Ad

Sunday, June 7, 2020

China to strengthen global cooperation in Covid-19 vaccine trials

China to strengthen global cooperation in Covid-19 vaccine trials

from India Today | Top Stories https://ift.tt/2MA3IPL

Unlock 1.0: Temples across country set to reopen

Unlock 1.0: Temples across country set to reopen




from News - Videos - The Times of India https://ift.tt/2BG9m0l

Live: Covid count hike from 2L to 2.5L in 5 days

India’s tally of Covid-19 cases stood at 2,57,334 after 10,749 new infections were added on Sunday, as per the latest data from state governments. It took five days for the count to rise from 2 lakh cases (on June 2) to 2.5 lakh. Stay here for all live updates

from Times of India https://ift.tt/3cIWmUG

Saturday, June 6, 2020

Why an elephant’s Jal Samadhi shook our collective conscience ?

In these uneasy COVID times  when people are losing their loved ones  just waiting for admission to hospitals or in ambulances while hunting for  corona dedicated hospitals , there was just one death  far out...

from Times of India Opinion https://ift.tt/2Y7dTAB

સંક્રમણથી સાજા થયેલ દર્દીઓનો અનુભવ, પિત્ઝાનો સ્વાદ કાર્ડબોર્ડ જેવો, પરફ્યુમની સુગંધ પણ અનુભવાતી નથી

કોરોનાના દર્દીઓને પિત્ઝાનો સ્વાદ કાર્ડબોર્ડ જેવો લાગી રહ્યો છે. પરફ્યુમની સુગંધ ફીલ કરી શકતા નથી. ઘરમાં ગેસ પર જમવાનું બળી જાય તો તેની પણ તેમને ખબર રહેતી નથી. સંક્રમણથી સાજા થયેલ દર્દી ડોક્ટર્સ અને શોધકર્તાઓ સાથે તેમનો અનુભવ શેર કરીને બાકીના લોકોને સાવધાન રહેવા કહી રહ્યા છે.

કોરોનવાઈરસ દર્દીઓમાં ગંધ ફીલ ન થવાનો અને ખાવાનો સ્વાદ ન મળવાના લક્ષણોવાળા કેસ વધી રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે આવા સર્વાઇવર્સને ક્યારેક સ્વાદ અને ગંધ ફીલ થાય છે તો ક્યારેક નહીં. બે કેસથી સમજીએ કે કોરોના સર્વાઇવર શું અનુભવે છે?

પહેલો કેસ: હું શું ખાઉં છું મને ખબર જ નથી પડતી

મેટ નેવે નામના યુવકનું કહેવું છે કે કોરોનાથી સાજા થયા બાદ હું શું જમી રહ્યો છું, તેની ખબર જ નથી પડતી

અમેરિકાના ઉટાહમાં રહેનાર 23 વર્ષીય મેટ નેવેનો માર્ચમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે થોડા સમયમાં સાજો થઇ ગયો. ઉધરસ તો મટી ગઈ પરંતુ સ્વાદ અને ગંધ ફીલ ન થવાના લક્ષણ યથાવત રહ્યા.

મેટનું કહેવું છે કે એપ્રિલમાં મરહૂમ દાદીનો રૂમ સાફ કરતી વખતે પરફ્યુમની એક બોટલ મળી. મને એમના પરફ્યુમનું સુગંધ ગમતી હતી માટે મેં તે બોટલ ખોલી અને સૂંઘી પણ મને કોઈ જ સુગંધની ખબર ન પડી. ખાવામાં પણ એવું જ થઇ રહ્યું છે. શું ખાઈ રહ્યો છું, કઈ ખબર જ નથી પડતી.

કોઈવાર બ્રેકફાસ્ટ અને લંચ કરવામાં કલાક થઇ જાય છે. ગયા મહિને જ ઘરમાં બહેને પેનકેક બનાવી હતી પણ તે બળી ગઈ અને મને ખબર પણ ન પડી કારણકે મને બળવાની ગંધની ખબર જ ન પડી.

બીજો કેસ: માર્ચથી અત્યારસુધી જમવાનો સ્વાદ નથી આવતો
મિશિગનમાં રહેનાર 62 વર્ષીય ડેન લેર્ગનું કહેવું છે કે કોરોનાથી રિકવર થયા પછી આજ સુધી ભોજનના સ્વાદની સમજણ જ નથી પડતી. માર્ચ પછી આવું સતત થઇ રહ્યું છે. એક દિવસ મારી પત્નીએ પિત્ઝા ઓર્ડર કર્યો, જ્યારે મેં પિત્ઝા ખાધા ત્યારે મને એવું લાગ્યું કે જાણે હું કોઈ કાર્ડબોર્ડનો ટુકડો ખાઈ રહ્યો છું.

પત્ની ડિબ્બી સાથે મિશિગનના કોરોના સર્વાઇવર ડેન લેર્ગ

અમેરિકી તજજ્ઞોએ સીડીસીને સજેશન આપ્યું હતું
માર્ચમાં અમેરિકન એકેડમી ઓફ ઓટોલેરંગોલોજીએ અહીંયાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સીડીસીને આ જ લક્ષણોથી કોરોના સંક્રમિતોની ઓળખ કરવા માટે સજેશન આપ્યું હતું. એકેડમીએ સીડીસીને સ્વાદ અને ગંધની ખબર ન પડવાના લક્ષણોને ગાઈડલાઇનમાં સામેલ કરવા માટે કહ્યું હતું. 23 માર્ચે WHOના ટેક્નિકલ હેડ મારિયા વેનનું કહેવું હતું કે અમે આવા લક્ષણોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે અમારી પાસે કોઈ જવાબ નથી.

આવા લક્ષણો દેખાય તો સાવધ થઇ જાઓ
અમેરિકન એકેડમી ઓફ ઓટોલેરંગોલોજીના સીઈઓ ડોક્ટર જેમ્સ ડેનીનું કહેવું છે કે, કોરોનાથી સંક્રમિત થયેલ ઘણા લોકોમાં આ લક્ષણ દેખાયા છે, જ્યારે અમુક દર્દીઓમાં આ લક્ષણો દેખાયા નથી.

જો આવા લક્ષણ દેખાય તો તમારે સાવધ થવાની જરૂર છે, નહીં તો તમારા મારફતે કોરોના વાઇરસ બીજા લોકો સુધી પહોંચશે. ડોક્ટર્સનું કહેવું છે કે આવા સર્વાઇવર્સને ગંધ અને સ્વાદના અનુભવમાં અલગ-અલગ સમય એકદમ નવા અનુભવ થઇ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Patients Recovered From Covid 19 On Pizza Tastes And We Can't Smell Perfume


from Divya Bhaskar https://ift.tt/3eYXYeA

A બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં સંક્રમણનું જોખમ વધારે, તેમને 50% વધુ ઓક્સિજનની જરૂર પડી શકે છે

A બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે છે. તેમાં સંક્રમણનું સ્તર ગંભીર હોઈ શકે છે. આ દાવો જર્મનીની કીલ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, બીજા લોકોની સરખામણીએ તેમને સંક્રમણ થવાનું જોખમ 6 ટકા વધારે હોય છે.

સંશોધકોએ જોયું કે, A બ્લડ ગ્રુપ ધરાવતા કોરોના પીડિતોમાં DNAનો એક ખાસ ભાગ એવો હોય છે જે આ માટે જવાબદાર હોઈ શકે છે. રિસર્ચ દરમિયાન તેની પુષ્ટી થઈ છે. અગાઉ ચીનમાં કરવામાં આવેલા રિસર્ચમાં પણ A બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે હોવાનું જાણવા મળ્યું હતું.

વેન્ટિલેટરની જરૂર પડી શકે છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, A બ્લડ ગ્રુપવાળા લોકોને 50 ટકા સુધી અથવા તેનાથી વધુ ઓક્સિજનની જરૂર પડી શકે છે, અથવા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવી શકે છે. આ કારણ છે કે યુવાન અને સ્વસ્થ લોકો પણ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે અથવા તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. અમેરિકામાં કોરોનાના 40 ટકા દર્દીઓ યુવાન છે.

છેલ્લા સપ્તાહમાં 30 ટકા યુવાનો સંક્રમિત થયા
અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા પ્રમાણે, ગયા અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોનાના 30 ટકા દર્દીની ઉંમર 18થી 49 વર્ષની વચ્ચે હતી. બ્લડ ગ્રુપ A લોકોમાં કયા વય જૂથના લોકોને ચેપનું જોખમ સૌથી વધુ છે તે સંશોધનકારો શોધી રહ્યા છે.

DNA રિપોર્ટમાં કોમન પેર્ટન જોવા મળી
સંશોધકોએ ઇટાલી અને સ્પેનના કોરોના પીડિતોના DNAના નમૂના લીધા હતા જે શ્વાસ લઈ શકતા ન હતા. બંને દેશોના આવા 1610 દર્દીઓના જીનોમ સિક્વન્સ તપાસ કરવામાં આવ્યા.સંશોધકોના જણાવ્યા પ્રમાણે, તેમના DNA રિપોર્ટમાં એક કોમન પેર્ટન જોવા મળી જે તેમના જીવનનું જોખમ વધારવા માટે જવાબદાર હોઈ શકે છે.

તેમના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, કોરોનાના એવા 2205 દર્દીઓ, જે ગંભીર રીતે બીમાર ન હતા. સંશોધકોએ શોધી કાઢ્યું કે DNA બે જનીનો છે જે 1610 જૂથના દર્દીઓના ગંભીર સ્થિતિનું કારણ હતા.

બ્લડ ગ્રુપ-O હોય તેમને જોખમ ઓછું
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, O-બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં સંક્રમણ ગંભીર સ્વરૂપ ધારણ કરવાની આંશકા ઓછી છે. બ્લડ ગ્રુપ-A લોકોમાં જોખમનું કારણ ઈમ્યુન સિસ્ટમ હોઈ શકે છે. જે વધારે સક્રિય થવા પર ફેફસાંમાં સોજો વધારવાની સાથે બીજા અંગોને અસર કરે છે જેથી તેઓ કોરોના સામે લડી નથી શકતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
People with blood group A have a higher risk of infection, they may need 50% more oxygen


from Divya Bhaskar https://ift.tt/2YbAITx

આવા છે અમેરિકાના અશ્વેત, બેરોજગારી અને પોલીસ મૃત્યુમાં વધુ, ઘરેલુ આવકમાં 40 ટકા સુધી શ્વેતોથી પાછળ

અમેરિકામાં પોલીસ કાર્યવાહી દરમ્યાન અશ્વેત નાગરિક જોર્જ ફ્લૉયડન મોતના 10 દિવસ બાદ પણ હિંસક પ્રદર્શન ચાલુ છે. એકલા અમેરિકાના 100થી વધુ શહેરોમાં પ્રદર્શન થઇ રહ્યું છે. આ સિવાય બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 14 દેશોમાં લોકો પ્રદર્શનકારીઓના સમર્થનમાં પોત-પોતાના દેશમાં જોડાઇ રહ્યા છે. પ્રદર્શનોથી એરિકન વહીવટીતંત્રની સ્થિતિ એટલી ખરાબ થઇ ચૂકી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આર્મી ઉતારવા સુદ્ધાની ધમકી આપી ચૂકયા છે. ખાસ વાત એ છે કે આ પ્રદર્શનોમાં શ્વેત અને અશ્વેત બંને સામેલ છે.
શુટઆઉટ્સમાં 98 ટકા પોલીસવાળાની વિરૂદ્ધ ક્રિમિનલ ચાર્જ નહીં
સ્ટેટેસ્ટિકના આંકડા પ્રમાણે વર્ષ 2019માં પોલીસ દ્વારા ફાયરિંગમાં મૃત્યુ પામેલા કુલ લોકોમાં 24 ટકા આફ્રિકન અમેરિકન હતા. રિપોર્ટમાં એ પણ દર્શાવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા કરવામાં આવેલા શુટઆઉટ્સમાં સામેલ 98 ટકા પોલીસવાળાની વિરૂદ્ધ કોઇ ક્રિમિનલ ચાર્જ લગાવામાં આવ્યો નથી. બે ટકા પોલીસવાળાઓની વિરૂદ્ધ પણ કન્વિક્શન રેટ ખૂબ ઓછો છે. અમેરિકાના મોટા શહેરો રેનો, ઓક્લાહોમા અને અનાહાઇમમાં જ આખા અમેરિકાના હત્યાની બાબતમાં વધુ પોલિસ દ્વારા અશ્વેતોને મારવાના બાબતે દાખલ કરાઇ છે. આ કારણ છે કે અમેરિકાની આઝાદી પછીથી લઇને અત્યાર સુધી આફ્રિકી અમેરિકીએ પોતાના અધિકારોને લઇને સંધર્ષ કરી રહ્યાં છે. અમેરિકામાં અશ્વેતોના વિરૂધ્ધ કાર્યવાહીને લઇને સમય-સમય પર આ રીતે પ્રદર્શન થઇ રહ્યાં છે. પરંતુ આ વખતે આ પ્રદર્શને 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
માર્ટિન લૂથર કિંગ જુનિયરની હત્યા પછી આટલા મોટા સ્તર પર સમગ્ર અમેરિકામાં પ્રદર્શન
બીબીસીના રિપોર્ટ અનુસાર આ પહેલા 1968માં માર્ટિન લૂથર કિંગ જુનિયરની હત્યા પછી આટલા મોટા સ્તર પર સમગ્ર અમેરિકામાં પ્રદર્શન થયા હતા. માર્ટિન લુથરને અમેરિકામાં અશ્વેતોના અધિરાકોને માટે લડનાર સૌથી મહાન વ્યક્તિના રૂપમાં જાણીતા હતા. તેમની હત્યા પછી આવા જ સમગ્ર દેશમાં તોફાનો થયા હતા. અત્યાર સુધી આ પ્રદર્શનમાં 10થી વધુ લોકોની મૃત્યુ થઇ ચુકી છે. ટ્રમ્પ અધિકારી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી છતાં પ્રદર્શનકારી પાછળ હટવા તૈયાર નથી. રિપોર્ટમાં જણાવ્યું છે કે આફ્રિકિ અમેરિકિઓની સ્થિતીની બાબતોમાં.

આ ફોટો ‘ધ સ્વાઇલિંગ ઓફ ઓલ્ડ ગ્લોરી’ શીર્ષકથી પ્રચલિત છે. ફોટો જર્નલિસ્ટ સ્ટેનલી ફોરમેને 5 એપ્રિલ 1976ના બોસ્ટનમાં આ તસવીર લીધી હતી. જ્યારે શ્વેત અને અશ્વેત બાળકો માટે અલગ બસો ચલાવવાને લઇને પ્રદર્શન ચાલી રહ્યું હતું. 1977માં આ ફોટો માટે સ્ટેનલીને સ્પોટ ફોટોગ્રાફી માટે પુલિત્ઝર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

જાણો અમેરિકામાં થઇ રહેલા અશ્વેતોના પ્રદર્શન અને આફ્રિકી અમેરિકન બાબતો વિશે
વિશ્વભરમાં અશ્વેત પ્રદર્શન શા કારણે થઇ રહ્યાં છે ?

46 વર્ષના અશ્વેત નાગરિક જોર્જ ફ્લોઇડને 25 મેના અમેરિકાના મિનિપોલિસમાં એક દુકાનના નકલી બિલનો ઉપયોગ કરવા બાબતે ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી એક વિડિયો વાયરલ થયો જેમાં પોલિસ અધિકારીએ આઠ મિનિટ સુધી જોર્જ ફ્લોઇડની ડોક દબાવતા જોવા મળ્યો હતો. વીડિયોમાં જોર્જ કહે છે કે હું શ્વાસ નહતો લઇ શકતો (આઇ કાન્ટ બ્રીથ) પછીથી ફ્લોયડનું મૃત્યું થયું.
પ્રદશનોનું નેતૃત્વ ક્યું સંગઠન કરી રહ્યું છે ?
ટ્રમ્પ અધિકારી કટ્ટર વામપંથી સંગઠન એટિફાને આ સમગ્ર પ્રદર્શન અને તોડફોડ માટે દોષી માને છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં જ ટ્વીટ કરી એંટિફાને આતંકી સંગઠન જાહેર કરવાની વાત કરી છે. જોકે, મિનીસોટાએ એટોર્ની જનરલ કીથ એલિસનનું કહેવું છે કે આ બાબતમાં યોગ્ય રીતો કોઇ નથી જાણતું.
આવામાં જાણો અમેરિકામાં અશ્વેતોની સ્થિતિ
અમેરિકાના અશ્વેતો અને શ્વેતોની બેરોજગારી, પ્રતિ વ્યક્તિની આવક અ્ને તેમની સંપત્તિના આધાર પર તુલનામાં એ વાત સામે આવી છે કે આજે પણ અશ્વેત, શ્વેતોની તુલનામાં ઘણા પાછળ છે. તેમની સરેરાશ આવક લગભગ 40 ટકા ઓછી છે. અશ્વેતોની ઘરેલું સરેરાશ આવક લગભગ 31 લાખ પ્રતિવર્ષ છે. જ્યારે શ્વેતોની આવક લગભગ 53.65 લાખ પ્રતિવર્ષ છે. આવામાં જ અમેરિકી શ્રમ વિભાગની 2020ના રિપોર્ટ અનુસાર બેરોજગારી દર પણ શ્વેતોની તુલનામાં 2.5 ટકા વધુ છે. શ્વેતો પાસે સરેરાશ સંપત્તિ લગભગ 10 ગણી વધુ છે.
વ્યવસાય : માત્ર 9 ટકા ભાગીકારી કુલ વ્યાપારમાં
સેસન્સ બ્યુરો ઓફ અમેરિકા દ્વારા 2019માં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર વર્ષ 2012 સુધી અમેરિકાના કુલ બિઝનેસમાંથી 9 ટકા આફ્રિકન અમેરિકનની હતી. અમેરિકામાં વર્લ્ડ વાઇડ ટેક્નોલોજી, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, એસીટી-1 ગ્રુપ્સ, બ્રિજવાટર ઇન્ટીરિયર્સ, એલએલસી, કોકા-કોલા બેવરેજ અને ધ બોટમ લાઇન જેવી કંપનીઓના માલિક પણ આફ્રિકી અમેરિકી લોકો હતા.
તંદુરસ્તી : શ્વેતની તુલનામાં સરેરાશ 4 વર્ષ વધુ જીવે છે
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ ઓફ માઇનોરિટી હેલ્થમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર 2015માં અશ્વેત વ્યક્તિનું જીવન સરેરાશ 76.1 વર્ષ હતું જ્યારે શ્વેતોમાં આ આંકડો 79.8 વર્ષ છે. એટલે આફ્રિકી અમેરિકનોમાં મૃત્યુ દર શ્વેતોની તુલનામાં વધુ છે. આમાં હાર્ટથી જોડાયેલ બિમારીઓ, સ્ટ્રોક, કેન્સર, અસ્થમા, ઇન્ફ્લુએન્જા, ડાઇબિટીસ, HIV એડ્સ અને હત્યાનો સમાવેશ છે.
તેઓ આફ્રિકી અમેરિકન જેઓએ અમેરિકાના નામને મજબૂત કર્યું
રાજકારણ : બરાક ઓબામા

અમેરિકાના 44મા રાષ્ટ્રપતિના રૂપમાં પહેલા અશ્વેત નાગરિક, સતત બે વખત રાષ્ટ્રપતિ રહ્યાં. સારા કાર્યો માટે તેમને શાંતિનો નોબલ પુસ્કાર મળ્યો.
એક્ટિવિસ્ટ : માર્ટિન લૂથર
અમેરિકી ઇતિહાસમાં મહાનતમ સિવિલ રાઇટ એક્ટિવિસ્ટમાંના એક. મંત્રી પણ રહ્યાં. અમેરિકામાં અશ્વેતને અધિકાર આપવા માટે પણ જાણીતા છે.
સંગીત : માઇકલ જેક્સન
તેમને કિંગ ઓફ પોપના નામથી ઓખળવામાં આવે છે. તેના આલ્બમ થ્રિલરની 10 કરોડથી વધુ કોપીઓ વેચાઇ. આ સૌથી વધુ વેચાનાર આલ્બમ રહ્યો.
આ મળીને બન્યું છે અમેરિકા

  • નોન હિસ્પેનિક શ્વેત-60.4 %
  • હિસ્પેનિક શ્વેત-17.1%
  • આફ્રિકન અમેરિકન (અશ્વેત)-13.3%
  • એશિયન-5.61%
  • બે અથવા વધુ નસ્લ 2.34%
  • અમેરિકન ઇન્ડિયન, અલાસ્કા નેટિવ-1.25%
  • નોન હિસ્પેનિક શ્વેત એ છે જે પોતાને મૂળ અમેરિકન માને છે

બેરોજગારી દર

  • અશ્વેત-16.7%
  • શ્વેત- 14.2%
  • સ્થાનિક આવક
  • અશ્વેત- 41000 ડોલર
  • શ્વેત- 71000 ડોલર
  • સંપત્તિ
  • અશ્વેત- 17600 ડોલર
  • શ્વેત 171000 ડોલર

નોંધ : આંકડા ટકાવારીમાં



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમેરિકાના 100થી વધુ શહેરોમાં પ્રદર્શન થઇ રહ્યું છે.


from Divya Bhaskar https://ift.tt/2z9exoE

ગુજરાતમાં દરરોજ કેસમાં 3 ટકા વધી રહ્યાં છે, રાજ્યમાં મૃત્યુદર 6 ટકા અને રિકવરી રેટ 67 ટકા પર પહોંચ્યો

ગુજરાતમાં શનિવારે 498 નવા કેસ નોંધાતા હવે ગુજરાતમાં કોરોનાના કુલ 19,617 કેસ નોંધાઇ ચૂક્યા છે. જે ગુજરાતની કુલ વસ્તીના સંદર્ભે જોઇએ તો દર 10 લાખની વસ્તીએ 289 લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. દરરોજ કોરોનાના ત્રણ ટકા કેસ વધી રહ્યા છે. તેની સામે ગુજરાતમાં શનિવારે 29 મોત થતાં હવે કુલ મૃતકાંક 1,219 પર પહોંચ્યો છે. ગુજરાતમાં મૃત્યુનો દર વધી રહ્યો છે અને તે હવે 6.21 ટકા પર છે. આ તરફ રાજ્યમાંથી 313 દર્દીઓ સાજા થતાં તેમને ઘરે મોકલવામાં આવ્યા છે અને હવે રીકવર થયેલાં દર્દીનો કુલ આંક 13,324 પર પહોંચ્યો છે. ગુજરાતનો રીકવરી રેટ 67.92 પર પહોંચી ગયો છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6, સાબરકાંઠા અને કચ્છમાં 5-5, બનાસકાંઠા અને પંચમહાલમાં 4-4, ભરૂચ અને છોટાઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા મોતમાં અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે.

છેલ્લા 8દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)

કુલ 19,617 દર્દી, 1219 ના મોત અને 13,124 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 13,967 994 9,689
સુરત 2034 78 1318
વડોદરા 1258 43 744
ગાંધીનગર 401 15 181
ભાવનગર 138 10 106
બનાસકાંઠા 136 5 98
આણંદ 108 11 91
અરવલ્લી 120 7 111
રાજકોટ 128 3 73
મહેસાણા 153 6 83
પંચમહાલ 101 10 74
બોટાદ 60 2 55
મહીસાગર 116 2 107
પાટણ 98 7 68
ખેડા 85 4 59
સાબરકાંઠા 117 3 90
જામનગર 61 3 43
ભરૂચ 54 3 34
કચ્છ 88 4 56
દાહોદ 45 0 32
ગીર-સોમનાથ 47 0 44
છોટાઉદેપુર 37 0 23
વલસાડ 53 2 27
નર્મદા 23 0 18
દેવભૂમિ દ્વારકા 15 0 11
જૂનાગઢ 32 1 26
નવસારી 31 1 14
પોરબંદર 12 2 6
સુરેન્દ્રનગર 46 2 21
મોરબી 4 0 3
તાપી 6 0 5
ડાંગ 4 0 2
અમરેલી 14 1 4
અન્ય રાજ્ય 25 0 8
કુલ 19,617 1219 13,324


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE the number of cases is increasing by 3% every day, the death rate in the state has reached 6% and the recovery rate has reached 67%


from Divya Bhaskar https://ift.tt/2BGzjNr

15 જૂન પછી મંદિર ખુલી શકે છે, પહેલાં માત્ર સ્થાનીય યાત્રીઓઓને દર્શન કરવાની મંજૂરી મળશે

માતા વૈષ્ણોદેવીની યાત્રા 15 જૂન આસપાસ શરૂ થઇ શકે છે. જોકે, પહેલાં માત્ર સ્થાનીય યાત્રીઓને દર્શનની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય 10 વર્ષથી નાના અને 65 વર્ષથી મોટાં યાત્રીઓને મંજૂરી મળશે નહીં.

શ્રાઇન બોર્ડ તેના માટે હાલ બોર્ડના ચેરમેન અને લેફ્ટિનેન્ટ ગવર્નર જીસી મુરમૂની મંજૂરીની રાહ જોઇ રહ્યાં છે. શ્રાઇન બોર્ડ સાથે જોડાયેલાં સૂત્રો પ્રમાણે હાલ યાત્રીઓએ પગપાળા જ વૈષ્ણોદેવી મંદિર પહોંચવું પડશે. પિઠ્ઠૂ અને ખચ્ચરના માલિકો યાત્રીઓને લઇ જઇ શકશે નહીં.

આ સિવાય હેલિકોપ્ટર સુવિધા પણ સરકાર પાસેથી પરમિશન મળ્યાં બાદ જ શરૂ થશે. કટરા અને સાંઝી છત હેલિપેડ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રાઉન્ડ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, હેલિકોપ્ટર શરૂ થવામાં સમય લાગી શકે છે. કેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગ સંભવ છે નહીં અને લોકલ યાત્રીઓ તેનો ઉપયોગ ઓછો કરે છે.

યાત્રીઓને હાલ ગુફાની બહાર થતી અટકા આરતીમાં પણ સામેલ થવા દેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ આરતી માટે શ્રાઇન બોર્ડ ટિકિટ આપે છે. છતાંય આ આરતીમાં વિશાળ સંખ્યામાં લોકો સામેલ થાય છે.

યાત્રાના 13 કિમી રસ્તામાં વિવિધ જગ્યાએ યાત્રીઓને સેનેટાઇઝ કરવામાં આવશે. જેના માટે સ્પ્રે ટનલ તૈયાર કરવાની યોજના બની રહી છે. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચે વૈષ્ણોદેવીની યાત્રા બંધ કરી દેવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The temple may reopen after June 15, before which only local pilgrims will be allowed to visit


from Divya Bhaskar https://ift.tt/37bIUHQ

અમદાવાદમાં 18થી 24 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી

નિસર્ગ વાવાઝોડાને કારણે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધી છે. આગામી 8 જૂને બંગાળની ખાડીમાં સક્રિય થનારા લો-પ્રેશરથી ચોમાસાને વેગ મળશે. 15થી 16 જૂન વચ્ચે દ. ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા, 18થી 24 જૂન વચ્ચે અમદાવાદ અને જૂનનાં અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે.
જૂનના અંત સુધીમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, નિસર્ગ વાવાઝોડું ભેજવાળા પવનો ખેંચી લાવ્યું છે, જેની લીધે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધી છે, જે હજુ બે દિવસ ચાલુ રહેશે. 8મી જૂને બંગાળની ખાડીમાં સક્રિય થનારા લો-પ્રેશરથી ચોમાસાને વેગ મળશે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાનું આગમન આગામી 15થી 16 જૂન વચ્ચે મુંબઇની સાથે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયા કાંઠે તેમજ 18થી 24 જૂન વચ્ચે અમદાવાદ અને જૂનનાં અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે.
અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળિયાં વાતાવરણને કારણે ગરમીનો પારો 2 ડિગ્રી જેટલો ગગડીને 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 25.2 ડિગ્રી નોંધાયું હતું. જોકે, બપોરે વાદળનું પ્રમાણ ઘટતાં 12થી 3 વાગ્યા દરમિયાન લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસો દરમિયાન શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, સાથે ગરમીનો પારો વધતાં બફારાનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ચોમાસું કર્ણાટકના દરિયાકાંઠે સ્થિર છે
કેરળમાં સક્રિય થયેલું ચોમાસું હાલમાં કર્ણાટકનાં દરિયાકાંઠે સ્થિર થયું છે. કર્ણાટકમાં સ્થિર થયેલું ચોમાસું મુંબઇ, દક્ષિણ ગુજરા-સૌરાષ્ટ્ર સુધી પહોંચશે. ત્યારબાદ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગમન થશે, જોકે, લો-પ્રેશર બન્યાં પછી કેટલું મજબૂત અને કઇ દિશામાં આગળ વધે છે, તે ટ્રેકને આધારે ચોમાસાની પ્રગતિનો આધાર રાખશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શહેરમાં શનિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં બે ડિગ્રી ઘટાડો નોંધાયો હતો.


from Divya Bhaskar https://ift.tt/3f1ev1B

US CDC reports 1,891,690 coronavirus cases

US CDC reports 1,891,690 coronavirus cases

from India Today | Top Stories https://ift.tt/3eXlLv9

Hundreds of Lebanese join anti-government protests as lockdown eased

Hundreds of Lebanese join anti-government protests as lockdown eased

from India Today | Top Stories https://ift.tt/2XIWMWZ

UK anti-racism protesters clash with mounted police

UK anti-racism protesters clash with mounted police

from India Today | Top Stories https://ift.tt/2ALAJG1

Khwaja Yunus murder case: Encounter specialist Sachin Vaze reinstated in Mumbai Police

Khwaja Yunus murder case: Encounter specialist Sachin Vaze reinstated in Mumbai Police

from India Today | Top Stories https://ift.tt/2UkvVhw

Clash erupts between commuters and toll plaza staff at NH30

Clash erupts between commuters and toll plaza staff at NH30




from News - Videos - The Times of India https://ift.tt/2BGlT42

Blog: Modi 2.0 looks set to fulfil poll promises



from Times of India https://ift.tt/3dGX9Xx

For city folk, some animals are more equal than others

Recently, a pregnant elephant in north Kerala died a horrible death when it mistakenly ate a pineapple or coconut stuffed with firecrackers. Immediately, humans jumped in with their own interpretations. Celebrities were outraged, social media...

from Times of India Opinion https://ift.tt/2UehMCA

Congressmen watching silently as party hurtles towards political obsolescence

I write this while convalescing from the coronavirus infection. Home quarantine gives you substantial time for introspection and makes things crystal clear. The last time my colleague and friend Salman Soz and I wrote an...

from Times of India Opinion https://ift.tt/2UjeEoZ

‘I can’t breathe’ – words that’ve hit US and must impact us too

What is common between the horrific death of a 15-year-old female elephant in Kerala and the murder of a 46-year-old black man in Minneapolis? Both were victims of human cruelty in the extreme. The sort...

from Times of India Opinion https://ift.tt/2AbYl6x

Modi 2.0 looks set to fulfil poll promises, Covid crisis or not

A fortnight ago, unnoticed by the mainstream — or relegated to footnotes — India witnessed a momentous event: the beginning of the construction of the Ram Janmabhoomi temple in Ayodhya. In more normal times the...

from Times of India Opinion https://ift.tt/3dGX9Xx

Sharing is self-caring: Thoughts about guilt, giving and privilege

There’s a terrible choreography that only the wealthy know, and which they teach to their children, and which is kept secret. You’re in your car or your taxi or your auto-rickshaw, and a figure appears...

from Times of India Opinion https://ift.tt/3cHtHiJ

Tropical Storm Cristobal advances toward US Gulf Coast

Tropical Storm Cristobal advances toward US Gulf Coast

from India Today | Top Stories https://ift.tt/3cFBkGq

Let’s not call them a murder of crows!

Possibly the cleverest non-humans, crows observe us and make mental notes! One Lockdown ritual my husband has started is sharing food with birds at lunchtime. Over a period, two crows, two mynas and one squirrel...

from Times of India Opinion https://ift.tt/2zaFAjr

Methods to cope with lockdown blues

A lot of brouhaha and enthusiasm about time out during lockdown to pursue interests, hobbies, family time, rest and rejuvenate is wearing thin. People are either in a zombie like rut almost fearing a return...

from Times of India Opinion https://ift.tt/30glzTV

Delhi Medical Association slams Arvind Kejriwal govt for warning hospitals amid coronavirus crisis

Delhi Medical Association slams Arvind Kejriwal govt for warning hospitals amid coronavirus crisis

from India Today | Top Stories https://ift.tt/2AL3a6O

Chronic liver disease affects both men and women in similar ways

Chronic liver disease affects both men and women in similar ways




from News - Videos - The Times of India https://ift.tt/3eYoEfn

Friday, June 5, 2020

US unemployment rate falls to 13.3%, Donald Trump says precursor to better numbers

US unemployment rate falls to 13.3%, Donald Trump says precursor to better numbers

from India Today | Top Stories https://ift.tt/2XEarOR

Rs 6000 crore disbursed as govt's credit line scheme for MSMEs, businesses gain traction

Rs 6000 crore disbursed as govt's credit line scheme for MSMEs, businesses gain traction

from India Today | Top Stories https://ift.tt/3gVbWQi

Plane crashes in rural Georgia; 2 children among the 5 dead

Plane crashes in rural Georgia; 2 children among the 5 dead

from India Today | Top Stories https://ift.tt/2AFC15p

Coronavirus: How police in Odisha’s Bhadrak helped nearly 5,000 migrants daily

Coronavirus: How police in Odisha’s Bhadrak helped nearly 5,000 migrants daily

from India Today | Top Stories https://ift.tt/30pNild

Don't make us feel like a used tissue paper: Air India pilots to management

Don't make us feel like a used tissue paper: Air India pilots to management

from India Today | Top Stories https://ift.tt/2Y4gbjP

How to charm lady love

How to charm lady love




from News - Videos - The Times of India https://ift.tt/2MCv1bS

રાજ્યો ઘરે પાછાં ફરેલા શ્રમિકોની નોંધણી કરી કાઉન્સેલિંગ કરે અને તેમને રોજગારી પણ આપે: સુપ્રીમ કોર્ટ

લૉકડાઉન દરમિયાન દેશભરમાં બદહાલ શ્રમિકોના સ્થળાંતર મુદ્દે સુપ્રીમકોર્ટે શુક્રવારે સુનાવણી પૂરી કરી. કોર્ટ 9 જૂને ચુકાદો આપશે. કોર્ટે તમામ રાજ્યોને ઘરે પાછા ફરી રહેલા શ્રમિકોની નોંધણી અને કાઉન્સેલિંગ કરી તેમને રોજગાર આપવાની વ્યવસ્થા કરવા આદેશ કર્યો. કોર્ટે રાજ્યો પાસેથી આ વ્યવસ્થાની વિગતો પણ માગી છે. સાથે જ કોર્ટે સંકેત આપ્યો કે રાજ્યોને તમામ શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન મોકલવા આદેશ અપાઇ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચને જણાવ્યું કે 3 જૂન સુધીમાં 4,270 શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા 1 કરોડથી વધુ શ્રમિકોને તેમના વતનમાં મોકલાઇ ચૂક્યા છે. મોટા ભાગની ટ્રેનો યુપી-બિહાર મોકલાઇ. રાજ્યોની માગ પ્રમાણે હજુ 171 ટ્રેન રવાના થવાની છે.

સરકારને તેમના રાજ્યોની જ ખબર નથીઃ જસ્ટિસ કૌલ
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે રાજ્યો ઇચ્છે તો 15 દિવસમાં તમામ પરપ્રાંતી શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડી શકાય છે. રાજ્યોએ પણ પોતાને ત્યાં પરત ફરેલા શ્રમિકોની વિગતો આપી. પશ્ચિમ બંગાળ સરકારના જવાબ અંગે મહેતાએ કહ્યું કે સરકાર માત્ર પોતાને ત્યાં ફસાયેલા બીજા રાજ્યોના લોકોની વાત કરી રહી છે. તેમને એ નથી ખબર કે તેમના રાજ્યના કેટલા લોકો બીજા રાજ્યોમાં ફસાયેલા છે?

રાજ્યોની વિગતો: મહારાષ્ટ્રમાંથી 11 લાખ અને ગુજરાતમાંથી 20 લાખ શ્રમિક વતન મોકલાયા

  • મહારાષ્ટ્ર: 11 લાખ શ્રમિકને તેમના વતનમાં મોકલાયા છે. હજુ 38 હજાર શ્રમિકને મોકલવાના બાકી છે.
  • રાજસ્થાન: શ્રમિકોને પાછા લાવવા તથા બીજા રાજ્યોના શ્રમિકોને પરત મોકલવા પાછળ 7 કરોડ રૂ. ખર્ચ કરાયા છે.
  • ગુજરાત: 22 લાખ પરપ્રાંતી શ્રમિક ફસાયા હતા. તેમાંથી 20.5 લાખને વતનમાં મોકલાઇ ચૂક્યા છે.

પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના બેફામ ચાર્જ સામે પણ સુપ્રીમની લાલ આંખ

  • પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ પાસેથી વસૂલાતા બેફામ ચાર્જના વિરોધમાં દાખલ થયેલી અરજી મામલે સુપ્રીમકોર્ટ સુનાવણી કરશે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી એક અઠવાડિયામાં જવાબ માગ્યો છે.
  • રાહતદરે જમીન મેળવનારી પ્રાઇવેટ હોસ્પિટલોને આયુષ્માન યોજનાના દરે સારવાર માટે આદેશ આપી શકાય કે નહીં તે મુદ્દે સુપ્રીમકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે કોરોનાના અમુક દર્દીઓની સારવાર વિનામૂલ્યે કેમ ન થઇ શકે?


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુપ્રીમ કોર્ટ, ભારત - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2A9GaP1

નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, ઉકળાટ બાદ વરસાદ પડતા હાશકારો

નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે શુક્રવારે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઘણી જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડી હતી. અમદાવાદમાં દિવસભર અસહ્ય ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે શહેરના આકાશમાં જાણે વાદળોનું કટક ઉતરી આવ્યું હતું. એ પછી સરેરાશ અડધો ઇંચ વરસાદથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. થરાદમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળે વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પણ વરસાદથી ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા.

શહેર વરસાદ
થરાદ 2 ઇંચ
ઉના 1 ઇંચ
વાપી પોણો ઇંચ
વાવ અડધો ઇંચ
પોશીના અડધો ઇંચ
અમદાવાદ અડધો ઇંચ
વડોદરા 5 મીમી


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Blue Ahmedabad: Rain after drizzle, change in the atmosphere of the state


from Divya Bhaskar https://ift.tt/3gUNrTv

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

ગુજરાતમાં 24 કલાકમાં સૌપ્રથમવાર કોરોના પોઝિટીવ કેસનો આંકડો શુક્રવારે પાંચસોને પાર પહોંચ્યો. એક જ દિવસમાં 510 નવા કેસ નોંધાતા હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 19,119 પર પહોંચ્યો છે. છેલ્લાં પાંચ દિવસથી કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, 30 મેના રોજ એક દિવસમાં 400થી વધુ કેસ નોંધાયા હતા, તે પછી તેમાં વધારો થયો અને હવે પાંચમી જૂને તે આંકડો 500થી વધુનો થયો છે. આ પૈકી અમદાવાદમાં સૌથી વધુ 324 કેસ નોંધાયા છે. જ્યારે સૂરતમાં 67, વડોદરામાં 45 અને ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા છે. કોરોના મુક્ત થયેલાં ડાંગ જિલ્લામાં વધુ બે કેસ નોંધાતા તે ફરી કોરોનાયુક્ત જિલ્લો બન્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ ન રહેતા તે જિલ્લો કોરોના મુક્ત થયો છે. શુક્રવારે છેલ્લે આ જિલ્લામાંથી ચાર દર્દીઓને રજા આપી દેવાઇ હતી.

શુક્રવારે સૌથી વધારે દર્દી સામે આવ્યાં
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 13,003 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવાઇ છે, અને તે સાથે રીકવરી રેટ 68.05 ટકા પર પહોંચ્યો છે. પરંતુ મૃત્યુદર 6.22 પર કૂદકો લગાવીને પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના મૃત્યુઆંક કરતાં લગભગ અડધા મૃત્યુ ગુજરાતમાં છે પરંતુ મૃત્યુદર જોઇએ તો મહારાષ્ટ્રના 3.55 ટકા કરતાં તે લગભગ બમણા જેટલો થવા જાય છે. શુક્રવારે પણ ગુજરાતમાં 35 દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે. તે પૈકી 30 અમદાવાદમાં નોંધાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3eVYlGF

સોમનાથમાં બીલીપત્ર ચઢાવાશે નહીં, દ્વારકામાં પ્રસાદ નિર્ધારિત જગ્યાએ ચઢાવવાનો રહેશે, અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે

આગામી 8મી જૂનથી રાજ્યમાં મંદિરો ખુલી રહ્યા છે. 75 દિવસના લૉકડાઉન બાદ મંદિરો શ્રદ્ધાળુઓ માટે ખુલી રહ્યા છે ત્યારે ભક્તજનો કોરોના વાઇરસથી સંક્રમિત ન બને એ માટે મંદિરો દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં પહેલીવાર એવું બનશે કે ભક્તો દર્શન તો કરી શકશે પણ સોમનાથને બિલિપત્ર ચઢાવી શકશે નહીં. તમામ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરાશે. માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર જો કે 20મી જૂને ખુલશે પણ મોટાભાગના મંદિરો 8 જૂનથી ખુલી રહ્યા છે. વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર 17 જૂને ખુલશે. આ નિર્ણય વડતાલ સ્વામિનારાયણ મંદિર ઉપરાંત કષ્ટભંજનદેવ હનુમાનજી અને તાબાના મંદિરોને પણ લાગુ પડશે. દિવ્ય ભાસ્કરે રાજ્યના મોટા મંદિરોના વ્યવસ્થાપકો સાથે વાત કરીને દર્શન માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે એ વિશે માહિતી મેળવી હતી.

સોમનાથ: આરતીમાં પ્રવેશ નહીં, ફક્ત ચિક્કીનો પ્રસાદ
સોમનાથ મંદિરમાં ભાવિકોએ 8 જૂનથી સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખીને દર્શન કરવા માટે લાઇનમાં સફેદ રાઉન્ડ કરવાનું શરૂ થઇ ગયું છે. તો તમામ ભાવિકોને સેનેટાઇઝર લગાડવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે. મંદિરની એકપણ આરતી વખતે ભાવિકોને પ્રવેશ નહીં આપવામાં આવે. ભાવિકો મંદિરમાં ફૂલ અને બિલીપત્ર ચઢાવવા નહીં લઇ જઇ શકે. એ બહારજ મૂકી દેવા પડશે. તેઓને મંદિરમાંથી ફક્ત ચિક્કીનો પ્રસાદ મળશે. એમ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

અંબાજી: સવારે 7.30થી શક્તિ દ્વારથી જ પ્રવેશ
અંબાજી મંદિર સોમવારે સવારે 7:30થી શરૂ થશે. માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ કે અંબિકા ભોજનાલયમાં અપાતું ભોજન નહીં અપાય. આ ઉપરાંત આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ નહીં અપાય. મંદિરના ગર્ભગૃહમાં 20 દર્શનાર્થીઓ ઊભા રહી શકશે. શ્રદ્ધાળુઓને તેના પગરખા પર્સ બેલ્ટ ઇત્યાદિ વસ્તુ થેલીમાં પેક કરીને લગેજ રૂમમાં આપવાની રહેશે. ભક્તોની શક્તિદ્વાર પાસે તૈનાત મેડિકલ ટીમ દ્વારા તપાસ કરાશે.

દ્વારકાધીશ મંદિર: રાત્રે 9થી સવારે 5 મંદિરબંધ રહેશે
છેલ્લા 75 દિવસથી બંધ દ્વારકાધીશજીનુ મંદિર ખોલવા માટેનું જાહેરનામુ કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.મંદિર રાત્રીના નવ વાગ્યાથી સવારે પાંચ સુધી બંધ રહેશે.દર્શન માટેના નિયમો ઘડવામાં આવ્યા છે જેમાં મંદિરમાં પ્રવેશતા પહેલા શ્રધ્ધાળુઓનું થર્મલ સ્ક્રિનીંગ થશે. હેન્ડ સેનેટાઇઝ કરવામાં આવશે. આરતીમાં પુજારી સિવાય કોઇને પ્રવેશ આપવામાં આવશે નહી.જયારે માસ્ક ફરજીયાત પહેરવાનુ રહેશે. બહારથી ખુલ્લો પ્રસાદ વગેરે સામગ્રી મંદિરમાં નકકી કરાયેલા સ્થળએ પધરાવવાની રહેશે.

ડાકોર: ઉકાળો અપાશે, રણછોડ સેના તહેનાત
ડાકોર મંદિર 8મીથી ખુલી રહ્યું છે. મંદિર મેનેજમેન્ટ મંદિરની અંદરની વ્યવસ્થા માટે પુરી તૈયારી કરી ચૂક્યું છે. ડાકોર ટેમ્પલ કમિટિના મેનેજર અરવિંદ મહેતાએ જણાવ્યું હતું કે, ‘મંદિર મેનેજમેન્ટ કમિટીએ સઘન તૈયારી શરૂ કરી દીધી છે. સેનેટાઈઝર ટનલ, સોશિયલ ડિસ્ટન્સના ગોળ કુંડાળા સહિત રણછોડ સેના કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત આયુર્વેદિક ઉકાળાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અંબાજી - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2UgBM7z

શક્તિસિંહનાં માતા માટે શોક વ્યક્ત કરી મેરજાએ ગુલાંટ મારી, કોંગ્રેસમાં સૌથી વધુ મોરબીના ધારાસભ્ય મેરજા પર ફિટકાર

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પાર્ટી છોડી ગયેલા ત્રણ ધારાસભ્યોમાંથી એક એવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પર કાર્યકરો સૌથી વધુ ફિટકાર વરસાવી રહ્યા છે. જેનું કારણ એ છે કે બ્રિજેશ મેરજા ગુરુવારે પ્રદેશ કોંગ્રેસ ખાતે મળેલી ધારાસભ્યોની મિટિંગમાં રાજ્યસભાના ઉમેદવાર એવા શકિતસિંહ ગોહિલની માતા માટે ખાસ શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ લાવ્યા હતા. આ માટે તેમણે મિટિંગમાં હાજર એવા અન્ય રાજ્યસભા ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે જઈને પ્રસ્તાવ કર્યો હતો. જેને તાત્કાલિક મંજૂર કરીને શકિતસિંહના માતાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આમ, મેરજાની પાર્ટીના બંને નેતાઓ પ્રત્યેની લાગણી જોતા કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે તે રાજીનામું આપશે. જેને લીધે કોંગ્રેસના કાર્યકરો મેરજા પર સૌથી વધુ ફિટકાર વરસાવી રહ્યા છે. પ્રદેશની આ મિટિંગમાં અહેમદ પટેલ અને રાજીવ સાતવ ઓનલાઇન હાજર રહ્યા હતા.

મિટીંગ પછી તરત જ રાજીનામુ આપવા ગયાઃ જયરાજસિંહ
આ વિશે કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહે જણાવ્યું હતું કે, ૨૪ કલાકની નોટીસમાં આ મિટિંગ બોલાવી હતી. જેમાં રાજ્યસભા ચુંટણી, કોરોના મહામારી, ખેડૂતોના પ્રશ્નો અને સરકારની વિવિધ મોરચે નિષ્ફળતાની ચર્ચા કરવાની હતી. બાદમાં કોંગ્રેસ કાર્યકર્તા બદરૂદ્દીન શેખ, મણીલાલ લેઉઆ, રફીક ઘાંચી વગેરેને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યાર બાદ કોરોના મુદ્દે સરકારની નાકમીની ચર્ચા થાય તે પહેલાં જ બ્રિજેશ મેરજાએ ઉભા થઈને ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાને સૂચન કર્યું હતું કે આપણે શકિતસિંહ ગોહિલના માતાને અને ચિરાગ કાલરીયાના કાકાને પણ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, જેને સ્વીકારી લેવાઈ હતી. સાંજે મિટિંગ પત્યા પછી મેરજા સીધા રાજીનામું આપવા જતા રહ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બ્રિજેશ મેરજા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3eSwA1F

From unwanted job-eaters to guests: How coronavirus made India see migrants differently

From unwanted job-eaters to guests: How coronavirus made India see migrants differently

from India Today | Top Stories https://ift.tt/3cH9AB3

'Stand up to Trump': Canada protesters shout to Justin Trudeau who kneels at anti-racism rally

'Stand up to Trump': Canada protesters shout to Justin Trudeau who kneels at anti-racism rally

from India Today | Top Stories https://ift.tt/30kwQlQ

Assam board class 10 result today at 9am

The results of both High School Leaving Certificate (HSLC) and Assam High Madrassa (AHM) exams will be declared at 9 am and will be available digitally for about 3.5 lakh candidates.

from Times of India https://ift.tt/3gZo8j2

8મો કોંગી MLA પણ પારકું ધનઃ રાજ્યસભામાં ભાજપની ત્રણેય સીટ નક્કી, કોંગ્રેસમાં ભાગલા

પોતાના આઠ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ લોહિયાળી બનેલી કોંગ્રેસમાં હવે મરણિયા જંગ શરુ થયા છે. શુક્રવારે બ્રિજેશ મેરજાનું પણ રાજીનામું પડતાં હવે રિસોર્ટ પોલિટિક્સ ચાલું થયું છે. શુક્રવારે જ આણંદ પાસેના એરિસ રિવરસાઇડ નામના એક રિસોર્ટમાં ભરતસિંહે પોતાના જૂથના ધારાસભ્યોને ભેગા કર્યાં છે. આ દસથી વધુ ધારાસભ્યોને ભરતસિંહ સોલંકીએ સોંગદ લેવડાવીને પોતાની તરફે જ રહેવા જણાવી દીધું છે. આ તમામ ધારાસભ્યો આમ પણ સોલંકીના સમર્થકો છે અને તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ કરતાં ભરતસિંહની વફાદારીને વળગી રહેશે.

બે-ત્રણ દિવસ પહેલા એકડાના મત નક્કી થશે
હવે કોંગ્રેસનો એક જ ઉમેદવાર જીતશે અને આથી રાજ્યસભા ચૂંટણીમાં સ્પર્ધા કોંગ્રેસના જ બે ઉમેદવારો, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે રહી છે. હાઇકમાન્ડની પહેલી પસંદ શક્તિસિંહ ગોહિલ હોવાથી ભરતસિંહને હારનો સામનો કરવો પડે તેમ છે. આવા સંજોગોમાં ભરતસિંહે હવે પોતાનો દાવ ખેલ્યો છે. આ અગાઉ કોંગ્રેસની બેઠકમાં પણ હાઇકમાન્ડ તરફથી મળેલા હુકમ મુજબ પક્ષના ધારાસભ્યોએ વધુ એકડાના મત શક્તિસિંહને આપવાના રહેશે અને ત્યારબાદ ભરતસિંહને આપવાના રહે છે તેમ જણાવી દીધું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ પ્રકારની કોઇ વાત નથી. કયા ધારાસભ્ય કોને એકડા આપશે તે ચૂંટણીના એક કે બે દિવસ પહેલાં જ નક્કી થશે અને તે વ્યૂહથી જ દર વખતે રાજ્યસભાની ચૂંટણી થાય છે.

ભરતસિંહ માટે હાઇકમાન્ડ સામે ફરીથી મોરચો મંડાશે
કોંગ્રેસના એક મોટા નેતા કહે છે કે, અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાજીવ શુક્લાનું નામ ઉમેદવાર તરીકે આવ્યું હતું ત્યારે વીસેક ધારાસભ્યોએ નારાજગી દર્શાવતા હાઇકમાન્ડે નિર્ણય બદલી ભરતસિંહને બીજા ઉમેદવાર બનાવ્યા. હવે હાઇકમાન્ડે શક્તિસિંહને જીતાડવા જણાવતા ધારાસભ્યો ફરી નારાજ થશે, અને હાઇકમાન્ડની આજ્ઞા ઉથાપી પણ દે. ભરતસિંહને 20 જેટલા સભ્યોનો ટેકો છે.

શક્તિસિંહ જ પોતાના મતદાતા નક્કી કરશે, દિગ્ગજોને પસંદ
ભરતસિંહના આ પાવર પોલિટિક્સની સામે શક્તિસિંહ પોતાનો દાવ ખેલી લેશે. સૂત્રો જણાવે છે કે શક્તિસિંહ હાઇકમાન્ડ પાસે પોતાના મતદાતા ધારાસભ્યોની યાદી મોકલી તેમને મત આપવાનો મેન્ડેટ અપાવશે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેશ પરમાર, દંડક અશ્વિન કોટવાળ, પૂંજા વંશથી માંડીને બાકીના તમામ સિનિયર ધારાસભ્યોના ગણીને 35થી 36 મત પોતે લેવાનો પ્રયત્ન કરશે.

શક્તિસિંહે પોતાના સભ્યોની જવાબદારી ઇન્દ્રનીલને સોંપી
શક્તિસિંહ ગોહિલે ઈન્દ્રનીલ રાજ્યુગુરુને ત્યાં ધારાસભ્યને ‘ક્વોરન્ટાઈન’ કરવાનો નિર્ણય કર્યો છે. ઈન્દ્રનીલ રાજ્યુગુરુએ પણ ધારાસભ્યો અને તેમની સાથે આવનારા ટેકેદારો માટે રાજકોટના નીલ સિટી ખાતે વ્યવસ્થા કરી રાખી છે. જ્યાં ગત મોડી સાંજે ધારાસભ્યોનું આગમન શરૂ થયું હતું. અત્રે એ પણ નોંધનીય છે કે, અહેમદ પટેલ જયારે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ ઈન્દ્રનીલ રાજ્યગુરુને ત્યાં ધારાસભ્યોને સાચવવામાં આવ્યા હતા.

  • ભાજપની સરકાર અને સરકારમાં બેઠેલાં કેટલાંક લોકો ધાકધમકી, લોભ લાલચ, સરકારમાં જોડાવાની ઓફર કરીને કે બ્લેકમેલ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામું આપવા માટે મજબૂર કરી રહ્યાં છે. - અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ
  • કોંગ્રેસ ધાકધમકીથી બ્લેકમેલ કર્યાની વાત કરે છે, તો પછી તેઓ ફરિયાદ કેમ નોંધાવતા નથી. તેઓ ખોટી વાત દ્વારા ભાજપને બદનામ કરે છે. હતાશ કોંગ્રેસ પોતાના માણસોને જ સાચવી શકતી નથી. - જીતુ વાઘાણી, ગુજરાત ભાજપ પ્રમુખ
  • કોંગ્રેસનું નેતૃત્વ જ નિષ્ફળ છે, ઉમેદવારોની પસંદગીમાં વિરોધ ઊભો થયો અને આંતરિક જૂથબંધી ખુલ્લી પડી હતી. દિશા અને નીતિ વિહિન નેતૃત્વને કારણે કોંગ્રેસ વિખરાઇ ગઇ છે. - ભરત પંડ્યા, ભાજપ પ્રવક્તા
  • રાજીનામું આપીને અડધેથી મેદાન છોડી લોકોને દગો કરનારા લોકોને જાહેરમાં મેથીપાક ચખાડવો જોઇએ. - ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ ધારાસભ્ય, વાવ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજ્યસભા, ભારત - ફાઇલ તસવી


from Divya Bhaskar https://ift.tt/2AFuZh0

ભારતનો 60 ચો.કિમી વિસ્તાર ચીનના કબજા હેઠળ છેઃ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં જારી ગતિરોધને ખતમ કરવા શનિવારે આગામી તબક્કાની મંત્રણા યોજાશે. તેના પહેલાં નિવૃત્ત લે.જનરલ એચ.એસ. પનાગે દાવો કર્યો કે મંત્રણામાં ચીનનું પલ્લું ભારે રહેશે કેમ કે તેણે પૂર્વ લદાખના 3 વિસ્તારોમાં ભારતના 40થી 60 ચો.કિમી વિસ્તારમાં ઘૂસણખોરી કરી લીધી છે. તે ભારત સામે એવી શરતો મૂકશે કે જેને સ્વીકારવી સરળ નહીં હોય. તેમણે ચેતવણી આપી કે ભારતે શરતો ન માની તો ચીન મર્યાદિત યુદ્ધ છંછેડી શકે છે. જોકે એક વેબસાઇટ પર પ્રકાશિત તેમના લેખને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેર કરતાં લખ્યું કે બધા દેશભક્ત જનરલ પનાગનો આર્ટિકલ જરૂરથી વાંચે.

ચશૂલમાં આજે મંત્રણા, હાલ કોઈ મજબૂત પરિણામની આશા નથી
લેહમાં તહેનાત 14મી કોરના કમાન્ડર લે.જનરલ હરિન્દરસિંહ ભારત વતી ચીન સાથે મંત્રણામાં સામેલ થશે. ચીન તરફથી તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર આવશે. સવારના આશરે 8 વાગ્યે ચશૂલમાં બેઠક શરૂ થશે. સૂત્રો મુજબ ભારતને તેનાથી કોઈ મજબૂત પરિણામ મળવાની આશા નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2XCwkhC

પુરીમાં ભગવાન જગન્નાથ 15 દિવસ માટે ક્વોરન્ટીન થયા, 284 વર્ષમાં પ્રથમ વખત રથયાત્રામાં શ્રદ્ધાળુ સામેલ નહીં થાય

જ્યેષ્ઠ પૂર્ણિમા પર સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથ અને તેમનાં ભાઈ-બહેન બીમાર થઈ ગયાં છે, જેના કારણે આગામી 15 દિવસ માટે તેઓ ક્વોરેન્ટાઈનમાં રહેશે. કેટલાક ખાસ સેવકોને જ તેમની પાસે જવાની મંજૂરી રહેશે. 15 દિવસના આ સમયને ‘અણસર’ કહેવાય છે. આ દરમિયાન તેમને માત્ર પાણી, ફળ અને ઉકાળાનો જ ભોગ ચઢાવાય છે. એવી માન્યતા છે કે એકાંતવાસ અને ઔષધિઓના સેવનથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા 15 દિવસમાં સ્વસ્થ થઈ જશે અને અષાઢ પ્રતિપદાના રોજ નવયૌવન ધારણ કરશે. દ્વિતીયા (23 જૂન)ના રોજ 9 દિવસની રથયાત્રા શરૂ થશે.

જુલાઈ-1થી ધારા 144 લાગુ કરાઈ છે
દર વર્ષે સ્નાનયાત્રામાં લગભગ બેથી અઢી લાખ દર્શનાર્થી મંદિર પહોંચે છે, પરંતુ કોરોનાના કારણે આ વખતે માત્ર પૂજારી અને પુરોહિતોને જ સ્નાનયાત્રામાં સામેલ થવાની તક મળી છે. 9 દિવસની રથયાત્રામાં પણ આ વખત માત્ર પુરીના પંડા-પૂજારી અને સુરક્ષા કર્મચારીઓને સામેલ થવાની મંજૂરી અપાઈ છે. 284 વર્ષમાં એવું પ્રથમ વખત થયું છે કે સ્નાનયાત્રામાં એક પણ શ્રદ્ધાળુ સામેલ થયો નથી અને રથયાત્રામાં પણ કોઈને આવવાની મંજૂરી નથી. જેનું કારણ, પુરીમાં 1 જુલાઈ સુધી ધારા-144 લાગુ કરાઈ છે. આથી પુરીમાં બહારનાં વાહનોનો પ્રવેશ પણ પ્રતિબંધિત છે અને ટ્રેનોને પણ ભુવનેશ્વરમાં જ રોકી લેવામાં આવી રહી છે.જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી જનાર્દન પટ્ટાજોશી મહાપાત્રએ કહ્યું કે સ્નાનયાત્રા અને રથયાત્રામાં ભગવાન જગન્નાથને વિશ્વ કલ્યાણ અને કોવિડ-19ને સમાપ્ત કરવાની પ્રાર્થના કરાઈ છે. ‘અણસર’નો સંદેશો એવો છે કે, બીમાર પડીએ તો પોતે એકાંતવાસમાં રહેવું જોઈએ. આ વખતે રથયાત્રામાં શ્રદ્ધાળુઓને આવવાની મંજૂરી નથી, આથી તેમના પ્રતિનિધિ તરીકે વડાપ્રધાન અને તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ અપાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lord Jagannath quarantined for 15 days in Puri


from Divya Bhaskar https://ift.tt/308oRIK