હાથરસ જઇ રહેલા એક પત્રકાર સહિત ચારની ધરપકડ, પીએફઆઇ સાથે સંકળાયેલા હોવાનો પોલીસનો દાવો
હાથરસના આરોપીઓના સમર્થનમાં બેઠક યોજવા બદલ ભાજપના પૂર્વ સાંસદ સહિત 100 સામે કેસ
અમે ઇચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઇ સમગ્ર મામલાની તપાસ કરે : ઉત્તર પ્રદેશ સરકાર
નવી દિલ્હી, તા. 6 ઓક્ટોબર, 2020, મંગળવાર
હાથરસની ઘટનાને સુપ્રીમ કોર્ટે આઘાતજનક તેમજ અતી ભયાવહ ગણાવી હતી. સાથે કહ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ પારદર્શી રહે તેના પર ધ્યાન રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી આઠમી ઓક્ટોબર સુધીમાં જવાબ માગ્યો છે જેમાં પીડિતાના પરિવાર અને સાક્ષીઓને સુરક્ષા આપવા મુદ્દે શું કર્યું તેની પણ માહિતી આપવા કહ્યું છે.
જ્યારે પીડિતાની રાત્રે અંતિમવિિધ કેમ કરાઇ તે અંગે સરકારે પહેલી વખત જવાબ આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામાં કહ્યું હતુ કે જો રાત્રે અંતિમવિિધ ન કરી હોત તો હાથરસમાં જાતીય હિંસા ભડકી હોત.
બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકારે એક સોગંદનામામાં પોતાની દલિલો રજુ કરી હતી અને કહ્યું હતું કે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સીબીઆઇને તપાસ સોપાવી જોઇએ, કેમ કે એક નિર્દોશ યુવતીનો જીવ ગયો છે.
રાજ્ય સરકારે આ સમગ્ર મામલે ન્યાયીક તપાસ થવી જોઇએ તેવી માગણી પણ કરી છે સાથે દાવો કર્યો છે કે જો ન્યાયીક તપાસ થાય તો સરકાર પ્રત્યે જે ગેર સમજ ફેલાવવામા આવી રહી છે તેને અટકાવી શકાય. બાદમાં મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની બેંચે કહ્યું હતું કે અમે એ બાબતનું ધ્યાન રાખીશું કે આ સમગ્ર મામલાની પારદર્શી તપાસ થાય.
અમે સોગંદનામામાં જવાબ ઇચ્છીએ છીએ કે આ સમગ્ર પ્રકરણમાં સાક્ષીઓની સુરક્ષા માટે શું કર્યું તેમજ અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પણ આ જ મામલો ચાલી રહ્યો છે તેનું શું થયું તેનું ચિત્ર સ્પષ્ટ કરવામાં આવે કે જેથી સુપ્રીમ કોર્ટ આમા કેવી રીતે પગલા લઇ શકે તે નિશ્ચિત કરી શકાય. આ ઘટના અતી જઘન્ય અને ભયાવહ છે.
આ સમગ્ર મામલે એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ છે જેમાં સીબીઆઇ તેમજ સર્વોચ્ચ અદાલતની દેખરેખરમાં તપાસ થાય તેવી માગણી કરાઇ છે. આ મામલે સરકાર વતી દલીલ કરી રહેલા તુષાર મેહતાએ કહ્યું હતું કે અમે આ પીઆઇએલનો વિરોધ નથી કરી રહ્યા, અમે ઇચ્છીએ જ છીએ કે સીબીઆઇ તપાસ કરે અને સુપ્રીમ કોર્ટ તપાસની દેખરેખ રાખે.
બીજી તરફ પોલીસે દાવો કર્યો હતો કે હાથરસકાંડના બહાને ઉત્તર પ્રદેશમાં કેટલાક લોકો જાતીય ઘર્ષણ કરાવવા, આ મામલે હાથરસ જઇ રહેલા એક પત્રકાર અને અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ છે અને પોલીસે આરોપ લગાવ્યો હતો કે જે ચાર શખ્સોની ધરપકડ કરાઇ તેઓ પોપ્યૂલર ફ્રંટ ઓફ ઇન્ડિયા(પીએફઆઇ) સાથે સંકળાયેલા હતા, પીએફઆઇએ સીએઆઇ વિરોધ પ્રદર્શનમાં ફન્ડિંગ કર્યું હોવાના દાવા કરાયા હતા.
તેવી જ રીતે હાથરસકાંડની આડમાં જાતીય હિંસા ભડકાવવા માગતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે જે પત્રકારની ધરપકડ કરાઇ તે નિર્દોશ હોવાનો દાવો કેરળના એક મીડિયા સંગઠને કર્યો છે. દરમિયાન હાથરસકાંડમાં જે આરોપીઓ છે તેમના સમર્થનમાં હાથરસમાં બેઠક યોજવા બદલ ભાજપના એક પૂર્વ સાંસદ રાજવીર સિંઘ પેહેલવાન સહિત 100 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33DbKjS
No comments:
Post a Comment