
પ્રથમ વખત બાબા બર્ફાનીની વિશેષ પૂજાનું લાઈવ પ્રસારણ રવિવારે સવારે સાડા સાત કલાકે થવા જઈ રહ્યું છે. પ્રસારણ 3 ઓગસ્ટ સુધી એટલે કે, રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. તેના માટે દૂરદર્શનની 15 લોકોની ટીમ ગુફા પરિસરમાં રહેશે. સૂત્રો અનુસાર, રવિવારે થનારી વિશેષ પૂજામાં લે. ગવર્નર ગિરીશ ચંદર મૂર્મૂ પણ ભાગ લઈ શકે છે.
હેલિપેડ અને કેમ્પ તૈયાર
આ વખતે યાત્રા થશે નહીં એ નક્કી કરવા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદર મૂર્મુની અધ્યક્ષતામાં 6 જુલાઈના રોજ શ્રીનગરમાં બેઠક થઈ શકે છે. જેમાં યાત્રા શરૂ કરવાની તારીખ, નોંધણી અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. સૂત્રો અનુસાર, કોરોના રોગચાળાને જોતાં આ વખતની યાત્રા ઓછા સમય માટે નક્કી કરી શકાય છે. તંત્રએ નક્કી કર્યું છે કે, જો મંજૂરી મળે છે તો તે બાલતાલના રસ્તે જ થશે. પહેલગામના પારંપરિક માર્ગ પર નહીં. બાલતાલ વાળા રસ્તામાં 16 કિમીની ચઢાઈ છે. આ જ રસ્તાથી શ્રદ્ધાળુઓ એકથી બે દિવસમાં દર્શન કરીને પાછા ફરી શકે છે. બાલતાલ માર્ગમાં ચાર હેલિપેડ અને બેઝ કેમ્પ તૈયાર થયા છે.
ઘાટીમાં 10માંથી 9 જિલ્લા રેડ ઝોનમાં
સૂત્રો અનુસાર આ વખતે હેલિકોપ્ટર દ્વારા પણ યાત્રા કરાવી શકાય છે. રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમ યાત્રાના સ્વરૂપ પર કામ કરી રહ્યા છે. તેમણે વૈકલ્પિક સડક માર્ગ નીલગ્રથથી બાલતાલમાં ચાલી રહેલા કાર્યોનું પણ નીરિક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા માટે કડક નિયમ લાગુ થઈ શકે છે. ચકિત્સા વ્યવસ્થા પર ધ્યાન આપવું પડશે. ઘાટીમાં 10માંથી 9 જિલ્લા રેડ ઝોનમાં છે. યાત્રા માટે જમ્મુ-કાશ્મીર માટે બહારના ડોક્ટરો ઉપલબ્ધ રહેશે નહીં. જો યાત્રાને મંજુરી મળી તો એક દિવસમાં માત્ર 500 લોકોને જ જમ્મુથી રવાના કરાશે. દરેક શ્રદ્ધાળુનો કોવિડ ટેસ્ટ કરાશે.
ગયા વર્ષે ધમકી મળતા યાત્રા રોકી હતી
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો પણ યાત્રાના માર્ગે ગોઠવવામાં આવી છે. પિટ્ઠુવાળા અને પોનીવાળાને યાત્રામાં સામેલ કરવાની મંજૂરી અંગે નિર્ણય લેવાયો નથી. સ્વયંસેવી સંસ્થાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. ગયા વર્ષે 2 ઓગસ્ટના રોજ આતંકવાદી ધમકી અને માર્ગમાં વિસ્ફોટક મળતાં યાત્રા રોકીદેવાઈ હતી.
હેલિકોપ્ટરથી પણ શ્રદ્ધાળુઓને મોકલી શકાશે, ચાર હેલિપેડ તૈયાર
બાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુથી મહત્તમ 500 શ્રદ્ધાળુને મંજૂરી મળી શકે છે. દરેક શ્રદ્ધાળુનો કોરોના ટેસ્ટ થશે. કાશ્મીર ઘાટીમાં 10માંથી 9 જિલ્લા કોરોનાના લીધે રેડ ઝોનમાં છે. આથી બોર્ડ આ વખતે યાત્રા નાની રાખવા માગે છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી કોરોના 8,019 સંક્રમિત દર્દી મળ્યા છે, જેમાંથી 2,825 હજુ પણ સક્રિય છે જ્યારે 199 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3f3tOac
No comments:
Post a Comment