Ad

Thursday, June 18, 2020

ગલવાન ઘાટીમાં શહીદ 20 સૈન્યવીરોને દેશભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ 

પટણામાં હવાલદાર સુનીલ કુમારની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. દેશનાં 20 સ્થળોથી આવી તસ્વીરો આવી છે. દરેક જગ્યાએ ‘ભારત માતા કી જય. શહીદ અમર રહે. ચીની સામાનનો બહિષ્કર કરો’ નારા લાગ્યા હતા.

શહીદી પહેલાં સૈનિકનો મિત્રોને અંતિમ મેસેજ: ચીની સામાનનો બહિષ્કાર કરો...
ગલવાન ઘાટીમાં શહીદ થયેલા પશ્ચિમ બંગાળના બીરભૂમના સિપાહી રાજેશ ઓરાંગે વોટ્સએપ પર અંતિમ મેસેજ ચીની સામાનના બહિષ્કારનો મોકલ્યો હતો. આ મેસેજ તેણે ગામના પોતાના કેટલાક મિત્રોને મોકલ્યો હતો.

લદાખ સરહદે શહીદી વ્હોરનારા વીરોની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
ભારતમાં લદાખ સરહદે ગલવાન ખીણમાં ચીને આચરેલા હિચકારા કૃત્યમાં શહીદ થયેલા ભારતના 20 જવાનના મૃતદેહ તેમના વતન મોકલવામાં આવ્યા હતા. દેશના અનેક હિસ્સામાંથી આ‌વતા આ જવાનોના મૃતદેહો ઘરે પહોંચ્યા ત્યારે તેમના સ્વજનો જ નહીં, આખું ગામ, જિલ્લો, શહેર જ નહીં, આખો દેશ જાણે હીબકે ચઢ્યો હતો. આ જવાનોની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ નિ:શસ્ત્ર જવાનોએ ચીનના સૈનિકો સાથે લડતા લડતા વીરગતિ હાંસલ કરી હતી.

સૂર્યાપેટ (તેલંગાણા): કર્નલ સંતોષ બાબુ
ગુરદાસપુર (પંજાબ): નાયબ સુબેદાર સતનામ સિંહ
માનેર (બિહાર): સુનિલકુમાર
રામેશ્વરમ (તમિલનાડુ): હવાલદાર પલાની


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tributes paid to 20 martyred soldiers in across the country


from Divya Bhaskar https://ift.tt/3fG97RU

No comments:

Post a Comment