Ad

Monday, June 22, 2020

આજે ભગવાન જગન્નાથ મંદિર પરિસરમાં જ પરિક્રમા કરશેઃ આંખો પરથી પાટા ખોલવામાં આવ્યાં

મંગળા આરતી બાદ હવેભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં છે અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. વહેલી સવારે 4 વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. મહત્વનું છે કે, મંગળા આરતી માટે ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અમુક કારણોસર હાજર રહી શક્યા નહોતા. ત્યારે પ્રદિપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર બિજલ પટેલે આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા.આ વર્ષે કૃષ્ણભક્તોએ ભગવાનના ઘરે બેઠાં જ ટેલિવિઝનના માધ્મયથી લાઇવ દર્શન કરવા પડશે.

સવારે 4 વાગે મહંત દિલિપદાસજી મહારાજે ભગવાનની મંગળા આરતી ઉતારી

હાઇકોર્ટે મોડી રાત્રે સરકારની અરજી ફગાવી
આજે ભગવાનની 143મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શકશે નહીં. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હાઇકોર્ટ આ વિશે જણાવતા કહે છે કે, ‘આવી મહામારીની પરિસ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે છે.’ હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં. પરંતુ, મંદિરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવશે.

ટ્રેક્ટરથી રથ ખેંચી રથયાત્રા કાઢવામાંઆવશે
આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા રથયાત્રાની મંજૂરી આપવામાં આવશે તો રથ ટ્રેક્ટરથી ખેંચવામાં આવશે. ટ્રેક્ટરથી રથ કઈ રીતે ખેંચાય તેનું ચેકિંગ પણ થઈ ચૂક્યું છે. તેમજ ત્રણેય રથને ખેંચવા માટે લોખંડના સ્પેશિયલ પાટા બનાવવામાં આવ્યા છે. જેનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિરિક્ષણ પણ કર્યું હતું.

જો મંજૂરી નહીં મળે તો રથ મંદિરમાં 7 પ્રદક્ષિણા કરશે અને મંગળા આરતી થશે
હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવ્યા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા રથને મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રણેય રથને વારાફરતી મંદિર પરિસરમાં લાવી પરિક્રમા કરાવાશે. જો કે મંગળા આરતી પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાશે
રથયાત્રામાં પહિંદવિધિનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. આ પહિંદ વિધિ વર્ષો પહેલાં રાજ્યના રાજા દ્વારા કરવામાં આવતી હતી. મંદિરના મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર આ વિધિ માટે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહિંદ વિધિમાં હાજર રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યાં


from Divya Bhaskar https://ift.tt/2AQNpMh

No comments:

Post a Comment