
બુધવાર, 8 જુલાઈએ શ્રાવણ મહિનાના વદ પક્ષની ચોથ તિથિ છે. આ દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે બુધવાર અને ચોથના યોગમા ગણેશજી સાથે જ બુધગ્રહ માટે વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશ પૂજામાં ભગવાનના 12 નામ મંત્રનો જાપ કરો. જાપ ઓછામાં ઓછો 108વાર કરવો.
ગણેશજીની પૂજા આ રીતે કરી શકો છોઃ-
ગણેશ ચોથના દિવસે સવારે જલ્દી જાગવું, સ્નાન બાદ સોના, ચાંદી, તાંબા, પીત્તળ અથવા માટીના વાસણથી બનેલી શ્રીગણેશની પ્રતિમા સ્થાપિત કરો. ગણેશજીને જનોઈ પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો. ચોખા સહિત અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો.
ગણેશ મંત્ર ૐ ગં ગણપતયૈ નમઃ બોલીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો. લાડવાનો ભોગ ધરાવો. કપૂરથી આરતી કરો. પૂજા બાદ પ્રસાદ અર્પણ કરો.
ગણેશજીના આ 12 નામ મંત્રનો જાપ કરોઃ-
ગણેશજીને દૂર્વાની 11 અથવા 21 ગાંઠ ચઢાવો અને દૂર્વા ચઢાવતી સમયે આ મંત્રનો જાપ કરો. ૐ ગણાધિપતયૈ નમઃ. ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ વિઘ્નનાશનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ઈશપુત્રાય નમઃ, ૐ સર્વસિદ્ધપ્રદાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ કુમારગુરવે નમઃ.
બુધ ગ્રહ માટે આ શુભ કામ કરોઃ-
દર બુધવારે બુધ ગ્રહ માટે વિશેષ પૂજન કરવું જોઇએ. આવું કરવાથી કુંડળીના બુધ ગ્રહ સાથે સંબંધિત દોષ દૂર થઇ શકે છે. બુધવારે લીલા મગનું દાન કરો. ગણેશ પૂજામાં બુધના મંત્ર ૐ બું બુધાય નમઃનો જાપ 108વાર કરો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fcuqdG
No comments:
Post a Comment