Watch: Computer Baba protests against killing of sadhus in Palghar and Bulandshahr
from News - Videos - The Times of India https://ift.tt/35sBlM5
આ માત્ર સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે ખાસ ઊભી કરાયેલી કોવિડ હોસ્પિટલનો વોર્ડ નથી, આ કોરોના સામેનું બેટલ ફિલ્ડ છે, જ્યાં ડૉક્ટરો દિવસરાત વાઇરસ સામે લડીને પેશન્ટ્સને બચાવે છે. અહીં પહોંચવું ચક્રવ્યૂહના સાત કોઠાને વીંધવા કરતાં પણ અઘરું છે. છેલ્લા સાત દિવસથી હું સતત પ્રયત્ન કરતો હતો. આખરે ડૉ. કમલેશ ઉપાધ્યાયના રેફરન્સથી સત્તાવાળાઓએ મને જરૂરી સાવચેતી સાથે અને મારી જવાબદારી પર અંદર જવાની પરવાનગી આપી.
અહીં કોરોના સામે ગંભીર રણનીતિ ઘડાઈ રહી હોય એવું દૃશ્ય હતું
બપોરે બાર વાગ્યે હું સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો ત્યાં જૂના ટ્રોમા સેન્ટર પાસે સિક્યોરિટી ગાર્ડ્સની અભેદ્ય કિલ્લેબંધી હતી. સામાન્ય વ્યક્તિને અહીંથી આગળ એક ડગલું ભરવાની મનાઇ છે. અહીંથી આગળ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે મને ફરી રોકીને પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ હું કન્ટ્રોલરૂમ પાસે પહોંચ્યો. અહીં કોરોના સામે ગંભીર રણનીતિ ઘડાઈ રહી હોય એવું દૃશ્ય હતું. એક તરફ સેમ્પલ કલેક્શન સેન્ટરનો સ્ટાફ પોતાના કામમાં વ્યસ્ત હતો. બીજી તરફ હોસ્પિટલના R.M.O. ડૉ. સંજય કાપડિયા, ડૉ. સંજય સોલંકી, હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. મૈત્રેય ગજ્જર ઊંડી ચર્ચામાં વ્યસ્ત હતા. અહીં સરકારે ખાસ નિયુક્ત કરેલા ડેપ્યુટી કલેક્ટર ધવલ જાની પણ હતા. તેમણે મારો હવાલો કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમારને સોંપ્યો.
કિટ એરટાઇટ હોવાથી પાંચમી મિનિટે પરસેવો થવાનો શરૂ થઈ ગયો
વાઇરસના ચેપની શક્યતાવાળી આટલી જોખમી જગ્યામાં જવાની મારી ઉત્સુક્તા જોઈને એમને થોડું આશ્ચર્ય થયું. ડૉક્ટરે મને પીપીઈ કિટ પહેરાવી, ખાસ પ્રકારના ગોગલ્સ પહેરાવ્યા અને હાથમાં ગ્લવ્ઝ પહેરવા કહ્યું. આ કિટ લગભગ એરટાઇટ હોવાથી પહેર્યાની પાંચમી મિનિટે મને પરસેવો થવાનો શરૂ થઈ ગયો હતો. ડૉક્ટરે આછા સ્મિત સાથે કહ્યું, ‘અમે સતત સાતથી આઠ કલાક આ સૂટ પહેરીને કામ કરીએ છીએ. લગભગ રોજ પીપીઈ કિટ પહેરનારા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને 1.5 લિટર જેટલો પરસેવો થઈ જતો હોય છે. આટલો પરસેવો થાય એ જ શરીરને અત્યંત થકવી નાખનારી બાબત છે. જોકે ડૉક્ટર પરમાર કોઈ અજબ રીતે ફ્રેશ લાગી રહ્યા હતા.
સાહેબ તમારા જેવા અલ્લાહના બંદા હોય તો અમને શું તકલીફ
ડૉ. પરમાર દરેક દર્દી સાથે પરિવારની કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય એમ જ વાત કરી રહ્યા હતા. વોર્ડમાં દોઢ મીટરના અંતરે રાખેલા બેડ પર લગભગ ત્રીસેક દર્દીઓ હતા. એક વૃદ્ધ દર્દી પાસે જઈ ડૉક્ટરે તબિયત પૂછી. દર્દીએ કહ્યું, સાહેબ તમારા જેવા અલ્લાહના બંદા હોય તો અમને શું તકલીફ થઈ પડવાની? આ વોર્ડમાં ડૉક્ટર એ કોઈ વ્યક્તિ માત્ર નથી. જિંદગી મૃત્યુને હરાવી દેશે એ ભરોસાનું નામ ડૉક્ટર છે! મોટા ભાગના દર્દીઓ ડૉક્ટરને જોઈને જ ખુશ થઈ જતા હતા.
અહીં રોજ મોત પણ વિઝિટે આવતું હતું
વોર્ડની આગળ આઇસીયુ છે. ડૉક્ટરે કહ્યું, આઇસીયુમાં વધુ પડતો ચેપવાળા અને કો-મોર્બિડ એટલે કે હાઇપર ટેન્શન, ડાયાબિટીસ કે હૃદયની બીમારીવાળા પેશન્ટ છે, જેમની સ્થિતિ ક્રિટિકલ છે. આ દર્દીઓમાં ઇન્ફેક્શન ઘણું આગળ વધી ગયું છે, કેટલાક તો વેન્ટીલેટર પર છે. અહીં ચેપ લાગવાની શક્યતા સૌથી વધુ છે. સામાન્ય રીતે ડૉક્ટરો પણ અહીં કામ વગર જવાનું ટાળે છે. તમારે અંદર જવું જ હોય તો જઈ શકો છો, પણ એ હિતાવહ નથી. ડૉ. કાર્તિકેય મારા માટે લક્ષ્મણ રેખા દોરી રહ્યા હતા. મેં કાચમાંથી અંદર જોયું. અંદર દરેક શ્વાસ માટે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો હતો. અહીં રોજ મોત પણ વિઝિટે આવતું હતું અને પાછા જતી વખતે એકાદ બેને સાથે લઈ જતું હતું.
પાછો ફરી રહ્યો હતો ત્યારે મારું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું, ગોગલ્સ પર ધુમ્મસ છવાઇ ગયું હતું અને દિમાગ સુન્ન થઈ ગયું હતું.
ડૉ. પરમારે કહ્યું રાત્રે જમવાનું મન થતું નથી
ડૉ. પરમારે મને કહ્યું કે, હું દરરોજ 150-200 પેશન્ટને તપાસું છું, પણ કો-મોર્બિડ પેશન્ટ્સમાં ઇન્ફેક્શન આગળ વધી ગયું હોવાથી વેન્ટીલેટર પર રાખવા છતાં બચાવી શકાતા નથી. જ્યારે આવી રીતે જિંદગી હારી જાય ત્યારે રાત્રે જમવાનું મન થતું નથી.
મેં એમના પ્રત્યેક શ્વાસ માટેના સંઘર્ષને જોયો હતો
હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે આરોગ્ય સચિવ જયંતી રવિ કોરોનાને આંકડામાં સમજાવી રહ્યા છે. એ કહે છે કે અમદાવાદમાં કોરાેનાને કારણે 19નાં મોત થયાં છે. માહિતી મળે છે કે તેમાંથી 15 સિવિલ હોસ્પિટલના ICUમાં હતા. હા એ જ ICUમાં જ્યાં થોડા કલાકો પહેલાં મેં એમના પ્રત્યેક શ્વાસ માટેના સંઘર્ષને જોયો હતો, જ્યાં એમની જિંદગી થોડાક ઓક્સિજન માટે વાઇરસ સામે લડી હતી, જ્યાં એમનાં ફેફસાંએ છેલ્લી તાકાત લગાડી હતી અને અંતે હારી ગયાં હતાં.
આજે એ ડૉક્ટર ફરી નહીં જમે, જમી શકશે જ નહીં. કોરોના ભયાનક ઘાતક છે એ દરેક વ્યક્તિએ સમજવું પડશે, દર શ્વાસે સમજવું પડશે.
ઠાસરાના બજારોમાં જે દુકાનદારોએ પાલિકામાં પોતાની દુકાનનું રજિસ્ટ્રેશન કરાવી શોપ એક્ટ હેઠળ લાયસન્સ લીધું નથી, તેવા દુકાનદારોને છૂટ મળી હોય તો પણ સવારે લોકડાઉનના મુક્તિના સમયમાં દુકાન ખોલવા દેવાતી નથી, અને જો ખોલે તો તેની પાસેથી દિવસના 500/- રૂપિયા પ્રમાણે દંડ વસૂલાય છે. આ દંડમાંથી મુક્તિ મેળવવા માટે ઠાસરા પાલિકાના શાસકો દુકાનદીઠ રૂ. 2,500/- વસૂલે છે. અનેક દુકાનદારો પાસે શોપ એક્ટના લાયસન્સ નથી. આટલી ઊંચી રકમ ઉઘરાવવા માટે નથી તો પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરાયો કે નથી તો સરકારનો કોઇ પરિપત્ર.આ અંગે પાલિકા પ્રમુખ દિપકભાઇ રોહિતે જણાવ્યું હતું કે, ચીફ ઓફિસરને નિયમોનુસારની કાર્યવાહી માટે જણાવ્યું છે. જ્યારે ચીફ ઓફિસર ડી.ડી. શ્રીમાળીએ જણાવ્યું હતુ કે પાલિકા વિસ્તારમાં વેપારીઓ શોપએક્ટના નિયમોને અનુસર્યા નથી.
ગુજરાતના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. એક ફેસબુક યૂઝરે આરોગ્ય મંત્રી કોણ છે? એવા સવાલ સાથેની પોસ્ટ મૂકી હતી, જેના જવાબમાં કાનાણીએ ‘તારા કાકા’ એવો જવાબ આપ્યો હતો. એ પછી સંખ્યાબંધ ફેસબુક યૂઝર્સે આ ભાષાપ્રયોગ બદલ તથા ઘરે રહેવાનો મેસજ આપવાના નામે ટોળું ભેગું કરવા બદલ કાનાણીને ટ્રોલ કર્યા હતા. કાનાણીએ ટીકા કરતી પોસ્ટ કરનારાઓને પણ જવાબ આપ્યા હતા, જેમાં એક ફેસબુક યૂઝરને કાનાણીએ ‘ગામની ચિંતા કર્યા વિના તમારું ધ્યાન રાખો’ એમ જણાવ્યું હતું. જોતજોતામાં ફેસબુક ઉપરાંત ટ્વિટર પર પણ કાનાણી ટ્રોલ થયા હતા. ટ્વિટર પર હેશટેગ ગુજરાતના બિનઆરોગ્ય મંત્રી નામે ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં લોકોએ મીમ્સ અને કમેન્ટ્સ કરીને કાનાણીને ટ્રોલ કર્યા હતા. કેટલાક લોકોએ કોરોના કટોકટી વખતે ગાંધીનગરના બદલે સુરતમાં હોવા બદલ કાનાણીની ટીકા કરી હતી.
કાનાણી કેમ ટ્રોલ થયા?
સોમવારે 27 એપ્રિલે સુરતના મોટા વરાછા ખાતે કુમાર કાનાણી પોતાના ટેકેદારો સાથે જનસંપર્ક માટે નીકળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે લોકોને ઘરમાં રહેવાનો સંદેશ આપતા રસ્તા પર દોરાયેલા ચિત્રોને નિહાળવા માટે કુમાર કાનાણી સમર્થકો સાથે ઘરની બહાર નીકળ્યા હતા. રસ્તા પર રંગોળી દોરનાર યુવતીઓએ કાનાણીનું ફૂલથી સ્વાગત કર્યું હતું. કાનાણીએ બાદમાં ટેકેદારો સાથેની પોતાની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી. એ પછી ફેસબુક યૂઝર્સે લૉકડાઉન છતાં ટોળા સાથે રસ્તા પર નીકળવા બદલ કાનાણીની આકરી ટીકા કરી હતી, જેને પગલે કાનાણી નારાજ થયા હતા.
ટ્વિટર પર કાનાણી ટોપ ટ્રેન્ડમાં હતા
કોવિડ 19ની મહામારી સમયે ખાસ કરી શાકભાજી માર્કેટમાં ભીડ અને સોશીયલ ડિસ્ટન્સિંગનો પ્રશ્ન શહેરીજનોમાં હજુ આજે પણ વણઉકેલ્યો કહી શકાય. ત્યારે તાપી જિલ્લાના બુહારી ગ્રામપંચાયત દ્વારા જાણે શહેરીજનો માટે દિશાસૂચન કરાતું હોય એમ ઝિગઝેગ પદ્ધતિથી આયોજન કરવામાં આવ્યું છે. 150 જેટલી શાકભાજી અને ફ્રૂટની દુકાનો ક્રિકેટના ગ્રાઉન્ડમાં શરૂ કરાઈ છે. આસપાસના 7 ગામના લોકો ખરીદી માટે શાકભાજી માર્કેટમાં આવે છે. આથી આ પદ્ધતિના કારણે ઝેડ આકારની દુકાનો હોવાથી ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંંગનો પ્રશ્ન વહીવટીતંત્રને સતાવશે નહી.
દુનિયાભરમાં કોરોના વાઈરસના સંકટના કારણે મોટા ભાગની સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ રદ કરાઈ છે અથવા થોડો સમય ટાળી દેવાઈ છે. આ સ્થિતિમાં ટેનિસપ્રેમીઓ ખુશ છે. કારણ કે, વર્ચ્યુઅલ ટેનિસ ગેમ ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે. સોમવારે માનોલો સેન્ટાના સ્ટેડિયમમાં આયોજિત મુતુઆ મેડ્રિડ ઓપન વર્ચ્યુઅલ પ્રો ટાઈટલમાં સ્પેનમના રાફેલ નડાલે કેનેડાના ડેનિસ શાપોવાલ્વોને 4-3 (3)થી પરાજિત કરી દીધા. સોમવારે થયેલી આ મેચ જીત્યા પછી નડાલે ચિર-પરિચિત અંદાજમાં પોતાના બંને હાથ ઊંચા કર્યા અને રેકેટ પણ ઉછાળ્યું.
નડાલ અને એન્ડી મરે એ 12 ખેલાડીમાં સામેલ છે, જેમણે આ વર્ચ્યુઅલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. આ બંને સિવાય આ ઓનલાઈન ટૂર્નામેન્ટમાં ડેવિડ ગોફિન, જોન ઈસ્નર, કરેન ખાચાનોવ, યુજિન બાઉચર્ડ, ક્રિસ્ટિના મલદેનોવિચ અને વિકી બર્ટેંસે પણ ભાગ લીધો છે. આ ટૂર્નામેન્ટનું અનેક ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ પણ થઈ રહ્યું છે.
પહેલી મેચ પછી નડાલે એન્ડી મરે સાથે ઈન્સ્ટાગ્રામ પર લાંબી વાતચીત પણ કરી હતી. નડાલે મરેને કહ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે તમે મારી સાથેની આગલી મેચ માટે તૈયારી શરૂ કરી દીધી છે...’ નડાલે આટલુ કહ્યા પછી બંને હસી પડ્યા. કારણ કે, નડાલે મરેને એવું કહીને ચીડવ્યો હતો કે, ફેલિસિયાનો લોપેઝે મને જણાવ્યું છે કે, તમે મારી સાથેની મેચ માટે રોજ 3-4 કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છો. આ દરમિયાન વર્ચ્યુઅલ ટૂર્નામેન્ટના આયોજકે તો ત્યાં સુધી કહી દીધું કે, નડાલે આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ અંગે મરેએ કહ્યું કે, મેચમાં ઈજાગ્રસ્ત થવા પર પણ નામ પાછું ખેંચવાનો વિકલ્પ જ નથી. ટેનિસની અનેક ટૂર્નામેન્ટ મોકુફ છે ત્યારે આ બંને ખેલાડીએ ચેટિંગ દરમિયાન એકબીજા પર હળવાશથી આરોપો લગાવ્યા. નડાલ અને મરે દુનિયાના 32 અગ્રણી એટીપી અને ડબલ્યુટીએ ખેલાડીઓમાંના એક છે, જે ઓનલાઈન ટેનિસ પ્રશંસકોને તેમના કરતબ બતાવી રહ્યા છે. આશરે સવા કરોડની ઈનામી રકમ ધરાવતી આ ટૂર્નામેન્ટમાં મળેલી રકમ વિજેતાઓ કોરોના પીડિતોને દાન કરવાના છે.
પાછલા ચેમ્પિયન કિકીએ કહ્યું- હું ઈજાગ્રસ્ત, પરંતુ પ્રેક્ટિસ ના છોડી
ગયા વર્ષે મુતુઆ મેડ્રિડ ઓપનનો ખિતાબ જીતનારી કિકી બર્ટેસે કહ્યું કે, મારા બંને હાથ અને આંખમાં ઈજા છે. આમ છતાં, હું સતત પ્રેક્ટિસ કરી રહી છું. બંધ રૂમમાં આ રમત મજેદાર છે. ટેનિસ કિટ ફરી સાથે રાખીને હું ખુશ છું.
55 વર્ષ પૂર્વે વિયેતનામ યુદ્ધમાં અમેરિકાના 58 હજાર સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડાનો ઉલ્લેખ એટલા માટે કેમ કે કોરોનાના કારણે મંગળવોર અમેરિકામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ 58 હજારને વટાવી ચૂકી છે. આખી દુનિયામાં અમેરિકા જ એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોના ઈટાલી અને ચીનથી પણ વધુ ભયાવહ સ્તરે ફેલાયો છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. ગત 24 કલાકમાં જ અમેરિકામાં 1500 લોકો મૃત્યુ પામ્યા. ગત અનેક દિવસોથી અહીં દરરોજ 1000થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યાં છે.
ન્યૂયોર્ક અને ન્યુજર્સીમાં જ 4 લાખથી વધુ કેસ
અમેરિકામાં સૌથી વધુ દયનીય હાલ ન્યૂયોર્ક અને ન્યુજર્સીની છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી 3 લાખ કેસ મળી ચૂક્યા છે. જ્યારે 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ન્યુજર્સીમાં સવા લાખ પોઝિટિવ કેસ આવ્યા છે અને મૃત્યુનો આંકો અહીં 6 હજારને વટાવી ચૂક્યો છે. સમગ્ર અમેરિકામાં જેટલા મૃત્યુ થયા છે તેના 45 ટકા ફક્ત ન્યૂયોર્કમાં થયા છે. કેલિફોર્નિયા, મેસાચ્યુસેટ્સ, પેનસિલ્વેનિયા સતત હોટસ્પોટ બનેલા છે.
ટોચના 7 દેશોમાં 66% કેસ અને 76 % મૃત્યુ
દેશ | કેસ | મૃત્યુ |
અમેરિકા | 1010507 | 57000 |
સ્પેન | 232128 | 23822 |
ઈટાલી | 199414 | 26977 |
ફ્રાન્સ | 165842 | 23293 |
જર્મની | 158768 | 6136 |
યુકે | 157149 | 21092 |
તૂર્કી | 112261 | 2900 |
કુલ | 20,36,069 | 1,61,220 |
વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના નમૂના પર એક શોધ કરી છે. તેના પરિણામ ભારતીય વાતાવરણના હિસાબે સુખદ છે. અભ્યાલમાં કહેવાયું છે કે જો તડકો હોય, તાપમમાન 22 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય અને ભેજ 80 ટકા હોય તો જમીન પર વાઇરસની સંખ્યા દરે બે મિનિટમાં અડધી થઇ જાય છે. અમેરિકાની નેશનલ બોયોડિફેન્સ એનાલિસિસ કાઉન્ટરમેજર્સ સેન્ટરના વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના નમૂના પર 6 સ્થિતિઓમાં અભ્યાસ કર્યો. તેમાં વિવિધ તાપમાન અને ભેજની સાથે તડકા અને તડકા વિનાની સ્થિતિમાં વાઇરસની લાઇફને ચકાસલામાં આવી. અભ્યાસમાં જણાયું કે સૂર્યતાપમાં વાઇરસના કણ જલદી ખતમ થઇ રહ્યા છે. પરંતુ તાપમાન વધુ હોય પણ તડકો ન હોય તો વાઇરસ લાંબા સમય સુધી રહે છે.
6 સ્થિતિઓ વિશે અભ્યાસ કરાયો
તાપમાન | ભેજ | સ્થિતિ | સપાટી | સમય |
22થી23 ડિગ્રી | 20% | તડકો ન હોય | જમીન પર | 18 કલાકમાં અડધા |
22થી23ડિગ્રી | 80% | તડકો ન હોય | જમીન પર | 6 કલાકમાં અડધા |
36 ડિગ્રી | 80% | તડકો ન હોય | જમીન પર | 1 કલાકમાં અડધા |
22થી23 ડિગ્રી | 20% | તડકો ન હોય | હવામાં | 1 કલાકમાં અડધા |
22થી23ડિગ્રી | 80% | તડકો હોય | જમીન પર | 2 મિનિટમાં અડધા |
22થી23ડિગ્રી | 20% | તડકો હોય | હવામાં | દોઢ મિનિટમાં અડધા |
આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક નહીં યોજાય તો તેને ફરી સ્થગિત નહીં કરવામાં આવે અને ગેમ્સને રદ કરવાનો નિર્ણય લેવાશે. ટોક્યો ઓલિમ્પિકની આયોજન કમિટીના અધ્યક્ષ યોશિરો મોરીએ આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે, જો મહામારીનો અંત નહીં આવે અથવા તે નિયંત્રણમાં નહીં આવે અને તે કારણે ગેમ્સ નહીં થાય તો ઓલિમ્પિક રદ કરવામાં આવશે. કારણ કે ગેમ્સ પહેલા જ એક વર્ષ માટે સ્થગિત કરાઈ છે. હવે તે આગામી વર્ષે 23 જુલાઈથી થશે. તેમણે કહ્યું કે, ગેમ્સને હવે ટાળવી શક્ય નહીં હોય. જાપાનના નિક્કન સ્પોર્ટ્સ ડેલીને ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રશ્ન કરવામાં આવ્યો કે, જો મહામારીનું જોખમ યથાવત્ રહે છે તો શું ટોક્યો ઓલિમ્પિકને 2022 સુધી ટાળવામાં આવશે? તો તેમણે કહ્યું,‘ના, જો આમ થયું તો પછી ગેમ્સ રદ કરાશે. અગાઉ પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ સમયે પણ ઓલિમ્પિકને રદ થઈ હતી.
જો મહામારી પર નિયંત્રણ મેળવી લેવામાં આવશે તો અમે આગામી ઉનાળામાં ગેમ્સનું આયોજન કરીશું. સંપૂર્ણ વિશ્વના લોકો આ માટે પ્રયાસ કરી રહ્યાં છે.’
આ દરમિયાન ટોક્યો 2020ના પ્રવક્તા માસા તકાયાએ મોરીના આ નિવેદન પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે આ નિવેદનને અધ્યક્ષના વ્યક્તિગત વિચાર ગણાવ્યા. તેઓ હાલ એ વિચારીને તૈયારી કરી રહ્યાં છે કે ઓલિમ્પિક આગામી વર્ષે 23 જુલાઈ અને પેરાલિમ્પિક 24 ઓગસ્ટથી થશે. જાપાનના આયોજકો અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી
(આઈઓસી)એ ખેલાડીઓના ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના ભારે દબાણ બાદ માર્ચમાં ગેમ્સને 1 વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો અને નવી તારીખોની જાહેરાત કરી હતી.
ઓપનિંગ-ક્લોઝિંગ સેરેમની એક સાથે યોજવામાં આવે
મોરીએ સાથે જણાવ્યું કે, આયોજકો ગેમ્સનો ખર્ચ ઘટાડવા માટે પણ વિચાર કરી રહ્યાં છે. જેથી અમે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકની ઓપનિંગ તથા ક્લોઝિંગ સેરેમની એક સાથે કરાવવાની યોજના બનાવી રહ્યાં છીએ. આ પ્લાન અનુસાર પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની 23 જુલાઈએ ઓલિમ્પિક સેરેમની સાથે થાય. પછી ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમની 5 સપ્ટેમ્બરે પેરાલિમ્પિકની ક્લોઝિંગ સેરેમની સાથે થાય. મોરીએ સ્વીકાર્યું કે, ગેમ્સના આયોજકોએ આઈઓસી અને પેરાલિમ્પિકના સમકક્ષો પાસેથી આ અંગે મંજૂરી નથી લીધી.
વેક્સિન નહીં બને તો આયોજન મુશ્કેલ, કારણ કે સંક્રમણનું જોખમ રહેશે: મેડિકલ એસોસિએશન
જાપાનના મેડિકલ એસોસિએશને ચેતવણી આપી કે જો વેક્સિન નહીં બને તો આગામી વર્ષે ગેમ્સનું આયોજન કરવું મુશ્કેલ રહેશે. એસોસિએશનના પ્રમુખ યોશિતા કે યોકોકુરાએ કહ્યું,‘હું નહીં કહું કે ઓલિમ્પિકનું આયોજન મુશ્કેલ છે. જાપાનમાં સંક્રમણ નિયંત્રણમાં આવી ગયું છે. પરંતુ વિશ્વમાં જોખમ બન્યું રહેશે તો ગેમ્સને આયોજીત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. આશા છે કે આ વાઈરસની વેક્સિન વહેલી તકે ડેવલપ કરી લેવામાં આવશે.’ ગત અઠવાડિયે જાપાનની કોબે યુનિવર્સિટીમાં સંક્રામક રોગોના એક પ્રોફેસરે કેન્ટારો ઈવાટાએ કહ્યું હતું કે,‘પ્રામાણિકતાથી કહું તો મને નથી લાગતું કે આવતા વર્ષે પણ ગેમ્સનું આયોજન થઈ શકે છે.’
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ કોરોના અંગે વ્હાઇટ હાઉસમાં બ્રિફિંગ કરે છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના ત્રણ પત્રકારોએ દરેક શબ્દનું વિશ્લેષણ કર્યું છે. ટ્રમ્પ 9 માર્ચથી અત્યારે સુધી 2.60 લાખ શબ્દો બોલી ચુક્યા છે. તેમાં સૌથી વધુ 600 વધુ પોતાની પ્રસંશા કરી ચૂક્યા છે. તેઓ 13 કલાકના ભાષણમાં 2 કલાક આરોપ, 45 મિનિટ પોતાના વખાણ, 25 મિનિટ મીડિયા પર દોષ, 21 મિનિટ ચીન અંગે બોલ્યા છે. કોરોના પીડિતો અંગે તેઓ માત્ર સાડા મિનિટ બોલ્યા.
પીડિતો સાથે જેટલી સહાનુભૂતિ, તેના કરતા ચાર ગણા પોતાના વખાણ
કોરોના વાઈરસના કારણે આખી દુનિયામાં લૉકડાઉન છે. આશરે 400 કરોડ લોકો ઘરોમાં કેદ છે. અર્થતંત્ર, ટ્રાન્સપોર્ટ, સ્કૂલ, કોલેજ ઠપ છે. આકાશ અનેક દાયકા પછી વાદળી દેખાઈ રહ્યું છે. પર્યાવરણમાં સુધારો દેખાઈ રહ્યો છે. લૉકડાઉનમાં કાર્બન ઉત્સર્જન 5.5 ટકા સુધી ઘટ્યું છે. એટલે કે હજુ પણ 95 ટકા કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે. તમારા મનમાં સવાલ થતો હશે કે જો બધુ બંધ છે તો પછી કાર્બન ઉત્સર્જન ક્યાંથી થઈ રહ્યું છે? અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેયરિક એડમિનિસ્ટ્રેશન(એનઓએએ)ના રિપોર્ટ મુજબ કાર્બન ઉત્સર્જન તેના પર નિર્ભર કરે છે કે અર્થતંત્રના કયા ક્ષેત્રોને બંધ કરાયા છે.
આ કારણોસર કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો
વીજળીનો કાર્બન ઉત્સર્જનમાં આશરે 40 ટકા હિસ્સો છે. નાસાની ગોડાર્ડ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝના ડિરેક્ટર ડૉ. ગેવિન શ્મિટ કહે છે કે આવા મોટા પડકારોનો સામનો કર્યા વિના કાર્બન ડાયોક્સાઈડના સ્તરને ઘટાડી ના શકાય.
લાકડાં, કોલસાનો ઉપયોગ:ઘરોને ગરમ રાખવા અને ભોજન રાંધવા માટે લાકડાં અને કોલસાનો અને પ્રાકૃતિક ગેસનો ઉપયોગ ચાલુ જ છે.
રિફાઈનરી: પાવર પ્લાન્ટ ઉપરાંત ઓઈલ ગેસ રિફાઈનરી પણ કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. જ્યારે નેચરલ ગેસ અને લાઇવ સ્ટૉક ફાર્મિંગથી પણ મિથેન ગેસ નીકળે છે.
ઈન્ટરનેટ : કર્મચારી ઘરેથી કામ કરી રહ્યાં છે. એવામાં ઇન્ટરનેટ, વીજળીનો ઉપયોગ વધ્યો છે.
મેન્યુફેક્ચરિંગ-કન્સ્ટ્રક્શન : કાર્બન ઉત્સર્જનનો 20 ટકા તેનાથી જ આવે છે. સૌથી મોટો હિસ્સો સ્ટીલ, એલ્યુમિનિયમ ઈન્ડસ્ટ્રીનો છે. ઉપકરણ, વેન્ટીલેટર જેવી વસ્તુઓ બનાવવા માટે તે ચાલુ જ છે.
10 વર્ષ સુધી ઉત્સર્જન ઘટાડવું જરૂરી
યુનાઈટેડ નેશન્સ એન્વાયરોમેન્ટલ પ્રોગ્રામ અનુસાર કાર્બન ઉત્સર્જનમાં 5.5%નો ઘટાડો પર્યાપ્ત નથી. જે રીતે તાપમાન વધી રહ્યું છે તેના હિસાબે વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રોકવા માગે આગામી 10 વર્ષ સુધી કાર્બન ઉત્સર્જનમાં વાર્ષિક 7.6%નો ઘટાડો કરવો જરૂરી છે.
કોનાથી કેટલું કાર્બન ઉત્સર્જન
ક્ષેત્ર | ઉત્સર્જન |
ઈલેક્ટ્રિસિટી | 40% |
મેન્યુફેક્ચરિંગ | 20% |
ટ્રાન્સપોર્ટ | 20% |
અન્ય | 20% |
કોરોના સમયે જંતુમુક્ત થવા સેનેટાઇઝેશન ટનલના ઉપયોગનું ચલણ વધ્યું છે. તેમાં સોડિયમ હાઇપોક્લોરાઇડ તથા આલ્કોહોલ તેમજ જંતુમુક્ત કરવા ઉપયોગી અન્ય કેમિકલને પાણી સાથે મિલાવીને તૈયાર કરાયેલા દ્રાવણનો છંટકાવ કરાઈ રહ્યો છે. જાણકારોના મતે ટનલમાં કેમિકલ સીધું જ શરીરના સંપર્કમાં આવે છે, તેને કારણે શ્વાસ કે ચામડીના રોગો થઇ શકે છે. હાલમાં કલેક્ટોરેટ, પોલીસ ભવન, હોસ્પિટલમાં કર્મચારીઓ ડિસઇન્ફેક્ટ થઇ શકે તે માટે સેનેટાઇઝેશન ટનલ ઉપયોગમાં લેવાતી હતી. જોકે ટનલ મૂક્યાના જૂજ દિવસોમાં તેનો ઉપયોગ કરતા લોકોમાં શ્વાસ કે ચામડીના રોગની અસર થઇ હોવાનું સામે આવ્યું હતું. શહેરના જાણીતા ડોક્ટરો પાસે દર્દી ટેલી કન્સલ્ટેશન થકી કેમિકલની અસરથી ઉદભવેલી સમસ્યાનું નિદાન કરાવી રહ્યા છે.
કંપનીમાં ટનલનો ઉપયોગ કર્યો શરીરમાં ખંજવાળ ઊઠી હતી
શહેર નજીકના ઔદ્યોગિક એકમના કર્મચારીએ કામ પતાવી ઘરે જતા પહેલાં નજીકમાં આવેલી ટનલમાં જંતુમુક્ત થઇ જવાનું શરૂ કર્યું હતું. તેને કારણે થોડાક દિવસ બાદ શરીરમાં ખંજવાળ ઊઠી હતી અને ચામડી પર લાલ થઇ ગઇ હતી. આ અંગે ટેલી મેડિસિન દ્વારા ડોક્ટરના કન્સલ્ટેશનમાં ટનલનો ઉપયોગ બંધ કરવાના સૂચન સાથે દવા આપી હતી. ટનલનો ઉપયોગ બંધ કર્યા બાદ ચામડીના દર્દમાં રાહત છે.
ટનલના ઉપયોગ બાદ મેડિકલ પ્રોફેશનલને ઉધરસ શરૂ થઇ
મેડિકલ પ્રોફેશનમાં ફરજ બજાવતી વ્યક્તિ તેની ડ્યૂટી પૂરી થયા બાદ સેનેટાઇઝેશન ટનલમાંથી દિવસમાં 2 વખત પસાર થતી હતી. શરૂઆતમાં તો કંઇ ન થયું. પરંતુ ત્રણ દિવસ બાદ તેને ઉધરસ આવવાનું ચાલુ થયું. તબીબ સાથે ટેલી કન્સલ્ટેશનથી તેની સમસ્યાનું કારણ ટનલનું કેમિકલ હોવાનું સામે આવ્યું હતું. ટનલનો ઉપયોગ બંધ કર્યા બાદ તેની ઉધરસ સંબંધિત સમસ્યાઓનો અંત આવ્યો હતો.
વાઇરસ સામે કેમિકલ નકામું, એલર્જીની સમસ્યા હોય તો ટનલ મુશ્કેલી વધારે છે
શરીરને જંતુમુક્ત કરવાના ઉદ્દેશ્યથી સેનેટાઇઝેશન ટનલ મૂકાય છે.જેમાં છંટકાવ કરાતા કેમિકલને અન્ય પદાર્થો સાથે ભેળવી બનાવેલું દ્રાવણ વાઇરસ સામે બિનઅસરકારક છે. કપડા-શરીર પર જંતુ લાંબા સમય સુધી સક્રિય રહેતા નથી. જો કોઇને શ્વાસ, ચામડીના રોગ કે એલર્જી હોય તો ટનલનો ઉપયોગ સમસ્યા વધારી શકે છે.- ડો.હિતેન કારેલિયા, ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ
સાબુથી હાથ સાફ રાખવા અને માસ્કના ઉપયોગનો કોઇ વિકલ્પ નથી
સેનેટાઇઝેશન ટનલથી કપડાં-શરીર પરથી જંતુનો નાશ થાય છે તેના વૈજ્ઞાનિક પુરાવા નથી. સેનેટાઇઝેશન ટનલમાં સ્પ્રેના સંપર્કમાં આવતા અંગોમાં એલર્જિક રિએક્શનની શક્યતા વધારે છે. સાબુથી હાથ સાફ રાખવા અને માસ્કના ઉપયોગનો કોઇ વિકલ્પ નથી.WHOની ગાઇડ-લાઇન્સમાં પણ કેમિકલના છંટકાવને નકારાયો છે. - ડો. દિવ્યેશ પટેલ, ઇન્ટેન્સીવ કેર એક્સપર્ટ
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન
શહેરમાં હાલમાં કોરોના વાઇરસનો કહેર પ્રસરી રહ્યો છે ત્યારે ડિસઇન્ફેક્શન (જંતુરહિત થવા) માટે વિવિધ સરકારી તેમજ ખાનગી ઓફિસીસ ઉપરાંત હોસ્પિટલ્સમાં સેનેટાઇઝેશન ટનલનાે ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. જોકે આ સેનેટાઇઝેશન ટનલ સારી નથી. તેમાં સોડિયમ હાઇપોક્લોરાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ છે. તે કારણથી સરકારી અને ખાનગી જગ્યાઓ પર રાખવામાં આવેલી સેનેટાઇઝ ટનલનો ઉપયોગ કરવો જોઇએ નહિ.
સોમવારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,548 પર પહોંચી છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો ઉમેરો થયો હતો. જેમાંથી 197 કેસ તો ખાલી એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 11 દર્દીઓના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162એ પહોંચ્યો છે. તેમજ નવા 81 દર્દી સાથે કુલ 394દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે અને તેનાથી વિપરીત જોઇએ તો દર્દીઓના મૃત્યુનો દર બીજા રાજ્યો કરતાં વધુ છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે તથા વાઇરસના સ્ટ્રેઇનમાં અન્ય રાજ્યો કરતાં ફરક હોવાને કારણે આમ બને છે. આ અંગે ગુજરાતના તજજ્ઞો સંશોધન કરી રહ્યાં છે અને તેને આધારે તેમાં કેવી રીતે વર્તવું તેનો ખ્યાલ આવશે.
આખાં ભારતના કુલ મૃતાંકના 18% ગુજરાતમાં, સાજા થયેલાંનો દર 6%
સોમવારે ગુજરાતમાં 11 લોકોના મોત સાથે રાજ્યમાં કુલ મૃતકાંક 162 પર પહોંચ્યો છે. આ આંકડો આખાં ભારતમાં કોરોનાને કારણે થયેલાં મોતનો આંકડો 886ના 18 ટકા થવા જાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 81 લોકો સાજાં થઇને ઘરે ગયાં છે અને તેની સાથે કુલ 394 લોકો કોરોનાને લડત આપી સ્વસ્થ થયાં છે. જો કે સમગ્ર ભારતમાં આ આંકડો 6,361 અને તે જોતાં તેમાં ગુજરાતની ટકાવારી માત્ર 6.20 ટકા જ છે. હાલ 2,992 દર્દીઓ હજુ હોસ્પિટલોમાં કોરોના સામે લડત આપી રહ્યા છે. તે પૈકી 2,961 સ્ટેબલ છે, જ્યારે 31 વેન્ટિલેટર પર છે.
કુલ દર્દી 3548, 162ના મોત અને 394 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 2379 | 109 | 212 |
વડોદરા | 240 | 13 | 56 |
સુરત | 556 | 19 | 20 |
રાજકોટ | 46 | 00 | 15 |
ભાવનગર | 40 | 05 | 19 |
આણંદ | 51 | 03 | 15 |
ભરૂચ | 29 | 02 | 14 |
ગાંધીનગર | 30 | 02 | 12 |
પાટણ | 17 | 01 | 11 |
નર્મદા | 12 | 00 | 01 |
પંચમહાલ | 20 | 02 | 00 |
બનાસકાંઠા | 28 | 01 | 01 |
છોટાઉદેપુર | 13 | 00 | 03 |
કચ્છ | 06 | 01 | 03 |
મહેસાણા | 07 | 00 | 02 |
બોટાદ | 13 | 01 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 04 | 00 | 01 |
ખેડા | 06 | 00 | 01 |
ગીર-સોમનાથ | 03 | 00 | 02 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 01 | 01 |
સાબરકાંઠા | 03 | 00 | 02 |
મહીસાગર | 10 | 00 | 00 |
અરવલ્લી | 18 | 01 | 00 |
તાપી | 01 | 00 | 00 |
વલસાડ | 05 | 01 | 00 |
નવસારી | 03 | 00 | 00 |
ડાંગ | 02 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 00 |
કુલ | 3548 | 162 | 394 |
પંજાબ પોલીસે કોરોના યોદ્ધા સબ ઇન્સ્પેક્ટર હરજિત સિંઘને એવું સન્માન આપ્યું જે કદાચ વિશ્વમાં આ અગાઉ કોઇને પણ મળ્યું નહીં હોય. પંજાબ પોલીસના ડીજીપી દિનકર ગુપ્તા સહિત આશરે 80 હજાર જવાનોએ સોમવારે પોતાની છાતી પર હરજિત સિંઘના નામના બેઝ લગાવ્યા. હાથોમાં ‘હું પણ હરજિત સિંઘ’ના નામના બેનર ઉઠાવી તેમના જુસ્સાને સલામી આપી. પીજીઆઇમાં ભરતી હરજિત પણ સન્માન મેળવી બહુ જ ખુશ છે. ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું કે ‘સમગ્ર વિશ્વ બહુ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. પોલીસ, મેડિકલ સ્ટાફ સહિત ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં નાખી દિવસ રાત તહેનાત છે. #હું પણ હરજિત સિંઘ.. એવા જ કોરોના યૌદ્ધાઓનો જુસ્સો વધારવાનો એક પ્રયાસ છે.’ 12 એપ્રિલે પટિયાલામાં કરફ્યુ પાસ માગવા દરમિયાન આક્રોશિત નિહંગોએ હરજિત પર હુમલો કરી તલવારથી કાંડુ કાપી નાંખ્યું હતું. જો કે પાછળથી પીજીઆઇ ચંડીગઢના ડોક્ટરોએ સાડા સાત કલાકના ઓપરેશનમાં કાંડુ જોડી દીધું હતું, હવે હરજિતના હાથમાં લોહીનો પ્રવાહ સામાન્ય થવા લાગ્યો છે. તેમાં કપાયેલા હાથની આંગળીઓ પણ સામેલ છે.
આ સન્માનની કલ્પના નહોતી કરી: હરજિત
પીજીઆઇ, ચંડીગઢમાં દાખલ હરજિત સિંહ આ સન્માનથી ખૂબ ખુશ છે. તેમણે કહ્યું, ‘મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને આવું જીવનભર યાદ રહે તેવું સન્માન મળશે. હું ડીજીપી, એસએસપી સહિત પૂરી ફોર્સ અને લોકોનો આભારી છું. મેં જીવનમાં ક્યારેય કોઇને આવું સન્માન મળતું જોયું નથી, સૌનો આભાર.’ હરજિત રિકવરીથી ઘણા ખુશ છે, તેમણે કહ્યું કે તેઓ હું હવે ડ્યુટી માટે તૈયાર છું.
આંગળીઓની મૂવમેન્ટથી ડૉક્ટર ખુશ: ગુરજીત
હરજિતના નાના ભાઇ ગુરજીતે કહ્યું કે ભાઇએ હિંમત નથી હારી, અમને ડર હતો કે ક્યાંક તેમને ઇન્ફેક્શન ન લાગી જાય. ડૉક્ટરોએ ડ્રેસિંગ ખોલ્યું તો તેમણે તરત આંગળીઓની મૂવમેન્ટ શરૂ કરી દીધી. તે જોઇને ડૉક્ટરો પણ દંગ રહી ગયા. તેમની સારવાર કરી રહેલા ડિપાર્ટમેન્ટ ઑફ પ્લાસ્ટિક સર્જરીના ડૉ. જેરી કહે છે કે હરજિત એટલા ખુશમિજાજ છે કે જો કોઇ દર્દીને ડિપ્રેશન હોય તો તેને હરજિત પાસે બેસાડી દઇએ તો તેનું ડિપ્રેશન દૂર કરી નાખે.
ઉનાળે ઉજ્જડ થતા સ્વાગત કરતા યજમાન જેવા અેક વયક્ત વૈરાગ બાગ જેમાં કોઇ અંધજન લાકડી વિના માઇલો સુધી ચાલ્યા જ કરે તોય મંઝીલ મળે નહીં એવી સપાટ અનોખી ભોમકા અેટલે વેરાન રણ. અેકવાર અનુભવ કર્યે જ ખબર પડે કે રાત્રે તો ઠીક પરંતુ અહીં તો દિવસેય ભૂલા પડી જવાય ? વાહન હોય તો બળતણ અને માનવીને શ્વાસ ચાલે ત્યાં સુધી મંઝીલ મળે નહીં અેવા વેરાન રણમાં ગરમી પડવાની શરૂઆત થતાંની સાથે જ જમીન ફાટવા લાગી છે. હાલ આ વેરાન રણમાં ગરમીનો પારો 45 ડીગ્રી છે. જે આવનારા દિવસોમાં મે-જૂનમાં વધીને 48 ડીગ્રીને પણ આંબી જશે.