચીન આપણી પાસેથી કાચો માલ લે છે પરંતુ તૈયાર માલ પરઅનેક પ્રકારના કાયદા લગાવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/37U7KfD

Pruning of mulberry trees underway to boost cocoon production in J&K’s Mirgund

Pruning of mulberry trees underway to boost cocoon production in J&K’s Mirgund




from News - Videos - The Times of India https://ift.tt/37ToXWm

Vitamin D may help prevent common side effect of anti-cancer immunotherapy

Vitamin D may help prevent common side effect of anti-cancer immunotherapy




from News - Videos - The Times of India https://ift.tt/2V9CELW

Monday, June 22, 2020

SC rejects power companies’ bid to extend emissions deadline

SC rejects power companies’ bid to extend emissions deadline

from India Today | Top Stories https://ift.tt/2NyEyl7

Panic in Gujarat as Bharatsinh Solanki tests +ve



from Times of India https://ift.tt/2VbpqhH

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બહુ મોટી ભૂલ સાબિત થશે: નિષ્ણાતો

ચીનનો મહત્ત્વાકાંક્ષી ચીન-પાક. ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પ્રોજેક્ટ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ભૂલ સાબિત થશે. અમેરિકા ખાતેના પાક.ના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની સહિત ઘણા નિષ્ણાતોએ આવો દાવો કર્યો છે. જેરુસલેમ પોસ્ટમાં આ નિષ્ણાતોના નિવેદનોના આધારે અહેવાલ છપાયો છે. તેમના કહેવા મુજબ, પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ 3.50 લાખ કરોડ રૂ. હતો, જે હવે વધીને 6.61 લાખ કરોડ રૂ. થઇ ચૂક્યો છે. સીપીઇસી રસ્તા, રેલવે તથા વિદ્યુત પરિયોજનાઓનું સુયોજિત નેટવર્ક છે, જે ચીનના શિનજિયાંગ પ્રાંતને પાક.ના ગ્વાદર પોર્ટ સાથે જોડવા માટે બનાવાઇ રહ્યું છે. તેમાં પાક.એ પણ રોકાણ કર્યું છે પણ તેનો મોટા ભાગનો હિસ્સો ધિરાણના રૂપમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લાલ કલરમાં દર્શાવ્યો તે કોરિડોર છે


from Divya Bhaskar https://ift.tt/316ziNp

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આખી રાત મંદિરમાં હાજર રહ્યાં, વહેલી સવારે મંગળા આરતી કરી ઘરે ગયા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી અરજી કરવામાં આવી હતી. મોડી રાતે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. રથયાત્રા અંગે સરકાર ગંભીર હતી અને રાજ્યના ગૃહમંત્રી અને કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા આખી રાત જગન્નાથ મંદિરમાં હાજર રહ્યા હતાં. આખી રાત તેઓએ મંદિરમાં જ હાજર રહી સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વહેલી સવારે પ્રદીપસિંહ જાડેજા મંગળા આરતી કરી અને ઘરે ગયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે સાંજે જગન્નાથ મંદિર આરતી અને દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે પ્રદીપસિંહ જાડેજા મંદિરમાં હાજર હતાં. ત્યારબાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર ગુજરાત હાઈકોર્ટમાં રથયાત્રા કાઢવા મુદ્દે અરજી કરશે. સરકારે મંદિરને રથયાત્રા કાઢવા સહયોગને લઇ સરકારના પ્રતિનિધિ તરીકે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંદિરમાં હાજર રહ્યા હતા. મોડી રાતે બે વાગ્યે હાઈકોર્ટમાં રથયાત્રા ન કાઢવાના ચુકાદા બાદ પણ તેઓ હાજર રહ્યા હતા અને વહેલી સવારે આરતી બાદ જ ઘરે ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Home Minister Pradipsinh Jadeja was present in the temple all night, went home early on Tuesday morning


from Divya Bhaskar https://ift.tt/2Yngdor

કોવિડ હોસ્પિટલના તબીબ, આરોગ્ય મંત્રીના પૌત્ર અને રત્નકલાકાર સહિત 133 પોઝિટિવ

સોમવારે એક જ દિવસમાં શહેરમાં 5 અને જિલ્લામાં 1 સહિત વધુ 6 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થતા કુલ મૃતાંક 143 થયો છે. સોમવારે શહેરમાં 114 અને જિલ્લામાં 19 કેસ સાથે વધુ 133 પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 3718 થઈ છે. શહેરમાંથી 52 અને જિલ્લામાંથી 8 દર્દી સાજા થતા રજા અપાઈ હતી. પોઝિટિવ કેસમાં સિવિલ કોવિડ 19 હોસ્પિટલના ક્રિટિકલ કેર હેડ ડો.સમીર ગામી, 4 નર્સ, એક્ષરે ટેક્નિશિયન,ખાનગી હોસ્પિટલની આયા સહિત ફ્રન્ટ લાઈન વોરિયર્સ અને આરોગ્ય મંત્રી કાનાણીના પૌત્ર તેમજ 30 રત્નકલાકારોનો સમાવેશ થયો છે.

મૃતકો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સાથે કોરોના સામે પણ લડી રહ્યા હતા
એ.કે. રોડ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ 31મી મેના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બેગમપુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધને ગઈ તા.19મી જુનના રોજ નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે તેમનું મોત નિપજ્યું હતું. ગોડાદરામાં રહેતા 57 વર્ષીય આધેડને 14જુનના રોજ સિવિલમાં દાખલ કરાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે તેમનું પણ મોત થયું હતું.

કતારગામ બાપાસીતારામ ચોક વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડને ગઈ તા.16 જુનના રોજ સિવિલમાં દાખલ કરાયા હતા. સોમવારે તેમનું પણ મોત થયું હતું. સરસાણાના 70 વર્ષીય વૃદ્ધને ગઈ તા.15 જુનના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે કામરેજમાં રહેતા 48 વર્ષીય આધેડનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે મોત થયું હતું. તમામ મૃતકો ડાયાબિટીસ - બ્લડ પ્રેશરની સાથે કોરોના સામે પણ લડી રહ્યા હતા.

મંત્રીની પુત્રવધુ બાદ પૌત્ર પણ પોઝિટિવ
રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રવધુ બાદ 10 વર્ષીય પૌત્ર પણ સંક્રમિત થયો છે. તેમના પુત્ર અને પૌત્રમાં પણ શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના પણ સેમ્પલ લેવાયા હતા. જેમાં પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે સોમવારે પૌત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 હોસ્પિટલમાં ક્રિટિકલ કેર હેડ તેમજ શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડો.સમીર ગામી પણ સંક્રમિત થયા છે.

4 નર્સ, પાલિકા કર્મચારી, શિક્ષક પણ સંક્રમિત
સિવિલ, સ્મીમેર અને ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવતી 4 નર્સ અને આઈકોન હોસ્પિટલની આયાને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં રહેતા પાલિકાના હાઈડ્રોલિક વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને પણ ચેપ લાગ્યો છે. ચોપાટી પાસે પેટ્રોલપંપ પર કામ કરતા એક કર્મચારી અને ગુરુકુળના શિક્ષકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2YrPpDE

J&K: 2 militants, 1 CRPF jawan killed in Pulwama encounter

J&K: 2 militants, 1 CRPF jawan killed in Pulwama encounter

from India Today | Top Stories https://ift.tt/383GWK5

Vande Bharat Mission 'skids' in Mumbai, Air India clarifies

Vande Bharat Mission 'skids' in Mumbai, Air India clarifies

from India Today | Top Stories https://ift.tt/2VbkMQN

નેપાળનું ભારત સામે વધુ એક દુ:સાહસઃ બિહારમાં ડેમનું કામ નેપાળે અટકાવ્યું, ગંડક બેરેજનું કામ અટકતા પૂરનું જોખમ

નેપાળ હવે નક્શા વિવાદ પછી ડેમના સમારકામમાં અવરોધ પેદા કરી રહ્યું છે. તાજેતરનો મામલો બિહારનો છે જ્યાં નેપાળના કારણે મોટા હિસ્સામાં પૂર આવી શકે છે. નેપાળ સરકારે બિહારના પૂર્વ ચંપારણના ઢાકા અનુમંડળમાં લાલ બકૈયા નદી પર બની રહેલા ડેમના પુન:નિર્માણ કામને અટકાવી દીધું છે. બિહારના જળ સંસાધન મંત્રી સંજયકુમાર ઝાએ જણાવ્યું કે અમને માહિતી મળી છે કે નેપાળમાં હજુ પણ લૉકડાઉન ચાલી રહ્યું છે. જોકે આ વાતને વિશ્વાસ સાથે ન કહી શકાય પણ તેમના વતી અવરોધ પેદા કરવામાં આવી રહ્યા છે.

સીએમ નીતીશના નજીકના ઝાએ કહ્યું કે ગંડક બેરેજના 36 ગેટ છે. ઝાએ કહ્યું કે ડેમનો અડધો ગેટ નેપાળમાં છે. ભારતે તેના હિસ્સામાં આવતા ગેટ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમારકામ કરાવી દીધું છે. જ્યારે નેપાળના ભાગમાં આવતા 18થી 36 ગેટનું સમારકામ થઈ શક્યું નથી. નેપાળ ડેમ સમારકામ માટે સામગ્રી લઈ જવા દેતું નથી. નેપાળે એ ક્ષેત્રમાં અવરોધ પેદા કર્યા છે. આ મામલે અમારા એન્જિનિયર અને ડીએમ સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ મામલે વિદેશ મંત્રાલયને પણ પત્ર લખીશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગંડક નદી પરના ડેમની ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2CtXUFv

દુનિયામાં સૌથી વધુ ચેપગ્રસ્ત અમેરિકામાં માસ્કનો વિરોધ, જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ આરોગ્યકર્મીઓ નોકરી છોડી રહ્યા છે

કોરોના મહામારીથી દુનિયાભરના 90 લાખ ચેપગ્રસ્તોમાંથી સૌથી વધુ 23 લાખ અમેરિકામાં છે. તેમ છતાં અહીં કોરોના અટકાવવાના ઉપાયો વિરુદ્ધ લાખો લોકો ઊભા થઇ ગયા છે. તે ન ફક્ત માસ્કનો વિરોધ કરી રહ્યા છે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને પણ માની રહ્યા નથી. ફરજિયાત માસ્ક પહેરવાનો આદેશ જારી કરનારા સ્વાસ્થ્ય અધિકારીઓને ધમકી મળી રહી છે.

આ ક્ષેત્રમાં 1.17 લાખ લોકો કોરોના મહામારીને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. જોકે 21 લાખ પોઝિટિવ મળી આવ્યા છે

દક્ષિણ કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીમાં સ્વાસ્થ્ય અધિકારી ડૉ. નિકોલ ક્વિકે 10 જૂને એટલા માટે રાજીનામું આપી દીધું કેમ કે તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ડૉ. ક્વિકે ભૂલ એ કરી હતી કે તેમણે જાહેર સ્થળે લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું હતું. અમુક કલાકો બાદ જ તેમનો વિરોધ શરૂ થયો. અમુક નારાજ સ્થાનિકોએ પોસ્ટર બનાવ્યાં અને તેમાં તેમની તુલના હિટલર સાથે કરી નાખી. ઓરેન્જ કાઉન્ટીના એક્ઝિક્યુટિવ ઓફિસર ફ્રેન્ક કિમે જણાવ્યું કે જાહેર મીટિંગ અને સોશિયલ મીડિયા પર સતત મળી રહેલી ધમકીઓના કારણે તેમને(ડૉ. ક્વિક ને) સુરક્ષા અપાઈ છે. પ્રજામાં રોષ ચોંકાવનારો છે કેમ કે આ ક્ષેત્રમાં 1.17 લાખ લોકો કોરોના મહામારીને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. જોકે 21 લાખ પોઝિટિવ મળી આવ્યા છે. કેલિફોર્નિયાના સેન્ટા એના વિસ્તારમાં માસ્ક સમર્થકોની સાથે ધક્કા-મુક્કી કરાઈ અને સૂત્રોચ્ચાર કરાયો કે – હે હે હો હો માસ્ક કો જાના હોગા. કેલિફોર્નિયાના સ્વાસ્થ્ય અધિકારીઓના સંગઠનમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટ ડેબુર્કે ભાસ્કરને જણાવ્યું કે સામાન્ય નાગરિકોમાં વેક્સિન અંગે નારાજગી તો હતી જ પણ તે એટલી હદે વધી જશે કે અધિકારીઓએ સુરક્ષા માટે ફરવું પડશે, આવું અગાઉ ક્યારેય જોયું જ નથી. સેન ડિયાગોમાં અધિકારીઓએ ચેતવણી ઉચ્ચારી હતી કેમ કે અનેક જગ્યા પર લોકો ભીડમાં માસ્ક વિના પાર્ટી કરી રહ્યા હતા. ન્યુયોર્ક અને ન્યુજર્સી જેવા રાજ્યોને છોડી દઈએ તો બાકી બધા રાજ્યોમાં લોકો ન તો માસ્ક પહેરે છે ન તો જરૂરી અંતર જાળવે છે.

લોકો માને છે : ટ્રમ્પ જવાબદાર, જે ખુદ માસ્ક નથી પહેરતા

લોકો માને છે કે માસ્ક ન પહેરવાની લાપરવાહી પાછળ અમેરિકાના લાપરવાહ નેતૃત્વનો હાથ છે. ટ્રમ્પ અનેકવાર મહામારીનો મજાક ઉડાવી ચૂક્યા છે. તે ખુદ પણ માસ્ક પહેરતા નથી. હવે તે ચેપગ્રસ્ત વિસ્તારોમાં રેલીઓ સંબોધી રહ્યાં છે. એક દિવસ પહેલા ઓક્લાહોમાના ટુલ્સામાં રેલી કરી જ્યાં અઠવાડિયામાં કોરોના ચેપગ્રસ્તો અને દાખલ દર્દીઓ બંનેની સંખ્યા બમણી થઈ ચૂકી છે. રેલીમાં 60 હજાર લોકો હતા, મોટા ભાગના માસ્ક વગર આવ્યા હતા. રેલીમાં ટ્રમ્પે કોરોના ટેસ્ટ ઘટાડવાની વાત કહી. તેમણે કહ્યું કે આ મામલે અધિકારીઓને કહી દેવાયું છે. ટ્રમ્પના આ નિવેદન પર નિષ્ણાતોએ વાંધો વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતો કહે છે કે દેશમાં ચેપગ્રસ્ત ખરેખર વધી રહ્યા છે, રાષ્ટ્રપતિને તેની ચિંતા હોવી જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ : ફાઈલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3fOIyty

Beware! Covid cure frauds boom in Delhi

Beware! Covid cure frauds boom in Delhi

from India Today | Top Stories https://ift.tt/37T6XLP

Russia-India-China meet to focus on coronavirus, will not feature talks on bilateral issues

RIC meet to focus on coronavirus, will not feature talks on bilateral issues

from India Today | Top Stories https://ift.tt/2V4FVfi

Gujarat HC rejects all applications including state govt's seeking permission for Jagannath Rath Yatra

Gujarat HC rejects all applications including state govt's seeking permission for Jagannath Rath Yatra

from India Today | Top Stories https://ift.tt/3dqgBqn

COVID: Budding engineer designs automatic thermal scanner

COVID: Budding engineer designs automatic thermal scanner




from News - Videos - The Times of India https://ift.tt/3et9ij5

Parts of Uttarakhand and UP to witness monsoon from June 23: IMD

Parts of Uttarakhand and UP to witness monsoon from June 23: IMD




from News - Videos - The Times of India https://ift.tt/2AZHzbk

Study questions length of immunity against virus

Levels of an antibody found in recovered Covid-19 patients fell sharply in 2-3 months after infection for both symptomatic and asymptomatic patients, according to a Chinese study, raising questions about the length of any immunity against the novel coronavirus.

from Times of India https://ift.tt/37SQFCE

આજે ભગવાન જગન્નાથ મંદિર પરિસરમાં જ પરિક્રમા કરશેઃ આંખો પરથી પાટા ખોલવામાં આવ્યાં

મંગળા આરતી બાદ હવેભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં છે અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. વહેલી સવારે 4 વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. મહત્વનું છે કે, મંગળા આરતી માટે ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અમુક કારણોસર હાજર રહી શક્યા નહોતા. ત્યારે પ્રદિપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર બિજલ પટેલે આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા.આ વર્ષે કૃષ્ણભક્તોએ ભગવાનના ઘરે બેઠાં જ ટેલિવિઝનના માધ્મયથી લાઇવ દર્શન કરવા પડશે.

સવારે 4 વાગે મહંત દિલિપદાસજી મહારાજે ભગવાનની મંગળા આરતી ઉતારી

હાઇકોર્ટે મોડી રાત્રે સરકારની અરજી ફગાવી
આજે ભગવાનની 143મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શકશે નહીં. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હાઇકોર્ટ આ વિશે જણાવતા કહે છે કે, ‘આવી મહામારીની પરિસ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે છે.’ હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં. પરંતુ, મંદિરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવશે.

ટ્રેક્ટરથી રથ ખેંચી રથયાત્રા કાઢવામાંઆવશે
આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા રથયાત્રાની મંજૂરી આપવામાં આવશે તો રથ ટ્રેક્ટરથી ખેંચવામાં આવશે. ટ્રેક્ટરથી રથ કઈ રીતે ખેંચાય તેનું ચેકિંગ પણ થઈ ચૂક્યું છે. તેમજ ત્રણેય રથને ખેંચવા માટે લોખંડના સ્પેશિયલ પાટા બનાવવામાં આવ્યા છે. જેનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિરિક્ષણ પણ કર્યું હતું.

જો મંજૂરી નહીં મળે તો રથ મંદિરમાં 7 પ્રદક્ષિણા કરશે અને મંગળા આરતી થશે
હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવ્યા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા રથને મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રણેય રથને વારાફરતી મંદિર પરિસરમાં લાવી પરિક્રમા કરાવાશે. જો કે મંગળા આરતી પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાશે
રથયાત્રામાં પહિંદવિધિનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. આ પહિંદ વિધિ વર્ષો પહેલાં રાજ્યના રાજા દ્વારા કરવામાં આવતી હતી. મંદિરના મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર આ વિધિ માટે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહિંદ વિધિમાં હાજર રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યાં


from Divya Bhaskar https://ift.tt/2AQNpMh