
from India Today | Top Stories https://ift.tt/2Es836x
1. અનલોક-3માં નાઈટ કર્ફ્યૂનો અંત આવશે
આજે સૌથી પહેલા વાત ઓનલોકની. તેનો ત્રીજો તબક્કો હવે પહેલી ઓગસ્ટના રોજ શરૂ થશે. રાત્રે હરવા-ફરવાને લગતા જે નિયંત્રણ લાદવામાં આવ્યા હતા તે દૂર થશે. આરોગ્ય અંગે સતત કાળજી રાખનારને પણ રાહત આપવામાં આવી છે. 5 ઓગસ્ટથી દેશભરના જિમ અને યોગ સંસ્થાઓ ખોલવામાં આવશે. જોકે, શાળા-કોલેજ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
2. અંબાલામાં પક્ષીઓ સુરક્ષિત ઉતર્યા
12 વર્ષથી જેની રાહ જોવામાં આવતી હતી તે દિવસ છેવટે આવી પહોંચ્યો. ચાર વર્ષ જૂના વિવાદો પર પણ હવે પૂર્ણવિરામ લાગી જશે. કારણ કે હવે રાફેલ ભારત આવી ચુક્યા છે. આ સાથે જ 22 વર્ષ બાદ વાયુસેનાને નવા ફાઈટર મળ્યા છે. સંરક્ષણ પ્રધાને પણ રાફેલને લઈ એક ટ્વિટ કર્યું. "પક્ષીઓ અંબાલામાં સુરક્ષિત ઉતરી ગયા. ભારતની જમીન પર રાફેલનું આગમન સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે" હવે અંદરની કેટલીક વાત કરીએ. એર માર્શલ આરકેએસ ભદોરિયા ડેપ્યુટી ચીફ તરીકે ફ્રાંસ સાથે રાફેલ ડીલ માટે બનેલી ટીમના ચેરમેન હતા. આ ટીમની જવાબદારી તમામ નેગોશિએશન કરવાના હતા. તેઓ અમુક એરફોર્સ પાયલટની યાદીમાં સ્થાન ધરાવતા હતા કે જેમણે રાફેલ યુદ્ધવિમાનનો અનુભવ હતો. જ્યારે રાફેલ અંબાલા પહોંચ્યુ ત્યારે એર ચીફ માર્શલ ભદોરિયાએ તેનું નેતૃત્વ કર્યું હતું. લાંબા સમયથી જે પ્રતિક્ષા કરવામાં આવતી હતી તેના મીઠા ફળ દેશને બુધવારે મળ્યા. આ લાંબ સમય દરમિયાન અનેક વિવાદ થયા છે, અનેક પડકાર આવ્યા.
3. ત્રીજા પ્રેમ પત્ર બાદ જાદૂગરનો ચોથો પત્ર તૈયાર
રાજસ્થાનના રાજકીય ડ્રામામાં બુધવારે પ્રેમ પત્રની પણ એન્ટ્રી થઈ. ગવર્નર કલરાજ મિશ્રને 31 જુલાઈના રોજ વિધાનસભા બોલાવવાની અરજી ત્રીજી વખત પરત કરી. જવાબમાં ગેહલોતે કહ્યું પ્રેમ પત્ર આવી ચુક્યો છે. હવે હું રૂબરૂ મળીને પૂછીશ કે તમે શું ઈચ્છો છો? ગેહલોત રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા પણ ખરા. આ અહેવાલ લખાય છે ત્યારે રાજ્યપાલે વિધાનસભાનું સત્ર 14 ઓગસ્ટના રોજ બોલાવવા માટે મંજૂરી પણ આપી દીધી.
આ અગાઉ તેમણે કહ્યું હતું કે 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ રાજ્યપાલે આ રીતે પ્રશ્ન કર્યો છે. 21 દિવસ હોય કે 31, જીત તો અમારી જ થશે. જાદૂગર તરીકે ઓળખાતા CM સાહેબ ચોથી વખત પણ અરજી કરી હતી અને તેમને સફળતા મળી છે. ગૃહનું સત્ર 14 ઓગસ્ટના રોજ બોલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. છેવટે CMનો જાદૂ રાજ્યપાલ પર સફળ રહ્યો.
4. એક ભારતીય ફૂટબોલ ક્લબના રંગમાં રંગાયુ અમેરિકી નાસડેક
દેશમાં જ્યારે રમતની વાત આવે છે તો ફક્ત ક્રિકેટને જ યાદ કરવામાં આવે છે. બુધવારે એક ભારતીય ફૂટબોલ ક્લબના ઐતિહાસિક વિજયને અમેરિકી સ્ટોક એક્સચેન્જ નાસડેકે સન્માન આપ્યું. વાત 131 વર્ષ જૂની ફૂટબોલ ક્લબ મોહન બાગાનની થઈ રહી છે.આ ક્લબે વર્ષ 1911માં ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશન એટલે કે IFA શીલ્ડ જીતી હતી. આ ટૂર્નામેન્ટ વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટ પૈકી એક છે. જે વર્ષ 1983માં અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેને અંગ્રેજ આર્મીના ક્લબ દ્વારા જ વિજય મેળવવામાં આવતો હતો. 29 જુલાઈ 1911ના રોજ પ્રથમ વખત ભારતીય ક્લબે આ જીત મેળવી. વર્ષ 2001થી મોહન બાગાને 29 જુલાઈના રોજ મોહન બાગાન ડે તરીકે ઉજવણી શરૂ કરી. 19 વર્ષ બાદ અમેરિકી સ્ટોક એક્સચેન્જે તેની ઉજવણી કરી.
5. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો સુશાંતનો કેસ
સુશાંતનો કેસ બુધવારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી લઈ ગઈ. જેની સામે મંગળવારે સુશાંતના પિતાએ કેસ કર્યો હતો. રિયાએ પટનામાં દાખલ કરેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી. રિયાએ આ પગલું એટલા માટે ભર્યું કારણ કે કેસને લઈ પટના પોલીસ તેને શોધી રહી છે અને તેના પર ધરપકડ થવાનું જોખમ છે.
6. 30 જુલાઈ, ગુરુવારે જ્યેષ્ઠા નક્ષત્રને કાળદંડ નામનો અશુભ યોગ બને છે
તેને લીધે કેટલાક લોકોનું જરૂરી કામ બગડી શકે છે. તે સાથે દિવસભર તણાવમાં રહેશે. ચંદ્રમા અને શુક્ર એક બીજાની સામે હોવાથી બિનજરૂરી ખર્ચ અને ધનની હાની થવાનો યોગ બન્યો છે. તેને લીધે મિથુન, કન્યા, તુલા, ધન, કર્ક, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિવાળા લોકોએ દિવસભર સાવચેત રહેવું. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના મતે મેષ, વૃષભ, કુંભ અને મિન રાશિવાળા લોકોને ગ્રહનો સાથ મળશે. તે હેઠળ 12 પૈકી 4 રાશિવાળા માટે ગુરુવાર શુભ રહેશે. અન્ય 8 રાશિવાળા માટે દિવસ ઠીક નહીં રહે.
...અને જતા જતા કોરોનાને લગતા બે સમાચાર, એક સારા અને બીજા ખરાબ. સારા સમાચાર એ છે કે દેશમાં કોરોનાથી સારું થનારા લોકોનો આંકડો દસ લાખને પાર થયો છે. કોરોનાના કુલ દર્દી પૈકી 64 ટકા લોકો તંદુરસ્ત થઈ ઘરે પરત ફર્યા છે. ખરાબ સમાચાર એ છે કે દેશમાં 35 હજારથી વધારે લોકો કોરોનાને લીધે જીવ ગુમાવી ચુક્યા છે. સૌથી વધુ મૃત્યુઆંક ધરાવનાર દેશોમાં ઈટાલીને પાછળ છોડી ભારત પાંચમાં ક્રમ પર પહોંચી ગયો છે....
SVPમાં 4 હજાર દર્દીઓ વચ્ચે 650 દર્દીને ટોસિલિઝુમેબ અપાતા માત્ર 225નાં મોત થયા
અમદાવાદ મ્યુનિ.ને પણ ગુજરાત સરકારે ઈન્જેક્શન ફાળવ્યા હતા, એક ઈન્જેક્શન મ્યુનિ.ને અંદાજે રૂ.33 હજારમાં પડે છે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મોટા મૃત્યઆંકના વિવાદમાં ઘટસ્ફોટ થયો છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 11 હજાર દર્દીઓએ સારવાર લીધી હોવાનો દાવો હોસ્પિટલ તંત્રે કર્યો છે. જો કે, આ દર્દીઓમાં માત્ર 117 દર્દીઓને જ જીવનરક્ષક ટોસિલિઝુમેબ ઈન્જેક્શન અપાયા છે.સિવિલમાં કુલ 630 લોકોના મોત થયા છે. ગંભીર દર્દીઓને ટોસિલિઝુમેબ નહીં આપ્યા હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા હોવાનું ડોક્ટરોનું માનવું છે.
બીજી તરફ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં માર્ચથી અત્યાર સુધી અંદાજે 4 હજાર દર્દીઓની સારવાર કરાઈ છે. જેમાં 650થી વધુ દર્દીને ટોસિલિઝુમેબ અપાયા છે અને અહીં કુલ 225 લોકોના મૃત્યુ થયા છે. આમ સિવિલમાં ટપોટપ મૃત્યુ થવા પાછળનું કારણ ઈન્જેક્શન ન આપ્યા હોવાનું મનાય છે અને એસવીપીમાં ઈન્જેક્શન અપાતા મૃત્યુઆંક સિવિલ કરતાં ત્રીજા ભાગનો રહ્યો છે. મ્યુનિ.ને પણ રાજ્ય સરકારે ઈન્જેક્શન ફાળવ્યા હતા. મ્યુનિ.ને એક ઈન્જેક્શન 33 હજારમાં પડે છે.
ટોસિલિઝુમેબ સાયટોકાઇન સ્ટોર્મમાં દર્દી માટે જીવનરક્ષક સાબિત થાય છે
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ પદ્મ શ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું કે, વાઈરસ જયારે શરીરમાં જાય ત્યારે તેની સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ હોય તેમાંથી મલ્ટિપ્લાય થાય છે, ત્યારે મેસેન્જર સેલ એન્ટિબોડીને મેસેજ આપે છે. પરંતુ, ઘણી વખત સાયટોકાઇન સ્ટોર્મને લીધે મેસેન્જર સેલ સામાન્ય કરતાં ઘણાં વધુ બની જાય છે, જેને લીધે મેસેજ વધુ પડતાં જાય છે, જેથી એન્ટિબોડ વધુ બનતાં જાય છે. આ એન્ટિબોડી વાઈરસ સામે તો લડે જ છે પણ એન્ટિબોડી સેલ વધુ પ્રમાણમાં હોવાથી જે ડિસિપ્લિન આર્મી હોય તે વાયોલેન્ટ મોબ જેવું થઇને શરીરનાં પોતાના સેલ ઉપર પણ એટેકે કરે છે, જેથી દર્દીને ક્લોટિંગ થાય છે. આવાં સમયે ટોસિલિઝુમેબ આપવાથી તે ઇન્ટરલ્યુકિમ રિસેપ્ટર સાથે બાઇન્ડ થઇ જાય છે, અને શરીરના ટિશ્યુ પર એટેક કરવાનું ઓછું થઇ જાય છે. જેથી દર્દીને સાયટોકાઇન સ્ટ્રોમ સમયે ટોસિલિઝુમેબ જીવનરક્ષક સાબિત થઇ શકે છે.
સોના-ચાંદીમાં તેજીનો માહોલ જામ્યો છે. કોરોના મહામારીના કારણે સોના-ચાંદીના સપ્લાય અટક્યા હોવાથી તેમજ મેક્સિકો અને લેટિન અમેરિકામાં માઇનિંગ કામગીરી ઠપ હોવાના કારણે ચાંદીમાં ધુંઆધાર તેજી થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઉછળી 25 ડોલર તરફ કૂચ કરી 24.40 ડોલર ક્વોટ થઇ રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં ચાંદી નવ વર્ષ બાદ ફરી રૂ.65000ની સપાટી પહોંચી છે. સપ્ટેમ્બર 2011માં ચાંદી 65000 થયા બાદ ફરી રૂ.1500ના સુધારા સાથે રૂ.65000 બોલાઇ ગઇ છે. ચાંદીની સાથે સોનું પણ ચમક્યું છે. અમદાવાદ ખાતે સોનું રૂ,500 ઉછળી 55000 નજીક 54700 બોલાઇ ગયું છે.
કોરોના સામે લડવા મોટા ભાગના દેશો બીજા સ્ટીમ્યુલસ પેકેજની યોજના ઘડી રહ્યાં છે જેના કારણે સલામત રોકાણ માટે હેજફંડ્સ, HNI ઇન્વેસ્ટર્સ, સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોના-ચાંદી તરફ ડાઇવર્ટ થઇ છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તોફાની તેજી જોવા મળી છે. એમસીએક્સ ખાતે ચાંદી ડિસેમ્બર વાયદો 67000ની સપાટી કુદાવી 67204 જ્યારે સપ્ટેમ્બર વાયદો 65398 ક્વોટ થઇ રહ્યો છે. જ્યારે ઓગસ્ટ સોનું રૂ.52792 ક્વોટ થતો હતો. વૈશ્વિક બજારમાં દિવાળી સુધીમાં ચાંદી 27 ડોલર તથા સ્થાનિકમાં રૂ.75000 સુધી જઇ શકે છે. માર્ચમાં ચાંદીએ વર્ષનું તળિયું દર્શાવ્યા બાદ સરેરાશ બમણી વધી છે.
શેર, સોના-ચાંદીમાં તેજી-મંદીની પેટર્ન બદલાઇ
ઇક્વિટી માર્કેટ તેમજ સોના-ચાંદીમાં તેજી-મંદીની પેટર્ન લાંબા સમયગાળા બાદ બદલાઇ છે. સામાન્ય રીતે ઇક્વિટી માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ ચાલતો હોય ત્યારે સોના-ચાંદીમાં રિવર્સ પેટર્ન એટલે કે મંદીનો તબક્કો જોવા મળે છે. જ્યારે સોના-ચાંદીમાં તેજી થાય ત્યારે ઇક્વિટી માર્કેટમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇક્વિટી, સોના-ચાંદીમાં તેજી પેરેલલ ચાલી રહી છે. વૈશ્વિક સ્તરે જિઓ પોલિટિકલ ઇશ્યુના કારણે ઇક્વિટી માર્કેટમાં અનિશ્ચિતત્તાનો માહોલ છે જેના કારણે રોકાણકારો સોના-ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે.
શું ઝાડુ પર લખ્યું હોય છે કે, તેનો ઉપયોગ મહિલાઓ જ કરી શકે, તે મહિલાઓ જ ચલાવી શકે?, શું વૉશિંગ મશીન અને ગેસ સ્ટવના મેન્યુઅલમાં પણ આવુ કંઈ લખ્યું હોય છે? તો પછી કેમ મોટા ભાગના પુરુષો ઘરના કામમાં મદદ નથી કરતા? કદાચ દરેક ઘર સાથે જોડાયેલા આ સવાલ એ ઓનલાઈન અરજીના અંશ છે, જે કોરોના વાઈરસના કાળમાં ઘર-રસોડામાં અચાનક વધેલા મહિલાઓના કામને લઈને દાખલ કરાઈ છે.
આ અરજી મુંબઈના રહેવાસી સુવર્ણા ઘોષે દાખલ કરી છે. તેના પર અત્યાર સુધી 71 હજારથી વધુ લોકો હસ્તાક્ષર કરી ચૂક્યા છે. ઘોષ ઈચ્છે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કોઈ ભાષણમાં આ મુદ્દે વાત કરે, કશુંક બોલે. આ મુદ્દે કોઈ ઉકેલ સૂચવે અને પુરુષોને અપીલ કરે કે, તેઓ પણ ઘરના નાના-મોટા કામની જવાબદારી લે.
હકીકતમાં લૉકડાઉન વખતે સુવર્ણા પર ઘર અને ઓફિસ બંનેના કામનો બોજ આવી પડ્યો હતો. આ અરજી તેમના જ અનુભવોનો સાર છે અને તેમના પણ ઘરની કહાની છે. એવું પણ કહી શકાય કે, આ ‘ઘર ઘર કી કહાની’ છે. દુનિયાની કરોડો મહિલાઓ આ સ્થિતિનો સામનો કરે છે. ઘરના કામની જવાબદારી ફક્ત તેમના પર જ હોય છે. ખાવાનું બનાવવાનું, સાફ-સફાઈ, કપડાં ધોવા, ઈસ્ત્રી કરવી ઘર સુવ્યવસ્થિત કરવું એ બધું મહિલાઓ જ કરે છે.
સુવર્ણા ઘોષ એક ચેરિટી સંસ્થા ચલાવે છે અને તેમના પતિ બેંકર છે. તેઓ કહે છે કે, મહિલાઓ પાસે એવી અપેક્ષા પણ રખાય છે કે, આટલું કર્યા પછીયે મહિલા ઓફિસનું કામ યોગ્ય સમયે સારી રીતે પૂરું કરે. લૉકડાઉન વખતે મહિલાઓએ સૌથી વધુ સમાધાનો કરવા પડ્યા. વર્ક ફ્રોમ હોમ અને ઉપરથી ઘરનું કામ. તેથી ઓફિસના કામ પર અસર પડી. એ વખતે હું ખૂબ થાકી જતી. પારિવારિક સંતુલન પણ ખોરવાઈ ગયું. આ મુદ્દે મેં ફરિયાદ પણ કરી. જોકે, પછી એ સ્થિતિ બદલાઈ.
સુવર્ણા ઘોષનું માનવું છે કે, લોકો આ મુદ્દે વાત કરવા કેમ નથી માંગતા? મારી અરજીનો હેતુ લોકોના વિચારો બદલવાનો છે.
મોદીને સંબોધીને આ પંક્તિઓમાં વર્ણવી ‘મન કી બાત’
લૉકડાઉન કે બહાને સે યહ બાદ યાદ આઈ
ઘરબંધી મર્દો કો ક્યા કિસી ને નહીં સમજાઈ
ઘર કા કામ ઔરત કા હૈ, બોલ કે ઉસને ઠુકરાયા
જીડીપી કી બાત છોડો, અપનો ને ભી ભુલાયા
તબ સોચા ક્યોં ન મોદીજી સે બાત ચલાયે
કિ અગલે સ્પીચ મેં મર્દો કો યે બાત યાદ દિલાયે
ઘર કામ હર દિન હૈ સબકા
લૉકડાઉન મેં ફિર કામ ક્યોં બઢતા?
ભાગીદારી હી હૈ જિમ્મેદારી
ક્યા બરાબરી નહીં ઈન્ડિયા કો પ્યારી?
અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ADAG જૂથના વડામથક પર યસ બેન્કે કબજો કરી લીધો છે. બેન્કે 2892 કરોડ નહીં ચૂકવવાને કારણે આ કાર્યવાહી કરી છે. સાન્તાક્રુઝ સ્થિત કંપનીનું આ વડુ મથક 21 હજાર ફૂટમાં ફેલાયેલું છે. આ સાથે જ દક્ષિણ મુંબઈ સ્થિત નાગિન મહલના બે માળ પણ કબજે કર્યા છે.
વિવાદિત ક્ષેત્રોમાંથી પોતાના સૈનિકો હટાવી લીધા હોવાના ચીનના દાવાને ભારતે રદિયો આપ્યો છે. સરકારે કહ્યું છે કે વાતચીત છતાં ગોગરા, પેંગોંગ લૅક અને દેપસાંગ વિસ્તારમાં સ્થિતિમાં ઝાઝો ફરક નથી પડ્યો. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ વાટાઘાટો દરમિયાન તો સૈનિકો હટાવવા તૈયારી બતાવી હતી પણ તેના પર અમલ નથી કર્યો. નોંધનીય છે કે ગઇ કાલે ચીને એવો દાવો કર્યો હતો કે તંગદિલી ઘટી રહી છે. સરહદે મોટા ભાગનાં સ્થળોએ બંને દેશના સૈનિકો સંપૂર્ણપણે પાછા હટી ચૂક્યા છે.
ભારત સરકારે બુધવારે જણાવ્યું કે ચીનને જવાબ આપવા સરહદે વિવાદિત સ્થળો પર ભારતના કુલ 35 હજાર સૈનિકો તહેનાત થઇ ગયા છે. તંગદિલી લાંબી ચાલવાની આશંકા જોતાં સૈન્ય હવે ઊંચાઇવાળાં ક્ષેત્રોમાં આગામી શિયાળા માટેની તૈયારી કરી રહ્યું છે.
તંગદિલી વચ્ચે ચીને ભારતમાંથી પીવીસીની વિક્રમી આયાત કરી
સરહદે તંગદિલી વચ્ચે ચીને અસામાન્ય સ્થિતિથી ઉપર ઊઠીને જૂનમાં ભારતમાંથી પીવીસીની વિક્રમી આયાત કરી છે. ગ્લોબલ રબર માર્કેટના રિપોર્ટ મુજબ ચીને જૂનમાં ભારતમાંથી રેકોર્ડ 27,207 મેટ્રિક ટન પીવીસીની આયાત કરી, જે મે મહિનામાં કરાયેલી 5,174 મેટ્રિક ટન પીવીસીની આયાતથી પાંચ ગણીથી પણ વધુ છે.
ગાંધીનગરના તબીબે ગુજરાત હાઇકોર્ટમાં મસ્જિદમાં લાઉડ સ્પીકર પર આઝાન પોકારવા પર પ્રતિબંધ મૂકવા જાહેરહિતની અરજી (PIL) કરી છે. દિવસમાં 5 વખત મસ્જિદમાં લાઉડ સ્પીકર પર આઝાન પોકારવામાં આવે છે જેના કારણે આસપાસ રહેતા અન્ય જાતિના લોકોને મુશ્કેલી પડી રહી છે. લાઉડ સ્પીકર બંધ કરાવવા દાદ માગી છે.
ધર્મેન્દ્ર પ્રજાપતિ નામના ગાંધીનગરના તબીબે હાઇકોર્ટમાં મસ્જિદમાં વાગતા લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવા અરજી કરી છે. તેમના વતી એડવોકેટ ધર્મેશ ગુર્જરે એવી રજૂઆત કરી છે કે, મસ્જિદમાં લાઉડ સ્પીકર પર દિવસમાં 5 વાર આઝાન પોકારવામાં આવે છે . જેના કારણે આસપાસ રહેતા લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે. બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારોનો ભંગ થઇ રહ્યો છે. કલેકટર ઓફિસમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ પગલા લીધા નથી.એટલું જ નહીં પોલીસમાં પણ ફરિયાદ કરી છે તેના પર પણ કોઇ પગલાં લેવાતાં નથી.
વૃદ્ધો અને બાળકોને અવાજથી સમસ્યા
અરજીમાં એવી પણ રજૂઆત કરાઇ છે કે આસપાસ રહેતા વૃદ્ધો અને બાળકોની મુશ્કેલી વધી ગઇ છે. બપોરે સૂવા સમયે વૃદ્ધો અને બાળકો મોટા અવાજથી જાગી જાય છે. માનસિક સમસ્યા અને તાણ વધતા જાય છે. આ સમસ્યા તાત્કાલિક દૂર કરવા દાદ માગવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે છેલ્લા 2 દિવસથી 1 હજારથી વધુ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. જુલાઈ મહિનામાં અમદાવાદને બાદ કરતા રાજ્યના અન્ય શહેરોમાં લોકલ સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. અત્યારસુધીમાં 57982 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાથી 42412 દર્દી ડિસ્ચાર્જ અને 2372 દર્દીના મૃત્યુ થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1108 દર્દી અને 24 મૃત્યુ નોંધાયા છે, જ્યારે 1032 દર્દી સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ
30 મેથી 27 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો
તારીખ | નવા નોંધાયેલા કેસ | મૃત્યુ | ડિસ્ચાર્જ |
30 મે | 412 | 27 | 621 |
31 મે | 438 | 31 | 689 |
1 જૂન | 423 | 25 | 861 |
2 જૂન | 415 | 29 | 1114 |
3 જૂન | 485 | 30 | 318 |
4 જૂન | 492 | 33 | 455 |
5 જૂન | 510 | 35 | 344 |
6 જૂન | 498 | 29 | 313 |
7 જૂન | 480 | 30 | 319 |
8 જૂન | 477 | 31 | 321 |
9 જૂન | 470 | 33 | 409 |
10 જૂન | 510 | 34 | 370 |
11 જૂન | 513 | 38 | 366 |
12 જૂન | 495 | 31 | 392 |
13 જૂન | 517 | 33 | 390 |
14 જૂન | 511 | 29 | 442 |
15 જૂન | 514 | 28 | 339 |
16 જૂન | 524 | 28 | 418 |
17 જૂન | 520 | 27 | 348 |
18 જૂન | 510 | 31 | 389 |
19 જૂન | 540 | 27 | 340 |
20 જૂન | 539 | 20 | 535 |
21 જૂન | 580 | 25 | 655 |
22 જૂન | 563 | 21 | 560 |
23 જૂન | 549 | 26 | 604 |
24 જૂન | 572 | 25 | 575 |
25 જૂન | 577 | 18 | 410 |
26 જૂન | 580 | 18 | 532 |
27 જૂન | 615 | 18 | 379 |
28 જૂન | 624 | 19 | 391 |
29 જૂન | 626 | 19 | 440 |
30 જૂન | 620 | 20 | 422 |
1 જુલાઈ | 675 | 21 | 368 |
2 જુલાઈ | 681 | 19 | 563 |
3 જુલાઈ | 687 | 18 | 340 |
4 જુલાઈ | 712 | 21 | 473 |
5 જુલાઈ | 725 | 18 | 486 |
6 જુલાઈ | 735 | 17 | 423 |
7 જુલાઈ | 778 | 17 | 421 |
8 જુલાઈ | 783 | 16 | 569 |
9 જુલાઈ | 861 | 15 | 429 |
10 જુલાઈ | 875 | 14 | 441 |
11 જુલાઈ | 872 | 10 | 502 |
12 જુલાઈ | 879 | 13 | 513 |
13 જુલાઈ | 902 | 10 | 608 |
14 જુલાઈ | 915 | 14 | 749 |
15 જુલાઈ | 925 | 10 | 791 |
16 જુલાઈ | 919 | 10 | 828 |
17 જુલાઈ | 949 | 17 | 770 |
18 જુલાઈ | 960 | 19 | 1061 |
19 જુલાઈ | 965 | 20 | 877 |
20 જુલાઈ | 998 | 20 | 777 |
21 જુલાઈ | 1026 | 34 | 744 |
22 જુલાઈ | 1020 | 28 | 837 |
23 જુલાઈ | 1078 | 28 | 718 |
24 જુલાઈ | 1068 | 26 | 872 |
25 જુલાઈ | 1081 | 22 | 782 |
26 જુલાઈ | 1110 | 21 | 753 |
27 જુલાઈ | 1052 | 22 | 1015 |
28 જુલાઈ | 1108 | 24 | 1032 |
કુલ આંક | 42,038 | 1392 | 33803 |
કુલ 57,982 દર્દી, 2,372ના મોત અને 42,412 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 26,032 | 1583 | 21,120 |
સુરત | 12,223 | 380 | 8299 |
વડોદરા | 4367 | 73 | 3433 |
ગાંધીનગર | 1356 | 42 | 979 |
ભાવનગર | 1252 | 24 | 852 |
બનાસકાંઠા | 666 | 16 | 472 |
આણંદ | 440 | 13 | 374 |
અરવલ્લી | 300 | 24 | 252 |
રાજકોટ | 1559 | 25 | 784 |
મહેસાણા | 760 | 17 | 299 |
પંચમહાલ | 429 | 17 | 270 |
બોટાદ | 208 | 5 | 144 |
મહીસાગર | 300 | 2 | 195 |
પાટણ | 544 | 26 | 312 |
ખેડા | 546 | 14 | 433 |
સાબરકાંઠા | 391 | 8 | 270 |
જામનગર | 622 | 14 | 402 |
ભરૂચ | 788 | 11 | 538 |
કચ્છ | 481 | 16 | 254 |
દાહોદ | 490 | 5 | 120 |
ગીર-સોમનાથ | 338 | 4 | 153 |
છોટાઉદેપુર | 138 | 2 | 98 |
વલસાડ | 577 | 5 | 353 |
નર્મદા | 280 | 0 | 173 |
દેવભૂમિ દ્વારકા | 45 | 3 | 28 |
જૂનાગઢ | 784 | 10 | 570 |
નવસારી | 503 | 6 | 332 |
પોરબંદર | 48 | 2 | 31 |
સુરેન્દ્રનગર | 675 | 8 | 345 |
મોરબી | 210 | 7 | 141 |
તાપી | 139 | 1 | 98 |
ડાંગ | 15 | 0 | 10 |
અમરેલી | 381 | 8 | 195 |
અન્ય રાજ્ય | 95 | 1 | 83 |
કુલ | 57,982 | 2372 | 42,412 |
જસદણના સાણથલી ગામે 73 વર્ષના વલ્લભભાઈ ધડુકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સીએચસી જસદણથી સીધા હોસ્પિટલ મોકલવાને બદલે તબીબોએ ઘરે જવાનું કહી દીધું હતું. ઘરે પહોંચતાં જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું કોરોના પોઝિટિવને ઘરે મોકલી દીધા હોય અને મોત થયું હોય તેવો રાજકોટનો આ પહેલો બનાવ છે. કરુણતા એ છે કે, શબને પ્લાસ્ટિકમાં વીંટવા માટે આરોગ્ય વિભાગ આવ્યું જ નહીં અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને પુત્રોએ મળીને કામગીરી કરી. તેમાં પુત્ર અને પૌત્ર પોઝિટિવ આવ્યા છે.
ફર્સ્ટ પર્સન ભરતભાઈ ધડુક, મૃતક વલ્લભભાઈના પુત્ર: ડોક્ટરે કીધું કે ઘરે લઈ જાઓ ત્યાં એમ્બ્યુલન્સ આવશે
પિતાની તબિયત બગડતા હોસ્પિટલ લઈ ગયા હતા કોરોનાની શંકા જતા સેમ્પલ લેવા કહ્યું હતું. શુક્રવારે અમારા ગામ સાણથલીથી જસદણ આરોગ્ય કેન્દ્રમાં ગયા તો ડોક્ટરે કહ્યું કે, 5.30 વાગી ગયા છે હવે સેમ્પલ નહીં લેવાય. બીજા દિવસે વધુ તબિયત બગડી અને બપોરે ફરી લઈ ગયા. ટેસ્ટ કર્યો અને પોઝિટિવ આવ્યો તો ફરી ડોક્ટરે કીધું કે ઘરે લઈ જાઓ ત્યાં એમ્બ્યુલન્સ આવી જશે. અમે ઘરે પહોંચ્યા અને ત્યાં સુધીમાં અમુક સ્ટાફ આવી ગયો હતો. પછી શું થયું તે ખબર નથી પણ પપ્પાનું અવસાન થયું. 3 વાગ્યે બનાવ બનતા ફરી તબીબોને ફોન કર્યા. એમ્બ્યુલન્સ આવી અને પ્લાસ્ટિક લઈ આવ્યા. શબને પ્લાસ્ટિકમાં પણ અમે ડ્રાઇવરની મદદથી બાંધ્યા હતા. રાજકોટ સિવિલ લઈ ગયા ત્યારે હું સાણથલી હતો ત્યાંથી ફરી ફોન આવ્યો કે આવવું પડશે. હું રાત્રે પહોંચ્યો કાગળિયા કર્યા તો ફરી કહે હવે એમ્બ્યુલન્સ બદલવી પડશે. આ બધી માથાઝીંક કરી રાત્રે 1 વાગ્યે રામનાથપરા પહોંચ્યા અને અંતિમવિધિ કરી. અંતિમવિધિ વખતે મને પીપીઈ કિટ પહેરાવી હતી પણ શબનેવીંટવું સહિતની કામગીરી મેં જ કરી હતી. હું અને મારો દીકરો બંને પોઝિટિવ આવ્યા છીએ. માત્ર ને માત્ર તંત્રના સંકલનના અભાવે અમારી આવી હાલત થઈ છે.
ડો. રામે મને કહ્યું તમે બધા જ કામગીરી પતાવી દો : ધડુક
અમારા સ્વજનનું ઘરે જ અવસાન થતા તેમની અંતિમવિધિના માર્ગદર્શન માટે બ્લોક હેલ્થ ઓફિસર ડો. રામને ફોન કર્યો હતો. તો એવો તોછડો જવા મળ્યો કે, રાજકોટ લઈ જવાની જરૂર નથી ગામમાં જ ક્યાંક જગ્યા શોધીને ખાડો કરીને દફન કરી દો. તમે બધા જ આ કામગીરી પતાવી દો આ માટે પીપીઈ કિટ મોકલી આપીશું.! આવો જવાબ સાંભળી તુરંત જ મેં ફોન કાપી નાખ્યો.-વિનુ ધડુક, મૃતકના સગા
દિવસની શરૂઆત શુભ સમાચારથી....
આજે ભારતમાં રાફેલનો ગૃહ પ્રવેશ
દેશમાં સોદાથી લઈ પહેલા પૂજન સુધી સતત વિવાદોમાં રહેલા રાફેલ યુદ્ધ વિમાનનું લેન્ડિંગ આજે ભારતમાં થઈ રહ્યું છે. સોમવારે 5 વિમાનોએ ફ્રાંસથી ભારત આવવા ઉડ્ડાન ભરી હતી, જે વાયા UAEથી બુધવારે ભારત પહોંચશે.વાયુસેના માટે આ 5 વિમાન બૂસ્ટરનું કામ કરશે. કારણ કે, છેલ્લા બે દાયકામાં કોઈ નવું યુદ્ધ વિમાન ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ થયુ નથી. રાફેલ આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે, પરમાણુ શક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. મલ્ટી-રોલ ફાઈટર જેટ્સ ભારતીય વાયુસેનાને મળવાથી તેની શક્તિમાં અનેક ગણો વધારો થશે. પાંચેય રાફેલ અંબાલામાં જ ગોઠવવામાં આવશે. અહીં તેમને વ્યૂહાત્મક રીતે ગોઠવવાથી પશ્ચિમી સીમા પર પાકિસ્તાન સામે ઝડપભેર એક્શન લઈ શકાશે.અંબાલામાં 17મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝ રાફેલની પ્રથમ સ્ક્વોડ્રન હશે.
રાજસ્થાનના રાણમાં હવે ગેહલોતના નિશાન પર રાજ્યપાલ
રાજસ્થાનમાં સત્તાના સંઘર્ષનો ત્રિકોણાકાર બન્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે જે ગજગ્રાહ ચાલતો હતો તે હાલ પૂરતો તો ઠંડો પડ્યો છે પણ બીજા મોરચે રાજ્યપાલ કલરાજ મિશ્ર પણ અન્ય બાજુ સંભાળી રહ્યા છે. અત્યાર સુધી સચિન પાયલટ પર પોતાની ભડાસ કાઢનાર ગેહલોત હવે રાજ્યપાલ સાથે રાજકીય સંઘર્ષમાં છે. બહુમતી પરિક્ષણ માટે વિશેષ સત્ર બોલાવવાની માંગ બે વખત નકારવામાં આવી છે. મિશ્રએ ટૂંકમાં કહી દીધુ છે કે જો સત્ર બોલાવવું જ હોય તો 21 દિવસની નોટિસ આપો. ગેહલોત ઈચ્છે છે કે તાત્કાલિક સત્ર બોલાવવામાં આવે અને બહુમતી સાબિત કરી લેવામાં આવે. પણ, રાજ્યપાલે આ માટે મંજૂરી આપી નથી. મંગળવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાનથી લઈ સચિવાલય સુધી આ અંગે દોડધામ જોવા મળી. મંગળવારે ત્રીજી વખત પણ સત્ર બોલાવવા માટેના પ્રસ્તાવ રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવ્યો. બીજી બાજુ BSPના સુપ્રીમો માયાવતીએ પણ મુખ્યમંત્રી ગેહલોત સામે ખુલ્લીને વિરોધ કર્યો છે.
કોરોનાને લઈ રાહતના સમાચાર
બેલગામથી કોરોના વાઈરસનો સામનો કરવા માટે યુદ્ધસ્તર પર વેક્સીન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં દેશમાં પાંચ જગ્યા પરથી વેક્સીનનો ત્રીજો હ્યૂમન ટ્રાયલ શરૂ થશે. વેક્સીન માટે આ તબક્કો અત્યંત મહત્વનો છે. જો આ તબક્કાના પરિણામો સકારાત્મક આવશે તો દેશમાં કોરોના વેક્સીન જલ્દી આવવાની શક્યતા પ્રબળ બની જશે. વેક્સીનના પ્રથમ બે તબક્કાના ટ્રાયલ પૂરા થઈ ગયા છે. તેના પરિણામો આ મહિનાના રિસર્ચ જર્નલમાં પ્રકાશિત પણ થયા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા ટ્રાયલમાં તેને લગતા ઘણા સારા પરિણામો સામે આવ્યા હતા. પ્રથમ તબક્કામાં માંડ થોડા લોકોએ આ વેક્સીન લગાવી હતી. બીજા તબક્કાના ટ્રાયલમાં સો કરતા વધારે લોકોએ ભાગ લીધો હતો. હવે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં હજારો લોકો આ વેક્સીન લગાવશે.
રામ મંદિરના શિલાન્યાસમાં લાખો રૂપિયાની ચાંદી
5 ઓગસ્ટ જેમ-જેમ નજીક આવી રહી છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લગતી તૈયારીઓ વધુ ઝડપી થઈ રહી છે. મંગળવારે ચાંદીની ઈંટોની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ સાથે એવો પણ દાવો કરવામાં આવતો હતો કે આ એ ઈંટ છે કે જે 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિરના શિલાન્યાસમાં મુકશે. ચાંદીની આ ઈંટનું વજન 22 કિલોથી વધારે છે અને તેની કિંમત 15 લાખ આસપાસ છે. જોકે, હકીકત એ છે કે ટ્રસ્ટને આવી અનેક ઈંટ મળી રહી છે,જે વિવિધ જિલ્લામાંથી બુલિયન મર્ચન્ટ એસોસિએશન તરફથી મોકલવામાં આવી રહી છે. ટ્રસ્ટ સાથે સંકડાયેલા લોકોનું કહેવું છે કે મંદિરના પાયામાં જે ચાંદીની ઈંટ રાખવામાં આવશે તે અલગ છે. પણ જે પણ ઈંટ મોકલવામાં આવી રહી છે તે મંદિરના પાયામાં રાખવામાં આવશે.
વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોના અંગે ઈમર્જન્સી કમિટીની રચના કરશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કોરોનાની વધી રહેલી ઝડપને જોતા એક ઈમર્જન્સી કમિટીની રચના કરવા જઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે કોરોના વાઈરસ મહામારી જાહેર થઈ તેને આજે આશરે છ મહિના પસાર થઈ ગયા છે. છેલ્લા છ સપ્તાહમાં કોરોનાએ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ સ્થિતિમાં વિશ્વમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ ગેબ્રેયેસસે કહ્યું કે મહામારીને લઈ ગુરુવારે એક ઈમર્જન્સી કમિટીની રચના કરવામાં આવશે. બીજી બાજુ WHO સાથે સંબંધ તોડી નાંખનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બે સપ્તાહમાં કોરોનાના ઈલાજને લગતા સારા સમાચાર મળી શકે છે.
કેવો રહેશે આજનો દિવસ, એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બી પાસેથી જાણો
29 જુલાઈ, બુધવારે અનુરાધા નક્ષત્ર હોવાથી સૌમ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિથી શુક્લ યોગ રહેશે. ગ્રહોની આ શુભ સ્થિતિમાં વિચારેલા કાર્યો પૂરા થશે. જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે મેષ, વૃષભ, મિથુન, સિંહ, કુંભ અને મીન રાશિવાળા લોકો માટે દિવસ સારો રહેશે. આ ઉપરાંત કર્ક, ધન અને મકર રાશિવાળા લોકો માટે દિવસ એકંદરે સામાન્ય રહેશે.
ડો.કુમાર ગણેશ પાસેથી જાણીએ કે અંકફળ પ્રમાણે બુધવાર 29 જુલાઈનો મૂળાંક 2, ભાગ્યાંક 4, દિવસ અંક 5, માસાંક 7 અને ચલિત અંક 1,4 છે. ન્યૂમેરોલોજીસ્ટ ડો.કુમાર ગણેશના મતે બુધવારે અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ બની છે. અંક 2,7 અંક 1, 4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને પરસ્પર વિરોધી યુતિ બની છે. અંક 5ની અંક 1,4,2,7 સાથે મિત્ર યુતિ બની છે.
ભારતીય વાયુદળના સૌથી ઘાતક 5 રાફેલ યુદ્ધ વિમાન બુધવારે પ્રથમવાર દેશની ધરતી પર પહોંચશે. યુએઇના અલધાફરા એરબેઝથી ઉડ્ડયન કર્યા પછી આ વિમાન સીધા હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર લેન્ડ કરશે. બપોર સુધીમાં વિમાન પહોંચવાની ધારણા છે. 5 વિમાનમાંથી પ્રથમ વિમાનનું વાયુદળની 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર અને શૌર્યચક્ર વિજેતા ગ્રૂપ કેપ્ટન હરકીરતસિંહ લેન્ડ કરાવશે. ત્યારપછી બાકીના ચાર વિમાન લેન્ડ કરશે. આ પ્રસંગે વાયુદળના વડા આર.કે. ભદૌરિયા પણ હાજર રહેશે.
મકાનોની અંદરથી ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ