
નેપાળ હવે નક્શા વિવાદ પછી ડેમના સમારકામમાં અવરોધ પેદા કરી રહ્યું છે. તાજેતરનો મામલો બિહારનો છે જ્યાં નેપાળના કારણે મોટા હિસ્સામાં પૂર આવી શકે છે. નેપાળ સરકારે બિહારના પૂર્વ ચંપારણના ઢાકા અનુમંડળમાં લાલ બકૈયા નદી પર બની રહેલા ડેમના પુન:નિર્માણ કામને અટકાવી દીધું છે. બિહારના જળ સંસાધન મંત્રી સંજયકુમાર ઝાએ જણાવ્યું કે અમને માહિતી મળી છે કે નેપાળમાં હજુ પણ લૉકડાઉન ચાલી રહ્યું છે. જોકે આ વાતને વિશ્વાસ સાથે ન કહી શકાય પણ તેમના વતી અવરોધ પેદા કરવામાં આવી રહ્યા છે.
સીએમ નીતીશના નજીકના ઝાએ કહ્યું કે ગંડક બેરેજના 36 ગેટ છે. ઝાએ કહ્યું કે ડેમનો અડધો ગેટ નેપાળમાં છે. ભારતે તેના હિસ્સામાં આવતા ગેટ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમારકામ કરાવી દીધું છે. જ્યારે નેપાળના ભાગમાં આવતા 18થી 36 ગેટનું સમારકામ થઈ શક્યું નથી. નેપાળ ડેમ સમારકામ માટે સામગ્રી લઈ જવા દેતું નથી. નેપાળે એ ક્ષેત્રમાં અવરોધ પેદા કર્યા છે. આ મામલે અમારા એન્જિનિયર અને ડીએમ સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ મામલે વિદેશ મંત્રાલયને પણ પત્ર લખીશું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CtXUFv
No comments:
Post a Comment