Ad

Thursday, June 18, 2020

રાજકોટના યુવાને ચાઈનીઝ કારનું બુકિંગ રદ કર્યું

હાલ ભારત અને ચીન વચ્ચે અંત્યત તણાવભર્યો માહોલ સર્જાયો છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા યુવાન મયુરધ્વજસિંહ ઝાલા 10 મહિના પહેલા બુક કરાવેલી ચાઈનીઝ કંપનીની 19 લાખની કારનું બુકિંગ રદ કરાવી નાખ્યું છે.

ચાઇનીઝ ચીજને તો જીવનમાં કયાંય પ્રવેશ આપવો નથીઃ મયુરધ્વજસિંહ ઝાલા
યુવાને ભાસ્કરને જણાવ્યું હતું કે, જ્યારથી કોરોના ભારતને ભરડો લઈ રહ્યો છે ત્યારથી જ ચાઈના પ્રત્યે એક તિરસ્કારની લાગણી જન્મી છે અને ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી તણાવ ભરી સ્થિતિ ઉદભવી છે. ત્યારે મેં નક્કી કર્યું કે મારો શોખ ગૌણ છે પણ ચાઇનીઝ ચીજને તો જીવનમાં કયાંય પ્રવેશ આપવો નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચાઈનીઝ કારની ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3fxYUGM

A rapid boost in testing times

A rapid boost in testing times

from India Today | Top Stories https://ift.tt/2AEMVIZ

In a first, Nepal deploys its troops at border with India

In a first, Nepal deploys its troops at border with India

from India Today | Top Stories https://ift.tt/3dlm4Pu

PM Modi's all-party meet on China today: Sonia Gandhi, Mamata Banerjee among attendees, AAP excluded

PM Modi's all-party meet on India-China standoff today | List of all attendees

from India Today | Top Stories https://ift.tt/2AFylkw

US has cut troops in Afghanistan to agreed level: Top general

US has cut troops in Afghanistan to agreed level: Top general

from India Today | Top Stories https://ift.tt/2AOJnnp

Nepal House OKs bill to revise map



from Times of India https://ift.tt/2zK46Z9

India sees a record 14,000+ cases in a day

India added a record 14,000-plus new Covid-19 cases on Thursday, with big surges in the pandemic in Delhi, Maharashtra and Uttar Pradesh, among other states. Maharashtra and Delhi recorded their biggest single-day jump in cases, with the former reporting 3,752 fresh infections while the national capital recorded 2,877 cases.

from Times of India https://ift.tt/3dh7Q1T

Live: Tamil Nadu Covid tally crosses 50,000

Coronavirus cases in India have jumped up to 3,66,946 with the death toll from the virus taking 12,237 lives. Globally, the total number of confirmed Covid cases have crossed the 80 lakh-mark. Stay with TOI for live updates

from Times of India https://ift.tt/2AOH6Zs

Business activity near pre-Covid levels: PM Modi

usiness activity in India is normalising with consumption and demand rapidly approaching the pre-Covid levels, Prime Minister Narendra Modi said while launching the first-ever auction of coal mines for commercial mining on Thursday.

from Times of India https://ift.tt/3fHIY57

PM to launch Rs 50k cr job plan for migrants

The government on Thursday unveiled a Rs 50,000 crore plan to provide jobs to returning migrants spread across 116 districts in six states, a move aimed at blunting criticism over the government’s handling of the migration triggered by the deadly coronavirus pandemic.

from Times of India https://ift.tt/2UYv6LF

રાજ્યસભાની 4 બેઠકો પર કુલ 5 ઉમેદવાર, એક વોટ પર નિર્ભર છે ચોથી બેઠકની ચૂંટણી

ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાશે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. આ રીતે જોઇએ તો આ જંગમાં પ્રતિષ્ઠાનો દાવ મૂળે કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાશે. આજે ગાંધીનગરમાં સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે પરિણામ આવશે.

હાલ રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા જોતા દરેક ઉમેદવારને જીતવા 35 મત જરૂરી છે. ભાજપના 103 મત છે અને સાથે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાંતે ભાજપના ઉમેદવારને મત આપશે તે લગભગ નક્કી છે. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કોંગ્રેસના 65 ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ 66 મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટે અને તે જોતાં જો બીટીપીના બન્ને મત પણ કોંગ્રેસને મળે તો ય જીતનો જામ થોડો દૂર આવીને ઢોળાઇ જાય.

કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે એવો ભાજપને વિશ્વાસ
ભાજપના સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે. આમ કરવા પાછળનું ગણિત છે કે જો પહેલેથી તે ધારાસભ્યો રાજીનામાં આપી દે તો જીતવા જરૂરી મતનું ભારણ પણ ઘટે અને ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય, તેના બદલે ચાલું ધારાસભ્યો ક્રોસ વોટ કરે તો તેમનો સીધો એક મત જ ભાજપના નરહરિ અમીનને મળી જાય.

ભાજપની જીતની ફોર્મ્યુલા, પ્રથમ એવા બે ઉમેદવારોને 1-1 વધુ મતનો મેન્ડેટ અપાશે
ભાજપના સૂત્રો કહે છે કે બે ઉમેદવારો અભય ભારદ્વાર અને રમીલા બારાને જીતવા જરૂરી એવાં 35 જ મતને બદલે 1-1 મત વધુ મળે તે રીતે MLAને મેન્ડેટ અપાશે. જો એકાદ MLAનો મત રદ થાય તો અમીનને 32 મતો મળે. તેથી જ નરહરિ અમીન કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને લઇને ઉત્સાહિત છે.

કોંગ્રેસની જીતની ફોેર્મ્યુલા, સવારે જ બંધ પરબીડિયામાં ધારાસભ્યોને વ્હીપ અપાશે
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પક્ષ પોતાના ધારાસભ્યોને મત માટેનો વ્હીપ શુક્રવારે સવારે જ બંધ પરબિડીયામાં આપશે. આથી ધારાસભ્યોને સીધી રીતે ખ્યાલ ન આવે કે કયાં ઉમેદવારને કેટલાં મત મળશે. હાલના સંજોગોમાં પ્રથમ ઉમેદવાર શક્તિસિંહને જ પ્રાથમિકતાના મત મળે અને રાજ્યસભામાં લઇ જવાય તેવાં પ્રયત્નો થઇ રહ્યાં છે.

કોણ જીતશે? આ છે ગણિત: કોંગ્રેસ શક્તિસિંહ માટે મેન્ડેટ આપે એવી ચર્ચા, નરહરિ માટે કપરાં ચઢાણ
ભાજપની પાસે 103 વોટ, 3 બેઠકો જીતવા માટે 105 વોટની જરૂર
સ્થિતિ:
ભાજપે અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં એક બેઠક જીતવા માટે 35 વોટની જરૂરિયાત છે. ભાજપ પાસે 103 વોટ છે. એટલે કે બે વોટ વધુ જોઈએ છે.
રણનીતિ: ભાજપની બે બેઠકો નક્કી છે. પણ ત્રીજી સીટ માટે તેને વધુ બે ધારાસભ્યોની જરૂર છે. ભાજપની નજર બીટીપી અને એનસીપીના ધારાસભ્યો પર છે. જો તેઓ એમની પાસે આવી જશે તો ભાજપ 3 બેઠકો મેળવી લેશે.

કોંગ્રેસ પાસે 5 વોટ ઓછા, શક્તિની જીત નક્કી, ભરતસિંહ હારી શકે છે
સ્થિતિ: કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે. પણ 8 ધારાસભ્ય બળવો કરીને પાર્ટી છોડી ચૂક્યાં છે. આ સ્થિતિમાં 66 વોટ ઓછા છે. તેમને 5 વોટની જરૂર છે.
રણનીતિ: કોંગ્રેસને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો વોટ મળવાનો નક્કી છે. પણ બીટીપી અને એનસીપીએ પત્તા ખોલ્યા નથી. શક્તિસિંહ પ્રથમ કેન્ડીડેટ છે. તેથી ભરતસિંહ ચૂંટણી હારી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A total of 5 candidates in 4 Rajya Sabha seats, one vote dependent on the election of the fourth seat


from Divya Bhaskar https://ift.tt/2UVLBbo

ગલવાન ઘાટીમાં શહીદ 20 સૈન્યવીરોને દેશભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ 

પટણામાં હવાલદાર સુનીલ કુમારની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. દેશનાં 20 સ્થળોથી આવી તસ્વીરો આવી છે. દરેક જગ્યાએ ‘ભારત માતા કી જય. શહીદ અમર રહે. ચીની સામાનનો બહિષ્કર કરો’ નારા લાગ્યા હતા.

શહીદી પહેલાં સૈનિકનો મિત્રોને અંતિમ મેસેજ: ચીની સામાનનો બહિષ્કાર કરો...
ગલવાન ઘાટીમાં શહીદ થયેલા પશ્ચિમ બંગાળના બીરભૂમના સિપાહી રાજેશ ઓરાંગે વોટ્સએપ પર અંતિમ મેસેજ ચીની સામાનના બહિષ્કારનો મોકલ્યો હતો. આ મેસેજ તેણે ગામના પોતાના કેટલાક મિત્રોને મોકલ્યો હતો.

લદાખ સરહદે શહીદી વ્હોરનારા વીરોની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
ભારતમાં લદાખ સરહદે ગલવાન ખીણમાં ચીને આચરેલા હિચકારા કૃત્યમાં શહીદ થયેલા ભારતના 20 જવાનના મૃતદેહ તેમના વતન મોકલવામાં આવ્યા હતા. દેશના અનેક હિસ્સામાંથી આ‌વતા આ જવાનોના મૃતદેહો ઘરે પહોંચ્યા ત્યારે તેમના સ્વજનો જ નહીં, આખું ગામ, જિલ્લો, શહેર જ નહીં, આખો દેશ જાણે હીબકે ચઢ્યો હતો. આ જવાનોની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ નિ:શસ્ત્ર જવાનોએ ચીનના સૈનિકો સાથે લડતા લડતા વીરગતિ હાંસલ કરી હતી.

સૂર્યાપેટ (તેલંગાણા): કર્નલ સંતોષ બાબુ
ગુરદાસપુર (પંજાબ): નાયબ સુબેદાર સતનામ સિંહ
માનેર (બિહાર): સુનિલકુમાર
રામેશ્વરમ (તમિલનાડુ): હવાલદાર પલાની


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tributes paid to 20 martyred soldiers in across the country


from Divya Bhaskar https://ift.tt/3fG97RU

ગલવાન ઘાટીમાં ચીનના દુ:સાહસનો જવાબ આર્થિક મોરચે ભારત આપશે, ચીની કંપનીઓના કોન્ટ્રાક રદ કરાયા

લદાખમાં 20 જવાનોની શહીદી વિરુદ્ધ દેશભરમાં ચાઈનીઝ સામાન પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ગુરૂવારે બીજા દિવસે ઠેર-ઠેર ચાઈનીઝ સામાન સળગાવાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનું નામ લીધા વગર આત્મનિર્ભરતાનો મંત્ર આપતા આયાત ઘટાડવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘વેપારીઓ મજબૂત આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર અભિયાનની આગેવાની કરે. હું તમારી સાથે છું.’ ઉપભોક્તા બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને અધિકારીઓને નિર્દેશ આપ્યા કે, ચીનનો સામાન ન ખરીદવામાં આવે.

બીજી તરફ રેલવેએ ચીનની કંપનીને રૂ.471 કરોડનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાખ્યો છે અને સાથે જ રૂ.1 હજાર કરોડના પાર્ટ્સ ખરીદવાનો કરાર તોડવાની તૈયારી છે. 7 કરોડ દુકાનદારોના સંગઠન કેટે ‘ભારતીય સામાન- હમારા અભિમાન’ અભિયાન શરૂ કર્યું છે. કેટે અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવા સેલિબ્રિટીને ચાઈનીઝ સામાનની જાહેરાત ન કરવા અપીલ કરી છે.

ચીની કંપનીનું કામ ધીમું હતું, રેલવેએકામ પાછુ ખેંચ્યું
રેલવેએ ચીનની કંપનીનો રૂ.471 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો છે. DFCCILએ કામની ગતિ ધીમી હોવાના આધારે આ કાર્યવાહી કરી છે. આ કામ કાનપુર-દીનદયાલ ઉપાધ્યાય સેક્શન વચ્ચે સિગ્નલિંગ અને ટેલિકમ્યુનિકેશન સાથે જોડાયેલું હતું. અગાઉ સરકારે BSNLના 4જી અપગ્રેડેશનમાં પણ ચાઈનીઝ ઉપકરણોનો ઉપયો ન કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મંત્રીએ માગ કરી કે, દિલ્હી-મેરઠ મેટ્રો માટે ચીની કંપનીને અપાયેલો કોન્ટ્રાક્ટ પણ રદ્દ કરવામાં આવે.

બહિષ્કારની માગ દબાવે ભારત : ચીની અખબાર
ચાઈનીઝ સામાનના બહિષ્કારની માગથી ચીન ફફડી ઊઠ્યું છે. ચીનનું સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારત સરકારને આવા અવાજો દબાવી દેવાની માગ કરી છે. અખબારે લખ્યું છે કે, સીમા વિવાદને વેપાર સાથે જોડવો ઉચિત નથી. ચીનના બહિષ્કારની માગ ભારતમાં ઊઠી છે તેના પર વિશ્વાસ થતો નથી, જેણે દંગલ, સીક્રેટ સુપરસ્ટાર અને હિન્દી મીડિયમ જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મોમાં ભારતના લોકોને ઈમાનદાર, મૈત્રીપૂર્ણ અને વિનમ્ર બતાવાયા છે.

ચીન એએલસી પર પોતાની હદમાં જ રહે : ભારત
ભારતે ગુરુવારે ચીનને જવાબ આપતા કહ્યું કે, તે એલએસી પર પોતાની ગતિવિધિઓ પોતાની હદના અંદર મર્યાદિત રાખે. યથાસ્થિતિને બદલવા માટે એકપક્ષીય કાર્યવાહી ના કરે. ગલવાન ઘાટીમાં સોમવારે થયેલી અથડામણ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતની ક્ષેત્રીય અખંડતા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. ચીનના દાવામાં સચ્ચાઈ નથી. ગુરૂવારે ત્રીજા દિવસે બંને દેશના મેજર જનરલ રેન્કના અધિકારીઓ વચ્ચે છ કલાક બેઠક ચાલી હતી.

જવાનોને હથિયાર વગર કેમ મોકલ્યા: રાહુલ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીને હિન્દુસ્તાનના શસ્ત્રહીન સૈનિકોની હત્યા કરીને મોટો અપરાધ કર્યો છે. ચીને આપણે હથિયાર વગરના જવાનોની હત્યાની હિંમત કેવી રીતે કરી? કોણે મોકલ્યા? કોણ જવાબદાર છે.

જવાન હથિયારબંધ, પરંપરાને લીધે ગોળી ના ચલાવી
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, બોર્ડર ડ્યુટી પર દરેક સૈનિક હથિયારથી સજ્જ હોય છે. 15 જૂનના રોજ ગલવાનમાં ગયેલા સૈનિકો હથિયારો સાથે જ હતા. ગોળીબારી ન કરવાની લાંબી પરંપરા (1996-2005ના સમાધાન અનુસાર)નું પાલન કરતા હથિયાર ચલાવ્યા ન હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિલ્હીમાં ચીન વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન એક બાળકીની અપીલ.


from Divya Bhaskar https://ift.tt/2Z2Avmr

રાત્રિ કર્ફ્યૂ છતાં સેટેલાઇટ, વસ્ત્રાપુરમાં ફરવા નીકળેલા લોકોની 50 કાર જપ્ત

પશ્ચિમ અમદાવાદમાં રાતે 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો મોટી સંખ્યામાં ફરવા નીકળી પડ્યા હતા. જોકે પોલીસે બુધવારે રાત્રે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ ઉપર સપાટો બોલાવીને અડધો જ કલાકમાં 50 કાર ડિટેઇન કરી હતી. આ અંગે વસ્ત્રાપુર , સેટેલાઈટ અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

એસજી હાઈવે પર 30, સિંધુભવન રોડ પર 14 અને સેટેલાઇટમાં 6 કાર જપ્ત
કોરોનાની મહામારીના કારણે અમદાવાદમાંથી લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે, પરંતુ રાતે 9 વાગ્યા થી સવારના 8 વાગ્યા સુધી તો ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં પશ્ચિમ અમદાવાદમાં લોકો મોટી સંખ્યામાં ફરવા માટે નીકળી પડયા હતા.

જોકે એસજી હાઈવે અને સિંધુભવન રોડ ઉપર બુધવારે રાતે 9 વાગ્યા પછી પણ મોટી સંખ્યામાં લોકો ફરતા હોવાથી પોલીસે સપાટો બોલાવ્યો હતો, જેમાં સોલા હાઈકોર્ટ પોલીસે એસજી હાઈવે પરથી 30, વસ્ત્રાપુર પોલીસે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પરથી 14 અને સેલેટાઈટ પોલીસે એસજી હાઈવે પરતી 6 મળીને પોલીસે 50 કાર ડિટેઈન કરી લીધી હતી. આટલું જ નહીં તમામ કાર ચાલક અને કારમાં સવાર લોકો સામે પોલીસે 50 ગુના નોંધ્યા હતા.

માલેતુજાર પરિવારની મહિલાઓને છોડાવવા પોલીસ પર ભારે દબાણ કરાયું
સિંધુ ભવન રોડ ઉપર વસ્ત્રાપુર પોલીસ 2 દિવસથી 9 વાગ્યા પછી નીકળનારા લોકો સામે કેસો કરી રહી છે. જે અનુસાર 2 દિવસમાં રાતે 9 વાગ્યા પછી જુદી જુદી કારમાં ફરવા નીકળેલી 6 માતા અને 6 દીકરી વિરુદ્ધ પોલીસે ગુના નોંધ્યા છે. જોકે કાર લઇને નીકળનારી આ માલેતુજાર પરિવારની મહિલાઓને છોડાવવા માટે પોલીસ ઉપર બહુ જ ભલામણો આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શિવરંજની ચાર રસ્તા પર પોલીસે લોકોને રોકતા ટ્રાફિક જામ સર્જાયો હતો.


from Divya Bhaskar https://ift.tt/2APWhBt

કોઈપણ સ્થિતિમાં સરકાર રથયાત્રાને મંજૂરી આપશે: જગન્નાથ મંદિર ટ્રસ્ટી

જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે, જ્યારે અમદાવાદની રથયાત્રા અંગે હજી સુધી રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ જમાલપુરના જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓને રથયાત્રા કાઢવાની મંજૂરી મળશે જ તેવો પૂરેપૂરો વિશ્વાસ છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું છે કે, અમને વિશ્વાસ છે કે, રાજ્ય સરકાર અધિકારીઓ તથા એક્સપર્ટ્સની ટીમ સાથે સરવે કરી રથયાત્રા કાઢવાની ચોક્કસ મંજૂરી આપશે.

બુધવારે બપોર સુધીમાં સરકાર રથયાત્રા કાઢવી કે નહિ તે અંગે નિર્ણય લઈ લેશે. રથયાત્રા માટે સરકાર ના નહિ પાડે, છતાં અંતે સરકારના આદેશનું પાલન કરીશું. જો સરકાર હાથી સાથે રથ ખેંચવાની મંજૂરી આપશે તો આસામથી બોલાવાયેલા તેમ જ મંદિરના ચાર હાથી મળીને કુલ આઠ હાથીની મદદથી રથ ખેંચવાની અમારી તૈયારી છે.

તમામ હાથીઓની મેડિકલ તપાસ કરાશે
જમાલપુરના જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બે મહિના અગાઉ આસામથી રથયાત્રા માટે ચાર હાથી મગાવાયા હતા. તેમાંથી એક નર છે, જેનું નામ બલરામ છે. જ્યારે બાકીનાં ત્રણ માદા છે, જેમનું નામ સુભદ્રા, જાનકી અને રૂપા છે. રૂપાની ઉંમર 25 વર્ષ છે. તેમના ટ્રેનર મુન્નાભાઈના જણાવ્યા મુજબ, રથયાત્રા સંદર્ભે તમામ હાથીઓને વિશેષ ટ્રેનિંગ આપીએ છીએ. રોજ વહેલી સવારે મુખ્ય હાથીને રથયાત્રા માટે ઊઠકબેઠક કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છેે. રથયાત્રાના બે દિવસ પહેલાં તમામ હાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

ગજરાજ બેરિકેડ તોડી રથને મંદિર બહાર લાવ્યા હતા
વર્ષ 1985માં અમદાવાદમાં તોફાનો થયાં હતાં તે સમયે પણ રથયાત્રા કાઢવી કે નહિ તે વિશે અવઢવની સ્થિતિ હતિ. શહેરમાં તંગદિલીને જોતાં રથયાત્રા બંધ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આવા સમયે ગજરાજ સરજુપ્રસાદ મંદિરના પટાંગણમાં રહેલા ભગવાનના રથને ખેંચીને બહાર નીકળ્યો હતો. પોલીસ દ્વારા મંદિરની બહાર સુરક્ષા માટે આડશ મૂકવામાં આવી હોવા છતાં ગજરાજ સરજુપ્રસાદે તેને દૂર હડસેલી રથને ખેંચી ગયો હતો. મંદિરના અગ્રણીઓ કહે છે કે, આ જોઈને સાધુ-સંતોને થયું હતું કે ગમે તે થાય ભગવાનની ઇચ્છા છે તો રથયાત્રા યોજાવી જ જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હાથીને રોજ વહેલી સવારે ઊઠકબેઠક કરવાની ટ્રેનિંગ અપાઈ રહી છે.


from Divya Bhaskar https://ift.tt/37HSBOh

સુરત સહિત રાજ્યમાં વિવિધ ઓફિસો બંધ થતાં 1000 કરોડ રૂપિયા ફસાયા હોવાની વાત

ભવાનીવડ ખાતે આવેલી અને સુરત-મુંબઈની મોટી આંગડીયા પેઢીના સંચાલકો દ્વારા ઉઠમણું કરી લીધું હોવાની વાત વહેતી થઈ છે. જેમાં ઉઠમણું કરી લેનારની રાજ્યભરની તમામ ઓફિસો બંધ થતાં રૂ.1000 કરોડનું જોખમ ફસાયું હોવાની વાત પણ ઉદ્યોગ જગતમાં ચર્ચાઈ રહી છે.

હીરા ઉદ્યોગમાંથી મળતી માહિતી પ્રમાણે, ભવાનીવડ ખાતે આવેલી આ આંગડીયા પેઢીના સંચાલકો દ્વારા ઉઠમણું કરી લીધું હોવાની વાતે હીરા ઉદ્યોગકારો માટે ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે. આ ઉઠમણાંની સાથે આ પેઢીના સંચાલકો કે જેઓ વર્ષ 2017માં નોટબંધી વખતે આર્થિક ભીંસમાં ફસાયા હતા. તે વખતે પણ ઉદ્યોગકારો સાથે સમાધાન થતાં 40 થી 45 ટકા રકમ આપવાની નોબત આવી હતી. જોકે, તે વખતે શહેરની બે મોટી કંપનીના બે ઉદ્યોગકારો દ્વારા આ પેઢીને ટેકઓવર કરી લેવામાં આવી હતી. આ બે ઉદ્યોગકારો દ્વારા પેઢીમાંથી પોતાનો સપોર્ટ ખેંચી લેતા પેઢીના સંચાલકો આર્થિક રીતે કાચા પડ્યા હોવાની વાત સામે આવી રહી છે. જેમાં તે પેઢીના વહીવટકર્તા દ્વારા આત્મહત્યા કર્યો હોવાની પણ અફવા ફેલાય હતી.

ઉલ્લેખનીય છે કે, આ પેઢીની સુરત સિવાય દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ભાવનગર, વાપી, રાજકોટ સહિતના શહેરોમાં ઓફિસ છે. જેના કારણે રૂ.1000 કરોડનું જોખમ ફસાયું હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે. આ અંગે હીરા ઉદ્યોગકારો જણાવે છે કે, જે પાર્સલ પેઢી પાસે પડ્યા હતા. તે ધીરે-ધીરે કરીને 3 દિવસ અગાઉ જ બધાના ક્લિયર કરી દેવામાં આવ્યા હતા. સ્થાનિક આંગડીયાઓ દ્વારા આ મુદ્દે સત્તાવાર કોઈ માહિતી પર મોહર લગાડવામાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/30WpJ3m

કોરોના આમના નસીબનું ‘કોટા’ નહીં છીનવી શકે, કોઇ હોસ્ટેલમાં એકલી તો કોઇના પિતા સંક્રમિત પણ અભ્યાસ નથી અટક્યો

ચંબલ નદીના કાંઠે વસેલું કોટા શહેર અનલૉક તો થઇ ગયું છે પણ સન્નાટો છવાયેલો છે, કેમ કે શહેરની રોનક સમાન અહીં ભણતા દોઢ લાખ વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે. તેમાં આસપાસના જિલ્લાના 6-7 હજાર વિદ્યાર્થી પણ સામેલ છે. ‘નીટ’ની તૈયારી કરી રહેલા માત્ર 2 હજાર વિદ્યાર્થી હાલ અહીં બચ્યા છે. તેમાંથી કેટલાક પરિવારજનોની સાથે છે તો કેટલાક એકલા. દર વર્ષે 1.60 લાખ વિદ્યાર્થી અહીં નીટ અને જેઇઇની તૈયારી કરવા આવે છે. એક વિદ્યાર્થીની સરેરાશ ફી એક લાખથી સવા લાખ રૂ. છે. રહેવા-જમવાનો અંદાજે 1 લાખ રૂ. ખર્ચ થાય છે. કોટામાં કોચિંગ ઇન્ડસ્ટ્રી વાર્ષિક 300 કરોડ રૂ.ની છે. અનલૉક બાદ કોચિંગ સેન્ટર્સના 2,500 શિક્ષક અંદાજે 70 હજાર વિદ્યાર્થીને ઓનલાઇન ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ઘરે જતા રહેતાં 1,500 હોસ્ટેલ, 3 હજાર મેસ હાલ બંધ જ હોવાથી ત્યાં કામ કરતા 10 હજાર લોકો હાલ બેકાર થઇ ગયા છે.

એક મોટી ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિ નીતેશ શર્મા જણાવે છે કે લૉકડાઉનમાં અમે ટીમો ઉતારી. વિદ્યાર્થીઓને ભોજન-નાસ્તો પણ આપ્યા. તંત્ર સાથે મળીને તમામ કોચિંગ સેન્ટર્સએ 50 હજાર વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડ્યા. બધાનું ચેકઅપ કરાવાયું, સેનિટાઇઝર-માસ્ક પણ અપાયાં પણ કોઇને કોરોના ન થવા દીધો. જે વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણવામાં તકલીફ પડતી હોય તેમને સ્ટડી મટીરિયલની હાર્ડ કોપી મોકલીએ છીએ. ફરી કોચિંગ શરૂ કરવા અંગે તંત્રને પ્રસ્તાવ મોકલ્યો છે કે અમે 50 ટકા ક્ષમતા અને ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને બેસાડીશું, પરંતુ અમને મંજૂરી નથી મળી.

પપ્પા-મમ્મી બંને બીમાર છે પરંતુ મારી પણ પૂરી તૈયારી છે, પરીક્ષા આપવા જઇશ
મારું નીટનું સેન્ટર હૈદરાબાદમાં છે. 7 જૂનનું રિઝર્વેશન હતું પણ 6 જૂને જ પપ્પા કોરોના પોઝિટિવ થઇ ગયા. તેઓ હૈદરાબાદની હોસ્પિટલમાં છે. હવે ફરી રિઝર્વેશન કરાવ્યું છે, એકલી પરીક્ષા આપવા જઇશ. મમ્મીને મહિના અગાઉ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ હાલ કોલકાતામાં નાનાજીને ત્યાં છે. 6 માળની હોસ્ટેલમાં હાલ હું અને વોર્ડન સુનીતા આન્ટી જ છીએ. તેઓ મારું બહુ ધ્યાન રાખે છે. અભ્યાસમાં પણ મદદ કરે છે.

પપ્પા બહેરીનમાં, મમ્મી મારી સાથે, લૉકડાઉનમાં સૌથી સુરક્ષિત જગ્યા આ જ લાગી
પપ્પા બહેરીનમાં એરોનોટિકલ એન્જિનિયર છે. હું ધોરણ-10 સુધી ત્યાં જ ભણી. ગત 20 જૂને અહીં આવી હતી. ઘર કરતાં અહીં સારું લાગે છે. મને લાગે છે કે અભ્યાસ બરાબર થતો હોય તો કોઇ તકલીફ નથી. મમ્મી સાથે રહે છે. બહેને એનઆઇટી, અલ્હાબાદથી એન્જિનિયરિંગ કર્યું છે. તે હવે આઇઆઇએમમાં જવા માગે છે, જેથી ઇન્દોરમાં તૈયારી કરી રહી છે. લૉકડાઉનમાં મને તો આ જ સૌથી સુરક્ષિત જગ્યા લાગી.

બહેનને બ્રેઈન ટ્યૂમર થયું, પરિવારે કહ્યું- તું ચિંતા કર્યા વિના ત્યાં જ રહે, અભ્યાસ કર
હું પટણાના બક્સરની છું. મારી બહેનને બ્રેઈન ટ્યૂમર હોવાની થોડા દિવસ અગાઉ ખબર પડી. મમ્મી-પપ્પા તમિલનાડુના વેલ્લોરમાં તેની સારવાર કરાવે છે. અમે તણાવમાં છીએ. માતા પિતા કહે છે કે, તું ચિંતા ન કરીશ, કોટામાં જ રહીને અભ્યાસ કર. તેથી લૉકડાઉન પહેલાંથી અહીં જ છું. અહીં રહીને ભણે છે તેમની તૈયારી સારી છે. બહેનની ચિંતા તો થાય છે પણ મમ્મી-પપ્પા તેની સાથે છે એટલે ઝાઝી ચિંતા નથી થતી.

ઘરે ગઇ હતી પણ સંબંધીઓ આવી ગયા તો 3 સહેલી સાથે પાછી આવતી રહી
હું ટોન્કની છું. લૉકડાઉનમાં ઘરે ગઇ હતી. ત્યાં કોરોનાના કેટલાક કેસ આવ્યા હતા. ઘરે સંબંધીઓ પણ આવ્યા હતા. ઘરમાં માણસો વધી ન જાય એટલે 3 સહેલી સાથે પાછી આવી ગઇ. 26 જુલાઇએ પરીક્ષા છે. તેની તૈયારી કરી રહી છું. અહીં કોઇ તકલીફ નથી. નાસ્તો, લંચ, ડિનર બધું સમયસર મળે છે. પહેલાં અહીં પણ ભીડ હતી પણ હવે શાંતિ છે, જેથી સારી રીતે અભ્યાસ થઇ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona can't snatch this 'quota' of fortune, no one's father is alone in a hostel, even infected


from Divya Bhaskar https://ift.tt/2UYosoH

પુસ્તકમાં દાવો- ટ્રમ્પે ચૂંટણી જીતવા માટે જિનપિંગ પાસે મદદ માગી હતી

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના પુસ્તક ‘ધ રૂમ વ્હેર ઈટ હેપન્ડ : અ વ્હાઈટ હાઉસ મેમોયર’ ને કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી શકે છે. આ પુસ્તકના અમુક અંશો સ્થાનિક મીડિયા સમક્ષ આવ્યા હતા. પુસ્તકમાં આરોપ મુકાયો છે કે ટ્રમ્પે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની મદદ માગી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા સાથે ચીન વેપારયુદ્ધનો અંત લાવે. ટ્રમ્પે જિનપિંગને ચીનમાં ઉઈગર મુસ્લિમો માટે યાતના શિબિર બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. ટ્રમ્પ, જિનપિંગ વચ્ચે ઓસાકામાં જૂન 2019માં જી-20 સમિટ વખતે આ વાતચીત થઈ હતી.

વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ટ્રમ્પ અને ઉ. કોરિયાના નેતા કિમ જોંગની પહેલી મુલાકાતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પછી ટ્રમ્પનો પોમ્પિયો પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો, જેથી તેમણે પોમ્પિયોને આ મિશનમાંથી હટાવ્યા. ટ્રમ્પ નોકરશાહોને કહેતા કે મને રશિયા પર પ્રતિબંધ મૂકવાનું પસંદ નથી. તે વેનેઝુએલા પર પણ આક્રમણ કરવા માંગતા હતા. આ પુસ્તક 23 જૂને રિલીઝ થઇ શકે છે.

ટ્રમ્પે કહ્યું- બોલ્ટન જુઠ્ઠા, બિડેને કહ્યું- રાષ્ટ્રપતિએ અમેરિકીઓને વેચી માર્યા
ટ્રમ્પે કહ્યું કે બોલ્ટન જુઠ્ઠા છે. વ્હાઈટ હાઉસમાં બધા લોકો બોલ્ટનને નફરત કરે છે. તેમણે વધારે પડતી ગુપ્ત માહિતીઓ જાહેર કરી છે. તેમની પાસે તેની મંજૂરી નહોતી. બીજી બાજુ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને કહ્યું કે આજે અમને બોલ્ટન દ્વારા ખબર પડી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના રાજકીય ભાવિની સુરક્ષા માટે અમેરિકીઓને જ વેચી માર્યા. તેમણે ફરી ચૂંટણી જીતવા ચીનના નેતા શી જિનપિંગની મદદ પણ માગી.

પુસ્તક અંગે વિવાદ વચ્ચે પોમ્પિયોની હોનુલૂલૂમાં બેઠક, મીડિયાને દૂર રખાયું
બોલ્ટનના પુસ્તક અંગે વિવાદ વચ્ચે વિદેશમંત્રી પોમ્પિયોએ ચીનના ટોચના રાજદ્વારી યાંગ જિયાચી સાથે હોનુલૂલૂમાં બેઠક યોજી હતી. પોમ્પિયોની સાથે તેમના સહાયક અધિકારી સ્ટીફન બેગુન પણ હતા. સૂત્રો મુજબ આ બેઠક બંધ રૂમમાં યોજાઈ. મીડિયાને તેનાથી દૂર રખાયું. શક્યતા છે કે બેઠકમાં રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે ટ્રમ્પની વાતચીત, અમેરિકાથી ઉત્તર કોરિયાના સંબંધ, કોરોના ચેપ અને હોંગકોંગની સ્થિતિ અંગે ચર્ચા થઈ છે.

ઉઈગર અધિકારોને મંજૂરી
ટ્રમ્પે ચીનમાં ઉઇગર મુસ્લિમોના માનવાધિકારોના ભંગ વિરુદ્ધ એક બિલ પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે ઉઈગરો પર કાર્યવાહીની જવાબદારી નક્કી થશે.

ચૂંટણી મુદ્દો બનશે
નિષ્ણાતો કહે છે કે બોલ્ટને પુસ્તકમાં જે પણ મુદ્દા ઉઠાવ્યા છે તે અમેરિકાની ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. ટ્રમ્પ સમર્થક કોરોના વગેરે અંગે ચીન વિરુદ્ધ કડક વલણ ઈચ્છે છે.

ટ્રમ્પ પર પુસ્તકમાં આ પણ આરોપો

  • ચીનમાં ઉઈગર મુસ્લિમોની યાતના શિબિરો સામે ટ્રમ્પને વાંધો નહોતો
  • પોમ્પિયો પર ભરોસો નહોતો, એટલા માટે ઉત્તર કોરિયા મિશનથી હટાવ્યાં
  • નોકરશાહોને કહ્યું હતું- રશિયા પર પ્રતિબંધ મૂકવાનું પસંદ નથી
  • વેનેઝુએલા પર આક્રમણ ઈચ્છતા હતા, તેને અમેરિકાનો હિસ્સો ગણતા હતા


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2AMT6uk

ઇટાલીમાં પ્રવાસી આવે તે પહેલાં જ પૂર આવી ગયું

ઇટાલીના ખૂબસૂરત શહેર વેનિસમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. અઠવાડિયા પહેલાં જ શહેરને પર્યટકો માટે અનલૉક કરાયું હતું. પર્યટકો આવવાની હજુ શરૂઆત જ થઇ હતી ત્યાં વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી. કોરોનાના કારણે અહીંનાં પર્યટન સ્થળો અને હોટલો 3 મહિના બંધ રહ્યાં. તેનાથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. શહેર તેમાંથી બેઠું થવાની તૈયારી કરી રહ્યું હતું ત્યાં નવી સમસ્યા સર્જાઇ છે. ગયા અઠવાડિયે અહીં વરસાદથી પાણીનું સ્તર 3 ફૂટ વધી ગયું હતું. નહેરોના શહેરમાં જળસપાટી વધતાં જ પાણી ભરાઇ જાય છે, જેથી ચોથા ભાગનું શહેર પૂરની ઝપટમાં આવી ગયું.

ગયા વર્ષે 3 વખત પૂર આવ્યું હતું
2019માં પણ વેનિસ પૂરના કારણે ઘણું પરેશાન રહ્યું હતું. નવેમ્બરમાં 2 વખત અને ડિસેમ્બરમાં એક વખત અહીંનાં મુખ્ય સ્થળોએ પાણી ભરાયાં હતાં. માંડ માંડ ચાલીને જઇ શકાય તેવા પુલ બનાવી પર્યટકોને હોટલોમાંથી બહાર કઢાયા હતા. યુરોપમાં વેનિસ પર્યટકોનું સૌથી મનપસંદ સ્થળ છે. અહીં દર વર્ષે અંદાજે 3 કરોડ લોકો ફરવા આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર ઇટાલીના ખૂબસૂરત શહેર વેનિસના સેન્ટ માર્ક્સ સ્ક્વેરની છે.


from Divya Bhaskar https://ift.tt/2YbYQH6

મણિપુરમાં કોંગ્રેસનો સરકાર રચવા દાવો, સ્પીકરને હટાવવા માગ

મણિપુરમાં રાજકીય ઊથલ-પાથલ વચ્ચે કોંગ્રેસે સરકાર રચવા દાવો કરી દીધો છે. સાથે જ મુખ્યમંત્રી એન. બીરેનસિંહની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે વિશેષ સત્ર યોજવાની પણ કોંગ્રેસે માગ કરી. બીજી તરફ કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષોના ધારાસભ્યોએ રાજ્યપાલ નજમા હેપતુલ્લાને મળીને વિધાનસભા અધ્યક્ષને હટાવવા માગ કરી છે.

કોંગ્રેસના નેતા ચેલ્ટન અમોએ જણાવ્યું કે અમે રાજ્યપાલને લેખિતમાં જણાવી દીધું છે કે કોંગ્રેસ ગઠબંધન કરીને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહના નેતૃત્ત્વમાં સરકાર રચવા સક્ષમ છે. નોંધનીય છે કે મણિપુરમાં રાજ્યસભાની ચૂંટણીના 2 દિવસ અગાઉ બુધવારે ભાજપના 3 ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાઇ જતાં રાજકીય સંકટ ઊભું થયું. ત્રણેય ધારાસભ્યએ વિધાનસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું. ત્યાર બાદ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી), તૃણમૂલ કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ટી. રોબિન્દ્રો તથા અપક્ષ ધારાસભ્ય શહાબુદ્દીને ભાજપ સરકારને ટેકો પાછો
ખેંચી લીધો હતો.

કોંગ્રેસના 7 ધારાસભ્યને ભાજપમાં જવા રોક, ભાજપના 3 કોંગ્રેસમાં જોડાઈ ગયા
કુલ 60 સભ્યનું સંખ્યાબળ ધરાવતી મણિપુર વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ 28 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી હતી જ્યારે ભાજપે 21 બેઠક જીતી હતી. કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો તથા કોંગ્રેસના ધારાસભ્ય ટી. શ્યામકુમારે ભાજપને ટેકો આપતાં ભાજપની સરકાર બની ગઇ હતી. બાદમાં કોંગ્રેસના અન્ય 7 ધારાસભ્ય પણ ભાજપમાં જોડાતાં ભાજપ ગઠબંધનની સરકારનું સંખ્યાબળ 40 થઇ ગયું. બીજી તરફ કોંગ્રેસે તેના 8 પૂર્વ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા અરજી કરી, જે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પડતર છે. 8 જૂને મણિપુર હાઇકોર્ટે કોંગ્રેસના 7 ધારાસભ્ય સામેની અરજી અંગે વિધાનસભા અધ્યક્ષ કોઇ નિર્ણય ન કરે ત્યાં સુધી આ 7 ધારાસભ્ય માટે વિધાનસભામાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી. બીજી તરફ, બુધવારે ભાજપના ત્રણ સભ્ય કોંગ્રેસમાં જોડાતા રાજકીય સંકટમાં વધારો થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મણિપુર વિધાનસભાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2BnH0HX

Facebook removes Donald Trump's campaign ads with symbols once used by Nazis

Facebook removes Donald Trump's campaign ads with symbols once used by Nazis

from India Today | Top Stories https://ift.tt/3hGut3g

Wednesday, June 17, 2020

Trump asked China to help him win 2020 US election, offered 'favours to dictators', says former adviser Bolton

Trump asked China to help him win 2020 US election, says former adviser Bolton

from India Today | Top Stories https://ift.tt/2zKMqMY

Manchester City thrash 10-man Arsenal 3-0 on Premier League return

Sterling strikes, Luiz sent off as Man City outclass Arsenal

from India Today | Top Stories https://ift.tt/3fxU9x6

TOI Daily: India will give befitting reply to provocation, says PM Narendra Modi

TOI Daily: India will give befitting reply to provocation, says PM Narendra Modi




from News - Videos - The Times of India https://ift.tt/37E5U2h

T20 World Cup unlikely this year: PCB chief

Ehsan Mani could soon be a key man in world cricket. The Pakistan Cricket Board chief is tipped to take over from India’s Shashank Manohar as the next chairman of the International Cricket Council following July elections. In a conversation with TOI, Mani, who headed ICC in 2003, said that given the Covid-19 situation, "I believe it is unlikely to take place this year."

from Times of India https://ift.tt/2BkaSFa

Top 10: No interest waiver on skipped EMIs yet



from Times of India https://ift.tt/2zEQdey

Twitter set to bring Voice Tweets on iPhone



from Times of India https://ift.tt/2YJhjK1

Zoom is set to become more safe and secure



from Times of India https://ift.tt/37GXdEc

Cinema as an impactful branch of literature

By and large, films are considered a branch of literature and cinema has always been one of the most fascinating forms of knowledge which has made some great impact on human psyche. And yet, I...

from Times of India Opinion https://ift.tt/2zKMGeU

રાજ્યમાં કુલ કેસ 25 હજારને પાર, 17,440 દર્દી ડિસ્ચાર્જ અને કુલ 1,561ના મોત, 4 દિવસથી રોજ 500થી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 25 હજારને પાર થયો છે. અત્યારસુધીમાં કુલ 25148 કેસ નોંધાયા છે અને કુલ એ પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 17,440 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજીતરફ છેલ્લા 4 દિવસથી દરરોજ 500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 520 કેસ નોંધાયા છે અને 27 દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે 348 દર્દીને રજા આપવામાં આવી છે.

ગઈકાલે 24 કલાકમાં ક્યાં કટેલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 7, જામનગરમાં 6, જૂનાગઢમાં 5, ભાવનગર, રાજકોટ, આણંદ, પાટણ, ખેડામાં 4-4, મહેસાણા, ગીર-સોમનાથમાં 3-3, બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં 2-2, મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા, મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 4 કેસ નોંધાયા છે.

છેલ્લા 19 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)

કુલ 23,148દર્દી, 1561ના મોત અને17,438 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 17,629 1253 12,280
સુરત 2779 106 2030
વડોદરા 1682 47 1100
ગાંધીનગર 520 22 316
ભાવનગર 174 13 121
બનાસકાંઠા 156 8 132
આણંદ 135 13 108
અરવલ્લી 152 14 123
રાજકોટ 171 5 87
મહેસાણા 193 9 114
પંચમહાલ 131 15 94
બોટાદ 69 2 59
મહીસાગર 121 2 107
પાટણ 126 10 83
ખેડા 110 5 74
સાબરકાંઠા 144 7 92
જામનગર 94 3 63
ભરૂચ 106 6 44
કચ્છ 107 5 72
દાહોદ 49 0 41
ગીર-સોમનાથ 53 0 45
છોટાઉદેપુર 40 0 35
વલસાડ 59 3 42
નર્મદા 33 0 23
દેવભૂમિ દ્વારકા 18 0 14
જૂનાગઢ 52 1 29
નવસારી 41 1 29
પોરબંદર 14 2 9
સુરેન્દ્રનગર 83 3 43
મોરબી 8 1 4
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 34 4 11
અન્ય રાજ્ય 55 1 8
કુલ 25,148 1561 17,438


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, A total of 25,148 cases were reported, with 1561 deaths and 17,440 patients discharged


from Divya Bhaskar https://ift.tt/3hFKqGH

1 લાખ કરોડના ખજાનો ધરાવતા પદ્મનાભ મંદિરમાં રૂપિયાની તંગી, સરકાર અને રાજપરિવાર પાસે મદદ માંગી

લગભગ એક લાખ કરોડની સંપત્તિ ધરાવતા તિરૂવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર આ દિવસોમાં ભારે આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. 25 માર્ચથી મંદિર લોકડાઉનના કારણે બંધ છે. દર મહિને દાનમાં આવતા 5 થી 7 કરોડ રૂપિયા હવે હજારોની સંખ્યામાં આવે છે. મંદિરનો ખર્ચ 1.50 કરોડ રૂપિયા છે. એવામાં મેનેજમેન્ટ હવે સરકાર અને ત્રાવણકોર રાજ પરિવાર પાસે મદદ માંગવાનો વિચાર કરી રહ્યું છે. સ્ટાફ અને પૂજારીઓનો આવકનો ખર્ચ મહિને લગભગ એક કરોડ રૂપિયા છે.

મંદિરને ખોલવાનો નિર્ણય 30 જૂન પછી જ થશે. જૂનના છેલ્લાં સપ્તાહમાં મંદિર પ્રશાસન સમિતિની મીટિંગમાં આર્થિક સંકટથી બહાર આવવા માટે પ્રસ્તાવો ઉપર ચર્ચા થશે. મંદિર સમિતિ સામે આ સમયે આર્થિક સંકટ સામે લડવું સૌથી મોટી ચુનોતી છે. માર્ચના છેલ્લાં દિવસોમાં બંધ થયેલાં મંદિર સામે અર્થ સંકટ એપ્રિલથી જ શરૂ થઇ ગયું હતું. તે સમયે મંદિરમાં સાત લાખ સુધીનું દાન આવી ગયું હતું. જ્યારે હાલ દાન ન બરાબર જ છે.

ઇન્ક્રીમેન્ટની જગ્યાએ પગારમાં 20 ટકાનો ઘટાડોઃ-
એપ્રિલમાં ઇન્ક્રીમેન્ટ થાય છે પરંતુ પદ્મનાભસ્વામી મંદિરના 150 થી વધારે પૂજારીઓના પગારમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, મંદિરના પ્રશાસક વી. રથેસનના જણાવ્યાં પ્રમાણે પગારનો થોડો ભાગ અટકાવી દેવામાં આવ્યો છે. સ્થિતિ સામાન્ય થશે ત્યારે આ ભાગ પૂજારીઓને આપવામાં આવશે. આવું કરવાથી મંદિર જુલાઈ સુધી પોતાના જરૂરી ખર્ચ કાઢી શકશે. કેમ કે, જુલાઈમાં મંદિર ખુલ્યાં બાદ પણ શ્રદ્ધાળુઓની સંખ્યા સીમિત જ રહેશે.

ટ્રસ્ટથી 5 લાખ અને સરકારી અનુદાન 25 લાખ રૂપિયાઃ-
મંદિરને પોતાના ટ્રસ્ટથી વર્ષે 5 લાખ રૂપિયા મળે છે, ત્યાં જ સરકારી અનુદાન(સરકાર દ્વારા મદદ તરીકે અપાતી રકમ) લગભગ 25 લાખ રૂપિયા મળે છે. મંદિર સમિતિ આ રાશિને વધારવાની માગ પર પણ વિચાર કરી રહી છે. સરકારી અનુદાન 25 લાખથી વધારીને વર્ષે 2 કરોડ રૂપિયા કરવાની માગ કરવામાં આવી રહી છે.

પદ્મનાભસ્વામી મંદિર તે મંદિરોમાંથી એક છે જેનો ઉલ્લેખ એકથી વધારે ગ્રંથોમાં છે. પદ્મનાભ મંદિરનો ઉલ્લેખ બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વારાહપુરાણ સહિત 8 પુરાણો અને મહાભારતમાં મળી આવે છે. મંદિર 5000 વર્ષથી વધારે જૂનું છે.
પદ્મનાભસ્વામી મંદિર તે મંદિરોમાંથી એક છે જેનો ઉલ્લેખ એકથી વધારે ગ્રંથોમાં છે. પદ્મનાભ મંદિરનો ઉલ્લેખ બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વારાહપુરાણ સહિત 8 પુરાણો અને મહાભારતમાં મળી આવે છે. મંદિર 5000 વર્ષથી વધારે જૂનું છે.

રાજપરિવાર પદ્મનાભનો દાસઃ-

ત્રાવણકોરના રાજપરિવારે 16મી સદીમાં આ મંદિરનું ફરી નિર્માણ કરાવ્યું હતું. 17મી સદીમાં રાજા માર્તંડ વર્માએ સ્વંયને પદ્મનાભસ્વામીના દાસ તરીકે ઘોષિત કરી દીધા હતાં. ત્યારથી જ રાજ પરિવારના સભ્યોમાં પુરૂષોના નામ સાથે પદ્મનાભ દાસ અને મહિલાઓના નામ સાથે પદ્મનાભ સેવિકા જોડવામાં આવે છે. આ કારણે મંદિર સમિતિને આશા છે કે, રાજપરિવાર પાસેથી આ સંકટકાળામાં મદદ મળશે.

સોનાના એક-એક સિક્કાની કિંમત અઢી કરોડથી વધારેઃ-
2011માં મંદિરના ભોંયરામાંથી મળેલાં ખજાનામાં અનેક બહુમૂલ્ય રત્ન અને સોનાના સિક્કા મળ્યાં હતાં. લગભગ 800 કિલો સોનાના સિક્કા બીજી સદીના છે. પુરાતત્વ વિભાગની એક રિપોર્ટ પ્રમાણે એક-એક સિક્કાની કિંમત અઢી કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવી છે. આ સિવાય પણ અનેક દુર્લભ કલાકૃતિઓ અને રત્ન મળે છે. તેની કિંમત કરોડોમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Padmanabhswamy temple going through financial crisis board is seeking for help from travancore


from Divya Bhaskar https://ift.tt/2CiAva6

Coffins of 20 soldiers wrapped in tricolour reach 10 states as nation bids farewell to Ladakh bravehearts

Coffins of 20 soldiers wrapped in tricolour reach 10 states as nation bids them farewell

from India Today | Top Stories https://ift.tt/2zKIJa4

Ready to go to jail 100 times but will continue to speak against Yogi govt: UP Congress chief

Ready to go to jail 100 times but will continue to speak against Yogi govt: UP Congress chief

from India Today | Top Stories https://ift.tt/3d7h6FD

Oil prices drop on demand worries as coronavirus cases rise

Oil prices drop on demand worries as coronavirus cases rise

from India Today | Top Stories https://ift.tt/3hzXaie

Keeping toilet lid closed before flushing can help fight against Covid-19, says study

Keeping toilet lid closed before flushing can help fight against Covid-19, says study




from News - Videos - The Times of India https://ift.tt/2CiS4H2

India elected unopposed to non-permanent seat of UN Security Council

India elected unopposed to non-permanent seat of UN Security Council




from News - Videos - The Times of India https://ift.tt/2YDX3cE

Vande Bharat Phase 3: Special chartered flight with stranded Indians depart from Africa's Madagascar

Vande Bharat Phase 3: Special chartered flight with stranded Indians depart from Africa's Madagascar




from News - Videos - The Times of India https://ift.tt/2USFbtN

Magnitude 2.1 earthquake hits Haryana's Rohtak district

Magnitude 2.1 earthquake hits Haryana's Rohtak district

from India Today | Top Stories https://ift.tt/2Yb6YaR

Almost 500 years old temple submerged in Mahanadi River, resurfaces in Odisha’s Nayagarh

Almost 500 years old temple submerged in Mahanadi River, resurfaces in Odisha’s Nayagarh




from News - Videos - The Times of India https://ift.tt/37CJlei

Galwan ours, don’t want more clashes: China

This is significant because the border in the Galwan Valley was said to have been settled, being free of intrusions and claims till recently. According to Indian officials, this is possibly the first time in several decades that China is openly claiming ownership of the area.

from Times of India https://ift.tt/2Bi9JOF

SC to CBSE: Can Board exams be scrapped?

In view of the rising number of Covid-19 cases and to protect students from getting exposed to virus, the SC on Wednesday asked CBSE to consider whether it could scrap the remaining papers of Board examinations and grant marks on the basis of internal assessment.

from Times of India https://ift.tt/3ecUFjS

‘India’s actions may decide course of 21st century’



from Times of India https://ift.tt/3hzHo70

Over 13k fresh Covid cases, toll up by 344

India’s daily Covid caseload crossed the 13,000-mark for the first time when 13,124 people tested positive for the virus even as the number of casualties returned to the 300-plus level on Wednesday, a day after the country had added the highest number of deaths, 2003, to its cumulative toll.

from Times of India https://ift.tt/3fABuR8

'Trump pleaded with China to help in re-election'

US President Donald Trump pleaded with Chinese leader Xi JinPing to help him win a re-election and sold allies down the drain so as to not displease Beijing, former National Security Advisor John Bolton has alleged in explosive revelations that will weigh heavily in New Delhi on whether it can or should count on the current White House dispensation in its border spat with its north-eastern neighbor.

from Times of India https://ift.tt/3fy5uNv

Tuesday, June 16, 2020

Turkish warplanes strike Kurdish targets in northern Iraq

Turkish warplanes strike Kurdish targets in northern Iraq

from India Today | Top Stories https://ift.tt/2UP4Tzl

Election Commission takes cognisance of false information in poll affidavit

Election Commission takes cognisance of false information in poll affidavit

from India Today | Top Stories https://ift.tt/2Y6vNoc

Can expanded testing stem the spike in Covid-19 cases in Delhi?

Can expanded testing stem the spike in Covid-19 cases in Delhi?

from India Today | Top Stories https://ift.tt/2N1AR7b