
શસ્ત્રવિરામ ભંગ બદલ ભારતીય સેનાએ પાકિસ્તાનને ફરી એકવાક આક્રમક જવાબ આપ્યો છે. ગુરુવારે ભારતીય સેનાએ POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં LOC (લાઇન ઓફ કંટ્રોલ) નજીક પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી દીધી હતી. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના રજૌરી અને પૂંચ સેક્ટરમાં ગોળીબાર કરતા જવાન હરચરણ સિંહ શહીદ થયા હતા. આ ઉપરાંત રજોરીના નૌશેરામાં પણ પાકિસ્તાનના ગોળીબારમાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. ત્યાર પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન થયું
ભારતીય સેનાએ કહવલિયન નાલી સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન થયું છે. આ પહેલા પણ ભારતીય સેનાએ સરહદ પારના આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા છે, જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BSwZ5W
No comments:
Post a Comment