કોરોના વાઈરસના સંક્રમણના કારણે બુધવારે દેશમાં 210 દર્દીના મોત થઈ ગયા. 24 કલાકમાં થયેલા મોતની સંખ્યાનો આ સૌથી મોટો આંકડો છે. તેમાં 65 મોત મહારાષ્ટ્ર અને 30 ગુજરાતમાં થયા છે. બુધવારે દેશમાં 5,092 નવા સંક્રમિત પણ મળ્યા. દેશમાં હવે કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 1,10,590 થઈ ગયો છે. તેમાંથી 3,355 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 44,757 દર્દી સાજા થઈ શક્યા છે. મહારાષ્ટ્રમાં નવા 1,372 સંક્રમિતો અને 41 નવા મોત મુંબઈમાં નોંધાયા
દેશમાં સૌથી વધુ 2,250 નવા દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં કુલ 32,297 સંક્રમિત મળી ચૂક્યા છે. દેશમાં થયેલા કુલ મોતમાં 1,390 એકલા મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં નવા 1,372 સંક્રમિતો અને 41 નવા મોત મુંબઈમાં નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધી 23,935 સંક્રમિત મળ્યા છે, જેમાંથી 841ના મોત થઈ ચૂક્યા છે. સંક્રમિતોની દૃષ્ટિએ જોઈએ તો બીજા રાજ્ય તમિલનાડુમાં 743 નવા સંક્રમિત મળ્યા છે. અહીં કુલ દર્દીનો આંકડો 13,191 સુધી પહોંચી ગયો છે. અહીં નવા દર્દીઓમાંથી 83 મહારાષ્ટ્રથી પરત આવ્યા હતા. 3 દર્દીના મોત સાથે તમિલનાડુમાં મૃતકઆંક 87 થઈ ગયો છે. તેના સિવાય દિલ્હીમાં 534, મધ્ય પ્રદેશમાં 270, રાજસ્થાનમાં 195, પ. બંગાળમાં 142, બિહારમાં 112 અને ઓડિશામાં 74 નવા દર્દી મળ્યા છે.
જોનસન એન્ડ જોનસને અમેરિકા, કેનેડામાં બેબી પાઉડરનું વેચાણ રોકવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદનોમાં એસ્બેસ્ટોસની ભેળસેળને લઈને 16 હજાર કેસ દાખલ થયા પછી કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીના નિવેદન પ્રમાણે, પાઉડર કેટલો સુરક્ષિત છે તે અંગે ખોટા સમાચારોને પગલે અમેરિકામાં તેની માંગ ઘટી છે.
કોરોના મહામારીની દેશભરમાં રિયલ એસ્ટેટ સેક્ટર પર અસર થઇ છે. જોકે, મેજિકબ્રિક્સ કોવિડ-19 પ્રોપર્ટી બાયર્સ સેન્ટિમેન્ટ સરવે મુજબ બેંગ્લુરુ અને પૂણેના રિયલ એસ્ટેટ માર્કેટ્સના હોમ બાયર્સના સેન્ટિમેન્ટ પર કોરોના મહામારીની બહુ ઓછી અસર થશે. સરવેના તારણો મુજબ, કોરોના મહામારીની ટિઅર-1 શહેરોમાં બાઇંગ ઇન્ટેન્ટ પર હંગામી ધોરણે 80%થી વધુ અસર થઇ છે. અલબત્ત, બેંગ્લુરુ અને પૂણેના હોમ બાયર્સે કોરોના મહામારી બાદ મકાન ખરીદવાનો ઇન્ટેન્શન જાળવી રાખ્યો છે. લૉકડાઉન પહેલાં પણ થોડી મંદી જોવા મળી
સરવે એમ પણ જણાવે છે કે દિલ્હી-એનસીઆર અને મુંબઇના માર્કેટ્સ કે જ્યાં લૉકડાઉન પહેલાં પણ થોડી મંદી જોવા મળી રહી હતી ત્યાં કોરોના પછી પણ તેવી જ સ્થિતિ જળવાઇ રહેશે. મેજિકબ્રિક્સના સીઇઓ સુધીર પઇએ કહ્યું કે કોરોના અને તેના પરિણામરૂપ લૉકડાઉનની ભારતના રિયલ એસ્ટેટ માર્કેટ પર અસર થઇ છે પરંતુ અમારો સરવે દર્શાવે છે કે 67% હોમ બાયર્સ ભલે ઓછા બજેટ સાથે પણ પ્રોપર્ટી ખરીદવાનું ચોક્કસપણે વિચારી રહ્યા છે.
અમેરિકામાં કોરોના સંક્રમણ, તેનાથી થતા મોત અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા વિસ્તારના હિસાબે જોઇએ તો તેમાં ભારે વિરોધાભાસ છે. જ્યાં ધનિકોના વિસ્તારોમાં સંક્રમણ અને મોતની સંખ્યા ઓછી છે, તો ગરીબોના વિસ્તારોમાં મોતનો આંકડો લગભગ ડબલ છે. એટલું જ નહીં, કોરોનાએ જાતિ અને જાતિગત રીતે પણ લોકોને પ્રભાવિત કર્યો છે. ન્યૂયોર્કના આરોગ્ય વિભાગેન્યૂયોર્કમાં વિવિધ વિસ્તારોના જિપ કોડના આધારે રિપોર્ટ જારી કર્યો છે, જેમાં તમામ વાતોનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટ મુજબ ગરીબોના વિસ્તારોમાં એક લાખ દીઠ થનારા મોતની સંખ્યા 232 છે, જ્યારે સમૃદ્ધ મનાતા લોકોના વિસ્તારોમાં આ આંકડો 100નો છે. એટલે અડધા કરતા પણ ઓછો. ખાસ કરીને ન્યૂયોર્ક અને બ્રુકલિનમાં કોરોનાની અસરમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. વયમાં એક મોટો તફાવત જોવા મળ્યો
બ્રોન્ક્સમાં કોરોના વાઇરસના કેસો, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને મોતના દર સૌથી વધુ છે. જાતિના હિસાબે ન્યૂયોર્કમાં લેટિન એમિરીક લોકોનાં મોત સૌથી વધુ છે. ઉપરાંત વયમાં એક મોટો તફાવત જોવા મળ્યો છે. જ્યાં સૌથી વધુ મોત થયા, ત્યાંની એક મોટી વસતી 64 વર્ષથઈ વધુના વયની છે. ન્યૂયોર્ક સિટી હેલ્થ ડિપોર્ટમેન્ટ મુજબ અશ્વેત અને લેટિન અમેરિકી વર્ચસ્વવાળા વિસ્તારોમાં મોત વધુ થયા છે. અહીં ઓછી અને મધ્યમ આવકવાળા પરિસર છે. જિપ કોડ ડેટામાં માત્ર એ કેસો સામેલ છે, જે કોરોના ટેસ્ટમાં પોઝિટીવ મળ્યા હતા. સૌથી વધુ મોત બ્રુકલિનના ગરીબ વિસ્તારોમાં, સૌથી ઓછા મેનહટનમાં
બ્રુકલિનમાં સ્ટારેટ સિટી નામે પ્રખ્યાત સ્પ્રિંગ ક્રિક ટાવ્રસમાં મૃત્યુદર સૌથી વધુ રહ્યો. અહીં એક લાખ લોકોમાં 612 મોત થયા. ક્વીંસમાં 445, જ્યોરે બ્રોન્ક્સમાં આ આંકડો 429નો રહ્યો. જ્યોર મેનહટન જેવા ધનિક વસતીવાળા વિસ્તારોમાં મોત લગભગ નહીંવત જેવા છે. સૌથી ઓછા મોતવાળા મોટાભાગના વિસ્તારો મેનહટનમાં છે, જ્યાંની દરેક વ્યકિતની સરેરાશ આવક 6 આંકડામાં છે.
કોરોના સંકટ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે રેલ યાત્રીઓને રાહત મળે તેવી સંભાવનાનું સર્જન થયું છે. 1લી જૂનથી 100 ટ્રેનો શરૂ થશે. તેની યાદી બુધવાર રાત્રે જારી કરવામાં આવી છે. તેમા દુરંતો, સંપર્ક ક્રાંતિ, જન શતાબ્દી અને પૂર્વા એક્સપ્રેસ જેવી ગાડીનો સમાવેશ થાય છે. તેમા એસી અને નોન એસી કોચનો સમાવેશ થાય છે. જનરલ કોચમાં બેસવા માટે પણ રિઝર્વેશન લેવુ પડશે. એટલે કે ટ્રેનમાં કોઈ અનરિઝર્વ કોચ નહીં હોય.આ ગાડીમાં સીટો માટે ઓનલાઈન બુકિંગ આજે સવારે 10 વાગ્યાથી IRCTCની વેબસાઈટ તથા મોબાઈલ એપ પર શરૂ થશે. રિઝર્વેશન કાઉન્ટરથી કોઈ જ ટિકિટ બૂક નહીં થાય. આ માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30 દિવસ હશે, RAC અને વેઈટિંગ લિસ્ટ અગાઉની માફક હશે.
સ્લીપરનું ભાડુ આપી જનરલ ચોરમાં બેસવું પડશે
રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોનું ભાડુ સામાન્ય હશે, પણ જનરલ કોચમાં સીટ બૂક કરવા માટે સ્લીપરનું ભાડુ આપવાનું રહેશે. રેલવેએ કહ્યું છે કે તમામ યાત્રીઓને સીટ મળશે એટલે કે કોઈ વેઈટિંગ નહીં હોય. ટ્રેનમાં કોઈ પણ યાત્રી વેટિંગ ટિકિટ પર યાત્રા કરી શકશે નહીં. એટલે કે કોઈ પણ અનારક્ષિત ટિકિટ નહીં મળે અને ન તો તત્કાલ ટિકિટની કોઈ વ્યવસ્થા છે.
અત્યારે શ્રમિક ટ્રેન અને સ્પેશ્યલ ટ્રેન ચાલશે
રેલવેએ 1લી જૂનથી ટ્રેનોની શરૂઆત કરતા પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયો સાથે ચર્ચા કરી છે. આ અગાઉ મંગળવારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલે 1લી જૂનથી 200 નોન એસી ટ્રેનો ચલાવવાની વાત કરી હતી. 1લી મેથી પ્રવાસી શ્રમિકો માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન અને 12 મેથી રાજધાની રુટ પર 15 સ્પેશ્યલ ટ્રેનોની શરૂઆત થઈ હતી.
રેલવેએ 30 જૂન સુધી તમામ ટિકિટ રદ્દ કરી હતી
દેશભરમાં રેલવેની 12 હજાર કરતા વધારે ટ્રેનો જનતા કર્ફ્યૂના દિવસે એટલે કે 22 માર્ચના રોજ બંધ હતી. આ ઉપરાંત રેલવે 30 જૂન સુધી કરેલી તમામ ટિકિટોને રદ્દ કરી યાત્રીઓને રિફન્ડ પણ આપ્યુ હતું. તેનો અર્થ એવો થાય છે કે ટ્રેનોનું સંચાલન સામાન્ય થવામાં હજુ સમય લાગશે.
The Supreme Court has enhanced the compensation awarded to the next of kin of a 45-year-old man who was killed when Air India Express Flight 812 from Dubai crashed on landing in Mangaluru on May 22, 2010 from Rs 7.35 crore to Rs 7.64 crore. Mahendra Kodkany’s wife, daughter and son will now get Rs 7.64 crore plus 9% interest per annum
As sports, and cricket - from an India perspective - looks to limp back to normalcy in the coming months, there's much to worry about as the game's economy lies in a shamble. Few understand the sport's global and local economics from a bird's eye view like Sundar Raman.
આત્મનિર્ભરતા મિશનની સૌથી મોટી શરૂઆત ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ કરવા જઈ રહ્યો છે. ફાર્મા કંપનીઓએ દવાના રૉ-મટીરિયલ કે મોલિક્યુલ્સની આયાત રોકવાનો નિર્ણય કર્યો છે. તેની શરૂઆત પણ થઈ ગઈ છે. તેમનું લક્ષ્ય 3 વર્ષમાં 63 પ્રકારના રૉ-મટીરિયલ કે આયાતને સંપૂર્ણપણે રોકી દેવાનું છે. આ રીતે ત્રણ વર્ષમાં રૂ. 1.35 લાખ કરોડ બચાવવાની યોજના છે એટલે કે વાર્ષિક ધોરણે રૂ. 45 હજાર કરોડ. આ આયાતમાં 65% હિસ્સો ચીનનો છે. આ યોજનાથી આશરે 200થી વધુ પ્રકારની દવાનું રૉ -મટીરિયલ ગુજરાતમાં જ બનવાનું શરૂ થઈ જશે. જે અંતર્ગત નવી દવાના યુનિટ ખૂલશે અને હજારો લોકોને રોજગારી પણ મળશે. રૂ. 1000 કરોડ રૉ-મટીરિયલ અને મેડિકલ ડિવાઈસ પાર્ક માટે ખર્ચ કરાશે
આઈડીએમએના ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ વિરંચી શાહનું કહેવું છે કે મેડિકલ ઈક્વિપમેન્ટની આયાત પણ બંધ કરવાની યોજના છે. હાલ કેન્દ્ર સરકારે દેશમાં ફાર્મા ઉદ્યોગમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા રૂ. 10 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમાં આશરે રૂ. 7 હજાર કરોડની મદદ બલ્ક ડ્રગ્સ માટે છે, બાકીના રૂ. 3 હજાર કરોડનું ફંડ મેડિકલ ડિવાઈસ માટે ઉપયોગમાં લેવાશે. સરકારના પેકેજમાંથી રૂ. 1000 કરોડ રૉ-મટીરિયલ અને મેડિકલ ડિવાઈસ પાર્ક માટે ખર્ચ કરાશે. એજિથ્રોમાઈસિન, એન્ટિબાયોટિક જેવી 200 દવાનો કાચો માલ અહીં બનશે
દેશમાં દવાઓના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ છે. અહીં રોજ આશરે રૂ. 500 કરોડથી વધુની દવાનું ઉત્પાદન થાય છે. તેમાં મેડિકલ ડિવાઈસ પણ સામેલ છે, પરંતુ સસ્તું હોવાના કારણે અત્યાર સુધી 65% દવાઓ માટે રૉ-મટીરિયલ ચીનથી આયાત કરાતું. તેમાંથી પેનિસિલિન જી, એજિથ્રોમાઈસિન, એન્ટિબાયોટિક જેવી 200થી વધુ દવા બને છે. ખાસ કરીને નાના ફાર્મા યુનિટ ચીનથી આયાત કરીને દવા બનાવે છે. હવે કોરોના મહામારીના કારણે ચીનથી આયાત અટકેલી છે, જેથી ફાર્મા કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રએ આ પેકેજની જાહેરાત કરી છે. આ સ્થિતિને દવા કંપનીઓ સારી તકની રીતે જુએ છે. આ રીતે ચીન પર નિર્ભરતા ખતમ થશે અને કંપનીઓનો નફો પણ વધશે. સસ્તું ફર્મેન્ટેડ કન્ટેન્ટ ચીનથી આવે છે
ગુજરાતના નાના એટલે કે રૂ. 500-1000 કરોડનું મૂલ્ય ધરાવતા મોટા ભાગના યુનિટ દવા બનાવવા માટે વુહાન કે ચીનથી અન્ય શહેરોમાંથી રૉ-મટીરિયલ મંગાવે છે. તેમાં સૌથી વધુ ફર્મેન્ટેડ કન્ટેન્ટ હોય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ભારતની તુલનામાં ચીન એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) 3% સસ્તું પડે છે. આયાત બંધ થવાથી આ ખર્ચ 25-30% સુધી વધી ગયો હતો, એટલે દવાઓ મોંઘી થઈ અને કંપનીઓએ નફાનું માર્જિન ઘટ્યું.
રમત-ગમત ક્ષેત્રે વિશ્વભરમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારનારા ઘણા ખેલાડીઓનો જુસ્સો લૉકડાઉનમાં ઢીલો પડી ગયો છે. આવા ખેલાડીઓની ફિટનેસ જ નહીં પણ તેમની આજીવિકાને પણ અસર થઈ છે. ટ્રેનીંગ આપનારા અને જિમ ચલાવનારા ખેલાડીઓ બે મહિનાથી ખાલી બેઠા છે. લૉકડાઉન વધ્યાં પછી તેમને ખ્યાલ નથી કે તેમની હાલત ક્યારે સુધરશે. કેટલાકને પરિવારની મદદ લેવી પડી છે તો કેટલાકે બીજું કામ શરૂ કરી દીધું છે. આવા સંઘર્ષ કરી રહેલા કેટલાક ખેલાડીઓની કથા... કરાટે: કોચિંગ બંધ, ઉધારી વધી અને હવે હની અનાજ માંગે છે
ઓલઇન્ડિયા યુનિવર્સિટીની મેડલિસ્ટ હની ગુર્જર લૉકડાઉનને કારણે કોચિંગ આપી રહી નથી. શાળા અને કરાટેના તમામ સેન્ટર બંધ થઈ ગયા છે. મ.પ્ર.ના ગ્વાલિયરની રહેવાસી હનીની માતા હૃદયરોગની દર્દી છે. બધુ બંધ હોવાથી થોડીઘણી બચતમાંથી તેને થોડા દિવસ ચલાવીને તેની મુશ્કેલી ઓછી કરી. હવે સામાજિક સંસ્થાઓ અને લોકો પાસેથી અનાજ માંગી પેટ ભરવું પડશે. તેને કહ્યું કે મેડલ જીત્યા પછી ઘણું સન્માન મળ્યું હતું પરંતુ આજે લોકો સામે હાથ લાંબો કરવો પડે છે. તેના પિતા અથાણું વેચે છે પણ તેમનું કામ પણ અત્યારે બંધ છે. બોડી બિલ્ડિંગ: સંદીપે કહ્યું- જિમ બંધ, શાકભાજી વેચી ઘર ચલાવીશ
દિવ્યાંગ કેટેગરીમાં મિસ્ટર ઇન્ડિયા રહી ચૂકેલા બોડી બિલ્ડર સંદીપ સાહુનો પરિવાર હવે સંપૂર્ણ રીતે પોતાના માતા-પિતા પર નિર્ભર છે. લૉકડાઉનથી સંદીપનું જિમ બંધ છે. એ તેની આવકનું એક માત્ર સાધન છે. સાથે જ સંદીપને પણ પોતાને ફિટ રાખવા જોખમ આવી ગયું છે. છત્તીસગઢના પાટનગર રાયપુરમાં રહેતા સંદીપે અત્યાર સુધીમાં નેશનલ ચેમ્પિયનશીપમાં 13 ગોલ્ડ મેડલ જીત્યા છે. સંદીપ કહે છે કે તેની પાસે કોઈ કામ નથી. જિમ ક્યારે શરૂ થશે તેનો ખ્યાલ નથી. પણ હું શાકભાજી વેચીને મારા ઘરનો ખર્ચ કાઢીશ. શૂટિંગ: ફરજ પરસ્ત, રાજકુમારી ઓનલાઈન ટ્રેનિંગ આપે છે
મધ્ય પ્રદેશ એકેડમીની પ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર શૂટર રાજકુમારી રાઠૌર ઇંદોરની એક ખાનગી શાળામાં શૂટિંગનું કેન્દ્ર ચલાવે છે. 17 ઇન્ટરનેશનલ મેડલ જીતી ચૂકેલી રાજકુમારી સ્પોર્ટ્સ ટીચર તરીકે 50 બાળકોને તાલિમ આપે છે. લૉકડાઉનને કારણે બે મહિનાથી પગાર મળતો નથી. પિતા અને ભાઈની મદદથી ઘર ચલાવે છે. રાજકુમારે કહ્યું કે તેને સરકારની કોઈ મદદ મળી નથી. સરકારની મંજૂરી પછી બાળકોની તાલિમ શરૂ કરશે. હાલમાં ઓનલાઈન ટ્રેનિંગ આપે છે.
દેશભરના રસ્તા પર આજે એક જ તસવીર દેખાય છે. મગજમાં મજબૂરીનો બોજ અને પેટમાં ભૂખ સાથે મજૂરો દેશના આર્થિક કેન્દ્રો પરથી પોતપોતાના ગામ પાછા જઈ રહ્યા છે. સરકારી વ્યવસ્થાના દાવા છતાં તેઓ બસો, ટ્રેનોના બદલે રસ્તા પર પગપાળા અથવા ટ્રકો- લૉડિંગ વાહનોમાં વધુ દેખાઈ રહ્યા છે. તેઓ અકસ્માતોના શિકાર પણ બની રહ્યા છે. આમ છતાં, તેમના પગ થંભી નથી રહ્યા. ટ્રકમાં જાનવરોની જેમ ભરીને ઠૂંસેલા માણસો દેશભરના રસ્તા પર નજરે પડી રહ્યા છે. મજૂરો અને તેના પરિવારોથી ભરેલી આ ટ્રક મહારાષ્ટ્રથી નીકળી હતી. મજૂરોએ ઝારખંડના હજારીબાગ પહોંચવાનું હતું, જ્યારે ટ્રક રાંચી સુધી ગઈ હતી.
કોરોના વાઇરસથી બચાવ માટે ક્યારે મજાકમાં સેનિટાઝરનું ઇન્જેક્શન લગાવવાની સલાહ આપતા અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હવે કહ્યું કે છેલ્લા 10 દિવસથી હું હાઇડ્રોક્સિક્લોરોક્વિન નામની દવા લઇ રહ્યો છું અને જુઓ હું તમારી સામે બિલકુલ સ્વસ્થ છું. 73 વર્ષના ટ્રમ્પે સોમવારે કહ્યું કે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઘણા લોકો આ દવા લઇ રહ્યા છે. ખાસ કરીને ફ્રન્ટલાઇન વર્કર કોરોના વાઇરસથી બચવા માટે આ દવા લઇ રહ્યા છે. હું પોતે આ દવા ઝિન્કની સાથે લઇ રહ્યો છું.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ દવાનાં શું પોઝિટિવ પરિણામો મળ્યાં છે? તો તે તેમણે કહ્યું કે મને આ અંગે ઘણા કોલ આવ્યા છે. તે એના પુરાવા છે. ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું વ્હાઇટ હાઉસના ફિઝિશિયનની સલાહથી તેમણે આ દવા લેવાનું શરૂ કર્યું છે? તો તેમણે કહ્યું કે મેં જાતે ડૉ. સીન કોનલે (પ્રમુખના અંગત ફિઝિશિયન)ને અનુરોધ કર્યો હતો. ટ્રમ્પની આ વાત લોકો માટે ગંભીર બની શકે
તેમના આ નિવેદનથી તેમના ઘણા સાથીઓ આશ્ચર્યમાં પડી ગયા છે. સાથે જ ઘણા મેડિકલ નિષ્ણાતોએ તેમની ટીકા પણ કરી અને કહ્યું કે આવું કરવું માત્ર પ્રમુખના આરોગ્ય માટે જોખમી હશે, પણ બીજા માટે આ ઉદાહરણ આરોગ્ય સંકટ ઊભું કરી શકે છે. ક્લિવલેન્ડ ક્લિનિકમાં મિલર ફેમિલી હાર્ટ, વેસ્કુલર એન્ડ થોરેસિક ઇન્સ્ટિટ્યૂટના ચીફ એકેડેમિક ઓફિસર ડૉ. સ્ટીવન ઇનિસેને કહ્યું કે તેનાથી ગંભીર મુશ્કેલીઓ થઇ શકે છે. જ્યારે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિનના પ્રોફેસર ડૉ. સ્કોટ સોલોમને કહ્યું કે ટ્રમ્પે પોતાના ડોક્ટર બાદ આ દવા લીધી છે. પરંતુ આ વાત એ લોકો માટે ગંભીર ઉદાહરણ બની શકે છે, જેઓ બિનજબાદારી ભર્યું પગલું લઇ આવી કરે છે. ટ્રમ્પની ડબ્લ્યુએચઓને ધમકી-30 દિવસમાં સુધારો ન થયો તો ફન્ડિંગ બંધ કરી દઈશ
ટ્રમ્પે ડબ્લ્યુએચઓને પત્ર લખી ધમકી આપી છે કે 30 દિવસમાં સંગઠનમાં સુધારો કરો નહીંતર તમને અપાતું ફન્ડિંગ કાયમી ધોરણે ફ્રીઝ કરી દેવાશે અને અમેરિકા સંગઠનનો સભ્ય બની રહેવા માટે પણ ફેરવિચારણા કરશે. ટ્રમ્પે અગાઉ પણ ડબ્લ્યુએચઓની ટીકા કરતા કહ્યું હતું કે ડબ્લ્યુએચઓ ચીન કેન્દ્રિત છે. અમેરિકા તેમને વાર્ષિક 45 કરોડ ડોલર આપે છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ઉપયોગ જોખમી
ટ્રમ્પના આ નિવેદનથી એક મહિના પહેલાં જ અમેરિકી સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ચેતવણી આપી હતી કે કોરોનાની સારવાર માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ જોખની છે. તેનો ઉપયોગ મેલેરિયામાં થાય છે, પરંતુ તે કોરોનાની સારવારમાં તેની અસરકારકતાના કોઈ પુરાવા નથી. કેટલાક ડોક્ટરોના મતે, ડોક્ટરની સલાહ વિના તે લેવી ગંભીર હોઇ શકે છે. આ દવા હૃદય, કિડની અને લિવરને ખરાબ કરી શકે છે.
વિશ્વના 80 દેશોએ કોરોના સંક્રમણ રોકવા લૉકડાઉન લાગુ કર્યું હતું, જેમાંથી 40 દેશમાં લૉકડાઉન ખૂલી ચૂક્યું છે. ઓરા વિઝન સહિત વિવિધ રિસર્ચ એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. લૉકડાઉન ખોલનારા દેશોમાં ઘણા ઉદ્યોગો, દુકાનો, બીચ તથા અન્ય સ્થળો ફરી ખુલી ચૂક્યાં છે. મોટા ભાગના દેશોએ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે લૉકડાઉનમાં છૂટછાટ આપી છે. લૉકડાઉન ખોલનારા સૌથી વધુ 26 દેશ યુરોપના છે. કોરોનાગ્રસ્ત ટોપ 10 દેશમાંથી 6 દેશ યુરોપના જ છે. અમેરિકા અને એશિયાના દેશોમાં પણ લૉકડાઉન ખૂલ્યું છે. આ દેશોની સરકારોનું માનવું છે કે અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા લૉકડાઉન ખોલવું પડશે. બેલ્જિયમ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ 15 જૂનથી વિદેશી પર્યટકોને આવવા દેવાનું વિચારી રહ્યા છે
મોટા ભાગના દેશો લૉકડાઉન ખોલ્યા બાદ હવે સરહદો ખોલવા પર ભાર મૂકી રહ્યા છે. કેટલાકે તેની તારીખો પણ જાહેર કરી દીધી છે, કેટલાક વિચારી રહ્યા છે. બેલ્જિયમ, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ 15 જૂનથી વિદેશી પર્યટકોને આવવા દેવાનું વિચારી રહ્યા છે, જેની જાહેરાત ચાલુ મહિનાના અંતમાં કરી શકે છે. ગ્રીસ 1 જુલાઇથી વિદેશી પર્યટકો માટે સરહદો ખોલી રહ્યું છે. ઇટાલી 3 જૂનથી સરહદો ખોલશે. નેધરલેન્ડે કેટલાક દેશોના પ્રવાસીઓને આવવાની મંજૂરી આપી છે. પોલેન્ડ 13 જૂનથી સરહદો ખોલી શકે છે. વિશ્વના 195 દેશ કોરોનાથી અસરગ્રસ્ત છે, જ્યાં અત્યાર સુધીમાં 49,17,417 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 3,20,609 મોત થયાં છે. ચીનને બાદ કરતા મોટા ભાગના દેશોએ માર્ચ કે એપ્રિલમાં લૉકડાઉન લાગુ કર્યું હતું. ચીનમાં જાન્યુઆરીમાં લૉકડાઉન શરૂ થયું હતું. યુરોપ: 10 મુખ્ય દેશ જ્યાં સલૂન, સિનેમા ખૂલ્યા, ફ્લાઇટ્સ પણ શરૂ
ફ્રાન્સ: ઘરની બહાર ફરવા નીકળવા મંજૂરી અપાઇ. પ્રાઇમરી સ્કૂલ, સલૂન ખૂલ્યા. રેસ્ટોરન્ટ-બાર 2 જૂન પછી ખૂલશે. પેરિસથી લંડન જવા માટે કેટલીક ફ્લાઇટ શરૂ કરાઇ. સ્પેન: મેડ્રિડ, બાર્સેલોના સિવાયના ભાગોમાં લૉકડાઉન ખૂલ્યું. બાર-રેસ્ટોરન્ટ ખૂલ્યા. મિત્રો-સંબંધીઓને 10 લોકોના જૂથમાં મળવાની, પાર્ટીની મંજૂરી. બ્રિટન: સરકારે લોકોને કામ પર પાછા ફરવા કહ્યું છે. ઓફિસે કે વેપાર-ધંધાના સ્થળે ખાનગી વાહન દ્વારા જવા, ટ્રેનો તથા અન્ય જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા સલાહ. બેલ્જિયમ: દુકાનો, મ્યુઝિયમ ખૂલ્યા. 8 જૂનથી કાફે, રેસ્ટોરન્ટ, પર્યટન સ્થળો ખૂલશે. ડેન્માર્ક: દુકાનો, પાર્ક, રેસ્ટોરન્ટ તથા કેટલીક હોટલો ખૂલી. જાહેર પરિવહન સેવાઓ ફરી શરૂ થઇ. ખેલકૂદની પ્રવૃત્તિઓ, થિયેટર્સ-સિનેમા 8 જૂન પછી ખૂલશે. જર્મની: અમુક ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરાઇ. દુકાનો-રેસ્ટોરન્ટ ખૂલી. હોટલો 25 મેથી ખૂલશે. મોટા કાર્યક્રમો ઓગસ્ટથી થશે. લૉકડાઉન અંગે રાજ્યો જાતે નિર્ણય લે છે. ગ્રીસ: કેટલીક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ. બ્રિટન માટે ડાયરેક્ટ ફ્લાઇટ્સ 1 જૂનથી શરૂ થશે. જૂનથી મૉલ, રેસ્ટોરન્ટ, કાફે, સિનેમા, હોટલ, એમ્યુઝમેન્ટ પાર્ક ખૂલશે, ખેલકૂદની પ્રવૃત્તિઓ શરૂ થશે. ઇટાલી: પાર્ક, બાર, રેસ્ટોરન્ટ, દુકાનો, મ્યૂઝિયમ, ચર્ચ ખૂલ્યા. જૂનથી કેટલીક હોટલો બુકિંગ પ્રમાણે ખૂલશે. કેટલીક ટ્રેનો પણ દોડાવાઇ રહી છે. નેધરલેન્ડ: દુકાનો, હોટલો, મ્યુઝિક વેન્યૂ, મ્યૂઝિયમ, સિનેમા, થિયેટર ખૂલ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત કરાયું. રેસ્ટોરન્ટ્સ 1 જૂનથી ખૂલશે.
અમેરિકામાં60%થી વધારે ખૂલ્યું, ઉદ્યોગોમાં લોકો કામે લાગ્યા
અમેરિકાના 50માંથી 30 રાજ્યમાં લૉકડાઉન ખૂલી ચૂક્યું છે. 11 રાજ્યએ પ્રાદેશિક સ્તરે લૉકડાઉન ખોલ્યું છે. મતલબ કે 60%થી વધુ રાજ્યોમાં લૉકડાઉન ખૂલી ચૂક્યું છે. બીચ, જિમ, દુકાનો, રેસ્ટોરન્ટ-બાર, સલૂન, થિયેટર, ઉદ્યોગો, ઓફિસો, ધાર્મિક સ્થળો ખૂલી રહ્યા છે. વિશ્વના મોટા ભાગના દેશોએ સ્કૂલો ખોલવા પર ભાર મૂક્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે સ્કૂલો નહીં ખૂલે તો દેશ ખૂલ્યો છે એવું નહીં લાગે. સ્કૂલો જલદી ખૂલી જશે. ઓહાયો સહિત ઘણા રાજ્યોમાં ઓટો પ્લાન્ટ ખૂલી ગયા. અહીં કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કામ કરવા મંજૂરી અપાઇ છે. અન્ય ઉદ્યોગો પણ ખૂલી રહ્યા છે.
ચીન: 19 લાખ લોકો ફરવા ઉપડ્યા, 10 કરોડ વિદ્યાર્થી સ્કૂલોમાં પાછા ફર્યા
તસવીર ચીનની દીવાલની છે. લૉકડાઉન ખૂલ્યા બાદ અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવવા લાગ્યા છે. દેશનાં તમામ પર્યટન સ્થળોએ છેલ્લા 18 દિવસમાં 19 લાખ ઘરેલુ પર્યટક પહોંચ્યા છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે 10 કરોડ વિદ્યાર્થી સ્કૂલોમાં પાછા ફરી ચૂક્યા છે, જે આંકડો કુલ વિદ્યાર્થીઓના 40 ટકા છે.
કોરોના વાઇરસને કારણે સમગ્ર દુનિયા આશરે બે મહિનાથી ઘરોમાં કેદ થઇ ગઇ. હવે જિંદગી ફરી પાટે ચઢવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે વિશ્વ સંપૂર્ણપણે બદલાઇ ચૂક્યું છે. અમેરિકામાં જાહેર પરિવહનનો ઉપયોગ ઓછો કરવા માટે લોકો હવે સાઇકલ તરફ વળી રહ્યા છે. તેમની ચિંતા પોતાને એક ફૂટ દૂર રાખવાની તો છે જ સાથે ભીડ અને પોતાને સંક્રમણથી બચાવવાની પણ છે. સ્થિતિ તો એવી થઇ ગઇ છે કે દેશમાં સાઇકલોની અછત સર્જાઇ છે. બે મહિના પહેલાં જે સ્ટોર્સમાં સાઇકલો ધૂળ ખાતી હતી તે હવે ખાલી પડી છે. ગ્રાહકોને હવે લાંબા રાહ જોવી પડી રહી છે. બ્રુકલિનમાં તો સાઇકલનું વેચાણ 600 ટકા સુધી વધી ગયું છે. મોટા ભાગની દુકાનો પહેલાથી ત્રણ ગણી વધુ સાઇકલ-બાઇક વેચી ચૂકી છે. સાથે ગ્રાહકોનું લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. ફિનિક્સ, સિએટલમાં વેચાણ ત્રણ ગણું વધ્યું છે. વોશિંગ્ટન ડીસીના એક રિટેલરે જણાવ્યું કે એપ્રિલ સુધી તો સ્ટોરની તમામ સાઇકલ વેચાઇ ચૂકી હતી. ઇલેક્ટ્રેનિક્સ બાઇકનું વેચાણ 85 ટકા વધ્યું
માર્કેટ રિસર્ચ ફર્મ એનપીડી ગ્રૂપ મુજબ માર્ચમાં સાઇકલનું વેચાણ વધ્યું છે, રિપેરિંગ અને ઇક્વિપમેન્ટનું વેચાણ પણ ડબલ થઇ ગયું છે. ફિટનેસ બાઇકનું વેચણ 66 ટકા, લેઝર બાઇકનું વેચાણ 121 ટકા, ઇલેક્ટ્રેનિક્સ બાઇકનું વેચાણ 85 ટકા અને બાળકોની સાઇકલોનું વેચાણ 59 ટકા સુધી વધી ગયું છે. કોરોનાને કારણે ગ્લોબલ સપ્લાય ચેન પર પણ અસર થઇ છે. તેથી ડિમાન્ડ વધતા અમેરિકા સાઇકલોની ગંભીર અછતનો સામનો કરી રહ્યું છે.બ્રિટન, ફ્રાન્સમાં કારોના પ્રભુત્વને સાઇકલોથી પડકાર: બ્રિટન અને ફ્રાન્સમાં પણ સાઇકલોનું વેચાણ વધ્યું છે. નિષ્ણાતો મુજબ ઘણા દાયકા પછી પહેલી વાર કારોના પ્રભુત્વને સાઇકલથી પડકાર મળી રહ્યો છે. ઘણી જગ્યાએ કાર માટે માર્ગ બંધ, માત્ર પગપાળા કે સાઇકલને છૂટ
ઘણાં રાજ્યોએ ભીડ ઓછી કરવા માટે મહત્વના નિર્ણય લીધા છે. ન્યૂયોર્કે 322 કિમી રોડ માત્ર પગપાળા અને સાઇકલના યાત્રીઓ માટે રાખ્યા છે. ઓકલેન્ડમાં 10 ટકા માર્ગો પર માત્ર સાઇકલસવાર જ જઇ શકશે. સિએટલમાં 33 કિમીનો રસ્તો પગપાળા કે સાઇકલસવારો માટે રિઝર્વ છે. ન્યૂયોર્ક અને સિએટલ આ નિર્ણયને કાયમ માટે લાગુ કરી શકે છે.
અમેરિકાની એક રિસર્ચ ટીમે એવો દાવો કર્યો છે કે ટૂંકમાં જ એક એવી ટેક્નોલોજી આવી રહી છે જેનાથી સ્માર્ટફોન પર છીંકવા કે ખાંસવાથી જ ખબર પડી જશે કે કોઇને કોરોના વાઇરસનો ચેપ છે કે નહીં. ટીમ એક એવું સેન્સર બનાવી રહી છે જેને ફોનથી જોડી શકાશે. સેન્સરને આશરે 1 વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરાયું હતું
રિસર્ચ ટીમનું કહેવું છે કે સ્માર્ટફોનથી સેન્સરને જોડવાથી એક મિનિટમાં જાણી લેશે કે જે વ્યકિતએ સ્માર્ટફોન પર છીંક્યું કે ઉધરસ ખાધી તેને ચેપ છે કે નહીં. સેન્સર ડેવલોપ કરનારી ટીમના પ્રમુખ પ્રોફેસર મસૂદ તબીબ-અઝહરનું કહેવું છે કે આ સેન્સરને આશરે 1 વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરાયું હતું. તેમણે કહ્યું કે તેનો હેતું ઝીકા વાઇરસનો પતો લગાવવાનો હતો. ડિવાઇસનો પ્રોટોટાઇપ 1 ઇંચ પહોળો છે. તેને બ્લૂટુથ દ્વ્રારા સ્માર્ટફોન સાથે જોડી શકાય છે. યુઝરને પોતાના સ્લાઇવાનો માઇક્રોસ્કોપિક પાર્ટિકલ નાંખતા પહેલાં ફોનના ચાર્જિંગ પોર્ટમાં સેન્સર લગાવી એપ ચાલુ કરવાની રહેશે. એક મિનિટમાં મોબાઇલની સ્ક્રીન પર રિઝલ્ટ આવી જશે.
સંયુક્ત આરબ અમીરાતમાં કોરોના સામેની લડાઇમાં 88 ભારતીય નર્સની પહેલી ટુકડીએ મોરચો સંભાળી લીધો છે. આ તમામ નર્સ કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં કાર્યરત હતી. આઇસોલેશન અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આ નર્સોએ રવિવારે પરિચય કાર્યક્રમ હેઠળ સ્થિતિ જાણી. ભારતથી આવેલી નર્સોએ સ્વેચ્છાએ વિદેશમાં 3થી 6 મહિના સુધી કોરોના વાઇરસના પડકાર સામે લડવાનું નક્કી કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા અમૂલ પાર્લર પરથી એન-95 અને થ્રી-લેયર માસ્કનું વેચાણ કરવાની જાહેરાત કરી છે. એન-95 અને થ્રી-લેયર માસ્ક વધુમાં વધુ 6થી 8 કલાક બાદ યોગ્ય રીતે ડિસ્પોઝ કરવા પડે છે, જેનાં જ્ઞાનને અભાવે લોકો કોરોનાનો ચેપ ઘટવાને બદલે વધવાની આશંકા છે, જેથી લોકો માટે કપડાંનાં વોશેબલ માસ્ક વધુ સારા હોવાનો મત તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. કપડાનાં વોશેબલ માસ્ક કોરોનાના ચેપ સામે રક્ષણ આપી શકે છે
મોટેભાગે એન-95 અને થ્રી-લેયર માસ્ક હેલ્થ વર્કરો માટે ઉપયોગી છે. કારણ કે, દર્દીનાં સંપર્કમાં આવતાં હોવાથી તેમને ચેપ લાગવાનો ખતરો વધુ રહેલો છે. જ્યારે લોકોને કપડાનાં વોશેબલ માસ્ક કોરોનાના ચેપ સામે રક્ષણ આપી શકે છે. પરંતુ, થ્રી-લેયર અને N95 માસ્ક પહેરવા અને ડિસ્પોઝ કરવાનાં જ્ઞાનને અભાવે માસ્ક ગમે ત્યાં ફેંકશે તો ચેપ ફેલાઈ શકે છે. એન- 95 અને થ્રી-લેયર માસ્કલોકો વધુ સમય ન પહેરે
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઇના જણાવ્યા અનુસાર એન- 95 અને થ્રી-લેયર માસ્ક ‘યુઝ એન્ડ થ્રો’ હોય છે, અને વધુમાં વધુ 6થી 8 કલાક બાદ યોગ્ય રીતે બાયો મેડિકલ વેસ્ટ તરીકે ડિસ્પોઝ કરવા જરૂરી છે, જેનું પુરતુ જ્ઞાન લોકોમાં ન હોવાથી એકનો એક માસ્ક બેથી ચાર દિવસ પહેરશે અથવા તો ગમે ત્યાં ફેંકશે જેને કારણે કોરોનાનો ચેપ ઘટવાને બદલે વધી શકે છે.
સિવિલની કોવિડ હોસ્પિટલની 56 વર્ષીય હેડ નર્સનું હોસ્પિટલમાં 8 દિવસની સારવાર પછી કોરોના વાઈરસના ચેપથી મોત થયું છે. હોસ્પિટલતંત્ર જયારે હેડ નર્સને બચાવવામાં નિષ્ફળ ગયું છે, ત્યારે દર્દીની સારવાર કેવી થતી હશે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. હેડ નર્સને કોરોનાની સાથે હાયપરટેન્શન, હૃદયરોગ અને વધુ વજનની જેવી તકલીફો પણ હતી. સમગ્ર ગુજરાતના કોરોના વોરિયર્સ હેલ્થ વર્કરમાં કોરોનાથી મૃત્યુ થયાનો પ્રથમ કેસ હોવાનું હોસ્પિટલતંત્રનું કહેવું છે.
હેડ નર્સ કેથરીન ક્રિશ્ચિયનના મૃતદેહને લઈ જવાયો ત્યારે પોલીસ અને સ્ટાફે સલામી આપી હતી.
32 વર્ષની કારકિર્દીમાં અમદાવાદ અને જામનગરમાં ફરજ બજાવી
સિવિલના નર્સિંગ સુપરિટેન્ડેન્ટ બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, કોરોનાની સારવાર દરમિયાન કોઇ હેલ્થ વર્કરનું મૃત્યુ થયાનો અમદાવાદની સાથે રાજ્યનો પ્રથમ કેસ હોવાની શક્યતા છે. 56 વર્ષીય કેથરીનબેન અનુપમભાઇ ક્રિશ્ચિયને 32 વર્ષની કારકિર્દીમાં અમદાવાદ અને જામનગરમાં ફરજ બજાવી હતી અને હાલમાં સિવિલના ગાયનેક વિભાગના જી-3 વોર્ડના હેડનર્સ હતા. તેમની દેખરેખ હેઠળ કોવિડ હોસ્પિટલનો એ-2 વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. ચેપ ક્યાંથી આવ્યો તેની જાણ નથી
એપ્રિલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવવા છતાં સારવાર કરનાર ડોકટરો અને નર્સિંગ સ્ટાફનો કોરોના ટેસ્ટ ન કરાતા સ્ટાફે હોબાળો મચાવ્યો હતો. મૃત્યુ પામનાર હેડ નર્સને કોરોનાનો ચેપ કોવિડમાં દર્દીની સારવાર દરમિયાન કે તે પહેલાં સિવિલ હોસ્પિટલમાં લાગ્યો તે અંગે હોસ્પિટલ સ્ટાફમાં ચર્ચા છે.
કોરોના મહામારી સામાન્ય ન થાય ત્યાં સુધી બોર્ડ રિચેકિંગ કે કોપી કેસની પ્રક્રિયા માટે કોઇ વિદ્યાર્થીઓને ગાંધીનગર બોર્ડની ઓફિસે બોલાવશે નહીં. હાલ પુરતી આ તમામ વ્યવસ્થા સ્થગિત કરાઇ છે. આવનારા સમયમાં ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.10ના જાહેર થનારા પરિણામમાં પણ આ નીતિનો અમલ કરાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને દોડાદોડી ન રહે
દર વર્ષે પરીણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓને પોતાના પરિણામથી સંતોષ ન હોય તેઓ રિચેકિંગ કરાવી શખતા હતા. જેથી તેઓ વિષય પ્રમાણે નક્કી કરેલી ફી ભરીને પોતાનું પેપર જોઇ શકતા હતા.
પરંતુ આ વર્ષે 12 સાયન્સમાં તો રિ ચેકિંગની પ્રક્રીયા વિદ્યાર્થી પછી કરાવી શકશે તેવું જણાવાયું હતું. બોર્ડના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ જ નિયમ ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ લાગુ કરાશે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને દોડાદોડી ન રહે. મોટેભાગે બાળકોની સાથે તેમના વાલી પણ ગાંધીનગર આવતા હોય છે તેથી કોરોના મહામારીના સમયમાં તેઓને મુશ્કેલી ઉભી ન થાય તે માટે બોર્ડે વ્યવસ્થા કરી છે. ધો.10,12નું પરિણામ જૂનમાં આવવા સંભાવના
ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.10નું પરિણામ જુન મહિનામાં જાહેર થાય તેવી શક્યતા છે. કારણ કે અત્યારે બોર્ડમાં ચેકિંગ થઇને આવેલા પેપરના ગુણનું ફાઇનલ ચેકિંગ અને માર્કશીટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. શિક્ષકોને પેપર ઘરે ચેક કરવા અપાયા
શિક્ષકો એક સ્થળે ભેગા થાય અને પેપર ચેકિંગ દરમિયાન કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે સીબીએસઇએ બોર્ડના પેપર દરેક શિક્ષકોના ઘરે પહોંચાડ્યા હતા. શિક્ષકો ઘરે બેસીને જ પેપર ચેક કરી રહ્યાં છે. આ માટે દરેક કેન્દ્રો દ્વારા જવાબ પેપર શિક્ષકોના ઘરે પહોંચે તેની વ્યવસ્થા કરાઇ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરમાં પણ સીબીએસઇએ બોર્ડના પેપર ચેક કરવા માટેનું કેન્દ્ર ફાળવ્યું હતું.
કોરોના સંકટના આ વિકટ સમયમાં આરોગ્ય સંબંધિત વ્યવસ્થા કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના 34 સભ્યના એક્ઝિક્યુટીવ બોર્ડના હવે પછીના ચેરમેન હશે. અધિકારીઓએ કહ્યું કે હર્ષવર્ધન 22 મેથી તેમનો કાર્યભાર સંભાળી શકે છે. તેઓ જાપાનના ડો.હિરોકી નકતાનીનું સ્થાન લેશે.
194 દેશના વિશ્વ આરોગ્ય સંસ્થામાં મંગળવારે ભારત તરફથી રજૂ કરવામાં આવેલા હર્ષવર્ધનના નામની પસંદગી થઈ હતી. આ અગાઉ WHOના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રુપે ત્રણ વર્ષ માટે ભારતને જવાબદારી સોંપવા પર સહમતી થઈ હતી.
The Centre has proposed banning 27 insecticides which are currently being used by farmers in India though they have long been banned in many countries across the globe due to the threat they pose to human and animal health. The agriculture ministry issued a draft proposal on the ban on May 14, saying use of these 27 insecticides is likely to “involve risk to human beings and animals”.
With the cyclone Amphan over Bay of Bengal intensifying into a ‘super cyclonic storm’, Prime Minister Narendra Modi on Monday reviewed response preparedness as well as evacuation plans of disaster management authorities ahead of its landfall close to Sundarbans on Wednesday afternoon-evening. The super cyclonic storm is expected to have windspeeds of 230-240 kmph gusting to 265 kmph.
One hundred and nine days after the first person tested positive for Covid-19 in India, the country’s case count crossed the 1-lakh mark on Monday, with the number infections having doubled in just a little over 12 days. On Monday, 4,713 fresh infections were reported from across the country, the third highest in a single day so far, led again by Maharashtra, which reported more than 2,000 cases.