
from India Today | Top Stories https://ift.tt/3cwpIW6
લૉકડાઉનના કારણે લોકોનો ઓન સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દેશમાં રેલવેસેવા શરૂ થવાની વાત હોય કે હવાઈસેવા, અનેક મહત્ત્વની માહિતી દેશને ટિ્વટર દ્વારા જ મળી હતી. કોવિડ-19 દરમિયાન ટિ્વટરમાં નવા ફીચર ઉમેરવા, હેટસ્પીચ, ટ્રોલ વગેરે સાથે જોડાયેલા મુદ્દાઓ પર દૈનિક ભાસ્કરે ટિ્વટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરી અને ડિરેક્ટર પબ્લિક પોલિસી ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયા મહિમા કૌલ સાથે વાત કરી. જુઓ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશ.
સવાલ: શું તમે કોવિડ-19 દરમિયાન ટિ્વટર પર વાતચીતમાં કોઈ ફેરફાર જોયો?
જવાબ: ગ્લોબલી અમારા ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 24%થી વધીને 16.6 કરોડ થઈ ગઈ છે. જે સિઝનલ મજબૂતી, કોવિડ-19 રોગચાળા સાથે સંબંધિત વાતચીતના કારણે છે. છેલ્લા ત્રિમાસિકગાળા પછી 1.4 કરોડ સરેરાશ ડેઈલી એક્ટિવ યુઝર્સ જોડાયા છે.
સવાલ: કોવિડ-19 અંગે ભ્રામક માહિતી આપનારા સામે કયાં પગલાં લીધાં?
જવાબ: અમે નિયમિત રીતે આરોગ્ય અધિકારી, રિસર્ચર્સ, એનજીઓ અને સરકાર સાથે કામ કરી રહ્યા છીએ. અમે એવી સામગ્રી કે કન્ટેન્ટ પર પ્રભાવશાળી કાર્યવાહી કરી રહ્યા છીએ જે અમારા ટિ્વટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે. જેમાં અમાનવીય ભાષાનો પણ સમાવેશ થાય છે.
સવાલ: છેલ્લા બે મહિનામાં ભ્રામક માહિતી આપતી કેટલી પોસ્ટ્સ અને ટિ્વટ દૂર કર્યા?
જવાબ: 18 માર્ચના રોજ અમે ગ્લોબલી અપડેટ પોલિસી લાગુ કરી છે. જેના અંતર્ગત 2400 ટિ્વટસ દૂર કરી ચૂક્યા છીએ. અમારી ઓટોમેટિડ સિસ્ટમ્સે 34 લાખથી વધુ કોવિડ-19ને પ્રભાવત કરતા એકાઉન્ટ્સને ચેલેન્જ કર્યા છે.
સવાલ: ટ્રોલિંગ અંગે ટિ્વટરનું શું કહેવું છે?
જવાબ: ટિ્વટરની એ તાકાત છે કે અમે એક ઓપન, સાર્વજનિક અને વાસ્તવિક સમય આધારિત સેવા આપીએ છીએ. નિયમોનું ઉલ્લંઘન કરનારાં એકાઉન્ટ્સની ઓળખ કરીને કાર્યવાહી કરીએ છીએ. તેમના સ્રોત શોધીને તેમને પણ બ્લોક કરીએ છીએ.
સવાલ: કોવિડ-19 અંગે વિશ્વસનીય માહિતી આપવા માટે ટિ્વટરે નવું ફીચર ઉમેર્યું છે?
જવાબ: ટિ્વટરે ત્રણ નવી શરૂઆત કરી છે. અમે ‘કોરોનાવાઈરસ ટિ્વટ્સ ફ્રોમ ઈન્ડિયન ઓથોરિટીસ’ નામનું એક અલગ ઈન્ડિયા ઓનલી ઈવેન્ટ્સ પેજ શરૂ કરી રહ્યા છીએ. જેમાં આઈએફસીએન પ્રમાણિત નેટવર્ક તરફથી લેટેસ્ટ ફેક્ટ અને સત્યાપિત કોવિડ-19 કન્ટેન્ટ હશે. સાથે જ રાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ અને ડબ્લ્યુએચઓથી પ્રાપ્ત કન્ટેન્ટ માટે કોવિડ-19 સર્ચ પ્રોમ્ટની શરૂઆત કરી છે.
સવાલ: કેન્દ્ર-રાજ્ય સરકાર સાથે ટિ્વટર કેવી રીતે કામ કરી રહ્યું છે?
જવાબ: અમે કોવિડ રિસ્પોન્સ મેનેજમેન્ટ પર વિવિધ વિભાગો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, વિવિધ રાજ્ય સરકારો સાથે કામ કરી રહ્યા છીએ. અલગ કોવિડ-રિસ્પોન્સ એકાઉન્ટ બનાવવા કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સરકારને પણ સહયોગ આપ્યો છે. સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું એક અલગ એકાઉન્ટ ‘@કોવિડઈન્ડિયાસેવા’ પણ શરૂ કર્યું છે, જેમાં કોવિડ-19ની તમામ લેટેસ્ટ અપડેટ અને સેવાઓ ઉપલબ્ધ છે.
હેટ સ્પીચ રોકવા અમારી પોલિસી મજબૂત છે
ટિ્વટર પર સાર્વજનિક વાતચીત માટે સેવા આપવી અમારું એકમાત્ર મિશન છે. હેટ સ્પીચ પર અમારી પોલિસી ખૂબ જ મજબૂત છે. આજે લોકોના રિપોર્ટ પહેલાં જ આવા 50% કેસો પર અમે કાર્યવાહી કરીએ છીએ.
લગ્નના 7 વર્ષ પછી પણ પારણું ન બંધાતા દુબઈમાં રહેતી ગુજરાતી મહિલાએ સરોગસીનો રસ્તો અપનાવ્યો. આણંદમાં કૂખ ભાડે આપનારી મહિલાએ 7 મેએ બાળકીને જન્મ આપ્યો. પરંતુ ફ્લાઈટો રદ હોવાથી માતા દુબઈથી આવી ન શકી. અંતે ‘વંદે ભારત મિશન’ હેઠળ રવિવારે અમદાવાદ આવી અને આણંદ ગઈ. નિયમ મુજબ 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડે તેમ હોવાથી 38 દિવસ પછી દીકરીનું મોં જોઈ શકશે.
અમદાવાદ,02 જુન 2020 મંગળવાર
અરબી સમુદ્રમાં સર્જાઇ રહેલા 'નિસર્ગ' વાવાઝોડા મામલે ગુજરાત માટે આંશિક રાહતના સમાચાર છે. આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય તેની સંભાવના નહિવત્ થઇ ગઇ છે. અલબત્ત, આ વાવાઝોડાની ઘાત ટળી છે પણ સાવચેતી હજુ પણ જરૂરી છે. કેમકે, આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં સુરત-વલસાડ-નવસારી-ડાંગ-તાપી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'પૂર્વમધ્ય અરેબિયન સમુદ્ર પર સર્જાયેલા સાયક્લોનિક સ્ટ્રોમ નિસર્ગે હવે છેલ્લા 6 કલાકથી 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ ગતિ કરેલી છે. તે મંગળવારે સાંજ સુધીમાં પણજીના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમથી 380 કિલોમીટર, મુંબઇના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી 380 કિલોમીટર જ્યારે સુરતના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી 600 કિલોમીટર દૂર છે. આગામી 12 કલાક દરમિયાન તે સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ (અતિ તીવ્ર ચક્રાવાત)માં તબ્દીલ થઇને ઉત્તર તરફ ગતિ કરી શખે છે. તે ઉત્તર મહારાષ્ટ્ર અને તેને સંલગ્ન દક્ષિણ ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચેથી પસાર થઇ શકે છે. જે મહારાષ્ટ્રના અલીબાગથી નજીક છે.
તે 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 જૂનના સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇ શકે છે. ' આમ, આ વાવાઝોડું 3 જૂને બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના છે. વાવાઝોડાના પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક છે. છેલ્લા 6 કલાકમાં તીવ્ર થયેલું આ વાવાઝોડું સુરતથી 670 કિલોમીટર દૂર છે. સાયક્લોનિક અસરને પગલે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ નોંધાયો છે. જે જિલ્લાઓમાં મંગળવારે હળવોથી મધ્યમ વરસાદ પડયો છે તેમાં સુરત-અમરેલી-ભાવનગર-તાપી જિલ્લાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
અમદાવાદમાં 40 કિ.મી. પ્રતિ કલાકે પવન સાથે વરસાદ પડી શકે છે
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં બુધવારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે.
કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
3 જૂન: વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી.
4 જૂન: સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ.
5 જૂન: નર્મદા, ડાંગ, તાપી.
કયા જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા?
3 જૂનઃખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ.
4 જૂન:જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, દીવ.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ક્વિન્સમાં સોમવારે અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પછી હિંસક દેખાવો ચાલુ થયા. દેખાવોના પગલે ટ્રમ્પને બંકરમાં જવું પડ્યું. દેખાવકારોની માંગને પગલે પોલીસકર્મીઓ ઘૂંટણિયે પડીને જાણે માફી માંગતા હતા. બાદમાં પોલીસે દેખાવકારોને શાંતિથી દેખાવો કરવાની અપીલ કરીને હિંસાનો સહારો નહીં લેવાનું કહ્યું હતું.
હિંસક દેખાવો અમેરિકાના 40 રાજ્યોમાં ફેલાયા
કોરોના મહામારીથી ઘેરાયેલું અમેરિકા હવે વંશીય હિંસા વિરુદ્ધ થઈ રહેલા હિંસક આંદોલનોની લપેટમાં છે. અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડનું શ્વેત પોલીસ અધિકારીની કસ્ટડીમાં મૃત્યુ થયું એ પછી આ મામલો તંગ છે. અહીં લાખો લોકો રસ્તા પર ઉતરીને અમેરિકન પોલીસની કાર્યવાહીનો હિંસક વિરોધ કરી રહ્યા છે. અહીંના 50માંથી 40 રાજ્યના 140 શહેરમાં આ હિંસક આંદોલન ફેલાઈ ગયું છે. વૉશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં તો કર્ફ્યૂ જાહેર કરવો પડ્યો છે. અત્યાર સુધી 4,100થી વધુ દેખાવકારોની પણ ધરપકડ કરાઈ છે. આ દરમિયાન 51 સિક્રેટ સર્વિસ એજન્ટ પણ ઈજાગ્રસ્ત થયા છે. એકલા શિકાગોમાં ત્રણ દિવસથી 16ના મૃત્યુ થયા છે. આ આંદોલનને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા વખતે વર્ષ 1968માં થયેલા અભૂતપૂર્વ દેખાવો સાથે સરખાવાઈ રહ્યું છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોઈડના પરિવાર સાથે વાત કરી ચૂક્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો પ્રમાણે, શુક્રવારે સાંજે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શનના કરાણે ટ્રમ્પને થોડો સમય અન્ડરગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા. રવિવારે રાત્રે દેખાવકારોએ વ્હાઈટ હાઉસ સામે 200 વર્ષ જૂના સેંટ જોન્સ ચર્ચને પણ આગચંપી કરી. 1816માં બનેલા આ ચર્ચમાં તમામ અમેરિકન પ્રમુખ અનેક મુલાકાત લઈ ચૂક્યા છે.
વૉશિંગ્ટનમાં ઠેર ઠેર વાહનોને આગચંપી
અમેરિકામાં અશ્વેત યુવકના મૃત્યુ પછી દેખાવકારોઓએ વૉશિંગ્ટન સહિતના શહેરોમાં ઠેર ઠેર આગચંપી કરી હતી. ફ્લોઈડને ન્યાય અપાવવા અમેરિકા જ નહીં, કેનેડા અને યુરોપના દેશોમાં પણ પ્રદર્શનો થયા છે.
ભારતીય મૂળના ટેક્નોક્રેટ નદેલા, સુંદર પિચાઈ અને ટિમ કૂક પણ વંશીય સમાનતાની તરફેણ
અમેરિકાની અગ્રણી કંપનીઓના ટેક્નોક્રેટોએ પણ આફ્રિકન અમેરિકન સમાજ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલાએ કહ્યું છે કે, ‘રોજ રંગભેદ, ભેદભાવ અને ઘૃણાના સમાચારો આવે છે. અમને આ બધા જ માટે સહાનુભૂતિ છે.’ એપલના સીઈઓ ટિમ કૂકે પણ કહ્યું છે કે, ‘અહીં સાથે રહેવા આપણે એકબીજા સાથે ઊભા રહેવું પડશે.’ એવી જ રીતે, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વિટ કરી છે કે, ‘યુએસ ગૂગલ અને યુ ટ્યૂબના હોમ પેજ પર અમે અશ્વેત લોકો સાથે એકજૂટતા દર્શાવી છે. જે લોકો દુ:ખ મહેસૂસ કરી રહ્યા છે, તેઓ એકલા નથી.’
15 રાજ્યમાં 5 હજાર નેશનલ ગાર્ડ્સ તહેનાતટ્રમ્પે કહ્યું- અરાજકતા માટે ડાબેરીઓ જવાબદાર
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હિંસા માટે ડાબેરી જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે, ‘હિંસાખોરોએ સામાન્ય લોકોને ડરાવી દીધા છે. તેઓ ઉદ્યોગગૃહોની સંપત્તિને સતત નુકસાન પહોંચાડી રહ્યા છે. આગચંપી કરીને દેશની સંપત્તિને નુકસાન કરી હ્યા છે. જ્યોર્જ ફ્લોઈડની યાદોને ઉપદ્રવીઓ અને લૂંટારુઓએ બદનામ કરી છે.’ આ દરમિયાન વ્હાઈટ હાઉસે પોતાના કર્મચારીઓને એક મેઈલ કરીને કહ્યું છે કે, તમારા એન્ટ્રી પાસ છુપાવીને રાખજો, તમે ક્યાંક દેખાવકારોઓના શિકાર ના થઈ જાઓ અને કોઈ પાસ છીનવી ના લે. વૉશિંગ્ટન સહિત 15 રાજ્યમાં 5 હજાર નેશનલ ગાર્ડ્સ તહેનાત કરાયા છે.
કેરળમાં સોમવારે નિર્ધારીત સમયપત્રક અનુસાર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. સોમવારે કેરળના વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. 8 જુલાઇ સુધીમાં દેશભરમાં ચોમાસુ બેસી જવાની આગાહી છે. જ્યારે 26 જૂન સુધીમાં અમદાવાદમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન વિભાગના નિષ્ણાતોએ કહ્યું કે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે એવી શક્યતા 41 ટકા છે જ્યારે ચોમાસુ નબળું રહેવાની શક્યતા માત્ર 5 ટકા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસામાં દેશભરમાં 102 ટકા વરસાદ રહેશે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં 107%વરસાદના સંકેત
ઉત્તર પશ્ચિમ ભારતમાં 107 ટકા વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે મધ્ય ભારતમાં 103 ટકા, દક્ષિણ ભારતમાં 102 ટકા અને પૂર્વોત્તર ભારતમાં 96 ટકા વરસાદની આગાહી છે. ડૉ.મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાતાવરણની સ્થિતિ ચોમાસા માટે અનુકૂળ છે.
8 જુલાઇ સુધી ચોમાસુ દેશભરમાં બેસશે
શહેર | આગમન | વિદાય |
ભોપાલ | 20 જૂન | 3 ઓક્ટોબર |
જબલપુર | 19 જૂન | 5 ઓક્ટોબર |
જયપુર | 29 જૂન | 23 સપ્ટેમ્બર |
ઉદયપુર | 25 જૂન | 25 સપ્ટેમ્બર |
અમદાવાદ | 26 જૂન | 28 સપ્ટેમ્બર |
મુંબઈ | 11 જૂન | 8 ઓક્ટોબર |
પૂણે | 10 જૂન | 9 ઓક્ટોબર |
અમેરિકી કંપની ગિલિયાડની દવા રેમડેસિવિરનો ભારતમાં કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવા મંજૂરી અપાઇ છે. કંપની હવે ભારતમાં આ દવા બનાવીને વેચી શકે છે. અગાઉ આ દવાને સ્થાનિક સ્તરે ક્લિનિકલ ટ્રાયલથી પણ છૂટ અપાઇ હતી. બીજી તરફ કોરોનાના દર્દીઓને હાલ અપાતા એચસીક્યુ અને એજિથ્રોમાઇસિનના કોમ્બિનેશનની પણ સમીક્ષા કરાઇ રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને ભારતમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
જગતજનની મા અંબાનું ધામ અંબાજી મંદિર 8મીથી ખૂલશે. જોકે કોરોના સંક્રમણની અસરના પગલે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક તકેદારીના પગલા લેવાયા છે. દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે “સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. એ મુજબ દર્શન કરવા આવનાર માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ કે અંબિકા ભોજનાલયમાં અપાતુ ભોજન પ્રસાદ પણ ભક્તોને નહીં અપાય.
માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે
આ ઉપરાંત આરતી દરમિયાન માઈ ભક્તોને પ્રવેશ નહીં અપાય. મંદિરના ગર્ભગૃહમાં 20 દર્શનાર્થીઓ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ દરવાજા બંધ કરીને એક માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે. મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને તેના પગરખા પર્સ બેલ્ટ ઇત્યાદિ વસ્તુ થેલીમાં પેક કરીને લગેજ રૂમમા આપવાની રહેશે. આવનાર ભક્તની શક્તિદ્વાર પાસે તૈનાત મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. ઉપરાંત દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં જવા દેવાશે.”
ગુજરાતમાં અનલૉક-1 ના પ્રથમ દિવસે લિકર શોપ્સ ખૂલતા લિકર પ્રેમીઓએ લાઈનો લગાવી હતી. રાજ્યની 65 જેટલી લિકર પરમિટ શોપ પર લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદ ની 18 લિકર શોપમાં આશરે 1 કરોડનો દારૂ વેચાયો હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું. ભર ઉનાળે લોકો પોતાની મનગમતી બ્રાન્ડ લેવા પહોંચી ગયા હતા. જો કે બે મહિનાથી સ્ટોક કર્યો ન હોઈ લોકો જે મળ્યું હોય તે લઈ ગયા હતાં. લોકોએ ખાસ કરીને બીયર માટે ભારે ડિમાન્ડ કરી હતી. જેથી કેટલીક જગ્યાએ બીયર સ્ટોક ખાલી થઈ ગયો હતો. મોટાભાગની લિકર શોપ દ્વારા ટોકન સિસ્ટમ પાળવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું હતું. હોટલો એ ગ્રાહકો માટે એસી હોલમાં બેસવાની વ્યવસ્થા કરી હતી. ગુજરાતમાં હાલમાં આશરે 65 જેટલી લિકર શોપ છે જેનું 26 જિલ્લા પ્રોહિબિશન ઓફિસ દ્વારા સંચાલન થાય છે. રાજ્યમાં હાલમાં 27000 પરમિટ હોલ્ડાર છે જેમાંથી 17000 અમદાવાદમાં છે.
એક લિકર શોપમાં બીયર ન મળતા બીજે જઈને લેવી પડી
પ્રથમ દિવસના અનુભવ વિશે અમદાવાદમાં હેલ્થ લિકર પરમિટ હોલ્ડર હોમિયાર વકીલે જણાવ્યું હતું કે, મને એક લિકર શોપમાં બીયર ન મળતા મારે બીજે જઈને લેવી પડી હતી. મારી ગમતી બ્રાન્ડના સ્કોચની એક જ બોટલ મને મળી હતી. હું જે શોપમાં ગયો હતો ત્યાં 91 નંબરનો ટોકન પડ્યો હતો. હકીકતમાં સરકારે લિકર શોપ બંધ કરવી જોઈતી ન હતી કેમ કે અહીં ભીડ થાય તેવી શક્યતા જ ન હતી.
ટોકન સિસ્ટમ રાખી હતી અને ગ્રાહકોને હોલમાં બેસાડ્યા
લિકર શોપ ઓનર નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, બપોર સુધી પ્રોહિબિશન ખાતાએ સ્ટોક લીધો હતો. ત્યાર બાદ લોકોને વેચાણ ચાલુ કરવામાં આવ્યું હતું. બપોરે 1 થી 7 દરમિયાન અમારી શોપ પર આશરે 4 લાખનું વેચાણ થયું હતું. અમે ટોકન સિસ્ટમ રાખી હતી અને ગ્રાહકોને હોલમાં બેસાડ્યા હતા જેથી લાઈનો ન લાગે. ગુજરાતના ડાયરેકટર ઓફ પ્રોહીબિશન સુનિલ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યની લિકર શોપ કેન્દ્ર સરકારના નિયમોને આધીન ખોલવામાં આવી છે.
એક્સપાયરી ડેટથી બીયરમાં એક યુનિટનું રેશનિંગ
હાલમાં ઉનાળાની સીઝન હોય બીયરની ખૂબ ડિમાન્ડ છે. લોકોએ જેટલો મળે એટલો બીયર ખરીદવાનું શરૂ કરતાં કેટલીક દુકાનોમાં એક જ યુનિટ બીયર (૬.૫ લિટર) આપવામાં આવ્યો હતો. તો કેટલીક શોપસ માં બીયર ખાલી થઈ જતાં લોકોએ બીજી શોપ પર દોટ લગાવી હતી. બીયરમાં એકપાયરી ડેટ હોઈ કેટલીય શોપમાં બીયર ની બોટલો નકામી થઈ ગઈ હતી. પરિણામે તેની તંગી ઊભી થઈ હતી. હોટલો ને તેનું નુકશાન પણ ગયું હતું.
પરમિટમાં બે મહિના ઉમેરી આપો તેવી માગણી
પરમિટ ધારકોએ ભાસ્કરને જણાવ્યું હતું કે, સરકારે પરમિટની પૂરી ફી લીધી હોવાથી બે મહિના જેટલો લૉક ડાઉન નો સમય ઉમેરી આપવો જોઈએ. જો તેમ ન કરે તો એપ્રિલ અને મે ના લેપ્સ થયેલા યુનિટ સ્ટોક જૂનમાં લેવાની મંજૂરી આપો.
ડિસેમ્બર, 2019માં ડેટા પ્રાઇસ 30% સુધી વધારી ચૂકેલી ટેલિકોમ કંપનીઓ ડેટા હજુ વધારે મોંઘો કરવા માગે છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સીઓએઆઇનો દાવો છે કે કંપનીઓને હજુ પણ ખોટ જઇ રહી છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના રિપોર્ટ મુજબ કંપનીઓ ઇચ્છે છે કે હાલ 1 જીબી ડેટાનો મહત્તમ રેટ 4 રૂ. છે, જે 35 રૂ. થવો જોઇએ. એટલે કે અંદાજે 775%નો વધારો. રિપોર્ટમાં દરેક સુવિધાનો એક ચોક્કસ લઘુતમ દર (ફ્લોર પ્રાઇસ) ફિક્સ કરવા અને વધારવા જણાવાયું છે. નવું સિમ ખરીદવા પર સબસ્ક્રીપ્શન ચાર્જ, મિનિમમ ફિક્સ વોઇસ કૉલ ચાર્જ, ફ્રી ઍપ્સની સુવિધા બંધ કરવા જેવી માગ પણ કરાઇ છે.
ટેલિકોમ ઓપરેટર્સે રેટ વધારવા કોઇની મંજૂરીની જરૂર નથી
ટેલિકોમ કંપનીઓ ઇચ્છે છે કે ચાર્જિસ ટ્રાઇ વધારે, જેથી કંપનીઓ વચ્ચે હરીફાઇથી નુકસાન ન થાય. રિપોર્ટ મુજબ, 1 જીબી ડેટાની રિલાયન્સ જિયો 20 રૂ., ભારતી એરટેલ 30 રૂ. અને વોડાફોન આઇડિયા લિ. 35 રૂ. મિનિમમ પ્રાઇસ રાખવા માગે છે. હાલ 1 જીબી ડેટાનો મહત્તમ રેટ 4 રૂ. છે. ટ્રાઇના સેક્રેટરી સુનીલ ગુપ્તાએ ભાસ્કરને જણાવ્યું કે ટેલિકોમ ઓપરેટર્સે રેટ વધારવા કોઇની મંજૂરીની જરૂર નથી. એ અલગ વાત છે કે તેઓ રેટ વધારે તો તેમણે હરીફાઇનો સામનો કરવો પડે.
ટ્રાઇ રેટ વધારવાનો નિર્ણય નહીં કરે તો કંપનીઓ પેકની વેલિડિટી ઘટાડી શકે છે
ફાયદો: આનાથી સ્પીડ વધુ સારી થશે
અત્યાર સુધી કંપનીઓ પરસ્પર હરીફાઇના કારણે ટેરિફ વધારી શકતી નહોતી. પ્રસ્તાવિત ફ્લોર પ્રાઇસ 5 ગણી વધારી દેવાય તો સર્વિસમાં પણ સુધારો થશે, કેમ કે લોકો જરૂરિયાત પ્રમાણે ડેટાનો યુઝ કરશે, જેથી વધુ સારી ડેટા સ્પીડ મળશે.
દેશમાં લૉકડાઉન ખૂલવાની શરૂઆત સાથે જ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ડરાવનારી માહિતી આપી છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં કોરોના વાઈરસનો સામુદાયિક સ્તરે ચેપ ફેલાયો હોવાની પુષ્ટી થઈ ચૂકી છે. જોકે સરકાર વારંવાર કહી રહી છે કે દેશમાં કોરોનાનો ચેપ સામુદાયિક સ્તરે ફેલાયો નથી.
વડાપ્રધાન મોદીનેરિપોર્ટ સોંપાયો
ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન, ઈન્ડિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન અને ઈન્ડિયન એસોસિયેશન ઓફ એપિડેમિયોલોજિસ્ટના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક રિપોર્ટ વડાપ્રધાન મોદીને સોંપાયો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટૂંકસમયમાં પિતા બનવાનો છે. તેણે આ સારા સમાચાર ફેન્સ સાથે સોશિયલ મીડિયા થકી શેર કર્યા હતા. હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિચની બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી.
જીવનના આ નવા તબક્કા માટે ઉત્તાહિત છીએ
હાર્દિકે લખ્યું કે,‘નતાશાએ અને મેં અત્યારસુધી જીવનને સારી રીતે પસાર કર્યું અને હવે તેને વધુ ખુશહાલ બનાવવા જઈ રહ્યાં છીએ. અમે ટૂંકસમયમાં નવા મહેમાનનું સ્વાગત કરવા જઈ રહ્યાં છીએ. અમે જીવનના આ નવા તબક્કા માટે ઉત્તાહિત છીએ અને તમામ લોકોના આશીર્વાદ ઈચ્છીએ છીએ.’ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ નતાસા સાથે સગાઈની 1 જાન્યુઆરી 2020ના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થકી જાહેરાત કરી હતી. એવી પણ ચર્ચા છે કે, હાર્દિકે-નતાશા સાથે લગ્ન પણ કરી લીધા છે.
‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે.? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રે કર્યા. વીડિયો કોલિંગ દ્વારા નિહાળ્યા, દુ;ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના.
પુત્ર અને પુત્રવધુ બંને મેડિકલ ક્ષેત્રમાં
‘કોરોના’ શબ્દે કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે, પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઊભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતાં ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58માં વર્ષમાં પ્રવેશી ચુક્યાં છે.પુત્ર અને પુત્રવધુ બંને મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા છે.
આ કોરોનાને જવા દો, અત્યારે સેવા કરવાનો સમય છે
ઉર્મિલાબેનના પતિ નિવૃત્ત હતા, છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબેનને કહેતા રહેતા કે, આપણે હવે પૈસાની ક્યાં જરૂર છે, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે. એક વખત તો ઉર્મિલાબેનને પણ વિચાર આવ્યો કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લઉં, પણ એવા સમયે જ ‘કોરોના’ની એન્ટ્રી થઈ. ઉર્મિલાબેને ખુબ સાહજિકતાથી પતિ સુરેશભાઈને કીધુ કે, ‘આ કોરોનાને જવા દો, અત્યારે સેવા કરવાનો સમય છે, મારું મન કહે છે કે અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવી જોઈએ’, અને ઉર્મિલાબેને નોકરી ચાલુ રાખી.
પોઝિટિવિટી ન છોડી
ઉર્મિલાબેનની તબિયત બગડતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. પોઝિટિવ આવ્યો. જ્યાં દર્દીઓની સેવા કરતાં હતાં ત્યાં જ દાખલ થવાનો વારો આવ્યો. થોડા દિવસ પછી પતિ સુરેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા, તે પણ તે જ વોર્ડમાં દાખલ થયા, પુત્ર અને પુત્રવધૂ એ બંને પણ પોઝિટિવ જણાતા હોમ ક્વોરન્ટીન થયાં. ક્રમશ: આખું પરિવાર કોરોના પોઝિટિવ થયું, પણ એમણે ‘પોઝિટિવિટી’ન છોડી.
મારી ઈચ્છા છે કે મારે આખી પતિની અંતિમવિધિ જોવી છે
એવામાં ઉર્મિલાબેનના પતિ સુરેશભાઈનું અવસાન થયું, અંતિમ સંસ્કાર કોણ કરે? આખું ઘર ‘કોરોના’ની ઝપટમાં હતું. ઉર્મિલાબેને હોસ્પિટલના એસઆઈ જૈમિનભાઈને વાત કરી કે તમે મારા પતિના અંતિમ સંસ્કાર કરો,પણ મારી ઈચ્છા છે કે મારે આખી અંતિમવિધિ જોવી છે. જૈમિનભાઈ અને અન્ય પાંચ સેવાનિષ્ઠ મિત્રોએ આખી વાત ઉપાડી લીધી અને સુરેશભાઈના અંતિમ સંસ્કાર થયા.
અણીના સમયે મેદાન છોડી દઉં એ સારું ન કહેવાય
ઉર્મિલાબેન કહે છે કે, ‘મારા પતિની બહુ ઈચ્છા હતી કે, હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લઉં, પણ મારું મન ના માન્યું. મને સતત થયા કરતું કે આખી જિંદગી દર્દીઓની સેવામાં કાઢી છે અને અણીના સમયે મેદાન છોડી દઉં એ સારું ન કહેવાય. મારા પતિની સ્વૈચ્છિક નિવૃત્તિની ઈચ્છા હું તેમના જીવતા જીવે ન પૂરી કરી શકી તેનું દુ:ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ નથી કેમ કે, મેં છેક સુધી દર્દીઓની સેવા કરી છે,અને આગામી દિવસોમાં પણ દર્દીઓની સેવા કરતી રહીશ’.
રાજકોટનું 23 મહિનાનો વેદ ઝીંઝુવાડિયા મગજમાં ગાંઠ બાદ કોમામાં સરી પડ્યો. દુ:ખના પહાડ તળે પણ તેના માતા-પિતાએ દીકરાની બન્ને કિડની ડૉનેટ કરવાનો નિર્ણય લીધો. એક લાડકો છીનવાયો, બીજો જીવી ગયો...
વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયાનું બ્રેઈન ડેડ થયા બાદ તેની બન્ને કિડનીઓનું રવિવારે દાન કરાયું હતું. ત્યારે તેનો ફૂલ સાથે રમતો હોય તેવી તસવીર દિવ્ય ભાસ્કરે રાજકોટની અલગ-અલગ 10 મહિલા કે જેઓ માતા પણ છે તેમને મોકલી હતી અને પૂછ્યું હતું કે, આ બાળક કેવું લાગે છે? ત્યારે ખૂબસુંદર લખાણ મહિલાઓએ મોકલ્યું હતું. બાદમાં જ્યારે તેમને જણાવાયું કે, આ બાળક હવે દુનિયામાં નથી ત્યારે જે વેદનાઓ અને બાળક વિશે લખીને મોકલ્યું તે વાંચીને ગમે તેની આંખોમાંથી આંસુ છલકી આવે. તેમાંથી ડો. નિરજા ચૌહાણે કાવ્યપંક્તિ સ્વરૂપે જે લખીને મોકલ્યું તે અહીં રજૂ કરાયું છે.
‘હું દુનિયામાં આવ્યો હતો, જીવનની વ્યથાઓમાં જ સમાઈ ગયો, પણ મારું લઘુ જીવન થયું સાકાર જીતી ગયો, હું મૃત્યુથી કોઈ અન્યનું જીવન બચાવી ગયો.’
વેદ હવે અનુજમાં જીવશે
અમદાવાદ રહેતા 15 વર્ષના અનુજને જન્મથી જ કિડનીની ખામી હતી. વેદની કિડની મળતા હવે તેને ડાયાલિસિસનું દર્દ નહીં સહન કરવું પડે. વેદ અનુજમાં જીવી જતાં અનુજના પરિવારે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો છે.