Ad

Monday, May 25, 2020

રણમાં 45 ડિગ્રી આગ ઓકતી ગરમીમાં મીઠું પકવતા અગરિયા, આસપાસ ક્યાંય વૃક્ષ નહીં એટલે છાંયડા માટે તરસવું પડે છે

પાછલા અેક અઠવાડિયાથી પડી રહેલી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. હાલમાં રણમાંથી ખારાઘોડા મીઠું ખેંચવાની સિઝન પુરજોશમાં ચાલી રહીં છે. ત્યારે સોમવારે ખારાઘોડા રણમાં ભયંકર લૂની સાથે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી જતા રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય અને મીઠાં મજૂરી થકી પેટીયું રળતા મીઠા કામદારોની હાલત અત્યંત કફોડી બનવા પામી હતી. એમાંય રણમાં માઇલો સુધી ક્યાંય ઝાડ કે ઝાડી ઝાંખર ન હોવાથી અગરિયાઓ અને મીઠા કામદારો વાહનોની આડમાં છાંયડો શોધી આરામ કરતા કેમેરામાં કેદ થઇ ગયા છે. આગામી એકાદ બે દિવસમાં હવામાન ખાતાએ ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોંચવાની દહેશત વ્યક્ત કરી છે.ખારાઘોડામાં હિંદુસ્તાન સોલ્ટ લિ.માં સોમવારે ગરમીનો પારો 45 ડિગ્રી પાર નોંધાયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મીઠું પકવતો અગરિયા સમુદાય


from Divya Bhaskar https://ift.tt/2X2kOfa

બાળકો રસ્તામાં પોલીસે પિતાને માર્યા તેવી યાદો સાથે મોટા ના થાય, એટલે મેં આ પ્રયાસ કર્યા: સોનુ સૂદ

‘15 મે આસપાસની વાત છે. હું પ્રવાસીઓને ઢાળેમાં ફળ અને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યો હતો. તેમણે પગપાળા જ કર્ણાટક અને બિહાર જતા હોવાની વાત કરી. આ સાંભળી હું પોતે ચોંક્યો કે આ લોકો બાળકો અને વડીલો સાથે પગપાળા કેવી રીતે જશે. મે તેમને કહ્યું કે- તમે 2 દિવસ રોકાઈ જાવ હું તમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપીશ. ના કરી શકું તો જતા રહેજો.’
હું કામ કરતો ગયો અને સંખ્યા વધતી રહી-સોનુ સૂદ
આ રીતે ફિલ્મ એક્ટર અને પ્રોડ્યૂસર સોનુ સૂદે પ્રવાસીઓને ઘરે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી. 2 દિવસ સોનુએ કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્રમાં પોલીસની મંજૂરી લીધી અને પ્રથમવારમાં 350 લોકોને યુપી મોકલ્યા. સોનુએ કહ્યું કે,‘હું કામ કરતો ગયો અને સંખ્યા વધતી રહી. અગાઉ આ માટે 10 કલાક કામ કરતો હતો. હવે 20 કલાક કામ કરું છું. સવારે 6 વાગ્યાથી મારો ફોન વાગવા લાગે છે. મારો સંપૂર્ણ સ્ટાફ, મિત્ર નીતિ ગોયલ પણ સાથ આપી રહ્યાં છે. પ્રયાસ છે કે કોઈપણ બાકી ના રહે.’
હું બાળકોની યાદો સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું
સોનુ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાતે નજર રાખે છે. સોનુએ કહ્યું કે,‘રોજ અમે 1000-1200 લોકોને યુપી, બિહાર, તેલંગાણા અને કર્ણાટક મોકલીએ છીએ.’ મદદના નામ પર ઘરે મોકલવાનું કામ શા માટે કર્યું? આ અંગે સોનુએ કહ્યું કે,‘જ્યારે આ લોકોના ચાલતા જતા જોયા તો વિચાર્યું કે આ બાળકો મોટા થઈને એવી યાદો સાથે મોટા થશે કે તેમના પિતાને રસ્તામાં પોલીસે ડંડા માર્યા હતા. પરિવારના વડીલો રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. હું આ બાળકોની યાદો સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું મોગાથી મુંબઈ આવ્યો ત્યારે મારી પાસે રિઝર્વેશન પણ નહોતું. પૈસા નહોતા. મે વિચાર્યું કે આ લોકો મારા કરતા પણ ખરાબ સ્થિતિમાં ઘરે જઈ રહ્યાં છે.’
પરિવારજનો કહેતા હતા કે- ગરીબોની મદદને સફળતા માનજે
સોનુ પંજાબના મોગા જીલ્લાનો રહેવાસી છે. પ્રોફેશનલ એન્જિનિયર રહ્યો છે. માતા પ્રોફેસર હતા. તે સવાર-સાંજ ગરીબ બાળકોને ભણાવતા. પિતા શક્તિસાગર કપડાનો શોરૂમ ચલાવતા, જેને સોનુ આજે સ્ટાફની મદદથી ચલાવે છે. સોનુ કહે છે કે- પરિવારમાં બીજાની મદદનો જુસ્સો એવો હતો કે માતા-પિતા કહેતા રહેતા કે, ગરીબોની મદદને જ સફળતા માનવાનું રાખજે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Children don't grow up with memories of their father being beaten by the police on the road, so I tried this: Sonu Sood


from Divya Bhaskar https://ift.tt/2AbtMxn

Maharashtra: Desert locusts enter Vidarbha region

Maharashtra: Desert locusts enter Vidarbha region

from India Today | Top Stories https://ift.tt/2B1OvV3

Heartwarming! Brother helps specially-abled sister score a basket

Heartwarming! Brother helps specially-abled sister score a basket




from News - Videos - The Times of India https://ift.tt/3ek48Fw

How we can use AI in fight against Covid-19



from Times of India https://ift.tt/3gn3JnF

12 ઓગસ્ટ 1948ના રોજ અંગ્રેજોને બ્રિટનમાં હરાવ્યા, બલબીર સિંઘ કહેતા કે- આ મારો અસલી આઝાદ દિન

વિખ્યાત હોકી ખેલાડી બલબીર સિંઘ સિનિયરનું સોમવારે સવારે 96 વર્ષની ઉંમરે પંજાબના મોહાલીમાં નિધન થઈ ગયું. છેલ્લા બે અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ભારત તરફથી 61 મેચમાં 246 ગોલ કરનારા બલબીર સિંઘ લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબર્ન (1956) ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતા. તેમણે વિશ્વ ઓલિમ્પિક કમિટીના આધુનિક ઓલિમ્પિક ઈતિહાસના 16 મહાન ખેલાડીમાં સામેલ હતા. હોકી ટીમના પૂર્વ કેપ્ટન વાસુદેવન ભાસ્કરન અને અશોક કુમાર જણાવે છે કે, કેમ તેઓ મહાન હોકી ખેલાડી મનાય છે...
પૂર્વ કેપ્ટને ભાસ્કરને કહ્યું- બલબીરની ફોરવર્ડ રમવાની સલાહ માની તો 1980માં અમે ફરી ગોલ્ડ જીત્યો
છેવટે 1980 ઓલિમ્પિકમાં અમે ગોલ્ડ પણ જીત્યા
હોકીમાં છેલ્લીવાર 1980માં ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવનારી ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન વાસુદેવન ભાસ્કર કહે છે કે, બલબીરે દેશને એ સમયે સફળતા અપાવી હતી, જ્યારે ગણ્યાંગાંઠ્યા ખેલાડીઓને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતી હતી. પતિયાલામાં 1970માં યુનિવર્સિટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તેઓ યુવાન હતા અને સારા ખેલાડી હતા. એક કલાકના ક્લાસમાં તેમણે મને કહ્યું કે, તમે ઘણું અગ્રેસિવ રમો છો. સેન્ટર હાફ સિવાય તારી અંદર ફોરવર્ડ રમવાની પણ સ્કિલ છે. બંને પોઝિશન પર રમ્યા પછી જ તુ સારો ખેલાડી બની શકીશ. મેં તેમની સલાહ માની લીધી. છેવટે 1980 ઓલિમ્પિકમાં અમે ગોલ્ડ પણ જીત્યા.
આંખ ખૂલે તો તિરંગો દેખાવો જોઈએ
બલબીર સિંહ જ્યારે ચંદીગઢ પીજીઆઈમાં ભરતી હતા, ત્યારે તેમણે નાતી કબીરને કહીને સામે તિરંગો લગાવ્યો હતો. જેથી આંખ ખૂલતા જ તેમને ફક્ત તિરંગો દેખાય. તેઓ આઝાદી દિન પણ 12 ઓગસ્ટ, 1948ને જ માનતા હતા કારણ કે, ત્યારે ભારતે બ્રિટનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.
ભૂલોમાંથી શીખીને વર્લ્ડ કપ જીતી જ લીધો- અશોક કુમાર
બલબીર સિંહની અન્ડરમાં રમી ચૂકેલા અશોક ધ્યાનચંદે કહ્યું કે, હું પહેલીવાર 1970માં એશિયન ગેમ્સમાં તેમને મળ્યો હતો. એ વખતે તેઓ ટીમ મેનેજર હતા. ફાઈનલમાં અમારી મેચ પાકિસ્તાન સામે હતી. તેમણે પ્રપોઝલ મૂકી કે, અશોક અને ગોવિંદાને પણ રમાડો, પરંતુ સિનિયરો ના માન્યા. પરિણામે એ મેચ અમે હારી ગયા. 1971ના વર્લ્ડ કપમાં પણ હું તેમની સાથે હતો. સેમિફાઈનલમાં અમે ફરી પાકિસ્તાન સામે હારી ગયા. એ હારથી કોચ, મેનેજર બંને ખૂબ દુ:ખી હતા. તેઓ બાળકોની જેમ રડ્યા. પછી ભૂલોમાંથી શીખીને 1975 વર્લ્ડ કપ માટે ટીમ બનાવી. ફાઈનલ પહેલા અમે ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ અને ચર્ચ ગયા, અમે વર્લ્ડ કપ જીતી ગયા.
1956 ઓલિમ્પિકમાં બલબીર ફ્રેક્ચર છતાં ઈન્જેક્શન લઈ ઉતર્યા હતા
ભારતીય હોકી ટીમના દિગ્ગજ ખેલાડી રહેલા બલબીર સિંહ સિનિયરનું સોમવારે નિધન થયું. 1948, 1952 અને 1956 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર 96 વર્ષીય બલબીરની કેપ્ટન્સીમાં ટીમે 1956માં પાક.ને હરાવી ગોલ્ડ જીત્યો હતો. 1956ના મેલબોર્ન ઓલિમ્પિકની પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 14-0થી હરાવ્યું હતું. બલબીરે મેચમાં 5 ગોલ કર્યા પરંતુ તેમની જમણી આંગળીમાં ફ્રેક્ચર થયું, પરંતુ તેમના ફ્રેક્ચરની વાત છુપાવવામાં આવી. ફાઈનલમાં તેઓ 3 પેઈન કિલર ઈન્જેક્શન લઈ ઉતર્યા. ટીમે આ મેચ 1-0થી જીતી. ફાઈનલ મેચ અગાઉ પણ એક ઘટના બની. બલબીરે પોતાની બાયોગ્રાફી ‘ધ ગોલ્ડન હેટ્રિક’માં લખ્યું કે, તમામ ખેલાડી મેચ અગાઉ બસમાં બેઠાને તુરંત ભોપાલ હોકી એસોસિએશનના સેક્રેટરી રહેલા એમટી અન્સારીને છીંક આવી. જેના કારણે હોકી એસોસિએશનના ઉપાધ્યક્ષ અશ્વિની કુમારે અન્સારીને ઠપકો આપ્યો, તેઓ બલબીરને પોતાના રૂમમાં લઈ ગયા અને કહ્યું કે-‘તુ મને અંધવિશ્વાસી કહી શકે છે, પરંતુ તારે ટ્રેક સૂટ અને શૂઝ ઉતારવા પડશે. તુ 5 મિનિટ બેડ પર સુઈ જા. મે એમ જ કર્યું. થોડીવાર પછી અમે તે જ બસમાં મેદાન માટે જવા નીકળ્યા.’
ઓલિમ્પિક બ્લેઝર અને મેડલ સાઈને લીધે ગુમ થયું
બલબીરે 1985માં સાઈને ઓલિમ્પિક બ્લેઝર, મેડલ અને 100થી વધુ તસવીરો સ્પોર્ટ્સ મ્યૂઝિયમ માટે દાનમાં આપી હતી. પરંતુ મ્યૂઝિયમ બન્યું નહીં. છેલ્લા 8 વર્ષથી તેઓ આ સામાન પરત લેવા પ્રયાસો કરી રહ્યાં હતા. સાઈએ અગાઉ સામાન ના મળવાની વાત કરી. પરંતુ પછી સામાન ગુમ થયાની વાત સ્વીકારી.
બ્રિટન વિરુદ્ધ તેના ઘરઆંગણે 2 ગોલ કર્યા
બલબીરનો એક રૂમ એક રીતે મ્યૂઝિયમ છે. જ્યાં તમામ હોકી સંબંધિત વસ્તુઓ જોવા મળી શકે છે. તેમના સર પાસે તે ગોલ્ડન સ્ટિક હંમેશા રહેતી હતી, જેના કારણે 1948 લંડન ઓલિમ્પિકમાં અંગ્રેજો વિરુદ્ધ તેમના ઘરઆંગણે જ ગોલ કર્યા હતા.
હંમેશા કહેતા કે મેચ ગોલ કરીને જ જીતી શકાય
‘બલબીરની કોચિંગ સ્ટાઈલ અન્યો કરતા અલગ હતી, તેઓ આક્રમકતાને પ્રાથમિકતા આપતા. તેઓ હંમેશા કહેતા કે કોઈપણ મેચ ગોલ કરીને જીતી શકાય છે, ના કે ડિફેન્સ કરીને.’- સૈયદ જલાલુદ્દીન, પૂર્વ ખેલાડી
બલબીરથી યુવા ખેલાડીએ શીખવું જોઈએ
‘મે જુના સાથીને ગુમાવ્યો. 1956 ઓલિમ્પિકમાં અમે સાથે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ સાથે કામ કર્યું. યુવા ખેલાડીઓએ તેમની પાસેથી શીખ લેવાની જરૂર છે.’- મિલ્ખા સિંહ, પૂર્વ એથ્લિટ
ડેબ્યૂ મેચમાં ડબલ હેટ્રિકનો રેકોર્ડ યથાવત્
બલબીરે ઓલિમ્પિક ડેબ્યૂ 1948માં આર્જેન્ટિના વિરુદ્ધ કર્યું. તેમણે 6 ગોલ કર્યા. આ રેકોર્ડ હજુસુધી યથાવત્ છે. તેમણે 1952 હેલસિન્કી ઓલિમ્પિકમાં ફાઈનલમાં નેધરલેન્ડ વિરુદ્ધ 5 ગોલ કર્યા હતા. આ પણ વર્લ્ડ રેકોર્ડ છે. બલબીર 1975માં વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના મેનેજર હતા. 2012 લંડન ઓલિમ્પિક દરમિયાન વિવિધ રમતોમાંથી પસંદ કરાયેલા 16 મહાન ખેલાડીઓમાં બલબીર સિંહ સામેલ હતા. 1957માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.
ઉપલબ્ધિઓ

  • મેલબોર્ન ઓલિમ્પિક (1956)માં પોતાની કેપ્ટન્સીમાં ગોલ કરવા દીધા વગર ગોલ્ડ મેડલ અપાવ્યો. ભારતે 5 મેચોમાં 38 ગોલ કર્યા.
  • હેલસિન્કી (1952) તથા મેલબોર્ન (1956) ઓલિમ્પિકમાં ફ્લેગ બિયરર રહ્યાં.

ગોલ રેકોર્ડ
ઈન્ટરનેશનલ કરિયર:
61 મેચ, 246 ગોલ
ઓલિમ્પિક: 8 મેચ, 22 ગોલ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બલબીર સિંહ જ્યારે ચંદીગઢ પીજીઆઈમાં ભરતી હતા, ત્યારે તેમણે નાતી કબીરને કહીને સામે તિરંગો લગાવ્યો હતો.


from Divya Bhaskar https://ift.tt/3cXXRPE

ચીને ભારતમાં વસતા તેના 1.4 લાખ નાગરિકોને પરત બોલાવ્યા, બંને દેશોએ સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી 

લદ્દાખમાં નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તનાવ તથા ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા વધારાને પગલે ચીને ભારતમાં રહેતા પોતાના તમામ નાગરિકોને પરત બોલાવવા માટે તજવીજ હાથ ધરી છે.
ચીનથી ભારતીયોને પરત લાવવા કોઈ પગલાં નહીં
ભારતસ્થિત ચીનના દૂતાવાસે વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વેપારીઓ સહિત પોતાના નાગરિકોને સ્વદેશ પરત ફરવા માટે નોટિસ આપીને 27 મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે. હાલ ભારતમાં ચીનના અંદાજે 1.4 લાખ નાગરિકો રહે છે. બીજી તરફ ભારતે ચીનમાં રહેતા ભારતીયોને પરત લાવવા માટે હજુ સુધી કોઈ પગલાં ભર્યા નથી. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશથી ભારતીયોને લાવવા માટે 10 જૂન સુધીનો કાર્યક્રમ જાહેર થયેલો છે. જેમાં હાલ ચીન માટે કોઈ ઉડાન નથી.
હિમાચલ-ઉત્તરાખંડમાં ભારતીય સેનાની સંખ્યા વધી
ભારતીય સેનાએ હિમાચલ તથા ઉત્તરાખંડમાં પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. લદ્દાખમાં 800 કિમીની વિવાદિત સીમાએ 5 સેક્ટરોમાં અવારનવાર બંને દેશો વચ્ચે તડાફડી થતી રહે છે.
ચીનના વધુ 5 હજાર સૈનિક તહેનાત, બેઠક અનિર્ણીત
લદ્દાખમાં સીમાના અંતિમ ગામ શ્યોકથી કારાકોરમ ખીણ સુધીના ભારતના 255 કિમી રોડને લઈને ચીન નારાજ થયું છે. ભારતની ગતિવિધિઓને પગલે ચીને પોતાના સૈનિકોમાં 5 હજારનો વધારો કર્યો છે. આ તરફ વાસ્તવિક અંકુશ રેખા પર તનાવ ઘટાડવા માટે યોજાયેલી બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક અનિર્ણીત રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3d3929T

કોરોના દર્દીઓને રેમડેસિવિર દવા આપવાનું સૂચન 

દેશમાં કોરોના વાઈરસના સંક્રમો ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે 24 કલાકમાં જ 138ના મૃત્યુ થઈ ગયા, જેથી કુલ મૃતકાંક 4,078 સુધી પહોંચી ગયો. આ દરમિયાન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સપર્ટ કમિટીએ કોરોનાની દવા ગણાતી રેમડેસિવિરને ક્લિનિકલ ટ્રાયલ વિના જ દર્દીઓને આપવાનું સૂચન કર્યું છે. જોકે, દવા બનાવવાની મંજૂરી આપનારી સંસ્થા સીડીએસસીઓએ હજુ અંતિમ નિર્ણય નથી લીધો. આ સંસ્થાએ કંપનીઓ સમક્ષ કેટલીક શરતો રજૂ કરી છે, જેના પાલન પછી જ દવા બનાવવાની અને વેચવાની મંજૂરી અપાઈ શકે છે.
હોસ્પિટલમાં ભરતી દર્દીઓને જ આ દવા અપાશે
દવા બનાવતી અમેરિકન કંપની ગિલિયાડ સાયન્સીસે ભારતીય દવા કંપનીઓ સાથે કરાર કર્યો છે. તે હેઠળ સિપ્લા અને હિટેરોએ દવા બનાવવાની અને વેચવાની મંજૂરી માંગી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ દવા આપતા પહેલા દર્દીની સંમતિ પણ અનિવાર્ય રહેશે. એટલું જ નહીં, તે હોસ્પિટલમાં ભરતી દર્દીઓને જ અપાશે. આ સાથે તે દવાનો જુદા જુદા દર્દી પર શું પ્રભાવ પડ્યો તેનો પણ અભ્યાસ કરાશે. જો બધું યોગ્ય રહ્યું તો જૂનના અંત સુધી આ દવા બજારમાં આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3c2WzSn

ગુજરાતમાં ગરમીનો કોપ; 8 શહેરમાં 42 ડિગ્રી, અમરેલીમાં સૌથી વધુ 43.4, અમદાવાદ 43.3 ડિગ્રી

રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી ગરમ પવનોની અસરથી અમદાવાદ સહિત 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 43.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ હતું. આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત મોટા ભાગનાં શહેરોમાં ગરમીનું જોર યથાવત રહેશે.
લઘુત્તમ તાપમાન પણ 28 ડિગ્રી પાર
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધીને 43.3 ડિગ્રી નોંધાતા રાજ્યનું બીજા ક્રમનું સૌથી ગરમ શહેર હતું. તેમજ લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. જો કે, ગરમ પવનોની તીવ્રતાને કારણે તાપમાન 43 ડિગ્રી હોવા છતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. તેમજ લઘુત્તમ તાપમાન પણ 28 ડિગ્રી પાર કરી જતાં ગરમીની સાથે લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. રાજ્યમાં પ્રવર્તતા દક્ષિણ-પશ્ચિમી ગરમ પવનોની અસરથી આગામી 3 દિવસે રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારો સહિત ગરમીનો પારો 43થી 44 ડિગ્રી જયારે અમદાવાદમાં 43થી 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમ છતાં અમદાવાદમાં આગામી 3 દિવસો દરમિયાન ‘રિયલ ફીલ’ને લીધે ગરમીનો પારો 43થી 44 ડિગ્રી હોવા છતાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. તેમજ આગામી 28 મેથી રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે, અને તેમાંય જો અરબી સમુદ્રમાં સક્રીય થનારું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે તો 1 અને 2 જૂન બાદ ગરમીમાં 2થી 7 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
31 મે સુધી ટેમ્પરેચરમાં સતત વધારો થતો રહેશે

તારીખ તાપમાન(અંદાજે)
26 મે 43થી 44 ડિગ્રી
27 મે 43થી 44 ડિગ્રી
28 મે 42થી 43 ડિગ્રી
29 મે 41થી 42 ડિગ્રી
30 મે 41થી 42 ડિગ્રી
31 મે 40થી 41 ડિગ્રી
1 જૂન 40 ડિગ્રી
2 જૂન 40 ડિગ્રી
3 જૂન 38થી 39 ડિગ્રી

આ ગરમીમાં થનારો સામાન્ય ઘટાડો છે, પણ 30 અને 31 મેનાં રોજ સર્જાનારું લો-પ્રેશર મજબૂત બનીને દેશના ઉત્તરનાં ભાગોથી ગુુજરાત તરફ આગળ વધશે, 2 જૂન પછી રાજ્યના તાપમાનમાં 2થી 7 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.
ગુજરાતમાં ગરમીનું મીટર

અમરેલી 43.4
અમદાવાદ 43.3
કંડલા એરપોર્ટ અને ડીસા 43.2
ગાંધીનગર 43.0
સુરેન્દ્રનગર 42.8
વલ્લભ વિધાનગર 42.7
વડોદરા 42.2

તો 2 જૂન પછી રાજ્યના તાપમાનમાં 2-7 ડિગ્રી સુધીનો ઘટાડો થશે
હવામાન નિષ્ણાત અંકિત પટેલે જણાવ્યું હતું કે લક્ષદ્વીપમાં 30 અને 31 મે આસપાસ લૉ પ્રેશર રચાઇ શકે છે, જેથી હાલમાં લૉ-પ્રેશરનાં ટ્રેક વિશે કહેવું ઘણું વહેલું કહેવાશે. પરંતુ, આ આ લૉ પ્રેશર દેશનાં ઉત્તરનાં ભાગોથી ગુજરાત તરફ આગળ વધશે તો તા. 1 અને 2 જૂન પછી રાજ્યના તાપમાનમાં 2થી 7 ડિગ્રી ઘટાડો થઇ શકે છે. તેમ છતાં આ લૉ-પ્રેશર કેટલુ મજબૂત બનીને કઇ દિશામાં આગળ વધે છે, તેના પર આધાર રહેશે. આગામી 3 દિવસ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારો સહિત ગરમીનો પારો 35થી 45 ડિગ્રીની જયારે રાજ્યનાં આંતરિક વિસ્તારોમાં 41થી 45 ડિગ્રી અને અમદાવાદમાં 43થી 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2zlc62D

રામમંદિર ટ્રસ્ટને લૉકડાઉનમાં રૂપિયા 4.75 કરોડ નું દાન મળ્યું

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બેન્ક ખાતામાં લૉકડાઉન દરમિયાન 4.75 કરોડ રૂ.નું દાન આવ્યું છે. અત્યાર સુધીમાં દેશના ખૂણે-ખૂણેથી અંદાજે 5 હજાર લોકોએ ટ્રસ્ટના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. અત્યાર સુધીમાં દેશના ખૂણે-ખૂણેથી અંદાજે 5 હજાર લોકોએ દાનની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી છે.
શ્રદ્ધાળુઓ સેવિંગ્સ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટમાં યથાશક્તિ દાન કરી શકે છે
ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે અયોધ્યાની સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું દાન ખાતું 2 એપ્રિલે રામનવમીના દિવસે ખોલાવાયું હતું. શ્રદ્ધાળુઓ સેવિંગ્સ એકાઉન્ટ નં. 39161495808 અને કરન્ટ એકાઉન્ટ નં. 39161498809માં યથાશક્તિ દાન કરી શકે છે. દરમિયાન, શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં સ્થાયી ગર્ભગૃહ નજીકના 200 વર્ષ જૂના પીપળા સહિત ઘણાં વૃક્ષો ખસેડીને બીજે રોપવામાં આવ્યાં છે. પીપળાનું વૃક્ષ પ્રસ્તાવિત શેષાવતાર મંદિરની નજીક રોપાયું છે.
મહંત નૃત્ય ગોપાલ દાસ 28 વર્ષમાં પહેલી વાર રામલલ્લાના દર્શને પહોંચ્યા
અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પડાયાના 28 વર્ષ બાદ સોમવારે પહેલી વાર મણિરામદાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલ દાસ રામલલ્લાના દર્શને પહોંચ્યા. તેઓ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. અધ્યક્ષ બન્યા પછી પણ તેઓ રામલલ્લાના દર્શને આવી શક્યા નહોતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રામ મંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Zzlk5M

બે માસમાં સોનું 14%, ચાંદી 27% મોંઘી, સેન્સેક્સ-નિફ્ટીમાં 2.5-3.4 % રિટર્ન

દેશભરમાં લોકડાઉન શરૂ થયા બાદ અત્યાર સુધી બે માસમાં સોનું 13.95 ટકા અને ચાંદી 26.67 ટકા મોંઘી થઇ છે. બીજી તરફ શેર બજારમાં મોટી ઉથલ-પાથલ વચ્ચે સેન્સેક્સે સરેરાશ 2.53 ટકા અને નિફ્ટીએ 3.36 ટકા રિટર્ન આપ્યું છે. મુંબઇમાં 20 માર્ચના રોજ સોનું પ્રતિ 10 ગ્રામ 41335 અને ચાંદી પ્રતિ કિલોગ્રામ 37140 હતી. જે શુક્રવાર 22 મેના રોજ સોનું 47100 અને ચાંદી 47045 રૂપિયા પહોંચી છે. આમ સોનું સરેરાશ 5765 અને ચાંદી 9905 રૂપિયા મોંઘી થઇ છે. લોકડાઉન દરમિયાન સેન્સેક્સ 756.63 અને નિફ્ટી 293.80 પોઇન્ટ વધ્યાં છે.20 માર્ચના સેન્સેક્સ 29915.96 પોઇન્ટ અને નિફ્ટી 8745.45 પર બંધ હતા જે 22 મે ના રોજ સેન્સેક્સ 30672.59 પોઇન્ટ અને નિફ્ટી 9039.25 પોઇન્ટ બંધ રહ્યાં હતા.
બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે કે કોરોના મહામારી કાબુમાં લેવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનથી દેશભરમાં જ્વેલરી વેપાર 75 ટકા સુધી ઘટ્યો છે. પરંતુ વિશ્વમાં આર્થિક અનિશ્ચિતત્તા વધતા સોનાની વૈશ્વિક કિંમતોમાં 10.78 ટકાની તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 23 માર્ચના રોજ સોનું 1567 ડોલર હતું જે 23 મે સુધીમાં 169 ડોલર વધી 1736 ડોલર પહોંચ્યું છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી છે. જો કોરોના મહામારી વધશે તો આવનાર દિવસોમાં સોનું 50000ની સપાટી ક્રોસ કરી શકે છે.
સોના-ચાંદીમાં તેજીનો ટોન જળવાઇ રહેશે
બૂલિયન એનાલિસ્ટના મતે વિશ્વ બજારમાં સોનું વર્ષના અંત સુધીમાં 1900 ડોલર પહોંચી શકે છે. ફોરેક્સ માર્કેટમાં અમેરિકી ડોલરની તુલનાએ રૂપિયો 77 સુધી ઘટી શકે છે. જેના કારણે વર્ષ અંત સુધીમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમત 52000 પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે. જ્યારે નીચામાં 47000 રૂપિયા સુધી પહોંચી શકે છે. સાપ્તાહિક ધોરણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1770 ડોલર ઉપર બંધ આપે તો 1830 ડોલર સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદી 18 ડોલર ઉપર બંધ રહે તો 19.70 ડોલર સુધી પહોંચી શકે છે. તેજીના મુખ્ય બે કારણોમાં લોકડાઉન પૂર્ણ થયા પછી આવનાર દિવસોમાં ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ માંગ વધશે. અનેક ઔદ્યોગિક સેક્ટરમાં ચાંદીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રોકાણકાર સોનાની તુલનામાં ચાંદીમાં સારા રિટર્નની સંભાવના જોઇ રહ્યાં છે. ચાંદીમાં રોકાણકારો મોટા પાયે રોકાણ કરે તેવા સંકેતો છે.
અમદાવાદમાં સોનાની તુલનાએ ચાંદીમાં બમણી તેજી
અમદાવાદમાં લોકડાઉન દરમિયાન બે માસમાં સોનું પ્રતિ 10 ગ્રામ 5500 રૂપિયાની તેજી આવી છે. જ્યારે ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ 13000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 20 માર્ચના અમદાવાદમાં ચાંદી 37500 રૂપિયા હતી જે અત્યાર સુધીમાં સરેરાશ 33 ટકા વધી 50000ની સપાટી પહોંચી છે. લોકડાઉન પહેલા માર્ચમાં સોનાની તુલનાએ ચાંદીની કિંમત ધણી નીચી હતી જેના કારણે ગોલ્ડ સિલ્વર રેશિયો 127 ના ઓલટાઇમ હાઇ પહોંચ્યો હતો. જે અત્યારે 27 ઘટીને 100 પર પહોંચ્યો છે. આ સોનાની તુલનામાં ચાંદી મોંઘી થવાનો ઇશારો કરી રહી છે. આ રેશિયો જેટલો વધુ હોય ચાંદીની તુલનાએ સોનું મોંઘું બની રહ્યું છે.
સામાન્ય લોકો માટે સોનાની ખરીદીનો ઉત્તમ સમય
કેડિયા કોમોડિટીઝના એમડી અજય કેડિયાએ જણાવ્યું હતું કે, સોનામાં તેજી માગના કારણે નહિં પરંતુ રોકાણ માગથી જળવાઇ રહેશે. બેન્ક એફડી પર વ્યાજદર ઘટી રહ્યું છે. અત્યારે સોનાની કિંમત સૌથી વધુ છે પરંતુ લોકોની પાસે રોકાણ માટે આનાથી અન્ય બીજો સારો વિકલ્પ નથી.
HNI રોકાણકારોની ગોલ્ડ કોઇનમાં ખરીદી વધશે
બીડી જ્વેલર્સના અશોક ચોક્સીએ જણાવ્યું કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ નહિંવત્ રહેશે. મુખ્ય કારણ સોનાની ઉંચી કિંમત અને આર્થિક સંક્રમણ છે. તહેવારોની સિઝન શરૂ નહિં થાય ત્યાં સુધી ગ્રાહકોની માગ ઠંડી રહેવાનો અંદાજ છે. મોટા રોકાણકારોની ખરીદી ગોલ્ડ કોઇનમાં જળવાઇ રહેશે.
જુલાઇ-સપ્ટેમ્બરમાં સોનું 50000 ક્રોસ થઇ શકે
આ સપ્તાહે અમેરિકામાં જીડીપી ત્રિમાસીક આંકડા કન્ઝ્યુમર ડ્યુરેબલની માગ સહિત વિભિન્ન આંકડા રજૂ થશે. ચીને હોંગકોંગમાં રાષટ્રીય સુરક્ષા લઇને નવો કાયદો રજૂ કર્યો છે.જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન સોનું 50000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી કુદાવી શકે છે.- કૈલાશ મિત્તલ, ટ્રેડર્સ કમિટિ, જયપૂર
લોકડાઉનમાં સોનાની તેજીના 5 મુખ્ય કારણ

  • વિશ્વના કેટલાક દેશોમાં લોકડાઉનથી આથિક ગતિવિધિઓ લગભગ ઠપ થતા
  • વિશ્વના શેર બજારમાં ઝડપી ઘટાડો, ડિપોઝિટના દરોમાં ઘટાડો આવતા
  • કોરોના મહામારી વચ્ચે અમેરિકા અને ચીનના વ્યાપારિક સંબધો બગડતા
  • વૈશ્વિક બજારમાં સોનામાં તેજી સાથે ડોલર સામે રૂપિયામાં ઝડપી ઘટાડો કારણભૂત
  • શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં ઘટાડાના કારણે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધ્યું


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gold up 14%, silver up 27% in two months, Sensex-Nifty returns 2.5-3.4%


from Divya Bhaskar https://ift.tt/2X2DNWX

પાકિસ્તાની નાગરિકે ગુરુદ્વારામાં તોડફોડ કરી, દિવાલ પર લખ્યું-કાશ્મીરીઓની મદદ કરો અન્યથા સૌને મુશ્કેલી પડશે

ડર્બીમાં સોમવારે પાકિસ્તાની નાગરિકે ગુરુ અર્જન દેવ ગુરુદ્વારામાં તોડફોડ કરી હતી. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે. ગુરુદ્વારા મેનેજમેન્ટે કહ્યું છે કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે.તોડફોડ કરનાર આ વ્યક્તિએ ગુરુદ્વારાની દિવાલ પર એક નોધ લગાવી હતી. તેમા કાશ્મીર અંગે લખવામાં આવ્યું હતુ. તેમા લખ્યુ હતુકે કાશ્મીરીઓને મદદ કરવાનો પ્રયત્ન કરો, અન્યથા દરેકને મુશ્કેલી પડશે. આ નોંધમાં એક ફોન નંબર પણ લખવામાં આવ્યો છે.

તમામ સેવકો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરાશે

ગુરુદ્વારા સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે આ રીતના હેટ ક્રાઈમ કે શીખો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અપરાધ અમને સેવા અને પ્રાર્થના કરતા અટકાવી શકતા નથી. અમે સમુદાયની સેવા જારી રાખશું અને દરરોજ જે પ્રાર્થના થાય છે તે જારી રાખશું. અમે અમારા તમામ સેવકો અને કર્મચારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરશું.
લંડનમાં ભારતીયો પર હુમલા થયેલા છે

લંડનમાં ભારતીયો અને ભારતીય મૂળના લોકો પર મોટા પ્રમાણમાં હુમલા થતા રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતના 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર એકત્રિત ભારતીયો પર પાકિસ્તાની દેખાવકારોએ ઈંડા અને પાણીની બોટલો સાથે પથ્થરમારો કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હુમલો કરનારે ગુરુદ્વારામાં કાગળના એક ટુકડામાં હાથથી લખેલી એક નોધ મુકી હતી, જેમા કાશ્મીરના લોકોને મદદ માટે અપીલ કરવામાં આવી હતી


from Divya Bhaskar https://ift.tt/3cXrNvj

China space programme targets July launch for Mars mission

China space programme targets July launch for Mars mission

from India Today | Top Stories https://ift.tt/3ecSxbk

First test launch of Virgin Orbit rocket fails

The first test launch of a rocket that is released from a jumbo jet at 35,000 feet and then propels itself into orbit to deploy a satellite failed on Monday, the Virgin Orbit company said. The plane released the rocket cleanly, but the latter developed trouble of unknown origin after igniting its first-stage engine, the company said.

from Times of India https://ift.tt/2Xv3r5G

Union minister Gowda skips quarantine in B'luru

D V Sadananda Gowda, who flew from Delhi to Bengaluru on Monday, courted controversy by not going into quarantine as mandated by the Karnataka government.

from Times of India https://ift.tt/2Xy3Ns4

After UP, Rajasthan reverts to 8-hr factory shifts

Human resources experts, trade unions and civil society groups have lauded the Rajasthan government’s decision on Sunday to revert to 8-hour shifts in all registered factories in the state instead of 12-hour duty as mandated earlier to make up for the loss of labour-hours due to the Covid-induced lockdown. The decision of the state's Congress govt comes after AICC accused the Centre of diluting labour laws.

from Times of India https://ift.tt/2TD8Er3

Breakthrough study unveils promising drug treatment targets for alcohol-related liver disease

Breakthrough study unveils promising drug treatment targets for alcohol-related liver disease




from News - Videos - The Times of India https://ift.tt/2X4jqIZ

Sunday, May 24, 2020

ICMR study on cluster of Italian tourists suggests Covid-19 spreads faster among close contacts

ICMR study on cluster of Italian tourists suggests Covid-19 spreads faster among close contacts

from India Today | Top Stories https://ift.tt/3c0FgB2

This year's Eid brings no joy to mehendi artists

This year's Eid brings no joy to mehendi artists




from News - Videos - The Times of India https://ift.tt/2X0oXjq

Domestic flights resume from today across India, except Andhra and West Bengal

Domestic flights resume from today across India, except Andhra and West Bengal




from News - Videos - The Times of India https://ift.tt/3egtjsA

Watch: Do not try at home, king cobra enjoys cold water shower

Watch: Do not try at home, king cobra enjoys cold water shower




from News - Videos - The Times of India https://ift.tt/2Xo4fJq

Eid Mubarak: Share your greetings here



from Times of India https://ift.tt/2zk6bLc

Blog: What North India could learn from South India



from Times of India https://ift.tt/2XoS8ff

Happy Eid-ul-Fitr 2020: Images, quotes & more



from Times of India https://ift.tt/3c6gkZi

Jaipur: Man gangrapes, murders mentally challenged 10-year-old sister with his 3 friends

Jaipur: Man gangrapes, murders mentally challenged 10-year-old sister with his 3 friends

from India Today | Top Stories https://ift.tt/2yzQ2Rq

Rajasthan govt's special free bus service Moksh Kalash to start from Monday

Rajasthan govt's special free bus service Moksh Kalash to start from Monday

from India Today | Top Stories https://ift.tt/2zsGFmL

Self defence: Down your attacker in 5 simple moves

Self defence: Down your attacker in 5 simple moves




from News - Videos - The Times of India https://ift.tt/2Xv9eIe

Virtual courts cannot replace open courts: SC judge



from Times of India https://ift.tt/2zk46yS

Taiwan promises help to Hong Kong's people

Taiwan will provide the people of Hong Kong with "necessary assistance", President Tsai Ing-wen said, after a resurgence in protests in the Chinese ruled territory against newly proposed national security legislation from Beijing. Taiwan has become a refuge for a small but growing number of pro-democracy protesters fleeing Hong Kong, which has been convulsed since last year by protests.

from Times of India https://ift.tt/2XpN5ey

અમદાવાદના ડૉક્ટરે ફોન પર ટ્રીટમેન્ટ કરી અમેરિકામાં રહેતાં નાની, પુત્રી અને દોહિત્રને કોરોનામુક્ત કરી દીધાં

મૂળ અમદાવાદના પણ હાલ અમેરિકામાં વસતાં મહિલા, તેમના પુત્રી અને દોહિત્રને કોરોના પોઝિટિવઆવ્યા બાદ અમદાવાદના ડૉક્ટરે માત્ર ફોન પર સૂચનાઓ આપીને કરેલી ટ્રીટમેન્ટના આધારે ત્રણેયને કોરોનામુક્ત કર્યાં હતા.
બર્થ ડે સેલિબ્રેશનની તૈયારી ચાલતી હતી અને રિપોર્ટ આવ્યો
ઘટના એમ છે કે ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીન અને હાલ અમદાવાદના પાલડી ખાતેની એસએલયુ કોલેજના પ્રોફેસર જસવંત ઠક્કરનાં પત્ની વિનોદાબહેન હાલ અમેરિકાના એટલાન્ટામાં પુત્ર પાર્થની સાથે રહે છે. પાર્થના ઘરની નજીક જ વિનોદાબહેનની પુત્રી પૂજા તેમના પતિ ચિરાગનો પરિવાર રહે છે. વિનોદાબહેન અવાનવાર પુત્રીના બે સંતાનોને સાચવવા તેમનાં ઘરે જતાં હોય છે. ગત 19 એપ્રિલે રાત્રે જસવંતભાઈને તેમના પુત્ર પાર્થે ફોન કરીને વિનોદાબેન, પૂજા તથા તેમના દોહિત્ર ક્રિશ કોરોના પોઝિટિવ થયાં હોવાના સમાચાર આપે છે. જે દિવસે આ સમાચાર મળ્યા એના બીજા દિવસે નાનકડા ક્રિશનો પ્રથમ બર્થ ડે હોય છે અને સેલિબ્રેશનની તૈયારી ચાલતી હોય છે ત્યાં જ ક્રિશ સહિત પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ હોવાની ખબર પડે છે. બીજા દિવસે જસવંત ઠક્કર તેમના મિત્ર અને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર આર.કે.પટેલને આ અંગે જાણ કરી અને મદદ માગી. ડૉ.પટેલે બાદમાં પોઝિટિવ આવેલા નાની, પુત્રી અને દોહિત્રના લક્ષણો વિશે ડિટેલમાં જાણકારી મેળવી. તથા ત્રણેયને આઇસોલેટ કરવા જણાવ્યું.
પ્રવાહી જયુસ,શરબત લેવા કહ્યું
ડૉ.પટેલને ખબર પડી કે પૂજાને સિમ્પ્ટમ્સમાં ડાયેરીયા છે, તેના એક વર્ષના પુત્ર ક્રિશને થોડો તાવ છે, માતા વિનોદા ઠક્કરને શરદી,ગળામાં દુખવું,આંખોમાંથી પાણી પડે છે. ડૉ. પટેલે દરેકની તેમના લક્ષણોના આધારે જુદી-જુદી ભારતીય પદ્ધતિ મુજબ ફોન પર સારવાર શરૂ કરી. તેમણે પૂજાને ડાયેરીયાની એન્ટિબાયોટીક દવા ચાલુ રખાવી. સાથે શકય એટલું પ્રવાહી જયુસ,શરબત લેવા કહ્યું. ઉપરાંત લીંબુ પાણી,ગરમ ગરમ ખોરાક, હળદર-મીઠાના કોગળા કરવા, તજ, લવીંગ, અજમો, મરી, આદું,લીંબુ,તુલસી,ફુદીનાનો ઉકાળો પીવો,વીટામીનસ સી માટે અમેરિકામાં મળતું એક હજાર મી.મી.નું પાઉચ દરરોજ પીવા કહ્યું. જ્યારે નાનકડા ક્રિશને હળવો તાવ રહેતો હોવાથી ત્રણેક દિવસ તાવની ટેબ્લેટ આપવાથી તે કોરોનામાંથી બહાર આવી જાય છે. વિનોદાબેનને તેમના ઘરે ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં. તેમને ભારતીય પધ્ધતિ પ્રમાણે ઉકાળો,નાસ,હળદર-મીઠાવાળા કોગળા,લીંબુ શરબત,વિટામીન સી અને ઓકિસ્જન નિયમિત માપવાની ડૉ.પટેલે સૂચના આપી હતી. આઠ દિવસે પણ પૂજાને ડાયેરીયા નહી મટતા ડૉ.પટેલે તેને ઘઉના લોટમાં અજમો,સૂઠ,લવીંગ,ગોળથી બનતી રાબ પીવાનું કહ્યું. 12 દિવસે પૂજાને ડાયેરીયા મટે છે અને 3 મેના રોજ ટેસ્ટ કરાતા તે કોરોના નેગેટીવ આવે છે. જ્યારે 5 મેના રોજ વિનોદાબેન અને સાથે એક વર્ષને ક્રિશ પણ કોરોનામુક્ત બન્યા હતા.
સાત વર્ષની પુત્રીએ પપ્પાને પૂછ્યું, ઈઝ મમ્મા ગોંઈંગ ટુ ડાઈ?
પૂજા તેના ઘરે ક્વૉરેન્ટાઇન થયાં ત્યારે તેમની પુત્રી આર્યાને મમ્મી પાસે નહીં જવાની સૂચના અપાઈ હતી. આ સૂચના સાંભળીને તેણે પિતાને પૂછ્યું હતું કે ‘પપ્પા,ઇઝ મમ્મા ગોઇંગ ટું ડાંઇ ? તેના પપ્પા પણ આ પ્રશ્ન સાંભળીને આઘાતમાં સરી પડ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોનામુક્ત થયેલ પરિવાર.


from Divya Bhaskar https://ift.tt/3egJvKx

આજથી ભયાનક લૂ લાગવાની આશંકા, દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ

રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી વધી છે. આકરા તાપ અને ગરમ પવનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેવામાં દિલ્હીના ઘણા વિસ્તારોમાં 25 અને 26 મેએ ખતરનાક લૂ લાગવાની આશંકા વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતમાં લૂના કારણે આવનારા 4-5 દિવસ સુધી દિલ્હીમાં કાળઝાળ ગરમી જારી રહેશે. ગુજરાતમાં 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. સુરેન્દ્રનગર સૌથી વધુ 43.3 ડિગ્રી નોંધાયું હતું.
અરબ સાગરમાં લૉ પ્રેશરથી ગુજરાતમાં જૂનમાં વરસાદની શક્યતા
30 મેની આસપાસ અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લૉ પ્રેશર એરિયા સર્જાઇ શકે છે. તે લૉ પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા છે. તેથી દેશના પૂર્વીય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનની શરૂઆતથી ભારે વરસાદની શક્યતા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2TD0krf

દેશના પ્રથમ નવજાત ટ્વિન્સ કોરોનાને લીધે ICUમાં, વડનગર મેડિકલ ટીમના ડૉક્ટરોએ સ્વીકારી સારવારની ચેલેન્જ 

મહેસાણા જિલ્લાના મોલીપુર ગામની 30 વર્ષની પોઝિટિવ મહિલાએ 16 મેના રોજ ટ્વિન્સ ભાઈ-બહેનને જન્મ આપ્યો હતો, બન્ને બાળકો પણ પોઝિટિવ છે. વડનગર મેડિકલ ટીમ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.
માતા કોરોના મુક્ત બની
વડનગર મેડિકલ ટીમ દ્વારા કોવિડ પોઝિટિવ મહિલા,જોડિયા બાળકો અને બ્રિચ (બાળક આડુ થઇ ગયેલ હોય તેવી સ્થિતિ) હોવા છતાં ચેલેન્જ સ્વીકારી સફળ ઓપરેશન કર્યું હતું. વડનગર મેડિકલ ટીમ દ્વારા માતાની સઘન સારવાર કર્યા બાદ માતા કોરોના મુક્ત બની છે. જો કે બન્ને બાળકો સુવાસ અને સ્વરા કોવિડ પોઝિટિવ આવતાં બાળકોને ઝડપથી સાજા થાય તે માટે વડનગર મેડિકલ ટીમ કટિબધ્ધ બની છે. વડનગરની મેડિકલ ટીમમાં ડો.પાલેકરની આગેવાની હેઠળની ટીમ દ્વારા દ્વારા જોડિયા ભાઈ-બહેનની સારવાર કરાઇ રહી છે.
માતાનું દૂધ જંતુરહિત બાઉલમાં લઇને અપાય છે
બન્ને નવજાત શિશુને માતાનું દૂધ જંતુરહિત બાઉલમાં લઇને અપાય છે. પીપીઇ કીટ ધારણ કરીને આઇસીયુમાં રખાયેલા બાળકોની દેખભાળ રખાય છે. વડનગર મેડિકલ ટીમ સુવાસ અને સ્વરા ઝડપથી સાજા થાય તે દિશામાં કટિબધ્ધ બની છે.કદાચ દેશના સૌથી નાની વયના કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓને કોરોના મુક્ત કરવા માટે કમર કસી છે. મેડિકલ ટીમે ચેલન્જ સ્વીકારી મક્કમતાપુર્ણ સારવાર કરાઇ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
16 મેના રોજ વડનગરમાં જન્મેલા જોડિયા ભાઈ-બહેન સુવાસ અને સ્વરા કોરોના પોઝિટિવ છે. 


from Divya Bhaskar https://ift.tt/2WWzMTL

આજે ગુજરાતમાં 3 શહેરોથી 23 શહેરો માટે 47 ફ્લાઇટ્સ ઊડશે, 65% બુકિંગ

કોરોના મહામારીના પગલે લગભગ 2 મહિના સુધી દેશભરમાં ફ્લાઈટોનું સંચાલન બંધ રહ્યા બાદ આજથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઈટો શરૂ થઈ રહી છે. 25 મેથી 30 જૂન સુધી જાહેર કરાયેલી ફ્લાઈટો પૈકી અમદાવાદથી દરરોજ 40થી 45 ફ્લાઈટો ઉપડશે અને આટલી જ ફ્લાઈટો આવશે. અમદાવાદથી સોમવારે પહેલી ફ્લાઈટ વહેલી સવારે 4 વાગે પુણે જવા ટેકઓફ કરશે. વધુમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની ગાઈડલાઈન મુજબ તમામ પેસેન્જરોને ફ્લાઈટના સમય કરતા લગભગ 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે તેમજ તેમને માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત છે. એ જ રીતે પેસેન્જરોને ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ ઓનલાઈન મેળવવા પડશે. ચેકિંગ દરમિયાન પેસેન્જરોને બેગ પર જાતેજ ટેગ લગાવવાના રહેશે.
વિવિધ રાજ્યોની ક્વૉરેન્ટાઇન નીતિના લીધે બુકિંગ રદ થયાં
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હવાઇ મુસાફરી કરતા પેસેન્જરોને ક્વૉરેન્ટાઇન અંગે વિવિધ રાજ્યોની અલગ અલગ નીતિના કારણે મોટી સંખ્યામાં પેસેન્જરોએ પોતાની ટિકિટ રદ કરાવી છે. આ કારણોસર ગો-એર દ્વારા ચંડીગઢ, નાગપુર સહિતના શહેરોમાંજવા માગતા પેસેન્જરોએ 1 જૂન સુધી રાહ જોવી પડશે.

પેસેન્જરોએ આટલું ધ્યાન રાખવું

  • ફ્લાઇટના સમય કરતાં 2 કલાક વહેલા એરપોર્ટ પહોંચવું જરૂરી, માસ્ક અને હેન્ડ ગ્લવ્સ ફરજિયાત છે.

  • બોર્ડિંગ પાસ ઑનલાઇન મેળવવા પડશે.
  • ચેકિંગ વખતે બેગ પર જાતે જ ટેગ લગાવવું પડશે તમામ પેસેન્જરનું થર્મલ સ્કેનિંગ અને મેડિકલ ચેકઅપ થશે.
  • વધુ તાપમાન તથા શરદી-ખાંસી હશે તો પ્રવાસની મંજૂરી નહીં અપાય.

દેશમાં 28 રાજ્યોમાં 33% ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ
લૉકડાઉન-4 દરમ્યાન 62 દિવસ બાદ આજે સોમવારથી ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થઈ રહી છે. પહેલા દિવસે 28 રાજ્યોમાં 33 ટકા ફ્લાઇટ્સ શરૂ થશે. આ દરમ્યાન અંદાજે 11 ફ્લાઇટ્સમાં 16 હજારથી વધારે લોકો હવાઇ મુસાફરી કરશે એવો અંદાજ છે. અગાઉ ઇનકાર કરનાર મહારાષ્ટ્રે 50 ફ્લાટ્સના ઓપરેશન માટે તૈયારી દર્શાવી હતી. સાથે જ તામિલનાડુ પણ ફ્લાઇટ્સ માટે તૈયાર થયું છે. પ્રથમ સપ્તાહમાં કુલ 8,214 ફ્લાઇટ્સ ઉડશે. જેમાં સૌથી વધુ ઇન્ડિગોની 3,632, સ્પાઇસ જેટની 1403, ગો એરની 831, એર ઇન્ડિયાની 703, એર એશિયાની 610, વિસ્તારાની 539, એલાયન્સ એરની 309 ફ્લાઇટ્સ સામેલ છે. 31 મે સુધીમાં 1 લાખથી વધુ ટીકિટોનું બુકિંગ થઈ ચૂક્યું છે.
માર્ગ, રેલવે, હવાઇ પ્રવાસ માટે આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરી
આરોગ્ય મંત્રાલયે રવિવારે પ્રવાસીઓ માટે એડવાઇઝરી જારી કરી છે. સાથે જ દરેક પ્રવાસીને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પણ જણાવ્યું છે. બસ સ્ટેશનો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો પર થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત રાખવું પડશે.

  • લક્ષણ વગરના પ્રવાસીઓને 14 દિવસ સેલ્ફ આઇસોલેશનની શરતે પ્રવાસની મંજૂરી અપાય.
  • દરેક પ્રવાસીએ માસ્ક પહેરવું, હાથ સાફ રાખવા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
  • બસ સ્ટેશનો, એરપોર્ટ, રેલવે સ્ટેશનોને પર સેનેટાઇઝરથી કીટાણુમુક્ત કરવામાં આવે.
  • મામુલી લક્ષણ ધરાવનારાઓને હૉમ આઇસોલેશનનો વિકલ્પ અપાય.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Today 47 flights will fly from 3 cities to 23 cities in Gujarat, 65% booking


from Divya Bhaskar https://ift.tt/3gmw8Kv

FIR against sons of BJP MP for assault in Maharasthra

FIR against sons of BJP MP for assault in Maharasthra

from India Today | Top Stories https://ift.tt/3gtyA26

NZ PM Ardern unruffled as quake hits mid-interview

New Zealand Prime Minister Jacinda Ardern barely skipped a beat when an earthquake struck during a live television interview Monday morning. She interrupted Newshub host Ryan Bridge to tell him what was happening at the parliament complex in the capital, Wellington. "We're just having a bit of an earthquake here Ryan, quite a decent shake here,” she said, looking up and around the room.

from Times of India https://ift.tt/2ZzXffs

On the Brink?

For many weeks, the overall sense of the Indian response to Covid-19 was largely positive. The overall numbers, though rising were small when compared to many other countries, even more so given India’s size, and...

from Times of India Opinion https://ift.tt/36DnoLT

Death of 9 people in Telangana doesn't appear to be suicide, says forensic expert

Death of 9 people in Telangana doesn't appear to be suicide, says forensic expert

from India Today | Top Stories https://ift.tt/3d3efi2

No signs of Indian, Chinese troops backing off as standoff persists in eastern Ladakh

No signs of Indian, Chinese troops backing off as standoff persists in eastern Ladakh

from India Today | Top Stories https://ift.tt/3e9xhTQ

Artist turns homemade dough into beautiful work of art

Artist turns homemade dough into beautiful work of art




from News - Videos - The Times of India https://ift.tt/2TxirhZ

Twitter testing its new reply-limiting feature

Twitter testing its new reply-limiting feature




from News - Videos - The Times of India https://ift.tt/2WZUHpe

Saturday, May 23, 2020

Coronavirus lockdown: Odisha allows home delivery of liquor from today, introduces 50% Covid fee

Coronavirus lockdown: Odisha allows home delivery of liquor from today, introduces 50% Covid fee

from India Today | Top Stories https://ift.tt/2zZa7kl

Sanjay Raut’s meeting with Maharashtra Governor raises eyebrows

Sanjay Raut’s meeting with Maharashtra Governor raises eyebrows

from India Today | Top Stories https://ift.tt/2Tt27z1

Blog: Cleaner & cheaper, solar power beats coal



from Times of India https://ift.tt/2zptgvS

Eid wishes, images, messages, pics & more



from Times of India https://ift.tt/2WW6BQD

ગુજરાત હાઇકોર્ટેનો આદેશ-‘કોરોનાની ટ્રીટમેન્ટના MoU ન કરનાર હોસ્પિટલ સામે ડિઝાસ્ટર એક્ટ લાગુ કરો’

કોરોનાને પગલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં કોર્ટે ખાનગી હોસ્પિટલો સામે કડક વલણ અપનાવ્યું છે. ઝાયડસ, અપોલો, યુએન મહેતા જેવી 8 હોસ્પિટલો આધુનિક સાધનો ધરાવતી હોવા છતાં શા માટે કોરોનાની સારવાર કરતી નથી? તે અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. જે ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે MOU કરવાનો ઇન્કાર કરે તેમની સામે ડિઝાસ્ટર એકટ હેઠળ પગલા લેવા આદેશ કર્યો છે. ઝ।યડસ હોસ્પિટલના 12 માળમાંથી 2 માળ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. આ ઉપરાંત નીતિન પટેલ અને જયંતી રવિએ સિવિલની કેટલી વખત મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે? વેન્ટિલેટરના અભાવે મોતની સ્થિતિનું તારણ મેળવ્યું છે તેવા અનેક સવાલો હાઈકોર્ટે કર્યા હતા.
કોરોના વોર્ડના સીસીટીવીનું નિરીક્ષણ CM ઓફિસમાંથી થઇ રહ્યુ છે
આ અંગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું છે કે, સિનિયર પલ્મોનોલોજીસ્ટની સેવા લેવામા આવે છે. વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં છે. કોરોના વોર્ડના સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ સી.એમ ઓફિસમા કરવામા આવી રહ્યુ છે.
મહામારી સામે કેવી રીતે ટકવું તેના માટે હાઇકોર્ટે ટાઇટેનિકનો દાખલો આપ્યો
જસ્ટીસ જે.બી પારડીવાલાએ મહામારી સામે ટકવા ટાઇટેનિક ફિલ્મનો દાખલો ટાંક્યો છે. સરકારને કાર્પેથિયા બનવાનુ ધ્યેય રાખવા ટકોર કરી છે. ટાઇટેનિકથી દૂર રહેલી કાર્પેથિયા જહાજ તેની ક્ષમતા કરતાં વધુ ઝડપથી ટાઇટેનિકને બચાવવા નજીક પહોંચી હતી. મદદના સંદેશા ક્યાંથી આવ્યા તેની ખબર ન હોવા છતાં તે સૌથી પહેલા મદદે પહોંચી અને 705 મુસાફરને બચાવ્યા હતા. આપણે પણ કાર્પેથિયા બનવાનું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2zZ6pXX

How Odisha dealt with Cyclone Amphan while battling Covid-19 pandemic

How Odisha dealt with Cyclone Amphan while battling Covid-19 pandemic

from India Today | Top Stories https://ift.tt/3eci1Wd

Delhi govt suspends officer over Sikkim gaffe



from Times of India https://ift.tt/2ZvxEEj

પીપીઈ સૂટમાં હશે પાઇલટ-એરહોસ્ટેસ; વિમાન, એરપોર્ટ, પાઇલટ્સ અને એરહોસ્ટેસ માટે આવી ગાઇડલાઇન હશે

છેલ્લા બે મહિનાથી બંધ અમદાવાદનું એરપોર્ટ સોમવારથી ફરી એક વખત ધમધમતું થઇ જશે. જોકે એરપોર્ટ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પરનો અનુભવ પહેલા જેવો નહીં રહે. અમદાવાદ એરપોર્ટ અને એરલાઇનોએ મુસાફરો માટે સંખ્યાબંધ ગાઇડલાઇન જાહેર કરી છે અને તકેદારીનાં ભાગરૂપે વ્યવસ્થા પણ કરી છે. તકેદારીનાં ભાગરૂપે ઇન્ડિગો એરલાઇને તો પાઇલટ અને કેબિન ક્રૂને પણ પીપીઇમાં જ ફરજ સોંપવાનું નક્કી કર્યું છે. તો સ્પાઇસજેટે પણ પોતાનાં ગ્રાઉન્ડ સ્ટાફ અને પાઇલટ-કેબિન સ્ટાફ માટે પ્રોટેક્ટિવ ગિયર્સ આપવા નક્કી કર્યું છે. મુસાફરોને મોટેભાગે ફ્લાઇટમાં માત્ર પાણી જ આપવામાં આવશે અને કોઇ પણ પ્રકારનો ખોરાક નહીં અપાય જેથી સ્પર્શ ટાળવામાં આવે. અમદાવાદ એરપોર્ટ પર પણ ઠેરઠેર નવા સેનેટાઇઝર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. મુસાફરોને બે કલાક પહેલા આવવા માટે સલાહ અપાઇ છે. એરપોર્ટ કનેક્ટેવીટી માટે ટેક્સી-કેબને મંજૂરી છે. ઑટો રિક્શાને નહીં. અમદાવાદ એરપોર્ટ સૂત્રોએ મુસાફરોની સલામતી બાબતે જણાવ્યું હતું કે, અમે જ્યાં પણ લાઇન લાગે છે તેવા સ્થળો જેમ કે ટર્મિનલ ગેટ, સેલ્ફ ચેક ઇન ગેટ, લગેજ કાઉન્ટર, સિક્યુરિટી ચેક, એરો બ્રિજ, બોર્ડિંગ ગેટ્સ વગેરે તમામ સ્થળે સોશિયલ ડિસ્ટન્સ માર્કિંગ કર્યા છે. અમે પાણી પીવાનાં કુલર પર પણ માર્કિંગ કર્યું છે. દરેક પેસેન્જરનું તાપમાન, માસ્ક વગેરે ચેક કરાશે. અમે સેનેટાઇઝરનાં 50થી વધુ સ્ટેન્ડ ટર્મિનલમાં વોક થ્રુ માટે મૂક્યા છે. આ સિવાય સતત ક્લીનિંગ પણ થતું રહેશે. અમે મુસાફરો માટે હેન્ડ્સ ફ્રી ફ્રિસ્કિંગની વ્યવસ્થા પણ કરી છે.
ફ્લાઇટ ઉપડતાં પહેલાં ડીસઇન્ફેક્ટ અને ફ્યુમિગેટ થશે
એરપોર્ટ સિવાય એરલાઇનોએ પણ ઇનફ્લાઇટ અને ઓફ-ફ્લાઇટ સંખ્યાબંધ પગલા જાહેર કર્યા છે. અમદાવાદથી સૌથી વધુ ફ્લાઇટ ઇન્ડિગો અને સ્પાઇસ જેટની જાય છે. ઇન્ડિગો એરલાઇન્સનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે પાઇલટ અને કેબિન ક્રૂ માટે પીપીઇની વ્યવસ્થા કરી છે. ફ્લાઇટની અંદર ટ્રે ટેબલ, આર્મ રેસ્ટ, ઓવરહેડ નોઝલ, લેવેટરી જેવી દરેક જગ્યા સેનેટાઇઝ થશે. ફ્લાઇટ ઉપડતાં પહેલાં ડીસઇન્ફેક્ટ અને ફ્યુમિગેટ થશે. મુસાફરોને ફ્લાઇટમાં નાસ્તો નહીં અપાય પણ માત્ર પાણી જ અપાશે. બને તો પેસેન્જર એરપોર્ટ પર જ લેવેટરીનો યુઝ કરે જેથી ફ્લાઇટમાં મુવમેન્ટ ઓછી થાય. સ્પાઇસ જેટનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે તમામ કસ્ટમર ટચ પોઇન્ટસને ડીસઇન્ફેક્ટ કરીશું. પેસેન્જરને ફ્લાઇટમાં લઇ જતાં કોચમાં પણ 50 ટકા જ સંખ્યા રાખીશું. મુસાફરોને ઘરે અથવા એરપોર્ટ પર જ જમી લેવા સલાહ આપવામાં આવે છે કેમ કે ફ્લાઇટમાં જમવાનું નહીં અપાય. પેસેન્જરોને પોતાનો બોર્ડીંગ પાસ પણ જાતે જ સ્કેન કરવા જણાવાયું છે.
સ્પષ્ટતાનાં અભાવે ગો-એર સોમવારથી શરૂ થહીં થાય
જ્યારે મોટાભાગની એરલાઇનો સોમવારથી શરૂ થઇ જશે ત્યારે દેશની સૌથી મોટી એરલાઇનો પૈકી ગો-એરે ક્વોરેન્ટાઇન અને મુસાફરોનાં રાજ્યોમાં પ્રવેશ મુદ્દે સરકારની સ્પષ્ટતાનાં અભાવે ફ્લાઇટ્સ 1 જૂનથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગો-એરલાઇનનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, વિવિધ રાજ્યો પાસેથી મુસાફરોને કેવી રીતે સ્વીકારશે તે મુદ્દે કોઇ સ્પષ્ટતા ન હોવાથી અમે સોમવારથી ફ્લાઇટ્સ શરૂ નહીં કરીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3daLWhL