
from India Today | Top Stories https://ift.tt/30FTEN4
સિવિલની કોવિડ હોસ્પિટલ સહિત શહેરની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થતાં દર્દીના સેમ્પલ લીધા બાદ પાંચ દિવસો સુધી રિપોર્ટ આવતા નથી, ત્યારે સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું માત્ર 24 કલાકમાં કહેવાયું અને દર્દીને શ્વાસ ચઢતો હોવા છતાં રજા આપી દેવાયાની ઘટના પ્રકાશમાં આવી છે.
દર્દી પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જયાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, છતાં સિવિલમાં ફરીથી તેમનાં સેમ્પલ લઇ રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાવી રજા આપી દેતાં દર્દીને ઘરે કવોરન્ટાઇન થવાની ફરજ પડી છે, પાંચ દિવસ સુધી રિપોર્ટ મળતાં ન હોવાને મુદ્દે ત્રણ દિવસ પહેલાં સિવિલમાં દર્દીના સગાંએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ દર્દીને રિપોર્ટ 24 કલાકમાં કેવી રીતે આવ્યો તે પ્રશ્ન છે.
બાપુનગરમાં રહેતા કનુભાઇ ગંગારામ પરાતેએ જણાવ્યું હતું કે, મને થોડા દિવસોથી તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. જેથી હું સારવાર માટે ચાર દિવસ પહેલાં એસવીપી અને સિવિલ હોસ્પિટલ ગયો હતો. પરંતુ બેડ ખાલી નથી તેમ જણાવી ઘરે મોકલી દીધો હતો. ત્યારબાદ મારી તબિતયત વધુ ખરાબ થતાં 8મી જૂને નરોડાની રૂષિકેશ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ 9મી જૂને પોઝિટિવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ગયો પણ ત્યાં પણ જગ્યા ખાલી ન હતી.
જેથી બુધવારે સવારે 11.30 કલાકે હું સિવિલ હોસ્પિટલમાં ગયો અને કોરોનાનો રિપોર્ટ બતાવતાં છતાં ફરીથી કોરોના માટેનાં સેમ્પલ લઇને મને કોવિડ હોસ્પિટલના બી-1 વોર્ડના બેડ નંબર 45 પર દાખલ કરીને દવા આપી હતી. વોર્ડમાં આવતાં દરેક ડોકટરને કહેતો રહ્યો કે, મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ઓક્સિજન ચઢાવો છતાં કોઇએ ગણકાર્યુ નહિ, છેવટે ગુરુવારે સવારે એક નર્સે ઓક્સિજન ચઢાવ્યો હતો. પરંતુ, અડધો કલાકમાં જ એક તબીબે આવીને મને રજા આપવાનું જણાવ્યું હતું.
જેથી મેં તબીબને કહ્યું કે, મને કેમ રજા આપો છો, મને હજુ શ્વાસ ચઢે છે અને તબીયત સારી નથી. જેથી તબીબોએ જણાવ્યું હતું કે,તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાથી રજા આપવામાં આવી રહી છે. જેથી મેં કોરોના રિપોર્ટ બતાવવાનું કહેવા છતાં તબીબોએ મને રિપોર્ટ બતાવ્યાં વિના જ રજા આપી દિધી હતી, અને સિવિલનાં ટ્રોમા સેન્ટરમાં જવા કહ્યું, જેથી હું ટ્રોમા સેન્ટરમાં માટે ગયો પણ ત્યાં પણ દાખલ ન કર્યો.
શસ્ત્રવિરામ ભંગ બદલ ભારતીય સેનાએ પાકિસ્તાનને ફરી એકવાક આક્રમક જવાબ આપ્યો છે. ગુરુવારે ભારતીય સેનાએ POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં LOC (લાઇન ઓફ કંટ્રોલ) નજીક પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી દીધી હતી. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના રજૌરી અને પૂંચ સેક્ટરમાં ગોળીબાર કરતા જવાન હરચરણ સિંહ શહીદ થયા હતા. આ ઉપરાંત રજોરીના નૌશેરામાં પણ પાકિસ્તાનના ગોળીબારમાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. ત્યાર પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન થયું
ભારતીય સેનાએ કહવલિયન નાલી સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન થયું છે. આ પહેલા પણ ભારતીય સેનાએ સરહદ પારના આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા છે, જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.
ઈતિહાસકાર રામચંદ્ર ગુહા કાળની ગર્તામાંથી એક નવું મડદું ખોદી લાવ્યાં છે, એમણે ફિલિપ સ્પ્રાટ નામના મૂળ અંગ્રેજ , અડધા સામ્યવાદી અને પા ભાગના બુદ્ધિજીવીનું 1939નું એક વિધાન ખોળી કાઢ્યું છે, જેમાં કદાચ ગુજરાતમાં કયારેય પગ પણ નહીં મૂકનારા ફિલિપે કહ્યું છે કે ‘સમૃદ્ધિની દૃષ્ટિએ ગુજરાત અગ્રેસર છે પણ સંસ્કૃતિની દૃષ્ટિએ પછાત છે’ સૌ પ્રથમ તો એ વાત કરવાની કે ગુજરાતની સંસ્કૃતિ કોઈ ગુહા કે કોઈ ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી. આવા કોઈ પણ ઉભા થઈને એલફેલ બોલે એટલે આપણી સંસ્કૃતિ કેટલી બળૂકી છે એના પુરાવા આપવાની આપણે જરૂર નથી.
અહીં સવાલ છે રામની રાવણગીરીનો, રામચંદ્ર ગુહાને થોડા વખત પહેલાં અમદાવાદ યુનિવર્સિટીએ ટીચિંગ માટે જોબ ઓફર કરેલી, ગુહાએ ટ્વિટ કરીને એની વધાઈ લીધેલી. ગુહા કદાચ ઈતિહાસની વિકૃતિઓ શોધવામાં એટલા મગ્ન રહે છે કે એમણે અમદાવાદ યુનિવર્સિટીનો નાનકડો ઈતિહાસ તપાસવાની તસ્દી નથી લીધી! 2009માં સ્થપાયેલી આ યુનિવર્સિટીના ચેરમેન સંજય લાલભાઈ છે, જે કસ્તૂરભાઈ અને એમના જેવા શ્રેષ્ઠીઓની ગર્વપ્રેરક મહાજન પરંપરાના વાહક છે. મહાજનોએ વિશાળ સખાવતો કરીને શિક્ષણ અને અન્ય સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખી છે. સમૃદ્ધિ સંસ્કૃતિનો આધાર બને, સહાયક બને એ ગુજરાતના આગવા સંસ્કાર છે. ગુજરાતીની સમૃદ્ધિ રામચંદ્ર ગુહા જેવાની આંખમાં ખૂંચે છે એટલે જ એ સંસ્કૃતિની આડ લઈ ગુજરાતને નિશાન બનાવી રહ્યા છે.
ફિલિપ સ્પ્રાટનો હવાલો ગુહા આપે છે ત્યારે વધુ એક બાબત સગવડતાપૂર્વક ભૂલી જાય છે આ જ ફિલિપ સ્પ્રાટની જ્યારે 1927માં અંગ્રેજ સરકારે અટકાયત કરી ત્યારે એના વિરોધમાં સરકારને તીખા સવાલો કરી ન્યાયની માંગણી કરનાર પણ એક મૂળ ગુજરાતી હતા, જેનું નામ હતું શાપુરજી સકલાતવાલા! જે તત્કાલીન બ્રિટનમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા! અન્યાયના વિરોધમાં ખડા થઈ જવું એ ગુજરાતી સંસ્કૃતિ છે! ફિલિપ સ્પ્રાટ જેવાને એ ગુજરાતી સંસ્કાર, આજીવન સમજાયા નહી અને ગુહા જેવાને આજીવન સમજાશે નહીં.
એક પ્રામાણિક ઈતિહાસકારના હાથમાં ઈતિહાસ એક મશાલ છે અને ગુહા જેવાના હાથમાં એ આગ ચાંપવાનો કાકડો છે! ખૈર, મોટું મન રાખવું એ પણ ગુજરાતી સંસ્કાર છે. એટલે જાઓ ગુહા તમને માફ કર્યા.
ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બ્રિટિશ લેખક અને સામ્યવાદી ફિલિપ સ્પ્રાટને ટાંકી કરેલી ટ્વિટે વિવાદ છેડ્યો છે. ગુહાએ પોતાની ટ્વીટમાં એવું લખ્યું હતું કે,‘ ગુજરાત ભલે આર્થિક રીતે સમૃદ્ધ હોય પરંતુ સાંસ્કૃતિક રીતે પછાત છે. જેની સામે બંગાળ આર્થિક રીતે ભલે પછાત હોય પરંતુ સાંસ્કૃતિક રીતે આગળ પડતું છે.’ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુહાની ટ્વિટના જવાબમાં ટ્વિટ કરી હતી કે, પહેલાં બ્રિટિશરોએ ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો હતો, હવે ઉચ્ચ વર્ગના લોકોનું જૂથ આ કામ કરી રહ્યું છે. ભારતીયો તેમની જાળમાં ફસાશે નહીં. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે અને ભારત અખંડ છે.’
ગુહાની આ ટ્વીટ સામે ગુજરાતમાં વર્ષોથી વસતાં બંગાળી અગ્રણીઓ અને બિન-ગુજરાતી સમાજનાં લોકોએ કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે પણ ગુહાને જવાબ આપ્યો હતો. જોકે ગુહાએ પોતાનો કક્કો ખરો કરવા માટે સામ્યવાદી લેખકને વખાણવાનું ચાલુ રાખ્યું હતું.ઉલ્લેખનીય છે કે, 2018માં ઓક્ટોબરમાં ગુહાની અમદાવાદ યુનિવર્સિટીમાં નિમણૂક થઇ હતી. જોકે તેમનો ભારે વિરોધ થતાં તેમણે યુનિવિર્સિટીમાં જોડાવાની ના પાડી હતી. બ્રિટિશ સામ્યવાદી લેખક ફિલિપ સ્પ્રાટ 19મી સદીના આરંભમાં સામ્યવાદના પ્રચાર માટે ભારત આવ્યાં હતાં.
ગુજરાત અને પશ્ચિમ બંગાળ વચ્ચે ખાઈ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે રામચંદ્ર ગુહા
જાણીતા લેખક અને પત્રકાર વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે, ગુહાની આ ઇતિહાસને લગતી મિસ્ચીફ છે. ગુજરાતી વડાપ્રધાન છે તે તેમને પેટમાં દુખે છે. તેઓ ગુજરાત અને બંગાળ વચ્ચે ખાઇ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફિલિપ સ્પ્રાટ સામ્યવાદી લેખક છે. જેને જોયા જાણ્યા વગર ગુહાએ કટ, કોપી, પેસ્ટ કર્યા છે.
ગુજરાત ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા પ્રો અરુણ વાઘેલાએ કહ્યું કે, આટલા મોટા ગજાનાં ઇતિહાસકારને ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક ઇતિહાસ ન ખબર હોય તે શરમજનક બાબત છે. હડપ્પા-સિંધુ સંસ્કૃતિનાં મોટા મથકો ગુજરાતમાં છે. વલ્લભી બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર રહ્યું છે. વર્લ્ડ હેરીટેજ રાણકી વાવ અને ચાંપાનેર અહીં છે.
શું કહે છે ગુજરાતમાં વસતાં બંગાળીઓ?
કાલીબારી અમદાવાદના પૂર્વ પ્રમુખ એસ. ચક્રવર્તીના જણાવ્યું કે, હું 40 વર્ષથી ગુજરાતમાં રહું છું. આ પ્રકારની સરખામણી બિનજરૂરી છે. ગુહાએ પોલિટિકલ ટ્વીટ કરીને ગુજરાત-બંગાળ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતની ભવ્ય સંસ્કૃતિનાં અમે સાક્ષી રહ્યા છીએ.
ગુજરાતમાં વડીલોને માન આપવાની સંસ્કૃતિ
એસપી યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ એપ્લાઇડ એન્ડ ઇન્ટરડીસીપ્લીનરી સાયન્સીસના વડા પ્રો. સુનિલ ચાકીએ કહ્યું કે, ગુજરાતમાં ભવ્ય સ્થાપત્યોમાં મંદિરો અને વાવ છે. ગુજરાતમાં વડીલોને માન આપવાની સંસ્કૃતિ છે. અહીં પીસી વૈધ જેવા ગણિતજ્ઞો તો નર્મદ, મેઘાણી અને નરસિંહ મહેતા જેવા સર્જકો પણ ગુજરાતને મળ્યા છે. ગુજરાત સાંસ્કૃતિક વારસામાં જરાય ઉતરતું નથી.’
આ છે ગુજરાતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝલક
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી કોરોના બેકાબૂ બની ગયો છે. દરરોજ 300થી વધુ કેસ તેમજ 30થી વધુ લોકોના મોત થાય છે. ત્યારે હવે ડિસ્ચાર્જની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ 21,554 કેસમાંથી 14,743 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 510 નવા કેસ તેમજ 34ના મોત નોંધાયા છે, જ્યારે 370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
ગઈકાલે 24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ભાવનગરમાં 8, ખેડામાં 6, રાજકોટમાં 5, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં 4-4, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં 2-2, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.
છેલ્લા 12 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
30 મે | 412(284) |
31 મે | 438 (299) |
1 જૂન | 423(314) |
2 જૂન | 415(279) |
3 જૂન | 485(290) |
4 જૂન | 492(291) |
5 જૂન | 510(324) |
6 જૂન | 498(289) |
7 જૂન | 480(318) |
8 જૂન | 477(346) |
9 જૂન | 470(331) |
10 જૂન | 510(343) |
કુલ 21,554 દર્દી, 1347ના મોત અને 14,743 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 15,305 | 1092 | 10,644 |
સુરત | 2281 | 86 | 1512 |
વડોદરા | 1395 | 43 | 875 |
ગાંધીનગર | 434 | 19 | 202 |
ભાવનગર | 154 | 11 | 110 |
બનાસકાંઠા | 145 | 7 | 105 |
આણંદ | 119 | 11 | 95 |
અરવલ્લી | 130 | 10 | 115 |
રાજકોટ | 138 | 5 | 81 |
મહેસાણા | 165 | 8 | 96 |
પંચમહાલ | 109 | 13 | 81 |
બોટાદ | 60 | 2 | 55 |
મહીસાગર | 116 | 2 | 107 |
પાટણ | 107 | 7 | 76 |
ખેડા | 99 | 4 | 60 |
સાબરકાંઠા | 131 | 5 | 92 |
જામનગર | 68 | 3 | 45 |
ભરૂચ | 62 | 4 | 35 |
કચ્છ | 93 | 5 | 67 |
દાહોદ | 46 | 0 | 32 |
ગીર-સોમનાથ | 48 | 0 | 45 |
છોટાઉદેપુર | 38 | 0 | 32 |
વલસાડ | 57 | 2 | 30 |
નર્મદા | 23 | 0 | 18 |
દેવભૂમિ દ્વારકા | 15 | 0 | 12 |
જૂનાગઢ | 39 | 1 | 28 |
નવસારી | 35 | 1 | 23 |
પોરબંદર | 14 | 2 | 9 |
સુરેન્દ્રનગર | 60 | 2 | 33 |
મોરબી | 6 | 0 | 4 |
તાપી | 6 | 0 | 5 |
ડાંગ | 4 | 0 | 2 |
અમરેલી | 19 | 2 | 9 |
અન્ય રાજ્ય | 33 | 0 | 8 |
કુલ | 21,554 | 1347 | 14,743 |
શું વાઈરલઃ સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ઉત્તર પ્રદેશના સોનભદ્રનો હોવાનું કહેવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આદિવાસી મહિલાને કૂવામાંથી પાણી ભરવા પર ઉચ્ચ જાતિના લોકોને તેને માર માર્યો હતો.
વીડિયોની સાથે ટ્વીટ પણ વાઈરલ થઈ રહી છે
ફેસબુક પર પણ વાઈરલ
ફેક્ટ ચેકની તપાસ
- સોનભદ્રમાં આવીઘટનાથી સંબંધિત કોઈ સમાચાર અમને ઈન્ટરનેટ પર અલગ અલગ કીવર્ડ સર્ચ કરવા પર મળ્યા નથી. પરંતુ સોનભદ્ર પોલીસ અધ્યક્ષ દ્વારા જારી નિવેદન મળી આવ્યું છે. તેને સોનભદ્ર પોલીસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અને ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યું છે. નિવેદનમાં એસપીના જણાવ્યા પ્રમાણે, જે ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે હકીકતમાં સોનભદ્રનો નથી પરંતુ ગુજરાતનો છે.
https://twitter.com/sonbhadrapolice/status/1269936046067740672
- ગુજરાતમાં 16 વર્ષની યુવતીને માર મારવા સંબંધિત સમાચાર શોધી રહ્યા હતા ત્યારે અમને એશિયાનેટના એક સમાચાર મળ્યા. આ સમાચાર અનુસાર, ગુજરાતના છોટા ઉદેપુર તાલુકાના બિલવંત ગામે આવી જ ઘટના બની છે. યુવતી તેના કરતાં મોટી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. તેના કારણે તેના પરિવારના સભ્યો અને અન્ય લોકએ લોકોએ તેને માર માર્યો હતો.
- એશિયાનેટના સમાચાર અને સોનભદ્ર એસપીના નિવેદનથી સાબિત થઈ ગયું કે, આ ઘટના ઉત્તરપ્રદેશની નથી પરંતુ ગુજરાતની છે. યુવતીને કોને અને કેમ મારવામાં આવી હતી તેની સત્તાવાર પુષ્ટિ માટે અમે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો.
- છોટા ઉદેયપુર તાલુકાના પોલીસ અધિક્ષક (એસપી) એમએસ ભભોરના જણાવ્યા પ્રમાણે, સગીર યુવતી પર હુમલો કરનારા લોકો પણ આદિવાસી છે. છોકરી તેના કરતાં ડબલ ઉંમરના છોકરા સાથે લગ્ન કરવા માટે ઘર છોડીને ભાગી હતી. ઘરવાળા લોકોએ તેને શોધીને ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. યુવતી સાથે મારપીટ કરનારા તમામ 16 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જો કે, યુવતી સગીર હોવાથી તે જે છોકરા સાથે ભાગી હતી તેના પર પણ અપહરણ સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નિષ્કર્ષ: વાઈરલ વીડિયોથી સંબંધિત બંને દાવા નકલી છે. આ ઘટના ન તો સોનભદ્રની છે. ન તો જાતિવાદ સાથે જોડાયેલા કોઈ બાબતની છે.
કોરોનાવાઈરસના પ્રકોપ વચ્ચે ભીડભાડથી બચવા માટે દુનિયાભરમાં સાઈકલનો ઉપયોગ વધ્યો છે. જાપાનમાં અનેક કંપનીઓ હોમ ડિલીવરી માટેસાઈકલનો ઉપયોગ કરી રહી છે. ટોકિયોની એક કંપનીનું વેચાણ બે મહિનામાં 19% વધ્યું છે. આથી જાપાન સરકારે ટ્રાફિકના નવા નિયમ બનાવ્યા છે, જેમાં સાઈકલ પર વધુ ધ્યાન અપાયું છે. નવા નિયમો અનુસાર વારંવાર ઘંટડી વગાડવી નિયમોનું ઉલ્લંઘન મનાશે, જેના માટે દંડની જોગવાઈ છે. 14 વર્ષથી વધુની ઉંમરના સાઈકલ ચાલકો માટે ટ્રાફિક સેફ્ટી કોર્સ જરૂરી રહેશે, નહિંતર રૂ.35000 દંડ ભરવો પડશે.
હકીકતમાં સતત વધી રહેલી દુર્ઘટનાઓએ સરકારની ચિંતા વધારી હતી. ગયા વર્ષે ખતરનાક સાઈકલિંગના 26,687 કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર 328 લોકોએ જ સેફ્ટી કોર્સ કર્યો હતો. આતમામ પર લગામ કસવા અને ટ્રાફિક સેન્સ સુધારવા સરકારને નવા નિયમ બનાવવા પડ્યા છે. અન્ય વાહન ચાલકો માટેના નિયમો પણ વધુ કડક કરાયા છે. જેમાં વધુ સ્પીડમાં વાહન ચલાવતા પકડાય તો બે વર્ષ માટે લાઈસન્સ રદ્દ કરાશે. નવા નિયમ 30 જુનથી સમગ્ર દેશમાં લાગુ થશે.
દારૂ પીને સાઈકલ ચલાવવી, રસ્તો રોકવો પ્રતિબંધિત
નવા નિયમો અનુસાર 14 પ્રક્રિયાઓ કે ગતિવિધિઓ પર રોક લગાવાઈ છે અને તેના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ છે. જેમાં દારૂ પીને સાઈકલ ચલાવવી અને બીજાનો રસ્તો રોકવા પર પ્રતિબંધ રહેશે. સાઈકલ ચલાવતા સમયે મોબાઈલ ફોન વાપરી શકાશે નહીં.
કોરોના વાઈરસના કારણે બીએસએફના 35 વર્ષીય એક જવાનનું બુધવારે મોત નીપજ્યું. તેની સાથે જ દળમાં કોરોનાથી મૃત્યુ વધીને ત્રણ થઈ ગયા છે. કેન્દ્રીય સશસ્ત્ર દળ(સીએપીએફ)માં આ 14માં કર્મીનું મોત છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક પ્રવક્તાએ જણાવ્યું કે કોન્સ્ટેબલ વિનોદ કુમાર પ્રસાદે દિલ્હીની એઈમ્સમાં નવ જૂને અંતિમ શ્વાસ લીધા. તેમણે કહ્યું કે તેને દિલ્હી પોલીસની સાથે કાયદો વ્યવસ્થા બહાલ રાખવાની ડ્યૂટીએ તહેનાત કરાયો હતો. નબળાઈ અને ઉધરસ થતાં 5 જૂને એઇમ્સમાં દાખલ કરાયો હતો. 6 જૂને રિપોર્ટ આવ્યો હતો.