
from India Today | Top Stories https://ift.tt/2LICZQg
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે મોડી રાત્રે બે વાગ્યે સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ. આ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. બે વર્ષમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. જેમાં શ્રીનગરમાં આ પ્રકારની અથડામણ થઈ છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે શ્રીનગરના કાનેમજાર નવાકદળ એરિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ ઓપરેશનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ પણ સામેલ છે. આ પહેલા રવિવારે થયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદીનના આતંકી તાહિર અહમદ ભટ ઠાર થયો હતો. 11 દિવસ પહેલા ઠાર થયેલા રિયાઝ નાઇક પછી આ બીજું મોટું એન્કાઉન્ટર હતું.
કાશ્મીર ઝોન પોલીસે કરેલું ટ્વીટઃ
#Encounter has started at #Kanemazar #Nawakadal area of #Srinagar. JKP and CRPF are on the job. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 18, 2020
રવિવારે આતંકી તાહિર ઠાર માર્યો હતો
16મી મેની રાત્રે સુરક્ષાદળોને ડોડાના ખોત્રા ગામમાં તાહિર છે તેવી બાતમી મળી હતી. જાન્યુઆરી 2020માં હિજબુલ આતંકી હારુનના મોત પછી અહીંની તમામ આતંકી ગતિવિધિઓનું સંચાલન તાહિર કરતો હતો. રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ ઘરમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. 5 કલાક ચાલેલી આ અથડામણાં તાહિર માર્યો ગયો હતો.
6ઠ્ઠી મેએ હિજબુલનો રિયાઝ ઠાર થયો હતો
કાશ્મીરમાં 6ઠ્ઠી મેએ સુરક્ષાદળોએ હિજબુલ મુજાહિદિનના ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂને ઠાર માર્યો હતો. તે છેલ્લા 2 વર્ષથી મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં સામેલ હતો. તે બીમાર માતાને મળવા પુલવામાના બેગપોરા ગામમાં આવ્યો હતો. ત્યારે પોલીસને ગામમાં નાયકૂ અને તેના કેટલા સાથીઓ છે તેવા ઇનપુટ્સ મળ્યા હતા. સુરક્ષાદળોએ નાયકૂના મૃતદેહને પરિવારના પાંચ લોકોની હાજરીમાં સોનમર્ગના એ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યો હતો, જ્યાં અન્ય આતંકીઓના મૃતદેહ દાટવામાં આવે છે.
આપણા પાડોશી પાકિસ્તાન અને ચીન સરહદે આપણી સેનાને સતર્ક રહેવા મજબૂર કરતા હોય છે. પાકિસ્તાન સરહદ હોય કે ચીનની સરહદ ભારતને હંમેશા એલર્ટ રહેવું પડે છે. ફરક માત્ર એટલો જ છે કે પાકિસ્તાન સામે અંધાધૂંધ ફાયરીંગ થાય છે જ્યારે ચીન સામે ધક્કામુક્કી થાય છે. ગોળી ચાલતી નથી. ચીન અને પાકિસ્તાનની દોસ્તી છે. 2019ના ઓક્ટોબરના કચ્છ સામેપાર હરામીનાલાની માત્ર 10 કિમી દૂર ચીની કંપનીને પાકએ 55 વર્ગ કિમી જમીન લીઝ પર આપી હતી. સિંધ પ્રાંતમાં થરપારકરમાં 3 હજાર કિમી વિસ્તારમાં પથરાયેલા ઇકોનોમીક કોરીડોરની રક્ષા માટે ચીની જવાનો ગોઠવાયા હતાં. પાકિસ્તાન હંમેશા ભારત સામે કાવતરા કરતું આવે છે. અને હવે કચ્છ સરહદ સામે સિંધ પ્રાંતમાં ચીનને જમીન વેચાતી દેવા જઇ રહ્યો છે. સિંધમાં ચીનીઓ સામે વિરોધ હોવા છતાં પૈસાની લાલચે ચીનને જમીનપાકિસ્તાન આપી રહ્યું છે.
ગ્વાદર બંદર ચીન પાસે જ છે અને તે ભવિષ્યમાં સૈન્ય માટે પણ ઉપયોગ કરી શકશે
સૂત્રોનું માનીએ તો ચીન જમીન ખરીદ કરીને પોતાની સેનાનો ત્યાં બેઝ બનાવશે. ભારતને ઘેરવા માટે આ બેઝ હશે અને તે એક રણનીતિનો જ ભાગ માનવામાં આવે છે. ગ્વાદર બંદર ચીન પાસે જ છે અને તે ભવિષ્યમાં સૈન્ય માટે પણ ઉપયોગ કરી શકશે. કચ્છ સરહદની સાવ નજદીક ચીન પોતાનો બેઝ બનાવશે તે આવનારા સમયમાં ગંભીર માનવામાં આવે છે. હાલમાં જ સિક્કીમમાં ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા હતા અને એ પૂર્વે ચીનના બે હેલિકોપ્ટર પણ 15 કિમી સુધી અંદર ઘુસી આવ્યા હતાં.
કોરોનાની મહામારી વચ્ચે પૈસા માટે ચીનને જમીન વેચાતુંપાકિસ્તાન
સિંધ પ્રાંતમાં ચીનનો વિરોધ છે. કોરોનાની મહામારી વચ્ચે પૈસા માટે ચીનને જમીન વેચાતી પાક આપી રહ્યું છે. હજુ સુધી સિંધ પ્રાંતમાં કેટલી જમીન ચીને ખરીદી છે તે જાણવા મળ્યું નથી. જોકે, પોતાની આદત મુજબ પાકિસ્તાન પોત પ્રકાશસે એટલે જાણવા મળી જશે.
આવનારા સમયમાં નવાજૂની થઇ શકે
કોરોનાને કારણે વિશ્વ આખું ચીનથી નારાજ છે. પાકિસ્તાનનું વજન વૈશ્વિક સ્તરે કંઇ પડતું નથી પણ પૈસા માટે ભારત સરહદ નજીક જમીન વેચી રહ્યું છે. આ આવનારા સમયમાં પાકિસ્તાનની સરહદે ચીની સૈનિકો સાથે આપણી ફોજની ધક્કામુક્કી ન થાય એ જોવું રહ્યું. પાકિસ્તાનની જેમ ચીનાઓ પણ સરખા રહેતા નથી. આવનારા સમયમાં નવાજૂની થાય તો નવાઇ નહીં.
રાજ્યમાં મધ્ય અને લોઅર લેવલે એન્ટિ સાયકલોનિક સરક્યુલેશન સક્રિય થતા આગામી 5 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હિટવેવનું મોજુ ફરી વળશે તેમ જ મોટાભાગનાં વિસ્તારોમાં ગરમીનો પારો વધીને 42થી 45 ડિગ્રી વચ્ચે પહોંચતાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. સોમવારે રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી જતાં લોકોએ અકળાવી નાંખતી ગરમીનો અનુભવ કર્યો હતો.
રાજ્ય સરકારે અમદાવાદ શહેરને પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગમાં વહેંચી દીધું છે. પશ્ચિમ અમદાવાદમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે જ્યારે પૂર્વ અમદાવાદમાં લૉકડાઉનનો અમલ ચાલુ રહેશે અર્થાત્ કોઈ છૂટછાટ મળશે નહીં. જોકે આ પ્રકારના વિભાજનથી ભારે ગૂંચવાડો ઊભો થયો છે. પશ્ચિમ અમદાવાદને છૂટછાટ મળી છે પરંતુ અહીં નવરંગપુરામાં કોરોનાના 151, વેજલપુરમાં 120 અને વાસણામાં 104 કેસ છે. આમ છતાં આ વોર્ડનો છૂટછાટમાં સમાવેશ થાય છે.
બીજી તરફ પૂર્વ અમદાવાદના સરદારનગરમાં માત્ર 38, વિરાટનગરમાં 44 અને ઇન્દ્રપુરીમાં 39 કેસ છે પરંતુ આ વોર્ડમાં કોઈ છૂટછાટ અપાશે નહીં. આનો અર્થ એ થયો કે કેટલાક વોર્ડમાં કોરોનાના કેસ વધુ હોવા છતાં તે માત્ર પશ્ચિમ અમદાવાદમાં આવતા હોવાથી છૂટછાટ મળી છે. જ્યારે કેટલાક વોર્ડમાં કોરોનાના કેસની સંખ્યા પશ્ચિમના વિસ્તારો કરતા ઘણી ઓછી છે પરંતુ આ વિસ્તારો માત્ર પૂર્વ અમદાવાદમાં આવતા હોવાથી કોઈ છૂટછાટ મળશે નહીં.
બોપલ, ઘુમામાં છૂટછાટ અંગે આજે નિર્ણય લેવાશે
શહેરના બોપલ, ઘુમા સહિતના વિસ્તારો કે જેનો ગ્રામ્યમાં સમાવેશ થાય છે તે અંગે મંગળવારે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ અંગે જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં લૉકડાઉનના નિયમોમાં છુટછાટ અંગે કલેક્ટર કચેરી દ્વારા મંગળવારે જાહેરનામુંપ્રસિદ્ધ કરવામાં આવશે.
પૂર્વ અમદાવાદના સૌથી ઓછા કેસવાળા વોર્ડ
વોર્ડ | કેસ |
સરદારનગર | 38 |
ઇન્દ્રપુરી | 39 |
વિરાટનગર | 44 |
ઇન્ડિયા કોલોની | 44 |
સૈજપુર બોઘા | 63 |
વસ્ત્રાલ | 69 |
પશ્ચિમ અમદાવાદના સૌથી વધુ કેસવાળા વોર્ડ
વોર્ડ | કેસ |
નવરંગપુરા | 151 |
વેજલપુર | 120 |
નવા વાડજ | 105 |
વાસણા | 104 |
નારણપુરા | 90 |
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 19 મે મંગળવારે જાહેર થવાના બનાવટી પરિપત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. બોર્ડે આ પરિપત્રનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે, બોર્ડે ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામ માટેની કોઇ જ તારીખ જાહેર કરી નથી, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ દોડા-દોડી કરવાની કોઇ જરૂર નથી.
પરિણામની કોઇ તારીખ જાહેર કરી નથી
આ અંગે બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું હતું કે, બોર્ડે ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થવાની કોઇ તારીખ જાહેર કરી નથી. કોઇએ ધો.12 વિજ્ઞાન પ્રવાહની અખબાર યાદીમાં છેડચાડ કરીને સોશિયલ મીડિયામાં ફરતુ કર્યું હતું. આ બહું ખરાબ બાબત છે.
‘પ્રજ્ઞાચક્ષુ હોવા છતા ક્યારેય એવી લાચારી નથી અનુભવી જેવી છેલ્લા 56 દિવસથી ભોગવી રહ્યાં છીએ. પહેલા રસ્તે ચાલતા તો ગમે તે વ્યક્તિ હાથ પકડી રસ્તો ક્રોસ કરવા મદદ પણ કરતો હતો, પણ હવે તે જ લોકો કોરોનાના કારણે અમારાથી દૂર ભાગી રહ્યાં છે. કોરોનાના પગલે લૉકડાઉન થયું છે ત્યારે અમારે ઘરે જવું છે તો અમને કોઈ મદદ કરવા તૈયાર નથી.’ આ વેદના અમદાવાદના પાલડી ગામમાં રહેતા 45 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનોની છે. આ નેત્રહીન ભાઈઓ અને બહેનો છેલ્લા બે મહિનાથી લોકડાઉન પૂરું થવાની રાહ જોઈને બેઠા છે, પણ તે વધતું જઈ રહ્યું છે. નવજ્યોત અંધ મંડળ દ્વારા સંચાલિત છાત્રાલયમાં નોકરીયાત અને વિદ્યાર્થીઓ નિવાસ કરે છે. જેમાં કેટલાક ટોટલ બ્લાઈન્ડ છે તો કેટલાક પાર્શલીબ્લાઈન્ડ છે.
તંત્ર તરફથી કોઈ સહકાર મળી રહ્યો નથી
ડૉનેશનથી ચાલતી આ સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનો લૉકડાઉનના કારણે ફસાયા છે. આ લોકો છેલ્લા કેટલાય સમયથી પોતાના વતન જવા પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ તેમને તંત્ર તરફથી કોઈ સહકાર મળી રહ્યો નથી. આ લોકો ઘરે જવા સરકારની ડિજિટલ ગુજરાતની વેબસાઈટ ઉપર નોંધણી કરાવી ચૂક્યા છે. નોંધણી કરાવતી વખતે તેમણે પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે તેમ છતા તેમને જવા મંજૂરી મળી નથી રહી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ તેઓ જાણ કરી ચૂક્યા છે, પણ ત્યાંથી પણ તેમને નિરાશા જ મળી છે.
પ્રજ્ઞાચક્ષુઓમાં 6 ગુજરાત બહારના છે
નવજ્યોત અંધ મંડળ છાત્રાલયમાં રાજ્યના 39 અને બહારના 6 પ્રજ્ઞાચક્ષુ રહે છે. આ તમામે તંત્ર પાસે મદદ માંગી છે પણ હવે તેમની ધીરજ ખૂટી પડી છે.
ઈન્ટરનેટ પર ફોર્મ ભર્યું પણ જવાબ ન મળ્યો
25 વર્ષીય આલોક શર્મા મૂળ બિહારનો છે તે કહે છે કે, તેણે 15 દિવસ પહેલા ઘરે જવા ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ ઉપર ફોર્મ ભર્યું હતું પણ હજુ કોઈ જવાબ આવ્યો નથી. 22 વર્ષીય સંતોષ કુમાર કહે છે પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવે 10 દિવસ થયા.
સીઆઈડી ક્રાઇમના એસપી હરેશ દૂધાત કોરોના મહામારી પછી જાહેર થયેલા લૉકડાઉનના અમલ માટે છેલ્લા 15 દિવસથી ગોમતીપુરમાં ફરજ બજાવી રહ્યા છે. બે અઠવાડિયાથી તેઓ ઘરે પણ આવ્યા નથી. હજુ બે દિવસ પહેલાં તેમની દીકરીનો બર્થ ડે હતો પરંતુ તેઓ ઘરે આવી ન શક્યા. આખરે અઠવાડિયા પછી ઘરે આવ્યા પરંતુ પરિવારના કોઈ સભ્યને ચેપ ન લાગે તેની પૂરતી ચોકસાઈ રાખવા ઘરના આંગણે થાળીમાં જમવા બેઠા હતા. એસપીની નાનકડી દીકરી પિતા જમતા હતા ત્યારે બારણા પાછળથી સંતાઈને હળવું સ્મિત વેરી રહી હતી. પિતા-પુત્રીની આ તસવીર માતાએ ખેંચી હતી જે ભાસ્કરે વાંચકો માટે ખાસ ઉપલબ્ધ કરાવી છે.
લૉકડાઉનમાં ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સાથે ઈન્સ્ટાગ્રામ પર આશરે એક કલાક સુધી વાતચીત કરી. આ દરમિયાન વિરાટે કહ્યું કે, એક સમયે મારા પિતાએ જુનિયર સ્ટેટ ટીમમાં સિલેક્શન માટે લાંચ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
પિતાએ કહ્યુંહું કંઈ આપી નહીં શકું
પસંદગીકારોએ તેમને કહ્યું હતું કે, મેરિટની કોઈ મુશ્કેલી નથી, પરંતુ તમારે કંઈક (કદાચ લાંચ) કરવું પડશે. તેઓ શું કહેવા માંગતા હતા, એ મારા પિતા ના સમજ્યા. તેઓ પ્રામાણિક વ્યક્તિ હતા. તેમણે સફળ વકીલ બનવા જીવનભર મહેનત કરી હતી. પસંદગીકારોએ તેમને ફક્ત એટલું કહ્યું કે, તમે કોહલીની પસંદગી કરવા ઈચ્છતા હોવ, તો મેરિટના આધારે કરો. હું કંઈ આપી નહીં શકું. એ ઘટના પછી હું ખૂબ રડ્યો હતો. હું અંદરથી તૂટી ગયો હતો, પરંતુ પિતાએ કહેલી વાતોએ મને ઘણું શીખવ્યું. મને અહેસાસ થયો કે, સફળતા હાંસલ કરવા મારે અસામાન્ય ક્રિકેટર બનવું પડશે. મારા પિતા હંમેશા કહેતા કે, આગળ વધવું હોય, તો એવું કરો જે કોઈ ના કરી શકે. જે કંઈ હાંસલ કરવું હોય એ માટે મહેનત કરો. આ શબ્દો મારા મનમાં વસી ગયા અને પછી હું મારી જાતને તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયો.
1996ના વિશ્વ કપમાં વેંકટેશ પ્રસાદે આમિર સોહેલને ક્લિન બોલ્ડ કર્યો તે યાદગાર ક્ષણ
છેત્રીએ કોહલીને જીવનની યાદગાર ક્ષણ વિશે સવાલ પૂછ્યો. જેના જવાબમાં કોહલીએ કહ્યું કે, 1996ના વિશ્વ કપમાં વેંકટેશ પ્રસાદે આમિર સોહેલને ક્લિન બોલ્ડ કર્યો હતો, જે મારા જીવનની યાદગાર ક્ષણ છે. એ દિવસે હું ઘરે હતો, પરંતુ મેં એવી ખુશી મનાવી હતી, જેવી આજે કોઈ મોટી ટુર્નામેન્ટ જીતીને મનાવું છું.
અનુષ્કા સાથ આપશે તો મારી બાયોપિકમાં કામ કરીશ
વિરાટે કહ્યું કે, હું મારી બાયોપિકમાં કામ કરવા તૈયાર છું, પરંતુ એ ફિલ્મમાં મારી પત્ની અનુષ્કા પણ કામ કરતી હોવી જોઈએ. હું આજે એક માણસ તરીકે જે કંઈ છું, તેનો ઘણો શ્રેય અનુષ્કાને જાય છે. તેને મળતા પહેલા હું આત્મકેન્દ્રિત હતો અને મારા કમ્ફર્ટ ઝોનમાં જ રહેતો હતો. અનુષ્કાએ મને અહેસાસ કરાવ્યો કે, હું જે સ્તર પર પહોંચ્યો છું, તેના માટે મારે અંદરથી પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે.
કર્ણાટકમાં ભાજપની યેદિયુરપ્પા સરકારે ગુજરાતી લોકોને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ વધુ હોવાથી યેદિયુરપ્પાની સરકારે આ નિર્ણય લીધો છે. તેથી હવે ગુજરાતમાં રહેલી કોઇપણ વ્યક્તિને લોકડાઉન-4માં નિયમો હળવા કરાયાં હોવા છતાં કર્ણાટકમાં પ્રવેશ નહીં મળે.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પોતે જ ગુજરાતી
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પોતે જ ગુજરાતી છે, જો કે આ નિયમ હવેથી ગુજરાતમાંથી આવતા લોકોને લાગુ રહેશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ તથા કેરળનો પણ સમાવેશ થાય છે. એકમાત્ર ગુજરાતને બાદ કરતાં બાકીના તમામ ત્રણ રાજ્યોની સીમા કર્ણાટકને સ્પર્શે છે.
સીબીએસઇએ સોમવારે ધો.10-12ની બાકી રહેલા વિષયોની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમો વચ્ચે તા. 1થી 15 જુલાઈ દરમિયાન યોજાશે. તમામ પરીક્ષાનો સમય સવારે 10.30થી બપોરે 1.30 સુધીનો રહેશે.
ધો. 12ની પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે યોજાશે
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલે ટ્વિટ કરી કહ્યું કે 25 માર્ચથી લૉકડાઉન લાગુ થતા આ પરીક્ષા સ્થગિત થઈ ગઈ હતી. ધો. 10ની પરીક્ષા માત્ર ઉત્તર પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે યોજાશે. જ્યારે ધો. 12ની પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે યોજાશે. તમામ વિદ્યાર્થીઓએ સેનેટાઈઝર લઈને પરીક્ષઆ આપવા જવું પડશે. આ સાથે જ માસ્ક પણ પહેરવું અનિવાર્ય હશે. કોઈ બાળક બીમાર ન પડે તેનું વાલીએ ધ્યાન રાખવું પડશે. વર્ગમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે.
1 જુલાઈએ ધોરણ 12ની સોશિયલ સાયન્સની પરીક્ષા
સમગ્ર દેશમાં 1 જુલાઈએ સોશિયલ સાયન્સની પરીક્ષા યોજાશે. બીજા દિવસે હિન્દીના બંને કોર્ષની પરીક્ષા યોજાશે. બિઝનેસ સ્ટડીની પરીક્ષા 9 જુલાઈએ, બાયો ટેકનોલોજી 10 જુલાઈએ, ભૂગોળ 11 જુલાઈએ અને સોશિયોલોજી 13 જુલાઈએ યોજાશે. ધો. 10ની પરીક્ષા પણ 1 જુલાઈએ સોશિયલ સાયન્સના વિષય સાથે શરૂ થશે.
કોરોના સંકટને લીધે જાપાની સોફ્ટબેન્ક ગ્રુપ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયુ છે. સ્ટાર્ટઅપ્સમાં રોકાણ માટે તૈયાર કરવામાં આવતા તેના વિઝન ફંડ બિઝનેસમાં ગતવર્ષે 1.9 ટ્રિલિયન યેન (17.7 અબજ ડોલર, રૂ. 1.32 લાખ કરોડ)નુ નુકસાન થયુ છે. આ નુકસાન માટે વીવર્ક અને ઉબરને જવાબદાર ઠેરવવામાં આવી છે. ગ્રુપ દ્વારા જારી નિવેદન અનુસાર, કંપનીએ માર્ચમાં પૂર્ણ થતા નાણા વર્ષમાં 1.36 ટ્રિલિયન યેનની ઓપરેટિંગ ખોટ અને 961.6 અબજ યેનની ચોખ્ખી ખોટ નોંધાવી છે. કંપનીના 39 વર્ષીય ઈતિહાસમાં આ સૌથી મોટી ખોટ છે. સોફ્ટબેન્કના કો-ફાઉન્ડર માસાયોશી સોને 100 અબજ ડોલરનુ વિઝન ફંડ બનાવ્યુ હતુ. જો કે, તે 75 અબજ ડોલરમાં સમેટાઈ ગયુ છે. ગતવર્ષે મેમાં ઉબરની નિરાશાજનક શરૂઆત બાદ સપ્ટેમ્બરમાં વીવર્કને નુકસાન થયુ હતુ. ત્યારે સોફ્ટબેન્કે શેયરિંગ ઈકોનોમીના નામે બચાવ કર્યો હતો.
ઉબરના શેરની કિંમતમાં ઘટાડાથી વિઝન ફંડને 5.2 અબજ ડોલરનું નુકસાન
પરંતુ હાલ કોરોના વાયરસને લીધે આ કંપનીઓને મોટાપાયે નુકસાન થયુ છે. હવે સોન જણાવે છે કે, સ્થિતિ વધુ વણસી છે. અમારી દ્વારા રોકાણ કરવામાં આવતા યુનિકોર્ન અચાનક આવેલા કોરોના વાયરસ સંકટને લીધે નુકસાન કરી રહ્યા છે. પરંતુ આશાવાદ છે કે, તેમાંથી અમુક ફરીથી ઉભા થશે. સોફ્ટ બેન્કે જણાવ્યુ છે કે, ઉબરના શેરની કિંમતમાં ઘટાડાથી વિઝન ફંડને 5.2 અબજ ડોલરનું નુકસાન થયુ છે. જ્યારે વીવર્કને લીધે 4.6 અબજ ડોલર અને અન્ય બાકી કંપનીઓ દ્વારા 7.5 અબજ ડોલરનુ નુકસાન થયુ છે.
જાપાનના સોફ્ટબેન્કના બોર્ડમાંથી જેકમા દૂર થયા
ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબાના કો-ફાઉન્ડર જેકમાએ જાપાનના સોફ્ટબેન્ક ગ્રુપના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધુ છે. 13 વર્ષોથી સોફ્ટબેન્ક ગ્રુપ સાથે જોડાયેલા હતા. બેન્કે આ અંગે સોમવારે જણાવ્યુ હતુ. મોટા દેવા હેઠળ ધરોબાયેલી સોફ્ટબેન્કે જેકમાના રાજીનામા પાછળનુ કારણ જણાવ્યુ નથી. જો કે, અનેક મીડિયા રિપોર્ટ અનુસાર, સોફ્ટબેન્કના સંયુક્ત સાહસ વીવર્કમાં જોખમભર્યા રોકાણ અંગે જેકમાએ રાજીનામુ આપ્યુ છે. જેકમાએ સોફ્ટબેન્કના નાણાકીય પરિણામો અગાઉ રાજીનામાની જાહેરાત કરી છે. જેકમા 2007માં સોફ્ટબેન્કના બોર્ડ સાથે જોડાયા હતા. તેમના બેન્કના કો-ફાઉન્ડર માસાયોશી સોન સાથે ગાઢ સંબંધ હતા. સીએનએન અનુસાર, 2000માં સોને અલીબાબામાં 20 મિલિયન ડોલરનુ રોકાણ કર્યુ હતુ. 2014માં અલીબાબા માર્કેટમાં આવી ત્યારે સોને આ રોકાણ વધારી 60 અબજ ડોલર કર્યુ હતું. જેમાં સોફ્ટબેન્કના અમુક શેર વેચ્યા હતા. પરંતુ હાલ બેન્કનો અલીબાબામાં 25.1 ટકા હિસ્સો છે. જે આશરે 133 અબજ ડોલર આસપાસ છે.
ભારતમાંથી પણ નુકસાન
ભારતીય સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કંપની ઓયો દ્વારા મોટુ નુકસાન થયુ છે. ઓયોમાં સોફ્ટબેન્કે આશરે 1.5 અબજ ડોલરનુ રોકાણ કર્યુ હતું. કંપનીએ ગતમહિને અન્ય દેશોમાં કર્મચારીઓની હાંકલપટ્ટી કરી હતી.
અમદાવાદ ખાતે સોનું આજે વધુ 500-750 ઉછળી રેકોર્ડ 49000ની સપાટી કુદાવી 49200 ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે ચાંદી 50000ની નજીક પહોંચી છે. લોકડાઉનના કારણે માર્કેટ સત્તાવાર બંધ હોવા છતાં સોના-ચાંદીમાં ખાનગીમાં તોફાની તેજી રહી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1775 ડોલરની આઠ વર્ષની ટોચે પહોંચતા અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડી 76ની નજીક સરકતા તેના કારણે પણ સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યારસુધી સોનામાં 19.30 ટકા તેજી
કોરોના સંકટ હેઠળ જોખમ અને અનિશ્ચિતતાઓ વધતાં તેમજ રોકાણના અન્ય માધ્યમોમાં રિટર્ન ઘટવાથી હેજફંડ્સ, ગોલ્ડ ઇટીએફ, એસપીડીઆર ગોલ્ડ ફંડમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે જેના કારણે ઝડપી તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યારસુધી સોનામાં 19.30 ટકા તેજી જોવા મળી છે. 31 ડિસેમ્બરે સોનુ 1460 ડોલર હતું. જે વધીને અત્યારે 1775 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સરેરાશ 22 ટકાથી વધુની તેજી આવી છે. સ્થાનિક માર્કેટમાં સોનાએ આ વર્ષે અત્યાર સુધી 23 ટકા રિટર્ન આપ્યુ છે. લોકડાઉન પૂર્વે 18 માર્ચે અમદાવાદ ખાતે સોનું 42500 અને ચાંદી રૂ.36000 આસપાસ ક્વોટ થતી હતી આમ સોનામાં સરેરાશ રૂ.6000 અને ચાંદીમાં 12000થી વધુનો ઉછાળો આવ્યો છે.
કેન્દ્રીય બેન્કોએ 2024 સુધી વાસ્તિવક વ્યાજ શૂન્ય આસપાસ જાળવી રાખવુ પડશે
કોરોનાના કારણે પ્રથમ છમાસમાં ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરીનો દોર નબળો રહેશે. પરંતુ બીજા છ માસમાં ઝડપી સુધારો જોવા મળશે. કેન્દ્રીય બેન્કોએ 2024 સુધી વાસ્તિવક વ્યાજ શૂન્ય આસપાસ જાળવી રાખવુ પડશે. એવામાં સોનામાં રોકાણ પર આ વર્ષે 40 ટકા સુધી રિટર્ન મળી શકે છે. 2020થી 2022 દરમિયાન રિટર્ન ઘટશે. બાદમાં પોઝિટીવ થશે. ત્યારબાદ આગામી બે વર્ષમાં રિટર્ન નેગેટીવ થઈ શકે છે. જોકે અત્યારે બજાર તેજી તરફી છે જેને બ્રેક લાગી શકે છે. એમસીએક્સ ખાતે સોનું ઝડપી ઉંચકાઇ ઓગસ્ટ વાયદો રૂ.48190 તથા ચાંદી સપ્ટેમ્બર વાયદો રૂ.49048 બોલાઇ રહ્યો છે.
ચાંદી 19, સોનું 1800 ડોલર કુદાવી શકે
સોનાની તુલનાએ ચાંદીમાં છેલ્લા બે સપ્તાહથી ઝડપી રિકવરી જોવા મળી છે. ચાંદી 17.80 ડોલર ઉપર બંધ આવતા આગળ જતા 18-18.70 અને ત્યાર બાદ 19 ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે. જ્યારે સોનું 1820 ડોલરનું ધ્યાન છે. હેજફંડ્સ, ઇટીએફ તથા એસપીડીઆરમાં હોલ્ડિંગ પેટર્ન કેવી રહે છે તેના પર તેજીનો મુખ્ય આધાર રહેલો છે.- સૌમીલ ગાંધી, કુંવરજી કોમોડિટીઝ.
સોનું ઝડપી 50000, ચાંદી 52000 થઇ શકે.
આંતરરાષ્ટ્રીય સોનું 1800 ડોલરની સપાટી કુદાવતા અને ડોલર સામે રૂપિયો વધુ નબળો પડી 76.50-77.00 સુધી પહોંચે તો સોનું ઝડપી 50000 અને ચાંદી રૂ,52000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. લોકડાઉનના કારણે હાજરમાં વેપારો સાવ ઠપ છે. લોકડાઉન દૂર થયા બાદ પણ સ્થાનિકમાં ઉંચા ભાવના કારણે ખરીદી ઝડપી ખુલે તેવા સંકેતો નથી.- અશોક ચોક્સી, બીડી જ્વેલર્સ
હું પરાક્રમ છું. 26 માર્ચે મુંબઈની એક હોસ્પિટલમાં મારો જન્મ થયો. ત્યારે એક ભૂલને કારણે હું કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયો. લાંબા સંઘર્ષ પછી મારા મમ્મી-પપ્પા, ડૉક્ટર અને આરોગ્યકર્મીઓએ મને બચાવ્યો છે. મારા ચહેરા પર આ વિજયી સ્મિત એટલા માટે છે કે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સતર્કતાથી પોતાની જવાબદારી બરાબર નિભાવી છે.
વિશ્વમાં સૌથી વધુ આશાવાદી ભારતીય છે. અહીં ગ્રાહકની ઇન્કમ અને બચતમાં ઘટાડો છતાં આર્થિક સુધારા અંગે લોકો આશાવાદી છે. મેકેન્ઝી એન્ડ કંપનીના 1થી 4 મે વચ્ચે કરાયેલા એક સરવેમાં 57 ટકા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2-3 મહિનામાં જ અર્થતંત્ર કોવિડ-19થી પહેલાંની જેમ જ ફરી પાટા પર આવી જશે. આવો જ ઇપ્સોસના સરવેમાં 63 ટકા ભારતીયોને ઝડપથી ઇકોનોમીમાં રિકવરીની આશા છે. એટલે 5માંથી 3 ભારતીય ભવિષ્ય અંગે આશાવાદી છે.
મેકેન્ઝીનો રિપોર્ટ: 93% માને છે કે એક વર્ષમાં જીવન પહેલાં જેવું થઇ જશે
રોજિંદા જીવન અંગે પણ આપણે વધુ આશાવાદી છીએ. મેકેન્ઝીના આ સરવેમાં માત્ર 7% લોકોએ કહ્યું કે જીવન સામાન્ય થતાં એક વર્ષ લાગી જશે. અન્ય 93%નું માનવું છે કે એક વર્ષની અંદર જ રૂટિન પહેલાં જેવું જ થઇ જશે. તેમાં 8% લોકોનું કહેવું છે કે 1 મહિનાની અંદર જ રુટિન પહેલાં જેવું થઇ જશે. 32%નું માનવું હતું કે મહામારી ઓગસ્ટ-ઓક્ટોબર સુધી રહી શકે છે.
વર્લ્ડ ઇકોનોમી ફોરમ: ભારતમાં લોકો વધુ ખર્ચ કરવાની તૈયારીમાં
વર્લ્ડ ઇકોનોમી ફોરમના જણાવ્યા મુજબ ભારતમાં લોકો ખર્ચ વધારવાની યોજના કરી રહ્યા છે. આ જ પ્રકારનો ટ્રેન્ડ ચીન, ઇન્ડોનેશિયા અને નાઇજિરિયામાં પણ જોવા મળ્યો છે. અમેરિકા, રશિયા, જર્મની જેવા ઘણા દેશોમાં લોકો ખર્ચ ઓછો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કેપઝેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સરવે મુજબ 57% ભારતીયોએ કહ્યું કે તેઓ આ વર્ષે કાર ખરીદવા વિચારે છે.
ડેટા ફર્મ યુગોવનો રિપોર્ટ: 48% ભારતીયાના મતે મહામારી ટૂંકમાં ખતમ થઇ જશે
લંડન સ્થિત ગ્લોબલ માર્કેટ રિસર્ચ અને ડેટા કંપની યુગોવના સરવેમાં કોવિડ ટૂંકમાં ખતમ થવા અંગે ભારતીય લોકો વધુ આશાવાદી છે. ભારતમાં આશરે 48 ટકા લોકોએ કહ્યું કે જુલાઇના અંત સુધી મહામારી ખતમ થઇ જશે. જ્યારે વિશ્વમાં 40 ટકા લોકોને મહામારી ટૂંકમાં ખતમ થવાની આશા છે. મોટા ભાગના લોકોએ માન્યું કે આ સંકટમાં કંઇક ને કંઇક સારું થયું છે.
દેશભરમાં મોનસૂનની સક્રિયતાનો ગાળો હવે 48ના બદલે 71 દિવસનો હશે. દેશના મોનસૂન કેલેન્ડરમાં આ જ ન્યુ નોર્મલ છે. 1 જૂને મોનસૂન કેરળમાં આગમન બાદ ધીમે-ધીમે દેશમાં આગળ વધશે અને છેવટે રાજસ્થાન (પોખરણ) પહોંચશે. 15 જુલાઇથી 1 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેતું મોનસૂન હવે 8 જુલાઇથી 17 સપ્ટેમ્બર સુધી આખા દેશમાં એક સાથે સક્રિય થશે. તેની વિદાય 16 દિવસ મોડી શરૂ થશે. આ સાથે જ મોનસૂનનું નવું કેલેન્ડર પણ લાગુ થશે.
સાઉથ-વેસ્ટ મોનસૂનનો છેલ્લો વરસાદ થશે
નવા કેલેન્ડરમાં કેરળમાં મોનસૂનના આગમનની તારીખ 1 જૂન જ છે. જોકે, આ વખતે વિદાયનાં સ્થળો બદલાયાં છે. હવે તે ઇમ્ફાલ, કલિંગાપટ્ટનમ (આંધ્ર) અને ગંગાવટી (કર્ણાટક) હશે, જ્યાં સાઉથ-વેસ્ટ મોનસૂનનો છેલ્લો વરસાદ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે આ વખતે દેશભરના મુખ્ય જળાશયોમાં જળસંગ્રહના સંચાલન, નદીઓના બેરેજથી પાણીના પ્રવાહ અને વીજ ઉત્પાદનના સંચાલનમાં મોનસૂનની નવી તારીખોથી મદદ મળશે.
બાડમેરમાં વધુ 22 દિવસ, અમદાવાદમાં ટૂંકુ ચોમાસુ
પૂણે સ્થિત ક્લાઇમેટ રિસર્ચ વિંગના મુખ્ય વિજ્ઞાની ડૉ. ડી. એસ. પઇએ જણાવ્યું કે મોનસૂનના આગમન અને વિદાયની તારીખો બદલાઇ છે, જેના કારણે ઘણા શહેરોમાં તેનો સમયગાળો વધ્યો છે તો ક્યાંક 2-5 દિવસ ઘટ્યા પણ છે. બાડમેરમાં મોનસૂન હવે વધુ 22 દિવસ જ્યારે અમદાવાદ, ઇન્દોર, અકોલા અને પુરી જેવા શહેરોમાં થોડું ટૂંકું રહેશે.
દરેક કામ ગુરુઓના આશીર્વાદ લઇ આરંભ કરતી ક્રિષ્ના સ્કૂલની સોમૈયા હિરવાએ ધો.12 સાયન્સમાં 99.67 પીઆરનું પરિણામ આવતાં જ વીડિયો કોન્ફરન્સથી ગુરુ તૃપ્તિબેન ગજેરાનો સંપર્ક કરી ઓનલાઇન આશીર્વાદ મેળવ્યા હતા. તૃપ્તિબેન ગજેરાએ કહ્યું હતું કે હિરવા દરરોજ સ્કૂલે આવી સૌપ્રથમ ગુરુઓના આશીર્વાદ લઇને અભ્યાસ શરૂ કરતી હતી તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જતી વખતે અને પછી પણ આશીર્વાદ લેવા રૂબરૂ સ્કૂલે આવતી હતી. લૉકડાઉનના કારણે વીડિયો કોલિંગ મારફતે આશીર્વાદ લીધા હતા.
છેલ્લા વર્ષોમાં સૌથી ઓછુ એકંદરે 71.34 ટકા આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)નુ ધોરણ 12 સાયન્સનું પરિણામછેલ્લા વર્ષોમાં સૌથી ઓછુ એકંદરે 71.34 ટકા આવ્યું છે. ચાલુ વર્ષે સેમેસ્ટર સિસ્ટમ ન હતી તેમજ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષાનુ આયોજન કરાયું હતું. આ વર્ષનુ પરિણામ ગત વર્ષના 71.90 ટકા કરતા 0.56 ટકા ઘટ્યું છે. આ વર્ષે વિદ્યાર્થી ભાઈઓનુ પરિણામ લગભગ દર વર્ષોથી વિપરીત વિદ્યાર્થીની બહેનો કરતા વધુ આવ્યું છે. છેલ્લા દસ વર્ષોમાં (2011થી 2020) માત્ર ત્રીજી વાર (2013,2017 અને 2020) આમ થયું છે.
100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા ગત વર્ષની 35થી વધીને 36 થઈ
ધરાવતી સ્કૂલોની સંખ્યા 49થી વધીને 68 થઈ છે. એ1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 254થી ઘટીને માત્ર 44 થઈ છે. આમ એ1 ગ્રેડ ધરાવનારાઓની સંખ્યામાં 83 ટકાનો ઘટા઼ડો નોંધાયો છે.ગેરરીતિના કેસોની સંખ્યા ગત વર્ષના 365થી ઘટીને 127 થઈ છે. આમ તેમાં 65 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ચાલુ વર્ષોના પરિણામમાં વધુ એક મહત્વની બાબત એ બની છે કે રીપીટર વિદ્યાર્થીઓના પરિણામમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે રીપીટર વિદ્યાર્થીઓનુ પરિણામ 25.22 ટકા આવ્યું હતું. જે ચાલુ વર્ષે ઘટીને 13.78 ટકાનુ નોંધાયુ છે. આમ આ વર્ષે રીપીટર વિદ્યાર્થીઓનુ પરિણામ 45 ટકા જેટલુ ઘટ્યું છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનુ પરિણામ છેલ્લા 11 વર્ષોની જેમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પરિણામ કરતા વધુ આવ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનુ પરિણામ 70.77 ટકા,જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનુ પરિણામ તેનાથી વધુ 74.02 ટકા આવ્યું છે.
છેલ્લા 11 વર્ષોની જેમ એ ગ્રુપના વિદ્યાર્થીઓનુ પરિણામ બી ગ્રુપના વિદ્યાર્થીઓના પરિણામ કરતા વધુ આવ્યું છે, એ ગ્રુપના વિદ્યાર્થીઓના ગત વર્ષના પરિણામ 78. 92 ટકામાં ચાલુ વર્ષે 2.03 ટકા ઘટીને 76.62 ટકા આવ્યુ હોવા છતાં તે બી ગ્રુપના વિદ્યાર્થીઓના પરિણામ કરતા વધુ છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓનુ પરિણામ ગત વર્ષના પરિણામ 67.26 ટકા માં ચાલુ વર્ષે 0.95 ટકા વધીને 68.21 ટકા આવ્યુ હોવા છતાં તે એ ગ્રુપના વિદ્યાર્થીઓના પરિણામ કરતા ઓછુ આવ્યું છે. એ-બી ગ્રુપના વિદ્યાર્થીઓનુ ગત વર્ષનુ પરિણામ 64.29 ટકા હતુ ,જે 3.71 ટકા વધીને 68 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાઓમાં સતત ત્રીજા વર્ષે રાજકોટ જિલ્લો 84.69 ટકા સાથે નોંધાયો છે, આમ રાજકોટ જિલ્લાએ સૌથી વધુ પરિણામની હેટ્રિક કરી છે. તે જ પ્રમાણે સૌથી ઓછુ પરિણામ ધરાવતા જિલ્લાઓમાં સતત છઠ્ઠા વર્ષે છોટા ઉદેપુર જિલ્લો 32.64 નોંધાયો છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રોમાં સતત ત્રીજા વર્ષે ધ્રોલ કેન્દ્ર 91.42 ટકા સાથે નોંધાયુ છે, આમ ધ્રોલ કેન્દ્રએ સૌથી વધુ પરિણામની હેટ્રિક કરી છે. તે જ પ્રમાણે સૌથી ઓછુ પરિણામ ધરાવતા કેન્દ્રોમાં લીમખેડા કેન્દ્ર 23.03 ટકા નોંઘાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાષાઓ ગુજરાતી (બંન્ને પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા),હિન્દી (પ્રથમ ભાષા મરાઠી(પ્રથમ ભાષા) ઉર્દુ(પ્રથમ ભાષા)નુ પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે અંગ્રેજી (પ્રથમ ભાષા) 98.25 ટકા (દ્વિતીય ભાષા)નું 98.15 ટકા હિન્દી (દ્વિતીય ભાષા) 98.49 ટકા આવ્યું છે.આમ ભાષાઓના વિષયોનુ પરિણામ 100 ટકા કે તેની નજીક આવ્યું છે. જ્યારે વિષયવાર પરિણોમાં સૌથી ઓછુપરિણામ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયનુ આવ્યું છે. કેમેસ્ટ્રી વિષયનુ પરિણામ 72.38 ટકા જ્યારે ફિઝિક્સનુ પરિણામ 72.41 ટકા આવ્યું છે. એ ગ્રુપના મુખ્ય વિષયો મેથ્સનુ પરિણામ 80.41 ટકા નોંધાયુ છે, જ્યારે બી ગ્રુપના મુખ્ય વિષય બાયોલોજીનુ પરિણામ 85.99 ટકા નોંધાયુ છે.
એન્જિ., ફાર્મસી સહિતના પ્રવેશ ગુજકેટ, JEEના રીઝલ્ટ બાદ
એસીપીસીના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ધોરણ12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે, પરંતુ ઈજનેરી,ફાર્મસી સહિતની પ્રવેશ કાર્યવાહી સીબીએસઈ બોર્ડ તેમજ અન્ય બોર્ડના પરીણામ તેમજ ગુજકેટ, જેઈઈ સહિતની એકઝામિનેશનના પરિણામ બાદ હાથ ધરવામાં આવશે. પ્રવેશ કમિટી તરફથી રાજ્ય સરકાર અને ટેકનિકલ શિક્ષણ વિભાગના આદેશ બાદ આ પ્રવેશ કાર્યવાહી થશે.
વિશ્વના સૌથી વ્યસ્ત બ્રિટનના હીથ્રો એરપોર્ટના વડા જૉન હોલેન્ડ કાયેએ ઈમ્યુનિટી પાસપોર્ટની વ્યવસ્થા લાગુ કરવાની વકીલાત કરી છે. તેમણે આ હેઠળ કોરોના વાઈરસ સામેનો જંગ જીતનારાને રિસ્ક ફ્રી હોવાનું સર્ટિફિકેટ આપવાની સાથે જ તેને દુનિયાભરમાં લાગુ કરવાની દરખાસ્ત મૂકી છે. આ વ્યવસ્થાથી પ્રવાસ અગાઉ જ એવી વ્યક્તિની ઓળખ થઈ જશે કે તેને ઈમ્યુનિટી પાસપોર્ટ દ્વારા બીજા દેશમાં જવાની મંજૂરી છે. આ વ્યવસ્થા કાયમી હોવાથી લોકો વેકેશન પર પણ જઈ શકશે. તેમને અર્થતંત્રને પાટે ચઢાવવા કોરોનાથી ઓછું જોખમ ધરાવતા દેશો વચ્ચે ફરીથી ઉડ્ડયન સેવા શરૂ કરવા પર પણ જોર આપ્યું હતું.
બ્રિટનમાં પ્રવાસીઓની સંખ્યા 97 ટકા સુધી ઘટી
રવિવારે એક ટીવી શૉમાં જૉન હોલેન્ડે કહ્યું કે બ્રિટનમાં પ્રવાસીઓની સંખ્યા 97 ટકા સુધી ઘટીને 5-6 હજારની થઈ ગઈ છે. એક સમયે રોજના અઢી લાખ પ્રવાસી અહીં આવતા હતા. આ એર ટ્રાફિકનું અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે અને આશંકા છે કે તે લાંબો સમય સુધી આમ જ રહેશે. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા આપણે એક સામાન્ય આંતરરાષ્ટ્રીય માપદંડની સાથે અન્ય દેશો સાથે કામ કરીએ જેથી કોરોનાથી ઓછા પ્રભાવિત દેશો વચ્ચે વિમાની સેવા શરૂ કરી શકાય. આથી એ જરૂરી છે કે કોરોનાનો જંગ જીતેલા આવા લોકોને ઈમ્યુનિટી પાસપોર્ટ કે રિસ્ક ફ્રી સર્ટિફિકેટ આપવામાં આવે. આ રોગચાળાના પ્રકોપથી અત્યંત ખરાબ રીતે પ્રભાવિત પર્યટન અને વિમાની સેવાને ફરી જીવિત કરવા માટે હિથ્રો એરપોર્ટના ટર્મિનલ નંબર 2 પર થર્મલ ઇમેજિંગ સિસ્ટમ લગાવાઈ રહી છે. જો કે ડબલ્યુએચઓ કહી ચૂક્યું છે કે ઈમ્યુનિટી પાસપોર્ટ પર ભરોસો કરવો જોઈએ નહીં. કારણ કે એવા કોઈ પુરાવા મળ્યાં નથી કે જે લોકો આ ચેપમાંથી સાજા થયા પછી તેમનામાં એન્ટીબોડી વિક્સિત થયું હોય અને તેમને ફરી ચેપ નહીં લાગે તથા તેઓ કોરોના વાઈરસથી સંપૂર્ણ સુરક્ષિત છે તેવું કહી શકાય નહીં.
ભારતમાં ઈમ્યુનિટી પાસપોર્ટ પર હાલમાં કોઈ વિચાર નથી: ડીજીસીએ
દેશમાં ઈમ્યુનિટી પાસપોર્ટ પર હાલમાં કોઈ વિચારણા નથી. ડીજીસીએના જણાવ્યા મુજબ અત્યારે માત્ર મંત્રાલયે જાહેર કરેલા લૉકડાઉનને નિયમનું પાલન થાય છે. જો કે એરલાઈન્સ કંપનીઓને ફ્લાઈટ ઓપરેશન દરમિયાન કોરોના સંબંધિત ગાઈડ લાઈન આપી દેવાઈ છે જેનું તેમને પાલન કરવું પડશે.
રાજસ્થાનના જેસલમેરમાં રવિવારે ધૂળની આંધીથી ધરતીથી આસમાન સુધી અંધારુ છવાઈ ગયું હતું. ત્યારપછી વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે જેસલમેરમાં 30 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો.ધૂળની ડમરી 200 ફૂટની ઊંચાઈ સુધી છવાઈ ગઈ હતી.