Ad

Wednesday, April 8, 2020

અમદાવાદમાંથી નિઝામુદ્દીન સિવાયની મરકજમાંથી આવેલું સુરા ગ્રૂપ શોધી કઢાયું

દિલ્હીની નિઝામુદ્દીન મરકજમાંથી આવેલા તબલીગીઓ પૈકી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ જણાયા બાદ અત્યાર સુધીમાં કુલ 127 તબલીગીને શોધી કાઢવામાં આવ્યા છે ત્યારે નિઝામુદ્દીન સિવાયની મરકજ સાથે સંકળાયેલા એક સુરા ગ્રૂપને પણ પોલીસે અમદાવાદમાંથી શોધી કાઢ્યું છે અને તમામની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.
કોઈના કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવી સંભાવના
ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, નિઝામુદ્દીન મરકજ સિવાયની મરકજ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ થઈ રહી છે. અમદાવાદમાંથી મળી આવેલા સુરા ગ્રૂપના સભ્યો પૈકી કેટલાક ઇન્દોરથી આવેલા છે જ્યારે કેટલાક લોકો નિઝામુદ્દીન મરકજના તબલીગીઓના સંપર્કમાં આવ્યા હોવાનું જણાય છે. આ તમામના મેડિકલ ચેકઅપ થઈ રહ્યા છે. તેમના સંપર્કની વિગતો પણ લેવામાં આવી રહી છે. આ ગ્રૂપના મોટા ભાગના સભ્યો અહીં જ કામ કરે છે, પરંતુ તેઓ કોઈના કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવી સંભાવનાને પગલે તપાસ થઈ રહી છે.
નિકોલમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર યુવકે ક્વોરન્ટાઇનનો ભંગ કરતા ફરિયાદ
શાહીબાગના સુમિત પાર્કમાં રહેતા અને ડોક્ટર તરીકે ફરજ બજાવતા હર્ષદકુમાર પટેલને કોરોનાગ્રસ્ત લોકોનું ધ્યાન રાખવા માટે મ્યુનિ.એ તેમને પૂર્વ ઝોન ફાળવ્યો હતો. મંગળવારે તે તેમની ફરજ પર હાજર હતા ત્યારે ક્વોરન્ટાઇન કરેલા જીવાઉલ રહેમાન હસન (ઉં.વ.60, રહે, મૂળ દિલ્હી અને હાલ નિકોલ) તેમણે દિલ્લી નિઝામુદીન મકરજ ખાતે યોજાયેલ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હોવાથી તેમના ઘર નિકોલ ખાતે 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવાનું જણાવ્યા હોવા છતાં પણ તે તેમના ઘરમાંથી બહાર આવીને ફ્લેટના કંપાઉન્ડમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. દરમિયાન ત્યાં હાજર મેડિકલ સ્ટાફ તથા પોલીસ જવાનોએ તેમને રોકીને હર્ષદકુમારને જાણ કરતા હર્ષદકુમારે નિકોલ પોલીસ સ્ટેશનમાં જીવાઉલ રહેમાન હસનના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3e6kkeq

સોલા સિવિલ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન વચ્ચેના વિવાદમાં એક મહિનાથી મૃતદેહનો નિકાલ થતો નથી

સોલા સિવિલ હોસ્પિટલ અને સોલા પોલીસ સ્ટેશન વચ્ચેના વિવાદમાં છેલ્લા એક મહિનાથી મૃતદેહનો નિકાલ થતો નથી હાલ મૃતદેહ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.
દર્દી મૃત હાલતમાં મળી આવ્યો હતો
સિવિલ હોસ્પિટલમાં ગત 4થી માર્ચના રોજ સવારે ઝાડા-ઊલટીની તકલીફ સાથે સારવાર માટે આવ્યો હતો. તેણે પોતાનું નામ કલ્પેશ નાથુભાઈ (35 વર્ષ ) જણાવ્યું હતું દર્દીને પ્રાથમિક સારવાર આપી રજા અપાઇ હતી, પરંતુ થોડોક સમય ગયા બાદ સોમા સેન્ટર વિભાગના બાથરૂમમાંથી આવે દર્દી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. પીએમ કર્યા પછી દર્દીની કોઈ વધુ વિગત ન હોવાથી પોલીસને મૃતદેહનો નિકાલ કરવા હોસ્પિટલ સત્તાવાળાઓએ જાણ કરી હતી અને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપ્યો હતો.
બીજી તરફ સોલા પોલીસે હોસ્પિટલ પાસે દર્દીની પૂરતી વિગતો ન હોવાથી ખુલાસો માંગ્યો છે કે દર્દી હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે તેણે કઢાવેલા કેસમાં નામ-સરનામાં સહિતની વિગતો કયા કારણોસર લખાઈ નથી, દર્દી નામ સરનામું લખાવવામાં અસમર્થ હોય તો તેને કયા કારણોસર રજા અપાઇ હતી. પોલીસે લેખિત ખુલાસો માંગ્યો છે કે, સિવિલ અને વી.એસ.હોસ્પિટલમાં અજાણી લાશની અંતિમવિધિ કરી કેસનો નિકાલ કરાય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં કયા કારણોસર મૃતદેહનો નિકાલ કરાતો નથી. સંબંધિત ઓથોરિટી તરફથી હોસ્પિટલને નોટિફિકેશન અપાયું છે કે નહીં તેની વિગત પણ પોલીસે માગી છે.
હોસ્પિટલના આરએમઓ ડો. કિરણ ગોસ્વામીએ કહ્યું કે, મૃતદેહના નિકાલ માટે અમે પોલીસને જાણ કરી છે હાલ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે. બીજી તરફ હોસ્પિટલ અને પોલીસ વચ્ચેના વિવાદમાં મૃતદેહ ની વિગતો બહાર આવી નથી. દર્દી ક્યાં રહે છે, તેના સગાં કોણ છે તેવી કોઈ જ માહિતી હોસ્પિટલ પાસે નહીં હોવાનું પોલીસ કેસ હાથમાં લેતી નથી.
દર્દીના શરીર ઉપરના ટેટૂ પરથી નામ લખાયું છે
હોસ્પિટલમાં દાખલ થવા ના દર્દી કલ્પેશ નાથુભાઈ નામ લખવામાં આવ્યું છે પરંતુ આ નામ દર્દીએ લખાયું નહીં હોવાનું મનાઈ રહ્યું છે આ નામ તેના શરીર ઉપર ના ટેટુ ઉપરથી લખવામાં આવ્યું હોવાનું હોસ્પિટલના કર્મચારીઓનું કહેવું છે.
હોસ્પિટલ પાસે પૂરતું નામ સરનામું નથી
પોલીસે પત્ર લખી ખુલાસો માંગ્યો છે કયા કારણોસર દર્દીનું નામ સરનામું લેવાયું નથી તે અંગેની વિગતો હોસ્પિટલ પાસે માગી છે. જ્યાં સુધી કોઈ વિગત મળશે નહીં ત્યાં સુધી કેસનો નિકાલ કરવામાં નહીં આવે.
મૃતદેહના નિકાલની જવાબદારી હોસ્પિટલની
સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમા અજાણ્યા મૃતદેહના નિકાલની જવાબદારી હોસ્પિટલ સત્તાવાળાઓની છે આમાં પોલીસનો કોઇ મહત્વનો રોલ હોતો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સોલા સિવિલ હોસ્પિટલની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3c3Todw

ટપાલી ટપાલ જ નહીં, પરંતુ દવા, શાકભાજી, ફળ, લોટ, દાળની હોમ ડિલિવરી પણ કરશે, 5 હજાર સુધીની રોકડ પણ પહોંચાડશે

હવે ટપાલી ટપાલ જ નહીં, પરંતુ દવાઓ, શાકભાજી, ફળ, લોટ, દાળ અને અન્ય ચીજવસ્તુઓની પણ હોમ ડિલિવરી કરશે. આ માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પાર્સલ બુક કરાવવું પડશે. લૉકડાઉનમાં પણ આ સુવિધાઓ પોસ્ટ ઓફિસથી સામાન્ય લોકો સુધી પહોંચાડાઈ રહી છે. તમે તમારું પાર્સલ દેશના કોઈ પણ ખૂણામાં મોકલી શકો છો. કેન્દ્ર સરકારે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના પાર્સલ થકી હોમ ડિલિવરીનું કામ પોસ્ટ ઓફિસને સોંપ્યું છે.
પાંચ શહેર માટે ચીજવસ્તુઓ મોકલવાનું બુકિંગ થઈ શકશે
એટલે કે જો તમે સંપૂર્ણ લૉકડાઉન વખતે પોતાના કોઈ સગાસંબંધી કે પરિચિતને કોઈ ચીજવસ્તુ મોકલવા ઈચ્છો છો, તો આ સુવિધાનો લાભ લઈ શકો છો. દેશભરમાં ચાલુ થનારી આ સુવિધાને લઈને જલંધર ડિવિઝન પોસ્ટ ઓફિસના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ નરેન્દ્ર કુમાર કહે છે કે, પંજાબ સિવાય મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા અને પૂણે સહિત પાંચ શહેર માટે પણ ચીજવસ્તુઓ મોકલવાનું બુકિંગ થઈ શકશે. એટલું જ નહીં, કર્ફ્યૂ દરમિયાન જે લોકો પૈસા લેવા બેંક સુધી ના જઈ શકે, તેમને પોસ્ટ ઓફિસ રોકડ રકમ પણ પહોંચાડશે.
જલંધરમાં રોજ આશરે 200 લોકોને રોકડ પહોંચાડાઈ રહી છે
જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક છે, તો ટપાલીને તમારું આધાર કાર્ડ બતાવીને રૂ. 500થી રૂ. 5000 સુધીની રકમ પણ તમે ઘરે મંગાવી શકશો. આ માટે તમારું કોઈ પણ બેંકમાં ખાતું હોવું જરૂરી છે. આધાર મળતા જ બાયોમેટ્રિકથી ટપાલી જે તે રકમ નીકાળીને તમને આપી દેશે. આ પૈસા તમારા ખાતામાંથી જ કપાશે. આ યોજનાથી જલંધરમાં રોજ આશરે 200 લોકોને રોકડ પહોંચાડાઈ રહી છે. અત્યાર સુધી 900થી વધુ લોકોને તેમના ઘરે રોકડ પહોંચાડાઈ ચૂકી છે. આ યોજનાનો લાભ ગ્રામીણોને સૌથી વધુ મળી રહ્યો છે.
બહાર નથી નીકળી શકતા, તો ફોન પર સુવિધાનો લાભ લઈ શકો છો
લૉકડાઉનના કારણે તમે પોસ્ટ ઓફિસ સુધી નથી જઈ શકતા, તો તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં ફોન કરી શકો છો. એ સૂચના પર પોસ્ટ ઓફિસના કર્મચારી તમારા ઘરે પહોંચી જશે. ત્યાંથી જ તમને તમામ સુવિધા મળી જશે. જો તમને પૈસાની જરૂર છે, તો રોકડ મંગાવી શકો છો. જો તમારે કોઈ પાર્સલ મોકલવું છે કે કોઈ જાણકારી મેળવવી છે, તો ઘરે જ તમને બધી માહિતી મળી જશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3aY3H2G

લૉકડાઉનથી ગુજરાતને 4થી 5 હજાર કરોડનું નુકસાન

ગુજરાતમાં હાલ 21 દિવસના લૉકડાઉનના ગાળા આડે અઠવાડિયાનો સમય બાકી છે અને હજુ આ લૉકડાઉન એપ્રિલ મહિનાના અંત સુધી લંબાય તેવી શક્યતા છે. વર્તમાન લૉકડાઉનને જોતાં હાલ ગુજરાત સરકારને અંદાજે 4 થી 5 હજાર કરોડની આવકનું નુક્સાન થયું હોવાનો અંદાજ છે. જો લૉકડાઉન એપ્રિલ મહિના બાદ પણ ચાલું રહેશે તો ગુજરાત સરકારની આવકોમાં મોટું અસંતુલન ઊભું થાય તેવી સ્થિતિ છે. ગુજરાત સરકારે બુધવારે યોજેલી કેબિનેટની બેઠકમાં રાજ્યની આર્થિક સ્થિતિની સમીક્ષા કરી હતી જેમાં એપ્રિલ મહિનાના અંત સુધી લૉકડાઉન લંબાવાય તો સરકારને પાંચ હજાર કરોડની આવકમાં ખોટ જશે તેવો અંદાજ મુકાયો છે. સરકારે તે પણ નોંધ્યું છે કે જો આ લૉકડાઉન પરિસ્થિતિ વશ લંબાવવાનની ફરજ પડશે તો સરકારને ઓવરડ્રાફ્ટ લેવો પડી શકે છે.
લૉકડાઉનથી સરકારની તિજોરી પર મોટું સંકટ આવી શકે
રાજ્યસરકારના ખૂબ વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાં અનુસાર ગુજરાત સરકાર તમામ આર્થિક પરિબળોનો વિચાર કરી રહી છે. ઘણાં વર્ષોથી ગુજરાત સરકારની આવક સારી રહી છે. જીએસટી બાદ કેન્દ્ર સરકારે રાજ્યની આવકમાં થનારાં ઘટાડાની સામે વળતર ચૂકવવાનું ચાલું રાખ્યું છે પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી મંદીને કારણે સરકારની પોતાની આવકો અને કેન્દ્રમાંથી મળતાં વળતરમાં પણ ઘટાડો થયો છે, તેમાં હવે કોરોનાને કારણે લૉકડાઉન હોવાથી સરકારની તિજોરી પર મોટું સંકટ ઊભું થાય તેમ છે.
નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે પેકેજ આવી શકે છે
હાલ લૉકડાઉનને કારણે બંધ પડેલાં નાના અને મધ્યમકક્ષાના એકમોને મરણતોલ ફટકો પડ્યો છે. રોજગારી અને જીડીપીમાં મોટું યોગદાન આપનારાં આ ક્ષેત્રને લૉકડાઉન બાદ બેઠું કરવા માટે સરકાર એક પેકેજ જાહેર કરવાનું વિચારી રહી છે. આ માટે આ ઉદ્યોગોના લોન અને વ્યાજની ચૂકવણીમાં સમય આપવો, આર્થિક સહાય અથવા સબસિડી આપવી કે અન્ય કયાં વિકલ્પો આપવા તે અંગે વિચારણા ચાલી રહી છે.
હાલ મૂડી ખર્ચ નહીં હોવાથી જાવક ઓછી
ગુજરાત સરકારે એ પણ નોંધ્યું છે કે હાલમાં લૉકડાઉનને કારણે તમામ પ્રકારના વિકાસના કામો થંભી ગયાં હોવાથી સરકારના મૂડીખર્ચમાં એકદમ ઘટાડો થયો છે. આમ સરકારના નાણાં હાલ વપરાઇ રહ્યાં નથી તેથી આવકના ઘટાડાની હાલ સીધી કોઇ અસર નથી, પણ આ સ્થિતિ લાંબો સમય રહે તો ખૂબ મોટું આર્થિક નુક્સાન ભોગવવું પડે અને તેની અસર હવે સરકારના બજેટ પર પણ પડશે.
આગામી વર્ષે સરકારે આરોગ્ય અને શિક્ષણ પાછળ મોટું ફંડ ફાળવવું પડશે
રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું છે કે ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે અત્યાર સુધીમાં મૂડી ખર્ચમાં કોઇ ખાસ વધારો કરાયો નથી. આથી આ બન્ને ક્ષેત્રના માળખાની સુવિધામાં કોઇ વિકાસ દેખાયો નથી હાલ કોરોના વાઇરસના ચેપના ફેલાવાને કારણે સરકારને અહેસાસ થયો છે કે રાજ્યને આગામી વર્ષોમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં મોટો મૂડી ખર્ચ કરવો પડશે.
ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 189 થઈ
ગુજરાત માટે બુધવારનો દિવસ રાહતનો રહ્યો હતો. આજે 13 જ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં એક પણ કેસ નોંધાયો નહોતો. વડોદરામાં 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જો કે એક પણ મૃત્યુ પણ નોંધાયું નથી. વડોદરામાં તાંદળજા વિસ્તારને પણ ક્વોરન્ટાઈન કરાયો છે. દાહોદમાં ઇન્દોર રહેતા એક પરિવારની 9 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં બુધવારે 4 નવા કેસ નોંધાયા હતા. છોટાઉદેપુરના બોડેલીમાં પણ એકબાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2XlBvmn

Tuesday, April 7, 2020

Thousands flock to leave Wuhan as travel ban ends after 2 months

Thousands flock to leave Wuhan as travel ban ends after 2 months

from India Today | Top Stories https://ift.tt/3c1YiYs

Stay updated, focus on positives during lockdown: Experts on how to take care of mental health

Stay updated, focus on positives during lockdown: Experts on how to take care of mental health

from India Today | Top Stories https://ift.tt/2wrGSFw

5-year-old girl sends heartwarming letter to 93-year-old neighbour in isolation. Internet is emotional

5-year-old girl sends heartwarming letter to 93-year-old neighbour in isolation

from India Today | Top Stories https://ift.tt/3aNBueJ

Encounter breaks out between militants and forces in Kashmir, Sopore village cordoned off

Encounter breaks out in Kashmir, Sopore village cordoned off

from India Today | Top Stories https://ift.tt/2XhPfhO

Mumbai: BMC receives 3,000 calls for grocery, food packets, shelter during lockdown

Mumbai: BMC receives 3,000 calls for grocery, food packets, shelter during lockdown

from India Today | Top Stories https://ift.tt/2USgT3f

Virus is like a war, cricket can wait: Pujara

​​​At a time when self-isolation and social distancing are essential, Cheteshwar Pujara is leading by example. "During the lockdown, the most important thing is to make sure that you are at home. Everyone should understand the danger and stay indoors, though it can be frustrating," Pujara said.

from Times of India https://ift.tt/2RkyTkN

India Today Exclusive: Mumbai survivor recounts Covid-19 horror, says show humanity

Exclusive: Mumbai survivor recounts horror after he tested positive for Covid-19

from India Today | Top Stories https://ift.tt/3e3UkAs

They seem very China-centric: Donald Trump threatens withholding funds from WHO

They seem very China-centric: Donald Trump threatens withholding funds from WHO

from India Today | Top Stories https://ift.tt/2yJcSpn

China's coronavirus pandemic epicenter Wuhan ends 76-day lockdown

China's coronavirus pandemic epicenter Wuhan ends 76-day lockdown

from India Today | Top Stories https://ift.tt/2XhqimB

COVID-19: When statues became umpires

COVID-19: When statues became umpires




from News - Videos - The Times of India https://ift.tt/2JMjQMv

Cases cross 5,000; 1-year-old among 165 dead

The total count of coronavirus cases stood at 5,325 at the time of going to press, with 568 fresh ones reported during the day. Cases have more than doubled since April 2, when the countrywide count was 2,580. Maharashtra alone recorded 150 new cases — the highest single-day count for any state.

from Times of India https://ift.tt/3aSRk7N

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

કોરોના જેવી મહામારીની રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈપણ ડરી જશે પરંતુ પૂણેની 2 બહેનોના પરિવારે આ ભયંકર બીમારીને માત કરી. બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવી ચૂકી છે અને તમામ સ્વસ્થ છે. 41 વર્ષીય સારિકા આંગણવાડીમાં કામ કરે છે. 5-6 દિવસ ફેમિલી ડોક્ટરની સારવાર બાદ તેને ભારતી હોસ્પિટલમાં ખસેડાઈ. સારિકાની મોટી બહેન સીમા અહીં નર્સ તરીકે કામ કરે છે. તેણે બહેનની ધ્યાન રાખ્યું. ત્યાંસુધી સારિકાને કોરોના હોવાની પૃષ્ટિ નહોતી થઈ. 4 દિવસ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે પછી તેના પતિ, દીકરાની સાથે સીમા, તેના પતિ અને દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. સારિકા વેન્ટિલેટર પર હતી, પરંતુ અમે હિંમત રાખી. તે પોતાની સાથે સંપૂર્ણ પરિવારની કાળજી રાખી રહી હતી.
ડૉક્ટર્સે હિંમત આપતા અમે કોરોનાને હરાવ્યો

સીમાએ કહ્યું કે,‘જ્યારે મને જાણ થઈ કે બંને બહેનોના પતિ અને બાળકો તથા અમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો અમે ડરી ગયા હતા, પરંતુ ડૉક્ટર્સે હિંમત આપતા અમે કોરોનાને હરાવ્યો હતો.’
એલર્ટ રહ્યાં, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા પછી સત્ય કહ્યું
સારિકાની તબિયત વધુ ખરાબ થઈ હતી. તેને વેન્ટિલેટર પર રાખવલામાં આવી હતી. એવામાં જ્યારે સીમા અને તેના પરિવારજનોની પૃષ્ટિ થઈ ત્યારે તેમને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા. આ દરમિયાન સારિકાને મળવા કોઈપણ હોસ્પિટલ જતું નહોતું. કોઈને કોઈ બહાના હેઠળ આ વાત છુપાવવામાં આવી રહી હતી કે તેમની બહેન અને પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
પરિવારજનો વીડિયો કોલ પર વાત કરતા
આ દરમિયાન પરિવારજનો વીડિયો કોલ પર વાત કરતા તો પણ એમ ના લાગવા દીધું કે તેઓ પણ તે જ હોસ્પિટલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં રહી રહ્યાં છે. 12 દિવસ બાદ સારિકાને વેન્ટિલેટરથી દૂર કરાઈ ત્યારે તેને જાણ કરવામાં આવી કે તેની બહેન સહિત 5 પરિવારજનો બીમાર છે અને હોસ્પિટલમાં એ જ સારવાર ચાલી રહી છે. (તમામના નામ બદલ્યા છે.)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સારિકાની 44 વર્ષીય બહેન સીમા (નામ બદલ્યું છે) ભારતી હોસ્પિટલમાં જ નર્સ છે.


from Divya Bhaskar https://ift.tt/3e677lB

ન્યૂયોર્કમાં કબ્રસ્તાનોમાં જગ્યા નથી, ડર એવો કે લોકો ટીવી-સોશિયલ મીડિયા પણ જોતાં નથી

અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધી 11 હજાર મોત થઇ ગયા છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી 4,758 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં હવે શબ દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા બચી નથી. અસ્થાયી કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અમેરિકામાં ભારતીય સમુદાયના જૂથ મુજબ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેતા ભારતીય મોટી સંખ્યામાં સંક્રમિત છે. તેમાંથી ઘણાનાં મોત પણ થઇ ગયા. જો કે કેટલાં ભારતીય અમેરિકી સંક્રમિત છે, તે અંગે કોઇ ડેટા ઉલબ્ધ નથી. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (એએપીઆઇ)ના પૂર્વ અધ્યક્ષ સહિત ઘણા લોકો મેડિકલ સંસ્થાનોમાં ભરતી છે. દિગ્ગજ ભારતીય અમેરિકી પત્રકાર બ્રહ્મ કુચિભાટલાનું નિધન થઇ ગયું છે. કોવિડ-19 માટે હેલ્પલાઇન ચલાવી રહેલા ‘સેવા ઇન્ટરનેશનલ’એ જણાવ્યું કે મદદ માટે ઘણા ફોન આવી રહ્યા છે.
ક્યારેય નહીં ઊંઘનારા શહેર ન્યૂયોર્કમાં સન્નાટો
ભારતીય અમેરિકીઓએ હ્યુસ્ટનના આઇટી પ્રોફેશનલ રોહન બાવડેકરની મદદ માટે 15 કરોડ રૂપિયા એકત્રિત કર્યા. રોહન વેન્ટિલેટર પર છે અને તેમની પત્ની અને ત્રણ બાળકો પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. ઉત્તરીય અમેરિકામાં ફેડરેશન ઓફ કેરળ એસોસિએશને પણ કહ્યું કે તેમના સમુદાયના ચાર લોકોનાં મોત કોવિડ-19ને કારણે થયા છે. ન્યૂયોર્કમાં રહેતા ભારતીયો જણાવી રહ્યા છે કે કેવી રીતે આ વાયરસે સૌને ભાંગી નાંખ્યા છે. ન્યૂયોર્કની એક સ્કૂલમાં ફોટોગ્રાફી-વીડિયો સબજેક્ટ ભણાવતી ફોટોગ્રાફર સ્પંદિતા મલિકે જણાવ્યું કે ‘ક્યારેય નહીં ઊંઘનારા શહેર ન્યૂયોર્કમાં સન્નાટો છે. દરેક લોકો ડરેલા છે અને અંદરથી તૂટી ગયા છે. અમારા મિત્રોના રુમમેટ્સ પોતાના ઘરે જતા રહ્યા છે. જેઓ એકલા રહી ગયા છે, તેઓ ડિપ્રેશનમાં છે. અમને નોકરીઓમાંથી કાઢી મૂકાયા છે. અમે ટીવી જોવાનું બંધ કરી દીધું છે.
આઇટીવાળા વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા
સોશિયલ મીડિયા પણ ચેક કરતા નથી. બધુ બહુ ભયાવહ છે. મારી એક રુમમેટ વુહાન (ચીન)ની છે. તે પોતાના પરિવાર માટે ટેન્શન કરે છે. તેને જોઇ અમે વધુ ડિપ્રેશનમાં આવી જઇએ છીએ’. જ્યારે આઇટી પ્રોફેશનલ અર્પિત વર્મા કહે છએ કે આઇટીવાળા વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં કોરોના સંક્રમણના આંકડા જે જણાવવામાં આવી રહ્યા છે, તે વાસ્તવિક નથી. સંખ્યા તેનાથી ઘણી વધારે છે. કોરોના ટેસ્ટ માત્ર 50 વર્ષથી વધુની વયના, જેમને કેન્સર, લિવર, કિડની કે એવી કોઇ જીવલેણ બીમારી હોય, છીંક- તાવ અને ગળામાં દુખાવો હોય તેવા તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી છે કે પછી એવી કોઇ વ્યક્તિને 20 મિનિટ સુધી મળ્યા હોય તેવા લોકોના થઇ રહ્યા છે. જો કોઇ પણ 911 પર ડાયલ કરી કોરોનાના લક્ષણ જણાવે તો તેને ક્વારન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. તેઓ કહે છે કે માર્ગો પર જતાં જો હુ કોઇ જોગરને જોઇ લઉ છું તો રોડ પાર કરી રસ્તો બદલી લઉ છું. લોકોને એવું લાગવા માંડ્યું છે કે જો તેઓ કોઇની પાસેથી પસાર થશે તો તેમને કોરોના થઇ જશે.’
ન્યૂયોર્ક સિટીની મુખ્ય મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર અસ્થાયી કબ્રસ્તાન બનાવ્યું
ન્યૂયોર્ક શહેરની મુખ્ય મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર એક અસ્થાયી કબ્રસ્તાન બનાવ્યું છે. આ સમસ્યા અંગે શહેરના મેયર બિલ ડી બ્લાસિયોએ જણાવ્યું કે જ્યારે વાઈરસ ફેલાય છે તો કબ્રસ્તાનની ક્ષમતા ઓછી થવા લાગે છે. અધિકારી શબોને જાહેર સ્થળોએ અસ્થાયી રીતે દફનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ થાળે પડશે તો યોગ્ય સ્થળે દફનાવાશે.
ન્યૂયોર્ક સિટીમાં 3 મહિનાનું ભાડું સરકાર આપી રહી છે
આઇટી પ્રોફેશનલ અર્પિત જણાવે છે કે ન્યૂયોર્ક સિટીમાં મકાનમાલિક ભાડુઆતને કાઢી શકતો નથી. 3 મહિનાનું ભાડું સરકાર આપશે. ઉપરાંત વાર્ષિક એક લાખ ડોલર ( આશરે 75 લાખ રૂપિયા) કમાનારાને સરકાર 1200 ડોલર (90 હજાર રૂપિયા), પરિણીત લોકોને 1.8 લાખ રૂપિયા અને એક બાળક હોય તો વધારાના 35 હજાર રૂપિયા ખાતામાં આપી રહી છે. ઘરવિહોણા મજૂરોના ખાતામાં 3000 ડોલર (2.2 લાખ રૂપિયા) આપવામાં આવી રહ્યા છે.
રિપબ્લિકન રાજ્યોમાં હજુ લૉકડાઉન નહીં, લોકો ઇસ્ટરની તૈયારી કરી રહ્યા છે
ન્યૂયોર્કના પત્રકાર -લેખક મુહમ્મદ અલીએ જણાવ્યું કે અમેરિકી સરકારે આને ગંભીરતાથી લીધું નથી. રિપબ્લિકન સ્ટેટ્સમાં લૉકડાઉન કરાયું નથી. ત્યાંના લોકોનું માનવું છે કે કદાચ આનાથી વૃદ્ધો મરશે. તેઓ મરતા હોય તો મરી જાય. એટલે સુધી કે ત્યાં ઇસ્ટરની તૈયારી પણ થઇ રહી છે. પ્રમુખ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઇસ્ટર સુધી બધું સારું થઇ જશે. અલીના કહેવા મુજબ સ્થિતિની વાત કરીએ તો મારા એક મિત્રની છાતીમાં દુ:ખાવો થયો, તેણે હોસ્પિટલમાં ફોન કર્યો તો તેને કહેવામાં આવ્યું કે તમે ઘરે રહી સારવાર કરો, કારણ કે હોસ્પિટલમાં ઇન્ફેક્શન બહુ ફેલાયેલું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ન્યૂયોર્ક સિટીની મુખ્ય મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર અસ્થાયી કબ્રસ્તાન બનાવ્યું.


from Divya Bhaskar https://ift.tt/3c2XH8C

લૉકડાઉન વચ્ચે ગુજરાતથી બે યુવક ગુરગાંવ પહોંચ્યા, ક્વોરેન્ટાઇનનું સીલ પણ હતું

દેશવ્યાપી લૉકડાઉન છતાં બે યુવક ગુજરાતથી લિફ્ટ લઇને 1 હજાર કિ.મી.થી પણ વધુ લાંબી મુસાફરી કરીને ગુરગાંવ સુધી પહોંચી ગયા. ત્યાંથી 20 કિ.મી. ચાલીને ઢોરકા ગામે મિત્રના ઘર સુધી પહોંચી ગયા. ગામના સરપંચે પોલીસને જાણ કરતા પોલીસે બંને પકડી લીધા. તેમના હાથ પર ક્વોરેન્ટાઇનનું સીલ પણ હતું. તેમને સ્વાસ્થ્ય વિભાગની ટીમને સોંપી દેવાયા છે. તેમની ઓળખ બિહારના કુર્થાના સંતોષ તથા શેખપુરાના રણજિત તરીકે થઇ. તેમણે જણાવ્યું કે તેઓ મહેસાણા જિલ્લામાં ડ્રાઇવર હતા. લૉકડાઉન પછી તેમના માલિકે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. તેઓ શાકભાજીની ટ્રકમાં લિફ્ટ લઇને રાજસ્થાન પહોંચ્યા હતા, જ્યાં ડૉક્ટર્સની ટીમે તેમને તપાસીને ક્વોરેન્ટાઇનનું સીલ લગાવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2VccdV2

Coronavirus outbreak triggers drop in climate-changing emissions

Coronavirus outbreak triggers drop in climate-changing emissions

from India Today | Top Stories https://ift.tt/2RlYlWZ

US: New York suffers deadliest day in coronavirus crisis

US: New York suffers deadliest day in coronavirus crisis

from India Today | Top Stories https://ift.tt/2UQjJFU

New coronavirus cases in Italy fall to 25-day low, deaths rise by 604

New coronavirus cases in Italy fall to 25-day low, deaths rise by 604

from India Today | Top Stories https://ift.tt/2xZT3cQ

Indonesia: Jakarta to close schools, workplaces to curb coronavirus outbreak

Indonesia: Jakarta to close schools, workplaces to curb coronavirus outbreak

from India Today | Top Stories https://ift.tt/2xXp9WV

Boris Johnson listened to his scientists about coronavirus but they were slow to sound the alarm

Boris Johnson listened to his scientists about coronavirus but they were slow to sound the alarm

from India Today | Top Stories https://ift.tt/2xU1TJp

Lifting the lockdown: State govts hold the key

Lifting the lockdown: State govts hold the key

from India Today | Top Stories https://ift.tt/2URXOhD

Centre may extend lockdown as several states pitch for it

While a final decision on the lockdown is expected nearer the deadline, the current thinking appears inclined towards prolonging most restrictions — especially those aimed at enforcing social distancing. The likelihood of lifting the lid on mass transit and on inter-state movement of people appears remote.

from Times of India https://ift.tt/3aSyFcn

દેશમાં લૉકડાઉનમાં 5 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા

દેશમાં લૉકડાઉનને કારણ રોજગારના આંકડા નિરાશાજનક આવી રહ્યા છે. દેશમાં ઓવરઓલ બેરોજગારી દર 23.4 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે શહેરોમાં આ આંકડો વધીને 30.9 ટકા પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના વીકલી ટ્રેકર સરવેમાં 5 એપ્રિલે પૂરા થતાં સપ્તાહ બાદ 6 એપ્રિલે નવા આંકડા જારી કરાયા.
થોડા મહિનામાં બેરોજગારી દર હજુ વધવાની સંભાવના
સીએમઆઇઇ મુજબ માર્ચના મધ્યમાં બેરોજગારી દર 8.4 ટકા હતો જે વધીને અત્યારે 23 ટકા પહોંચી ગયો છે. પૂર્વ ચીફ સ્ટેટિસ્ટિક પ્રણવ સેન મુજબ એક અંદાજિત કેલ્ક્યુલેશનના આધારે લૉકડાઉનના બે સપ્તાહમાં આશરે 5 કરોડ લોકો બેરોજગાર થયા છે. લૉકડાઉનને કારણે મોટા ભાગના લોકો તેમના ઘેર જતાં રહ્યા હોવાથી આવનારા થોડા મહિનામાં બેરોજગારી દર હજુ વધવાની સંભાવના છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2JPOXXI

શાળા-કોલેજ, મૉલ, ધાર્મિક સભા 15 મે સુધી બંધ રાખવા ભલામણ

કોવિડ-19 અંગે રચાયેલા મંત્રીઓના જૂથે શાળા-કોલેજ, શોપિંગ મૉલ અને ધાર્મિક ગતિવિધિઓ પર 15 મે સુધી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ લૉકડાઉન 14 એપ્રિલથી આગળ વધારવામાં ન આવે તો પણ આ તમામ ગતિવિધિ બંધ રાખવી જોઈએ. આ સાથે જ ધાર્મિક કેન્દ્રો અને શોપિંગ મૉલ જેવા જાહેરસ્થળો પર ડ્રોન દ્વારા ભેગી થયેલી ભીડ પર દેખરેખ રાખવાની ભલામણ મોકલવામાં આવી છે.
લૉકડાઉન ખતમ થયા પછી ઊભી થનારી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી
આ અંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા. ચર્ચા પછી મંત્રીઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે ધાર્મિક કેન્દ્રો, શોપિંગ મોલ અને શૈક્ષણિક સંસ્થાને 14 એપ્રિલ પછી પણ ચાર સપ્તાહ સુધી સામાન્ય રીતે કામકાજ કરવા દેવું જોઈએ નહીં. મે મહિનામાં ગરમીના વેકેશનને કારણે મોટાભાગની શાળા અને કોલેજો જૂનના અંત સુધી બંધ જ રહેતી હોય છે. આ મંત્રીજૂથને દેશમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા પછી કરેલી ભલામણો વડાપ્રધાનને મોકલવાની જવાબદારી સોંપાઈ છે. આ બેઠકમાં લૉકડાઉન ખતમ થયા પછી ઊભી થનારી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીઓના જૂથે પ્રયોગશાળાઓમાં કોરોના વાઈરસના સંક્રમણની તપાસની સુવિધા વધારવા પણ ભલામણ કરાઈ હતી. આ ઉપરાંત દેશમાં અનાજ અને આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો જળવાઈ રહે તેની પણ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Vc0ZQ9

Monday, April 6, 2020

Coronavirus: France’s death rate accelerates again, cases near 100,000

Coronavirus: France’s death rate accelerates again, cases near 100,000

from India Today | Top Stories https://ift.tt/3e1ubSI

Would be surprised if India doesn't allow export of Hydroxychloroquine to US: Trump

Would be surprised if India doesn't allow export of Hydroxychloroquine to US: Trump

from India Today | Top Stories https://ift.tt/3b0NXeY

Son dies in England, parents caught in Pune lockdown appeal to UK govt for last glimpse

Son dies in England, parents caught in Pune lockdown appeal to UK for last glimpse

from India Today | Top Stories https://ift.tt/39NxXMd

Coronavirus: Strict lockdown in parts of east Pune as cases rise

Coronavirus: Strict lockdown in parts of east Pune as cases rise

from India Today | Top Stories https://ift.tt/2UOICC8

Lady Gaga announces star-studded One World: Together at Home concert for coronavirus relief

Lady Gaga announces star-studded virtual concert for coronavirus relief

from India Today | Top Stories https://ift.tt/34rEVWh

World short of six million nurses, WHO says

World short of six million nurses, WHO says

from India Today | Top Stories https://ift.tt/39Q3GMO

Fact Check: False warnings about robbers handing out anesthesia-laden masks go viral

Fact Check: False warnings about robbers handing out anesthesia-laden masks go viral

from India Today | Top Stories https://ift.tt/2RhubV4

Watch: Army soldier explains how operation Rangdouri Behak unfolded

Watch: Army soldier explains how operation Rangdouri Behak unfolded




from News - Videos - The Times of India https://ift.tt/2RgTkPw

NGO helps the needy amid rising mercury in Odisha

NGO helps the needy amid rising mercury in Odisha




from News - Videos - The Times of India https://ift.tt/2XbUFLj

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસની અસર સમગ્ર વિશ્વમાં વધી રહી છે. આ સ્થિતિનો સામનો કરવા માટે વિકાસશીલ દેશ અન્ય દેશોની મદદ કરી રહ્યાં છે. પરંતુ આ મુશ્કેલ સ્થિતિમાં ચીનની ચાલબાજી સામે આવી છે.
હવે ઈટાલીને જ પીપીઈ કિટની ઘણી જરૂર છે

બ્રિટનની મેગેઝિન ‘ધ સ્પેક્ટેટર’ના રિપોર્ટ અનુસાર, ચીનમાં જ્યારે કોરોનાનો કેર ગંભીર હદે ફેલાયેલો હતો ત્યારે ઈટાલી મદદ માટે આગળ આવ્યું હતું. ઈટાલીએ ચીનને પીપીઈ કિટ દાનમાં આપી હતી. જ્યારે હવે ઈટાલીને જ પીપીઈ કિટની ઘણી જરૂર છે ત્યારે ચીન દાનમાં મળેલી મેડિકલ સામગ્રી ઈટાલીને વેચી રહ્યું છે. વુહાનથી ફેલાયેલા કોરોનાએ યુરોપમાં સૌથી વધુ નુકસાન ઈટાલીને પહોંચાડ્યું હતું. ઈટાલીમાં 15 હજારથી વધુ લોકો આ વાઈરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. અહીં ડૉક્ટર અને નર્સ પર સૌથી વધુ સંકટ છે. ધ સ્પેક્ટેટરની રિપોર્ટ અનુસાર, આ સંકટની સ્થિતિમાં માણસાઈનું નાટક કરતા ચીને એવું દેખાડ્યું કે તે ઈટાલીને પીપીઈ કિટ દાનમાં આપશે. પરંતુ ચીનની ચોંકાવનારી વાસ્તવિકતા હવે સામે આવી છે. ઘણી મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો કે, ચીને ઈટાલીને પીપીઈ કિટ દાનમાં નથી આપી પરંતુ વેચી છે.
ચીને ઈટાલીને મજબૂર કરી નિમ્ન કક્ષાનું વર્તન કર્યું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ ‘ધ સ્પેક્ટેટર’ના આધારે જણાવ્યું કે, ‘ચીને નિમ્ન કક્ષાનું વર્તન કર્યું છે. તેણે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ)ને ફરી ખરીદવા માટે ઈટાલીને મજબૂર કર્યું, જે ઈટાલીએ તેમને દાનમાં આપ્યા હતા. યુરોપમાં વાઈરસ આવતા પહેલા ઈટાલીએ ચીનની તેમના લોકોની રક્ષા કરવા માટે મદદ કરતા ઘણા ટન પીપીઈ કિટ મોકલ હતી. હવે ઈટાલીને જરૂર પડી તો ચીન તે જ પીપીઈ કિટ ઈટાલીને આપી રહ્યું છે અને તેની માટે પૈસા પણ લઈ રહ્યું છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોવિડ-19થી લડવા માટે ચીનની સરકારે રશિયાને પીપીઈ કિટ અને અન્ય સાધનો મોકલ્યા, જે શનિવારે મૉસ્કો એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા.


from Divya Bhaskar https://ift.tt/3bUOoYu

અમેરિકી નિષ્ણાતે કહ્યુ- 50 ટકા દર્દીઓમાં કોરોનાનાં લક્ષણ દેખાતાં નથી, સચોટ પરિણામ માટે વધુને વધુ ટેસ્ટ કરવા પડશે

50 ટકાથી વધુ દર્દીમાં કોરોનાનાં લક્ષણ દેખાતાં નથી. અમેરિકાના નિષ્ણાત ડૉ.એન્થની એસ.ફૉસીએ મીડિયા સામે આ દાવો કર્યો હતો. ત્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સભ્યો પણ હાજર હતા. જોકે ડૉ.એન્થનીએ એમ પણ કહ્યું કે આ નવા અનુમાન પર વિજ્ઞાનીઓ કામ કરી રહ્યાં છે. લક્ષણો ન દેખાવા એ મોટો પડકાર છે. આપણે સચોટ પરિણામ મેળવવા માટે વધુને વધુ ટેસ્ટ કરવા પડશે. ડૉ. ફૉસી એલર્જી અને ચેપી રોગોની રાષ્ટ્રીય સંસ્થાના નિર્દેશક છે. ગત અઠવાડિયે અમેરિકાની મુખ્ય સ્વાસ્થ્ય એજન્સી સીડીસીના ડિરેક્ટર ડૉ.રોબર્ટ રેડફિલ્ડે પણ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 25 ટકા દર્દીમાં કોરોનાના લક્ષણ દેખાયા નથી. તે પછી સીડીસીએ ગાઈડલાઈન જારી કરી બધા લોકોને માસ્ક પહેરવાની ભલામણ કરી હતી.
ચીનમાં 6 દિવસમાં એવા 130 કેસ આવ્યા જેમનામાં કોરોનાના લક્ષણ ન દેખાયા
ચીનમાં એવા કેસ સામે આવી રહ્યાં છે જેમાં દર્દીમાં કોરોનાના લક્ષણ દેખાતા નથી. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ(એનએચસી)એ કહ્યું કે ચીનમાં 78 આવા નવા કેસ સામે આવ્યા છે જેમાં કોરોનાના લક્ષણ દેખાયા નથી. તેમાંથી 40 દર્દી વિદેશથી ચેપગ્રસ્ત થઈને આવ્યા હતા. ચીનમાં છ દિવસમાં આવા 130 કેસ સામે આવ્યા હતા જેમાં કોરોનાના લક્ષણ દેખાયા નહોતા.
અમેરિકાના સર્જન જનરલે કહ્યું ભવિષ્યમાં 9/11 જેવો જ માહોલ સર્જાશે
અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સે કહ્યું કે કોરોનાના કારણે આવનારા અઠવાડિયા મોટાભાગના અમેરિકીઓ માટે સૌથી વધુ દુ:ખી કરનારા હશે. ત્યારે માહોલ એવો જ હશે જેવો 9/11 હુમલા અને પર્લ હાર્બર બાદ જોવા મળ્યો હતો. બસ ફેર એટલો હશે કે આ સ્થાનિક નહીં હોય. અમે ઈચ્છીએ છીએ કે દરેક અમેરિકી તેને સમજે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સીએટલમાં કોરોના દર્દીઓ માટે બનાવવામાં આવેલી હોસ્પિટલ.


from Divya Bhaskar https://ift.tt/2wiLU72

Coronavirus in India: Liquor thefts on rise while city stays shut

Coronavirus in India: Liquor thefts on rise while city stays shut

from India Today | Top Stories https://ift.tt/34dY11U

Coronavirus in India: New weapons to combat Covid-19

Coronavirus in India: New weapons to combat Covid-19

from India Today | Top Stories https://ift.tt/2V0TiMA

Delhi: Markaz building in Nizamuddin illegal?

Delhi: Markaz building in Nizamuddin illegal?

from India Today | Top Stories https://ift.tt/39N2JVA

Localised community spread in some areas: AIIMS Director

Localised community spread in some areas: AIIMS Director

from India Today | Top Stories https://ift.tt/2UNQu6L