Ad

Wednesday, May 6, 2020

કર્ણાટકમાં રૂ.1,610 કરોડનું પેકેજ- ખેડૂતો, વણકરો, ધોબી, ઓટો-ટેક્સીચાલકોને રૂ. 5000 આપશે

કોરોના વાઇરસ સંક્રમણના કારણે લાગુ લૉકડાઉનથી અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે કર્ણાટક સરકારે 1,610 રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. તેનાથી ખેડૂતો, લઘુ, કુટિર અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ), મોટા ઉદ્યોગો, વણકરો, કડિયા, ફૂલોની ખેતી કરનારા, ધોબી, વાળંદ અને ઓટો-ટેક્સીચાલકોને લાભ થશે.
સરકારે 11 ટકા એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી
સીએમ યેદિયુરપ્પાએ કહ્યું દોઢ મહિનાથી સમાજનો તમામ વર્ગ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ સાથે સરકારે 11 ટકા એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી છે. દરમિયાન કર્ણાટકે 10 વિશેષ ટ્રેનની માગ પાછી ખેંચી લીધી. જ્યારે મજૂરો ઘરે જવા અડી ગયા છે. યેદિયુરપ્પાનું કહેવું છે કે જો મજૂરોને જવા દેવાશે તો રાજ્યમાં શ્રમિકોની અછત સર્જાશે.
કોને શું મળશે?

  • 60 હજાર ધોબી અને 2.30 લાખ વાળંદને 5-5 હજારનું વળતર
  • 7.75 લાખ ઓટો-ટેક્સી ચાલકોને પણ 5-5 હજાર મળશે
  • એમએસએમઇમાં બે મહિનાનું વીજળી બિલ માફ
  • કડિયા મજૂરોના ખાતામાં 3-3 હજાર રૂપિયા નંખાશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ખેતરમાં કામ કરી રહેલ ખેડૂતોની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2SFy2fi

ક્વોરન્ટીન સેન્ટર્સમાં સારું ભોજન, વાઇફાઇ આપો, નહિતર લૉકડાઉન લંબાવવાથી હવે કોઇ ફાયદો નહીં થાય: ડૉ. શેટ્ટી

જાણીતા કાર્ડિયાક સર્જન અને નારાયણા હેલ્થના ચેરમેન ડૉ. દેવી શેટ્ટીનું કહેવું છે કે દેશમાં મોટી સંખ્યામાં પરપ્રાંતી મજૂરો પોતપોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે ત્યારે તેમના હેલ્થ સ્ક્રીનિંગનું અને તેમને બે અઠવાડિયાં સુધી ક્વોરન્ટીનકરવામાં આવે તે દરમિયાન ધ્યાન રાખવું પડશે કે તેમને રહેવા માટે સારી જગ્યા, પૌષ્ટિક ભોજન અને અનલિમિટેડ વાઇફાઇ કનેક્શન મળે. આવું નહીં થાય તો લોકો બે-ત્રણ દિવસમાં જ સેન્ટર છોડવા લાગશે. તેમાંથી એકાદ પણ કોરોના પોઝિટિવ હશે અને બહાર નીકળ્યો તો સ્થિતિ ખતરનાક હોઇ શકે છે. દિલ્હી પાસેથી બોધપાઠ લેવો પડશે. હજાર લોકોના કારણે દેશમાં દર્દીઓની સંખ્યા વધતી ગઇ. ડૉ. શેટ્ટી સાથે વાતચીતના મુખ્ય અંશ...
સવાલ: લૉકડાઉનથી કેટલો ફાયદો છે? શું તે હજુ લંબાવવાની જરૂર છે?
ડૉ. દેવી શેટ્ટી:
હવે બધી જગ્યાએ લૉકડાઉન લંબાવવાથી મેડિકલી કોઇ ફાયદો નથી. ભારત મોટો દેશ છે. યુરોપની જેમ અહીં પણ પોલિસી બનાવવાની જરૂર છે. બધી જગ્યાએ સમસ્યા જુદા-જુદા પ્રકારની છે. દરેક રાજ્યએ તેની સ્થિતિ પ્રમાણે પોલિસી નક્કી કરવી જોઇએ અને નિર્ણય લેવાનો અધિકાર જિલ્લા વહીવટીતંત્રને આપવો જોઇએ.
સવાલ: ભારતે બહુ પહેલાં લૉકડાઉનનો નિર્ણય લઇ લીધો હતો. તેનાથી કેટલો ફાયદો થયો?
ડૉ. દેવી શેટ્ટી:
ભારતનો અપ્રોચ બહુ સારો રહ્યો. આમ ન થયું હોત તો આજે મૃતકોની સંખ્યા બમણાથી પણ વધુ હોત અને દર્દીઓ પણ અનેકગણા વધારે હોત. જેટલા દર્દીઓ 6 મહિનામાં આવશે તેટલા બે અઠવાડિયામાં આવી જાત. પછી તેમને સંભાળવાનું મુશ્કેલ બની જાત. અમેરિકા, ઇટાલીમાં એવું જ થયું.
સવાલ: લૉકડાઉનમાં કે તે પછી સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન ન થયું તો શું થશે?
ડૉ. દેવી શેટ્ટી:
સોશિયલ ડિસ્ટન્સિંગમાં બેદરકારી રખાશે તો ભારતની હાલત પણ ઇટાલી જેવી થઇ શકે છે. રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આવશે અને મૃતકોની સંખ્યા પણ તે રીતે જ વધશે. મોટા-મોટા દેશોમાં વેન્ટિલેટર, પીપીઇ કિટ, ડૉક્ટર્સ અને દવાઓની અછત સર્જાઇ.
સવાલ: હર્ડ ઇમ્યુનિટી ક્યાં સુધીમાં ડેવલપ થઇ જશે?
ડૉ. દેવી શેટ્ટી:
હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે ઓછામાં ઓછા 50 ટકા લોકોએ આ વાઇરસથી સંક્રમિત થવું પડશે. ઓછામાં ઓછા 2-3 વર્ષ લાગશે.
સવાલ: વધુ ટેસ્ટ કરવાથી શું ફાયદો થશે?
ડૉ. દેવી શેટ્ટી:
વધુ ટેસ્ટ દ્વારા સંક્રમિતોને શોધી કાઢીને તેમને ક્વોરન્ટીનકરી શકાશે. લક્ષણો વિનાના દર્દીઓને અલગ નહીં કરાય તો તેઓ તેમના ઘરમાં વૃદ્ધોને સંક્રમિત કરશે. જોકે, હજુ પણ પૂરતું ટેસ્ટિંગ નથી થઇ રહ્યું. આરટી-પીસીઆર ટેસ્ટમાં વપરાતા રિ-એજન્ટની દુનિયાભરમાં અછત છે.જાહેરમાં હંમેશા માસ્ક પહેરવાની, 6 ફૂટનું અંતર રાખવાની ટેવ પાડો, વૃદ્ધો ઘરની બહાર ન નીકળે, જાહેર પરિવહનનો ઓછો ઉપયોગ કરીએ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ. જાહેરમાં હંમેશા માસ્ક પહેરી રાખીએ અને એકબીજાથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખીએ, કોઇને સ્પર્શ ન કરીએ. જાહેર પરિવહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ અને તેમાં ભીડ જરાય ન હોવી જોઇએ. ખૂબ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળીએ. ઘરના વૃદ્ધો કે બીમાર લોકોને બહાર બિલકુલ ન જવા દો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કાર્ડિયાક સર્જન અને નારાયણા હેલ્થના ચેરમેન ડૉ. દેવી શેટ્ટી.


from Divya Bhaskar https://ift.tt/3dzL7yP

અમદાવાદમાં 6 મે એ નોંધાયેલા કોરોનાના દર્દીઓનું લિસ્ટ, ચેક કરો ઉંમર, જાતિ અને સરનામા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવાર સાંજે જાહેર થયેલ યાદી અનુસાર અમદાવાદમાં નવા 291 કેસ નોંધાયા છે. જ્યારે 25 લોકોના મોત થયા છે તથા 73 દર્દીઓ સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4716, કલુ મૃત્યુઆંક 298 અને 778 દર્દીઓ સ્વસ્થ થયા છે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર શહેરના શાહપુર, દાણીલીમડા, હાટકેશ્વર, નિકોલ, વટવા, નારોલ, સરસપુર, ખાડિયા, બાપુનગર, હાથીજણ, ગોમતીપુર, રખિયાલ, ગુલબાઇ ટેકરા, દરિયાપુર, કાલુપુર, વસ્ત્રાપુર, સેટેલાઇટ, થલતેજ, ગોતા, નારણપુરા, સરખેજ, મકરબા સહિતના વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
List of Corona patients registered in Ahmedabad on May 6, check age, gender and address


from Divya Bhaskar https://ift.tt/2SC7Q59

Thermal screening held at Vidhan Sabha gate as employees return to work amid lockdown 3.0

Thermal screening held at Vidhan Sabha gate as employees return to work amid lockdown 3.0




from News - Videos - The Times of India https://ift.tt/3frK5Xf

Paid for train tickets with final savings, say migrant workers from Bihar

Paid for train tickets with final savings, say migrant workers from Bihar

from India Today | Top Stories https://ift.tt/2zdm4me

Tuesday, May 5, 2020

UK coronavirus death toll surpasses Italy, now highest in Europe

UK coronavirus death toll surpasses Italy, now highest in Europe

from India Today | Top Stories https://ift.tt/2xCuyTi

ભાવનગરમાં પાંચ અને ગાંધીનગરમાં એક કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 6,251 જ્યારે મૃત્યુઆંક 368એ પહોંચ્યો

ભાવનગરમાં 5 અને ગાંધીનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાંઅત્યાર સુધીમાં કુલ 6,251 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 368 થયો છે. જ્યારે 1381 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા મૃત્યુની વાત કરીએ તો 3મેના રોજ 28, 4મેના રોજ 29 અને આજે 49 દર્દીના મોત થયા છે. આમ 72 કલાકમાં 106 દર્દીના મોત થયા છે. તે જોતા રાજ્યમાં લગભગ દર 40 મિનિટે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. મંગળવારે ચોવીસ કલાકમાં આખા દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર પાંચ દર્દીએ એક અમદાવાદનો અને દર ચારે એક ગુજરાતી દર્દી છે.

ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે 25 ટકા કેસ ગુજરાતમાં નોંધાયા
મંગળવારે કોરોનાના ગુજરાતમાં સામે આવેલા આંકડા ગંભીર સ્થિતિનો અંદેશો દર્શાવી રહ્યાં છે. કારણ કે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીતેલાં 24 કલાકમાં આખા ભારતમાં જેટલાં નવા પોઝિટિવ કેસ આવ્યાં તે પૈકી 11 ટકા ગુજરાતના રહ્યાં તો કુલ મૃત્યુના કેસમાં 25 ટકા પ્રમાણ ગુજરાતનું રહ્યું. આખાં ભારતમાં નવા પોઝિટિવ કેસ 3,875 હતાં તેની સામે ગુજરાતમાં 441 નવા કેસ આવ્યાં તો ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે 25 ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.
ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકીવીસ ટકા દર્દી અમદાવાદના
ગુજરાતમાં પણ અમદાવાદનું પ્રમાણ વધુ હોઇ આખા ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકી 39 કેસ સાથે પાંચમા ભાગના એટલે કે વીસ ટકા દર્દી અમદાવાદના હતાં. જ્યારે નવા નોંધાયેલાં પોઝિટિવ કેસમાં 349 કેસ સાથે અમદાવાદનું પ્રમાણ 9 ટકા રહ્યું. અમદાવાદમાં કુલ 4,425 પોઝિટિવ કેસ જ્યારે 273 મૃત્યુ નોંધાયાં છે. જ્યારે 704 દર્દી સાજાં થયાં છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે રાજ્યમાં મૃત્યુ પામેલાં 49 લોકો પૈકી 15 દર્દી એવાં હતાં કે જેઓને અન્ય કોઇ બિમારી ન હતી જ્યારે બાકીના 34 લોકો કોઇને કોઇ બિમારીથી પીડાતાં હતાં. આજની તારીખે કુલ પોઝિટિવ એક્ટિવ દર્દીઓ 4,489 છે.
8 દિવસમાં 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા
આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374, 4 મેના રોજ 376 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત 6 દિવસ સુધી 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે દર્દીનો આંકડો 441એ પહોંચ્યો છે. જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા છે.

કુલ 6,245 દર્દી , 368ના મોત અને 1381ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 4425 273 704
વડોદરા 405 30 158
સુરત 723 33 282
રાજકોટ 62 01 26
ભાવનગર 76 05 21
આણંદ 75 06 37
ભરૂચ 27 02 22
ગાંધીનગર 79 04 14
પાટણ 24 01 12
નર્મદા 12 00 10
પંચમહાલ 49 03 06
બનાસકાંઠા 49 01 14
છોટાઉદેપુર 14 00 11
કચ્છ 07 01 05
મહેસાણા 42 00 07
બોટાદ 41 01 6
પોરબંદર 03 00 03
દાહોદ 13 00 02
ખેડા 12 00 02
ગીર-સોમનાથ 03 00 03
જામનગર 04 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 09 01 03
મહીસાગર 40 01 07
અરવલ્લી 22 02 14
તાપી 02 00 01
વલસાડ 06 01 02
નવસારી 08 00 04
ડાંગ 02 00 00
દેવભૂમિ દ્વારકા

03

00 00
સુરેન્દ્રનગર 01 00 01
જૂનાગઢ 02 00 00
કુલ 6245 368 1381


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE positive cases cross 6000 in state


from Divya Bhaskar https://ift.tt/3doqcP8

પહેલી વખત દિવ્ય ભાસ્કરમાં એક સાથે જુઓ માઉન્ટ આબુના જંગલોમાં 5 ગ્રીન મુનિયાની આ સુખદ તસવીર

ભાસ્કર માટે માઉન્ટ આબુના જંગલોમાંથી આ ફોટો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અનિલ રોજર્સે ક્લિક કર્યો છે. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે ગ્રીન મુનિયા બે કે ત્રણથી વધુની સંખ્યામાં નથી દેખાતી. પહેલી વખત એક સાથે 5 ગ્રીન મુનિયા જોવા મળી તો જરાય સમય ગુમાવ્યા વગર આ તસવીર કેમેરામાં ક્લિક કરી લીધી.

ગ્રીન મુનિયામાં એેક સ્લેટી રંગવાળીમુનિયા

માઉન્ટ આબુમાં એક સાથે 5 ગ્રીન મુનિયામાં એેક સ્લેટી રંગવાળી પણ હતી
માઉન્ટ આબુની સુંદરતા વિશ્વ પ્રસિદ્ધ છે અને તેની સાથે જ ગ્રીન મુનિયા પણ અહીંની વિશેષ ઓળખ બની ગઈ છે. આ નાની લીલા રંગની સુંદર ચકલી હોય છે. જેની ચાંચ લાલ રંગની હોય છે. જ્યારે પાંખોની નીચે સફેદ ભાગમાં કાળી પટ્ટીઓ હોય છે. જો તમે ભાગ્યશાળી હો તો જ તમને ગ્રીન મુનિયાના એલ્બિનો અથવા સફેદ મોર્ફની સાથે સ્લોટી રંગ પણ જોવા મળી શકે છે.
ગ્રીન મુનિયાની સંખ્યા માંડ 800થી એક હજાર સુધી પહોંચી
આ છે ભારતની ખાસ ચકલી ગ્રીન મુનિયા. તેની સુંદરતા એવી છે કે તેને હરકોઈ જોતા જ રહી જાય છે. આ જ કારણ છે કે તે ક્યારેય એક કે બેથી વધુ સંખ્યામાં જોવા મળતી નથી. ખરેખર તો તેની સંખ્યા ખુબ જ ઓછી થઈ ગઈ હતી એટલે વન્યજીવ પ્રેમીઓની પહેલ પર ફરીથી તેના સંરક્ષણની કવાયત શરૂ કરવામાં આવી હતી. ત્યારે વર્ષો બાદ આ સુખદ તસવીર સામે આવી છે. આટલા વર્ષોના સંરક્ષણ બાદ પણ ગ્રીન મુનિયાની સંખ્યા માંડ 800થી એક હજાર સુધી પહોંચી છે. આ ભારતના કેટલાક હિસ્સાને બાદ કરતાં માત્ર ગોવા અને માઉન્ટ આબુમાં વિષેશ જોવા મળે છે. તેને અંડેમિક બર્ડ સ્પીસીસ પણ કહે છે. સિરોહી ઉપરાંત હવે કુંભલગઢમાં પણ તે જોવા મળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એક સાથે 5 ગ્રીન મુનિયા.


from Divya Bhaskar https://ift.tt/2L0kHtI

સુરતમાં બે વોરિયર્સે એલોપેથીને બદલે માત્ર આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

સુરતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના સાજા થવાના આંકડામાં ઉછાળો નોંધાયો છે.મંગળવાર સુધીમાં કુલ 315 લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થઇ ઘરે ગયા હતા.દરમિયાન માત્ર આયુર્વેદિક દવા અને ઉપચાર પદ્ધતિ અપનાવીને પણ કોરોના પોઝિટિવ આવેલા 2 વ્યક્તિ સાજા થઇ ગયા હોવાનો દાવો ખુદ સાજા થનારા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો છે. કતારગામના મિતેશ મિસ્ત્રી અને પુણા ગામમાં રહેતી ધારા ઠુમ્મરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને એલોપેથી મુજબની દવા આપવાની શરુઆત કરવામાં આવી હતી. જોકે બંનેએ પોતાની સાથે રાખેલી આયુર્વેદિક દવાઓ જ ખાનગી તબીબના નિર્દેશ મુજબ શરુ રાખી હતી.આખરે બંનેનો કોરોનાનો ફાઇનલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને બંનેને રજા પણ મળી ગઈ હતી.
મેં એલોપેથીને બદલે સારવાર માટે આયુર્વેદિક દવા પસંદ કરી
પુણાગામ ડો.ધરતી ઠુમ્મરએ કહ્યું હતું કે, હું કતારગામની કિરણ હોસ્પિટલમાં રીપ્રેઝન્ટેટિવ મેડિકલ ઓફિસર છું.22મીએ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ હતી.હું મારી આર્યુવેદીક વટી અને ચૂર્ણ સાથે લઈને જ ગઈ હતી.મેં આર્યુવેદીક તબીબના માર્ગદર્શન હેઠળ ચૂર્ણ અને વટી લેવાનું શરુ કર્યું હતું. મને દેખીતા કોઈ લક્ષણો ન હતા.હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલા બંને રિપોર્ટ નેગેટિવ આવતા મને રજા મળી ગઈ છે અને હાલ ઘરે છું.મેં હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી દવા પીધી નથી અને આર્યુવેદીક દવા જ લીધી હતી.
મેં હોસ્પિટલની દવાને બદલે આયુર્વેદિક ચૂર્ણ અને વટી લીધી
કતારગામના મિતેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મને 20મી એપ્રિલે ગળામાં દુઃખાવો, માથું અને કમર પણ દુખવાનું શરુ થતા હું ફિઝિશિયન પાસે ગયો હતો અને દવા લઈ આવ્યો હતો બાદમાં ફિઝિશિયન મારફતે મારો સંપર્ક મનપાએ કર્યો અને મને રિપોર્ટ કઢાવવા કહ્યું ,રિપોર્ટ પોઝિટિવ આવતા મને સિવિલ લઈ ગયા હતા. જોકે મેં મારા આર્યુવેદીક તબીબના માર્ગદર્શન હેઠળની વટી અને ચૂર્ણ લેવાનું શરુ રાખ્યું હતું અને બે દિવસમાં જ મને રાહત થવા લાગી હતી.મેં હોસ્પિટલ તરફથી અપાયેલી કોઈ દવા લીધી નથી. આખરે બંને રિપોર્ટ નેગેટિવ આવતા રજા મળી ગઈ હતી.
બંનેની શારીરિક સ્થિતિ મુજબ દવા આપી હતી
આર્યુવેદીક તબીબ ડો.પીનલ રાણાના જણાવ્યા અનુસાર મિતેશ મિસ્ત્રી અને ડો.ધરતી ઠુમ્મર બંને કોરોના પોઝિટિવ વ્યક્તિને બાહ્ય લક્ષણો અને શારીરિક સ્થિતિ મુજબ આર્યુવેદીક દવાનો કોર્સ આપવામાં આવ્યો હતો અને નિયમિત એ પ્રમાણે દવા શરૂ રાખી હતી. બંનેએ એ કોર્સ કર્યો અને છેલ્લો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.અન્ય બીએએમએસ અને એમડી ડો.અપશ્ચિમ બરંથ અને ગુજરાત આર્યુવેદીક રજીસ્ટ્રેશન બોર્ડના ડિરેક્ટર ડો.મનસુખ માંગુકિયાનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડો.ધરતી ઠુમ્મર અને મિતેશ મિસ્ત્રી.


from Divya Bhaskar https://ift.tt/2W7bUfJ

Centre hikes fuel excise duty on petrol by Rs 10 per litre and Rs 13 on diesel

Centre hikes fuel excise duty on petrol by Rs 10 per litre and Rs 13 on diesel




from News - Videos - The Times of India https://ift.tt/2YD6fQ9

Batsmen will take time to get into groove: Rohit

India's limited-overs vice-captain Rohit Sharma feels post-lockdown, the "batsmen will need a bigger window to practice" in order to get their skills "in sync". "Batsmen will take at least one and a half months to find the sweet spot of their bats," he said.

from Times of India https://ift.tt/2WalUFf

Asia coronavirus cases hit 250,000 but pace much slower than US, Europe

Asia coronavirus cases hit 250,000 but pace much slower than US, Europe

from India Today | Top Stories https://ift.tt/2SIZWHg

US airlines burn through $10 billion a month as traffic plummets

US airlines burn through $10 billion a month as traffic plummets

from India Today | Top Stories https://ift.tt/3b5tnt9

Scientists to culture novel coronavirus in human cells to enable in vitro testing

Scientists to culture novel coronavirus in human cells to enable in vitro testing

from India Today | Top Stories https://ift.tt/2W5Dzh2

Novel coronavirus lockdown risks 1.4 million extra tuberculosis deaths: study

Novel coronavirus lockdown risks 1.4 million extra tuberculosis deaths: study

from India Today | Top Stories https://ift.tt/2xDXxWR

‘સાહેબ, મને જવા દો, મારી ગંભીર ભૂલ થઈ, થોડી દયા કરો’ કહી યુવક પોલીસકર્મીના પગે પડી માફી માંગવા લાગ્યો

‘સાહેબ, મને જવા દો, મારી ગંભીર ભૂલ થઈ ગઈ, સાહેબ થોડી દયા કરો, હવે પછી બીજીવાર આવુ નહિ કરીશ’, કહી નાનપુરાના યુવકે ટ્રાફિક પોલીસની કેબીનમાં જઈ પોલીસકર્મી વિજયદાન ગઢવીના પગ પકડી માફી માંગવા લાગ્યો હતો. પોલીસે પણ મન મોટું રાખી તેની બાઇક જમા લઈ મેમો આપ્યો હતો. બાકી પોલીસ ધારે તો તેની સામે ગુનો નોંધી શકે તેમ હતું. કેમ કે ટીઆરબી જવાનને પણ તે ઉડાવી દેવાની ફિરાકમાં હતો. યુવકે ફુલસ્પીડમાં બાઇક ભગાડી હતી છતાં ટીઆરબી જવાન રાકેશે જીવ જોખમમાં મુકી આગળ ઊભો રહી જતા તે પકડાયો હતો.
બાઇક પાછળ કોઈને બેસાડી શકાય નહિ, છતાં ડબલ સવારી હતો

નાનપુરાનો યુવક તેની સંબંધી મહિલાને બાઇક પર બેસાડી શાકભાજી લેવા નીક‌ળ્યો હતો. પોલીસનું જાહેરનામું છે કે બાઇક પાછળ કોઈને બેસાડી શકાય નહિ, છતાં ડબલ સવારી હતો. આથી પોલીસે તેને અટકાવી બાઇક જમા લેવાની વાત કરી હતી. યુવકે પોલીસને બાઇકની ચાવી ન આપી ખિસ્સામાં મુકી હતી. જેવી પોલીસ વાતમાં પડી કે આ યુવક બાઇકમાં ચાવી નાખીને ભાગવા ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
યુવકે ટ્રાફિક પોલીસની કેબીનમાં જઈ પોલીસકર્મી વિજયદાન ગઢવીના પગ પકડી માફી માંગી.


from Divya Bhaskar https://ift.tt/2L9Eu9T

જૂન સુધી અમેરિકામાં કોરોનાના દરરોજ 2 લાખ નવા દર્દી, દરરોજ 3000 મૃત્યુની આશંકા

અમેરિકા માટે આવનાર જૂન મહિનો કોરોના સંકટ વચ્ચે ભયાવહ સ્વરૂપ ધારણ કરી શકે છે. ટ્રમ્પ સરકારના એક આતંરિક રિપોર્ટની માનીએ તો જૂનમાં અમેરિકામાં ચેપના દરરોજ 2 લાખ નવા કેસ સામે આવશે અને 3000 મૃત્યુ થશે. વ્હાઈટ હાઉસે અધિકારીઓને મંજૂરી વિના જ કોંગ્રેસમાં નિવેદન આપતાં પણ અટકાવી દીધા છે.
ગત 7 અઠવાડિયાથી તમામ રાજ્યો બંધ છે

રિપોર્ટમાં કહેવાયું છે કે હાલ અમેરિકામાં ચેપથી દરરોજ થતાં મૃત્યુની સંખ્યા 1750 છે, જેમાં 70 ટકા વધારો થઈ શકે છે. જ્યારે ચેપના દરરોજ આવતા 25,000થી વધુ કેસ વધીને 2 લાખને આંબી શકે છે. આ અંદાજ ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના બનાવેલા પબ્લિક મોડેલ આધારિત છે. મનાય છે કે ચેપના આંકડાને જાણીજોઈને એટલા માટે ઓછા બતાવઈ રહ્યાં છે કેમ કે ગત 7 અઠવાડિયાથી તમામ રાજ્યો બંધ છે અને તેની અસર સીધી રીતે અમેરિકી અર્થતંત્ર પર થઇ રહી છે. જોકે નિષ્ણાતો પહેલાંથી કહી ચૂક્યા છે કે જો તમામ રાજ્યો ફરીથી ખોલવામાં આવશે તો પરિણામ ભયાવહ રહેશે.
વ્હાઈ હાઉસ ચીફને પૂછ્યાં વિના નિવેદન ન આપતા
વ્હાઈટ હાઉસની કોરોના વાઈરસ ટાસ્કફોર્સના અધિકારીઓને કહ્યું છે કે તે પ્રેસ અને કોંગ્રેસના ચીફ માર્ક મિડોની મંજૂરી વિના કોઈ નિવેદન નહીં આપે. આ આદેશ સંબંધિત ઈમેઈલ ન્યુયોર્ક ટાઈમ્સ પાસે છે. સ્ટેટ, હેલ્થ, હ્યૂમન સર્વિસિઝ ઉપરાંત હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓને પણ સામે આવતા રોકી દેવાયા છે.
4 ઓગસ્ટ સુધી મૃત્યુની સંખ્યા વધશે : ઈન્સ્ટિટ્યૂટ
બીજી બાજુ વૉશિંગ્ટન યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ અનુસાર ઓગસ્ટની શરૂઆત સુધી અમેરિકામાં ચેપથી 1,35,000 મૃત્યુ થશે. આ આંકડો ગત 17 એપ્રિલે થનાર મૃત્યુના આંકડાથી બમણો છે જેમાં 4 ઓગસ્ટ સુધી 60,308 મૃત્યુ થશે તેવું જણાવાયું હતું. ઈન્સ્ટિટ્યૂટે નિવેદનમાં કહ્યું કે 11 મે સુધી તમામ 31 અમેરિકી રાજ્યોમાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગને નકારવાને લીધે ચેપ વધશે. રવિવારે જ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના ચેપથી 1 લાખથી વધુ મૃત્યુ થવાની આશંકા છે. પણ મૃત્યુના આ આંકડા તેમની સરકારના જ આંતરિક રિપોર્ટથી જુદા છે. બીજી બાજુ વ્હાઈટ હાઉસના પ્રવક્તા જૂડ ડેરીએ કહ્યું કે આ આંકડા ટાસ્ક ફોર્સ દ્વારા એકઠાં કરાયેલાં નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર ન્યૂજર્સીની છે, જ્યાં એક શબ દફનાવાઈ રહ્યું છે.


from Divya Bhaskar https://ift.tt/2L38q7V

My daughter would want to join army, says slain Colonel Ashutosh Sharma's wife Pallavi

My daughter would want to join army, says slain Colonel Ashutosh Sharma's wife Pallavi

from India Today | Top Stories https://ift.tt/2YDJifG

PadsAreEssential: 1,75,000 sanitary napkins distributed in Delhi, Punjab amid lockdown

PadsAreEssential: 1,75,000 sanitary napkins distributed in Delhi, Punjab amid lockdown

from India Today | Top Stories https://ift.tt/2xGLtnS

Trump administration failed to prepare for coronavirus, sought quick fix: Dr Rick Bright

Trump administration failed to prepare for coronavirus, sought quick fix: Dr Rick Bright

from India Today | Top Stories https://ift.tt/2L6dg4d

અમદાવાદમાં 39 મૃતકોમાંથી 7 દર્દીઓનું દાખલ થયાના દિવસે, જ્યારે 12નું બીજા દિવસે મોત

શહેરમાં રેકોર્ડબ્રેક 39 દર્દીના મોત થયા છે. જેમાં 30 મૃતકો રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તે વોર્ડના છે. મૃતકોમાં સૌથી વધુ જમાલપુરમાં 10ના થયા છે આ સાથે જમાલપુર વોર્ડનો મૃત્યુઆંક 79નો થયો છે જે સમગ્ર દિલ્હી રાજ્યના 64 અને ઉત્તરપ્રદેશના 56 કરતાં પણ વધુ છે. દાણીલીમડાના ચાર, સરસપુર-રખિયાલના ચાર, શાહપુર, મણિનગર અને સરખેજ વિસ્તારના ત્રણ, ગોમતીપુર, અસારવાના બે-બે અને બોડકદેવ, બાપુનગર, નવા વાડજ, સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા એક-એક વ્યકિતનો સમાવેશ થાય છે. કુલ 39 માંથી સાત દર્દીઓના મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના દિવસે જ થયા છે જયારે 12 દર્દીઓના મૃત્યુ દાખલ થયાના એક જ દિવસમાં થયા છે. 39 મૃતકોમાં 80 ટકા મૃત્યુ પામનારા વ્યકિત 60 વર્ષથી વધુની ઉંમરના છે. અને કુલ 39 માંથી 11 દર્દીઓના મૃત્યુ માત્ર કોરોનાના કારણે થયા છે બાકીના તમામને કોરોના સાથે અન્ય બિમારી હતી. એક કે બે દિવસમાં મૃત્યુ પામનારા લોકોમાં વાઈરસનું ઈન્ફેકશન શરીરમાં ગંભીર રીતે ફેલાવાના કારણે કોઈ સારવારની તેમને અસર નહીં થતી હોવાનું તબીબોનું કહેવુ છે. બોડકદેવના ગોયલ પ્લાઝામાં રહેતા આધેડનું પણ મોત થયુ હતુ. આશ્ચર્યની વાત એ છે કે જમાલપુર, ખાડિયા અને બહેરામપુરા નજીકના વિસ્તારો હોવા છતાં જમાલપુરમાં મૃત્યુ દર 11 ટકાનો છે જ્યારે ખાડિયામાં 4.7 ટકા અને બહેરામપુરામાં માત્ર 2.3 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં દેશના પોઝિટિવ કેસમાંથી માત્ર 9 ટકા અમદાવાદમાં પણ મૃત્યુ 25 ટકા
મંગળવારે કોરોનાના ગુજરાતમાં સામે આવેલા આંકડા ગંભીર સ્થિતિનો અંદેશો દર્શાવી રહ્યાં છે. કારણ કે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીતેલાં 24 કલાકમાં આખાં ભારતમાં જેટલાં નવા પોઝિટીવ કેસ આવ્યાં તે પૈકી 11 ટકા ગુજરાતના રહ્યાં તો કુલ મૃત્યુના કેસમાં 25 ટકા પ્રમાણ ગુજરાતનું રહ્યું. આખાં ભારતમાં નવા પોઝિટીવ કેસ 3,875 હતાં તેની સામે ગુજરાતમાં 441 નવા કેસ આવ્યાં તો ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે પચીસ ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.
ગુજરાતમાં પણ અમદાવાદનું પ્રમાણ વધુ હોઇ આખા ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકી 39 કેસ સાથે વીસ ટકા દર્દી અમદાવાદના હતાં. જ્યારે નવા નોંધાયેલાં પોઝિટીવ કેસમાં 349 કેસ સાથે અમદાવાદનું પ્રમાણ નવ ટકા રહ્યું. અમદાવાદમાં કુલ 4,425 પોઝિટીવ કેસ જ્યારે 273 મૃત્યુ નોંધાયાં છે. જ્યારે 704 દર્દી સાજાં થયાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2yxIiPB

ઉદ્યોગપતિ સજ્જન જિંદલે કહ્યુ- કોર્પોરેટ જગત કામના નવા ઉપાયો શોધે તો જ અર્થતંત્ર પાટા પર ચઢશે

કોરોના વાઇરસને કારણે દેશ 42 દિવસથી લૉકડાઉનમાં છે. તેનાથી લોકોની પર્સનલ અને પ્રોફેસનલ લાઇફમાં બહુ પરિવર્તન આવ્યું છે. વેપાર-ધંધામાં પણ તેની અસર દેખાઇ રહી છે. આ વાતોને જ ધ્યાનમાં રાખી ભાસ્કરે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને 14 બિલિયન ડોલર એટલે 1.6 લાખ કરોડ રૂપિયાની કંપની જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદલ સાથે વાતચીત કરી. તેમનું કહેવું છે કે આપણે રસી આવવા સુધી રાહ જોઇ શકીએ નહીં. વાઇરસ આજીવિકાઓ માટે જાખમ ન બને તેના માટે ન્યુ નોર્મલની અંદર જ કામ કરવાના ઉપાયો શોધવા પડશે. અહીં તેમની સાથે વાતચીતના અંશ રજુ છે...
સવાલ: કોરોનામાંથી બેઠા થવા ભારતને કેવી રૂપરેખાની જરૂર છે?
સજ્જન જિંદલ:
આપણે તે જોવું જોઇએ કે ભારત ટેક્સટાઇલ, લેધર, એગ્રો પ્રોસેસિંગ, દવાઓ, IT, મેટલ, માઇનિંગ ખાસ કરીને સ્ટીલ સહિત તમામ ક્ષેત્રમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બને. સરકારના સાહસિક નીતિવિષયક નિર્ણયો અને સમગ્ર દેશના બિઝનેસ લીડર્સના પ્રોએક્ટિવ અપ્રોચથી આમ થઇ શકશે, પછી ભલે સેક્ટર કોઇ હોય અને ઉદ્યોગ ગમે તેટલો મોટો કે નાનો કેમ ન હોય.
સવાલ:કોરોના પછી વર્ક કલ્ચરમાં ક્યા પ્રકારના ફેરફારની આશા કરી શકીએ?
સજ્જન જિંદલ:
લૉકડાઉને વિશ્વભરમાં ઘણા બધા સેક્ટરોમાં લોકો માટે ‘વર્ક ફ્રોમ હોમ’ને જરૂરી કરી દીધું છે. દૂરથી કામ કરવા દરમિયાન કુશળતાથી કામ કરવાની કર્મચારીઓની ક્ષમતા આપણને ભવિષ્યમાં કામકાજ અંગે ફ્લેક્સિબલ પોલિસી અપનાવવા પર ભાર મૂકશે. તેનાથી એવું કામકાજનું વાચાવરણ બનશે, જેમાં આવવા-જવામાં થતી સમયની બરબાદી ખતમ થઇ જશે અને ઉત્પાદકતા વધશે. જેમ જેમ વ્યવસાય જગતને ઘરથી કામ કરવાના વાતાવરણની સકારાત્મક અસર જોવા મળશે, તો ‘હોમમેકર્સ’(ગૃહિણીઓ)ને પણ નવા અવસર મળશે.
સવાલ: તમારા વ્યવસાય પર શોર્ટટર્મ અને લોન્ગ ટર્મ શું અસર થશે અને તમારી શું યોજના છે?
સજ્જન જિંદલ:
શોર્ટ ટર્મની વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિઓમાં બહુ જ ઘટાડો થયો છે. નબળી માગના કારણે ઉપયોગિતા ઘટી છે અને માર્જિન પણ ઘટ્યુંં. તેના પરિણામે નફાની સ્થિતિ નબળી પડી છે. પછી ખર્ચની શૈલીના સ્તરે હું ગ્રાહકોના વ્યવહારમાં પણ ફેરફાર જોઇ રહ્યો છું. તેની પણ દૂર સુધી અસર રહેશે. આ જે અણધાર્યા પરિવર્તન આવવાના છે, તેના માટે વ્યવસાય જગતે પણ કામકાજના બિન પરંપરાગત ઉપાયો સોધવા પડશે. જેને સરાકારી નીતિગત પગલાંના ટેકાની પણ જરૂર પડશે, જેથી અર્થતંત્રને પાટા પર લાવવા ‘વી’ આકારના ગ્રાફની તીવ્ર સ્પીડ આપી શકાય. જ્યાં સુધી લાંબા ગાળાના પરિવર્તનની વાત છે તો બધા વ્યવસાયને આવા પ્રકારના તબક્કાને લાંબા સમય સુધી સહન કરવા રોકડનું પુરતું બફર નિર્માણ કરવાની સાથે મજબૂત બેલેન્સશીટ બનાવવી પડશે. અત્યાર સુધી વ્યલસાય જગત આવા પ્રકારની લોન્ગ ટર્મ અફડાતફડી માટે કન્ટેન્જન્સી પ્લાન (આકસ્મિક યોજના) બનાવતું નહતું. મને લાગે છે કે હવે આ દિશામાં પરિવર્તન આવશે. જેએસડબ્લ્યુ ગ્રુપમાં અમે પણ નવા નિયમો-પરંપરાઓને અપનાવી રહ્યા છીએ. અમે શરૂઆતથી અમારા ખર્ચ આધારની તપાસ કરી રહ્યા છીએ અને ટેક્નોલોજી, ડિજિટલાઇઝેશન અને ઇનોવેશનને ફરીથી જોઇ રહ્યા છીએ, જેથી બધા પડકારોનો સામનો કરી શકાય. મારું મનવું છે કે અમે પહેલાંથી વધુ મજબૂત થઇ આ સંકટમાંથી બહાર આવીશું.
સવાલ:​​​​​​​​​​​​​​સરકારે કોરોના સામે લડવા માટે જે પગલાં ભર્યા છે તેમને તમે કેવી રીતે જુઓ છો?
સજ્જન જિંદલ:
સરકારે ચેપના વધતા ગ્રાફને નીચે લાવવા નીચે લાવવા જે પગલાં ભર્યા છે તે પ્રશંસનીય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પ્રાથમિક સ્તરે સરકારી રોકાણની તાતી જરૂર છે. ઉદ્યોગજગતને ઓછા વ્યાજદરે લોન મળવી જોઇએ. મોટા ભાગના વિકસિત દેશોમાં લોનના વ્યાજદર ઝીરો ટકાની નજીક છે જ્યારે ભારતમાં હજુ પણ લગભગ 10 ટકા છે. રિઝર્વ બેન્કે રોકડની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે પણ બેન્કો હજુ પણ જોખમ લેવાની વિરુદ્ધમાં જ છે અને ઉદ્યોગોને, ખાસ કરીને એમએસએમઇને લોન નથી આપતી. કમનસીબે તેના કારણે આર્થિક વાપસીની ઝડપ ધીમી થઇ જશે. અર્થતંત્રમાં તત્કાળ ઝડપી કૅશ ફ્લોની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને પગલાં લેવા પડશે.
સવાલ:​​​​​​​​​​​​​​તમારી કંપની પર કોરોનાની શું અસર થઇ છે? તમારા સેક્ટરને કઇ રીતે જુઓ છો?
સજ્જન જિંદલ:
અમારા સેક્ટર સહિત વ્યવસાય જગત પર અસરના મને મુખ્ય બે મુદ્દા દેખાય છે. એક, ખૂબ જ ભરોસાપાત્ર સપ્લાય ચેન અચાનક અસ્તવ્યસ્ત થઇ ગઇ છે અને બીજું, વિવિધ બિઝનેસ પ્રોસેસીસમાં ઓટોમેશન અને ડિજિટલાઇઝેશન પ્રમાણમાં ઓછું છે. મને લાગે છે કે સેક્ટર આ બન્ને બાબત અપનાવવાની ઝડપ વધારશે. તેનાથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ડિલીવરી આપવાની દિશામાં સપ્લાય ચેન સરળ-સુગમ બનાવવા, કાર્યક્ષમતા સુધારવા, ઉત્પાદકતા વધારવા અને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. અહીં ડિજિટલાઇઝેશન લેબર ફોર્સ હટાવવાના અર્થમાં નથી પણ તે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવા આપવાનો વૈકલ્પિક રસ્તો છે.
સવાલ:​​​​​​​​​​​​​​તેણે કઇ હદ સુધી 2020-21 માટે બિઝનેસ પ્લાન બદલ્યો છે?
સજ્જન જિંદલ:
આ નવા નાણાકીય વર્ષની શરૂઆત જ વૈશ્વિક સ્તરે ઉથલ-પાથલ લાવનારી રહી છે. હું 2020-21ને લઇને આશાવાદી છું. મને ખાતરી છે કે સેકન્ડ હાફ પછી અર્થતંત્ર ‘વી’ ગ્રાફની માફક ખૂબ જ મજબૂત વાપસી કરશે. સરકારી નીતિઓ, નાણાકીય પેકેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. પછી અમે સાનુકૂળ ચોમાસા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અપેક્ષિત ખર્ચ દ્વારા અર્થતંત્રને મળનારી મદદ તથા બહેતર વિદેશી મૂડીરોકાણની (કોવિડ-19 સામે લડવામાં ભારતનાબહેતર પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં) આશા રાખીએ છીએ.
સવાલ:​​​​​​​કોરોનાની અસરોમાંથી બેઠા થવા માટે તમારી કંપનીમાં શું પગલાં લેવાઇ રહ્યા છે?
સજ્જન જિંદલ:
અમે અમારા તમામ પ્લાન્ટ લોકેશન્સ પર વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય વિવિધ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અપનાવી છે. તે અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સિંગ, વ્યાપક સ્તરે ટેમ્પ્રેચર સ્ક્રીનિંગ, વર્કપ્લેસીસ, ટાઉનશિપ અને લેબર કોલોનીઓનું સેનિટાઇઝેશન, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ પરના વર્કર્સ અને જરૂર જણાય તો વિઝિટર્સની એન્ટ્રી-એક્ઝિટના કડક નિયમો સામેલ છે. અમે વર્ષની શરૂઆતથી જ ઝીરો ટ્રાવેલ પોલિસી લાગુ કરી દીધી છે. કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી આપણે બધાએ આ ‘ન્યૂ નોર્મલ’ની લિમિટમાં જ કામ કરવાના રસ્તા શોધવા પડશે અને સંકટ વચ્ચે તકો શોધવાની રહેશે.
​​​​​‘મેં અમે પરિવારે સક્રિન ટાઇમને મર્યાદિત કરી દીધું’
પ્રોફેશનલ સ્તરે મને ‘ન્યુ નોર્મલ’માં કામ કામ કરવું પડી રહ્યું છે. હાલમાં બાળકો પૌત્ર-પૌત્રીઓ સહિત પરિવારની સાથે મળઈ સમયનો આનંદ લઇ રહ્યો છું. લૉકડાઉને આપણને એક-બીજાની સાથે રહેવાનો બહુ સમય આપ્યો છે. મેં અને મારા પરિવારે આ સમયને એક સૂત્રમાં બાંધ્યો છે. -સ્ક્રિમ ટાઇમને મર્યાદિત કરી એક્સરસાઇઝને પ્રાથમિક્તા આપી છે. મેં મારા ગ્રુપમાં વિવિધ ટીમોને વૈશ્વિક અપડેટ રહેવા, હેલ્ધી દિનચર્યા વિતાવવા અને સકારાત્મકતા જાળવી રાખવની દિશામાં પ્રોત્સાહિત કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદલ.


from Divya Bhaskar https://ift.tt/3c96mHk

25 મેથી 5 જૂન કોરોના ચરમસીમાએ પહોંચી શકે છે: ડૉ. રણદીપ ગુલેરિયા

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં એકાએક ચારેક હજારનો વધારો ચોંકાવનારો છે. જોકે, હજુ આ દર્દીઓની મહત્તમ સંખ્યા નથી. આવનારા દિવસોમાં આ આંકડો હજુ વધી શકે છે. દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર પ્રો. રણદીપ ગુલેરિયાના જણાવ્યાનુસાર ભારતમાં મે મહિનાના છેલ્લા કે જૂનના પહેલા અઠવાડિયામાં કોરોના તેની ચરમસીમાએ પહોંચી શકે છે. લૉકડાઉનના કારણે હાલ કેસ વધવાનો દર નીચો રહ્યો છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું તો ક્યારેય પીક નહીં આવે
બીજી તરફ એઇમ્સના જ કમ્યૂનિટી મેડિસિનના પ્રો. સંજય રાય કહે છે કે હાલ આ ઝડપે જ દર્દીઓની સંખ્યા વધતી રહેશે પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દર્દીઓની સંખ્યા મહત્તમ થઇ શકે છે. દરમિયાન, સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ભારતમાં કોરોના તેની ચરમસીમાએ ક્યારે હશે તે આપણે સૌ ભેગા મળીને તેનો કેવી રીતે મુકાબલો કરીએ છીએ તેના પર નિર્ભર છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું તો ક્યારેય પીક નહીં આવે. લૉકડાઉન પહેલાં 3.4 દિવસમાં દર્દીઓ બમણા થયા જ્યારે લૉકડાઉનમાં 12 દિવસમાં.

શ્રમિકોની ઘરવાપસીની અસર આવનારા દિવસોમાં જોવા મળશે
આઇસીએમઆરના વિજ્ઞાની ડૉ. આર. ગંગાખેડકરના જણાવ્યાનુસાર અન્ય રાજ્યોમાં કામ કરતા શ્રમિકોની ઘરવાપસી બાદ સર્જાનારી સ્થિતિ પર ઘણું બધું નિર્ભર રહેશે. હાલ વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતી શ્રમિકો તેમના ઘરે પાછા જઇ રહ્યા છે. તેની અસર આવનારા દિવસોમાં જોવા મળશે. જો તેમનામાં ચેપ ન ફેલાયો હોય અને સ્થિતિ સારી રીતે કાબૂમાં લઇ લેવાય તો દર્દીઓનો વર્તમાન ટ્રેન્ડ જારી રહેશે પણ જો તેમનામાં ચેપ ફેલાઇ ગયો તો કંઇ કહેવું મુશ્કેલ છે.
રાજ્યોમાં પરત ફરનારા શ્રમિકોનું મોટા પાયે ટેસ્ટિંગ જરૂરી: સુજાતા રાવ
પૂર્વ સ્વાસ્થ્ય સચિવ સુજાતા રાવનું કહેવું છે કે સરકાર પહેલા દિવસથી કહી રહી છે કે કોરોનાથી બચવા માટેની સૌથી સારી રસી સોશિયલ ડિસ્ટન્સિંગ છે પણ હવે સરકારના નિર્ણયો અને તેના અમલના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન મુશ્કેલ બની રહ્યું છે. શ્રમિકો ટ્રેનોમાં મોટી સંખ્યામાં ઘરે પાછા ફરી રહ્યા છે. રાજ્યોમાં કદાચ જ આટલી મોટી વસતીને ક્વોરેન્ટાઇન કરવાની વ્યવસ્થા હશે. તેમણે કેરળની જેમ કામ કરવું પડશે. વધુમાં વધુ ટેસ્ટિંગ કરવાથી જ દર્દીઓનો સાચો આંકડો જાણવા મળશે. લાંબા સમય સુધી લૉકડાઉન રહ્યું તે દરમિયાન શ્રમિકોને તેમના રાજ્યમાં પહોંચાડવાનો ફુલપ્રૂફ પ્લાન બનવો જોઇતો હતો. એક તરફ ઉદ્યોગો શરૂ કરાઇ રહ્યા છે અને બીજી તરફ શ્રમિકોને ઘરે મોકલાય છે, જે દર્શાવે છે કે સરકારની તૈયારીઓ બરાબર નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર પ્રો. રણદીપ ગુલેરિયાની ફા્ઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2SHQWlH