Ad
Saturday, May 30, 2020
Ailing passengers among 81 dead on spl trains
from Times of India https://ift.tt/2McQ18W
'Casteist slurs made on phone not an offence'
from Times of India https://ift.tt/2XhriqB
Vaccine could be ready by 2020 end: China body
from Times of India https://ift.tt/3eFPqsV
28% of Covid patients asymptomatic: ICMR Study
from Times of India https://ift.tt/3djEpgy
Modi has political capital to reform the power sector
from Times of India Opinion https://ift.tt/36MSf8Q
Who says we are any less scared today?
from Times of India Opinion https://ift.tt/2ZQyKdN
Review, reflect & reform post lockdown 4.0
from Times of India Opinion https://ift.tt/2ZRsvGJ
Madhya Pradesh govt transfers top admin, police officials in Chambal region
Punjab Police, UP ATS arrest wanted terrorist from Meerut
Friday, May 29, 2020
ડેનમાર્કમાં કોરોના ટેસ્ટ કરતો વિશ્વનો પ્રથમ રોબોટ બન્યો, જાતે જ સ્વેબ ટેસ્ટ કરી લેશે

દુનિયાભરમાં 59 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે જ્યારે સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. એવામાં ડેનમાર્કના વિજ્ઞાનીઓએ એક રોબોટ બનાવ્યો છે, જે જાતે જ ટેસ્ટ માટે સ્વેબ લઇને તેને સુરક્ષિત રાખવાનું કામ કરી લે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સેમ્પલ લેનારા સ્વાસ્થ્યકર્મીઓને સંક્રમણથી બચાવી શકાશે. યુનિ. ઑફ સધર્ન ડેનમાર્કએ આ રોબોટ વિકસાવ્યો છે. તે કોરોનાના ટેસ્ટ માટેનો વિશ્વનો પ્રથમ ઓટોમેટિક રોબોટ છે.
એક મહિનાથી 10 લોકોની ટીમ સાથે રોબોટ ડેવલપ કર્યો
રોબોટ બનાવનારા પ્રો. થિયુસિયુસ રજીત સવારીમુથુ જણાવે છે કે સૌપ્રથમ મારો ટેસ્ટ કર્યો. રોબોટે ગળામાં સ્વેબ જ્યાં પહોંચાડવાનો હતો તે જગ્યાએ સહેલાઇથી પહોંચાડ્યો તે જોઇને હું દંગ રહી ગયો. આ મોટી સફળતા છે. તેઓ એક મહિનાથી 10 લોકોની ટીમ સાથે રોબોટ ડેવલપ કરવામાં વ્યસ્ત હતા. હાલ સેમ્પલ લેતી વખતે સ્વાસ્થ્યકર્મીઓએ પીપીઇ કિટ પહેરવી પડે છે, જે ફરી ઉપયોગમાં પણ નથી લઇ શકાતી. તેથી સ્વાસ્થ્યકર્મીઓ પાસેથી આશા રખાય છે કે તેઓ ઓછામાં ઓછા 8-9 કલાક સુધી પીપીઇ કિટ પહેરીને કામ કરતા રહે. એવામાં રોબોટથી ઘણી મદદ મળશે.
થ્રી-ડી પ્રિન્ટર દ્વારા બનેલા આ રોબોટનો ઉપયોગ જૂનથી શરૂ થઇ શકે છે
દર્દી આ રોબોટની સામે બેસીને મોઢું ખોલે છે અને રોબોટ તેના મોઢામાં સ્વેબ નાખે છે. પછી સેમ્પલ લઇને રોબોટ તે સ્વેબને ટેસ્ટ ટ્યૂબમાં મૂકીને પેક કરી દે છે. સ્વેબ ટેસ્ટ સૌથી સચોટ હોય છે પણ તેમાં સેમ્પલ લેનારને પણ સંક્રમિત થવાનું જોખમ રહે છે. આ સમગ્ર કામગીરીમાં રોબોટના ઉપયોગથી તે જોખમ દૂર થઇ જશે. થ્રી-ડી પ્રિન્ટર દ્વારા બનેલા આ રોબોટનો ઉપયોગ જૂનથી શરૂ થઇ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2B7oa7V
CM Uddhav Thackeray in favour of running Mumbai local trains for emergency services
Exclusive: Chinese troops wanted to enter deeper into the Indian side, but India thwarted it
Meditation: A doorway to the cosmos that lies within us
from Times of India Opinion https://ift.tt/36KmYDl
સોનમ વાંગચુકે કહ્યું- ચીનને પાઠ ભણાવવા સ્વદેશી અપનાવીને તેની કમર તોડી નાંખો, તે આપણા માટે પણ વરદાન સાબિત થશે

લદાખમાં એલએસી પર ભારત-ચીનના સૈન્ય ફરી એક વાર આમને-સામને આવી ગયા છે. ચીનને પાઠ ભણાવવા શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુકે ‘મેડ ઇન ચાઇના’ વસ્તુઓનો બહિષ્કાર કરીને ચીનની આર્થિક સ્થિતિ નબળી પાડવા ઝુંબેશ હાથ ધરી છે. તેમણે કહ્યું કે ચીનની વસ્તુઓનો એટલા મોટા પાયે બોયકોટ કરવો જોઇએ કે તેનું અર્થતંત્ર પડી ભાંગે અને ત્યાંની જનતા ગુસ્સામાં સત્તાપલટો કરી નાખે. આ ઝુંબેશ ભારત માટે પણ વરદાન સાબિત થશે. સોનમ વાંગચુકે ભાસ્કર જૂથ સાથે ખાસ વાતચીતમાં તેમની આ ઝુંબેશના ઘણા પાસાં વિશે જણાવ્યું.
નોન-ચાઇનીઝ માર્કેટ ઊભું કરવાથી બીજા દેશોમાંથી વિકલ્પો સામેથી આવવા લાગશે
સોનમ વાંગચુકે કહ્યું કે, ચાઇનીઝ સોફ્ટવેરનો એક અઠવાડિયામાં અને હાર્ડવેરનો એક વર્ષમાં બોયકોટ કરી દેવો જોઇએ. આપણે એવો દ્રઢ સંકલ્પ કરવો પડશે કે ચીનમાં બનેલી કોઇ જ વસ્તુ નથી ખરીદવી એટલે નથી જ ખરીદવી. ભલે ગમે તે થાય. હાલ આપણે મેન્યુફેક્ચરિંગ, હાર્ડવેર, દવાઓનો કાચો માલ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બૂટ-ચપ્પલ જેવી ઘણી વસ્તુઓ માટે ચીન પર નિર્ભર છીએ, કેમ કે આમાંથી મોટા ભાગની વસ્તુઓ આપણા દેશમાં ઓછી બને છે. બનતી હોય તોપણ થોડી મોંઘી હોય છે. ચીન પાસેથી ખરીદેલો માલ ચીન સરકારનાં ખિસ્સાં ભરશે, જેનાથી તેઓ શસ્ત્રો ખરીદીને તેનો આપણી સામે જ ઉપયોગ કરશે.
અન્ય દેશોમાંથી સોર્સિંગના રસ્તા શોધો
વાંગચુકે લોકોને અપીલ કરી કે, આપણે ભલે થોડી મોંઘી પણ સ્વદેશી ચીજો ખરીદીશું તો આપણા જ શ્રમિકો-ખેડૂતોને ફાયદો થશે. આપણા દેશનાં નાણાંનો ચીન સરકારને આપણી વિરુદ્ધ ઉપયોગ નથી કરવા દેવાનો. જોકે, ચીનની વસ્તુઓનો બોયકોટ આપણે એકાએક નહીં કરી શકીએ. તે આયોજનબદ્ધ રીતે કરવો પડશે. ચીનના સોફ્ટવેરનો એક અઠવાડિયામાં અને હાર્ડવેરની ચીજોનો એક વર્ષ સુધીમાં બોયકોટ કરો. ત્યાં સુધીમાં ભારતીય કંપનીઓ અન્ય દેશોમાંથી સોર્સિંગના રસ્તા શોધે. કાચા માલ પર નિર્ભર કંપનીઓ બીજી રીતે સોર્સિંગ શરૂ કરે. આપણે મક્કમ થવું પડશે કે ચીનમાં બનેલી એકેય વસ્તુ નહીં જ ખરીદીએ. જેમ કે જૈનો ડુંગળી, મીટ ખાતા જ નથી. તેઓ મક્કમ છે કે ગમે તે થાય, આ બધું નહીં જ ખાઇએ. પરિણામે આ પરંપરાની માર્કેટ પર પણ અસર પડી. ભોજનાલયો-રેસ્ટોરન્ટ્સ જૈન ફૂડ આપતાં થયાં. જૈનોની પરંપરા-ટેવો સંબંધી નવું માર્કેટ ઊભું થઇ ગયું. જૈનો માટે જૈન ફૂડ મળતું થયું તે જ રીતે ચીન પરની નિર્ભરતા ખતમ કરવા નોન-ચાઇનીઝ માર્કેટ ઊભું કરવું પડશે. તેનાથી અન્ય દેશોમાંથી વિકલ્પો સામેથી આવવા લાગશે. તેમને ખબર પડશે કે ચીનની વસ્તુઓના બોયકોટથી તેમના દેશમાં એક બહુ મોટો અવકાશ છે, જેનો તેઓ પોતે લાભ ઊઠાવવા ઇચ્છશે.
આપણે બધું સરકાર પર ન છોડવું જોઇએ
ભારત, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા અન્ય દેશોની કંપનીઓ આવશે અને મેડ ઇન ચાઇનાના બોયકોટથી ખાલી પડેલી જગ્યા પર તેમને તક મળશે. આ ઝુંબેશ જનતા દ્વારા હાથ ધરાશે તો જ સફળ થશે. આપણે બધું સરકાર પર ન છોડવું જોઇએ. આપણે આપણી સગવડ માટે મેડ ઇન ચાઇના વસ્તુઓ ખરીદીએ છીએ. વ્યાપક પરિપ્રેક્ષ્ય નથી જોતા. લોકોની માનસિકતા બદલાશે તો સરકારે પણ પોતાની નીતિઓ બદલવી જ પડશે. જો સરકાર સામેથી મેડ ઇન ચાઇના વસ્તુઓ વિરુદ્ધ કોઇ કડક પગલાં ભરે તો આપણા લોકો જ સરકાર તાનાશાહ હોવાના આક્ષેપો કરશે. તેથી આ ઝુંબેશની શરૂઆત પાયાના સ્તરેથી થવી જોઇએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2XGxC9X
વધુ દર્દીવાળાં રાજ્યોમાં ગુજરાત એકમાત્ર જ્યાં 1 અઠવાડિયાથી ટેસ્ટ ઘટી રહ્યા છે

દેશની કુલ વસતી પ્રમાણે જોવામાં આવે તો દર 1 લાખ લોકોએ 252 ટેસ્ટ થયા છે. સૌથી વધુ 4.55 લાખ ટેસ્ટ તમિલનાડુમાં થઈ ચૂક્યા છે, તે પછી મહારાષ્ટ્રમાં 4.34 લાખ ટેસ્ટ થયા છે
મહારાષ્ટ્ર : ક્ષમતા 26 હજાર ટેસ્ટ, 15 હજાર થઈ રહ્યા છે, ફક્ત 30 ટકા લેબનો ઉપયોગ થયો
- 78 લેબ (43 સરકારી, 35 ખાનગી)
- દરરોજ થતા ટેસ્ટ 15 દિવસમાં બમણા થઈ ચૂક્યા છે. 15 મેના રોજ 8 હજાર ટેસ્ટ થયા હતા. 29 મેના રોજ 15,453 ટેસ્ટ થયા.
ગુજરાત : 6000 ટેસ્ટથી વધુ ક્ષમતા જ નથી, તેમ છતાં રોજ ટેસ્ટ ઘટી રહ્યા છે
- 32 લેબ (20 સરકારી, 12 ખાનગી)
- ગુજરાત એકમાત્ર મોટું રાજ્ય છે જ્યાં ટેસ્ટ ઘટી રહ્યા છે. 1 મેથી 21 મે સુધી રોજ સરેરાશ 5 હજાર ટેસ્ટ થયા. 4 હજાર થઇ રહ્યા છે.
દિલ્હી : 10 મે સુધી ટેસ્ટ વધતા રહ્યા, પછી ઘટી ગયા, હવે 3 દિવસથી ફરી વધવા લાગ્યા છે
- 34 લેબ(15 સરકારી, 19 ખાનગી)
- 10 મેના રોજ 9 હજાર ટેસ્ટ થયા. 18 મે સુધી ઘટીને 4 હજાર થઈ ગયા. 26 મે સુધી સ્થિર રહ્યા. 7600 સુધી પહોંચી ગયા છે.
રાજસ્થાન : 1 મહિનામાં ટેસ્ટ 3 ગણા સુધી વધી ગયા, હવે રોજ 15 હજારથી વધુ થઇ રહ્યા છે
- 21 લેબ(17 સરકારી, 4 ખાનગી)
- રાજસ્થાનમાં 15 મેના રોજ 8 હજાર ટેસ્ટ થયા હતા. 15 હજાર થઇ રહ્યા છે. 1 મેથી પહેલાં ફક્ત 5 હજાર ટેસ્ટ થઈ રહ્યા હતા.
યુપી : ટેસ્ટ 2 ગણા વધ્યા પણ ક્ષમતા ફક્ત 8 હજાર
- 29 લેબ(25 સરકારી, 4 ખાનગી) લેબમાં સંપૂર્ણ ક્ષમતા મુજબ ટેસ્ટ થઈ રહ્યા છે. 1 મેના રોજ 4,000 ટેસ્ટ થયા હતા. રોજ 8 હજાર થવા લાગ્યા છે.
- કુલ ટેસ્ટ: 2,56,267
- દર્દી: 7284
બિહાર : ક્ષમતા ફક્ત 2500 ટેસ્ટની છતાં આટલા થતા નથી
- 17 લેબ(15 સરકારી, 2 ખાનગી), ખાનગી લેબમાં અત્યાર સુધી ટેસ્ટ થયા નથી. એક તો ક્ષમતા ઓછી, ઉપરથી 2 હજારથી વધુ ટેસ્ટ થયા નથી.
- કુલ ટેસ્ટ : 70,275
- દર્દી: 3276
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2XKBXce
હવે ટ્વિટર યુઝર્સ ટ્વિટ શેડ્યુલ પણ કરી શકશે

હવે તમે ટ્વિટ શેડ્યુલ પણ કરી શકો છો. ટ્વિટ લખતી વખતે યુઝર્સને કમ્પોઝ વિન્ડોના આઈકનના છેડે એક નાનું કેલેન્ડર આઈકન દેખાશે. તેના પર ક્લિક કરીને યુઝર્સ તારીખ અને સમય નક્કી કરીને એ નક્કી કરી શકશે કે, આ ટ્વિટ ક્યારે કરવાની છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/3dseaEs
1 જૂનથી સ્કૂલો ખોલવાની છૂટ સંભવ, સૌથી વધુ દર્દીઓવાળાં 30 શહેરો પર ફોકસ રહેશે

દેશમાં 68 દિવસથી જારી લૉકડાઉનનો ચોથો તબક્કો રવિવારે પૂરો થઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી લૉકડાઉન 4.0 બાદની રણનીતિ પર ચર્ચા કરી. શાહે મુખ્યમંત્રીઓ પાસેથી મળેલાં સૂચનો પણ પીએમને જણાવ્યાં. અધિકારીઓ મુજબ 1 જૂન બાદ લૉકડાઉન આશરે બે સપ્તાહ વધી શકે છે. જોકે આ વખતે પ્રતિબંધો નક્કી કરવામાં કેન્દ્રની ભૂમિકા બહુ મર્યાદિત રહેશે. રાહતો ઘટાડવા-વધારવાનો અધિકાર સંપૂર્ણપણે રાજ્યોને મળી શકે છે. સૂત્રો મુજબ 1 જૂનથી સ્કૂઓ, ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ ખોલવા કે મેટ્રો ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લઇ શકશે. જોકે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સાથે મોલ અને સિનેમાઘરો બંધ રાખવાનો આદેશ આપી શકે છે. અધિકારીઓ મુજબ દરેક 15 દિવસમાં લૉકડાઉનની સમીક્ષા થશે. તેમાં પણ સ્થાનિક પરિસ્થિતિ મુજબ રાજ્ય નિર્ણય લેશે.
સૌથી વધુ દર્દીઓવાળાં 30 શહેરો પર ફોકસ રહેશે
સૂત્રોએ કહ્યું કે નવી ગાઇડલાઇન્સમાં કેન્દ્રનો ભાર માત્ર કન્ટેઈનમેન્ટ ઝોન પર રહેશે. અહીં ચેપ રોકવા માટે કડક પ્રતિબંધો લાગુ કરાશે. લૉકડાઉન-5.0માં કોરોના વાઇરસ વિરુદ્ધ અલગ પ્રકારનો જંગ થશે. 30 શહેરોમાં દેશભરના 80 ટકાથી વધુ દર્દી છે. તેમાંથી 13 શહેરોના અધિકારીઓ સાથે કેબિનેટ સચિવે બેઠક કરી. 1 જૂનથી મ્યુનિસિપાલિટીઓ જ નક્કી કરશે કે કઇ રહેઠાણ કોલોની, મહોલ્લો, વોર્ડ કે પોલીસમથક ક્ષેત્રને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરે કે નહીં?
કર્ણાટક બાદ પ.બંગાળમાં પણ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ 1 જૂનથી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની જાહેરાત કરી દીધી. સાથે જ સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ 100 ટકા કર્મચારીઓ જઇ શકશે. મમતા પહેલાં કર્ણાટક સરકારે પણ રાજ્યમાં 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે કેરળમાં પણ ઘણા ધર્મગુરુઓએ મુખ્યમંત્રી પિનરાઇ વિજયનને મંદિરો, મસ્જિદો અને ચર્ચો ખોલવાનો આગ્રહ કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/3gAdpLz
WHO સાથે અમેરિકાના તમામ સંબંધ પૂર્ણ : ટ્રમ્પ

વિશ્વભરમાં કોરોના વાઈરસના ફેલાવા પછી અનેક દેશો ચીનના વિરોધી થઈ ગયા છે. અમેરિકા પણ કોરોના વાઈરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે પણ તમામ સંબંધ પૂરા કરી નાંખવાની જાહેરાત કરી છે.
વર્ષે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે
ટ્રમ્પે કહ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ચીન દર વર્ષે ફક્ત ચાર કરોડ ડૉલર આપે છે, જ્યારે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે. આમ છતાં, વિશ્વની અત્યંત મહત્ત્વની આ સંસ્થા પર ચીન આધિપત્ય ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વૈશ્વિક સ્તરે સૂચવેલા અને જરૂરી સુધારા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેથી અમે તેની સાથેના તમામ સંબંધો પર તોડી નાંખીએ છીએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2M8kvci
ધાર્મિક સ્થળો ખૂલશે, દુકાનોનો સમય વધશે, હોટેલ-રેસ્ટોરન્ટને છૂટ મળશે

કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5 કેવા પ્રકારનું રહેશે તેની જાહેરાત એકાદ-બે દિવસમાં જ થશે,પરંતુ આ પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર કેવા પ્રકારની છૂટછાટ આપશે તેના સંકેત મેળવીને ગુજરાતમાં લૉકડાઉન-5 કેવા પ્રકારનું રાખવું તેની તૈયારી કરી લીધી છે. ગુજરાત સરકાર લૉકડાઉન-5માં લૉકડાઉન-4ની છૂટછાટ યથાવત્ રાખશે,પણ આ સાથે છૂટછાટ વધારશે. હાલમાં રાત્રે બહાર નીકળવા પર જે પ્રતિબંધ છે તે પ્રતિબંધ જ રહેશે, પરંતુ રાત્રે બહાર નીકળવા પર પ્રતિબંધનો સમય સાંજના 7થી સવારના 7 સુધીનો છે તે ઘટાડાશે. ઉપરાંત દેવ-દર્શન માટે અત્યાર સુધી ઝૂરતા શ્રદ્ધાળુઓ માટે મંદિર,મસ્જિદ,ગુરુદ્વારા અને ચર્ચ ખોલી નાખવામાં આવશે.
કેન્દ્ર બાદ ગુજરાત સરકાર જાહેરાત કરશે
રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉન-5 બાબતે સઘન ચર્ચા અને વાટાઘાટો ચાલી રહીં છે. ગુજરાત સરકારે એવી તૈયારી તો કરી લીધી છે કે હજુ વધારે કેટલી છૂટછાટ આપી શકાય. કેટલી બાબતો પર પ્રતિબંધ રાખવો અને કેટલી બાબતો પર છૂટછાટ આપવી. સરકારનું વલણ એવું છે કે અત્યાર સુધી જેના પર પ્રતિબંધ હતો તેવી પ્રતિબંધિત બાબતોને કોરોનાનું સંક્રમણ વધારે નહીં તેમ કઇ રીતે ખોલી શકાય,એટલે જ સરકારે કેટલીક હળવાશ આપવી તે પ્રાથમિક રીતે નક્કી કરી નાખ્યું છે. કેન્દ્ર સરકાર લૉકડાઉન-5ની છૂટછાટની જાહેરાત કરે તે પછી ગુજરાત સરકાર પણ જાહેરાત કરશે.
કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદ, સુરત જેવા વિસ્તારોમાં જે કન્ટેઈન્મેન્ટ ઝોન છે તે કન્ટેઈન્મેન્ટ ઝોન ઘટાડાશે. ઉપરાંત કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કેટલીક વધુ છૂટછાટ અપાશે. હાલમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ,દવાની દુકાનો ખૂલી હોય છે.
નોન કન્ટેઇનમેન્ટ: ધર્મસ્થળો પણ ખૂલશે
- કેટલીક પ્રતિબંધિત બાબતોમાં સરકાર છૂટછાટ આપશે.
- દુકાનો 4 કલાક સુધી ખૂલી રહે છે, તેનો સમય વધારાશે
- મંદિર,મસ્જિદ,ચર્ચ,ગુરુદ્વારા દર્શનાર્થે ખૂલી શકશે પણ શરતો સાથે અને નિયમોનું પાલન કરવું પડશે.
- રેસ્ટોરન્ટ,હોટલો ખૂલશે તે શરતોને આધિન જ રહેશે.
- જે વિસ્તારમાં દુકાનો ખૂલતી નથી ત્યાં દુકાનો ખૂલશે.
- પ્રવાસન સ્થળો હજુ શરૂ કરવામાં આવશે નહીં
- ગુજરાતમાં સ્કૂલો,કોલેજો શરૂ થશે નહીં
- જાહેર કાર્યક્રમો,મેળાવડા પર પ્રતિબંધ રહેશે
છૂટછાટો પાછી ખેંચાશે એ માત્ર અફવા : મુખ્યમંત્રી
સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે લૉકડાઉન 5.0 દરમ્યાન ગુજરાતમાં સરકારે આપેલી છૂટછાટો પાછી ખેંચાશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ ચર્ચા માત્ર અફવા જ છે. છૂટછાટો પરત લેવાની સરકારની કોઈ જ યોજના નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2XOG0EG
PM marks a year of Modi govt 2.0 with letter to citizens | Read full text here
One year of Modi 2.0: India's economic revival will inspire world, PM Modi writes in letter to citizens
From empowering poor to Mission Gaganyaan: PM reiterates many firsts for India during Modi 2.0
One year of Modi 2.0: PM recounts achievements, hurdles faced by BJP govt in a letter to nation
Covid-19 lockdown: Food grains rot as poor battle hunger | Exclusive
Maharashtra reports 2,682 new coronavirus cases, 116 deaths, 8,381 recoveries
Delhi: Hospital bed crisis looms as Covid-19 cases rise in capital
Covid-19 lokdown: Delhi govt for opening neighbourhood religious places, shops in malls on odd-even basis post May 31
Covid-19 lockdown: Headwinds galore as action returns to skies
Study focuses on risks of breast cancer after pre-invasive disease
Thursday, May 28, 2020
Donald Trump says PM Modi not in good mood over big border conflict with China, reiterates offer to mediate
Covid-19: Bihar cabinet approves Nitish Kumar's plan to rehabilitate migrants, sanctions Rs 809 cr
Boeing resumes production of 737 Max planes
PM Narendra Modi not in 'good mood' over border row with China, says Donald Trump
ICC-BCCI email exchange generates heat in meeting
from Times of India https://ift.tt/3gA6O3J
Thirty-somethings draw up wills due to virus fear
Covid-19 lockdown: Parents anxious over plan to reopen schools in Delhi
લૉકડાઉન 1માં રોજ સરેરાશ 29 કેસ નોંધાતા, ચોથા લૉકડાઉનમાં રોજ સરેરાશ 382 કેસ

ચોથું લૉકડાઉન પણ હવે અંતિમ તબક્કામાં છે. ચોથા લૉકડાઉનના અત્યાર સુધીના 10 દિવસમાં 3825 કેસ નોંધાયા છે જ્યારે 279 મૃત્યુ થયા છે. રાજ્યમાં 15 હજારથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ 1.94 લાખ ટેસ્ટ થયા છે એટલે કે કુલ ટેસ્ટના 8 ટકા કોરોના પોઝિટિવ આવે છે. છેલ્લા 10 દિવસમાં 50 હજાર જેટલા ટેસ્ટ થયા છે.

50% ક્વોરોન્ટાઈન લોકો માત્ર 3 જિલ્લામાં
રાજ્યમાં કુલ 3.52 લાખ લોકો ક્વોરોન્ટાઈનમા છે. જેમાંથી 1.78 લાખ લોકો તો અમદાવાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ છે. અમદાવાદમાં 80 હજાર, અમરેલીમાં 63 હજાર, ભાવનગરમાં 35 હજાર છે. અમરેલીમાં માત્ર 8 કેસ હોવા છતાં 63 હજાર લોકો ક્વોરોન્ટાઈનમા છે. આ બધા જિલ્લા બહારથી આવેલા છે. સૌથી ઓછા તાપી જિલ્લામાં 54 લોકો જ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2yHVNwp
કોરોનાથી 54 મોટી અસર, હેલ્થ સ્ટાફનું સન્માન અને બેકારી સાથે હિજરત વધી

કોરોના વાઇરસને કારણે વિશ્વમાં 58 લાખથી વધુ લોકો બીમાર થયા અને સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં. આ મનુષ્યના જીવન પર છેલ્લા દાયકાઓમાં સૌથી મોટું જોખમ બનીને આવ્યું. આ મહામારીએ વિશ્વભરની દરેક વસ્તુ બદલી નાંખી છે. ખાસ કરીને આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી ચીજોને મોટા પાયે બદલી નાંખી. જેનો અંદાજ લગાવી શકાય નહીં. છતાં આંકડા તપાસનારા અને આપણી વચ્ચેનું સ્ટેટિસ્ટિક મગજ તેને માપવાનું પ્રયત્ન કરી રહ્યું છે. અમે જીવન સાથે સંકળાયેલાં આવાં જ પાસાંઓને સમજવાનો પ્રયત્ન કર્યો, જેમાં કાં તો વધારો થયો કે પછી ઘટાડો થયો છે. તેમાં પર્યાવરણથી લઇ બેરોજગારી અને ગુનાથી લઇ ઉપયોગી ચીજવસ્તુઓનો વપરાશ સામેલ છે. જે સૌથી સારી વાત થઇ છે તે એ કે વિશ્વભરમાં આરોગ્યકર્મીઓનું સન્માન વધ્યું છે અને તેમની પ્રશંસા થઇ રહી છે. જોકે તેમને મળતું વળતર બહુ ઓછું છે. અમે એવા 54 મોટા ફેરફારોને સમજવાનો પ્રયત્ન કર્યો છે જેમાંથી કેટલાકને જાણીએ.
આરોગ્યકર્મીઓનું સન્માન, વખાણ વધ્યા
સંકટના સમયમાં હેલ્થ સ્ટાફ મસિહા બનીને આવ્યો. તેઓ પોતાની અને પરિવારની પરવા કર્યા વિના મોરચા પર ટકી રહ્યા. લોકો તાળીઓ, સંગીત વગાડી તેમનું સન્માન કરવા લાગ્યા.
માસ્ક, ડિસ્ટન્સિંગ
જાહેર પરિવહન, દુકાનો અને ભરચક વિસ્તારોમાં લોકો માસ્ક પહેરવા લાગ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી રહ્યા છે. સંક્રમણના સમયમાં આ જીવનનો ભાગ બની ગયા છે. આરોગ્યને લઇ જાગરુકતા પણ વધી છે.
બેરોજગારી વધી
કોરોના વાઇરસની અસર રોજગાર પર પણ પડી. અમેરિકામાં બેરોજગારી દર રેકોર્ડ 14 ટકા થઇ ગયો. નિષ્ણાતો મુજબ 1998 બાદ પહેલી વખત ગરીબી વધશે. આશરે 50 કરોડ લોકો ગરીબીનો શિકાર થઇ શકે છે.
અંદાજ કરતાં વધુ મોત
કોરોનામાં વિશ્વભરમાં થયેલાં મોતની સંખ્યા અંદાજ કરતાં ઘણી વધારે છે. સત્તાવાર આંકડા સ્પષ્ટ તસવીર નથી દેખાડતા પરંતુ 24 દેશોના અભ્યાસ બાદ ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ને જણાયું કે ઘણા દેશોમાં 74 હજાર મોત વધુ થયા છે. તેમાં હોસ્પિટલોમાં સારવાર કરાવવા નહીં ગયેલા પણ સામેલ છે. અમેરિકામાં આશરે 57 હજાર મોત અંદાજથી વધુ થયાં છે.
લોકો વસિયતનામું કરવા લાગ્યા
કસમયના મોતના ડરથી વિલ બનાવવામાં તેજી આવી છે. તેનું કારણ એ પણ છે કે કોરોનાથી સારવાર કે મોત દરમિયાન પરિવાર, મિત્ર કે નજીકના સંબંધીઓને પાસે આવવાની મંજૂરી અપાતી નથી.
પલાયન અને સંક્રમણ વધ્યું
મહામારીને રોકવા માટે માનવ ઇતિહાસના સૌથી મોટા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં તે પૂરતા સાબિત થયા નહીં. લાખો લોકોનો કામ-ધંધો બંધ થઇ ગયો તો તેઓ ઘરે પરત થવા લાગ્યા. એકલા વુહાનમાંથી 70 લાખ લોકો શહેર છોડીને જતા રહ્યા. કોરોનાનો પ્રકોપ ફેલાવવાનો એનાથી ખરાબ સમય હોઇ શકે નહીં.
ટ્રાફિક, અકસ્માત ઘટ્યા, સ્પીડ વધી ગઇ
લૉકડાઉન દરમિયાન ટ્રાફિક બંધ હોવાથી માર્ગો પર અકસ્માત ઘટ્યા, પરંતુ વાહનચાલકોએ તેમની સ્પીડ વધારી દીધી. ખાલી માર્ગો પર લોકો પૂરઝડપે વાહન દોડાવવા લાગ્યા.
પર્યાવરણમાં સુધારો
વિશ્વભરમાં ટ્રાફિક અટકી જવાની અસર ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પર પડી. ફોસિલ ફ્યૂઅલ અને વાહનોનો ઉપયોગ ઘટવાથી તેમાં રેકોર્ડ ઘટાડો થયો. નવા રિસર્ચ મુજબ આ ગેસોનું ઉત્સર્જન આશરે 8 ટકા સુધી ઘટ્યું.
ગુના ઘટ્યા, ચોરી-છેતરપિંડી વધ્યાં
મોટા ગુનામાં ઘટાડો થયો, પરંતુ ચોરી-છેતરપિંડી વધી ગયા. વિરાન શહેરોનો લાભ ઉઠાવી ચોરોએ દુકાનો, રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યા. કોરોનાના નામે ઓનલાઇન છેતરપિંડી વધી ગઇ છે.
દુનિયા ઓનલાઇન થઇ
વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન અભ્યાસ, ટ્રેનિંગનું ચલણ વધ્યું. મોટા ભાગનાં બાળકો ઘરોમાં જ રહ્યાં. જરૂરિયાતની વસ્તુઓની હોમડિલિવરી વધી. ચીજોને અડવાથી બચવા માટે ઓનલાઇન ઓર્ડર પણ વધ્યા. ઇ-લર્નિંગ, ઇ-ગેમિંગ, ઇ-બુક્સ અને ઇ-અટેન્ડન્સનું ચલણ વધ્યું.
સ્ક્રીન ટાઇમ વધ્યો
કોરોના મહામારી પહેલાં અમે ડિજિટલ ડિવાઇસ કે ઉપકરણો પર પસાર કરનારા સમયને ઓછો કરવા કે તેને જોવાથી અટકવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો. પરંતુ લૉકડાઉને તેને વધારી દીધો. લોકોએ સ્ક્રીન પર વધુ સમય વિતાવ્યો.
લોટનો વપરાશ વધ્યો, પરંતુ સાથે ખાવાની ટેવ છૂટી ગઇ
લૉકડાઉન દરમિયાન મોટી વસતી ઘરોમાં કેદ થઇ ગઇ. આ સમયનો ઉપયોગ લોકોએ નવા-નવા પ્રયોગો કરવામાં કર્યો. સૌથી વધુ એક્સપેરિમેન્ટ ખાવા-પીવા અંગે થયો. મર્યાદિત સંસાધનો વચ્ચે સૌથી વધુ વપરાશ લોટનો થયો. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે સાથે મળીને રસોઇ બનાવવા અને ખાવાની ટેવો ઓછી થઇ ગઇ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2AnBaWz
સુરતના 75 વર્ષના વૃદ્ધે ICUમાંથી ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લઈ ‘તારી આંખનો અફીણી...’ ગાયું

હોસ્પિટલનો સ્ટ્રેસ દૂર કરવા 75 વર્ષના વૃદ્ધે ICUમાંથી ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. હરેન્દ્ર ઝવેરી હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમણે ‘તારી આંખનો અફીણી’ ગીત ગાઈ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો. 45 વર્ષની ઉપરના લોકો પણ સંગીતની તાલીમ લઈ શકે તે માટે શહેરની એક સંસ્થા દ્વારા બનાવાયેલા ગ્રુપમાં 65 લોકો તાલીમ લઈ રહ્યાં છે, જેમાં 45 વર્ષથી ઉપરના 40 સુરતીઓ છે. લોકડાઉનમાં વોટ્સએપ દ્વારા સંગીતની તાલિમ અપાઈ રહી હતી. સંગીત ગ્રુપ સાથે જોડાયેલા વડિલો લોકડાઉનમાં સંગીત શીખવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરતાં શીખી ગયા છે, અને ઓનલાઈન જ સંગીતની તાલીમ લઈ રહ્યાં છે.
જિંદગીમાં સંગીત શીખી ન શક્યા હોય એટલે તાલીમ શરૂ કરી
સંગીત પ્રત્યે ખૂબ જ રૂચિ
75 વર્ષના હરેન્દ્ર ઝવેરી દિવ્યાંગ છે, જે 12 વર્ષથી પોતાના ઘરની બહાર જ નિકળ્યા નથી. પરંતુ તેવો આ ગ્રુપ સાથો જોડાયા પછી તેમને સંગીતમાં રસ જાગ્યો છે. લોકડાઉન દરમિયાન તેમને હાર્ટ એટેક આવતાં આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતાં. જો કે તેમને સંગીત પ્રત્યે ખુબ જ રુચિ હોવાથી ICUમાંથી ભાગ લીધો હતો.
વડીલો સંગીત પ્રેમી હોય છે
ખાસ કરીને વડિલોને સંગીતનો શોખ હોય છે, પરંતુ કોઈ કારણસર જિંદગીમાં સંગીત શીખી ન શક્યા હોય એટલા અમે આ સંગીતની તાલીમ શરૂ કરી છે. લોકડાઉન હોવાથી અમે વોટ્સએપ અને ઝૂમ એપ દ્વારા તાલિમ આપતા હતાં. - ચંદ્રેશ રાઠોડ, આયોજક
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2XIPRMd
સંપત્તિ ખરીદી જેવા ખાસ ટ્રાન્ઝેકશન રિટર્નમાં ઓટોમેટિક દેખાશે

ઇન્કમટેક્સ ઓનલાઇન ભરવાનું એક જૂનથી બહુ સરળ થશે. તેમાં લોગ ઇન કરતા જ અત્યાર સુધી જમા ટેક્સ ઉપરાંત કરદાતા વતી ખાસ પ્રકારની લેવડ-દેવડ, જેમ કે જમીન કે કારની ખરીદી, બેન્કમાં જમા રકમ વગેરેની માહિતી પણ આપમેળે સામે આવી જશે.
આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે
નાણામંત્રાલયે આ અંગેના નિયમ ગુરુવારે જાહેર કર્યા. આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે. આ ફેરફારની જાહેરાત બજેટમાં કરાઇ હતી. સીએ નિખિલ તોતુકા મુજબ અત્યાર સુધી ઓનલાઇન ટેક્સ જમા કરવામાં માત્ર જમા થયેલા ટેક્સની જ માહિતી દેખાતી હતી. આ ફેરફારોથી કરદાતાઓને ભરેલા ટેક્સ અને બાકી બંને મળી જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/3djf1rm
દેશમાં ગુરુવારે સૌથી વધુ કેસ, હવે ભારત એશિયાનું પ્રથમ, દુનિયામાં 9મા સ્થાને

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ 7,135 નવા દર્દી મળતા કુલ આંકડો 1,60,666 પર પહોંચી ગયો છે. આ સાથે એશિયામાં સૌથી વધુ દર્દી સાથે ભારત ટોપ પર પહોંચી ગયું છે. આ પહેલા એશિયામાં સૌથી વધુ 1,59,797 દર્દીઓ તૂર્કીમાં હતા. તૂર્કીને પાછળ છોડીને ભારત દુનિયામાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોની યાદીમાં નવમા સ્થાને પહોંચી ગયું છે.
લૉકડાઉનનો ચોથો તબક્કો 31મી મેના રોજ ખતમ થશે
લૉકડાઉન 4 પછી વધુ છૂટછાટ ધરાવતા વિસ્તારોમાં દસ જ દિવસમાં 60 હજાર નવા દર્દી નોંધાઈ ચૂક્યા છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે લૉકડાઉનનો ચોથો તબક્કો 31મી મેના રોજ ખતમ થઈ રહ્યો છે. ત્યાર પછીની વ્યૂહનીતિ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ચર્ચાવિમર્શ પણ શરૂ થઈ ગયો છે. તેમાં સૌથી વધુ સંક્રમિત 13 શહેર પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટો અને નગર નિગમ કમિશનરો સાથે એક વીડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ પણ સામેલ હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2ZTztea
Covid-19: 350 Indians, mostly medical students, evacuated from Bangladesh through land route
'18 flyers who flew in last 3 days test +ve for Covid-19'
from Times of India https://ift.tt/3deUzYp
રેલવે વેન્ડરે કહ્યું- પ્લેટફોર્મ પર અમે ખાણી-પીણીની દુકાનો નહીં ખોલીએ

રેલવેના વેન્ડરોએ હાલ પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો ખોલવાથી ઈનકાર કરી દીધો છે. વેન્ડરોએ ગુરુવારે અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે તેમના પર દુકાનો ખોલવા માટે દબાણ ન બનાવો. 25 માર્ચે લૉકડાઉન બાદથી તેમની દુકાનો બંધ છે. જોકે રેલવે બોર્ડે 21 મેના રોજ તમામ ઝોનમાં પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો આદેશ કર્યો હતો.
1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ
અખિલ ભારતીય રેલવે ખાન-પાન લાઈસન્સ વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ રવીન્દ્ર ગુપ્તાએ રેલવે બોર્ડને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે હાલ પ્રવાસી મજૂરોને લઈ જતી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો સતત પસાર થઈ રહી છે. આ મજૂરો દુકાનોમાં લૂંટફાટ કરી નુકસાન પહોંચાડી રહ્યા છે. તેની જવાબદારી કોણ લેશે? 1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2Adxve1