
કોરોનાના દર્દીઓને પિત્ઝાનો સ્વાદ કાર્ડબોર્ડ જેવો લાગી રહ્યો છે. પરફ્યુમની સુગંધ ફીલ કરી શકતા નથી. ઘરમાં ગેસ પર જમવાનું બળી જાય તો તેની પણ તેમને ખબર રહેતી નથી. સંક્રમણથી સાજા થયેલ દર્દી ડોક્ટર્સ અને શોધકર્તાઓ સાથે તેમનો અનુભવ શેર કરીને બાકીના લોકોને સાવધાન રહેવા કહી રહ્યા છે.
કોરોનવાઈરસ દર્દીઓમાં ગંધ ફીલ ન થવાનો અને ખાવાનો સ્વાદ ન મળવાના લક્ષણોવાળા કેસ વધી રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે આવા સર્વાઇવર્સને ક્યારેક સ્વાદ અને ગંધ ફીલ થાય છે તો ક્યારેક નહીં. બે કેસથી સમજીએ કે કોરોના સર્વાઇવર શું અનુભવે છે?
પહેલો કેસ: હું શું ખાઉં છું મને ખબર જ નથી પડતી

અમેરિકાના ઉટાહમાં રહેનાર 23 વર્ષીય મેટ નેવેનો માર્ચમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે થોડા સમયમાં સાજો થઇ ગયો. ઉધરસ તો મટી ગઈ પરંતુ સ્વાદ અને ગંધ ફીલ ન થવાના લક્ષણ યથાવત રહ્યા.
મેટનું કહેવું છે કે એપ્રિલમાં મરહૂમ દાદીનો રૂમ સાફ કરતી વખતે પરફ્યુમની એક બોટલ મળી. મને એમના પરફ્યુમનું સુગંધ ગમતી હતી માટે મેં તે બોટલ ખોલી અને સૂંઘી પણ મને કોઈ જ સુગંધની ખબર ન પડી. ખાવામાં પણ એવું જ થઇ રહ્યું છે. શું ખાઈ રહ્યો છું, કઈ ખબર જ નથી પડતી.
કોઈવાર બ્રેકફાસ્ટ અને લંચ કરવામાં કલાક થઇ જાય છે. ગયા મહિને જ ઘરમાં બહેને પેનકેક બનાવી હતી પણ તે બળી ગઈ અને મને ખબર પણ ન પડી કારણકે મને બળવાની ગંધની ખબર જ ન પડી.
બીજો કેસ: માર્ચથી અત્યારસુધી જમવાનો સ્વાદ નથી આવતો
મિશિગનમાં રહેનાર 62 વર્ષીય ડેન લેર્ગનું કહેવું છે કે કોરોનાથી રિકવર થયા પછી આજ સુધી ભોજનના સ્વાદની સમજણ જ નથી પડતી. માર્ચ પછી આવું સતત થઇ રહ્યું છે. એક દિવસ મારી પત્નીએ પિત્ઝા ઓર્ડર કર્યો, જ્યારે મેં પિત્ઝા ખાધા ત્યારે મને એવું લાગ્યું કે જાણે હું કોઈ કાર્ડબોર્ડનો ટુકડો ખાઈ રહ્યો છું.

અમેરિકી તજજ્ઞોએ સીડીસીને સજેશન આપ્યું હતું
માર્ચમાં અમેરિકન એકેડમી ઓફ ઓટોલેરંગોલોજીએ અહીંયાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સીડીસીને આ જ લક્ષણોથી કોરોના સંક્રમિતોની ઓળખ કરવા માટે સજેશન આપ્યું હતું. એકેડમીએ સીડીસીને સ્વાદ અને ગંધની ખબર ન પડવાના લક્ષણોને ગાઈડલાઇનમાં સામેલ કરવા માટે કહ્યું હતું. 23 માર્ચે WHOના ટેક્નિકલ હેડ મારિયા વેનનું કહેવું હતું કે અમે આવા લક્ષણોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે અમારી પાસે કોઈ જવાબ નથી.

આવા લક્ષણો દેખાય તો સાવધ થઇ જાઓ
અમેરિકન એકેડમી ઓફ ઓટોલેરંગોલોજીના સીઈઓ ડોક્ટર જેમ્સ ડેનીનું કહેવું છે કે, કોરોનાથી સંક્રમિત થયેલ ઘણા લોકોમાં આ લક્ષણ દેખાયા છે, જ્યારે અમુક દર્દીઓમાં આ લક્ષણો દેખાયા નથી.
જો આવા લક્ષણ દેખાય તો તમારે સાવધ થવાની જરૂર છે, નહીં તો તમારા મારફતે કોરોના વાઇરસ બીજા લોકો સુધી પહોંચશે. ડોક્ટર્સનું કહેવું છે કે આવા સર્વાઇવર્સને ગંધ અને સ્વાદના અનુભવમાં અલગ-અલગ સમય એકદમ નવા અનુભવ થઇ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eYXYeA
No comments:
Post a Comment